Translate

Search This Blog

Thursday, December 3, 2009

સુવિચાર

દિવ્ય ભાસ્કર દૈનિકમાં દરરોજ સુવિચાર પ્રકાશિત થાય છે. આ દૈનિકના સૌજન્ય સહ આ સુવિચારના કેટલાક અંશ અત્રે પ્રસ્તુત છે.
  • લક્ષ્મી અતિ ગુણવાન પાસે રહેતી નથી તેમજ અતિશય ગુણહીન પાસે પણ રહેતી નથી. ........... વિદુરનીતિ
  • જ્ઞાની પુરુષ કોઈ પણ લૌકિક વિષયમાં રમમાણ થતા નથી. ........... જ્ઞાનેશ્વરી ગીતા
  • અમને વરદાન આપ કે સેવક અને મિત્ર તરીકે અમારે જેની સેવા કરવાની છે તેનાથી અમે ક્યારેય અળગા ન પડીએ. .......... ગાંધીજી
  • વાસ્તવિક શિક્ષા તો ત્યારે શરૂ થાય છે જ્યારે મનુષ્ય તમામ બાહ્ય સહાયતાને છોડી અંતરના સ્ત્રોત પ્રત્યે અગ્રેસર થાય છે. ......... સ્વામી રામતીર્થ
  • પ્રેમ, શ્રદ્ધા અને ઇચ્છાપૂર્તિનું ઉત્તમ સાધન પ્રાર્થના છે. ......... ફાધર વાલેસ
  • સભ્યતા જ સહનશીલતા માટેની એક માત્ર કસોટી છે. ......... આર્થર હેલ્પ્સ
  • મનુષ્યનો વ્યવહાર અરીસા જેવો છે, જેમાં તેનું ચિત્ર દેખાય છે. ........ ગેટે
  • જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઇચ્છાશક્તિ હોવી જોઈએ. .......... સ્વામી વિવેકાનંદ
  • મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ન હોય પરંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય. .......... સ્વામી અખંડાનંદ સરસ્વતી
  • માણસની ઘણી ખરી કેળવણી બચપણમાં પૂરી થાય છે, તેનું ચારિત્ર્ય ઘડાય છે મા-બાપના ખોળામાં, ઘરાઅંગણાની રમતમાં. ......... ઉમાશંકર જોષી
  • પોતાની વિવેક-બુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તેનો સ્વીકાર કરજો. .... ભગવાન બુદ્ધ
  • મારી અંદરના ક્રોધના જ્વાળામુખીને અને બીજી અનેક વાસનાઓના વડવાગ્નિને સમાવી દેનારા તો ગાંધીજી જ હતા. ............... વિનોબા ભાવે
  • તમે ક્યાંથી આરંભ કરો છો એના કરતાં કેવી રીતે અને શું શીખો છો તે મહત્ત્વનું છે. ............ એન. આર. નારાયણમૂર્તિ
  • ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ નવ સરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. ......... કવિ કલાપી
  • સખત પરિશ્રમ કરો, પવિત્ર અને શુદ્ધ બનો એટલે ઉત્સાહ આવશે જ. ................. સ્વામી વિવેકાનંદ
  • એવું ન માનતા કે જીત જ સર્વસ્વ છે, વધુ મહત્ત્વ એ વાતનું છે કે તમે કોઈ આદર્શ માટે સંઘર્ષ કરો છો. જો તમે આદર્શ પર જ મક્કમ નહીં રહી શકો તો જીતશો શું ? ..... લેન કર્કલેન્ડ
  • પ્રયત્ન દેવની જેમ છે જ્યારે ભાગ્ય દાનવની જેમ, એવામાં પ્રયત્નદેવની ઉપાસના જ શ્રેષ્ઠ કામ છે. ............ સમર્થ ગુરુ રામદાસ
  • તમને બધું જ મળી શકે છે, છેવટે તેને તમે મૂકશો ક્યાં ? ............. સ્ટીવન રાઈટ
  • જો કોઈ વ્યક્તિ પોતાના ધનને જ્ઞાન મેળવવા ખર્ચતી હોય તો તેનાથી એ જ્ઞાનને કોઈ છીનવી નહીં શકે, જ્ઞાન માટે કરાયેલા રોકાણમાં હંમેશાં સારું ફળ મળે છે. ........... બેન્જામિન ફ્રેંકલિન
  • જ્યારે તમે કાંઈક ગુમાવી બેસો, તો તેનાથી પ્રાપ્ત શિક્ષાને ન ગુમાવશો. ........... દલાઇ લામા
  • થઇ શકે છે કે તમારું કામ મહત્ત્વહીન થઇ જાય, પણ તેનાથી મહત્ત્વપૂર્ણ એ છે કે તમે કંઇક કરો. ........... મહાત્મા ગાંધી
  • જેવી રીતે મહેનત કરવાથી શરીર મજબૂત થાય છે, તેવી રીતે જ મુશ્કેલીઓ સામે ઝઝૂમવાથી મસ્તિક સુદ્રઢ બને છે. .............. સેનેકા
  • જેઓ પોતે જ સંયમિત અને નિયંત્રિત છે તેમણે વ્યર્થમાં વધુ નિયંત્રિય થવું જોઇએ નહીં, જે હાલમાં જ અનિયંત્રિત છે તેને જ નિયંત્રિત કરવું જોઇએ. ............ અથર્વવેદ
  • જિંદગી એવી નથી જેવું તમે એના માટે વિચારો છો, એ તો એવી બની જાય છે જેવી તમે એને બનાવો છો. .................. એન્થની રયાન
  • જે મનુષ્ય પારકા ધનની, રૂપની, કુળની, વંશની, સુખની અને સન્માનની ઇર્ષા કરે છે તેને પાર વિનાની પીડા રહે છે. ........... વિદુર નીતિ
  • બાળકને નિર્દોષ અને પ્રેમાળ કૌટુંબિક વાતાવરણ મળે એ જ અગત્યનું છે. શુદ્ધ વાત્સલ્યનો આસ્વાદ મળતો હોય ત્યાં જીવન સુરક્ષિત રહે છે. ......... કાકાસાહેબ કાલેલકર
  • જો હું મારા તમામ વ્યવહારમાં પ્રમાણિક હોઉં તો મને કદી ડર લાગવાનો નથી. ........... સ્વામી વિવેકાનંદ
  • સ્ટેનોગ્રાફર વાંસળીવાદક થઇ શકે. બસ શ્રદ્ધા અને સ્વરની સાધના કરશો તો જ્યાં જશો ત્યાં ઈશ્વર તમને પહોંચાડશે. .............. પંડિત હરિપ્રસાદ ચોરસિયા
  • તમારી ભૂલોનો સ્વીકાર કરજો. એથી ક્યારેક તો એવાં સારાં પરિણામો આવશે કે જેની તમે કલ્પના પણ કરી નહીં હોય. ........... સેગી ટેરિક્સ
  • કાર્ય કરવું એટલે શરીરથી પ્રભુને પ્રાર્થના કરવી. .................... શ્રી માતાજી
  • પાપ અને દુરાચાર એક માનસિક કે આત્મિક રોગ છે, તેને મટાડવા ઉપદેશ રૂપી દવા જરૂરી છે. ............ ઉસુ ખ્રિસ્ત
  • સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ન હારવી, સુખ દુઃખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી. .............. અજ્ઞાત
  • ખુદાને આદમી વચ્ચે તફાવત છે બહું જ થોડો, બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે. ............ બરકત વિરાણી
  • આળસ એ મૄત્યુ સમાન છે અને સતત કાર્યરત રહેવું એ જ જીવન છે. ................ સ્વામી રામતીર્થ

  • ઊઠો, બહાદુર અને મજબૂત બનો, પોતાના ખભા પર જવાબદારરી લો અને તમે જોશો કે તમે જ તમારા ભાવિના નિર્માતા છો. .......... સ્વામી વિવેકાનંદ
  • હું વિશ્વમાં માત્ર એક જ સરમુખત્યારનો સ્વીકાર કરું છું અને તે છે મારા અંતરાત્માનો અવાજ. ............ મહાત્મા ગાંધી
  • કોઈ બુરાઈ, કોઈ દુઃખદ ક્ષણ એવી નથી જેને વિશ્વાસ અને સચ્ચાઈથી જીતી શકાય નહીં. ......... ઉપનિષદ
  • ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે. .............. શૂન્ય પાલનપુરી
  • કોઈ કામ હલકું અને કોઈ કામ સારું એવો ભેદભાવ મનમાં રાખવો એ જ શરમજનક છે. ............. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
  • પ્રસંગોપાત જીવનમાં હસી લઉં છું, રડી લઉં છું અને આ જીવવા જેવું જીવન જાતે ઘડી લઉં છું. ............... અજ્ઞાત
  • મોજાં મારી પ્રેરણા છે, કારણ કે તેઓ પાછાં પડે છે અને ઊઠે છે અને પાછાં પડવા છતાં તેઓ ફરી ઊઠવામાં નિષ્ફળ જતાં નથી. ..................... ડૉ. અબ્દુલ કલામ
  • ઉત્તમ સૌથી આબરૂ, સજ્જન કેરો સાથ, લજ્જા ગઇ જો લાખની, ફરી ન આવે હાથ. ................ અજ્ઞાત
  • જે તુજથી ના થઇ શકે, પ્રભુને એ જ ભરાવ, પાણિયારું નહીં પ્રભુ ભરે, ભરશે નદી તળાવ. ............. દલપતરામ
  • કયું કાર્ય કરવું અને કયું ન કરવું તે અંગે જે મનુષ્ય જ્ઞાનમાં, ધર્મમાં, વિદ્યામાં અને વયમાં વૄદ્ધ હોય તેને માન આપીને પૂછે તે કદી મૂંઝાતો નથી. ............ વિદુર નીતિ
  • સફળતા અને અસફળતાની સંભાવનઓનું મૂલ્યાંકન કરવામાં સમય ન બગાડો. માત્ર લક્ષ્ય નક્કી કરી કામ શરૂ કરી દો. ..... ગુઆન ચીન ત્ઝુ
  • મોટા માણસોની હાજરીમાં ઉતાવળિયાપણું, શરમાળપણું અને બેદરકારી એ ત્રણ દોષને દૂર રાખવા. ......... કન્ફુશિયસ
  • વિશ્વમાં બે પ્રકારના લોકો હોય છે; આપનારા અને લેનારા. લેનારા સારું ખાઈ શકે છે જ્યારે આપનારા સારું ઊંઘી શકે છે. ............. મધર ટેરેસા
  • કાજળ તજે ન શ્યામતા, મુક્તા તજે ન શ્વેત, દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત. .............. અજ્ઞાત
  • એક વાત હ્નદય પર કોતરી રાખજો કે આપણા જીવનના સુખ અને દુઃખ મનના કારણ હોય છે. .......... જે પી વાસવાણી
  • આપણે એવી રીતે ચાલવું જોઈએ કે સંસાર કોઇ વાર એવુ ન કહેવા પામે કે તારી પાસેથી છીનવી લઇશ, પણ આપણે જ કહી શકીએ કે હું ત્યાગ કરીશ. ............ રવીન્દ્રનાથા ઠાકુર
  • પ્રભુ આગળ કરેલ અરજ એનું નામ પ્રાર્થના. કશી ગરજના કારણે કરેલી માગણી નહીં પણ સહજભાવે ભગવાન સમક્ષ રજુ થાય તે પ્રાર્થના. .................. પુરુષોત્તમ ગણેશ માવલંકર
  • આપણા દરેકમાં દોષ હોય છે પણ દોષમુક્ત થવાનો પ્રયત્ન કરવો એ આપણું કર્તવ્ય છે. .............. મહાત્મા ગાંધી
  • પહેલો મૂર્ખ તે ઠેકે કૂવો, બીજો મૂર્ખ તે રમે જુઓ, ત્રીજો મૂર્ખ તે બહેન ઘર ભાઇ, ચોથો મૂર્ખ તે ઘર જમાઇ. ............... અજ્ઞાત
  • શ્રમનિષ્ઠાનું જીવનમાં અનિવાર્ય સ્થાન છે. શ્રમ નિષ્ઠા પૂર્વક જીવન જીવવાથી વ્યક્તિગત જીવન અને સમાજ જીવન સાર્થક બનશે, સર્વોદય સધાશે. ......... વિનોબા ભાવે
  • સ્વાર્થ વિનાની પ્રાર્થનામાં પણ બળ હોય છે જ - જો એ ખરા હ્નદયથી થતી હોય તો. ............. ગુલાબદાસ બ્રોકર
  • બુદ્ધિ તો આપણી સ્વાધીન છે, મનથી ઉપર ઊઠીને બુદ્ધિ જો આપણા હાથમાં આવી જાય તો મન આપણું કહ્યું કરશે. .......... સ્વામી રામદાસ
  • પ્રેમ જાગે ને એ શ્રદ્ધા બેસે ને એ ઇચ્છા થાય એ માટે ઉત્તમ સાધન તો પ્રાર્થના જ છે. .......... ફાધર વાલેસ
  • વિજ્ઞાન આપણને બાહ્ય વિશ્વના નિર્માણમાં મદદ કરે છે તો આધ્યાત્મિકતા નૈતિક જીવનના નિર્માણમાં મદદ કરે છે. ....... ડૉ. રાધાક્રિષ્નન
  • કામનો ભૌતિક હિસાબ કરવાને બદલે દરેક કામનું નૌતિક મૂલ્ય માનીને દરેક માણસને જીવન નિર્વાહ મેળવવાનો સમાન અધિકાર છ્હે. ......... વિનોબા ભાવે
  • પવિત્રતા વિનાની એકાગ્રતાનું કોઇ મૂલ્ય નથી હોતું. ......... સ્વામી શિવાનંદ
  • જો તમે ભૂલ રોકવા દરવાજા બંધ કરો તો સત્ય પણ બહાર જ રહી જશે. ........... રવીન્દ્રનાથ ઠાકુર
  • ઘૄણા કરવી એ શેતાનનું કામ છે. ક્ષમા મનુષ્યનો ધર્મ છે અને પ્રેમ કરવો એ દેવતાઓનો ગુણ છે. ....... ભર્તુહરિ
  • કૄત્રિમ પ્રેમ બહું દિવસો સુધી ટકી શકતો નથી, તો કુદરતી પ્રેમની નકલ કરી શકાતી નથી. ............. સ્વામી રામતીર્થ
  • જેઓ બીજામાં ડરનો સંચાર કરે છે તેઓ પોતે હંમેશાં ડરથી ગભરાતા હોય છે. ............. કલાડિયન
  • મારે શરણે આવેલા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. ............. ભગવાન શ્રી કૄષ્ણ