Translate

Search This Blog

Monday, July 14, 2014

વડોદરામાં રામ કથા

ડિસેમ્બરમાં પૂ. મોરારીબાપુની કથા યોજાશે

ભાસ્કર ન્યૂઝ.વડોદરા

વડોદરાવાસીઓને ૧૪ વર્ષ બાદ પૂ. મોરારીબાપુની કથાનું રસપાન કરવાની તક મળશે. તેમની રામકથા ડિસેમ્બર મહિનામાં યોજાશે. આ કથા ૧૦ દિવસ સુધી ચાલશે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન શહેરની એનજીઓ માનસ ફાઉન્ડેશનના સંચાલકો સંગીતાબહેન દોશી અને રાજુભાઇ ચીમનલાલ દોશી (મહુવાવાળા)ના દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં પૂ. મોરારીબાપુની કથા ૨૭ ડિસેમ્બર, શનિવારથી ૪ જાન્યુઆરી, સોમવાર દરમિયાન યોજાશે. આ વિશેે માનસ ફાઉન્ડેશનના સંચાલકોના જણાવ્યા મુજબ આ રામકથાનું આયોજન નવલખી કંપાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. પૂ. મોરારીબાપુની કથાના આયોજન વિશે જાણી ભકતજનોમાં ભારે ઉમળકો સર્જાયો છે.


Source Link : http://epaper.divyabhaskar.co.in/vadodra/32/12072014/0/1/ page 8


No comments:

Post a Comment