Translate

Search This Blog

Saturday, December 26, 2015

રામ કથા

માનસ અશોક વાટિકા - માનસ અસોક વાટિકા

સંત શ્રી લાલગેબી ગૌશાળા

મોઢપર


કચ્છ (ગુજરાત)

શનિવાર, ૨૬-૧૨-૨૦૧૫ થી રવિવાર, ૦૩-૦૧-૨૦૧૬

મુખ્ય પંક્તિ

करि सोइ रूप गयउ पुनि तहवाँ। 

बन असोक सीता रह जहवाँ




नाथ एक आवा कपि भारी। 

तेहिं असोक बाटिका उजारी॥


શનિવાર, ૨૬-૧૨-૨૦૧૫

કથા સરસ - રસમય જ હોય.

વિભીષણ માટે સજ્જન, સાધુ અને સંત શબ્દ વપરાયા છે.

ધ્યાન કરવા કરતાં ધ્યાન રાખવું એવું લાલબાપુનું કથન છે.

કથા દરમ્યાનનું વક્તવ્ય એ મૌન જ છે.
जुगुति बिभीषन सकल सुनाई    । 

चलेउ पवन सुत बिदा कराई     ॥


करि सोइ रूप गयउ पुनि तहवाँ    । 

बन असोक सीता रह जहवाँ    ॥

જુગતી માટે ૪ વસ્તુ સાથે રાખવી.

સુમંત રૂપી મંત્રી - કોઈ કલ્યાણકારી મંત્ર જો બુદ્ધ પુરૂષ પાસેથી મળી જાય તો આવો મંત્ર એ સમંત છે અને આવો મંત્ર જીવનમાં જુગતી માટે રાખવો.



सचिव  बिरागु  बिबेकु  नरेसू।  

बिपिन  सुहावन  पावन  देसू॥


વૈરાગ્ય રૂપી મંત્રી જીવનમાં સાથે રાખવો.


શાસ્ત્ર રૂપી મંત્રી જીવનમાં સાથે રાખવો.



સહજોબાઈ ભજનમાં કહે છે કે તે રામને છોડવા તૈયાર છે પણ પોતાના ગુરૂને છોડવા તૈયાર નથી.

ગીતામાં જે યોગનું વર્ણન છે તેના પ્રયોગો રામ ચરિત માનસમાં છે - સ્વામી રામકિંકરદાસજી

આપનાર તો દરિયો આપવા માટે તૈયાર છે પણ આપણે લેવા માટે ચમચી લઇને ઊભા છીએ.

સાબુ આપણને ધોઈ નાખે છે તો સાધુ કેમ ન ધોઈ શકે? સાબુ આપણો મેલ દૂર કરે છે, તો સાધુ તો ચોક્કસ મેલ દૂર કરી જ નાખે.

કૂતરો ગંધ દ્વારા માણસને ઓળખી જાય છે તો ગુરૂ જે સમર્થ છે તે તેની પાસે આવનારને દૂરથી જ ઓળખી જાય.


રવિવાર, ૨૭-૧૨-૨૦૧૫


તનુજા સેવા, માનસી સેવા અને વિતજા સેવા એવા ૩ પ્રકારાની સેવાનું ભગવાન વલ્લભાચાર્યનું કથન છે.

ગેબી એટલે શું?

ગેબી એટલે કળી ન શકાય તેવું, અલખ, જેને ઓળખી ન શકાય તેવું, રહસ્યપૂર્ણ, Misty, અકડતા, એવું પરમ તત્વ - ગુરૂ તત્વ જે અવર્ણનીય છે.

રામ ચરિત માનસ પાંચમો વેદ છે.

તુલસીદાસજી પંચવેદી છે.

ત્રણ વાટિકા છે - પુષ્પ વાટિકા, અશોક વાટિકા અને વિષ વાટિકા.

ભક્તિ, શાંતિ, આદિ શક્તિ અદ્‌ભૂત સંજીવની છે.

સીતા શામ્તિ છે જેની પાસે પહોંચવાની ૫ જુગતી છે.

કોઈની કૃપાની રોકડી ન કરાય.

અને જ્યારે જ્યારે કોઈની કૃપાની રોકડી કરવામાં આવે છે ત્યારે ત્યારે ધર્મને ગ્લાની થાય છે, બાનું લજવાય છે.

આપણને જેટલી જરુરિયાત હોય તેટલી કૃપા થાય છે જ.

અશોક વાટિકા જીવનનું સત્ય છે અને અશોક વાટિકામાં દ્વંદ છે.

૯ પ્રકારની ભક્તિ છે. અને દરેકની બે બે જુગતી છે.

प्रथम भगति संतन्ह कर संगा। 

दूसरि रति मम कथा प्रसंगा॥

भावार्थ:- मैं तुझसे अब अपनी नवधा भक्ति कहता हूँ। तू सावधान होकर सुन और मन में धारण कर। पहली भक्ति है संतों का सत्संग। दूसरी भक्ति है मेरे कथा प्रसंग में प्रेम॥

 गुर पद पंकज सेवा तीसरि भगति अमान।

चौथि भगति मम गुन गन करइ कपट तजि गान॥

भावार्थ:- तीसरी भक्ति है अभिमानरहित होकर गुरु के चरण कमलों की सेवा और चौथी भक्ति यह है कि कपट छोड़कर मेरे गुण समूहों का गान करें॥35॥

 मंत्र जाप मम दृढ़ बिस्वासा। 

पंचम भजन सो बेद प्रकासा॥

छठ दम सील बिरति बहु करमा। 

निरत निरंतर सज्जन धरमा॥

भावार्थ:- मेरे (राम) मंत्र का जाप और मुझमंर दृढ़ विश्वास- यह पाँचवीं भक्ति है, जो वेदों में प्रसिद्ध है। छठी भक्ति है इंद्रियों का निग्रह, शील (अच्छा स्वभाव या चरित्र), बहुत कार्यों से वैराग्य और निरंतर संत पुरुषों के धर्म (आचरण) में लगे रहना॥1॥


 सातवँ सम मोहि मय जग देखा। 

मोतें संत अधिक करि लेखा॥

आठवँ जथालाभ संतोषा। 
सपनेहुँ नहिं देखइ परदोषा॥

भावार्थ:- सातवीं भक्ति है जगत्‌ भर को समभाव से मुझमें ओतप्रोत (राममय) देखना और संतों को मुझसे भी अधिक करके मानना। आठवीं भक्ति है जो कुछ मिल जाए, उसी में संतोष करना और स्वप्न में भी पराए दोषों को न देखना॥2॥
 नवम सरल सब सन छलहीना। 

मम भरोस हियँ हरष न दीना॥

नव महुँ एकउ जिन्ह कें होई। 

नारि पुरुष सचराचर कोई॥

भावार्थ:- नवीं भक्ति है सरलता और सबके साथ कपटरहित बर्ताव करना, हृदय में मेरा भरोसा रखना और किसी भी अवस्था में हर्ष और दैन्य (विषाद) का न होना। इन नवों में से जिनके एक भी होती है, वह स्त्री-पुरुष, जड़-चेतन कोई भी हो-॥


 શ્રવણં કીર્તનં વિષ્ણો : સ્મરણં પાદસેવનં । 
અર્ચનં વંદન દાસ્યં સખ્યમાત્મનિવેદનમ્ ।।

સંતનો સંગ થાય ત્યારે શ્રવણ થાય.

સતસંગ એ ફળ છે - પરિણામ છે અને સતસંગથી હરિરસ મળે.

શ્રવણની બે જુગતી

વિદ્યા પ્રાપ્ત કર્યા પછી વિવેક રાખવો.

શ્રવણ ભક્તિ છીનવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું એ જુગતી છે.

સમાજના ઈન્દ્રો કવચ કુંડલ છીનવી ન લે તેનું ધ્યાન રાખવું.

શ્રવણ વિજ્ઞાન એ શ્રવણ ભક્તિની જુગતી છે.

જો શ્રવણ વિજ્ઞાન હોય તો God is now where માંથી God is now here થઈ શકે.

કીર્તનની જુગતી

ચારે બાજુ જોઈને પછી દેશકાળ પ્રમાણે કીર્તન કરવાનું, ગમે ત્યારે કીર્તન કરવા કૂદી ન પડાય.

સ્મરણ જ્યારે જેનું સ્મરણ કરતા હોઈએ તે દૂર હોય ત્યારે વધારે થાય.

સ્મરણ ઓચિતું થાય.

જેનું સ્મરણ કરતા હોઈએ એ જ્યારે આપણને યાદ કરે ત્યારે સ્મરણ કરવાનું મન થાય.




સોમવાર, ૨૮-૧૨-૨૦૧૫
આપણે ગુરૂ વચનથી ટકી રહ્યા છીએ.

મા ના વચન અને પિતાના વચન પછી આચાર્યનું વચન આવે.

બણગાને આયુષ્ય હોય જ્યારે વચન અમર હોય.

આપણી આંખ, નજર તેમજ પગ આપણી માતાને મળતા આવે જ્યારે આપણું માથું પિતાને મળતું આવે.

રામ પિતાના વચન માટે, માતાના હિત માટે અને માતૃભૂમિના હિત માટે વનમાં જાય છે.

કથા વિવેચક માટે ન હોય પણ કથા શ્રોતાઓ માટે હોય.

જાનકી અને રામ એક જ છે, તેમનામાં એકત્વ છે.

જાનકી રામની છાયા છે.અને તેથી જાનકી રામની સાથે વનમાં જાય છે.

મહાશક્તિને - જાનકીને શોધવા વાનર સેનાની થોડી શક્તિ વપરાય છે.

ગુરૂ શિષ્યને થોડી મહેનત જરૂર કરાવે.

ભક્તિમાં દિશા મહત્વની નથી પણ દશાનું મહત્વ છે.

ઈન્દ્રીયાતિત હોય તે જ કૃષ્ણને ઓળખી શકે. પણ ઈન્દ્ર ન ઓળખી શકે.

જે વરિષ્ઠ અને વિશિષ્ઠ છે તે જ વશિષ્ઠ છે.

ગુરૂ ક્યારેય મરતો જ નથી.

વશિષ્ઠ વિધીના લેખ બદલવા સક્ષમ છે.

નિયતિ, નેતી અને નિમિત્તને યાદ રાખવા.

अति बिचित्र भगवंत गति को जग जानै जोगु

बन बाग उपबन बाटिका सर कूप बापीं सोहहीं।

नर नाग सुर गंधर्ब कन्या रूप मुनि मन मोहहीं॥

भावार्थ:-वन, बाग, उपवन (बगीचे), फुलवाड़ी, तालाब, कुएँ और बावलियाँ सुशोभित हैं। मनुष्य, नाग, देवताओं और गंधर्वों की कन्याएँ अपने सौंदर्य से मुनियों के भी मन को मोहे लेती हैं। 

પુષ્પ વાટિકામાં રામ અને જાનકી છે જ્યારે અશોક વાટિકામાં જાનકી અને રાવણ છે.

પુષ્પ વાટિકામાં ગૌરી મંદિર છે જ્યારે અશોક વાટિકામાં કોઈ મંદિર નથી.

પુષ્પ વાટિકામાં જાનકીની સખીઓ છે જે સલાહકાર છે જ્યારે અશોક વાટિકામાં ત્રિજટા છે જે ભય બતાવે છે.

પુષ્પ વાટિકામાં જનુમાનજી નથી જ્યારે અશોક વાટિકામાં હનુમાનજી છે.

મૃત્યુનું નિવારણ સ્મરણથી થઈ શકે.

મરણ વિધાતાના હાથમાં છે જ્યારે સ્મરણ આપણા હાથમાં છે.

હાનિ વિધાતાના હાથમાં છે જ્યારે હારીશ નહીં તે આપણા હાથમાં છે.

દાસ ક્યારેય ઉદાસ ન થાય.

ઉદાસ ન થવું પણ ઉદાસીન થવું.

શાંતિ પ્રાપ્તિના ઉપાય




એકાંત


સંકલ્પ વિકલ્પ ઓછા કરવા.


ડરવું નહીં.


પ્રલોભન ન રાખવા.

ભય અને પ્રલોભનથી આપણે ધર્મમાં માનીએ છીએ.

નાદ અને જ્યોતનો તાલમેલ - એકાગ્રતા એટલે આરતી.





મંગળવાર, ૨૯-૧૨-૨૦૧૫
વાટિકા એને કહેવાય જ્યાં ફૂલ બહું હોય.

જનકની પુષ્પ વાટિકા વિદેહ વાટિકા છે, જ્યાં ફક્ત ફૂલ જ છે, ફળ નથી.

જ્યારે રાવણની અશોક વાટિકા દેહ વાટિકા છે, જ્યાં ફૂલ નથી પણ ફક્ત ફળ જ છે.

આ બંને વાટિકા રહસ્યપૂર્ણ છે.

તુલસીદાસ વિશ્વ માનુષ છે.

જેનામાં સાધુતા હોય તે વિશ્વ માનુષ છે.

ગુરૂ વિશ્વ માનુષ છે.

કૃષ્ણમ્‌ વંદે જગતગુરુમ્‌

जगद्गुरुं च शाश्वतं। 

तुरीयमेव केवलं ||


नमामि भक्त वत्सलं। 

कृपालु शील कोमलं॥

भजामि ते पदांबुजं। 

अकामिनां स्वधामदं॥

શક્તિના દર્શનની ૪ ચાવીઓ - યુક્તિઓ છે.

જાનકીનામ ૯ રૂપ છે.

જનક્સુતા


જગ જનનિ


અતિસત પ્રિય કરૂણાનિધાનની


સંજીવની બુટી

માયા રૂપ

૬ મહા શક્તિ - આદિ શક્તિ


કોયલ

૯ પ્રકારની ભક્તિ છે.

યુક્તિ - જુગતી - જુગટી ને ગુપ્ત રાખવાની હોય.

યુક્તિ, તપ, મંત્રને છુપાવીને રાખીએ તો જ ફળ મળે.

માનસ મારગના કથા પ્રસંગ દરમ્યાન ૯ માર્ગની ચર્ચા થયેલ છે.


અભય
અભય ભક્તિ સુધી પહોંચવાનો માર્ગ છે. ભયભીત માણસ ભક્તિ કરી જ ન શકે.

Pathless path એ ભક્તિ સુધી પહોંચવાનો મહા માર્ગ છે.

જ્યાં ભક્તિ નો ભગ હોય, ભગવાનો ભગ હોય અને જેની શ્રદ્ધા અભગ્ન હોય તે ભગવાન કહેવાય.


અલખ

અલખ એટલે જે લખી ન શકાય તે.

આપણે જે કરીએ તે કોઈ જાણે નહીં તે અલખ માર્ગ ભક્તિ સુધી પહોંચાડે.


અમર્શ માર્ગ

અમર્શ એટલે જેનામાં બદાલો લેવાની વૃત્તિ નથી તે. જેનામાં બદાલો લેવાની વૃત્તિ ન હોય તે ભક્તિ સુધી પહોંચી શકે.


અમુલ

અમુલ એટલે જેનું મૂળ ન જોવાનું હોય. મૂળ અને કૂળ જોવાનાં ન હોય.


અમલ

જે મળ મુક્ત, વિકાર મુક્ત છે તે ભક્તિ કરી શકે.

ગુરૂએ કહેલ વચનોનો અમલ કરે એ ભક્તિને પ્રાપ્ત કરી શકે.


અરુષ

અન્ય વ્યક્તિ કંઇ ન કરે તો પણ તેવી વ્યક્તિ ઉપર રોષ ન કરે તે ભક્તિને પ્રાપ્ત કરી શકે.


અશોક

જે ભૂતકાળનો શોક ન કરે તે ભક્તિ કરી શકે.


અશંક

જે શંકા કુશંકા કરે તે ભક્તિ ન કરી શકે.


અનેય

જે ઈચ્છા રહિત છે, કામના રહિત છે તે ભક્તિ કરી શકે.

ભક્તિ કરનારે કોઈ પણ કામના રાખવાની ન હોય.


આદિ શક્તિ, પરા અંબાને પ્રાપ્ત કરવાની ૪ યુક્તિ છે.

શબ્દ

આપણને શક્તિનો પરિચય શબ્દથી થાય છે.

શબ્દ બ્રહ્મ છે.

બુદ્ધ પુરૂષનો શબ્દ શક્તિના દર્શન સુધી પહોંચાડી દે.

શ્લોક તીર્થ છે.

શબ્દમાંથી જગત સર્જાયું છે.


સ્પર્શ

કોઈનો સ્પર્શ આપણી શક્તિને જાગૃત કરી શકે.

કોઈનો સ્પર્શ થાય તો કુંડલીની જાગૃત થઈ જાય.


દ્રષ્ટિ

કોઈની દ્રષ્ટિ આપણા ઉપર પડે તો શક્તિ જાગૃત થઈ જાય.


કોઈ પણ પરમ તત્વની પરમ શરણાગતિથી આપણી શક્તિ પેદા થઈ જાય.

વાણીના ૪ પ્રકાર છે- ભાવભરી વાણી, પ્રતાપવાળી વાણી, તેજવાળી વાણી, અને આત્મબળવાળી વાણી.

જાનકી હનુમાનને આશીર્વાદ આપે છે.

બળવાન બન


શીલવાન બન

શીલ વિનાનું બળ યોગ્ય નથી. શીલ વિનાનું બળ અનર્થ પેદા કરે.

વિદૂર, કર્ણ અને યુયુત્સુ એ ૩ મહાભારતના દાસી પુત્રો છે.


અજર બન


અમર બન


ગુણનિધિ બન

કોઈની આપણા ઉપર થયેલ કૃપા યાદ આવે એટલે તે કૃપા દ્વારા મળેલ બળનો ભાર ન લાગે.

ભક્તિ અને ભક્તો સામે વેશપલટો કરી ન જવું, જેવા છીએ તેવા જ જવું.

અશોક વાટિકામાં વડલો, આંબો અને પીપર નથી.

ભક્તિનાં રુપ

ભક્તિ કરે તેનું શરીર નબળું પડે.

ભજન કરે તેનું વજન ઘટે.


જાનકીને એક જટા છે. ભક્તિની એક જટા હોય.


ભક્તિ કરે તે હ્નદયથિ હરિનામ લે, મોટા અવાજથી હરિનામ ન લે.


ભક્તિ અને ભક્તિ કરનાર ગમે ત્યાં નજર ન ફેરવે. જાનકીની નજર પોતાના પગના તળિયા તરફ છે કારણ કે તેના પગના તળિયામાં રામના ચરણ ચિહ્નો છે.

ભક્તિ કરનારે પોતાનાં પગલાં કેવા પડે છે તેનું ધ્યાન રાખવાનું હોય, બીજાનાં પગલાં શું કરે છે તે તરફ ધ્યાન ન રાખવાનું હોય.


જાનકીનું મન રામના સ્મરણમાં રહે છે.


જાનકીમાં દીનતા છે  - રાંકપણું છે.
  






બુધવાર, ૩૦-૧૨-૨૦૧૫
લંકાને ૪ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે.

અશોક વાટીકાને પણ ૪ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે.

૧ લંકાનું એક સ્થુળ રૂપ છે, લંકા નગરી છે, લંકામાં સોનાનો કિલ્લો છે પણ લંકાવાસીઓનાં ઘર સોનાનાં નથી.
સત્ય સોનાથી ઢંકાયેલું છે.

कनक कोटि बिचित्र मनि कृत सुंदरायतना घना।

चउहट्ट हट्ट सुबट्ट बीथीं चारु पुर बहु बिधि बना॥

गज बाजि खच्चर निकर पदचर रथ बरूथन्हि को गनै।

बहुरूप निसिचर जूथ अतिबल सेन बरनत नहिं बनै॥

 बन बाग उपबन बाटिका सर कूप बापीं सोहहीं।

नर नाग सुर गंधर्ब कन्या रूप मुनि मन मोहहीं॥

कहुँ माल देह बिसाल सैल समान अतिबल गर्जहीं।

नाना अखारेन्ह भिरहिं बहुबिधि एक एकन्ह तर्जहीं॥

માણસ સોનાથી સુંદર ન લાગે પણ સત્યથી સુંદર લાગે.

લંકામાં કોઈ મુનિ નથી છતાં મુનિને મોહ થયો એવું તુલસીદાસજી કહે છે.

રાવણ શરીરથી દ્રોહી છે પણ મનથી દ્રોહી નથી.

મન દ્વારા કોઈનો દ્રોહ ન કરે તે મુનિ કહેવાય. તેથી અહીં રાવણ મુનિ છે.

બીજાનો દ્રોહ કરનાર નિશંક ન રહી શકે.

પરદ્રોહી શંકા મુક્ત ન હોઈ શકે.

રામ કથાનો આ પ્રેમ ધાટ છે, ચિત્રકૂટ ધાટ છે.

આપણા જેવાની શરણાગતિ વ્યભિચારિણી શરણાગતિ છે.

આપણામાં ક્યાં જ્ઞાન કે ઉપાસના કે કર્મ છે જ?

વક્તા ગણેશ વૃત્તિવાળો હોવો જોઈએ, એક જગ્યાએ સ્થિર રહે, ઊઠબેશ ન કર્યા કરે.

વક્તા પોતાની નીંદા, સ્તુતી, વખાણ પોતાના પેટમાં પધરાવી દે તેવો હોવો જોઈએ.

વક્તા ગૌરીવૃત્તિ વાળો હોવો જોઈએ. વક્તામાં ગૌરી - શ્રદ્ધા હોવી જોઈએ.

વક્તા ગંગવૃત્તિવાળો - ગંગા જેવી પવિત્ર વાણી ધરાવતો હોવો જોઈએ.

વક્તા ગો વૃત્તિવાળો - ગાયના જેવો ગરીબ હોવો જોઈએ.

વક્તા ગોપાલ વૃત્તિવાળો હોવો જોઈએ જે કથનનો વિસ્તાર કરે પણ પછી પાછો મૂળ વાત ઉપર, મૂળ સૂત્ર ઉપર આવી જાય.

વક્તા શાખામૃગ છે પણ તે યાદ રાખે કે તે જે શાખા કે શાખાઓ ઉપર આવ્યો છે તે થડ થકી જ ચઢ્યો છે.


લંકાનું બીજું રૂપ નારી રૂપ છે.

લંકા રાત્રીએ નારી રૂપ ધારણ કરી પોતે જ પોતાનું રક્ષણ કરે છે.

नाम लंकिनी एक निसिचरी। 

सो कह चलेसि मोहि निंदरी

લંકાનું ત્રીજું રૂપ યોગ રૂપા લંકા છે.


લંકાનું ચોથું રૂપ આધ્યાત્મ પરખ છે.

મનુષ્ય શરીર એ બ્રહ્માંડ છે.

અશોક વાટિકાનાં ૪ રૂપ.

વન, ઉપવન, બાગ અને વાટિકા એ અશોક વાટિકાનાં ૪ રૂપ છે.


વન

અશોક વાટિકાનું વન રૂપ એટલે કે અશોક વન એ મનનો પ્રદેશ છે.

ગોસ્વામીજી વનને મન કહે છે.

दंडक बन प्रभु कीन्ह सुहावन। 

जन मन अमित नाम किए पावन॥

મન એ આડબીડ વન છે જે સમજાતું જ નથી.


બાગ

બાગ એ બુદ્ધિનો પ્રદેશ છે. ભટકતી બુદ્ધિ

બાગનો એક અર્થ આરામ થાય છે.


ઉપવન

ઉપવન એ ક્રિડા સ્થળી છે, ચિતની ભૂમિકા છે. ચિત ક્રિડા કરે છે.


વાટિકા

વાટિકા એ તમોગુણ પ્રધાન છે, અહંકારની ભૂમિકા છે.

અશોક વાટિકામાં એક સતી - જાનકી છે અને એક જતી - રાવણ છે. અને આ બંને ભ્રમ છે.

દરેક સ્ત્રીને રામને પામવાનો અધિકાર છે. પણ રામને મેળવવા માટેનું સાધન બરાબર ન હોય તો નાક કપાઇ જાય.

ઈશ્વરને પામવાનું સાધન શુદ્ધ હોવું જોઈએ.

ગાંધીજી સાધન શુદ્ધિનો આગ્રહ બહું રાખતા.

લંકેશ શબ્દમાં લં નો સંકેત લંકા તરફ છે, કે નો સંકેત કૈલાશ તરફ છે અને શ નો સંકેત શંકર તરફ છે.

મંદોદરી પણ સતી છે.

અશોક વાટિકામાં બે સંત આવે છે.

ત્રીજટા એ સંત છે જે કાયમ આવે છે.

હનુમાનજી પણ સંત છે.

સમસ્યા આવે તે પહેલાં સમાધાન આવી જાય છે, ફ્ક્ત ઉપર દ્રષ્ટિ કરવાની જરૂર છે. પણ સાવધાન રહેવાની જરૂર છે, જો આપણે સાવધાન હોઈએ તો જ સમાધાન તરફ દ્રષ્ટિ જાય, સમાધાન મળે.

સીતાજીને આવેલ વિચાર

સીતાજી વિચારે છે કે મુદ્રિકા ક્યાંથી આવી?

વક્તાને ન પકડો પણ તેના વકતવ્યને પકડો.

રામ કથાથી દુઃખ દૂર થાય પણ સંત કથાથી સંશય - શંકા દૂર થાય.

મા ન ખવડાવે ત્યાં સુધી ઓડકાર ન આવે.








ગુરૂવાર, ૩૧-૧૨-૨૦૧૫
આપણાં કુંડાળાં જેટલાં મોટાં તેટલા આપણે કેન્દ્રથી દૂર.

પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જેથી કેન્દ્રની નજીક રહેવાય.

ભક્તિની શોધ ક્યાં કરવી? અંધારામાં કે અજવાળામાં?

સીતા એ બ્રહ્મ છે, પરમાત્મા છે, ભગવાન છે, બધું જ છે, પરમ તત્વનું અભિન્ન અંગ છે.

મા ને આપણે ભગવતી કહીએ છીએ.

જ્યાં સુધી બુદ્ધ પુરૂષ ન મળે ત્યાં સુધી શાસ્ત્રના આધારે ચાલવું. બુદ્ધ પુરૂષ મળે એટલે શાસ્ત્ર જ કહેશે કે હવે મને (શાસ્ત્ર) બાજું ઉપર (overtake) મુકી આગળ નીકળી જા.

पुर रखवारे देखि बहु कपि मन कीन्ह बिचार।

अति लघु रूप धरों निसि नगर करौं पइसार॥

કેદાર મધ્ય રાત્રીનો રાગ છે.

સુફીવાદમાં ઈશ્વર પ્રેમિકા છે.

ભક્તિને પ્રાપ્ત કરવી એ રાફડામાં હાથ નાખવા જેવું છે, અજ્ઞાતમાં કૂદકો મારવા જેવું, અજ્ઞાતમાં પ્રવેશ કરવા જેવું છે.

વિઘ્ન અને કસોટીમાં બહું ફેર છે.

ભક્તિના માર્ગમાં કસોટી થાય પણ વિઘ્ન ન આવે.

સત્ય પરેશાન થાય પણ પરાજીત ન થાય.

સત્યને જય વિજય હોય જ નહીં.

હનુમાનજી જ્યારે સીતા શોધમાં જાય છે, ભક્તિ પ્રાપ્ત કરવા જાય છે ત્યારે ૫ કસોટી થાય છે.


મૈનાક પર્વત

સોનુ કસોટી છે, વિઘ્ન નથી.

નમ્રતા ઈશ્વર છે, ઉગ્રતા શૈતાન છે.

प्रबिसि नगर कीजे सब काजा। 

हृदयँ राखि कोसलपुर राजा॥

गरल सुधा रिपु करहिं मिताई। 

गोपद सिंधु अनल सितलाई॥1॥

गरुड़ सुमेरु रेनु सम ताही। 

राम कृपा करि चितवा जाही॥

अति लघु रूप धरेउ हनुमाना। 

पैठा नगर सुमिरि भगवाना॥2॥


સુરસા


સિંહિકા રાક્ષસી

આ ઈર્ષા છે અને ઈર્ષાનો નાશ કરવો જ પડે.

જેનામાં સાહસપૂર્ણ નમ્રતા હોય, વિનમ્રતાપૂર્ણ શૌર્ય હોય, અહામતા મુક્ત જ્ઞાન હોય, પાંખવાળું વિજ્ઞાન હોય, બલિદાન આપવાની તૈયારી હોય તે ભક્તિને પ્રાપ્ત કરી શકે.


લંકિની
नाम लंकिनी एक निसिचरी। 

सो कह चलेसि मोहि निंदरी

जानेहि नहीं मरमु सठ मोरा। 

मोर अहार जहाँ लगि चोरा॥

मुठिका एक महा कपि हनी। 

रुधिर बमत धरनीं ढनमनी॥2॥

લંકિની એ ભેદ દ્રષ્ટિ છે.

સંત ભેદ દ્રષ્ટિ દૂર કરે.

ભજન સાથે ગયેલ ભોગ નગરીમાં પણ સફળ થાય. હનુમાનજી ભોગ નગરી લંકામાં સફળ થાય છે.






શુક્રવાર, ૦૧-૦૧-૨૦૧૬
लोचन मग रामहि उर आनी। 

दीन्हे पलक कपाट सयानी॥

भावार्थ:-नेत्रों के रास्ते श्री रामजी को हृदय में लाकर चतुरशिरोमणि जानकीजी ने पलकों के किवाड़ लगा दिए (अर्थात नेत्र मूँदकर उनका ध्यान करने लगीं)।

ઈશ્વરને ઓળખ્યા પછી પણ જો ઈર્ષા થાય તો તેવી વ્યક્તિની આંખનું ઓપરેશન ક્યાંય ન થાય.

બલી રાજાના ગુરૂ શુક્રાચાર્યે વામન ભગવાનને ઓળખ્યા પછી પણ રાજાને દાન ન આપવા વ્યર્થ પ્રયાસ કરે છે અને તેથી તેમની એક આંખ ફૂટે છે.

પુષ્પ વાટિકામાં આંખના વિવેકનો સંવાદ છે.

नाम पाहरू दिवस निसि ध्यान तुम्हार कपाट।

लोचन निज पद जंत्रित जाहिं प्रान केहिं बाट॥30॥

भावार्थ:-(हनुमान्‌जी ने कहा-) आपका नाम रात-दिन पहरा देने वाला है, आपका ध्यान ही किंवाड़ है। नेत्रों को अपने चरणों में लगाए रहती हैं, यही ताला लगा है, फिर प्राण जाएँ तो किस मार्ग से?॥30॥

સાવરણી કચરો સાફ કરી સ્વચ્છ કરે છે કારણ કે સાવરણીનો બંધ મજબૂત છે અને જો તે બંધ (જ્યાંથી સાવરણી બંધાયેલ રહે છે તે ભાગ) છૂટી જાય તો તે જ સાવરણી અસ્વચ્છતા ફેલાવે.

નિષ્ઠાનો બંધ છૂટી જાય તો સ્વચ્છતા કરનાર જ અસ્વચ્છતા ફેલાવે.

વ્યાખ્યા કરવા કરતાં નાચીને માણી લેવું વધારે સારું.

નૃત્ય એ ભક્તિ માર્ગમાં ઈશ્વરને પામવાનું એક સાધન છે.

આપણને મળેલ માનવ દેહ એ મોતી છે અને શાસ્ત્રોનાં સૂત્રો ઘાગા છે પણ સદગુરૂનો ચકારો નથી થતો એટલે મોતી પરોવાતાં નથી.

આગ્રહ મુક્ત ભક્તનો પક્ષ પરમાત્મા લે છે.

અશોક વાટિકામાં પક્ષી નથી.
नव पल्लव फल सुमन सुहाए। 

निज संपति सुर रूख लजाए॥

चातक कोकिल कीर चकोरा। 

कूजत बिहग नटत कल मोरा॥

भावार्थ:-नए, पत्तों, फलों और फूलों से युक्त सुंदर वृक्ष अपनी सम्पत्ति से कल्पवृक्ष को भी लजा रहे हैं। पपीहे, कोयल, तोते, चकोर आदि पक्षी मीठी बोली बोल रहे हैं और मोर सुंदर नृत्य कर रहे हैं॥3॥

ચાતક - ચાતક એ પોકાર સાધનાનું પ્રતીક છે.

 પરચો એટલે પરિચય.

કુમતિ
કુમતિવાળા એ છે જે પોતે પોતાનું અહિત કરે છે અને છતાંય તેની તેને ખબર જ નથી.

મતિ
મતિ એ છે જે ફક્ત મારું નુકશાન નથી થતુમ તેનું જ વિચારે. ભલે પછી બીજાને નુકશાન થાય.
સુમતિ

સુમતિ એ છે જે પોતાને લાભ થાય તેમજ બીજાને પણ લાભ થાય તેવું વિચારે.

પ્રજ્ઞા
પ્રજ્ઞા એ છે જે પોતાને અહિત થાય તો પણ બીજાનું હિત થાય, પોતાનું બગાડીને પણ બીજાને લાભ થાય તેવું વિચારે. આ પરમ પ્રજ્ઞા છે.

નાના બાળકની માફક શિષ્ય પાંચ રીતે રડે.

શિષ્ય ગુરૂનું ધ્યાન પોતાના તરફ દોરવા રડે. (બાળક તેની માતા પોતાના તરફ ધ્યાન આપે તેના માટે રડે.)


શિષ્ય વાસનાની વૃત્તિથી રડે. (બાળક પોતાનાં કપડાં ભીનાં થયાં હોય ત્યારે રડે.


શિષ્યને પોતાનામાં કોઈક કસુર હોય અને તે ગુરૂ જાણી જાય તેના ડરથી રડે. (બાળકને કોઈ પીડા હોય ત્યારે રડે)


શિષ્યને ગુરૂ વાણી સાંભળવાની ભૂખ લાગી હોય ત્યારે રડે. (બાળકને ભૂખ લાગી હોય ત્યારે રડે.)


શિષ્ય ઘણી વખત કોઈ પણ કારણ વગર રડે. ગુરૂએ પોતાના ઉપર કરેલ ઉપકાર યાદ કરી શિષ્ય રડે. (કોઈ પણ કારણ વિના બાળક રડે.)

હરિ તુમ બહુંત અનુગ્રહ કિન્હો.

કોકિલ
કોકિલ એ જિજ્ઞાસા પ્રકારના ભક્ત છે.

કોકિલ કુહુ કુહુ કરે છે - એ કોણ છે, એ કોણ છે એવું કહે છે.

પોપટ
પોપટ એ હરિ નામ લેનાર સાધક છે.

બહું જાણવાની જરૂર જ નથી, ફક્ત હરિનામ લેવાની જરૂર છે. કારણ કે હરિનામ મહામંત્ર છે.

મોર
મોર આગ્રહ મુક્ત નૃત્ય કરનાર સાધક છે.

દર્શન કરતાં કરતાં મર્યાદા પૂર્વક અને વિવેક્માં રહી રૂદન થઈ જાય એ પર્યાપ્ત છે.

અશોક વાટિકામાં આવી સાધના પધ્ધતિ નથી, પક્ષીઓનો કલરવ નથી. તે ભોગ નગરી છે.

વૃક્ષનાં ૫ મુખ્ય ઘટક હોય છે.

મૂળ


થડ


ડાળીઓ


પર્ણ


ફળ

અશોક વૃક્ષનું મૂળ ભરોંસો છે.

સમુદ્ર મંથન વખતે તેમાંથી નીકળેલ રત્નોમાં લક્ષ્મી, શ્રેષ્ઠા, જેષ્ઠા અને તુલસી નીકળ્યાં છે.

આપણું ક્રિસ્ટમસ ટ્રી તુલસી હોવું જોઈએ.

અશોક વૃક્ષનું થડ

પરમ રસ તરફ જેનાં મૂળિયાં જાય તે વડ છે.

વૃક્ષનું થડ દેખાય અને તેની વૃદ્ધિ પણ થાય.

મૂળ પુરૂષના વિશ્વાસ સાથે તેના પરિવારના સભ્યોમાં પણ વિશ્વાસ પેદા થાય.

ગુરૂ જ્યારે બોલે છે ત્યારે તે વ્યક્તિ તરીકે નથી બોલતો પણ તેનામાં બેઠેલ હરિ બોલે છે.

થડમાંથી શાખાઓ પેદા થાય છે. શાખાઓ સેવા પ્રકલ્પની વ્યવસ્થાના રુપે ખોલવામાં આવે છે.

પર્ણને ૠતુની અસર થાય. પાનખરમાં ખળી પડે.

પાંદડાઓનો અવાજ થાય.

ઘણા સેવકો થાય એટલે અવાજ કરે.

લીલામ પાંદડાં ઓછો અવાજ કરે જ્યારે સુકા પાંદડાં ખળી પડે અને પછી એકઠાં થઈ વધારે અવાજ કરે.

એક ગુરૂના શિષ્યો પણ અંદરો અંદર સંઘર્ષ કરે.

અશોક વૃક્ષનું ફળ તેને કોઈ શોક નથી તે છે.











શનિવાર, ૦૨-૧-૨૦૧૬
શાસ્ત્રોમાંથી ગુરૂ કૃપાથી ઘણી વાટિકા પ્રાપ્ત થાય.

સ્વર્ગમાં નંદનવન છે પણ સ્વર્ગ ક્યાં છે તે પ્રશ્નાર્થ છે.

નંદનવનનો સગોત્રી શબ્દ અમૃત વાટિકા છે.

દરેક ધર્મને પોત પોતા્નું સ્વર્ગ હોય છે.

રામનામ ચંદ્ર છે અને રામનામનો રસ સોમરસ છે - અમૃત રસ છે. આ સોમરસ - અમૃત રસ ઉત્તેજીત નથી કરતો પણ આપણા અનેક તર્ક વિતર્કને શાંત કરે છે.

પાતાળ નાગલોકોનો દેશ છે અને ત્યાં વિષ વાટિકા છે.

સર્પો પણ ભજન કરતા અને ત જ્યારે ભજન કરતા ત્યારે તેમનું જ્ન્મજાય વિષ ઓછું થતું.

ઝેર ઊતારવું હોય તો ભજન કરવું પદે અને ભજન એટલે ભરોંસો.

તુલસીદાસજી નભ વાટિકાની વાત કરે છે અને આ વાટિકા અલૌકિક વાટિકા છે.

માનસ એટલે, મન, માનસ એટલે હ્નદય.



रचि महेस निज मानस राखा। 

पाइ सुसमउ सिवा सन भाषा॥

तातें रामचरितमानस बर।

 धरेउ नाम हियँ हेरि हरषि हर॥6॥

भावार्थ:-श्री महादेवजी ने इसको रचकर अपने मन में रखा था और सुअवसर पाकर पार्वतीजी से कहा। इसी से शिवजी ने इसको अपने हृदय में देखकर और प्रसन्न होकर इसका सुंदर 'रामचरित मानस' नाम रखा॥6॥ 


આપણું હ્નદય પણ એક અશોક વાટિકા છે, પુષ્પ વાટિકા છે.

बन बाग उपबन बाटिका सर कूप बापीं सोहहीं।

नर नाग सुर गंधर्ब कन्या रूप मुनि मन मोहहीं॥

भावार्थ:-वन, बाग, उपवन (बगीचे), फुलवाड़ी, तालाब, कुएँ और बावलियाँ सुशोभित हैं। मनुष्य, नाग, देवताओं और गंधर्वों की कन्याएँ अपने सौंदर्य से मुनियों के भी मन को मोहे लेती हैं। 


જળ માટે કૂવો, વાવ, સરોવર જોઈએ જેમાં પાણી હોય.

આપણા હ્નદયમાં બિરાજેલ જાનકીને શોધવા આપણે જ હનુમાન બનવું પડે.

કોઈને યાદ કરવા માટે આપણી પાસે મન હોવું જોઈએ. તેથી મનને મારવાની જરૂર નથી.

મન ઈશ્વરની વિભૂતિ છે.

ભજન કરવા માટે, સ્મરણ કરવા માટે મન જરૂરી છે.
निज अनुभव अब कहउँ खगेसा। 

बिनु हरि भजन न जाहिं कलेसा।।

राम कृपा बिनु सुनु खगराई। 

जानि न जाइ राम प्रभुताई।।3।।

हे पक्षिराज गरुड़ ! अब मैं आपसे अपना निज अनुभव कहता हूँ। [वह यह है कि] भगवान् के भजन के बिना क्लेश दूर नहीं होते। हे पक्षिराज ! सुनिये, श्रीरामजी की कृपा बिना श्रीरामजी की प्रभुता नहीं जानी जाती।।3।। 




उमा कहउँ मैं अनुभव अपना। 

सत हरि भजनु जगत सब सपना॥

हे उमा! मैं तुम्हें अपना अनुभव कहता हूँ- हरि का भजन ही सत्य है, यह सारा जगत्‌ तो स्वप्न (की भाँति झूठा) है।

ગુરૂ અંતઃકરણ મુક્ત - મન, બુદ્ધિ, ચિત અને અહંકાર- મુક્ત હોય.

પણ આપણા જેવા માટે આપણી પાસે અંતઃકરણ -મન, બુદ્ધિ, ચિત અને અહંકાર- હોવું જોઈએ.

અશ્રુ અને આશ્રયના બે ટ્રેક ઉપર ચાલવું.

જેમ વાવના પાણી સુધી પગથિયા દ્વારા આપણે તેના જળ સુધી જઈ શકીએ છીએ.

આપણા હ્નદયની વાટિકામાં પણ રાક્ષસો રહે છે અને આ રાક્ષસો ઘર ખાલી નથી કરતા.

કામનું ઘર હ્નદય છે.

પણ જો કામમાં સમ્યકતા હોય તો વાંધો ન આવે.

જ્યારે ચારે બાજુથી આપણી પ્રસંશા થાય ત્યારે આપણે આપણું નિરીક્ષણ કરવું જોઈએ કે આપણે આ પ્રસંશા માટે લાયક છીએ કે કેમ. આવા સમયે નિજ દર્શન. આત્મ દર્શન મનોમંથન કરવું જોઈએ.

મન પણ દર્પણ છે.


૯ 
રવિવાર, ૦૩-૦૧-૨૦૧૬


જીવનની વાટિકામાં ભક્તિ આવે - શ્રદ્ધા આવે એટલે કોઈ ગુરૂ આપણી પાસે આવશે જ અને તે ગુરૂ આપણને રામ દર્શન સુધી લઈ જશે.

અશોક વાટિકામાં છાયા રૂપે ભક્તિ પહેલાં આવે છે, પછી હનુમાનજી આવે છે અને તે પછી રામ આવે છે.

દરેકે પોત પોતાના જીવનમાં આવિ વાટિકા બનાવવી પડશે જેથી ત્યાં ભક્તિ આવે, ગુરૂ આવે અને રામ દર્શન સુધીની યાત્રા કરાવે.

આ દુનિયાને તો સાક્ષાત્કાર ક્યાં ખપે છે? આ દુનિયાને તો ચમત્કાર જોઈએ છે.

રામ રાજ્ય સ્થપાયા પછી અયોધ્યાના વર્ણનમાં તુલસીદાસજી એક અદ્‌ભૂત પંક્તિ લખે છે, એક અદ્‌ભૂત સંકેત કરે છે.

सुमन बाटिका सबहिं लगाईं। 

बिबिध भांति करि जतन बनाईं।।

लता ललित बहु जाति सुहाईं।

फूलहिं सदा बसंत कि नाईं।।1।।

सभी लोगों ने भिन्न-भिन्न प्रकार की पुष्पोंकी वाटिकाएँ यत्न करके लगा रक्खी हैं, जिनमें बहुत जातियों की सुन्दर और ललित लताएँ सदा वसंतकी तरह फूलती रहती हैं।।1।। 

શ્રદ્ધા રૂપી વસંત કાયમ રહેવી જોઈએ.

ગુરૂ કૃપા તો અનંતના માંડવે કાયમ રાસ લે છે પણ આપને તેની કૃપા પામી શકતા નથી.

માનસ રુદ્રાષ્ટકમ્
નમામીશમીશાન નિરવાણરુપં l
વિભું વ્યાપકં બ્રહ્મ વેદસ્વરુપં ll
નિજં નિર્ગુણંનિર્વિકલ્પંનિરીહં l
ચિદાકાશવાસંભજેહં ll
નિરાકારમોંકારમૂલંતુરિયં l
ગિરા ગ્યાન ગોતીતમઈશં ગિરીશં ll
કરાલં મહાકાલકાલં કૃપાલં l
ગુણાગાર સંસાર પારંનતોહં ll
તુષારાદ્રિ સંકાશગૌરં ગભીરં l
મનોભૂત કટિ પ્રભા શ્રી શરીરં ll
સ્ફુરન્મૌલિકલ્લોલિનીચારુગંગા l
લસદ્ ભાલબાલેન્દુકંઠેભુજંગા ll
ચલત્કુંડલં ભ્રૂસુનેત્રં વિશાલં l
પ્રસન્નાનનં નીલકંઠં દયાલં ll
મૃગાધીશચર્મામ્બરંમુણ્ડમાલં
પ્રિયમ્શંકરં સર્વ નાથં ભજામિ
પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં l
અખંડં અજંભાનુકોટિપ્રકાશં ll
ત્રયઃશુલનિર્મૂલનં શુલપાણિ l
ભજેહમ્ભવાનીપતિં ભાવગમ્યં ll
કલાતીત કલ્યાણ કલ્પાંત કારી l
સદાસજ્જનાનંદદાતા પુરારી ll
ચિદાનણ્દસમ્દોહમોહાપહારી l
પ્રસીદપ્રસીદ પ્રભો મન્મથારી ll
ન ચાવદ્ ઉમાનાથ પાદારવિંદં l
ભજંતીહ લોકે પરે વા નરાણાં ll
ન તાવત્સુખં શામ્તિ સન્તાપનાશં l
પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસં ll
ન જાનામિ યોગ જપં નૈવ પૂજા l
નતોહં સદા સર્વદા શંભુ તુભ્યં ll
જરાજન્મદુ;ખૌધ તાતપ્યમાનં l
પ્રભો પાહિઆપન્નમામીશ શંભો ll
રુદ્રાષ્ટકમિદં પ્રોક્તં વિપ્રેણ હરતોષયે l
યે પઠન્તિ નરા ભક્ત્યા તેષાં શમ્ભુઃ પ્રસીદતિ ll

પુરો ગુરૂ મળે પછી હરિ ન મળે તો પણ ચાલે. પણ પુરો ગુરૂ ક્યામ ઓળખાય છે?

સંન્યાસી બહેરો હોવો જોઈએ - સંન્યાસી નીંદા કે સ્તુતી ન સાંભળે.

સંન્યાસી લંગડો હોવો જોઈએ - તેનાં પગલાં ફક્ત રામ તરફ જ જાય.

સંન્યાસી ઠૂંઠો હોવો જોઈએ - બીજું કંઈ કર્મ જ કરે.

સંન્યાસી અંધ હોવો જોઈએ - જે ઉપર ઉપરનું દર્શન ન કરે પણ આત્મસ્થ જ હોય.

અસલી ફકિરને ખરા ખોટા સિક્કાનો ભેદ જ ન હોય.


_________________________________________________________________________________
સન્માન કોનું થવું જોઈએ?

આપણા વખાણ કરે તેનું સન્માન થવું જોઈએ. પણ આ આજના યુગ પ્રમાણે યોગ્ય નથી.


જે તપસ્વી છે, જે તપોધન છે તેનું સન્માન થવું જોઈએ.


જે વેદ વિદ હોય તેનું સન્માન થવું જોઈએ. વેદ વિદ એ છે જેણે જાણવા જેવું બધું જ જાણી લીધું છે.


જે પોતાના લાભ માટે નેટવર્ક ન ગોઠવે તેનું સન્માન થવું જોઇએ.


જે સર્જનાત્મક કાર્યો કોઈ પણ હેતુ રહિત રીતે કરે તેનું સન્માન થવું જોઇએ.


કૃષ્ણનું ભજન કર્યું હોય તેનું સન્માન થવું જોઈએ.


_________________________________________________________________________________
અત્રે દિવ્ય ભાસ્ક તેમજ સંદેશ દૈનિકમાં પ્રકાશિત થયેલ અંશ જે તે અંશની સંબંધિત લિન્ક સહિત પ્રકાશકના સૌજન્ય સહ પ્રસ્તુત છે.



  • મોરારી બાપુ શિખવે છે મૃત્યુએ નથી ડરવાની ચીજ

Dec 28, 2015

 http://www.sandesh.com/article.aspx?newsid=3212753


મૃત્યુ આપણી સમજમાં આવી જાય તો જીવન મહોત્સવ બની શકે છે. મૃત્યુની અમંગલતાને હટાવીને મૃત્યુ પણ મંગળ મહોત્સવ બની શકે છે. મૃત્યુની માંગલિકતાને આપણે શીખીએ, થોડો અભ્યાસ કરી લઈએ, જેથી આગળનું જીવન ઉત્સવપૂર્ણ બની શકે.

હું ફરી એકવાર કહું કે મૃત્યુથી ડરવું નથી, ડરાવવું પણ નથી, મૃત્યુને સમજવું છે. જેમણે ધ્યાનની ઘણી પ્રવિધિઓ આપી એવા નાથસંપ્રદાયના મહાન યોગીરાજ ગોરખનાથે કહ્યું હતું. મરો હે જોગી મરો, મરણ હૈ મીઠા ।

મૃત્યુ તો મધુર છે, મૃત્યુ તો મીઠું છે. શતાબ્દીઓથી કે કદાચ યુગોથી પણ મૃત્યુને શોકદાયક કહી-કહીને આપણે મૃત્યુથી ગભરાઈ ચૂક્યા છીએ મૃત્યુથી ડરી ચૂક્યા છીએ.

'રામચરિત માનસ'ને આધારે આ નવા વિષયને આપણે તુલસીના વિચારોમાં સમજીએ અને આત્મસાત્ કરવાની કોશીષ કરીએ.

જેમનામાં નખશિખ માનવતા ભરી હોય તેઓ મૃત્યુને મહોત્સવ બનાવી શકે છે. જેમનામાં માનવતા ન હોય તેઓ મૃત્યુને ઉત્સવ નથી બનાવી શક્તા. આપણે જ્યારે આસુરી ભાવોમાં હોઈએ છીએ ત્યારે ગર્જના તો બહુ કરીએ છીએ,પડકાર કરીએ છીએ, ચેલેન્જ દઈએ છીએ, પરંતુ અંદરથી આપણે બહુ ડરીએ છીએ, કારણકે માનવતા નથી. આપણા આદિ શંકરાચાર્ય ભગવાને કહ્યું હતું કે સંસારમાં ત્રણ વસ્તુ દુર્લભ છે, એમાં એમણે પહેલી વસ્તુ કહી મનુષ્યત્વં-માનવતા. 'રામચરિતમાનસ' શું શીખવે છે ? માનવતા શીખવે છે. મૃત્યુ આપણને ડરાવી ન શકે કે પરેશાન ન કરી શકે, એના પાયામાં માનવતા જોઈએ.


  • ગાયની પૂજા નહીં પ્રેમ-જતન કરો: મોરારીબાપુ

Bhaskar News, BhujDec 30, 2015, 01:45 AM IST

http://www.divyabhaskar.co.in/news/KUT-BUJ-OMC-moraribapu-in-ram-katha-held-at-gandhidham-5208951-NOR.html

- મોડપરની કથામાં મોરારીબાપુનું વકતવ્ય
- સ્પર્શ શબ્દ અને દૃષ્ટિ માનવ શરીરમાં રહેલી શક્તિઓને જાગૃત કરે છે

ગાંધીધામ: ભચાઉ તાલુકાના મોડપર ગામે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના ચોથા દિવસે વ્યાસપીઠ પરથી બોલતા કથાકાર મોરારીબાપુએ ગાયની પૂજા નહીં પ્રેમ કરો અને જતન કરવા પર ભાર રામજન્મની કથાનું રસપાન કરાવ્યું હતું.

મોડપર સંત લાલગેબી ગૌશાળામાં શરૂ થયેલી કથાના ચોથા દિવસે વ્યાસપીઠ પરથી બોલતા મોરારીબાપુએ જણાવ્યું હતું કે, હજારો વર્ષ પહેલાં પૃથ્વી જ્યારે સંકટમાં હતી, ત્યારે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને દેવતા પાસે ગઇ હતી. દેવતાઓએ બ્રહ્માજી પાસે જઇ પૃથ્વીને બચાવવા, પૃથ્વી પર વધેલા દુરાચાર-પાપાચારમાંથી બચાવવા પરમાત્માને અવતરવા માટે મનાવ્યા હતા. ત્યારે દેવ સ્વરૂપ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું અવતરણ પૃથ્વી પર થયું હતું. ગાયની પૂજા નહીં ગાયને પ્રેમ કરો, તેનું જતન કરો. ગાયની હત્યા થતી રોકવા પર ભાર મુક્યો હતો.

વધુમાં બાપુએ જણાવ્યું હતું કે, રાવણની લંકામાં અશોક વાટિકામાં રખાયેલા સીતા માતાને પ્રથમ વખત મળતા હનુમાનજી મહારાજની કથા કરી જેમાં તેમણે બોધ આપતાં જણાવ્યું કે, સ્પર્શ શબ્દ, દૃષ્ટિ માનવ શરીરમાં રહેલી શક્તિઓને જાગૃત કરે છે. સીતાજીએ હનુમાનજીને આશીર્વાદ આપતાં જણાવ્યું કે, વાણીમાં ભક્તિ તથા તેજ અને બળવાનપણુ હોવાનું રાખજો. આ સિદ્ધિ નવનિધિનું વર્ણન આપ્યું હતું. આમ આજે પણ હનુમાનજી લોકદેવ તરીકે પૂજાય છે. આ ઉપરાંત બાપુએ કોઇની કૃપા યાદ રાખો ત્યારે ભાર ન વધે, અભિમાન ન આવે, જીવનમાં માલામાલ થવા માટે માળા ન ફેરવતા ભક્તિ કરનારા કોઇ ઇચ્છા ન રાખવી જોઇએ, તેની ઉપર ભાર મુક્યો હતો.  કથાના સમાપન બાદ બાપુ પ્રસાદ મંડપમાં ગયા હતા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા નિહાળી હતી. સાથે-સાથે કથાના યજમાન કાનજીભાઇ પટેલ, સામજીભાઇ આહિર, લક્ષ્મણ આહિર તથા વિવિધ ગામોમાંથી આવેલી સેવા ટીમે બાપુને સતકાર્યા હતા. ગત રાત્રિએ યોજાયેલી સંતવાણીમાં માયાભાઇ અને નિરંજનભાઇ પંડ્યાએ સંતવાણી સાહિત્યની રમઝટ બોલાવી હતી.


  • મોરારીબાપુ: રામકથા પ્રથમ દુ:ખ દૂર કરે, સંતકથા મનના સંશય મિટાવે

http://www.divyabhaskar.co.in/news/KUT-BUJ-OMC-morari-bapu-ramkatha-fifth-day-in-sant-lalbegi-aashram-of-modapar-in-kutch-5209917-PHO.html

- માનસ અશોક વાટિકામાં લંકા દહનના પ્રસંગથી શ્રોતાઓ મંત્રમુગ્ધ, સંતો, મહંતો સહિત ભાવિકોથી મંડળ હકળેઠઠ
- મોડપરમાં સંત લાલગેબી આશ્રમમાં રામકથાનો પાંચમો દિવસ

ભચાઉ, સામખિયાળી : રામકથા પહેલાં દુ:ખ ભગાડે છે અને ફરીવાર સંતમુખે રામકથા મનના તમામ સંશય દૂર કરે છે, તેમ ભચાઉ તાલુકાના મોડપર ગામે સંત લાલગેબી આશ્રમ ખાતે ચાલી રહેલી માનસ અશોક વાટિકા રામ પારાયણમાં બાપુએ જણાવ્યું હતું.  પ્રેમ યજ્ઞના પાંચમા દિવસે માનસ મર્મજ્ઞ મોરારી બાપુએ અશોક વાટિકામાં અશોક વૃક્ષ નીચે બેઠેલાં સીતાજીને હનુમાનજી રામ કથાનું શ્રવણ કરાવે છે, ત્યારે પ્રથમ સીતાજીનું દુ:ખ દૂર થાય છે અને ફરી કથા સાંભળતાં જ તમામ સંશયનો નાશ થાય છે, તે પ્રસંગને આગળ વધારતાં હનુમાનજી દ્વારા અશોક વાટિકાનો ધ્વંશ, રાવણના પુત્રો સાથે યુદ્ધ અને ત્યારબાદ લંકા દહનના કથા પ્રસંગને બાપુએ દરેક તાત્ત્વિક અર્થ સાથે હળવી શૈલીમાં વર્ણવ્યા હતા. લંકેશના દરબારમાં સંસ્કૃત ભાષામાં સંવાદ થતો હતો, તેને આજના શિક્ષણના સ્તર વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

લંકા દહન દરમિયાન પવનસૂતે માત્ર ભક્ત વિભિષણનું જ ઘર છોડી દીધું હતું. તેનો તાત્ત્વિક અર્થ એમ કહ્યો હતો કે, લંકા દહનમાં જેમ તેલ, કપડાં, ઘી વગેરે બળીને ખાખ થઇ ગયાં,  તેમ સમાજમાંથી પણ ખોટી માન્યતાઓ, ધારણાઓ, ખોટા રીત-રિવાજો ભસ્મ થવા જોઇએ.  રામકથાના પાંચમા દિવસે કથા શ્રવણ કરવા રબારી સમાજના ધર્મગુરુ, કથાકાર રામબાલકદાસજી, ગઢશીશાના ચંદુમા સહિત સંતો-મહંતો તેમજ મોટી સંખ્યામાં લોકોથી કથા મંડપ હકડેઠઠ ભરાઇ ગયો હતો.  લાલગેબી આશ્રમના મહંત મહાદેવ બાપુ, મહંત ભરત બાપુ અને અન્ય સંતોએ સૌને આવકાર્યા હતા.  કથા-મહા પ્રસાદના મંડપમાં જંગી ગામના રણછોડભાઇ કાનાભાઇ આહિર, મોડપરના નરશીભાઇ પટેલ, બેચરભાઇ પટેલ તેમજ આસપાસના ગામોમાંથી સ્વયંસેવકોએ સેવા આપી હતી.

- સુન્ની મુસ્લિમ જમાતે બાપુનું સન્માન કર્યું

મોડપર ખાતે ચાલી રહેલી રામકથામાં લાકડિયા સુન્ની મુસ્લિમ જમાતના 40થી 50 ભાઇઓએ કથા વિરામ બાદ મોરારી બાપુનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. બાપુએ પણ 11 શાલ લાકડિયા સુન્ની મુસ્લિમ જમાતને ભેટ આપી હતી.

- મોરારી બાપુએ કોમી એકતા બિરદાવી

મોરારી બાપુએ કથા દરમિયાન કોમીએકતાને બિરદાવતાં કહ્યું હતું કે, રસોડાંની મારી મુલાકાતમાં જંગી ગામના મુસ્લિમ યુવાનોને પ્રેમથી કામ કરતા જોઇ આનંદ થયો હતો. આ કચ્છની કોમીએકતાની મિસાલ છે.


  • વડીલો અને સ્ત્રીનું સન્માન જરૂરી, વિદ્યા ભય મુક્ત હોવી જોઇએ: મોરારી બાપુ

http://www.divyabhaskar.co.in/news/KUT-BUJ-OMC-morari-bapu-ram-katha-enters-sixth-day-at-bhachau-5210669-NOR.html

- મોડપર ખાતે આયોજિત મોરારી બાપુના મૂખે રામકથાનો છઠ્ઠો દિવસ
- કહેવાતા સુધરેલા સમાજનું સ્ત્રી સન્માન પર મૌન પર બાપુની ટકોર

ભચાઉ: નાનકડા મોડપર ગામે પ્રખ્યાત કથાકાર મોરારી બાપુની રામકથાના છઠ્ઠા દિવસે તેમણે વડીલો, સ્ત્રી સન્માન અને યુવાનો માટે પ્રેરણાદાયી હનુમાનજીના પરાક્રમની કથા કરી હતી.

વેદોના શ્લોકોના પઠન સાથે કથાને પ્રારંભ કરી કથાને આગળ ધાપવતા બાપુએ નમ્રતા પર ભાર મુક્યો હતો, તેમણે કહ્યું કે, ભક્તિ સુધી પહોંચવા નમ્રતા ખૂબ જરૂરી છે, પણ નમ્રતા રૂપી ઈશ્વરની આરાધના કરવી જોઇએ, દુનિયામાં માત્ર ભારત દેશ જ એવો છે જે હરિને હળવો બનાવી દે છે, હનુમાનજીનું ઉદાહરણ આપી તેમણે કહ્યું કે, સુરસા નામની રાક્ષણીએ જ્યારે પોતાનું મૂખ ખૂબ મોટું કરી હનુમાનજીને મૂખમાં લેવાની કોશિશ કરી ત્યારે હનુમાનજીએ વિન્રમતાપૂર્વક નાના થઈ તેમના મૂખમાં આંટો મારેલો, ઉગ્રતા એ શેતાન છે અને નમ્રતાએ પરમાત્માનું રૂપ છે.

બાપુએ ક્રોધ, ઈર્ષા, હિંસા, દ્વેષને ત્યાગી નમ્રતા અપનાવવા બોધ આપ્યો હતો. લાલગેબી ગૌશાળાના સંત લાલબાપુના લખાયેલા 13 હજાર જેટલા પદોમાંથી એક પદ ગાઈ બાપુ તેમને યાદ કર્યા હતા, યુવાનીમાં વડીલોનું સન્માન અને પ્રણામ કરવું જરૂરી હોવાનું જણાવી તેહી આયુષ્ય, વિદ્યા, આત્મબળ અને કીર્તિમાં વધારો થાય છે તેમ જણાવ્યું હતું. કથામાં દૂર-સુદૂરથી આવેલા સંતો, મંહતો, અગ્રણીઓએ આરતીનો લાભ લીધો હતો, તો વાલ્મીકિ અને અન્ય સમાજના ભાઈઓ બહેનોએ લીલા શાકભાજી અને દેશી દાતણ બાપુને અર્પણ કરી સન્માન કર્યું હતું. કથા શ્રવણ કરવા ક્રિસમસ અને અન્ય રજાઓનો લાભ લઈને મુંબઈ, પુના, બેંગ્લોર ઉપરાંત દેશભરમાંથી પટેલ અને આહિર સમાજના પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

જ્ઞાન ભય મુક્ત હોવુ જોઇએ, બાળકોને બાંધો નહીં! : બાપુની શીખ
મોરારી બાપુએ શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા વિકાસ માટે આનંદ વ્યક્ત કરી બાળકોની સ્વતંત્રતા અને ભણતર પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, જ્ઞાન ભય મુક્ત હોવું જોઇએ, શિક્ષણ સંસ્થાઓએ બાળકોને કૂંડાળામાં ન રાખી મુક્ત રાખવા જોઇએ, તેમના પર ગાળિયા ન નાખવા જોઇએ. બાળકોને જ્ઞાન મેળવવામાં બંધન કે ભય ન હોવો જોઇએ તેમ ઉમેર્યું હતું.

કહેવાતા સુધરેલા લોકો સ્ત્રી સન્માન બાબતે કેમ ચૂપ
ગંગાસતીને દેશની ક્રાંતિકારી સ્ત્રી તરીકે યાદ કરી બાપુએ સ્ત્રી સન્માન બાબતે કહેવાતા સમાજના અમુક બુદ્ધિજીવી વર્ગને ચાબખા મારતાં કહ્યું હતું કે, તગડી દક્ષિણા લેનારા અને મોટા લોકો સ્ત્રીના સન્માનની વાતો કરતા જ નથી.  સ્ત્રી એ માતૃ શરીર છે, માટે તેનું સન્માન થવું જોઇએ.

Sunday, December 13, 2015

માનસ સ્વચ્છતા

રામ કથા
માનસ સ્વચ્છતા
અમદાવાદ

શનિવાર, તારીખ ૧૨-૧૨-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૨૦-૧૨-૨૦૧૫

મુખ્ય પંક્તિ

लीला सगुन जो कहहिं बखानी। 
सोइ स्वच्छता करइ मल हानी॥

एक कलप एहि बिधि अवतारा। 
चरित पवित्र किए संसारा॥


રવિવાર, ૧૩-૧૨-૨૦૧૫

નરસિંહ મહેતાએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું.

આંગણુ સ્વચ્છ અને અંતર પવિત્ર હોવું જોઈએ.

વિચારો કરો નહીં પણ વિચારોને આવવા દો.

ગઈ કાલની ઘડી સંભારણીય - સંભારવા જેવી હોય છે.

ભાનમાં રહેવું, ભાનમાં રહેવું...
અગમ અગોચર અલખ ધણીની શાનમાં રહેવુંજી.

બધા સર્જકોએ પંચ અગ્નિ તાપવો પડે છે.

બધા સર્જકોએ વિવેક રાખવો પડે. વિવેક એક અગ્નિ છે.

રામ કથા મંથન છે જેમાંથી વિવેક પેદા થાય છે.

રામ ભગવાન મર્યાદા પુરૂષોત્તમ કરતામ વિવેક પુરૂષોત્તમ વધારે છે.


શબ્દના ઉપાસકોએ - સર્જકોએ વિરહનો અગ્નિ સહન કરવો પડે. વિરહ અગ્નિની તપસ્યા કરવી પડે.


બધા સર્જકોએ વિષમ પરિસ્થિતિ બહું સહન કરવી પડે. વિષમ પરિસ્થિતિ અગ્નિ છે.

રાવણ અને સુરપંખા એ બે એવા ભાઈ બહેન છે જેમાં રાવણ - ભાઈને સીતા જોઈએ છે અને સુરપંખા - બહેનને રામ જોઈએ છે. આ નિવેદન સ્વામી રામકિંકરજીનું છે.

આ ભાઈ બહેન બહારથી સ્વચ્છ છે પણ પણ અંદર મેલ છે.

સત્ય જય પરાજયના દ્વંદથી મુક્ત છે, સત્યને જય કે પરાજય ન હોય.

સાધુ મનનો મેલ દૂર કરે.

સાધુ કેમિકલ મુક્ત હોય છે તેથી તેની કોઈ આડ અસર થતી નથી.

સાવધાન માણસોએ સાધુને સાધન ન બનાવવા જોઈએ. સાધુ તો સાધ્ય છે.

સાધુને કોઈ જાતિ કે વર્ણ નથી.

સાધુ અનંતની યાત્રા છે.

કસોટી સોનાની જ થાય.

ધર્મમાં વિવેક રાખવો અને કર્મ કરવામાં કરૂણા રાખવી. કર્મ કરૂણા પૂર્વક કરવાં અને ભ્રમણ હૈયામાં રામ રાખી ને કરવું.

જે પાકી ગયો હોય તે પીર કહેવાય.

બીજાની પીડા જાણે તે પીર અને પોતાની પીડા બીજાને જાણવા ન દે તે પીર.

પીરની કાયા ક્રમશઃ પીળા રંગની થાય.

આધ્યાત્મ પ્રભુ પ્રસાદ અને ગુરૂ પ્રસાદથી થાય.


સર્જકો માટે લક્ષ્ય પ્રાપ્તિમાં વિલંબ એ અગ્નિ છે.


સર્જકો માટે પોતાના વિચારોને વિપરીત કરવાની સ્થિતિ એ અગ્નિ છે.

સુતેષ્ણા, વિતેષ્ણા અને લિકેષ્ણા આપણી બુદ્ધિને મલિન કરે છે.

માળા કરો કે ન કરો પણ ચાળા ન કરો.

સોમવાર, ૧૪-૧૨-૨૦૧૫
જયાં બુદ્ધિ કોઈ પણ પ્રકારે કુંઠિત નથી થતી તે વૈકુંઠ છે.

આપણે વિચારમાં રહેવું જોઈએ, વિનોદમાં રહેવું જોઈએ તેમજ વિવેકમાં રહેવું જોઈએ.

 बिनु सतसंग बिबेक न होई। राम कृपा बिनु सुलभ न सोई॥

આપણે થોડું વૈરાગ્યમાં પણ રહેવું જોઈએ. વૈરાગ્ય એટલે શુભનો સ્વીકાર, ફક્ત ત્યાગ જ નહીં. આપણે વ્યવહાર પૂર્ણ વૈરાગ્યમાં રહેવું જોઈએ.

આપણે વિવેક પૂર્ણ વિલાસમાં રહેવું જોઈએ.

રામ રૂખડ છે પણ સુખડ જેવો છે, ઘસો એટલે સુંગંધ ફેલાવે જ.

રામ રસિક છે.

આજે કલિયુગ છે પણ હજુ તે કલી તરીકે જ છે આ કલી જ્યારે ખીલશે ત્યારે પુર્ણ રુપે ફૂલ બનશે. અને તે અદ્‌ભૂત હશે, જીવવા જેવો સમય હશે.

ભરોંસો જ ભજન છે.

ભરોંસો હશે અને જો તમે પરમ તત્વને મિસ કોલ કરશો તો તે પરમ તત્વ જરૂર આપણને જવાબમાં કોલ કરશે જ.

બીજા ઉપર વિચારો લાદવા એ પણ હિંસા જ છે.

તીર્થ સ્થાન જડ ન હોય, ગતિશીલ હોય, પ્રબાહી હોય, કુઠિત ન હોય.

સંત ધર્મ સ્થાન નથી પણ તીર્થ સ્થાન છે.

વૃક્ષ દરરોજ વધે છે તેથી વૃક્ષ તીર્થ સ્થાન છે.

સંત દરરોજ વધે.

નદી દરરોજ વધે, પ્રવાહી રહે તેથી તીર્થ સ્થાન છે. નદી તેના ઉદગમ સ્થાનથી આગળ જતાં જતામ વધતી જ જાય.

પહાડ, પર્વત તીર્થ છે.

પર્વત ગતિશીલ છે, તેમાંથી અનેક ઝરણામ નૉકળે છે, અનેક વૃક્ષ ઊગે છે.

પૃથ્વી - ધરતી તીર્થ છે, ગતિશીલ છે, અનેક રત્નોથી ભરેલ છે.

બહુરત્ના વસુંધરા

संत बिटप सरिता गिरि धरनी। पर हित हेतु सबन्ह कै करनी

જેને જય, વિજય મળે અને થોડી ઊંચાઈ મલે એટલે તેને ફાંકો આવતાં વાર નથી લાગતી.

ઊંચાઈ મળ્યા પછી સરલ તરલ રહેવું.

વૈકુંઠના દ્વારે જય વિજય વિવેક ચૂકે અને સનતકુમારોને ક્રોધ આવે તે ઉપરથી અસ્વચ્છ લાગે છે. પણ નિયતીથી જોઇએ તો તે રામના અવતારનો એક પ્રસંગ છે.

અધર્મ જ્યારે ધર્મનું બખતર પહેરે ત્યારે ભગવાન પણ છળ કપટ કરી તે ધર્મના બખતરનો નાશ કરે છે.

સાબુ કપડાને સ્વચ્છ કરે અને સાધુ કલેજાને પવિત્ર કરે.

સાધુ પાસે ગુરૂદત્ત વાણી હોય તો કલેજું પવિત્ર બને અને સાબુ પાણી હોય ત્યારે કપડાં સ્વચ્છ કરે.


મંગળવાર, ૧૫-૧૨-૨૦૧૫

આજે સરદાર પટેલની પૂણ્ય તિથી છે.૧૫ ડીસેમ્બર ૧૯૫૦માં સરદાર પટેલનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું.

સરદાર પટેલ બહારથી સ્વચ્છ અને અંદરથી સ્પષ્ટ અને સ્વસ્થ હતા.

રામની સાથે ૪ શબ્દ સગોત્રી છે.

૧ રામ કથા

૨ રામ લીલા

૩ રામ ચરિત - જેના કેન્દ્રમાં સત્ય, પ્રેમ અને કરૂણા હોય છે.

૪ રામ ગાથા

સાધુને જોવા ઈશ્વર પણ તડપે છે.

ક્યારે ઊઠવું જોઈએ?


પ્રાતઃ કાળે ઊઠવું જોઈએ. સમજણના પ્રાતઃ કાળે ઊઠવું જોઈએ.

કોઈક ઘટનાથી આપણા જીવનમાં ચમકારો થાય જે જીવનના વિકાસ માટે લાભદાયક હોય તો તે ચમકારાની ક્ષણ પ્રાતઃકાળ છે.

વાતો સમજવા માટે સાગર પેટા થવું પડે.

ગુણ રહીત પ્રેમ સાચો પ્રેમ છે.

જાગ્યા ત્યાંથી સવાર.


ગુરૂ જાગે તે પહેલાં શિષ્યે જાગવું જોઈએ.

જાગૃત પુરૂષ મળ્યા પછી પ્રમાદી બનીને ન રહેવાય.


પ્રતિષ્ઠિત માણસને સમસ્યાઓ ઘેરી વળે ત્યારે - જનક રાજા જેવા પણ વિચલિત થઈ જાય ત્યારે - આવા સમયે ઊઠવું જોઈએ.


જ્યારે પ્રેમી કે જેનો પ્રેમ ગુણ રહીત છે તે મળવા આવે ત્યારે ઊઠવું જોઈએ.

રામ ભરતને મળવા ઊઠે છે ત્યારે ૧ વસ્ત્ર પડી જાય છે, ૨ તરકસ પડી જાય છે, ૩ ધનુષ્ય પડી જાય છે અને ૪ તીર પણ પડી જાય છે.

રામ ચરિત માનસ જે ૨૫ મો અવતાર છે તે હાથ વગો છે.

કથાનું, વક્તાનું તટસ્થ અને કુટસ્થ ભાવે મુલ્યાંકન કરો. કોઈના અહોભાવમાં રહીને કે અધોગત ભાવમાં રહીને મુલ્યાંકન ન કરો.

એકલું જ્ઞાન હોય અને આંખમામ ભીનાશ ન હોય, આંસુ ન હોય તો તે દુષ્કાળ જ છે. જનક્ના રાજમાં દુષ્કાળ એટલે જનક જ્ઞાની જ હતા, ભાવ ન હતો તેનો દુષ્કાળ હતો.

પ્રસિદ્ધિ અને સિદ્ધિ અલગ છે.

વસ્ત્ર એ છે જે કંઈક છુપવવા માટે વપરાય છે. વસ્ત્ર એટલે કંઇક છુપાવવાનું સાધન.

પટ એટલે કપટ

નિસંગનો અર્થ અસંગતા છે.

ધનુષ્ય એટલે જ્ઞાન - વિજ્ઞાન, પ્રેમીને મળવામાં જ્ઞાનની જરૂર નથી.

તીર એટલે કિનારો. પ્રેમીને જોઈને કિનારે ઊભા ન રહેવાય, તે સમયે તો મધ દરિયે ડૂબકી મારવાની હોય.

વ્યાપકને સ્થળાંતર કરવાની મજબુરી છે. જે સર્વત્ર છે તે વ્યાપક છે. તેથી વ્યાપક માટે સ્થાંતર કરવાની બીજી કોઈ જગ્યા છે જ નહીં.

શ્રમ પછીનો વિશ્રામ જ આરામ આપે.

ત્રણ વસ્તુ યાદ રાખવા જેવી છે.


નિયતીને યાદ રાખો. નિયતિ હંમેશાં આપણા હિતનું જે હોય તે જ કરે છે.


જે કર્મ થાય છે તેમામ આપણે ફક્ત નિમિત્ત માત્ર જ છીએ.

૩ નેતીને યાદ રાખો. કોઈ પણ જાતનો ફામ્કો ન રાખો.

કામ ગુરૂને છોડો અથવા કાં ગુરૂ ઉપર બધું જ છોડી દો.

વશિષ્ઠ ઋષિ વિશિષ્ઠ છે તેમેજ વરિષ્ઠ પણ છે.




Monday, November 9, 2015

શીલવાન વ્યક્તિ જ પામી શકે પ્રભુનો પ્રેમ, માનસદર્શન, મોરારિબાપુ

શીલવાન વ્યક્તિ જ પામી શકે પ્રભુનો પ્રેમ




  • દિલ તો આપણા મહાપુરુષો પાસે હોય છે. ગમે ત્યારે પૂછો તો કહે કે મારા પ્રભુ કરે તે સાચું, આપણે શું કરી શકવાના હતા. આવા દિલના લીધે જ આપણા મહાપુરુષો પ્રભુના પ્રેમપાત્ર હોય છે




  • ભગવાન રામને પ્રેમની મૂર્તિ કહ્યા છે, સાથે રામ-ભરત બંનેને પ્રેમની મૂર્તિ તરીકે વંદન કર્યાં છે. તુલસીદાસજી કહે છે કે, ભગવાન રામ અને ભરતજી બંને પ્રેમને પાત્ર છે. 




  • છતાંય કદી વિચાર્યું પણ ન હોય, ઇચ્છા પણ ન હોય અને અચાનક જ પરમતત્ત્વનો, પરમાત્માનો પ્રેમ મળી જાય તો સમજવાનું કે મારું જીવન કૃતકૃત્ય થઈ ગયું છે. 




  • હવે મનુષ્યનો અવતાર મ‌ળ્યો છે એટલે આપણે બધા પરમાત્માના કૃપાપાત્ર તો છીએ જ, પણ જીવ પરમાત્માનું ભજન કરે, પરમાત્માનું ધ્યાન કરે, પૂજા-અર્ચના કરે, સમયસર પ્રભુને ભજે તો જીવ ભાગ્યનું પાત્ર બને છે. 


દર્દ કો પાયા પ્રેમ કો પાયા,
પ્રેમ કો પાયા પ્યાર હો ગયા.



  • પરંતુ પ્રભુના પ્રેમપાત્ર બનવું હોય તો દિલ હોવું જરૂરી છે. તમે બધા એવું કહેશો કે અમારા બધા પાસે દિલ છે. ક્યારેક મને દેખાયું છે કે માણસ પાસે દિલ હોય છે. ફક્ત શરીરમાં રક્તનું પમ્પિંગ કરવા માટે જ. દિલ એક અવયવના રૂપમાં જોવા મળે છે. દિલ તો આપણા મહાપુરુષો પાસે હોય છે. ગમે ત્યારે પૂછો તો કહે કે મારા પ્રભુ કરે તે સાચું, આપણે શું કરી શકવાના હતા. આવા દિલના લીધે જ આપણા મહાપુરુષો પ્રભુના પ્રેમપાત્ર હોય છે. જ્યારે માણસ સવારથી સાંજ સુધી હું કરી નાખીશ, હું આમ કરી નાખું, તેમ કરી નાખું આવા અભિમાનને કારણે પ્રભુના પ્રેમપાત્ર બની શકતા નથી. આપણા બધા જ સંતોએ દિલથી જ કાર્ય કર્યા છે.





  • બીજું જેની પાસે શીલ હોય છે એ પ્રભુના પ્રેમપાત્ર બની શકે છે. રામચરિતમાનસના દરેક પાત્રમાં શીલનું દર્શન થાય છે. માટે પ્રભુ બધાને પ્રેમ કરે છે. 
  • પ્રભુના પ્રેમપાત્ર બનવા માટે માણસ પાસે બળ જરૂરી છે.



  • બળનો અર્થ એ થાય છે કે પ્રેમની કોઈ પણ પરિસ્થિતિમાં અમે દૃઢ રહીશું. અમે પ્રેમમાં હારીશું નહીં. આવી મક્કમતા એને બળ કહી શકાય છે. 
  • જેની પાસે પ્રેમની ધારા હોય છે એ પરમાત્માના પ્રેમપાત્ર બની શકે છે. પ્રેમની ધારાને નારદજી પ્રતિક્ષણ વર્ધમાન કહે છે. તુલસીદાસજી અનુરાગ કહે છે, રોજ નવી ઉત્કંઠા વધવી જોઈએ.
  •  જે માણસ નિત્ય ઉત્કંઠા લઈને હસતો થશે એ પ્રભુના પ્રેમનો પાત્ર બની જશે. માણસ હસતા શીખી જાય તો પ્રભુ બહુ નજીક આવી જાય છે. 

મોજમાં રહેવું મોજમાં રહેવું અને મોજમાં રહેવું રે,
હે અગમ અગોચર અલખધણીની ખોજમાં રહેવું રે... મોજ...
તો જેની પાસે દિલ હશે. જેની પાસે શીલ હશે. જેની પાસે બળ હશે અને પ્રેમની ધારા હશે એ અવશ્ય પ્રભુના પ્રેમપાત્ર ગણાશે.
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.


Tuesday, October 27, 2015

ગાયમાતાની સેવા ગંગાસ્નાન અને યમુનાપાન સમાન છે, માનસદર્શન, મોરારિબાપુ

ગાયમાતાની સેવા ગંગાસ્નાન અને યમુનાપાન સમાન છે




  • બને તો ગાય પાળવી જોઇએ. ગાય પાળવાની ક્ષમતા ન હોય તો ગાયની ચીજવસ્તુનો ઉપયોગ જરૂરથી કરવો જોઇએ



  • રામકથા સ્વયં સુરધેનુ છે. કામદ ગાય છે. રામાયણમાં ગાયને ક્યારેક સુરધેનુ કહીને, ક્યારેક કામદ કહીને, ક્યારે ગૌ કહીને, ક્યારેક સુરભિ કહીને ગૌમતાનો મહિમા ગાયો છે. 



  • અમારે પૂજનીય દત્તશરણાનંદજી મહારાજ ગાયોની વાત આવે ત્યારે સ્પષ્ટ કહે કે ગોસેવા કેવળ વિચારાત્મક ન હોવી જોઇએ. ગોસેવાની પ્રવૃત્તિ સમાજમાં રચનાત્મક બનવી જોઇએ. 

  • સમાજમાં ઘણીવાર લોકો વિચારાત્મક બને છે પરંતુ પછી રચનાત્મક રહી શકતા નથી. 



  • ગુજરાતના બહુ જ મોટા વિચારવાન વ્યક્તિ ગુણવંત શાહ બાંગ્લાદેશ ગયા ત્યારે એમણે ત્યાંથી મને એક વાત કરેલી કે બાપુ, હું એ વાતે હેરાન છું કે આ મુસ્લિમ દેશોમાં માત્ર ગાયનું જ દૂધ પીવામાં આવે છે. ગાયનું જ ઘી વપરાય છે. ગાયનાં બધાં દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે શા માટે ચૂકી જઇએ છીએ? અને વાત એવી કોઇ મોટી નથી. આપણે બધા પોતપોતાના સ્તરે ઇમાનદારીથી કામ કરીએ. કથા સાંભળવાથી સ્વર્ગ મળી જાય તો એમાં મને કોઇ મુશ્કેલી નથી પરંતુ કથા સાંભળ્યા પછી આપણે અહીં સ્વર્ગ નિર્મિત કરવું છે એ મારું કર્તવ્ય છે. મારી તો સ્વર્ગમાં કઇ રુચિ નથી. રાજેન્દ્ર શુકલની પંક્તિઓ છે કે


‘હું તો ધરાનું હાસ છું, હું પુષ્પનો પ્રવાસ છું
નથી તો ક્યાંય પણ નથી, જુઓ તો આસપાસ છું
નિષેધ કોઇને નહીં, વિદાય કોઇને નહીં
હું શુદ્ધ આવકાર છું. હું સર્વનો સમાસ છું’


  • દેશનો યશ બચે, દેશની ગાય બચે, યમુનાનો નિરંતર પ્રવાહ બચે. આજે વ્રજમંડલની પણ એ જ તો મોટી સમસ્યા છે. અનેક સંસ્થાઓ, સંતો એ માટે પ્રવૃત્ત છે. વ્યાસપીઠ પરથી રાજપીઠને હું કહેવા માગું છું કે અમે થોડામાં ગુજારો કરી લઇશું, પરંતુ મહેરબાની કરીને અમારા પાવન પ્રવાહને બંદી ન બનાવો.




  • ગંગાના શુદ્ધિકરણની યોજના કરવામાં આવી હતી. સારી વાત છે. એને તત્કાળ ક્રિયાન્વિત કરવામાં આવે. ગિરિરાજનું શુદ્ધિકરણ, વ્રજચોરાસી કોષનું શુદ્ધિકરણ, યમુનાના નિરંતર પ્રવાહનું જતન થવું જોઇએ. આજે લોકો જે તે વસ્તુઓ યમુનામાં નાખતા હોય છે. આપણે યાત્રાળુઓ પણ જે તીર્થોમાં જઇએ ત્યાં એ તીર્થોને અશુદ્ધ ન કરીએ. જ્યાં ત્યાં કચરો ન નાખીએ ગમે ત્યાં ગંદકી ન કરીએ એનું આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. તીર્થધામને સ્વચ્છ રાખવું એ આપણી બધાની ફરજ છે. તીર્થ અપરાધ સારો નથી. આપણા દેવસ્થાન, તીર્થસ્થાન, પવિત્રસ્થાન, પવિત્રપ્રવાહની શુદ્ધિકરણની જવાબદારી આપણી છે.



  • તીર્થની સેવા સાથે ગાયની સેવા થવી જોઇએ. મને આનંદ છે નાનપણથી મારી કથાઓ સાંભળનારા મારા ઘણા શ્રોતાઓ આવી અનેક સંસ્થાઓમાં એમનું સંપૂર્ણ જીવન સમર્પિત કરે છે. પ્રસિદ્ધિથી મુક્ત થઇને સેવાના કામમાં લાગેલા છે. મારી પુન: સર્વને પ્રાર્થના છે કે સુવિધા હોય તો ગાયને પાળજો. જો અનુકૂળ ન હોય તો ગૌશાળાની એક-બે ગાય હેસિયત પ્રમાણે દત્તક લેવી જોઇએ.



  • ગાય તો રાષ્ટ્રનો શણગાર પણ છે અને સુરક્ષા પણ છે. જે ઘરમાં ગાય વસે છે ત્યાં દેવતાઓ વસે છે. 



  • વર્ણાશ્રમની આપણી જે પવિત્ર વ્યવસ્થા છે એ મુજબ ગાયોમાં સર્વ વર્ણ સમાહિત છે. ગાયોમાં બધા જ આશ્રમનાં દર્શન થાય છે. ગાય જો એક જ કોમની હોય કે એક જ ધર્મ સાથે જોડાયેલી હોય તો પછી વિદેશી લોકો પણ ગાયના દૂધનો ઉપયોગ શા માટે કરે છે? ગાય આપણો આત્મા છે. આત્મા હોવાને નાતે ગાય પ્રિય હોવી જોઇએ. ગાય વિશ્વનો આત્મા છે. જેમ ગવર્નમેન્ટ બાય ધી પીપલ. ફોર ધી પીપલ. ફ્રોમ ધી પીપલ, એમ ગાય લોકો માટે છે. લોકો દ્વારા પૂજિત છે. એક બહુ જ મોટા વિદ્વાને મને કહ્યું હતું કે બાપુ આપણે ગાયનું પાલન કરીશું, ગાય આપણા પરિવારનું પાલન કરે છે. જે દેશમાં જે રાષ્ટ્રમાં ગાયની સેવા થતી હશે એ રાષ્ટ્ર સમૃદ્ધ બને છે. આફ્રિકાની પ્રજાના એક વર્ગમાં જ્યારે લગ્ન થાય છે ત્યારે છોકરા પાસે કેટલી ગાયો છે એવું પૂછવામાં આવે છે. ગાય અર્થનું મૂળ છે. ગાય ઉપર સંશોધન થઇ રહ્યું છે. અને એ રીતે આખો દેશ ચાલે છે. ગાય તો ગંગા-યમુનાનો નિત્ય સંગમ છે. ગાયની સેવા એ તો ગંગાસ્નાન અને યમુનાપાન છે. 

સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ


Read full article at Sunday Bhaskar.


Friday, October 23, 2015

પોરબંદર આવ ઈશ્વર, તને સરગ દેખાડું શામળા

The article displayed below is with the courtesy of Divya Bhaskar daily and its author Shree Kanti Bhatt.

પોરબંદર આવ ઈશ્વર, તને સરગ દેખાડું શામળા

Read the article at its source link.


સ્ટેનીસ્લો નામના રશિયન ફિલોસોફરે કટાક્ષમાં સરસ વાત કરેલી કે ઈશ્વર પાસે સ્વર્ગની પ્રાર્થના કે ડીમાન્ડ કરશો નહીં. એવું કરશો તો ભગવાન તમને સ્વર્ગ, હેવન કે પેરેડાઈઝનો અઘરામાં અઘરો રસ્તો બતાવશે. પ્રેક્ટિકલ દૃષ્ટિએ જોઈએ તો મેં સાંભળેલું કે ભાઈશ્રી રમેશ ઓઝાએ પોરબંદરમાં તેમના સાંદીપની આશ્રમમાં સ્વર્ગ ઉભુ ર્ક્યુ છે. અમે પોરબંદરમા ભાઈશ્રી રમેશભાઈએ સ્વર્ગ ખડું ર્ક્યુ તે જોવા ગયા તો ચાર-પાંચ કલાક ત્રણ-ત્રણ એરપોર્ટ ઉપર ગાળવા પડ્યા અને ચાર કલાકે માંડ માંડ ભાઈશ્રી રમેશનો સાંદીપની આશ્રમ જોયો અને કાન પકડયો કે ત્યાં તેમણે ખરેખર સ્વર્ગ ખડું ર્ક્યુ છે.

પ્રથમ વાત તો એ કે અમે પહોંચતા હતા ત્યારે રમેશભાઈ વ્યાસપીઠ ઉપર બેસીને 5000ની શ્રદ્ધાળુ ઓડીયન્સ જેમાં બહેનોની મેજોરીટી હતી અને રમેશભાઈ શાસ્ત્રીય રાગથી ‘શ્રી રામ ચરીત માનસ’ કંઠસ્થ હતું તે અને સંગીત સાથે ગાતા હતા તે હું પણ સાંભળી રહ્યો. હું તો મુગ્ધ થઈને સાંભળવા લાગ્યો. મારો મુસાફરીનો તમામ થાક ઉતરી ગયો. મારા હાથમાં ગીતા પ્રેસ ગોરખપુરનું અસ્સલ સંસ્કૃતમાં શ્રી રામચરીત માનસનું પુસ્તક આવ્યું તેની આજ સુધીમાં 48 લાખ નકલો છપાઈ ગઈ છે. બીબીસી ટીવી ચેનલે રામચરીત માનસ ઉપર લાંબી ટીપ્પણી પ્રગટ કરી છે. યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસર ડો. ફીલીપ લુજેનડોર્ફ પાસે રામચરીત માનસ ઉપર વિદ્વતાપૂર્ણ વિવરણવાળું પુસ્તક લખાવ્યું છે. ભાઈશ્રીએ તો મને અને પત્રકાર દેવાંશુને શ્રી રામ ચરીત માનસ મફ્ત- ભેટ આપ્યું. પણ આજે ડો. ફીલીપ લુજેનડોર્ફનું અંગ્રેજીમાં લખેલું ‘ધ લાઈફ ઓફ ટેકસટ- તુલસીદાસઝ રામ ચરીત માનસ’ જે 73.95 ડોલર એટલે કે 51 સ્ટર્લીંગ પાઉન્ડ એટલે કે રૂ. 4885નું આવે છે તે દુર્લભ છે. આઉટ ઓફ પ્રીન્ટ છે.

અહીં ઘણા બધા વિદ્વાનો (જેના ઘણાના નામ હજી લખવા બાકી છે જે રામ ચરીત-માનસના ર્ખાં છે)ને પડતા મુકીએ તો પોરબંદરના સમુદ્ર કાંઠાથી 6 માઈલ દૂર શાંત વાતાવરણમાં ભાઈશ્રી શ્રી રામચરીત માનસનું અસ્સલ સંસ્કૃતમાં રાગ અને આઠેક સંગીતકારોના સંગીત સાથે પઠન કરતા હતા ત્યારે પત્રકાર તરીકેનું મારું જગતની પંચાત કરતું ‘પાપીયુ’ મન શાંત થઈ ગયું અને ભાઈશ્રીના રામચરીત માનસના પઠનનો મંડપ છોડ્યા પછી 42-42 કલાક સુધી મારા મનમાં રામ ચરીત માનસનુ પઠન ગુંજતુ રહ્યું. એ તો તમારે જાતે જ એ રામચરીત માનસ તમારે પોતે સાંભળવું જોઈએ. તેનું વર્ણન તો ફોફા ખાંડવા જેવી વાત છે.

મૂળ બેલ્જિયમના દાઢીધારી વિદ્વાન જે 73ની વયે 17-8-1982ના ગુજરી ગયા છે. તેને મોઢે આપણે રામચરીત માનસની પ્રશંસા સાંભળ‌વી જોઈએ. તમે સાંભળ્યુ હશે કે મુકેશ અંબાણી અને નાના ભાઈ અનિલ અંબાણી વચ્ચેની ખટાશને ભાઈશ્રી રમેશભાઈએ મીઠાશમાં પલટાવી છે. પણ મને સૌથી મોટી વાત મૂળ બેલ્જિયમના ફિલોસોફર ડો. કેમિલ બલ્કની લાગે છે. આ ડો. કેમિલ બલ્ક સાહેબને ભારત ગમી ગયું અને તેના બેલ્જિયમના રામસ્કલીપીલ ગામથી ભારતમાં આવ્યા. તેણે મહેણું માર્યું કે ઈન્ડિયાના ઘણા એજ્યુકેટેડ માણસો તેની દેશની કલ્ચરલ સમૃદ્ધિ જાણતા નથી. 45 કરોડ લોકો આ લખાય છે ત્યારે નવરાત્રમાં નાચે છે. દુર્ગા અને અન્ય માતાજીના રાસડા લે છે. રોજ રામની માળા ફેરવે છે. ડો. કેમિલ બલ્કે કલકતા યુનિ.માં સંસ્કૃતિનો અભ્યાસ ર્ક્યો. અને સાંભળો-તેણે થીસીસ- મહાનિબંધ તરીકે ‘રામચરીત માનસ કે રામ કથા કા વિકાસ’ના વિષયને પસદ કરીને રામચરીત માનસમાં પીએચડીની ડિગ્રી મેળવી.

ઘણા ભાઈશ્રી રમેશના પ્રેમી કહેશે કે તમે ઉપર બધી પરદેશના ફિલોસોફરોની પંચાત કરી પણ ભાઈ રમેશ વિશે લખ્યુ નહીં! ભાઈશ્રી વિશે અનેક પૂસ્તકો લખાય છે તે વાંચી લેજો. હું તે રીપીટ નહીં કરું. મેં પણ 2009માં ભાઈશ્રીનું પૂરું જીવન ચરીત્ર લખ્યુ છે. હું ફરી ફરી કહેતો રહીશ કે તમે ભાઈશ્રી રમેશ માટે નહીં, તમારા કલ્યાણ માટે તમારી ચિત્તશાંતિ માટે તમારી પત્ની, ભાઈ, માતા-પિતાએ તમામ પ્રત્યે આદરભાવ અને પ્રેમ વધારવો હોય તો જરૂર એક સપ્તાહ પોરબંદરના સમુદ્ર કાંઠાની હવા ખાવા સાથે રામચરીતના પાઠ ભાઈશ્રી વ્યાસપીઠ ઉપર બેસીને પઢતા હોય તે તેના મોઢેથી ભક્તિપૂર્વક સાંભળી આવો. મારી ગેરંટી છે કે તમને અદભુત શાંતિ અને પ્રેમભાવ પેદા થશે. ભાઈશ્રીએ મોરારી બાપુ જેટલી જ રામ કથા કે ભાગવત કથા કે રામ ચરીત માનસ પર પ્રવચનો ર્ક્યા છે. સંખ્યા અગણિત છે.

ડરબન (સાઉથ આફ્રિકા)માં એકતા મંદિરની સ્થાપના થઈ ત્યારે ભાઈશ્રીને જોવા અને સાંભળવા સાડા સાત લાખ લોકો ડરબન આવેલા. રમેશભાઈ પણ મોરારી બાપુની જેમ સાદુ ભોજન (દહીં રોટલો) લે છે. ભાઈશ્રી સુક્ષ્મ ભોજન લે છે. મુળ કાઠિયાવાડના છે એટલે રોટલાનુ શિરામણ કરતા. નોર્વેના ઓસ્લો શહેરમાં ગયા તો તેમનાથી બોલાઈ ગયુ કે તેમને બાજરાનો રોટલો દહીં સાથે રીગણાનો ઓળો ભાવે છે તો ઓસ્લો- નાર્વેવાસીઓએ રોટલો જમાડેલો. રમેશભાઈ જો યુરોપમાં કોઈ પણ શહેરમાં ભગવત કથા- રામ કથા કરે તો 45 જેટલા યુરોપના શહેરોમાથી ગુજરાતીઓ ઉમટી પડે છે. ફિલ્મલાઈનના સુપર સ્ટારો છે તેમ રામ કથાના સુપર સ્ટારોમાં રમેશભાઈ અને મોરારી બાપુ છે. તેમને પગલે તમે ભૂપેન્દ્ર પંડ્યા અને યોગેન્દ્ર ભટ્ટના નામ લઈ શકો. પણ ભાઈશ્રીનું અંગત જીવન રહનસહન અને વાણી ખરેખર અદભુત તેમનું દર્શન- શાંતિદાતા છે.

Thursday, October 22, 2015

ત્રેતાયુગમાં રાવણને મરાયાને આજે 9307 વર્ષ પૂર્ણ થશે

The article displayed below is with the courtesy of Divya Bhaskar.


ભાવનગર: ત્રેતાયુગમાં રાવણને મરાયાને આજે 9307 વર્ષ પૂર્ણ થશે

Read the article at its source link.

- રામાયણ એક ઐતિહાસિક ઘટના છે
-કમ્પ્યૂટર સોફ્ટવેરના અધારે ડો.પી.વી. વર્તકે કરેલી ખગોળીય ગણતરી : ગ્રહો-નક્ષત્રોના આધારે કરાયેલી ગણતરી

ભાવનગર:તા.22 ઓક્ટોબરને ગુરૂવારે રાવણ વધનો વિજય દશમીનો તહેવાર ઉજવાશે. કાળની ગણતરી પ્રમાણે લંકાના રામ-રાવણના મહાયુદ્ધમાં રાવણ વધને 9307 વર્ષ પૂર્ણ થશે.
 ખગોળશાસ્ત્રએ વિશ્વનું પ્રથમ અને જુનામાં જુનું વિજ્ઞાન છે. ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ સમાન ખગોળશાસ્ત્ર એ આપણી સાંસ્કૃતિક ધરોહર પણ છે. પૃથ્વી ઉપરનાં ગગનમંડળમાં ફરતા ગ્રહો જે રાશિ-નક્ષત્રોમાં ભ્રમણ કરે છે. તેના આધારે પૃથ્વી ઉપર બનતા બનાવોના સમયને (કાળ)ને નોંધવાની અદ્દભૂત પદ્ધતિ આપણા ઋષિમુનીઓએ શોધી કાઢ્યું હતુ.

વિશ્વના અનેક કેલેન્ડરોના આધાર બદલાયા કરે છે. પરંતુ બ્રહ્માંડમાં વિચરતા ગ્રહોને નક્ષત્રોને આધારે નિર્ધારિત કરેલ સમય કદી પણ બદલાતો નથી. અને આથી જ પ્રત્યેક ધર્મકાર્યની શરૂઆતમાં જે સંક્લ્પ લેવામાં આવે છે તે બનાવના સમયે નોંધવાની જ પ્રક્રિયા છે એમ જણાવતા ખગોળ પ્રેમી પ્રા.સુભાષભાઈ મહેતા વધુમાં જણાવે છે કે આવતી કાલે  દશેરાની ઉજવણી છે ત્યારે વાલ્મીકી રામાયણના બાલકાંડ, અયોધ્યાકાંડ, કિષ્કીંધાકાંડ, સુંદરકાંડ, અરણ્ય કાંડ, યુદ્ધકાંડમાં બનતા પ્રસંગો સમયે જે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિનું વર્ણન કરેલ છે.

તેને કમ્પ્યુટર સોફ્ટવેરના આધારે પાછળ લઈ જઈને મેળવાયેલ સંકલિત તારીખો જે ડો.પી.વી. વર્તકના લેખના આધારે તારવવામાં આવેલું છે. જેઓએ મરાઠીમાં વાસ્તવ રામાયણ લખી છે. તેમાંની થોડી તારીખો વાચકની રસવૃત્તિ માટે પ્રસ્તુત છે. દરેક તારીખ ‘ઈશુ સદી’ પહેલા (બીફોર ક્રાઈસ્ટ (બીસી)ની છે. જેમાં 2015 ઉમેરતા વર્તમાન સમય સાથેની મળશે.જેમ કે ભગવાન શ્રી રામનો જન્મ 7323(બી.સી.)માં થયેલો અને હવે તેમાં 2015 ઉમેરો એટલે શ્રી રામનો જન્મ આજથી 9338 વર્ષ પહેલા થયેલો તેમ
કહી શકાય.

રામાયણની કાળ ગણતરી
પ્રસંગ    તારીખ
ભગવાન શ્રી રામનો જન્મ    તા.4-12-7323 (બીસી)
શ્રી રામે 17 વર્ષ પૂરા કર્યા    તા.4-12-7306
શ્રી રામ-સીતાના લગ્ન    તા.7-4-7307
શ્રી રામનો વનવાસ    તા.29-11-7306
શ્રી હનુમાનજીનો લંકા પ્રવેશ    તા.1-9-7292
સમુદ્ર ઉપર સેતુબંધ બંધાયો    તા.26/30-10-7292
યુદ્ધની શરૂઆત    તા.3-11-7292
કુંભકર્ણ મરાયો    તા.7-11-7292
રાવણ મરાયો    તા.15-11-7292
કુલ તેર દિવસ યુદ્ધ ચાલેલુ     ---
શ્રી રામનું અયોધ્યા પુનરાગમન-તા.6-12-7292

Wednesday, October 14, 2015

માનસ ચામુંડા

રામ કથા

માનસ ચામુંડા

ચોટિલા, જિ. સુરેન્દ્રનગર, ગુજરાત

મંગળવાર, તારીખ ૧૩-૧૦-૨૦૧૫ થી ગુરૂવાર, તારીખ ૨૨-૧૦-૨૦૧૫

મુખ્ય પંક્તિ

जोगिनि भरि भरि खप्पर संचहिं     । 

भूति पिसाच बधू नभ नंचहिं       ॥

भट कपाल करताल बजावहिं      । 

चामुंडा नाना बिधि गावहिं      ॥

....................................................................  6/87/7/8


योगिनियाँ खप्परों में भर-भरकर खून जमा कर रही हैं। भूत-पिशाचों की स्त्रियाँ आकाश में नाच रही हैं।

चामुण्डाएँ योद्धाओं की खोपड़ियों का करताल बजा रही हैं और नाना प्रकार से गा रही हैं॥4॥




મંગળવાર, ૧૩-૧૦-૨૦૧૫

The article displayed below is with the courtesy of Divya Bhaskar daily.


બલી પ્રથા બંધ કરો, અેનું પાપ મને આપજો: મોરારિબાપુ


Bhaskar News, Surendranagar



Read the article at its source link.


- સુરેન્દ્રનગરના ચોટીલામાં મોરારીબાપુની માનસ ચામુંડા રામકથાનો શુભારંભ થયો

- વજુભાઇ વાળા, સાંસદ દેવજી ફત્તેપરા, ધારાસભ્યો અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા

ચોટીલા: ચોટીલામાં નવરાત્રિના પ્રારંભ સાથે પ્રખર રામાયણી મોરારિબાપુની માનસ ચામુંડા રામકથાનો શુભારંભ સાંજે થયો હતો. આ પ્રસંગે કર્ણાટકના રાજયપાલ સહિત સંતો મહંતો તથા હજારો ભાવિકોએ ખાસ હાજરી આપી હતી. જયારે બાપુએ કથામાં નવરાત્રીના દિવસોમાં બલી પ્રથા બંધ કરવાનું જણાવ્યુ હતુ. ચોટીલામાં પ્રખર રામાયણી અને રામનામને જીવનમાં ઉતારનાર પ્રસિધ્ધ સંત મોરારિ બાપુ દ્વારા માનસ ચામુંડા રામકથાનો ભવ્ય શુભારંભ થયો હતો. મોરારિ બાપુએ આઇયે હનુમંત બીરાજીએ, કથા કહુ મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરૂ, પધારીયે પવનકુમારના ગાન સાથે કથા પ્રારંભ કરી હતી.

કથામાં બાપુએ જણાવ્યુ કે, એકાદ વખત ચામુંડા માતાના ચરણોમાં બેસીને નવ દિવસીય અનુષ્ઠાન કરવાની ઇચ્છા હતી. જયાં જયાં બલી ચઢાવાતી હોય આ દિવસોમાં ત્યાં બલી પ્રથા બંધ કરો. આવી જ બધી પ્રથા બંધ થવી જોઇએ. આ બંધ કરવાથી જે પાપ લાગે તે મને આપજો. પણ જીવ હિંસા ન કરવી જોઇએ. બિલકુલ શુધ્ધ ઉપાસના થાય તે જરૂરી છે. આપણે બહુ જ બેહોશીમાં જીવી રહ્યા છીએ. આવા પવિત્ર દિવસોમાં આપણી જાગૃતિ વધે તો આ વિશ્વ વધુ રૂપાળુ થઇ શકે છે. મૂર્છામાંથી બહાર આવવાના આ દિવસો છે. હોંશમાં આવવાના આ દિવસો છે.

મોરારીબાપુએ ઉપસ્થિત શ્રોતાઓને ખાસ નિમંત્રણ આપતા જણાવ્યુ કે, રામકથા ભજન અને ભોજનનો મહાયજ્ઞ છે. જગદંબાનો પ્રસાદ લેવા જરૂર આવજો. આ કથામાં કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા, સાંસદ દેવજીભાઇ ફતેપરા, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ, કિરીટસિંહ રાણા સહિત સુપ્રસિધ્ધ ધાર્મિક જગ્યાઓના સંતો, મહંતો તથા હજારો ભાવિકો કથા શ્રવણ કરવા હાજર રહ્યા હતા.



બુધવાર, ૧૪-૧૦-૨૦૧૫


सोइ सच्चिदानंद घन रामा। अज बिग्यान रूप बल धामा।।
ब्यापक ब्याप्प अखंड अनंता। अखिल अमोघसक्ति भगवंता।।2।।


अजा अनादि सक्ति अबिनासिनि। सदा संभु अरधंग निवासिनि॥
जग संभव पालन लय कारिनि। निज इच्छा लीला बपु धारिनि॥2॥



पद राजीव बरनि नहिं जाहीं। मुनि मन मधुप बसहिं जेन्ह माहीं॥
बाम भाग सोभति अनुकूला। आदिसक्ति छबिनिधि जगमूला॥1॥




जे सुनि सादर नर बड़भागी। भव तरिहहिं ममता मद त्यागी॥
आदिसक्ति जेहिं जग उपजाया। सोउ अवतरिहि मोरि यह माया॥2॥


तिन्ह कें गृह अवतरिहउँ जाई। रघुकुल तिलक सो चारिउ भाई॥
नारद बचन सत्य सब करिहउँ। परम सक्ति समेत अवतरिहउँ॥3॥


संभु सरासनु काहुँ न टारा। हारे सकल बीर बरिआरा॥
तीनि लोक महँ जे भटमानी। सभ कै सकति संभु धनु भानी॥3॥


नमामि इंदिरा पतिं। सुखाकरं सतां गतिं॥
भजे सशक्ति सानुजं। शची पति प्रियानुजं॥6॥


उर दहेउ कहेउ कि धरहु धाए बिकट भट रजनीचरा।
सर चाप तोमर सक्ति सूल कृपान परिघ परसु धरा॥


सरसक्ति तोमर परसु सूल कृपान एकहि बारहीं।
करि कोप श्री रघुबीर पर अगनित निसाचर डारहीं॥


सो ब्रह्म दत्त प्रचंड सक्ति अनंत उर लागी सही।
पर्‌यो बीर बिकल उठाव दसमुख अतुल बल महिमा रही॥
ब्रह्मांड भवन बिराज जाकें एक सिर जिमि रज कनी।
तेहि चह उठावन मूढ़ रावन जान नहिं त्रिभुअन धनी॥


सुनत बचन उठि बैठ कृपाला। गई गगन सो सकति कराला
पुनि कोदंड बान गहि धाए। रिपु सन्मुख अति आतुर आए॥4॥


पुनि दसकंठ क्रुद्ध होइ छाँड़ी सक्ति प्रचंड
चली बिभीषन सन्मुख मनहुँ काल कर दंड॥93॥



तुम्ह समरूप ब्रह्म अबिनासी। सदा एकरस सहज उदासी॥
अकल अगुन अज अनघ अनामय। अजित अमोघसक्ति करुनामय॥3॥





The article displayed below is with the courtesy of Divya Bhaskar daily.
  • માનવીએ પૂજાવાની ખોટી ટેવ ન પાડવી, આ ટેવ સારી નથી: મોરારી બાપુ

Bhaskar News, SurendranagarOct 16, 2015, 02:39 AM I



- મેલી વિદ્યા બીજાને દુ:ખી જ કરી શકે અને પોતે પણ સુખી ન થાય
- ચોટીલામાં મોરારિબાપુનું રામકથામાં શ્રોતાઓને ઉદ્દબોધન
- માણસ પાસે કલા હોય ત્યારે તે બંધનમાં હોય છે પરંતુ વિદ્યા હોય ત્યારે તે મુક્ત હોય છે

ચોટીલા: ચોટીલામાં માનસચામુંડા રામકથામાં  પૂ.મોરારીબાપુએ કથાનાં ત્રીજા દિવસે માતાજીની પૂજા સામગ્રી, માતાજીના ખપ્પર, માનવીનાં વટ સહિત શિવ વિવાહનાં પ્રસંગો ભાવિકો પાસે રજૂ કર્યા હતાં. જ્યારે કથામાં પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે, માનવીએ પૂજાવાની ખોટી ટેવ ન પાડવી, આ ટેવી સારી નથી. ચોટીલામાં માનસચામુંડા રામકથામાં રામાયણને જીવનમાં ઉતારનારા સંત પૂ. મોરારીબાપુએ કથાના ત્રીજા દિવસે વ્યાસપીઠ ઉપર માતાજીનાં ખપ્પર અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. મા ચામુંડા ખપ્પર નથી રાખતી, અક્ષયપાત્ર રાખે છે અને તેમાં અમૃત ભરે છે. રામ કથામાં બાપુને રોજ ચિઠ્ઠીઓ આવ છે. ત્યારે એક ચિઠ્ઠીના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, મેલી વિદ્યા બીજાને દુ:ખી જ કરી શકે એન પોતે પણ સુખી ના થાય. માણસ પાસે કલા હોય ત્યારે તે બંધનમાં હોય છે. પરંતુ વિદ્યા હોય ત્યારે તે મુક્ત હોય છે.

બાપુને એક ચિઠ્ઠી આવી હતી કે અમને પૂજા ન આવડે, બધુ પૂજા સામગ્રી ન હોય તો શુ કરવું ? ચિઠ્ઠીના જવાબમાં પૂ.બાપુએ જણાવ્યું હતું કે, અત્યંત અનુરાગ  તેજ પૂજાની સામગ્રી છે. મંદિરમાં પ્રસન્ન ચિતથી પ્રવેશ કરવો. મસ્તક નમાવવુ પૂજાની બીજી સામગ્રી ન હોય તો ચિંતા ન કરવી. પૂ.બાપુએ સમાજ ઉપર આકરો કટાક્ષ કરતા કહ્યું હતુ કે માનવીએ પૂજાવાની ખોટી ટેવ ન પાડવી. આ ટેવી સારી નથી.  ચામુંડામાં કોની વહારે ચઢે ? જેનું કોઇનાં હોય તેને આ અષ્ટભૂજાળી તેડી લે બાપ બ્રહ્મ તત્વ, શક્તિ તત્વ, ધર્મતત્વ, પ્રેમતત્વ, શિવતત્વ આ પાંચ તત્વો જગતમાં વૈચારિક રૂપે સ્થાપિત છે. આ પાંચ તત્વોથી આખુ જગત આવરિત છે. રામકથામાં ગરબો ગવાતા વ્યાસપીઠ સામે તથા સમગ્ર કથા મંડપમાં બહેનોએ ગરબા લેતા કથા સ્થળમાં માતાજીની આરાધનાંનું અનુષ્ઠાન ચાલતુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.

- કથામાંથી વર્ષેલા શબ્દના પૂષ્પો

કોઇપણ માણસને તેની નબળાઈ સહિત સ્વીકારવો જોઇએ.
પડછાયા જ્યારે બહુ લાંબા દેખાય ત્યારે સમજવાનું કે હવે દિ આથમવાની તૈયારીમાં છે
અમુક વ્રત તૂટી જાય ભલે પણ કોઇનાં દિલ ના  તોડવા.
વટ મારી નાંખે, વટ સત્યનો, વટ પ્રેમનો, વટ કરૂણાનો હોવો જોઇએ. ખોટા વટનો કોઇ અર્થ નથી. 
કુંવારી કન્યાઓ જગદંબા છે.
બંને ત્યાં સુધી એવો દાવો ના કરવો કે અમે રામાયણને ઘોળીને પી ગયા છીએ. બહુ ટૂંકા પડીએ બાપ.

The article displayed below is with the courtesy of Divya Bhaskar daily.


  • કથાનું તો બહાનુ છે, મારે તો બધાને જમાડવા છે: મોરારિ બાપુ

Read the article at its source link.


-મોરારિ બાપુની કથામાં રામજન્મના વધામણા
-મોરારિ બાપુએ વિવિધ પ્રસંગોના વર્ણન સાથે રામજન્મ કરાવતા સૌકોઇ ભાવવિભોર થયા
-‘કથાનું તો મારૂ બહાનુ છે, મારે તો બધાને જમાડવા છે’ ‘ગરબો - ગરીબી જયાં સુધી ભેગા ન થાય ત્યાં સુધી ગરબો જામે નહી’
-કથા બાદ દેવીપૂજકોએ વ્યાસપીઠની આરતી ઉતારી

ચોટીલા:ચોટીલામાં માનસ ચામુંડા રામકથામાં મોરારીબાપુએ કથાના ચોથા દિવસે વિદ્યાના પ્રકાર, રૂખડ, ચારણી સાહિત્ય, ભજન, મહાકાળીની લાલઘૂમ જીભ સહિત વિવિધ પ્રસંગોના વર્ણન કર્યા હતા. બાપુએ જણાવ્યુ કે, ગરબો અને ગરીબી ભેગા ન થાય ત્યાં સુધી ગરબો જામે નહી. કથામાં શુક્રવારે રામજન્મની ઉજવણી સમયે હજારો ભકતો ભાવવિભોર બન્યા હતા.ચોટીલામાં માનસ ચામુંડા રામકથામાં દિવસે દિવસે શ્રોતાઓની સંખ્યા વધતી જાય છે. જયારે કથાના ચોથા દિવસે મોરારીબાપુએ રૂખડના નિર્માણ અને નિર્વાણ સાથે વિવિધ રસ પીરસ્યો હતો. રખડતા સાધુ અંગે બાપુએ એક શેર કહ્યો હતો કે, વો જહાં ભી રહેગા રોશની ફેલાયેગા, ચિરાગો કો કોઇ અપના મકાન નહી હોતા.

નવરાત્રિને અનુલક્ષીને બાપુએ જણાવ્યુ કે, ગરબો અને ગરીબી જયાં સુધી ભેગા ન થાય ત્યાં સુધી ગરબો જામે નહી. જયારે લોક વિદ્યા વિશે જણાવ્યુ કે, જેણે માં સરસ્વતીને વેચી નથી તેના પગલે પગલે માં મહાલક્ષ્મી ચાલશે. દુર્ગતિ એટલે નર્ક નહી અને સુગતી એટલે સ્વર્ગ નહી.દુર્ગતિ એટલે તમારી પ્રસન્નતા બંધ થઇ જાય. અને સુગતી એટલે તમારી પ્રસન્નતા દિવસ રાત વધે. ઘણા એમ બોલે કે, કથા બરાબર પણ આ રસોડા બરાબર નથી આવુ બોલનાર લોકો પર કટાક્ષ કરતા બાપુએ જણાવ્યુ કે, એકલા એકલા ખાય તેને આ ભોજન નહી સમજાય. કથાનું તો મારૂ બહાનુ છે, મારે તો બધાને જમાડવા છે. શ્રાધ્ધ બહુ ખાધા, શ્રાધ્ધ ખાઇને શ્રધ્ધાવાન બન્યા છીએ.
એ..આવોને બાપલિયા કહી આવકાર્યા

કથામાં રામજન્મની ઉજવણુ દરમિયાન સમગ્ર કથા મંડપમાં ગજબની શ્રધ્ધાના પૂર ઉમટ્યા હતા. રામકથામાં દેવીપૂજક પુરૂષો, મહિલાઓ ટોપલામાં બકાલા, દાતણ સાથે આવ્યા હતા. બાપુએ તેમને આવો બાપલીયા કહીને આવકાર આપ્યો હતો. દેવીપૂજકોએ વ્યાસપીઠની આરતી ઉતારી હતી.

રામકથાના અમૃત પુષ્પો

- ગણતરી કરે એ વેપારી હોય, ગણતરી કર્યા વગર સૌને સ્વીકારે તે બાવલીયો હોય
- આપણો પ્રપંચ વધી ગયો છે એટલે પ્રસન્નતા રોકાઇ ગઇ છે
- જેને શ્રેષ્ઠ વકતા બનવુ હોય તેને માટે કાલીની ઉપાસના જરૂરી છે
- મહાકાળીની લાલ જીભ બીવડાવવા માટે નહી આ લાલ રંગ માંનો પ્રેમ છે
- કોઇ દિવસ પ્રશસ્તિ ન કરવી, હા પ્રતિતિ જરૂર કરવી
- રામને સમાજના છેલ્લા માણસ સુધી પહોંચવુ હતુ જેથી રામ 14 વર્ષ વનમાં વિચરણ કરે છે
- સાધુ સંવાદ કરે, વિવાદ ઉભો કરે જ નહી.


  • ધર્મ - સીમાડાના નામે હિંસા બંધ કરો, તેનું કોઇ પરિણામ નથી : મોરારિબાપુ


Read the article at its source link.


- ‘ધર્મ - સીમાડાના નામે હિંસા બંધ કરો, તેનાથી કોઇ પરિણામ આવતું નથી’
- માનસ રામકથા-5: કારણ વગર ક્રોધ કરનારો હિંસક: મોરારિબાપુ
- વેરઝેરને હિંસાનું રૂપ ન આપતા, તેને મારી કામળીમાં નાંખતા જજો

ચોટીલા : ચોટીલામાં ચાલતી માનસ રામકથામાં મોરારિબાપુએ કથાના પાંચમા દિવસે અહિંસા, ગાંધીજી, બુધ્ધ, કબીર સહિત વિવિધ વિષયો ઉપર વકતવ્ય રજૂ કર્યા હતા. આથી ઉપસ્થિત અંદાજે 50 હજાર જેટલી જનમેદની મંત્રમુગ્ધ બની ગઇ હતી. આ પ્રસંગે મોરારિબાપુએ જણાવ્યુ કે, યુધ્ધના ઇતિહાસો જયારે વાંચુ છુ ત્યારે લાગે છે કે, દુનિયામાં મોટાભાગના યુધ્ધો ધર્મના લીધે થયા છે.

ચોટીલામાં મોરારીબાપુની રામકથામાં દિવસે દિવસે શ્રોતાઓ વધતા જાય છે. ત્યારે પાંચમા દિવસે મોરારિબાપુએ જણાવ્યુ કે, હું યુધ્ધના ઇતિહાસો જયારે વાંચુ છુ ત્યારે લાગે છે કે, દુનિયામાં કેટલાક યુધ્ધો મોટાભાગે ધર્મના લીધે થયા છે. તેઓએ ભાવવિભોર થઇને જણાવ્યુ કે, હવે હું તમારી પાસે એટલુ શું નામ માંગી શકુ કે, ધર્મના નામે હિંસા બંધ થાય, સીમાડાઓ માટે હિંસા બંધ થાય, હિંસાથી કોઇ પરિણામ આવતુ નથી. વેરઝેર હોય તો તેને હિંસાનું રૂપ ન આપતા.

આ બાવો ભીખ માંગે છે. મારી કામળીમાં નાંખજો. પછી જો જો માં ચામુંડા ખુશ થશે. કારણ વગરનો ક્રોધ કરનારો માણસ હિંસક છે. ઘણાનો સ્વભાવ હોય છે, ક્રોધ કરવા માટે કોઇ કારણ ન હોય તો કારણ ઉભા કરે છે. રાવણના 10 મોઢા હતા, તે સારા હતા. 10 મોઢા બહાર હતા. પણ આપણા અંદર કેટલા છે બહાર આપણે એક જ મોઢુ છે પણ અંદર ખબર નહી કે કેટલા સુખી છે. જયારે કથામાં માં તું કાળીને કલ્યાણી.. ગરબા પર ભકતોએ રાસ ગરબા રજૂ કર્યા હતા.

કથા દરમિયાન બાપુના મુખેથી વરસેલા શબ્દ પુષ્પો
- રામનામ જપનારાએ કોઇની સામે દુશ્મની ન રાખવી
- જેના જીવનમાં રામ પ્રગટે છે તેને પછી રાત જ પડતી નથી
- જેને જન્મજાત નિંદા અને વિરોધ કરવાની ટેવ હોય તે ગુરૂની પણ નિંદા કરશે
- આપણા અંદર જે માથા ઉગ્યા છે, તેને તો રામકથા જ મારી નાંખશે
- પરિક્રમા એટલે સર્વાંગી દર્શન
- મારી વ્યાસપીઠ માંને અહિંસક જોવા માંગે છે
- ભગવત ગીતા માત્ર અનાસકિત યોગ જ નથી, ભગવત ગીતા શરણાગતીનો ગ્રંથ છે.



The article displayed below is with the courtesy of Divya Bhaskar.

  • ‘હું કિન્નરો અને રાજકીય લોકો માટે કથા કરવા તૈયાર છું’: મોરારિ બાપુ


Read the article at its source link.

- દાણા નાંખવા કરતા વિધવાનાં ઘેર પાંચ કિલો ચોખા પહોંચાડો
- રામકથામાં 70 હજાર જેટલા ભકતો ઉમટ્યા

સુરેન્દ્રનગર: ચોટીલામાં માનસ ચામુંડા રામકથામાં મોરારીબાપુએ કથાના છઠ્ઠા દિવસે હવે મારે કીન્નરો માટે કથા કરવી છે, યજમાન હું ગોતી દઇશ અને માનસ રાજધર્મ નામ આપી રાજકીય લોકો માટે કથા કરવાની તૈયારી બતાવી હતી. જયારે દાણા નાંખવા કરતા વિધવાના ઘેર પાંચ કિલો ચોખા પહોંચાડો તેવી વાણી 70 હજારની મેદની સામે રજૂ કરી હતી. ચોટીલામાં મોરારીબાપુની કથામાં રવિવારે 70 હજાર જેટલા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. જયારે ઇટાલીથી બે યુવતીઓ, દેશના પ્રસિધ્ધ કિન્નર અને સોશિયલ એકટીવીસ્ટ લક્ષ્મી, ગોલ્ડનબાબા, યુકેથી બીઝનેશ માસ્ટર લોર્ડ ડોલર પોપટ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મોરારી બાપુએ જણાવ્યુ કે, કિન્નરો માટે મારે કથા કરવી છે. યજમાન હું ગોતી દઇશ. જયારે રાજકીય લોકો માટે પણ હું કથા કરવા તૈયાર છુ. જયારે તેઓએ માનસ રાજધર્મ નામ આપી રાજકીય લોકો માટે કથા કરવા તૈયારી દર્શાવી હતી. સમાજમાં ચાલતી અંધશ્રધ્ધા વિશે માર્મીક પ્રહાર કરતા તેઓએ જણાવ્યુ કે, દાણા નાંખવા કરતા કોઇ વિધવાનો એકનો એક પુત્ર ગુજરી ગયો હોય તેના ઘેર દિકરા બની તેને ઓછુ ન આવે તે માટે પાંચ કિલો ચોખા આપો તેના જેવુ બીજુ એકેય નહી. મોરારીબાપુએ જણાવ્યુ કે, મને કોઇએ ચીઠ્ઠી આપી હતી કે, તમે કયાં સુધી કથા કરવાના છો ω ત્યારે બાપુએ જણાવ્યુ કે, તમે સાંભળો ત્યાં સુધી હું ગાતો રહીશ. અને પછી આવો સવાલ પૂછનાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે, તને શું ઉતાવળ છે.

મારી ઘણી કથા સાંભળવા માટે ભગવાન તને લાંબી ઉંમર આપે. બાપુએ ક્રોધ વિશે જણાવ્યુ કે, સવારમાં ક્રોધ ન કરવો, રાત્રે ખીજ કરીને ન સુવુ. જમવા બેસીએ ત્યારે ક્રોધ ન કરવો. જપ, ધ્યાન, સત્કર્મના સમયે ક્રોધ ન કરવો. ઘરની બહાર જતા અને સાંજે ઘરમાં પ્રવેશતા સમયે ગુસ્સો ન કરવો. કથામાં ચોટીલા, ધાંધલપુરના દાઉદી વહોરા સમાજના પુરૂષો અને મહિલાઓએ વ્યાસપીઠની ગાદીને મસ્તક નમાવી વંદન કર્યુ હતુ.

કથાની અમૃતવાણી

રોજ માતા-પિતાને પ્રણામ કરો
બાળકો ગુજરાતી ભૂલી ન જાય તેનુ ધ્યાન રાખજો
કાર્યનો આરંભ પ્રસન્ન ચિતે કરવો, સફળતા મળી જાય
માણસ જેવો હોય તેવો સ્વીકાર કરો
બહુ ઉપવાસ કરીએ તો જ હરી મળે આવુ બધુ પકડાવી દેવાયુ છે
અલ્લાહ કરે, મારી માં કરે આપણે એક થઇએ
ચાલીસ પ્રકારની વાણીનું વર્ણન માનસમાં છે
બધુ જાણવા કોશીષ ન કરો, માણો

સોશ્યાલીસ્ટ - કિન્નર લક્ષ્મી કથામાં આવ્યા

ચોટીલા માનસ ચામુંડા રામકથા મંડપમાં દેશનાં કિન્નરો માટે લડતી  લક્ષ્મી  આવ્યા હતા. આથી મોરારીબાપુએ આવકાર આપતા કિન્નર લક્ષ્મીએ સોફા પર સ્થાન ગ્રહણ કર્યુ હતું. ત્યારબાદ વ્યાસપીઠની આરતી સમયે લક્ષ્મીએ આરતીમાં ભાગ લીધો હતો. આથી મોરારીબાપુએ કાળી શાલ લક્ષ્મીને અર્પણ કરી હતી.


The article displayed below is with the courtesy of Divya Bhaskar. 


  • ચોટીલામાં કિન્નર લક્ષ્મી સાથે 22 કિન્નરોએ રામકથામાં કરી આરતી


Read the article at its source link.

ચોટીલામાં કિન્નર લક્ષ્મી સાથે 22 કિન્નરોએ રામકથામાં કરી આરતી
2016મા કિન્નરો માટે મહારાષ્ટ્રના થાણેમાં રામકથા યોજવાની જાહેરાત

ચોટિલા: ચોટિલામાં ચાલી રહેલી માનસ ચામુંડા રામકથાના સાતમા દિવસે મોરારી બાપુએ 2016મા કિન્નરો માટે મહારાષ્ટ્રના થાણેમાં રામકથા યોજવાની જાહેરાત કરી હતી. કિન્નર લક્ષ્મી સાથે 22 કિન્નરોએ સોમવારે કથામાં હાજરી આપી હતી અને ત્યારબાદ વ્યાસપીઠની આરતી પણ ઉતારી હતી.

ચોટીલામાં માનસ ચામુંડા રામકથામાં સાતમા દિવસે મોરારીબાપુએ અહિંસા પર ભાર મૂકી તેઓએ અમુક દેવીઓના મંદિરોમાં આજે પણ હિંસા થાય છે તેમ જણાવ્યુ હતુ. અત્યારે કોળુ કાપે છે તે સારૂ છે, પણ વૃતિ હજુ કાપવાની જ છે. જયારે વર્ષ 2016માં કિન્નરો માટે મહારાષ્ટ્રમાં કથા થશે તે 90 ટકા નક્કી છે તેમ જણાવ્યુ હતુ. ચોટીલા માનસ ચામુંડા રામકથામાં સાતમા દિવસે મોરારી બાપુએ અહિંસા પર ભાર મૂકીને ભારે ખીન્ન હૃદય સાથે જણાવ્યુ કે, વેદકાળથી અહિંસા સ્વીકારાઇ છે. અમુક દેવીઓના મંદિરોમાં આજે પણ હિંસા થાય છે.આ માતાનું મંદિર છે કે, કસાઇખાનુ ωબાપ હવે આ બધુ બંધ કરો. હું જગદંબાને જેટલા ભાવથી વીનવુ તેટલા જ તેના ઉપાસકોને વીનવુ છુ કે, હવે આ બંધ કરો. અત્યારે યજ્ઞમાં કોળુ કાપે છે તે સારૂ છે, પણ વૃતિ હજુ કાપવાની જ છે. કોળા પણ બંધ કરો. અને હોમવુ જ હોય તો આખુ કોળુ હોમી દો. કાપવાની વૃતિ જ બંધ કરો. જયારે તમારા વડવાઓને, પિતૃઓને યાદ કરતી વખતે આંખમાં આંસુ આવે તેવા જેવુ બીજુ કોઇ તર્પણ ન હોવાનું મોરારીબાપુ જણાવ્યુ હતુ.

કિન્નરોને તુલસી, સાધુસંતોએ સ્વીકાર્યા છે, કિન્નર સમાજને કુંભમાં પ્રવેશ છે. કિન્નર સમાજની કથા મહારાષ્ટ્રના થાણેમાં થશે તેવો સર્વાનુમતે નિર્ણય છે. વર્ષ 2016ના અંતમાં 90 ટકા કથા થશે. જયારે ચોટીલાના પાંચાળના સૂરજદેવળ મંદિરનો ઉલ્લેખ કરીને મોરારીબાપુએ જણાવ્યુ કે, સૂરજદેવળ રામાયણનું કેન્દ્ર ગણાતુ હતુ. એક સમયે ત્યાં રામચરિત માનસ ભણાવાતુ હતુ. કથાના સાતમા દિવસે મુંબઇના 22 કિન્નરો સહિત કિન્નર લક્ષ્મીએ હાજરી આપી હતી. આ કથા બાદ તમામ કિન્નરોએ વ્યાસપીઠ પર આરતી ઉતારી હતી.

The article displayed below is with the courtesy of Divya Bhaskar.


  • ‘આત્મહત્યા એ સમસ્યાનું સમાધાન નથી, યુવાનો થોડું સહન કરતા શીખે’


Read the article at its source link.

- ‘આત્મહત્યા એ સમસ્યાનું સમાધાન નથી, યુવાનો થોડું સહન કરતા શીખે’
- માનસ ચામુંડા કથા-8: મારો આદર્શ હુ છુ, મારે મારા સુધી પહોંચવુ છે: બાપુ
- હું તો મારા ગુરૂના આદેશના લીધે પૈસા નથી લેતો : મોરારિબાપુ

ચોટીલા: ચોટીલામાં માનસ ચામુંડા રામકથાના આઠમા દિવસે મોરારીબાપુએ વિવિધ વિષયો પર અને માતાજીના ગરબાના અર્થની વિસ્તૃતાથી સમજાવી હતી. જયારે બાપુએ ખાસ કરીને લોકોની ઘટતી સહન શકિત વિશે જણાવ્યુ કે, યુવાનોને થોડુ સહન કરવુ જોઇએ, આત્મહત્યા એ જીવનની સમસ્યાનું સમાધાન નથી.

ચોટીલા માનસ ચામુંડા રામકથાના આઠમા દિવસે મોરારીબાપુએ કિન્નરો અંગે જણાવ્યુ કે, સમાજનો એક તિરસ્કૃત વર્ગ અને પરિવારે જેઓને કાઢી મૂકયા છે તે કિન્નર બહેનોએ કાલે સાંજે કાર્યક્રમમાં નૃત્યગાન કર્યુ હતુ. તેમાં હું મારો રાજીપો લઉ છુ. જયારે અત્યારના દંભી લોકો અંગે તેઓએ રોષ સાથે જણાવ્યુ કે, ઘણા એમ બોલે છે કે, અમે પણ કથાના પૈસા લેતા નથી. ફકત પોથી લઇને જ આવુ અને જાઉ છુ. પણ તે કવર લઇ લીધુ તેનું શુ? નકલ બંધ કરો.

મોરારીબાપુએ પોતાની અંગત વાત શ્રોતાઓને કહી હતી કે, હું તો મારા ગુરૂના આદેશના લીધે પૈસા નથી લેતો. શરૂઆતમાં છેલ્લા દિવસે જે આવે તે લઇ લેતો હતો. રૂપિયા 10 દક્ષિણા મળતી તે પણ હું લઇ લેતો હતો. જયારે બાપુએ ખાસ કરીને લોકોની ઘટતી સહન શકિત વિશે જણાવ્યુ કે, યુવાનોને થોડુ સહન કરવુ જોઇએ, આત્મહત્યા એ જીવનની સમસ્યાનું સમાધાન નથી. તેઓએ સમાજના વિદ્યાધરો, વિવિધ ક્ષેત્રના કલાકારો, લોકગાયકોને ખાસ જણાવ્યુ કે, તમે જે કલા રજૂ કરો છો તેના પ્રમાણમાં તમને કોઇ આપતુ જ નથી.

સમાજનું પણ કર્તવ્ય છે કે, ત્રણ ગણુ આપવુ જોઇએ. હું વિનંતી કરૂ છુ કે, પૂરેપૂરા પૈસા લેજો. કોઇએ મને પૂછ્યુ કે, તમારો આદર્શ કોણ છે તો કહુ છુ કે, મારો આદર્શ ખુદ છુ. મારે મારા સુધી પહોંચવુ છે. કથામાં તમામ વર્ગના ધર્મોના ભગવાનના નામની ધૂન બોલાવી હતી. માતાજીના ડાક વાગ્યા, ડુંગરા ડોલવા લાગ્યા, ભૂતડા લાગે તે ગરબાનોનો અર્થ સમજાવતા કહ્યુ કે, નબળા અને વિકૃત વિચાર એ ભૂત છે. અંદરના રાગ અને દ્વેશ રૂપી ભૂતડા ભાગે તે ડાક છે.

કથામાં અમૃતવાણી

સમાજ સાધુને સાધન ન બનાવો, સાધુ સમાજનું સાધ્ય છે
કલાકારે ઉનના લાલ-પીળા આસન પર ન બેસવુ, કાયમ નમ્રતાના આસન પર બેસવુ
મારો સ્વભાવ જેને અનુકૂળ ન પડે તેને જગતમાં બીજાનો સ્વભાવ અનુકૂળ ન પડે
પૂરો પરિશ્રમ કર્યા પછીની નીંદ્રા એ સમાધી છે
હું એક એક કળાનો ચાહક અને ભાવક છુ
યુવાનીમાં શિવ સ્તુતી કરશો તો બળ, બુધ્ધી અને વિદ્યાનો વધારો થશે
બુધ્ધ પુરૂષ એ કહેવાય છે તમને બાંધે નહી પણ પ્રબુધ્ધ બનાવી દે
સત્ય, પ્રેમ, કરૂણા મારી દૃષ્ટીએ આધ્યાત્મીકનો ત્રિકોણ છે.

The article displayed below is with the courtesy of Divya Bhaskar.

  • પાંચાળમાં જ્ઞાતિઓ વચ્ચે વેરઝેર ચાલે છે ત્યારે સમાજ સુખદ ઉકેલ વિચારે: બાપુ


Read the article at its source link.


- ચોટીલામાં માનસ ચામુંડા રામકથાનો વિરામ પ્રસંગે ભાવુક બન્યા

ચોટીલા: ચોટીલા માનસ ચામુંડા રામકથાનો વિરામ નવમાં દિવસે થયો હતો. ત્યારે પૂ. મોરારીબાપુએ વ્યાસપીઠ ઉપરથી કરૂણસભર અવાજે કોળી અને ભરવાડ જ્ઞાતિ વચ્ચે ચાલી રહેલા વેરમાં જ્ઞાતિનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, આ પંથકમાં અમુક જ્ઞાતિઓ વચ્ચે વેરઝેર ચાલે છે. ત્યારે સમાજ કંઇક સુખદ ઉકેલ માટે જરૂર વિચાર. મારૂ નમ્ર નિવેદન છે કે વિચારજો ઉકેલ માટે હું પણ કલાક ટાઇમ કાઢી આવીને ઉભો રહીશે.

ચોટીલામાં માનસ ચાંમુડા રામકથાનું નવમા દિવસે સમાપન થયુ હતું. ત્યારે પૂ. મોરારીબાપુએ કોઇપણ ગામ કે જ્ઞાતિનું નામ લીધા વગર વ્યાસપીઠ ઉપરથી ખૂબ જ કરૂણાસભર અવાજે ભીના હૃદયે શ્રોતાઓને કહ્યુ કે, નવ દિવસ હું રોજ સાંજે આ પંથકનાં ગામડાઓાં કોળીના ઘેર, ભરવાડના ઘેર, રબારીના ઘેર રોટલા ખાઉં છું. મારૂ નમ્ર નિવેદન છે કે,વિચારજો આના ઉપર તમે. આ રામકથા સાંભળ્યા બાદ એક સંકલ્પ ના કરી શકો કે અમે બધાને જોડી દઇએ? પાંચાળ પ્રદેશ દેવતાઓ, સિધ્ધ પુરૂષો, સંતોની ભૂમિ છે. ઉકેલ માટે વિચારજો હું પણ ગમે તેમ કરી કલાક ટાઇમ કાઢીને આવીને ઉભો રહીશે.

પૂ. બાપુએ કથામાં કઇ વસ્તુઓ મંગલ ગણાય તે અંગે જણાવ્યું કે, શુધ્ધ પુરૂષનાં ચરણ,સોનું હોય તો મંગલ સ્પર્શ કરો. નદીનો સ્પર્શ, આપણા વડીલોની યાદગીરી પાઘડી, કેડીયાને સવારમાં સ્પર્શ કરવો તે મંગલ ગણાય.કોઇ સિધ્ધપુરૂષનું વસ્ત્ર, ગમચો મંગળ કહેવાય. ગાય માતાનો સ્પર્શ, અને નાની બાળકી જગદંબાનું સ્વરૂપ છે. આ જગદંબાનાં રૂપને મંગલ સ્પર્શ કરવો. જ્યાં શાસ્ત્રીની ચર્ચા થતી હોય ત્યાં પાંચ દશ મિનિટ આપવી તે મંગલ છે.

પૂ. બાપુએ જણાવ્યું હતું કે, આટલા દિવસો સૌએ શાંતિથી કથા સાંભળી, નવ દિવસ બધાએ ખૂબ સેવા કરી તે બધાને મારા સાધુવાદ. 56 વર્ષના અનુભવમાં એમ જ કહું છુ કે આમા બધા નિમિત બનતા હોય છે. કોઇ શક્તિ કામ કરતી હયો છે. મા ચામુંડાનાં આશ્રયે માનસનું ગાયન કરવુ તેવુ મારા મનમાં બીજ રોપાયુ હતું. પૂ. બાપુએ ચોટીલાની તેમની આ રામકથા ચામુંડા માતાજીને અર્પણ કરી હતી. રામકથાના છેલ્લા દિવસે તમામ શ્રોતાઓ પણ આ પ્રેમયજ્ઞનાં વિરામ વખતે ભાવુક બની રડી પડયા હતાં.

રામકથામાં અમૃતવાણી

- શાંતિના જ્યાં ઠેકાણા છે ત્યાં મા વસે છે, પ્રગટરૂપે કે અપ્રગટ રૂપે વસે છે.
- અયોધ્યામાથી રામ જાય પણ રામ કોઇનાં હૈયામાંથી જાતો નથી.
- ઘણાનાં ધન વધ્યા પણ બાદમાં જેમ જેમ ધન વધ્યુ એટલે મન ટૂંકા થયા.
- નવ દિવસ રાત્રે મારા ગંગાજળમાથી રોટલા ખાધા ત્યારે જોયુ ગામડાના માણસોનાં મન બહુ મોટા છે.