Translate

Search This Blog

Tuesday, October 27, 2015

ગાયમાતાની સેવા ગંગાસ્નાન અને યમુનાપાન સમાન છે, માનસદર્શન, મોરારિબાપુ

ગાયમાતાની સેવા ગંગાસ્નાન અને યમુનાપાન સમાન છે




  • બને તો ગાય પાળવી જોઇએ. ગાય પાળવાની ક્ષમતા ન હોય તો ગાયની ચીજવસ્તુનો ઉપયોગ જરૂરથી કરવો જોઇએ



  • રામકથા સ્વયં સુરધેનુ છે. કામદ ગાય છે. રામાયણમાં ગાયને ક્યારેક સુરધેનુ કહીને, ક્યારેક કામદ કહીને, ક્યારે ગૌ કહીને, ક્યારેક સુરભિ કહીને ગૌમતાનો મહિમા ગાયો છે. 



  • અમારે પૂજનીય દત્તશરણાનંદજી મહારાજ ગાયોની વાત આવે ત્યારે સ્પષ્ટ કહે કે ગોસેવા કેવળ વિચારાત્મક ન હોવી જોઇએ. ગોસેવાની પ્રવૃત્તિ સમાજમાં રચનાત્મક બનવી જોઇએ. 

  • સમાજમાં ઘણીવાર લોકો વિચારાત્મક બને છે પરંતુ પછી રચનાત્મક રહી શકતા નથી. 



  • ગુજરાતના બહુ જ મોટા વિચારવાન વ્યક્તિ ગુણવંત શાહ બાંગ્લાદેશ ગયા ત્યારે એમણે ત્યાંથી મને એક વાત કરેલી કે બાપુ, હું એ વાતે હેરાન છું કે આ મુસ્લિમ દેશોમાં માત્ર ગાયનું જ દૂધ પીવામાં આવે છે. ગાયનું જ ઘી વપરાય છે. ગાયનાં બધાં દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે શા માટે ચૂકી જઇએ છીએ? અને વાત એવી કોઇ મોટી નથી. આપણે બધા પોતપોતાના સ્તરે ઇમાનદારીથી કામ કરીએ. કથા સાંભળવાથી સ્વર્ગ મળી જાય તો એમાં મને કોઇ મુશ્કેલી નથી પરંતુ કથા સાંભળ્યા પછી આપણે અહીં સ્વર્ગ નિર્મિત કરવું છે એ મારું કર્તવ્ય છે. મારી તો સ્વર્ગમાં કઇ રુચિ નથી. રાજેન્દ્ર શુકલની પંક્તિઓ છે કે


‘હું તો ધરાનું હાસ છું, હું પુષ્પનો પ્રવાસ છું
નથી તો ક્યાંય પણ નથી, જુઓ તો આસપાસ છું
નિષેધ કોઇને નહીં, વિદાય કોઇને નહીં
હું શુદ્ધ આવકાર છું. હું સર્વનો સમાસ છું’


  • દેશનો યશ બચે, દેશની ગાય બચે, યમુનાનો નિરંતર પ્રવાહ બચે. આજે વ્રજમંડલની પણ એ જ તો મોટી સમસ્યા છે. અનેક સંસ્થાઓ, સંતો એ માટે પ્રવૃત્ત છે. વ્યાસપીઠ પરથી રાજપીઠને હું કહેવા માગું છું કે અમે થોડામાં ગુજારો કરી લઇશું, પરંતુ મહેરબાની કરીને અમારા પાવન પ્રવાહને બંદી ન બનાવો.




  • ગંગાના શુદ્ધિકરણની યોજના કરવામાં આવી હતી. સારી વાત છે. એને તત્કાળ ક્રિયાન્વિત કરવામાં આવે. ગિરિરાજનું શુદ્ધિકરણ, વ્રજચોરાસી કોષનું શુદ્ધિકરણ, યમુનાના નિરંતર પ્રવાહનું જતન થવું જોઇએ. આજે લોકો જે તે વસ્તુઓ યમુનામાં નાખતા હોય છે. આપણે યાત્રાળુઓ પણ જે તીર્થોમાં જઇએ ત્યાં એ તીર્થોને અશુદ્ધ ન કરીએ. જ્યાં ત્યાં કચરો ન નાખીએ ગમે ત્યાં ગંદકી ન કરીએ એનું આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. તીર્થધામને સ્વચ્છ રાખવું એ આપણી બધાની ફરજ છે. તીર્થ અપરાધ સારો નથી. આપણા દેવસ્થાન, તીર્થસ્થાન, પવિત્રસ્થાન, પવિત્રપ્રવાહની શુદ્ધિકરણની જવાબદારી આપણી છે.



  • તીર્થની સેવા સાથે ગાયની સેવા થવી જોઇએ. મને આનંદ છે નાનપણથી મારી કથાઓ સાંભળનારા મારા ઘણા શ્રોતાઓ આવી અનેક સંસ્થાઓમાં એમનું સંપૂર્ણ જીવન સમર્પિત કરે છે. પ્રસિદ્ધિથી મુક્ત થઇને સેવાના કામમાં લાગેલા છે. મારી પુન: સર્વને પ્રાર્થના છે કે સુવિધા હોય તો ગાયને પાળજો. જો અનુકૂળ ન હોય તો ગૌશાળાની એક-બે ગાય હેસિયત પ્રમાણે દત્તક લેવી જોઇએ.



  • ગાય તો રાષ્ટ્રનો શણગાર પણ છે અને સુરક્ષા પણ છે. જે ઘરમાં ગાય વસે છે ત્યાં દેવતાઓ વસે છે. 



  • વર્ણાશ્રમની આપણી જે પવિત્ર વ્યવસ્થા છે એ મુજબ ગાયોમાં સર્વ વર્ણ સમાહિત છે. ગાયોમાં બધા જ આશ્રમનાં દર્શન થાય છે. ગાય જો એક જ કોમની હોય કે એક જ ધર્મ સાથે જોડાયેલી હોય તો પછી વિદેશી લોકો પણ ગાયના દૂધનો ઉપયોગ શા માટે કરે છે? ગાય આપણો આત્મા છે. આત્મા હોવાને નાતે ગાય પ્રિય હોવી જોઇએ. ગાય વિશ્વનો આત્મા છે. જેમ ગવર્નમેન્ટ બાય ધી પીપલ. ફોર ધી પીપલ. ફ્રોમ ધી પીપલ, એમ ગાય લોકો માટે છે. લોકો દ્વારા પૂજિત છે. એક બહુ જ મોટા વિદ્વાને મને કહ્યું હતું કે બાપુ આપણે ગાયનું પાલન કરીશું, ગાય આપણા પરિવારનું પાલન કરે છે. જે દેશમાં જે રાષ્ટ્રમાં ગાયની સેવા થતી હશે એ રાષ્ટ્ર સમૃદ્ધ બને છે. આફ્રિકાની પ્રજાના એક વર્ગમાં જ્યારે લગ્ન થાય છે ત્યારે છોકરા પાસે કેટલી ગાયો છે એવું પૂછવામાં આવે છે. ગાય અર્થનું મૂળ છે. ગાય ઉપર સંશોધન થઇ રહ્યું છે. અને એ રીતે આખો દેશ ચાલે છે. ગાય તો ગંગા-યમુનાનો નિત્ય સંગમ છે. ગાયની સેવા એ તો ગંગાસ્નાન અને યમુનાપાન છે. 

સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ


Read full article at Sunday Bhaskar.


Friday, October 23, 2015

પોરબંદર આવ ઈશ્વર, તને સરગ દેખાડું શામળા

The article displayed below is with the courtesy of Divya Bhaskar daily and its author Shree Kanti Bhatt.

પોરબંદર આવ ઈશ્વર, તને સરગ દેખાડું શામળા

Read the article at its source link.


સ્ટેનીસ્લો નામના રશિયન ફિલોસોફરે કટાક્ષમાં સરસ વાત કરેલી કે ઈશ્વર પાસે સ્વર્ગની પ્રાર્થના કે ડીમાન્ડ કરશો નહીં. એવું કરશો તો ભગવાન તમને સ્વર્ગ, હેવન કે પેરેડાઈઝનો અઘરામાં અઘરો રસ્તો બતાવશે. પ્રેક્ટિકલ દૃષ્ટિએ જોઈએ તો મેં સાંભળેલું કે ભાઈશ્રી રમેશ ઓઝાએ પોરબંદરમાં તેમના સાંદીપની આશ્રમમાં સ્વર્ગ ઉભુ ર્ક્યુ છે. અમે પોરબંદરમા ભાઈશ્રી રમેશભાઈએ સ્વર્ગ ખડું ર્ક્યુ તે જોવા ગયા તો ચાર-પાંચ કલાક ત્રણ-ત્રણ એરપોર્ટ ઉપર ગાળવા પડ્યા અને ચાર કલાકે માંડ માંડ ભાઈશ્રી રમેશનો સાંદીપની આશ્રમ જોયો અને કાન પકડયો કે ત્યાં તેમણે ખરેખર સ્વર્ગ ખડું ર્ક્યુ છે.

પ્રથમ વાત તો એ કે અમે પહોંચતા હતા ત્યારે રમેશભાઈ વ્યાસપીઠ ઉપર બેસીને 5000ની શ્રદ્ધાળુ ઓડીયન્સ જેમાં બહેનોની મેજોરીટી હતી અને રમેશભાઈ શાસ્ત્રીય રાગથી ‘શ્રી રામ ચરીત માનસ’ કંઠસ્થ હતું તે અને સંગીત સાથે ગાતા હતા તે હું પણ સાંભળી રહ્યો. હું તો મુગ્ધ થઈને સાંભળવા લાગ્યો. મારો મુસાફરીનો તમામ થાક ઉતરી ગયો. મારા હાથમાં ગીતા પ્રેસ ગોરખપુરનું અસ્સલ સંસ્કૃતમાં શ્રી રામચરીત માનસનું પુસ્તક આવ્યું તેની આજ સુધીમાં 48 લાખ નકલો છપાઈ ગઈ છે. બીબીસી ટીવી ચેનલે રામચરીત માનસ ઉપર લાંબી ટીપ્પણી પ્રગટ કરી છે. યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસર ડો. ફીલીપ લુજેનડોર્ફ પાસે રામચરીત માનસ ઉપર વિદ્વતાપૂર્ણ વિવરણવાળું પુસ્તક લખાવ્યું છે. ભાઈશ્રીએ તો મને અને પત્રકાર દેવાંશુને શ્રી રામ ચરીત માનસ મફ્ત- ભેટ આપ્યું. પણ આજે ડો. ફીલીપ લુજેનડોર્ફનું અંગ્રેજીમાં લખેલું ‘ધ લાઈફ ઓફ ટેકસટ- તુલસીદાસઝ રામ ચરીત માનસ’ જે 73.95 ડોલર એટલે કે 51 સ્ટર્લીંગ પાઉન્ડ એટલે કે રૂ. 4885નું આવે છે તે દુર્લભ છે. આઉટ ઓફ પ્રીન્ટ છે.

અહીં ઘણા બધા વિદ્વાનો (જેના ઘણાના નામ હજી લખવા બાકી છે જે રામ ચરીત-માનસના ર્ખાં છે)ને પડતા મુકીએ તો પોરબંદરના સમુદ્ર કાંઠાથી 6 માઈલ દૂર શાંત વાતાવરણમાં ભાઈશ્રી શ્રી રામચરીત માનસનું અસ્સલ સંસ્કૃતમાં રાગ અને આઠેક સંગીતકારોના સંગીત સાથે પઠન કરતા હતા ત્યારે પત્રકાર તરીકેનું મારું જગતની પંચાત કરતું ‘પાપીયુ’ મન શાંત થઈ ગયું અને ભાઈશ્રીના રામચરીત માનસના પઠનનો મંડપ છોડ્યા પછી 42-42 કલાક સુધી મારા મનમાં રામ ચરીત માનસનુ પઠન ગુંજતુ રહ્યું. એ તો તમારે જાતે જ એ રામચરીત માનસ તમારે પોતે સાંભળવું જોઈએ. તેનું વર્ણન તો ફોફા ખાંડવા જેવી વાત છે.

મૂળ બેલ્જિયમના દાઢીધારી વિદ્વાન જે 73ની વયે 17-8-1982ના ગુજરી ગયા છે. તેને મોઢે આપણે રામચરીત માનસની પ્રશંસા સાંભળ‌વી જોઈએ. તમે સાંભળ્યુ હશે કે મુકેશ અંબાણી અને નાના ભાઈ અનિલ અંબાણી વચ્ચેની ખટાશને ભાઈશ્રી રમેશભાઈએ મીઠાશમાં પલટાવી છે. પણ મને સૌથી મોટી વાત મૂળ બેલ્જિયમના ફિલોસોફર ડો. કેમિલ બલ્કની લાગે છે. આ ડો. કેમિલ બલ્ક સાહેબને ભારત ગમી ગયું અને તેના બેલ્જિયમના રામસ્કલીપીલ ગામથી ભારતમાં આવ્યા. તેણે મહેણું માર્યું કે ઈન્ડિયાના ઘણા એજ્યુકેટેડ માણસો તેની દેશની કલ્ચરલ સમૃદ્ધિ જાણતા નથી. 45 કરોડ લોકો આ લખાય છે ત્યારે નવરાત્રમાં નાચે છે. દુર્ગા અને અન્ય માતાજીના રાસડા લે છે. રોજ રામની માળા ફેરવે છે. ડો. કેમિલ બલ્કે કલકતા યુનિ.માં સંસ્કૃતિનો અભ્યાસ ર્ક્યો. અને સાંભળો-તેણે થીસીસ- મહાનિબંધ તરીકે ‘રામચરીત માનસ કે રામ કથા કા વિકાસ’ના વિષયને પસદ કરીને રામચરીત માનસમાં પીએચડીની ડિગ્રી મેળવી.

ઘણા ભાઈશ્રી રમેશના પ્રેમી કહેશે કે તમે ઉપર બધી પરદેશના ફિલોસોફરોની પંચાત કરી પણ ભાઈ રમેશ વિશે લખ્યુ નહીં! ભાઈશ્રી વિશે અનેક પૂસ્તકો લખાય છે તે વાંચી લેજો. હું તે રીપીટ નહીં કરું. મેં પણ 2009માં ભાઈશ્રીનું પૂરું જીવન ચરીત્ર લખ્યુ છે. હું ફરી ફરી કહેતો રહીશ કે તમે ભાઈશ્રી રમેશ માટે નહીં, તમારા કલ્યાણ માટે તમારી ચિત્તશાંતિ માટે તમારી પત્ની, ભાઈ, માતા-પિતાએ તમામ પ્રત્યે આદરભાવ અને પ્રેમ વધારવો હોય તો જરૂર એક સપ્તાહ પોરબંદરના સમુદ્ર કાંઠાની હવા ખાવા સાથે રામચરીતના પાઠ ભાઈશ્રી વ્યાસપીઠ ઉપર બેસીને પઢતા હોય તે તેના મોઢેથી ભક્તિપૂર્વક સાંભળી આવો. મારી ગેરંટી છે કે તમને અદભુત શાંતિ અને પ્રેમભાવ પેદા થશે. ભાઈશ્રીએ મોરારી બાપુ જેટલી જ રામ કથા કે ભાગવત કથા કે રામ ચરીત માનસ પર પ્રવચનો ર્ક્યા છે. સંખ્યા અગણિત છે.

ડરબન (સાઉથ આફ્રિકા)માં એકતા મંદિરની સ્થાપના થઈ ત્યારે ભાઈશ્રીને જોવા અને સાંભળવા સાડા સાત લાખ લોકો ડરબન આવેલા. રમેશભાઈ પણ મોરારી બાપુની જેમ સાદુ ભોજન (દહીં રોટલો) લે છે. ભાઈશ્રી સુક્ષ્મ ભોજન લે છે. મુળ કાઠિયાવાડના છે એટલે રોટલાનુ શિરામણ કરતા. નોર્વેના ઓસ્લો શહેરમાં ગયા તો તેમનાથી બોલાઈ ગયુ કે તેમને બાજરાનો રોટલો દહીં સાથે રીગણાનો ઓળો ભાવે છે તો ઓસ્લો- નાર્વેવાસીઓએ રોટલો જમાડેલો. રમેશભાઈ જો યુરોપમાં કોઈ પણ શહેરમાં ભગવત કથા- રામ કથા કરે તો 45 જેટલા યુરોપના શહેરોમાથી ગુજરાતીઓ ઉમટી પડે છે. ફિલ્મલાઈનના સુપર સ્ટારો છે તેમ રામ કથાના સુપર સ્ટારોમાં રમેશભાઈ અને મોરારી બાપુ છે. તેમને પગલે તમે ભૂપેન્દ્ર પંડ્યા અને યોગેન્દ્ર ભટ્ટના નામ લઈ શકો. પણ ભાઈશ્રીનું અંગત જીવન રહનસહન અને વાણી ખરેખર અદભુત તેમનું દર્શન- શાંતિદાતા છે.

Thursday, October 22, 2015

ત્રેતાયુગમાં રાવણને મરાયાને આજે 9307 વર્ષ પૂર્ણ થશે

The article displayed below is with the courtesy of Divya Bhaskar.


ભાવનગર: ત્રેતાયુગમાં રાવણને મરાયાને આજે 9307 વર્ષ પૂર્ણ થશે

Read the article at its source link.

- રામાયણ એક ઐતિહાસિક ઘટના છે
-કમ્પ્યૂટર સોફ્ટવેરના અધારે ડો.પી.વી. વર્તકે કરેલી ખગોળીય ગણતરી : ગ્રહો-નક્ષત્રોના આધારે કરાયેલી ગણતરી

ભાવનગર:તા.22 ઓક્ટોબરને ગુરૂવારે રાવણ વધનો વિજય દશમીનો તહેવાર ઉજવાશે. કાળની ગણતરી પ્રમાણે લંકાના રામ-રાવણના મહાયુદ્ધમાં રાવણ વધને 9307 વર્ષ પૂર્ણ થશે.
 ખગોળશાસ્ત્રએ વિશ્વનું પ્રથમ અને જુનામાં જુનું વિજ્ઞાન છે. ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ સમાન ખગોળશાસ્ત્ર એ આપણી સાંસ્કૃતિક ધરોહર પણ છે. પૃથ્વી ઉપરનાં ગગનમંડળમાં ફરતા ગ્રહો જે રાશિ-નક્ષત્રોમાં ભ્રમણ કરે છે. તેના આધારે પૃથ્વી ઉપર બનતા બનાવોના સમયને (કાળ)ને નોંધવાની અદ્દભૂત પદ્ધતિ આપણા ઋષિમુનીઓએ શોધી કાઢ્યું હતુ.

વિશ્વના અનેક કેલેન્ડરોના આધાર બદલાયા કરે છે. પરંતુ બ્રહ્માંડમાં વિચરતા ગ્રહોને નક્ષત્રોને આધારે નિર્ધારિત કરેલ સમય કદી પણ બદલાતો નથી. અને આથી જ પ્રત્યેક ધર્મકાર્યની શરૂઆતમાં જે સંક્લ્પ લેવામાં આવે છે તે બનાવના સમયે નોંધવાની જ પ્રક્રિયા છે એમ જણાવતા ખગોળ પ્રેમી પ્રા.સુભાષભાઈ મહેતા વધુમાં જણાવે છે કે આવતી કાલે  દશેરાની ઉજવણી છે ત્યારે વાલ્મીકી રામાયણના બાલકાંડ, અયોધ્યાકાંડ, કિષ્કીંધાકાંડ, સુંદરકાંડ, અરણ્ય કાંડ, યુદ્ધકાંડમાં બનતા પ્રસંગો સમયે જે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિનું વર્ણન કરેલ છે.

તેને કમ્પ્યુટર સોફ્ટવેરના આધારે પાછળ લઈ જઈને મેળવાયેલ સંકલિત તારીખો જે ડો.પી.વી. વર્તકના લેખના આધારે તારવવામાં આવેલું છે. જેઓએ મરાઠીમાં વાસ્તવ રામાયણ લખી છે. તેમાંની થોડી તારીખો વાચકની રસવૃત્તિ માટે પ્રસ્તુત છે. દરેક તારીખ ‘ઈશુ સદી’ પહેલા (બીફોર ક્રાઈસ્ટ (બીસી)ની છે. જેમાં 2015 ઉમેરતા વર્તમાન સમય સાથેની મળશે.જેમ કે ભગવાન શ્રી રામનો જન્મ 7323(બી.સી.)માં થયેલો અને હવે તેમાં 2015 ઉમેરો એટલે શ્રી રામનો જન્મ આજથી 9338 વર્ષ પહેલા થયેલો તેમ
કહી શકાય.

રામાયણની કાળ ગણતરી
પ્રસંગ    તારીખ
ભગવાન શ્રી રામનો જન્મ    તા.4-12-7323 (બીસી)
શ્રી રામે 17 વર્ષ પૂરા કર્યા    તા.4-12-7306
શ્રી રામ-સીતાના લગ્ન    તા.7-4-7307
શ્રી રામનો વનવાસ    તા.29-11-7306
શ્રી હનુમાનજીનો લંકા પ્રવેશ    તા.1-9-7292
સમુદ્ર ઉપર સેતુબંધ બંધાયો    તા.26/30-10-7292
યુદ્ધની શરૂઆત    તા.3-11-7292
કુંભકર્ણ મરાયો    તા.7-11-7292
રાવણ મરાયો    તા.15-11-7292
કુલ તેર દિવસ યુદ્ધ ચાલેલુ     ---
શ્રી રામનું અયોધ્યા પુનરાગમન-તા.6-12-7292

Wednesday, October 14, 2015

માનસ ચામુંડા

રામ કથા

માનસ ચામુંડા

ચોટિલા, જિ. સુરેન્દ્રનગર, ગુજરાત

મંગળવાર, તારીખ ૧૩-૧૦-૨૦૧૫ થી ગુરૂવાર, તારીખ ૨૨-૧૦-૨૦૧૫

મુખ્ય પંક્તિ

जोगिनि भरि भरि खप्पर संचहिं     । 

भूति पिसाच बधू नभ नंचहिं       ॥

भट कपाल करताल बजावहिं      । 

चामुंडा नाना बिधि गावहिं      ॥

....................................................................  6/87/7/8


योगिनियाँ खप्परों में भर-भरकर खून जमा कर रही हैं। भूत-पिशाचों की स्त्रियाँ आकाश में नाच रही हैं।

चामुण्डाएँ योद्धाओं की खोपड़ियों का करताल बजा रही हैं और नाना प्रकार से गा रही हैं॥4॥




મંગળવાર, ૧૩-૧૦-૨૦૧૫

The article displayed below is with the courtesy of Divya Bhaskar daily.


બલી પ્રથા બંધ કરો, અેનું પાપ મને આપજો: મોરારિબાપુ


Bhaskar News, Surendranagar



Read the article at its source link.


- સુરેન્દ્રનગરના ચોટીલામાં મોરારીબાપુની માનસ ચામુંડા રામકથાનો શુભારંભ થયો

- વજુભાઇ વાળા, સાંસદ દેવજી ફત્તેપરા, ધારાસભ્યો અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા

ચોટીલા: ચોટીલામાં નવરાત્રિના પ્રારંભ સાથે પ્રખર રામાયણી મોરારિબાપુની માનસ ચામુંડા રામકથાનો શુભારંભ સાંજે થયો હતો. આ પ્રસંગે કર્ણાટકના રાજયપાલ સહિત સંતો મહંતો તથા હજારો ભાવિકોએ ખાસ હાજરી આપી હતી. જયારે બાપુએ કથામાં નવરાત્રીના દિવસોમાં બલી પ્રથા બંધ કરવાનું જણાવ્યુ હતુ. ચોટીલામાં પ્રખર રામાયણી અને રામનામને જીવનમાં ઉતારનાર પ્રસિધ્ધ સંત મોરારિ બાપુ દ્વારા માનસ ચામુંડા રામકથાનો ભવ્ય શુભારંભ થયો હતો. મોરારિ બાપુએ આઇયે હનુમંત બીરાજીએ, કથા કહુ મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરૂ, પધારીયે પવનકુમારના ગાન સાથે કથા પ્રારંભ કરી હતી.

કથામાં બાપુએ જણાવ્યુ કે, એકાદ વખત ચામુંડા માતાના ચરણોમાં બેસીને નવ દિવસીય અનુષ્ઠાન કરવાની ઇચ્છા હતી. જયાં જયાં બલી ચઢાવાતી હોય આ દિવસોમાં ત્યાં બલી પ્રથા બંધ કરો. આવી જ બધી પ્રથા બંધ થવી જોઇએ. આ બંધ કરવાથી જે પાપ લાગે તે મને આપજો. પણ જીવ હિંસા ન કરવી જોઇએ. બિલકુલ શુધ્ધ ઉપાસના થાય તે જરૂરી છે. આપણે બહુ જ બેહોશીમાં જીવી રહ્યા છીએ. આવા પવિત્ર દિવસોમાં આપણી જાગૃતિ વધે તો આ વિશ્વ વધુ રૂપાળુ થઇ શકે છે. મૂર્છામાંથી બહાર આવવાના આ દિવસો છે. હોંશમાં આવવાના આ દિવસો છે.

મોરારીબાપુએ ઉપસ્થિત શ્રોતાઓને ખાસ નિમંત્રણ આપતા જણાવ્યુ કે, રામકથા ભજન અને ભોજનનો મહાયજ્ઞ છે. જગદંબાનો પ્રસાદ લેવા જરૂર આવજો. આ કથામાં કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા, સાંસદ દેવજીભાઇ ફતેપરા, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ, કિરીટસિંહ રાણા સહિત સુપ્રસિધ્ધ ધાર્મિક જગ્યાઓના સંતો, મહંતો તથા હજારો ભાવિકો કથા શ્રવણ કરવા હાજર રહ્યા હતા.



બુધવાર, ૧૪-૧૦-૨૦૧૫


सोइ सच्चिदानंद घन रामा। अज बिग्यान रूप बल धामा।।
ब्यापक ब्याप्प अखंड अनंता। अखिल अमोघसक्ति भगवंता।।2।।


अजा अनादि सक्ति अबिनासिनि। सदा संभु अरधंग निवासिनि॥
जग संभव पालन लय कारिनि। निज इच्छा लीला बपु धारिनि॥2॥



पद राजीव बरनि नहिं जाहीं। मुनि मन मधुप बसहिं जेन्ह माहीं॥
बाम भाग सोभति अनुकूला। आदिसक्ति छबिनिधि जगमूला॥1॥




जे सुनि सादर नर बड़भागी। भव तरिहहिं ममता मद त्यागी॥
आदिसक्ति जेहिं जग उपजाया। सोउ अवतरिहि मोरि यह माया॥2॥


तिन्ह कें गृह अवतरिहउँ जाई। रघुकुल तिलक सो चारिउ भाई॥
नारद बचन सत्य सब करिहउँ। परम सक्ति समेत अवतरिहउँ॥3॥


संभु सरासनु काहुँ न टारा। हारे सकल बीर बरिआरा॥
तीनि लोक महँ जे भटमानी। सभ कै सकति संभु धनु भानी॥3॥


नमामि इंदिरा पतिं। सुखाकरं सतां गतिं॥
भजे सशक्ति सानुजं। शची पति प्रियानुजं॥6॥


उर दहेउ कहेउ कि धरहु धाए बिकट भट रजनीचरा।
सर चाप तोमर सक्ति सूल कृपान परिघ परसु धरा॥


सरसक्ति तोमर परसु सूल कृपान एकहि बारहीं।
करि कोप श्री रघुबीर पर अगनित निसाचर डारहीं॥


सो ब्रह्म दत्त प्रचंड सक्ति अनंत उर लागी सही।
पर्‌यो बीर बिकल उठाव दसमुख अतुल बल महिमा रही॥
ब्रह्मांड भवन बिराज जाकें एक सिर जिमि रज कनी।
तेहि चह उठावन मूढ़ रावन जान नहिं त्रिभुअन धनी॥


सुनत बचन उठि बैठ कृपाला। गई गगन सो सकति कराला
पुनि कोदंड बान गहि धाए। रिपु सन्मुख अति आतुर आए॥4॥


पुनि दसकंठ क्रुद्ध होइ छाँड़ी सक्ति प्रचंड
चली बिभीषन सन्मुख मनहुँ काल कर दंड॥93॥



तुम्ह समरूप ब्रह्म अबिनासी। सदा एकरस सहज उदासी॥
अकल अगुन अज अनघ अनामय। अजित अमोघसक्ति करुनामय॥3॥





The article displayed below is with the courtesy of Divya Bhaskar daily.
  • માનવીએ પૂજાવાની ખોટી ટેવ ન પાડવી, આ ટેવ સારી નથી: મોરારી બાપુ

Bhaskar News, SurendranagarOct 16, 2015, 02:39 AM I



- મેલી વિદ્યા બીજાને દુ:ખી જ કરી શકે અને પોતે પણ સુખી ન થાય
- ચોટીલામાં મોરારિબાપુનું રામકથામાં શ્રોતાઓને ઉદ્દબોધન
- માણસ પાસે કલા હોય ત્યારે તે બંધનમાં હોય છે પરંતુ વિદ્યા હોય ત્યારે તે મુક્ત હોય છે

ચોટીલા: ચોટીલામાં માનસચામુંડા રામકથામાં  પૂ.મોરારીબાપુએ કથાનાં ત્રીજા દિવસે માતાજીની પૂજા સામગ્રી, માતાજીના ખપ્પર, માનવીનાં વટ સહિત શિવ વિવાહનાં પ્રસંગો ભાવિકો પાસે રજૂ કર્યા હતાં. જ્યારે કથામાં પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે, માનવીએ પૂજાવાની ખોટી ટેવ ન પાડવી, આ ટેવી સારી નથી. ચોટીલામાં માનસચામુંડા રામકથામાં રામાયણને જીવનમાં ઉતારનારા સંત પૂ. મોરારીબાપુએ કથાના ત્રીજા દિવસે વ્યાસપીઠ ઉપર માતાજીનાં ખપ્પર અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. મા ચામુંડા ખપ્પર નથી રાખતી, અક્ષયપાત્ર રાખે છે અને તેમાં અમૃત ભરે છે. રામ કથામાં બાપુને રોજ ચિઠ્ઠીઓ આવ છે. ત્યારે એક ચિઠ્ઠીના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, મેલી વિદ્યા બીજાને દુ:ખી જ કરી શકે એન પોતે પણ સુખી ના થાય. માણસ પાસે કલા હોય ત્યારે તે બંધનમાં હોય છે. પરંતુ વિદ્યા હોય ત્યારે તે મુક્ત હોય છે.

બાપુને એક ચિઠ્ઠી આવી હતી કે અમને પૂજા ન આવડે, બધુ પૂજા સામગ્રી ન હોય તો શુ કરવું ? ચિઠ્ઠીના જવાબમાં પૂ.બાપુએ જણાવ્યું હતું કે, અત્યંત અનુરાગ  તેજ પૂજાની સામગ્રી છે. મંદિરમાં પ્રસન્ન ચિતથી પ્રવેશ કરવો. મસ્તક નમાવવુ પૂજાની બીજી સામગ્રી ન હોય તો ચિંતા ન કરવી. પૂ.બાપુએ સમાજ ઉપર આકરો કટાક્ષ કરતા કહ્યું હતુ કે માનવીએ પૂજાવાની ખોટી ટેવ ન પાડવી. આ ટેવી સારી નથી.  ચામુંડામાં કોની વહારે ચઢે ? જેનું કોઇનાં હોય તેને આ અષ્ટભૂજાળી તેડી લે બાપ બ્રહ્મ તત્વ, શક્તિ તત્વ, ધર્મતત્વ, પ્રેમતત્વ, શિવતત્વ આ પાંચ તત્વો જગતમાં વૈચારિક રૂપે સ્થાપિત છે. આ પાંચ તત્વોથી આખુ જગત આવરિત છે. રામકથામાં ગરબો ગવાતા વ્યાસપીઠ સામે તથા સમગ્ર કથા મંડપમાં બહેનોએ ગરબા લેતા કથા સ્થળમાં માતાજીની આરાધનાંનું અનુષ્ઠાન ચાલતુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.

- કથામાંથી વર્ષેલા શબ્દના પૂષ્પો

કોઇપણ માણસને તેની નબળાઈ સહિત સ્વીકારવો જોઇએ.
પડછાયા જ્યારે બહુ લાંબા દેખાય ત્યારે સમજવાનું કે હવે દિ આથમવાની તૈયારીમાં છે
અમુક વ્રત તૂટી જાય ભલે પણ કોઇનાં દિલ ના  તોડવા.
વટ મારી નાંખે, વટ સત્યનો, વટ પ્રેમનો, વટ કરૂણાનો હોવો જોઇએ. ખોટા વટનો કોઇ અર્થ નથી. 
કુંવારી કન્યાઓ જગદંબા છે.
બંને ત્યાં સુધી એવો દાવો ના કરવો કે અમે રામાયણને ઘોળીને પી ગયા છીએ. બહુ ટૂંકા પડીએ બાપ.

The article displayed below is with the courtesy of Divya Bhaskar daily.


  • કથાનું તો બહાનુ છે, મારે તો બધાને જમાડવા છે: મોરારિ બાપુ

Read the article at its source link.


-મોરારિ બાપુની કથામાં રામજન્મના વધામણા
-મોરારિ બાપુએ વિવિધ પ્રસંગોના વર્ણન સાથે રામજન્મ કરાવતા સૌકોઇ ભાવવિભોર થયા
-‘કથાનું તો મારૂ બહાનુ છે, મારે તો બધાને જમાડવા છે’ ‘ગરબો - ગરીબી જયાં સુધી ભેગા ન થાય ત્યાં સુધી ગરબો જામે નહી’
-કથા બાદ દેવીપૂજકોએ વ્યાસપીઠની આરતી ઉતારી

ચોટીલા:ચોટીલામાં માનસ ચામુંડા રામકથામાં મોરારીબાપુએ કથાના ચોથા દિવસે વિદ્યાના પ્રકાર, રૂખડ, ચારણી સાહિત્ય, ભજન, મહાકાળીની લાલઘૂમ જીભ સહિત વિવિધ પ્રસંગોના વર્ણન કર્યા હતા. બાપુએ જણાવ્યુ કે, ગરબો અને ગરીબી ભેગા ન થાય ત્યાં સુધી ગરબો જામે નહી. કથામાં શુક્રવારે રામજન્મની ઉજવણી સમયે હજારો ભકતો ભાવવિભોર બન્યા હતા.ચોટીલામાં માનસ ચામુંડા રામકથામાં દિવસે દિવસે શ્રોતાઓની સંખ્યા વધતી જાય છે. જયારે કથાના ચોથા દિવસે મોરારીબાપુએ રૂખડના નિર્માણ અને નિર્વાણ સાથે વિવિધ રસ પીરસ્યો હતો. રખડતા સાધુ અંગે બાપુએ એક શેર કહ્યો હતો કે, વો જહાં ભી રહેગા રોશની ફેલાયેગા, ચિરાગો કો કોઇ અપના મકાન નહી હોતા.

નવરાત્રિને અનુલક્ષીને બાપુએ જણાવ્યુ કે, ગરબો અને ગરીબી જયાં સુધી ભેગા ન થાય ત્યાં સુધી ગરબો જામે નહી. જયારે લોક વિદ્યા વિશે જણાવ્યુ કે, જેણે માં સરસ્વતીને વેચી નથી તેના પગલે પગલે માં મહાલક્ષ્મી ચાલશે. દુર્ગતિ એટલે નર્ક નહી અને સુગતી એટલે સ્વર્ગ નહી.દુર્ગતિ એટલે તમારી પ્રસન્નતા બંધ થઇ જાય. અને સુગતી એટલે તમારી પ્રસન્નતા દિવસ રાત વધે. ઘણા એમ બોલે કે, કથા બરાબર પણ આ રસોડા બરાબર નથી આવુ બોલનાર લોકો પર કટાક્ષ કરતા બાપુએ જણાવ્યુ કે, એકલા એકલા ખાય તેને આ ભોજન નહી સમજાય. કથાનું તો મારૂ બહાનુ છે, મારે તો બધાને જમાડવા છે. શ્રાધ્ધ બહુ ખાધા, શ્રાધ્ધ ખાઇને શ્રધ્ધાવાન બન્યા છીએ.
એ..આવોને બાપલિયા કહી આવકાર્યા

કથામાં રામજન્મની ઉજવણુ દરમિયાન સમગ્ર કથા મંડપમાં ગજબની શ્રધ્ધાના પૂર ઉમટ્યા હતા. રામકથામાં દેવીપૂજક પુરૂષો, મહિલાઓ ટોપલામાં બકાલા, દાતણ સાથે આવ્યા હતા. બાપુએ તેમને આવો બાપલીયા કહીને આવકાર આપ્યો હતો. દેવીપૂજકોએ વ્યાસપીઠની આરતી ઉતારી હતી.

રામકથાના અમૃત પુષ્પો

- ગણતરી કરે એ વેપારી હોય, ગણતરી કર્યા વગર સૌને સ્વીકારે તે બાવલીયો હોય
- આપણો પ્રપંચ વધી ગયો છે એટલે પ્રસન્નતા રોકાઇ ગઇ છે
- જેને શ્રેષ્ઠ વકતા બનવુ હોય તેને માટે કાલીની ઉપાસના જરૂરી છે
- મહાકાળીની લાલ જીભ બીવડાવવા માટે નહી આ લાલ રંગ માંનો પ્રેમ છે
- કોઇ દિવસ પ્રશસ્તિ ન કરવી, હા પ્રતિતિ જરૂર કરવી
- રામને સમાજના છેલ્લા માણસ સુધી પહોંચવુ હતુ જેથી રામ 14 વર્ષ વનમાં વિચરણ કરે છે
- સાધુ સંવાદ કરે, વિવાદ ઉભો કરે જ નહી.


  • ધર્મ - સીમાડાના નામે હિંસા બંધ કરો, તેનું કોઇ પરિણામ નથી : મોરારિબાપુ


Read the article at its source link.


- ‘ધર્મ - સીમાડાના નામે હિંસા બંધ કરો, તેનાથી કોઇ પરિણામ આવતું નથી’
- માનસ રામકથા-5: કારણ વગર ક્રોધ કરનારો હિંસક: મોરારિબાપુ
- વેરઝેરને હિંસાનું રૂપ ન આપતા, તેને મારી કામળીમાં નાંખતા જજો

ચોટીલા : ચોટીલામાં ચાલતી માનસ રામકથામાં મોરારિબાપુએ કથાના પાંચમા દિવસે અહિંસા, ગાંધીજી, બુધ્ધ, કબીર સહિત વિવિધ વિષયો ઉપર વકતવ્ય રજૂ કર્યા હતા. આથી ઉપસ્થિત અંદાજે 50 હજાર જેટલી જનમેદની મંત્રમુગ્ધ બની ગઇ હતી. આ પ્રસંગે મોરારિબાપુએ જણાવ્યુ કે, યુધ્ધના ઇતિહાસો જયારે વાંચુ છુ ત્યારે લાગે છે કે, દુનિયામાં મોટાભાગના યુધ્ધો ધર્મના લીધે થયા છે.

ચોટીલામાં મોરારીબાપુની રામકથામાં દિવસે દિવસે શ્રોતાઓ વધતા જાય છે. ત્યારે પાંચમા દિવસે મોરારિબાપુએ જણાવ્યુ કે, હું યુધ્ધના ઇતિહાસો જયારે વાંચુ છુ ત્યારે લાગે છે કે, દુનિયામાં કેટલાક યુધ્ધો મોટાભાગે ધર્મના લીધે થયા છે. તેઓએ ભાવવિભોર થઇને જણાવ્યુ કે, હવે હું તમારી પાસે એટલુ શું નામ માંગી શકુ કે, ધર્મના નામે હિંસા બંધ થાય, સીમાડાઓ માટે હિંસા બંધ થાય, હિંસાથી કોઇ પરિણામ આવતુ નથી. વેરઝેર હોય તો તેને હિંસાનું રૂપ ન આપતા.

આ બાવો ભીખ માંગે છે. મારી કામળીમાં નાંખજો. પછી જો જો માં ચામુંડા ખુશ થશે. કારણ વગરનો ક્રોધ કરનારો માણસ હિંસક છે. ઘણાનો સ્વભાવ હોય છે, ક્રોધ કરવા માટે કોઇ કારણ ન હોય તો કારણ ઉભા કરે છે. રાવણના 10 મોઢા હતા, તે સારા હતા. 10 મોઢા બહાર હતા. પણ આપણા અંદર કેટલા છે બહાર આપણે એક જ મોઢુ છે પણ અંદર ખબર નહી કે કેટલા સુખી છે. જયારે કથામાં માં તું કાળીને કલ્યાણી.. ગરબા પર ભકતોએ રાસ ગરબા રજૂ કર્યા હતા.

કથા દરમિયાન બાપુના મુખેથી વરસેલા શબ્દ પુષ્પો
- રામનામ જપનારાએ કોઇની સામે દુશ્મની ન રાખવી
- જેના જીવનમાં રામ પ્રગટે છે તેને પછી રાત જ પડતી નથી
- જેને જન્મજાત નિંદા અને વિરોધ કરવાની ટેવ હોય તે ગુરૂની પણ નિંદા કરશે
- આપણા અંદર જે માથા ઉગ્યા છે, તેને તો રામકથા જ મારી નાંખશે
- પરિક્રમા એટલે સર્વાંગી દર્શન
- મારી વ્યાસપીઠ માંને અહિંસક જોવા માંગે છે
- ભગવત ગીતા માત્ર અનાસકિત યોગ જ નથી, ભગવત ગીતા શરણાગતીનો ગ્રંથ છે.



The article displayed below is with the courtesy of Divya Bhaskar.

  • ‘હું કિન્નરો અને રાજકીય લોકો માટે કથા કરવા તૈયાર છું’: મોરારિ બાપુ


Read the article at its source link.

- દાણા નાંખવા કરતા વિધવાનાં ઘેર પાંચ કિલો ચોખા પહોંચાડો
- રામકથામાં 70 હજાર જેટલા ભકતો ઉમટ્યા

સુરેન્દ્રનગર: ચોટીલામાં માનસ ચામુંડા રામકથામાં મોરારીબાપુએ કથાના છઠ્ઠા દિવસે હવે મારે કીન્નરો માટે કથા કરવી છે, યજમાન હું ગોતી દઇશ અને માનસ રાજધર્મ નામ આપી રાજકીય લોકો માટે કથા કરવાની તૈયારી બતાવી હતી. જયારે દાણા નાંખવા કરતા વિધવાના ઘેર પાંચ કિલો ચોખા પહોંચાડો તેવી વાણી 70 હજારની મેદની સામે રજૂ કરી હતી. ચોટીલામાં મોરારીબાપુની કથામાં રવિવારે 70 હજાર જેટલા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. જયારે ઇટાલીથી બે યુવતીઓ, દેશના પ્રસિધ્ધ કિન્નર અને સોશિયલ એકટીવીસ્ટ લક્ષ્મી, ગોલ્ડનબાબા, યુકેથી બીઝનેશ માસ્ટર લોર્ડ ડોલર પોપટ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મોરારી બાપુએ જણાવ્યુ કે, કિન્નરો માટે મારે કથા કરવી છે. યજમાન હું ગોતી દઇશ. જયારે રાજકીય લોકો માટે પણ હું કથા કરવા તૈયાર છુ. જયારે તેઓએ માનસ રાજધર્મ નામ આપી રાજકીય લોકો માટે કથા કરવા તૈયારી દર્શાવી હતી. સમાજમાં ચાલતી અંધશ્રધ્ધા વિશે માર્મીક પ્રહાર કરતા તેઓએ જણાવ્યુ કે, દાણા નાંખવા કરતા કોઇ વિધવાનો એકનો એક પુત્ર ગુજરી ગયો હોય તેના ઘેર દિકરા બની તેને ઓછુ ન આવે તે માટે પાંચ કિલો ચોખા આપો તેના જેવુ બીજુ એકેય નહી. મોરારીબાપુએ જણાવ્યુ કે, મને કોઇએ ચીઠ્ઠી આપી હતી કે, તમે કયાં સુધી કથા કરવાના છો ω ત્યારે બાપુએ જણાવ્યુ કે, તમે સાંભળો ત્યાં સુધી હું ગાતો રહીશ. અને પછી આવો સવાલ પૂછનાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે, તને શું ઉતાવળ છે.

મારી ઘણી કથા સાંભળવા માટે ભગવાન તને લાંબી ઉંમર આપે. બાપુએ ક્રોધ વિશે જણાવ્યુ કે, સવારમાં ક્રોધ ન કરવો, રાત્રે ખીજ કરીને ન સુવુ. જમવા બેસીએ ત્યારે ક્રોધ ન કરવો. જપ, ધ્યાન, સત્કર્મના સમયે ક્રોધ ન કરવો. ઘરની બહાર જતા અને સાંજે ઘરમાં પ્રવેશતા સમયે ગુસ્સો ન કરવો. કથામાં ચોટીલા, ધાંધલપુરના દાઉદી વહોરા સમાજના પુરૂષો અને મહિલાઓએ વ્યાસપીઠની ગાદીને મસ્તક નમાવી વંદન કર્યુ હતુ.

કથાની અમૃતવાણી

રોજ માતા-પિતાને પ્રણામ કરો
બાળકો ગુજરાતી ભૂલી ન જાય તેનુ ધ્યાન રાખજો
કાર્યનો આરંભ પ્રસન્ન ચિતે કરવો, સફળતા મળી જાય
માણસ જેવો હોય તેવો સ્વીકાર કરો
બહુ ઉપવાસ કરીએ તો જ હરી મળે આવુ બધુ પકડાવી દેવાયુ છે
અલ્લાહ કરે, મારી માં કરે આપણે એક થઇએ
ચાલીસ પ્રકારની વાણીનું વર્ણન માનસમાં છે
બધુ જાણવા કોશીષ ન કરો, માણો

સોશ્યાલીસ્ટ - કિન્નર લક્ષ્મી કથામાં આવ્યા

ચોટીલા માનસ ચામુંડા રામકથા મંડપમાં દેશનાં કિન્નરો માટે લડતી  લક્ષ્મી  આવ્યા હતા. આથી મોરારીબાપુએ આવકાર આપતા કિન્નર લક્ષ્મીએ સોફા પર સ્થાન ગ્રહણ કર્યુ હતું. ત્યારબાદ વ્યાસપીઠની આરતી સમયે લક્ષ્મીએ આરતીમાં ભાગ લીધો હતો. આથી મોરારીબાપુએ કાળી શાલ લક્ષ્મીને અર્પણ કરી હતી.


The article displayed below is with the courtesy of Divya Bhaskar. 


  • ચોટીલામાં કિન્નર લક્ષ્મી સાથે 22 કિન્નરોએ રામકથામાં કરી આરતી


Read the article at its source link.

ચોટીલામાં કિન્નર લક્ષ્મી સાથે 22 કિન્નરોએ રામકથામાં કરી આરતી
2016મા કિન્નરો માટે મહારાષ્ટ્રના થાણેમાં રામકથા યોજવાની જાહેરાત

ચોટિલા: ચોટિલામાં ચાલી રહેલી માનસ ચામુંડા રામકથાના સાતમા દિવસે મોરારી બાપુએ 2016મા કિન્નરો માટે મહારાષ્ટ્રના થાણેમાં રામકથા યોજવાની જાહેરાત કરી હતી. કિન્નર લક્ષ્મી સાથે 22 કિન્નરોએ સોમવારે કથામાં હાજરી આપી હતી અને ત્યારબાદ વ્યાસપીઠની આરતી પણ ઉતારી હતી.

ચોટીલામાં માનસ ચામુંડા રામકથામાં સાતમા દિવસે મોરારીબાપુએ અહિંસા પર ભાર મૂકી તેઓએ અમુક દેવીઓના મંદિરોમાં આજે પણ હિંસા થાય છે તેમ જણાવ્યુ હતુ. અત્યારે કોળુ કાપે છે તે સારૂ છે, પણ વૃતિ હજુ કાપવાની જ છે. જયારે વર્ષ 2016માં કિન્નરો માટે મહારાષ્ટ્રમાં કથા થશે તે 90 ટકા નક્કી છે તેમ જણાવ્યુ હતુ. ચોટીલા માનસ ચામુંડા રામકથામાં સાતમા દિવસે મોરારી બાપુએ અહિંસા પર ભાર મૂકીને ભારે ખીન્ન હૃદય સાથે જણાવ્યુ કે, વેદકાળથી અહિંસા સ્વીકારાઇ છે. અમુક દેવીઓના મંદિરોમાં આજે પણ હિંસા થાય છે.આ માતાનું મંદિર છે કે, કસાઇખાનુ ωબાપ હવે આ બધુ બંધ કરો. હું જગદંબાને જેટલા ભાવથી વીનવુ તેટલા જ તેના ઉપાસકોને વીનવુ છુ કે, હવે આ બંધ કરો. અત્યારે યજ્ઞમાં કોળુ કાપે છે તે સારૂ છે, પણ વૃતિ હજુ કાપવાની જ છે. કોળા પણ બંધ કરો. અને હોમવુ જ હોય તો આખુ કોળુ હોમી દો. કાપવાની વૃતિ જ બંધ કરો. જયારે તમારા વડવાઓને, પિતૃઓને યાદ કરતી વખતે આંખમાં આંસુ આવે તેવા જેવુ બીજુ કોઇ તર્પણ ન હોવાનું મોરારીબાપુ જણાવ્યુ હતુ.

કિન્નરોને તુલસી, સાધુસંતોએ સ્વીકાર્યા છે, કિન્નર સમાજને કુંભમાં પ્રવેશ છે. કિન્નર સમાજની કથા મહારાષ્ટ્રના થાણેમાં થશે તેવો સર્વાનુમતે નિર્ણય છે. વર્ષ 2016ના અંતમાં 90 ટકા કથા થશે. જયારે ચોટીલાના પાંચાળના સૂરજદેવળ મંદિરનો ઉલ્લેખ કરીને મોરારીબાપુએ જણાવ્યુ કે, સૂરજદેવળ રામાયણનું કેન્દ્ર ગણાતુ હતુ. એક સમયે ત્યાં રામચરિત માનસ ભણાવાતુ હતુ. કથાના સાતમા દિવસે મુંબઇના 22 કિન્નરો સહિત કિન્નર લક્ષ્મીએ હાજરી આપી હતી. આ કથા બાદ તમામ કિન્નરોએ વ્યાસપીઠ પર આરતી ઉતારી હતી.

The article displayed below is with the courtesy of Divya Bhaskar.


  • ‘આત્મહત્યા એ સમસ્યાનું સમાધાન નથી, યુવાનો થોડું સહન કરતા શીખે’


Read the article at its source link.

- ‘આત્મહત્યા એ સમસ્યાનું સમાધાન નથી, યુવાનો થોડું સહન કરતા શીખે’
- માનસ ચામુંડા કથા-8: મારો આદર્શ હુ છુ, મારે મારા સુધી પહોંચવુ છે: બાપુ
- હું તો મારા ગુરૂના આદેશના લીધે પૈસા નથી લેતો : મોરારિબાપુ

ચોટીલા: ચોટીલામાં માનસ ચામુંડા રામકથાના આઠમા દિવસે મોરારીબાપુએ વિવિધ વિષયો પર અને માતાજીના ગરબાના અર્થની વિસ્તૃતાથી સમજાવી હતી. જયારે બાપુએ ખાસ કરીને લોકોની ઘટતી સહન શકિત વિશે જણાવ્યુ કે, યુવાનોને થોડુ સહન કરવુ જોઇએ, આત્મહત્યા એ જીવનની સમસ્યાનું સમાધાન નથી.

ચોટીલા માનસ ચામુંડા રામકથાના આઠમા દિવસે મોરારીબાપુએ કિન્નરો અંગે જણાવ્યુ કે, સમાજનો એક તિરસ્કૃત વર્ગ અને પરિવારે જેઓને કાઢી મૂકયા છે તે કિન્નર બહેનોએ કાલે સાંજે કાર્યક્રમમાં નૃત્યગાન કર્યુ હતુ. તેમાં હું મારો રાજીપો લઉ છુ. જયારે અત્યારના દંભી લોકો અંગે તેઓએ રોષ સાથે જણાવ્યુ કે, ઘણા એમ બોલે છે કે, અમે પણ કથાના પૈસા લેતા નથી. ફકત પોથી લઇને જ આવુ અને જાઉ છુ. પણ તે કવર લઇ લીધુ તેનું શુ? નકલ બંધ કરો.

મોરારીબાપુએ પોતાની અંગત વાત શ્રોતાઓને કહી હતી કે, હું તો મારા ગુરૂના આદેશના લીધે પૈસા નથી લેતો. શરૂઆતમાં છેલ્લા દિવસે જે આવે તે લઇ લેતો હતો. રૂપિયા 10 દક્ષિણા મળતી તે પણ હું લઇ લેતો હતો. જયારે બાપુએ ખાસ કરીને લોકોની ઘટતી સહન શકિત વિશે જણાવ્યુ કે, યુવાનોને થોડુ સહન કરવુ જોઇએ, આત્મહત્યા એ જીવનની સમસ્યાનું સમાધાન નથી. તેઓએ સમાજના વિદ્યાધરો, વિવિધ ક્ષેત્રના કલાકારો, લોકગાયકોને ખાસ જણાવ્યુ કે, તમે જે કલા રજૂ કરો છો તેના પ્રમાણમાં તમને કોઇ આપતુ જ નથી.

સમાજનું પણ કર્તવ્ય છે કે, ત્રણ ગણુ આપવુ જોઇએ. હું વિનંતી કરૂ છુ કે, પૂરેપૂરા પૈસા લેજો. કોઇએ મને પૂછ્યુ કે, તમારો આદર્શ કોણ છે તો કહુ છુ કે, મારો આદર્શ ખુદ છુ. મારે મારા સુધી પહોંચવુ છે. કથામાં તમામ વર્ગના ધર્મોના ભગવાનના નામની ધૂન બોલાવી હતી. માતાજીના ડાક વાગ્યા, ડુંગરા ડોલવા લાગ્યા, ભૂતડા લાગે તે ગરબાનોનો અર્થ સમજાવતા કહ્યુ કે, નબળા અને વિકૃત વિચાર એ ભૂત છે. અંદરના રાગ અને દ્વેશ રૂપી ભૂતડા ભાગે તે ડાક છે.

કથામાં અમૃતવાણી

સમાજ સાધુને સાધન ન બનાવો, સાધુ સમાજનું સાધ્ય છે
કલાકારે ઉનના લાલ-પીળા આસન પર ન બેસવુ, કાયમ નમ્રતાના આસન પર બેસવુ
મારો સ્વભાવ જેને અનુકૂળ ન પડે તેને જગતમાં બીજાનો સ્વભાવ અનુકૂળ ન પડે
પૂરો પરિશ્રમ કર્યા પછીની નીંદ્રા એ સમાધી છે
હું એક એક કળાનો ચાહક અને ભાવક છુ
યુવાનીમાં શિવ સ્તુતી કરશો તો બળ, બુધ્ધી અને વિદ્યાનો વધારો થશે
બુધ્ધ પુરૂષ એ કહેવાય છે તમને બાંધે નહી પણ પ્રબુધ્ધ બનાવી દે
સત્ય, પ્રેમ, કરૂણા મારી દૃષ્ટીએ આધ્યાત્મીકનો ત્રિકોણ છે.

The article displayed below is with the courtesy of Divya Bhaskar.

  • પાંચાળમાં જ્ઞાતિઓ વચ્ચે વેરઝેર ચાલે છે ત્યારે સમાજ સુખદ ઉકેલ વિચારે: બાપુ


Read the article at its source link.


- ચોટીલામાં માનસ ચામુંડા રામકથાનો વિરામ પ્રસંગે ભાવુક બન્યા

ચોટીલા: ચોટીલા માનસ ચામુંડા રામકથાનો વિરામ નવમાં દિવસે થયો હતો. ત્યારે પૂ. મોરારીબાપુએ વ્યાસપીઠ ઉપરથી કરૂણસભર અવાજે કોળી અને ભરવાડ જ્ઞાતિ વચ્ચે ચાલી રહેલા વેરમાં જ્ઞાતિનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, આ પંથકમાં અમુક જ્ઞાતિઓ વચ્ચે વેરઝેર ચાલે છે. ત્યારે સમાજ કંઇક સુખદ ઉકેલ માટે જરૂર વિચાર. મારૂ નમ્ર નિવેદન છે કે વિચારજો ઉકેલ માટે હું પણ કલાક ટાઇમ કાઢી આવીને ઉભો રહીશે.

ચોટીલામાં માનસ ચાંમુડા રામકથાનું નવમા દિવસે સમાપન થયુ હતું. ત્યારે પૂ. મોરારીબાપુએ કોઇપણ ગામ કે જ્ઞાતિનું નામ લીધા વગર વ્યાસપીઠ ઉપરથી ખૂબ જ કરૂણાસભર અવાજે ભીના હૃદયે શ્રોતાઓને કહ્યુ કે, નવ દિવસ હું રોજ સાંજે આ પંથકનાં ગામડાઓાં કોળીના ઘેર, ભરવાડના ઘેર, રબારીના ઘેર રોટલા ખાઉં છું. મારૂ નમ્ર નિવેદન છે કે,વિચારજો આના ઉપર તમે. આ રામકથા સાંભળ્યા બાદ એક સંકલ્પ ના કરી શકો કે અમે બધાને જોડી દઇએ? પાંચાળ પ્રદેશ દેવતાઓ, સિધ્ધ પુરૂષો, સંતોની ભૂમિ છે. ઉકેલ માટે વિચારજો હું પણ ગમે તેમ કરી કલાક ટાઇમ કાઢીને આવીને ઉભો રહીશે.

પૂ. બાપુએ કથામાં કઇ વસ્તુઓ મંગલ ગણાય તે અંગે જણાવ્યું કે, શુધ્ધ પુરૂષનાં ચરણ,સોનું હોય તો મંગલ સ્પર્શ કરો. નદીનો સ્પર્શ, આપણા વડીલોની યાદગીરી પાઘડી, કેડીયાને સવારમાં સ્પર્શ કરવો તે મંગલ ગણાય.કોઇ સિધ્ધપુરૂષનું વસ્ત્ર, ગમચો મંગળ કહેવાય. ગાય માતાનો સ્પર્શ, અને નાની બાળકી જગદંબાનું સ્વરૂપ છે. આ જગદંબાનાં રૂપને મંગલ સ્પર્શ કરવો. જ્યાં શાસ્ત્રીની ચર્ચા થતી હોય ત્યાં પાંચ દશ મિનિટ આપવી તે મંગલ છે.

પૂ. બાપુએ જણાવ્યું હતું કે, આટલા દિવસો સૌએ શાંતિથી કથા સાંભળી, નવ દિવસ બધાએ ખૂબ સેવા કરી તે બધાને મારા સાધુવાદ. 56 વર્ષના અનુભવમાં એમ જ કહું છુ કે આમા બધા નિમિત બનતા હોય છે. કોઇ શક્તિ કામ કરતી હયો છે. મા ચામુંડાનાં આશ્રયે માનસનું ગાયન કરવુ તેવુ મારા મનમાં બીજ રોપાયુ હતું. પૂ. બાપુએ ચોટીલાની તેમની આ રામકથા ચામુંડા માતાજીને અર્પણ કરી હતી. રામકથાના છેલ્લા દિવસે તમામ શ્રોતાઓ પણ આ પ્રેમયજ્ઞનાં વિરામ વખતે ભાવુક બની રડી પડયા હતાં.

રામકથામાં અમૃતવાણી

- શાંતિના જ્યાં ઠેકાણા છે ત્યાં મા વસે છે, પ્રગટરૂપે કે અપ્રગટ રૂપે વસે છે.
- અયોધ્યામાથી રામ જાય પણ રામ કોઇનાં હૈયામાંથી જાતો નથી.
- ઘણાનાં ધન વધ્યા પણ બાદમાં જેમ જેમ ધન વધ્યુ એટલે મન ટૂંકા થયા.
- નવ દિવસ રાત્રે મારા ગંગાજળમાથી રોટલા ખાધા ત્યારે જોયુ ગામડાના માણસોનાં મન બહુ મોટા છે.

Sunday, October 11, 2015

ચોટીલામાં માનસ ચામુંડા કથા, માતાજીના ઝુલણા, દૂહા છંદની રમઝટ

ચોટીલામાં માનસ ચામુંડા કથા, માતાજીના ઝુલણા, દૂહા છંદની રમઝટ


તીર્થધામ ચોટીલામાં અમદાવાદ હાઈવે પર આગામી તારીખ 13મીથી શરૂ થઈ રહેલી નવરાત્રિથી 'માનસ ચામુંડા' કથાનો પ્રારંભ થશે. વ્યાસપીઠે મોરારિબાપુની અંતરંગ વાણી ભાવિકોને ભક્તિરસમાં તરબોળ કરશે. એ સાથે જ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝલક બતાવતી ઝુલણા, દૂહા અને છંદની રમઝટ બોલાવાશે. જો તમે માણવા ઈચ્છતા હોય તો પહોંચી જાઓ ચોટીલામાં.


Read More at Sandesh Gujarati daily.

જિંદગીનો મર્મ છે, પ્રફુલ્લિત રહેવું, માનસદર્શન, મોરારિબાપુ

જિંદગીનો મર્મ છે, પ્રફુલ્લિત રહેવું



  • આપણા જીવનનો મર્મ શું છે? જીવનો અર્થ અહીં આત્મા છે એની પાછળ કોઇ મર્મ હશે, કોઇ કારણ હશે, કોઇ રહસ્ય હશે




  • આખું રામચરિતમાનસ માર્મિક શાસ્ત્ર છે. એક મર્મગ્રંથ છે. 



  • જોકે ગુરુકૃપા વિના આ બધાં રહસ્યોનું ઉદ્્ઘાટન લગભગ અસંભવ છે પરંતુ એની પાછળ કંઇક તો મર્મ હોય જ. જીવ જેને ઉપનિષદ અહમ્ કહીને ઓળખાવે છે. મહર્ષિ રમણ નિરંતર એ શબ્દને વળગી રહ્યા ‘કોઙહમ્? કોઙહમ્?’ હું કોણ? મારું વજૂદ શું છે? હું અહીં શા માટે છું? આપણે બધાએ વિચારવું જોઇએ કે જીવનો મર્મ શું છે?




  • જીવનો અર્થ અહીં આત્મા છે એની પાછળ કોઇ મર્મ હશે, કોઇ કારણ હશે, કોઇ રહસ્ય હશે. જ્યારે જીવનનો મર્મ કોણ ઉકેલે? અથવા તો એ મર્મની વાત સમજમાં આવી જાય તો આપણને જીવન જીવવાનો એક સારો રસ્તો મળી જાય. 
  • ત્રીજું સ્થાન મારી સમજ મુજબ એ આવે છે કે જગતનો મર્મ શું છે? આ જગત શા માટે છે? આ પૃથ્વી નામનો ગ્રહ ન બનાવ્યો હોત તો ચાલત નહીં? 

  • ત્યારબાદ મારી સમજ મુજબ આખરી પડાવ એ છે કે જગદીશનો મર્મ શું છે? પરમાત્માનો મર્મ શું છે? રામચરિતમાનસમાં તો લખ્યું છે કે તું શું છે, એનો મર્મ જાણી શકાય તેમ નથી. આપણા સૂફી લોકો પણ ગાય છે કે તું નથી અને દરેક સ્થળે છે.



  • ‘હરિ વ્યાપક સર્વત્ર સમાનાં તું દૃષ્ટા છે’. તું સાક્ષી છે. તું બધા સાથે પ્રમાણિત ડિસ્ટન્સ રાખનારું કોઇ પરમતત્ત્વ છે અને તારે કારણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નાચી રહ્યા છે. સૌને તું નચાવે છે. એ લોકો પણ તારો મર્મ જાણી શકતા નથી. આ ત્રણેય સત્તા પણ તારો મર્મ જાણી શકી નથી. હા તું જણાવા ઇચ્છે છે એ જ તારા મર્મને જાણી શકે છે તો આ જીવનો મર્મ જીવનનો મર્મ, જગતનો મર્મ, એ પરમતત્ત્વનો મર્મ જાણવા માટે આપણે રામચરિતમાનસનો સહારો લેવો પડશે.



  • માનસમાં ત્રણ શબ્દોનું દર્શન થાય છે જેમાં આરાધના, સાધના અને ઉપાસના ‘કેહિ અવરાધહુ કા તુમ્હ ચહહૂ’ તું કોની આરાધના કરે છે? તું શા માટે જપ, તપ, ધ્યાન કરે છે? તું શું ઇચ્છે છે? ‘હમ સન સત્ય મરમુ કિન કહહૂ’ અમારી પાસે સત્ય મરમ કેમ કહેતી નથી? આ સાધનાની પાછળ રહસ્ય શું છે? 


જે લોકો કથા સાંભળે છે અથવા તો ધર્મને પકડીને ચાલે છે એ બધાએ મરમને પણ પકડવો જોઇએ.

  • આ જીવનનો મર્મ, જાણવા માટે કલિયુગમાં એક જ સાધન છે કેવળ હરિનું નામ. હરિના નામથી બધા જ મર્મ જાણી શકાય છે. 



  • ધૃતગતિ માર્ગ, વહા થામ્બુ નકા| જ્યારે તમારે તત્ત્વને પામવા માટે સ્પીડમાં જવું છે અને શ્રેષ્ઠ મારગ છે તો ‘થામ્બુ નકા’ અટકો નહીં. મને થયું કે આ બહુ જ સુંદર સૂત્ર છે. ગુરુકૃપાથી જીવનની સાધનાના મારગે તેજ ગતિથી જઇ રહ્યા છીએ. હરિનામનો સંત્સંગનો, ભાવનો આનંદ આવી રહ્યો છે તો ‘થામ્બુ નકા’ અટકો નહીં અટકો નહીં. આપણી સમગ્ર સાધનાનો મર્મ શું છે? આપણે શું ઇચ્છીએ છીએ? માનસમાં જ્યાં મરમ શબ્દ આવે છે ત્યાં એક નવી વાત મળે છે. એના સાથે પ્રસંગો પણ જોડાયેલા છે. ભગવાન રામ જ્યારે જનકપુરમાં જાય છે. રંગભૂમિમાં સૌ પોતપોતાની રીતે પરમાત્માને જુએ છે પરંતુ મરમ કોઇ ન જાણી શક્યું કે રામ અમને જુદા જુદા કેમ દેખાય છે? તત્ત્વની વાત શું છે? મૂળમાં અધ્યાત્મ જગતનું રહસ્ય શું છે? 

  • એ બધાની પાછળ કારણ એકમાત્ર એ જ છે કે આપણું જીવન વધુ ને વધુ પ્રસન્ન રહે, પ્રફુલ્લિત રહે. કક્કામાંથી તમે શબ્દ લો કે ‘ક’ તો કરમનો મરમ શું એ પહેલો પ્રશ્ન ઊઠશે. કરમ એટલે શું? ધરમનું રહસ્ય શું છે? તુલસીદાસજી બહુ જ સારો જવાબ આપ્યો છે.


ધરમ ન દૂસર સત્ય સમાના|
આગમ નિગમ પુરાન બખાના||
પર હિત સરિસ ધર્મ નહીં ભાઇ|
પર પીડા સમ નહીં અધમાઇ||
પરમ ધર્મ શ્રૃતિ બિદિત અહિંસા|
પર નિંદા સમ અધ ન ગરીસા||

બુદ્ધ પુરુષોનાં રહસ્યોને સમજવા, જાગૃત મહાનુભાવોનાં રહસ્યોને પકડવાં એ બહુ મોટો ધર્મ છે.

સંકલન: રામેશ્વરદાસ હરિયાણી

મોરારિબાપુ


Read full article at Sunday Bhaskar.

Tuesday, October 6, 2015

ચોટીલાના ચામુંડા ધામમાં રામ કથા

ચોટીલાના ચામુંડા ધામમાં રામ કથા

Chamunda Dham,
Opp. Petrol Pump
Ahmedabad-Rajkot National Highway 8-A,
Chotila.
Tuesday October 13th, 2015(First Navratri) - Wednesday October 21st, 2015
Tuesday, October 13th, 2015 – 4pm to 7pm
Wednesday, October 14th 2015 to Wednesday, October 21st, 2015 – From 9:30am

More details at Source Link :http://www.moraribapu.org/new_2013/ramkatha_schedule_detail_chotila.html

Sunday, October 4, 2015

કલિયુગમાં હરિકથા કલ્પતરુ સમાન છે, માનસદર્શન, મોરારિબાપુ

The article displayed below is reproduced with the courtesy of Divya Bhaskar daily.


કલિયુગમાં હરિકથા કલ્પતરુ સમાન છે

Read the article at its source link.


માણસે સુખદ પરિસ્થિતિ જોઇતી હોય તો કથા સાંભળે. કથા એટલે શું? જેને પોતાની ઇચ્છા પ્રમાણે કાંઇ પણ મેળવી લેવું હોય એના માટે કથા કલ્પતરુ છે

મારી દરેક માણસને એક વિનંતી રહી છે કે સમાજમાં જ્યાં શુભ દેખાય તેનો સ્વીકાર કરો. જ્યાંથી શુભ મળે એને લઇ લો. સ્વીકાર કર્યા પછી એ શુભને પ્રસાદ બનાવો. એ પ્રસાદને એકલા ન ખાવ. આજે સમાજમાં માણસ સાંકડો થઇ ગયો છે. હિન્દુધર્મમાં માનવાવાળો હિન્દુ વિચારધારાનું જ વિચારે છે. ઇસાઇઓ ઇસાઇનું જ વિચારે છે પણ મારી વ્યાસપીઠ મુક્ત છે. વ્યાસ ઉપરથી બધાને આદર અને નમન થાય છે.

હું ઘણીવાર કહ્યા કરું છું કે શુભનો સ્વીકાર કરવો એ મારી ભિક્ષાવૃત્તિ છે. અને બધામાં શુભ પડ્યું જ છે. આપણને લેતા આવડવું જોઇએ. રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે. ‘મધુકર સરિસ સંત ગૂનગાહી’ ભમરાની જેમ દરેક ફૂલની ઉપર બેસીને રસ લઇ લે. હા એક વસ્તુ સ્પષ્ટ કહી છે કે ફૂલને નુકસાન ન થવંુ જોઇએ. અને આ વાત આપણે બધાએ શીખવા જેવી છે. મેં અગાઉ ઘણીવાર કથામાં કહ્યું છે કે મહાત્મા ગાંધીબાપુની બધી વાત સાથે હું સહમત થતો નથી.

એમાં કદાચ મારી અલ્પબુદ્ધિ હોય, અથવા મને વાત ન સમજાણી હોય. ગાંધીબાપુએ ક્યારેય આગ્રહ રાખ્યો નથી કે તમે બધી વાતનો સ્વીકાર કરો માટે જે અનુકૂળ હોય, જે ગમે એટલું લઇ લેવું અને સાઇ મકરંદ કહેતા કે ગમતાનો કરીએ ગુલાલ. બાબાસાહેબે બૌદ્ધધર્મનો સ્વીકાર કર્યો એ એનો અધિકાર એની સ્વતંત્રતા. આપણે કરેલી ભૂલોનો એ જવાબ હતો. સત્યને તો સ્વીકારવું જોઇએને. ‘સર્વ ખલ્વિદં બ્રહ્મ’ આ સૂત્રને ચરિતાર્થ કરવંુ પડશે. ભગવાન પરમતત્ત્વ એને જે નામ આપીએ તે. એનું એક સ્વાભાવિક લક્ષણ છે કે કોઇના તરફ ભેદ ન રાખો. કોઇના તરફ વેરવૃત્તિ ન રાખો. આટલી વસ્તુનો ખ્યાલ આવી જાય ત્યારે માણસ સહજ અને સરળ બની જાય છે પછી એ મસ્તક નહીં ચરણમાં નમતો રહે છે અને આપણે ત્યાં કહેવાય છે કે નમે એ સૌને ગમે. ચરણની વાત આવી છે ત્યારે થોડી એ સંદર્ભમાં ચર્ચા કરું છું. ચરણ કેવા છે? ચરણનાં ચાર લક્ષણો બતાવ્યાં છે. અહીં પ્રભુના ચરણની વાત છે. એમાં હરિત્વ સમાયેલું છે. તુલસી કહે છે કે

અસ પ્રભુ દીનબંધુ કારન રહિત દયાલ|
તુલસીદાસ સઠ તેહિ ભજુ છાડિ કપટ જંજાલ||

પ્રપંચ, કપટ અને ખોટી વિચારધારાની જંજાળ છોડીને એના ચરણસેવ. એ ચરણમાં પ્રભુત્વ છે. એ ચરણમાં દીનબંધુતા છે. હરિત્વ છે, કૃપાલત્ત્વ છે. કોઇપણ ચરણને સમર્થ માનજો. પ્રભુનો એક અર્થ સમર્થ થાય છે. પગ બરાબર ન હોય તો સમાજ વિકલાંગ કહેવાશે એમાં પ્રભુત્વ છે તેથી આપણી આખી સભ્યતા ચરણની વંદના ઉપર ભાર મૂકે છે. શ્રુતિથી લઇને સંત સુધીની બધાની માગણી છે કે ‘અમને દેજો સંતચરણમાં વાસ’ કારણ કે ચરણમાં સામર્થ્ય છે. બીજી વાત દીનબંધુત્વ છે. જે પતિત છે. જે તિરસ્કૃત છે. જે વંચિત છે. જે ઉપેક્ષિત છે એના તરફ એનું બંધુત્વ છે કોઇને તમે ભાઇ બનાવો અને બંધુ બનાવો એમાં ફર્ક છે. ભાઇ બહુ જ સરસ શબ્દ છે.

આપણા પારિવારિક જગતનો શબ્દ છે. આમ તો ભાઇ-ભાઇના નારા આપણે બહુ લગાડ્યા ને એમાં આપણે બહુ સહનેય કરવું પડ્યું. સમાજના દરેક વ્યક્તિને સાદ પાડીને કહી રહ્યો છું કે ભાઇપણું સાચવજો. ભાઇ-ભાઇ કોર્ટે ન જાય. ભાતૃત્વભાવ રામાયણનો એક સંદેશ છે. ત્રીજું હરિત્વ, હરિ એટલે આપણામાં પડેલી નિરર્થક વસ્તુનું હરણ કરી લે. જે ઉદ્ધાર કરવા માટે નીકળ્યો હોય, દૂષણોને હટાવે. પ્રભુ રામના ચરણનો આ મહિમા છે. અને કારણરહિત કૃપાલુ, કારણ વગર કૃપા કરે. કોઇ લેવા-દેવા ન હોય. ખબર જ હોય કે જેના ઉપર કૃપા કરો છો એ જ ક્યાંક હેરાન કરશે છતાંય કારણ વગર કૃપા કર્યા જ કરે. આ ચરણનો મહિમા છે માટે તુલસીદાસજી કહે છે તું એ ચરણને ભજ. બીજી કોઇ જગ્યાએ જવાની જરૂર નથી.

જીવનમાં સત્યને પકડો એટલે ચરણની સેવા સ્વયં થઇ જશે. સત્યનું આચરણ એ જ રામની સેવા છે. મારા અનુભવના આધારે કહેવું હોય તો એટલું જરૂર કહીશ કે માણસે સુખદ પરિસ્થિતિ જોઇતી હોય તો કથા સાંભળે. કથા એટલે શું? જેને પોતાની ઇચ્છા પ્રમાણે કાંઇ પણ મેળવી લેવું હોય એના માટે કથા કલ્પતરુ છે. કલિયુગમાં કોઇપણ હરિકથા કલ્પતરુ સમાન છે. હા એનું સેવન શ્રદ્ધાથી થવું જોઇએ. કથા માણસને, માણસના જીવનને જગાડે છે. સમાજમાં ઘણા એવા માણસો છે કે આજે પણ ઊંઘે છે. એવા ઊંઘતા માણસોને જગાડવા માટે રામકથા છે. આવો આપણે સાથે મળીને સર્વધર્મ સમભાવનું જીવન જીવતા શીખવીએ.
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ
 rameshwardashariyani@gmail.com

Thursday, October 1, 2015

પ્રેમ કોઇની સેવામાં લાગી જાય તો ભક્તિ બની જાય છે, માનસદર્શન, મોરારિબાપુ

પ્રેમ કોઇની સેવામાં લાગી જાય તો ભક્તિ બની જાય છે

તમારો પ્રેમ શ્રવણ કરવા માટે મજબૂર કરે તો એ ભક્તિ થઇ ગયો. તમારો પ્રેમ તમને કીર્તન કરતા રોકી ન શકે તો એ પ્રેમ ભક્તિ થઇ ગયો


  • જો જીવનમાં પ્રેમ ન હોય તો વંદન શું કામનું? પ્રેમ ન હોય તો અર્ચન એક એક્સરસાઇઝ થઇ જાય છે. પ્રેમ નથી તો કીર્તન શું કામનું? પ્રેમ નથી તો શ્રવણ શું કામનું? મારું તો આટલું જ માનવું છે કે પ્રેમ આ નવ પ્રકારની ક્રિયામાં પરિવર્તિત થાય છે ત્યારે ભક્તિ બની જાય છે. 



  • વ્યાસ પ્રેમ મારગના આચાર્ય છે. ભક્તિ મારગના આચાર્ય વ્યાસ છે. જ્ઞાન વ્યક્તિને સંકીર્ણ કરી દે છે. કોઇને ઇતિહાસનું જ્ઞાન. કોઇને ખગોળ-ભૂગોળનું જ્ઞાન. બધા જ્ઞાનમાં ખંડ ખંડ હોય છે અખંડ જ્ઞાન કોઇને રહેતું નથી એવી રામચરિતમાનસની ઘોષણા છે. 

  • પરંતુ ભક્તિમાર્ગના પ્રેમના આચાર્ય વ્યાસ છે એનો મતલબ એ થયો કે ભક્તિના આચાર્ય બહુ જ વિશાળ છે. વ્યાસનો અર્થ જ વિશાળતા થાય છે જે સૌનો સ્વીકાર કરે એ વ્યાસ છે. પ્રેમ માર્ગમાં કોઇનો અનાદર થઇ શકતો નથી. તો વ્યાસને પણ આચાર્ય માનવામાં આવ્યા છે. 

  • શુકદેવજી શુક્રાચાર્યને આચાર્ય માનવામાં આવે છે જ્યારે ભક્તિ અને પ્રેમમાર્ગના આચાર્ય શાંડિલ્ય ઋષિ છે. શાંડિલ્ય ઋષિએ પ્રેમ અને ભક્તિ અદભુત પ્રકાશ પાડ્યો છે.



  • ગર્ગાચાર્યનું નામ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલું છે. ભગવાન કૃષ્ણના ચરિત્ર સાથે જોડાયેલું છે. સાક્ષાત્ ભગવાન વિષ્ણુને અહીં ભક્તિ મારગના આચાર્યના રૂપમાં પ્રસ્થાપિત કરાયા છે કેમ કે ભક્તિ પાળે છે. ભક્તિ પોષે છે. ભક્તિ શોષક નથી એટલા માટે વિષ્ણુનું નામ આચાર્યરૂપે આવ્યું. 

  • કૌડિન્ય ઋષિ ભક્તિ મારગના આચાર્ય છે. 

  • શેષનારાયણ ભક્તિ મારગના અાચાર્ય છે. 

  • ઉદ્ધવનું નામ પણ નારદજીએ આચાર્યમાં મૂક્યું છે. 

  • આરુણી ઉપનિષદનું પાત્ર છે. ગુરુસેવા માટેનું ઉપનિષદનું એક બહુ મોટું ઉદાહરણ આરુણી છે. એમને પણ આચાર્ય કહ્યા છે. 

  • અને જે નામ ન હોય તો આચાર્યની આખી પરંપરા ફીકી લાગે છે. એ નામ છે આપણા હનુમાન ભક્તિ મારગના આચાર્ય છે. જે વ્યક્તિમાં અગિયાર પ્રકારની આસક્તિ આવી જાય ત્યાં ભક્તિ પ્રગટ થાય છે.



  •  કેમ કે એ મહાદેવના અગિયારમા રુદ્ર છે. 

  • ભક્તિ મારગમાં એવું માનવામાં આવ્યું છે કે પહેલા આસક્તિ છે પછી રતિ અને પછી ભક્તિ છે. અગિયાર પ્રકારની આસક્તિ ભક્તિને આગળ વધારે છે. 

  •  શ્રીહનુમાનજીમાં એક-બે ગુણ નથી એ સકલ ગુણનિધાન છે. પ્રત્યેક ગુણ નિધાન છે. 

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)


Read full article at Sunday Bhaskar.