Translate

Search This Blog

Sunday, December 25, 2016

ઇસુમાં જીવન, વિચારો અને વર્તનની સરળતા સહજ છે.

ઇસુમાં જીવન, વિચારો અને વર્તનની સરળતા સહજ છે.


  • ઇસુ એટલે ઇશ્વર. ઇશ્વર એટલે પરમાત્મા, બ્રહ્મ, ભગવાન, શિવ, જે અર્થ કરીએ એવું પરમતત્ત્વ-પરમાત્મા. 
  • ઇસુના જીવનની સરળતા, ઇસુના વિચારોની સરળતા, ઇસુના વચનની સરળતા અને ઇસુના વર્તનની સરળતા એ ચાર વસ્તુ ભગવાન ઇસુમાં સરળ અને સહજ છે. એમનાં વચન બિલકુલ સરળ છે. 
  • જે સરળ હોય છે એ સબળ હોય જ છે. સબળ હોય એ સરળ હોય જ એમ કહેવું મુશ્કેલ છે. ભગવાન સરળ હોવાને કારણે બહુ સબળ છે અને કરુણામય છે.
  • તો એમણે બહુ ટૂંકમાં સુંદર જવાબ આપ્યો કે, જ્યાં સત્ય હશે ત્યાં એની સાક્ષીમાં ઊભો રહેવા માટે હું આવ્યો છું.
  • આપણાં શાસ્ત્રોએ તો કહ્યું છે, ‘સત્યંવદ ધર્મંચર.’ આપણી સમગ્ર શાશ્વતી પરંપરા, પ્રવાહી પરંપરા કહે છે કે ‘સત્યંબ્રૂયાત્’, ‘પ્રિયંબ્રૂયાત’. ‘સત્યંવદિસ્યામિ.’ 
  • ગોસ્વામીજી સત્યની પ્રતિષ્ઠા ગાતાં એમ કહી દે છે કે જગતભરના ધર્મોનું મૂળ સત્ય છે-

સત્ય મૂલ સબ સુકૃત સુભાએ. 
બેદ પુરાન બિદિત મનુ ગાએ.


  • જિસસનું એક સૂત્ર તો એવું છે કે, જેને ધર્મને કારણે સતાવવામાં આવશે એને મારા પિતા પ્રેમ કરશે,
  • તુલસીએ કહ્યું, ‘સરલ સુભાવ ન મન કુટિલાઇ.’ આખું અધ્યાત્મ આવી ગયું. 
  • ઋગ્વેદનો મંત્ર છે-

સ્વસ્તિ પંથામનુ ચરેમ સૂર્યાચંદ્રસાવિવ.
પુનર્દદતાધ્નતા જાનતા સં ગમેમહિ.


  • એનો સંદેશ એવો છે કે ચંદ્ર અને સૂર્યની જેમ નિયમિત બનો. 
  • જિસસનાં દિનચર્યાનાં મહત્ત્વના સૂત્રો છે. 
  • પહેલું, ‘તમારો ચહેરો સ્મિતથી પ્રસન્ન અને સુશોભિત રાખવો.’ 
  • બીજું, પોતાની ખોજનું લક્ષ્ય રાખો. રોજ પોતાની ખોજ કરો અને નિજખોજમાં એટલા વ્યસ્ત થઇ જાઓ જેથી બીજાની નિંદા કરવાનો સમય જ ન રહે.
  • આગળનું સૂત્ર, ‘સૌને મિત્ર બનાવો, જેથી કોઇ શત્રુ નહીં રહે અને તમે આપોઆપ જ અજાતશત્રુ બની જશો.’ 
  • પછીનું સૂત્ર છે, ‘સદૈવ આશાવાદી અને સત્યવાદી રહો.’ 
  • આગળનું સૂત્ર છે, ‘ઉત્સાહશક્તિ મજબૂત કરો.’ 
  • આઠમું સૂત્ર, ‘ભૂતકાળની ભૂલોમાંથી બોધ લઇને ભવિષ્યના રસ્તાને સુધારો.’ 
  • નવમું સૂત્ર, ‘એ યાદ રાખો કે, વ્યક્તિત્વનો વિકાસ સત્કર્મોથી થશે, શબ્દોથી નહીં.’ કેવળ વ્યાખ્યાઓથી જીવન નહીં બને. સત્કર્મ કરવું પડશે.
  • આખરી વચન, ‘જ્યારે સંકટનો સમય હોય ત્યારે મનને નિરાશ થવાથી બચાવવું.’ જિસસનાં આ બધાં સૂત્રો સરળ છે. અને તેનાં મૂળ વેદમાં મળે છે.


સંકલન : નીતિન વડગામા


Read full article at Sunday Bhaskar.




Sunday, December 18, 2016

શ્રી ગિરિશભાઈ દેસાઈની ચિર વિદાય




જુઓ,મૃત્યુ આવ્યું, લઇ ગયું દુઃખ સર્વ તનના

અને આ આત્માને લઇ ગયું શ્રી હરિના શરણમાં.

જીવન નદી જયારે,ભળે પુનિત બ્રહ્મ જળમાં.

તો સ્વજન શાને સારે અશ્રુ આવી પૂણ્ય પળમાં.!

                                                                                              શ્રી ગિરિશ દેસાઈ



‘‘જુઓ મૃત્‍યુ આવ્‍યું, લઈ ગયું દુઃખ સર્વે તનના'' : યુ.એસ. સ્‍થિત એન્‍જીનીયર, હેન્‍ડીમેન તથા વિચારક શ્રી ગિરિશ દેસાઈની ચિરવિદાય

મૃત્યુ નવા જીવનનો શુભારંભ છે,


મૃત્યુ નવા જીવનનો શુભારંભ છે,


  • મારી સમજ મુજબ મૃત્યુ જ મોક્ષ છે. 
  • પરલોક જ પ્રશ્નાર્થ છે. આ લોકને સુધારો. આ લોકમાં એકબીજાના સહાયક બનો, કોઇનો દ્વેષ ન કરો, અખંડ સદ્દભાવના જાળવી રાખો. એ જ મોક્ષ છે. શબને શુકન માનવામાં આવે છે. 
  • અને શબ મળે છે તો આપણે ત્યાં શુકન માનવામાં આવે છે. કારણ કે એક એવો માણસ જાય છે જે કોઇની નિંદા નહીં કરે, ઇર્ષ્યા નહીં કરે, ખોટું નહીં બોલે, તુલના નહીં કરે, સ્પર્ધા નહીં કરે, ચોરી નહીં કરે, લૂંટ નહીં કરે, કાંઇ નહીં કરે! 
  • મૃત્યુ જ મોક્ષ છે. એના મૃત્યુના રહસ્યને આપણે સમજી લઇએ તો વર્તમાન જીવન બહુ જ ઉત્સાહપૂર્ણ થઇ શકે છે. સુખી થવું હોય તો મૃત્યુનો વિચાર જ ન કરો અથવા સ્વીકાર કરી લો. જે અવશ્ય થવાનું છે, જે જીવનનું ધ્રુવ છે, જે જીવનનું સત્ય છે એવા મૃત્યુનો આપણે સ્વીકાર કેમ ન કરીએ? જ્યારે આપણો જન્મ થયો’તો ત્યારે ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, તો આપણે આપણા મૃત્યુનો ઉત્સવ આપણે ખુદ કેમ ન મનાવીએ? મૃત્યુનું સ્વાગત કરીએ. ડરીએ શું કામ? શાંતિથી મૃત્યુ વિશે વિચારીએ તો જીવનમાં ક્યારેય મૃત્યુનો ડર નહીં લાગે. મૃત્યુ માંગલિક બની શકે છે. મૃત્યુ જ મોક્ષ છે. મોક્ષનો મતલબ છે કે સુખ અને દુ:ખનો વિચાર છૂટી જાય. અથવા તો સુખ અને દુ:ખ બંનેનો સ્વીકાર થઇ જાય. એ મૃત્યુમાં થાય છે. 
  • મોક્ષને માટે મરવું જરૂરી નથી. અંદર કેટલીક વાતો મરી જાય એ જ મોક્ષ છે. અને એ જે શીખી લે છે એનો વર્તમાન મંગલ ભવન થઇ જાય છે, માણસ પ્રસન્ન રહી શકે છે.
  • દરેક ગામમાં ક્યાંક ને ક્યાંક જયન્ત બેઠા હોય છે જે કોઇના જીવનમાં અકારણ ચંચૂપાત કરે છે! દરેક ગામમાં, દરેક ગલીમાં, દરેક ઘરમાં ક્યાંક ને ક્યાંક જયન્ત મળી જાય છે! 
  • રામના દ્રોહીને ક્યાંય જગ્યા નથી મળતી. અને રામ એટલે સત્ય, રામ એટલે પ્રેમ, રામ એટલે કરુણા. જે સત્યનો દ્રોહી છે, જે પ્રેમનો દ્રોહી છે, જે કરુણાનો દ્રોહી છે અેને વિશ્વમાં ક્યાંય જગ્યા નથી મળતી! એવા રામના દ્રોહીની સ્થિતિ કેવી હોય છે એ દર્શાવવા તુલસીએ પંક્તિ લખી-


માતુ મૃત્યુ પિતુ સમન સમાના.
સુધા હોઇ વિષ સુનુ હરિજાના.


  • માતુ મૃત્યુ, જે મા છે એ મોત થઇ જાય છે! ધ્યાનથી સાંભળજો. આ નકારાત્મક સૂત્ર છે અને હું હકારાત્મક ભૂમિકાએ મૃત્યુની વાત કરવા ચાહું છું એટલે ધ્યાનથી સાંભળજો. શંકરાચાર્ય કહે છે કે માતા કુમાતા નથી બનતી. અહીં તો મોત બની જાય છે! જે રામવિરોધી છે એની માતા મોત બની જાય છે! પિતા યમરાજ બની જાય છે! બાપ દંડ દેનારા યમરાજ થઇ જાય છે! રામદ્રોહીને માટે અમૃતનો પ્યાલો વિષ બની જાય છે! મિત્ર છે એ શત્રુ બની જાય છે! અને એમના માટે ગંગા યમપુરીની વૈતરણી બની જાય છે અને આખુંય જગત અગ્નિની માફક બળતું થઇ જાય છે! 
  • મૃત્યુ યજ્ઞ છે, મૃત્યુ હવન છે. લોકો મૃત્યુને અમંગલ માને છે પરંતુ એ યજ્ઞનું રૂપ છે. 
  • અને સાહેબ, બીજાનું બલિદાન આપવું સહેલું છે, ખુદનો હવન કરી દેવામાં ખુદાઇ છે. એ યજ્ઞની પ્રક્રિયા છે. 
  • રામસ્મરણ કરે છે એ મૃત્યુથી શું કામ ડરે? અને સ્મરણ જ મરણ પર વિજયી થશે. સ્મરણ વિના મરણ પર વિજયી થવું મુશ્કેલ છે. મૃત્યુ પણ એક નવા જીવનનો શુભારંભ છે. તો જીવનના પાઠ શીખીએ. જન્મના ઉત્સવની માફક મૃત્યુનો પણ ઉત્સવ થવો જોઇએ.

(સંકલન : નીતિન વડગામા)

Read Full Article at Sunday Bhaskar.



Saturday, December 17, 2016

માનસ કિન્નર

રામ કથા

માનસ કિન્નર

થાણે, મહારાષ્ટ્ર

શનિવાર, ૧૭-૧૨-૨૦૧૬ થી રવિવાર, ૨૫-૧૨-૨૦૧૬

મુખ્ય પંક્તિ

देव दनुज किंनर नर श्रेनीं। 

सादर मज्जहिं सकल त्रिबेनीं॥

................................                   1 - 43/4

देवता, दैत्य, किन्नर और मनुष्यों के समूह सब आदरपूर्वक त्रिवेणी में स्नान करते हैं॥।


सुर किंनर नर नाग मुनीसा। 

जय जय जय कहि देहिं असीसा॥

..................                           1 -264/2

देवता, किन्नर, मनुष्य, नाग और मुनीश्वर जय-जयकार करके आशीर्वाद दे रहे हैं॥



શનિવાર, ૧૭-૧૨-૨૦૧૬
રામ ચરિત માનસમાં કિંનર શબ્દ ૧૬ વાર વપરાયો છે.

  1. बंदउँ किंनर रजनिचर कृपा करहु अब सर्ब॥
  2. देव दनुज किंनर नर श्रेनीं। सादर मज्जहिं सकल त्रिबेनीं॥
  3. किंनर नाग सिद्ध गंधर्बा। बधुन्ह समेत चले सुर सर्बा॥
  4. देव दनुज नर किंनर ब्याला। प्रेत पिसाच भूत बेताला॥
  5. सिद्ध तपोधन जोगिजन सुर किंनर मुनिबृंद।
  6. किंनर सिद्ध मनुज सुर नागा। हठि सबही के पंथहिं लागा॥
  7. देव जच्छ गंधर्ब नर किंनर नाग कुमारि।
  8. सुर किंनर नर नाग मुनीसा। जय जय जय कहि देहिं असीसा॥
  9. अमर  नाग  किंनर  दिसिपाला।  चित्रकूट  आए  तेहि  काला॥
  10. मन हरष सभ गंधर्ब सुर मुनि नाग किंनर दुख टरे॥
  11. बैठ जाइ तेहिं मंदिर रावन। लागे किंनर गुन गन गावन॥
  12. गावहिं किंनर सुरबधू नाचहिं चढ़ीं बिमान॥
  13. नभ दुंदुभीं बाजहिं बिपुल गंधर्ब किंनर गावहीं।
  14. सुर मुनि सिद्ध नाग नर किंनर। चारि प्रकार जीव सचराचर।।
  15. नर गंधर्ब भूत बेताला। किंनर निसिचर पसु खग ब्याला।।



સમાજને ઘણા ઉદ્ધારક, સુધારક મળ્યા છે પણ સમાજને સ્વીકારકની આવશ્યકતા છે.

કર્મ પ્રધાન છે પણ કરૂણા પ્રેસિડેન્ટ છે.

સમાજનો તિરસ્કાર, અપમાન સહન કરવું એ મહાન તપ છે.

કિન્નર સમાજનું ઘરાનુ કૈલાશ છે.

सिद्ध तपोधन जोगिजन सुर किंनर मुनिबृंद।

बसहिं तहाँ सुकृती सकल सेवहिं सिव सुखकंद॥

सिद्ध, तपस्वी, योगीगण, देवता, किन्नर और मुनियों के समूह उस पर्वत पर रहते हैं। वे सब बड़े पुण्यात्मा हैं और आनंदकन्द श्री महादेवजी की सेवा करते हैं॥

અમૃત પિવાથી અમર નથી થવાતું પણ ઝેર પિવાથી અમર થવાય.

કિન્નર સમાજ મનુષ્ય સમાજથી ઉપરનો સમાજ છે.

કિન્ન્રર સમાજે રામ અને સીતાના વરમાળાના પ્રસંગે આશીર્વાદ આપ્યા છે.

કિન્નર સમાજ આશીર્વાદદાયક છે.


રવિવાર, ૧૮-૧૨-૨૦૧૬
 देव दनुज नर नाग खग प्रेत पितर गंधर्ब।
बंदउँ किंनर रजनिचर कृपा करहु अब सर्ब॥7 (घ)

देवता, दैत्य, मनुष्य, नाग, पक्षी, प्रेत, पितर, गंधर्व, किन्नर और निशाचर सबको मैं प्रणाम करता हूँ। अब सब मुझ पर कृपा कीजिए॥7 (घ)॥

ગોસ્વામી તુલસીદાસજી ૧૦ ની વંદના કરી તેમની કૃપા ચાહે છે.

દેવતાઓની વંદના કરવાથી તેમની કૃપા થતાં ઐશ્વર્યની પ્રાપ્તી થાય છે. લક્ષ્મી - ધન પણ ઐશ્વર્ય જ છે.
અહરનિશ રામ નામ જપવું, હરિ નામ જપવું, સાધુ સંગ એ પણ ઐશ્વર્ય છે.

દનુજ - અસુરની વંદના કરવાથી ખરાબ કાર્ય ન કરવાની પ્રેરણા મળે છે. ખરાબ કાર્ય કરવાનું પરિણામ અસુર ભોગવે છે એ જાણતાં તેવું કાર્ય ન કરવાની પ્રેરણા મળે છે.

નર - મનુષ્યની વંદના કરવાથી માનવી ઉપર માનવતાની કૃપા પ્રાપ્ત થાય છે, માનવ માનવને પ્રેમ કરવા લાગે છે.

નાગની વંદના કરવાથી નાગના મસ્તકમાં રહેલ મણિની કૃપા પ્રાપ્ત થાય છે. નાગના મસ્તકમાં જ્યાં ઝેર હોય છે તેની ઉપર મણિ હોય છે અને છતાં પણ મણિને ઝેરની અસર થતી નથી. પણ મણિના સ્પર્શથી ઝેર ઊતરી જાય છે.

 बिधि बस सुजन कुसंगत परहीं। 

फनि मनि सम निज गुन अनुसरहीं॥5॥

दैवयोग से यदि कभी सज्जन कुसंगति में पड़ जाते हैं, तो वे वहाँ भी साँप की मणि के समान अपने गुणों का ही अनुसरण करते हैं। (अर्थात्‌ जिस प्रकार साँप का संसर्ग पाकर भी मणि उसके विष को ग्रहण नहीं करती तथा अपने सहज गुण प्रकाश को नहीं छोड़ती, उसी प्रकार साधु पुरुष दुष्टों के संग में रहकर भी दूसरों को प्रकाश ही देते हैं, दुष्टों का उन पर कोई प्रभाव नहीं पड़ता।)॥5॥

સમાજમાં રહેવા છતાં વિષાદ આપણને અસર ન કરે તેવી કૃપા પ્રાપ્ત થાય છે.

ખગની - પક્ષીની વંદના કરવાથી અહંકાર ન કરવો તેવી કૃપા પ્રાપ્ત થાય છે. પક્ષીને પાંખ હોય છે અને તે ઊચી ઊડાન કરે છે પણ કદી તેનો અહંકાર નથી કરતું.

ભૂત એટલે ભૂતકાળ અને પ્રેત એટલે ભવિષ્યકાળ

પિતૃઓની વંદના કરવાથી આયુષ્ય, યશ અને તંદુરસ્તી સારી રહે તેવી કૃપા થાય છે.

ગંધર્વોની વંદના કરવાથી શુભ વિદ્યા, શુભ કળાની પ્રાપ્તી થાય છે.

કિન્નરોની વંદના કરવાથી ગાવાનું વરદાન પ્રાપ્ત થાય છે.

પ્રેમી ગાયન કરે, પ્રેમી ગાયા વિના ન રહી શકે.

ગાવાથી તંદુરસ્તી સુધરે એવી એક થેરાપી પણ છે.

કિન્નરો પાસે એક વિશેષ પ્રકારની તાળી પાડવાની કળા છે.

रामकथा सुंदर कर तारी। 

संसय बिहग उड़ावनिहारी॥

સ્વર, સુર (સુરમય સ્વર), તાલ, લય, અને રાગ પાંચનું પંચાંગ કિન્નર ગાયનમાં હોય છે.

રજની જનની વંદના કરવાથી બેસુર ન થવાય તેવી કૃપા પ્રાપ્ત થાય છે.

કિન્નર સમાજ હંમેશાં નારી વેશમાં જ હોય છે. નારીનાં બે રૂપ હોય છે, માયા રૂપ નારી અને ભક્તિ રૂપ નારી.

કિન્નર સમાજનો નારી વેશ ભક્તિ રૂપ નારી છે.

કિન્નર સમાજ શુકનવંત છે.

કિન્નર સમાજ મજાક ન કરે, ભક્તિ રૂપ નારી મજાક ન કરે.

કિન્નર સમાજ ઉદાર છે.

કિન્નર સમાજ તપસ્વી છે.

તપ નવિન સર્જન કરે, પરિપાલન કરે અને સંહાર પણ કરે.

तपबल रचइ प्रपंचु बिधाता। 

तपबल बिष्नु सकल जग त्राता॥

तपबल संभु करहिं संघारा। 

तपबल सेषु धरइ महिभारा॥

तप अधार सब सृष्टि भवानी। 

करहि जाइ तपु अस जियँ जानी॥

तप के बल से ही ब्रह्मा संसार को रचते हैं और तप के बल से ही बिष्णु सारे जगत का पालन करते हैं। तप के बल से ही शम्भु (रुद्र रूप से) जगत का संहार करते हैं और तप के बल से ही शेषजी पृथ्वी का भार धारण करते हैं॥ हे भवानी! सारी सृष्टि तप के ही आधार पर है। ऐसा जी में जानकर तू जाकर तप कर।


_________________________________________________________________________________


The article displayed below is with the courtesy of akilanews.

Read the article at its source link.


  • પૂ. મોરારીબાપુ મારા પિતાતૂલ્ય... આઇ લવ યુ બાપુ...: કિન્નર લક્ષ્મીનારાયણ

કિન્નર સમાજ ભીખ માંગવા આવતો નથી, આર્શિવાદ આપવા આવે છેઃ પૂ. મોરારીબાપુઃ મહારાષ્ટ્રના થાણેમાં આયોજીત 'માનસ કિન્નર' શ્રીરામકથાનો ત્રિજો દિવસ

કિન્નર અખાડાના મહા મંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ શ્રીરામકથામાં પ્રવચન આપ્યુ હતું પૂ. મોરારીબાપુએ તેમનું શાલ આપીને સન્માન કર્યુ હતું. અન્ય તસ્વીરોમાં લક્ષ્મીનારાયણ ત્રિપાઠીનું પ્રવચન સાંભળતા પૂ. મોરારીબાપુ તથા શ્રીરામ કથાનું રસપાન કરતા શ્રોતાજનો નજરે પડે છે. (પ-૪)
      રાજકોટ તા. ૧૯    '   પૂ. મોરારીબાપુ મારા પિતા તુલ્ય છે આઇ લવ યુ બાપુ   '    તેક કહીને કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર  લક્ષીનારાયણ ત્રિપાઠીએ  મહારાષ્ટ્રના થાણેમાં આયોજીત શ્રીરામ કથાના પ્રથમ દિવસે  જણાવ્યુ હતું.
      કિન્નર અખાડાની આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી (કિન્નર) એ ભીની આંખે કહયું કે આજે હું ધન્ય થઇ છું   ,    મારી બન્ને તરફ પિતા છે   ,    મોરારીબાપુ અને જગદ્ગુરૂ શંકરાચાર્યજી આ બન્ને પિતાઓની વચ્ચે છું. અમે અહલ્યા છીએ   ,    પણ બાપુએ અમને સ્પર્શ કર્યો એટલે ધન્યા થયા. આ વિશિષ્ટ - અમરા સમાજ માટેની રામકથા આવનારી હજારો પેઢી આ કથાને યાદ કરશે. હું સદ્દનસીબે છું કે મારા માતા-પિતાએ મારો ત્યાગ નથી કર્યો   ,    એણે મને ઉછેરી- ભણાવી --ગણાવી છે.
      પૂ. મોરારીબાપુના વ્યાસાસને જેને સમાજ ઉપેક્ષીતો તરીકે ગણે છે તેવા કિન્નર સમાજ માટે પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામ કથાનો શનીવારે પ્રારંભ થયો હતો.
      જગદ્ગુરુ શંકરાચાર્યજી સ્વામી વાસુદેવાનંદજી મહારાજ   ,    કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી થાવરચંદ ગેહલોત અને કથાનું કેન્દ્રીય વ્યકિતત્વ કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષીનારાયણ ત્રિપાઠી વગેરે મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય થયું હતું.
      જગદ્દગુરૂ શંકરાચાર્યજીએ પ્રવચનમાં કહ્યું કે -જયારથી સન્યાસ લીધો અને પછી આ આચાર્યપીઠનું પદ મળ્યું ત્યાં સુધીમાં અસંખ્ય સભાઓ- કથાઓ જોઇ-સાંભળી છે પણ આવી કથા પ્રથમ વખત અનુભવીશ. લક્ષ્મીજીએ મને ફોનમાં નિમંત્રણ આપ્યું હત્યારે મેં તરત કહયું કે હું ચોકકસ આવીશ. કેમ કે કિન્નર સમાજ માટે કદી   ,    કોઇએ   ,    કયારેય આવી ચિંતા નથી કરી. કેન્દ્રીય મંત્રીશ્રી ગેહલોતજીએ પણ આ વિશિષ્ટ રામકથા તથા પોતાના દ્વારા કિન્નર સમાજના ઉત્થાન માટે થયેલા કાર્યો વિશે વાત કરતા જણાવ્યું હતું કે   ,    પૂજય મોરારીબાપુ અને જગદ્દગુરૂ શંકરાચાર્યજી મહારાજના સાન્નિધ્યમાં એક વિશિષ્ટ રામકથામાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું. કિન્નર સમાજ માટે મેં મંત્રી તરીકે   ,    મારા કાર્યક્ષેત્રમાં સમાજકાર્ય છે એટલે મેં દરખાસ્ત મુકી છે જે હવે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થશે પણ લક્ષ્મીજી અને એના કિન્નર અખાડા માટે પણ મેં એમને મદદ કરી છે   .
      પૂ. મોરારીબાપુએ કહ્યું કે   ,    બધી જ રામકથાઓ મને પ્રસન્નતા આપે છે પણ આ કિન્નરો માટેની રામકથા મને વિશેષ પ્રસન્નતા આપે છે પણ આ કિન્નરો માટેની રામકથા મને વિશેષ પ્રસન્નતા આપી રહી છે. લક્ષ્મીજી મને મળવા આવ્યા ત્યારે પણ મેં કહેલું કે યજમાન અને સંપૂર્ણ કથાની વ્યવસ્થા અમે કરીશું તમે ભારતભરના જ નહીં પણ દુનિયાના અન્ય દેશોનાં કિન્નરોને પણ આ કથામાં નિમંત્રણ આપો   ,    બધાં જ લોકો પ્રેમથી આવો.
      દેવ દનુજ કિન્નર શ્રેની  સાદર મજજહિ સકલ ત્રિબેની  સુર કિન્નર નર નાગ મનીસા જય જય જય કહિ દેહિ અસીસા
      રામચરિત માનસની ઉપરોકત તુલસી કૃત પંકિતઓને કેન્દ્રસ્થ અને એક વિશિષ્ટ - અદ્દભુત રામકથા    '   માનસ કિન્નર   '    નો મહારાષ્ટ્રની થાણા (પશ્ચિમ) ભૂમિ પર મંગલમય પ્રારંભ થયો હતો. આપણા સમાજના ઉપેક્ષિત કિન્નર સમાજ માટે અને રામચંદ્રજી પણ કિન્નરની પાસે ગયા છે એ સંદર્ભોને યાદ રાખીને બાપુએ કહયું કે આ કિન્નર સમાજે રામચંદ્રજીને પણ લગ્ન વખતે આશીર્વાદ આપ્યા છે. જે રામને આશીર્વાદ આપી શકે છે તે આમ (સામાન્ય પ્રજા) ને ય આશીર્વાદ આપી શકે છે. મારા મનમાં તો આ કૈલાસી મનોરથ હતો જ પણ આજે પ્રથમ દિવસે જગદ્દગુરૂ ભગવાન શંકરાચાર્યજી (સ્વામી વાસુદેવાનંદજી મહારાજ) ઉપસ્થિત રહ્યાં એ મારા માટે   ,    આપણા માટે મોટા આશીર્વાદ છે. આ કિન્નર સમાજે લોકોનો તિરસ્કાર અને અપમાનો સહન કર્યા છે. મારી દ્રષ્ટિએ સમાજનો તિરસ્કાર અપમાન સહન કરવા એ પણ તપ જ છે. આપણને આ નવ દિવસ મળ્યા છે. એ પ્રાયશ્ચિતનો ભાવ છે. અને હું તો કહેતો જ રહ્યો છું કે હું સુધારક નથી   ,    સ્વીકારક છું. સુધારવાનું બંધ કરી સૌને છેવાડાના માણસને પણ સ્વીકારવાનું શરૂ કરો.
      પૂ. મોરારીબાપુએ કહયું કે   ,    કિન્નરો ભીખ માંગવા માટે નહી પરંતુ સારા પ્રસંગોમાં આશીર્વાદ આપવા આવે છે.
      કાલે બીજા દિવસે શ્રીરામકથામાં પૂ. મોરારીબાપુએ કહયું કે   ,    ઓશોનું એક સુંદર વિધાન છે. પ્રતિમા હંમેશા કઠણ હોય છે પણ પ્રતિભા કાયમ કોમળ-વિનમ્ર હોય છે. જે કોઇ મહાનતત્વની પ્રતિમા કઠણ હોય પણ એ પ્રતિભા હંમેશા વિનમ્ર જ હોવાની. બીજા દિવસની રામકથામાં પણ જગદ્દગુરૂ શંકરાચાર્ય સ્વામી દેવાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતાં અને સમગ્ર કથાનું શ્રવણ કર્યુ હતું. કથા પ્રારંભ તેઓએ તેમના સંક્ષિપ્ત પ્રવચનમાં સરસ વાત કરી હતી કે આપણે સૌએ આ કિન્નર સમાજને આપણી સાથે સામાન્ય જન પ્રવાહમાં જોડવા જરૂરી છે. અને હવે પછી જે કુંભનું આયોજન છે તેમાં પણ કિન્નર અખાડાને નિમંત્રણ મળવું જોઇએ. હું પણ એ માટે લક્ષ્મીજીને અને એના સમાજને નિમંત્રણ આપું છું અને કુંભમાં એમને સ્થાન મળે એ માટે પ્રયત્નો કરીશ. ગઇકાલે ભારત સરકારના મંત્રી ગેહલોતજીએ પણ કિન્નર સમાજ માટે સરકાર તરફથી જે સહયોગ   ,    સ્થાન   ,    માન   ,    પાન મળનાર છે એ આપણા સૌ માટે શુભ નિશાની છે.
      શ્રીરામ કથાનો આજે ત્રીજો દિવસ છે. સંચાલન હરિશ્ચંદ્ર જોષી કરી રહ્યા છે.
      '   લક્ષ્મી   '    રૂપી પાદુકાઓ જગદગુરૂના ચરણોમાં પુનઃ સ્થાપિત
      રાજકોટઃ.    '   માનસ કિન્નર   '   ના પ્રથમ દિવસે બાપુએ કથાના પ્રારંભે જ કથા મંડપમાં કિન્નરો વચ્ચે બેસેલા કિન્નર અખાડાના આચાર્યા મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી અને (સુપ્રસિદ્ધ પુસ્તક    '   હું લક્ષ્મી હિજડો   '   ના લેખીકા) કિન્નર સમાજ માટે નિરંતર પ્રવૃત લક્ષ્મીજીને બાપુએ પ્રેમપૂર્વક વ્યાસપીઠ પર બોલાવીને   ,    જગદગુરૂ શંકરાચાર્યજી મહારાજની બાજુમાં જ એમના ચરણોમાં બેસવાનું નિમંત્રણ આપ્યુ હતું. ત્યારે સમગ્ર કિન્નર લોકો અને સૌ શ્રાવકો-ભાવકો-ભકતોએ આ ઐતિહાસિક ઘટનાને તાળીઓના ગડગડાટ સાથે હર્ષોલ્લાસ અને આનંદ સાથે વધાવી હતી.
      પૂ. મોરારીબાપુએ કહ્યુ કે આ લક્ષ્મીજીને કથા આપી અને આજે પ્રથમ દિવસે જ જગદગુરૂ ભગવાન શંકરાચાર્યજી મહારાજે મ્હોર મારી અને પ્રમાણપત્ર નહી પણ પ્રેમપત્ર આપ્યો છે. તલગાજરડા આજે ગદગદ છે. જે પાદુકાઓને સમાજે ઠોકર મારી હતી એ    '   લક્ષ્મી   '   રૂપી પાદુકાઓ આજે જગદગુરૂના ચરણોમાં પુનઃ સ્થાપિત થઈ છે.
      નોટબંધીની જાહેરાત બાદ કથા કરવી મુશ્કેલરૂપ કામ
      રાજકોટઃ. શનિવારે    '   માનસ કિન્નર   '    રામકથામાં પૂ. મોરારીબાપુએ તા. ૮ નવેમ્બરની નોટબંધીની જાહેરાતને ટાંકીને જણાવ્યુ કે   ,    નોટબંધીની જાહેરાત બાદ કથા કરવી મુશ્કેલીભર્યુ કામ છે તેમ છતા મહારાષ્ટ્રમાં આયોજકોએ પુરતી વ્યવસ્થા કરી લીધી છે.

      ગઈકાલે પણ પૂ. મોરારીબાપુએ કહ્યુ કે   ,    આજકાલ આ નોટબંધીને કારણે ઘણા ઘણા લોકોને અસર થઈ છે. અરે યાર! અમારી કથાઓનેય અસર થઈ હશે. આજકાલ જે સાંપ્રત ઘટનાઓ બને છે એને પણ હું તમારી વચ્ચે સામાન્ય કહુ   ,    વહેંચુ. આજકાલ બેંકની પાસે લોકોને લાઈનમાં ઉભા રહેવુ પડે છે એ બાબતે એક બુઝુર્ગ-વૃદ્ધનો જવાબ મને કોઈએ કહ્યોએ જવાબ તમારી વચ્ચે સાર્વજનિક કહુ. કોઈએ એ વૃદ્ધ-બુઝુર્ગને પૂછયુ કે નોટ બદલવાની લાઈનમા ઉભા છો   ?    પહેલા બુઝર્ગે જે જવાબ આપ્યો  એ વંદનીય છે   ,    પ્રસંશનીય   ,    પ્રેરણાદાયી છે. વૃદ્ધે કહ્યુ કે    '   ના હું તો દેશ બદલવાની લાઈનમાં ઉભો છું!   '(   ૨-૮)


_________________________________________________________________________________



સોમવાર, ૧૯-૧૨-૨૦૧૬

કિન્નર સમાજ એ એક વિશેષ જાતિ છે જેનું મૂળ સ્થાન કૈલાશ છે અને તે શિવ ગાન કરે છે.

અમર કોષમાં કિન્નર શબ્દનો અર્થ દર્શાવ્યો છે.

કિન્નર શબ્દાના અર્થ નિચે પ્રમાણે છે.


  • મંગલ મૂખ
  • નર
  • નર નારાયણ
  • બ્રહ્મ - ઈશ્વર
  • મહાદેવ
  • સેવક
  • કલમની શાખા જે લેખની છે

અર્જુન એક વર્ષ માટે કિન્નર બને છે અને શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની વિભૂતિ ગણાવે છે.

દર્દનો કોઈ ધર્મ નથી, દવાનો કોઈ ધર્મ નથી તેમજ દિવાનગીનો પણ કોઈ ધર્મ નથી. આ ત્રણેય
બિનસાંપ્રદાયિક છે.

બુદ્ધપુરૂષ કોઈ સ્થળે ક્ષણિક પણ જાય છે તો તે સ્થળ શુદ્ધ બની જાય છે.

દિવ્ય સ્નાન એ છે જે જ્યારે સૂર્યનો પ્રકાશ હોય અને વરસાદ પણ વરસતો હોય અને તે વરસાદમાં સ્નાન કરવામાં આવે.

કથા ગાન અને કથા શ્રવણ પણ સ્નાન છે.

દેવ લોકો પ્રાતઃ કાળમાં સ્નાન કરે - સૂર્યોદય પહેલાં સ્નાન કરે.

મનુષ્ય સવારથી સાંજ દરમ્યાન ગમે ત્યારે સ્નાન કરે.

કિન્નર સૂર્યોદય અને બપોરના સમયના વચ્ચે સ્નાન કરે.

અસુર - દનુજ રાત્રીના સમયે સ્નાન કરે.

_________________________________________________________________________________

The article displayed below is with the courtesy of akilanews.

Read full article at the source link.

કિન્નરની સાધના એટલે નૃત્યુઃ પૂ.મોરારીબાપુ
મહારાષ્ટ્રના થાણેમાં આયોજીત ''માનસ કિન્નર'' શ્રીરામ કથાનો ચોથો દિવસ


  • Read the article at source link mentioned above to view the pictures.




  • ઉપરની તસ્વીરમાં પૂ. મોરારીબાપુ શ્રીરામકથાનુ રસપાન કરાવતા નજરે પડે છે. નીચેની તસ્વીરમાં કિન્નર સમાજના મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી તથા રાસે રમતા અન્ન કિન્નર નજરે પડે છે.

   
રાજકોટ તા. ર૦ :    ''   કિન્નરની સાધના એટલે નૃત્ય   ''    તેમ પૂ. મોરારીબાપુએ શ્રીરામકથાના ચોથા દિવસે જણાવ્યું હતું.
      પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે, ભગવાનની કથા આચરણ આપે છે અને દિલના દુઃખ ધોઇ નાખે છેઅને અહંકારને વિનમ્ર બનાવે છે.
      પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે, જુના કથાકારોમાં ગોપીભાવના દર્શન થતા હતા અને પૂ.મોરારીબાપુએ જણાવ્યું કે   ,    શ્રીરામ કથાના શ્રવણથી બાળકોમાં પણ સારા સંસ્કારનું સિંચન થાય છે.
      પૂ. મોરારીબાપુએ આજે    ''   પૂનમની રાત આવી પૂનમની રાત...   ''   નું ગાયન કરતા લોકો તેના તાલે ઝુમી ઉઠયા હતા તેમજે    ''   ભલા મોરી રામા   ''   નું પણ ગાયન કર્યુ હતું.
      ગઇકાલે શ્રીરામ કથાના ત્રીજા દિવસે પૂ. મોરારીબાપુએ કહ્યું હતું કે દર્દ   ,    દવા અને દિવાનગીએ બિનસાંપ્રદાયીક છે. દર્દને કોઇ મજહબ કે સંપ્રદાય નથી હોતો દવા અને દિવાનગી પણ સાંપ્રદાયિક નથી એ સૌની પોતીકી અનુભુતીઓ છે હિંદુસ્તાન પાસે આંખ છે.સ્વર્ગ પાસેએ આંખ નથી. કિન્નરના દેવ આપણે ત્યાં કુબેરને માનવામાંં આવે છે અને જેના દેવ સ્વયં કુબેર હોય એ કયારેય કોઇ પાસે માંગે નહિ   ,    કયારેય હાથ લાંબો ન કરે સંશયએ પતનનું બીજ છે. ખાસ કરીને આ સંશય એ ઉર્ધ્વતા વિકાસનું બીજ છે.
      આંખ મેં તૈરતી હૈ તસ્વીર
      તેરા ચહેરા   ,    તેરા ખ્યાલ લીયે.
      આઇના દેખતા હૈ જબ મુજકો
      એક માસુમ સા સવાલ લીયે !
      બાપુએ મહાભારત અને વેદવ્યાસજીનો સંદર્ભ આપતા અર્જુન પણ એક વર્ષ કિન્નર બને છે. એની વિશદ વાત કરી હતી. કથા દરમિયાન સાત્વિક તાત્વિક ચર્ચાઓની સાથે કિન્નરોના ગાન અને નૃત્યની વાત કરતી વખતે બાપુએ દુહા   ,    ગુજરાતી   ,    ચારણી સાહિત્યના છંદ અને દુહાનો દોર શરૂ કર્યો હતો. એટલું જ નહિ. પણ કથામંડપમાં ઉપસ્થિત લક્ષ્મીજી સહિત કેટલાક કિન્નરોને વ્યાસપીઠ ઉપર રાસ-ગરબાને નૃત્ય માટે નિમંત્રણ આપ્યું હતું.
      પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યું કે કિન્નરના ઘણા અર્થો છે ભિન્ન-ભિન્ન સંદર્ભામાં એના અર્થો મળે છે સંસ્કૃતના એક શ્લોકમાં પણ કિન્નરનો મહિમા ગવાયો છે કિન્નરને મંગલમુખ પણ કહેવાય છે કિન્ન એટલે નર નારાયણ એવો પણ એક અર્થ મળે છેઅને તુલસીદાસજી કિષ્કિધાકાંડની માનસની આ પંકિતઓમાં પ્રમાણ આપે છે.
      તુલસીજી પ્રથમ શબ્દ    '   કી   '    લખે છે અને પછી    '   નર   '    એમ કહીને    '   કિન્નર   '   નો મહિમા નારાયણ સ્વરૂપે કરે છે. કિન્નરનો એક અર્થ બ્રહ્મ પણ છે   ,    એટલે કે   ,    ઇશ્વર એટલે કિન્નરો ઇશ્વરસ્વરૂપ છે. બ્રહ્મસ્વરૂપ છે અને આમ પણ બ્રહ્મ શબ્દ પુલ્લિંગ કે સ્ત્રીલ્લિંગ નથી નાન્યતર જાતિ છે બ્રહ્મ તત્ત્વ કેવું એમ કહેવાય છે અને કિન્નરનો બીજો અર્થ છે.
      આપ કથાકાર છો કે કિન્નર    ???
      શ્રીરામકથામાં કોઇએ પૂ. મોરારીબાપુને પત્ર લખીને પુછયુ કે આપ કથાકાર છો   ?    કે કિન્નર    ?     જેના જવાબમાં પૂ. મોરારીબાપુએ કહ્યું કે   ,    હું તો કથાના માધ્યમથી આધ્યાત્મિકતા તરફ આગળ વધુ છું અને કિન્નર સમાજને આદર આપું છે.
      હવેથી નર   ,    નારી   ,    કિન્નર લખાશેઃ
      ભારત સરકાર દ્વારા સ્વીકૃતિઃ પૂ.મોરારીબાપુએ સામાજીક રીતે સ્વીકાર્યા
      રાજકોટ તા. ર૦ :    ''   હવેથી નર નારી અને કિન્નર એમ લખાશે   ''    તેવી જાહેરાત ચાલુ કથામા જાણીતા લેખક નગીનદાસ સંઘવીએ જણાવ્યું હતું.
      નગીનદાસ સંઘવીએ વધુમાં જણાવ્યું કે ભારત સરકારે વિશેષ કાયદાને સ્વીકૃતિ આપી દીધી છે જેથી સરકારી ડોકયુમેન્ટસમાં નર   ,    નારી તો લખાય છેતેમા ત્રીજુ નામ    ''   કિન્નર   ''    એવુ પણ લખવામાં આવશે.
      તેથી ભારત સરકારે કિન્નર સમાજને કાયદાકીય રીતે તેમજ પૂ.મોરારીબાપુએ સામાજીક રીતે સ્વીકાર કર્યો છે.
      મે બેન્કની લોન લીધી   '   તી
      જુના પ્રસંગને યાદ કરતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે મે નાગરીક બેન્કમાંથી જયારે હુ શિક્ષક હતો.ત્યારે લોન લીધી હતી. તે માંડ પુરી કરી શકયો હતો હાલમાં તે બેન્કમાં હું શેર હોલ્ડર છું.
      ઇન્કમટેક્ષ ભરો છો    ?    તેના જવાબમાં પૂ. મોરારીબાપુએ કહયું કે   ,    સાધુને સાધુ જ રહેવા દો અને મને કોઇ સરકારી સુવિધા જોઇતી નથી. માત્ર વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફીક પોલીસનો કે સિકયુરીટીનો સહયોગ લેવો પડે છે.
      મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ કથા કરે તો સાડી પહેરીને  જજો
      રાજકોટ : પૂ. મોરારીબાપુએ શ્રીરામકથાના ચોથા દિવસે રમજુમા જણાવ્યું હતું કે કિન્નર સમાજના મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી કથા કરે તો તમે બધે તેમ કહીને પોતાના સાજીંદાઓને સાડી પહેરીને તબલા   ,    પેટી વગાડવા જવાની છુટ આપી હતી.પરંતુ તે સમયે પોતાની કથા ન હોય તો જજો તેમ કહ્યું હતું.
   તેમજ યજમાન પરિવારને પણ આ વ્યવસ્થામાં સહભાગી થવા જણાવ્યું હતું.


_________________________________________________________________________________

The articles displayed below are with the courtesy of akilanews.





  • મહારાષ્ટ્રના થાણેમાં આયોજીત 'માનસ કિન્નર' શ્રીરામ કથાનો પાંચમો દિવસઃ ભગવાન શ્રીરામ જન્મોત્સવની ઉજવણી

Read this article at its source link.



રાજકોટ તા. ર૧ :..    '   પ્રેમ હોય ત્યાં પ્રભુ પ્રગટે છે   '    તેમ પૂ. મોરારીબાપુએ મહારાષ્ટ્રના થાણેમા આયોજીત    '   માનસ કિન્નર   '    શ્રીરામ કથાના પાંચમાં દિવસે જણાવ્યું હતું. અને  ધાર્મિકતા   ,    આરાધના તરફ વળવા જણાવ્યું હતું.
      માનસ રામકથામાં આજે ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અને કિન્નરો દ્વારા ગાયન અને નૃત્ય રજુ કર્યુ હતું.
      પૂ. મોરારીબાપુએ કહયું કે   ,    રામતત્વ અલૌકિક છે. ધર્મની હાની થાય   ,    અસુરો   ,    અનીતી વધે   ,    સાધુ વિપ્રને કષ્ટ વધે   ,    ત્યારે દેશની રક્ષા માટે ભગવાન અવતાર લે છે.
      પૂ. મોરારીબાપુએ કહ્યું કે કાવ્યમાં પ્રેમ શાસ્ત્રના દર્શન થાય છે. આ દેશમાં કવિ કે સાહિત્યકારો ઓછા નથી. પરંતુ આપણે તેઓનું વાંચન નથી કયુ. અને તેઓ દ્વારા કરાયેલા સંશોધન સામાજીક રીતે ખુબ જ આગવી ઓળખ આપે છે.
      પૂ. મોરારીબાપુએ કહયું કે જયારે સમાજમાં સમધર્મીઓ એકબીજાને દાદ દેવા લાગશે. ત્યારે સમાજમાં સોનાનો સૂરજ ઉગશે.
      પૂ. મોરારીબાપુએ ગઇકાલે શ્રીરામ કથામાં કહયું કે   ,    મહાભારતના શિખંડીની કથા અને સંદર્ભે કર્ણના ચરિત્રને પણ થોડોક સ્પર્શ આપીને યુધ્ધનું રમ્ય વર્ણન અદ્દભુત રીતે પ્રસ્તુત કર્યુ હતું. એક શ્રાવકનો હળવાશભર્યો પત્ર હતો કે બાપુ તમે કથાકાર છો કે કિન્નર    ? (   બાપુએ હળવાશથી કહયં    ,    હા   ,    હવે ઇ એક બાકી હતું!) કલાકાર છો કે પાગલ   ?    બાપુ છો કે ડાકુ    ?    સાધુ છો કે ભિક્ષુક   ?    અને છેલ્લે એક સરસ પ્રશ્ન હતો કે બાપુ   ,    અમે તમને કયારે ભુલી જશું    ?    બાપુએ  કહયું કે   ,    અસંભવ. પણ હા   ,    તુમ અગર ભૂલ ભી જાઓ તો યે હકક હૈ તુમકો   ,    મેરી બાત ઔર હૈ. મૈંને તો મુહોબ્બત કી હૈ. મારા શ્રોતાઓ - શ્રાવકો સાથે મારી મમતા છે. બાપુએ કિન્નર અખાડાના આચાર્યા મહામંડલેશ્વર લક્ષ્મીજીને પણ કથા ગાવા માટે પ્રેરણા આપી હતી કે તમે વિદ્વાન છો   ,    તમે તમારા સમાજ વિશે કથા ગાવ અને તમે કથા કહેશો ત્યારે એનું દીપ પ્રાગટય હું કરીશ.
      પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે   ,    બંગાળના એક લોક કથામાં પણ એક અતિ વિચિત્ર કથાનક મળે છે.   ,    જેમાં કાલીમાતા કૃષ્ણ બને છે અને મહાદેવ રાધા બને છે   ,    માંધાતા-જે પુરૂષથી જન્મેલો છે   ,    મંદાસ્વન નામનું એક પાત્ર જે સ્ત્રી-પુરૂષ બન્ને છે.   ,    ભગીરથ વિશે એવી વાત છે એ બે સ્ત્રીઓથી જન્મેલો છે   ,    ઇરાવાન અને આ મા બહુચર   ,     અર્જુન   ,    ઇન્દ્ર   ,    અરૂણ   ,    ઇલા કે જે ચંદ્ર ઝાંખો થવાથી પુરૂષ બની જાય છે   ,    રાણીએલી   ,    કોપરુનચૌલુરાજા અને નારદ પોતે - આ બધા જ ચરિત્રો - વ્યકિતત્વો એ પરમાત્માના અતિ વિચિત્ર સર્જનો છે. (પ-ર૪)
 





  • રામજન્મ પછી વિજ્ઞાન-વિવેકનો સૂર્યોદય થાયઃ પૂ. મોરારીબાપુ

મહારાષ્ટ્રના થાણેમાં 'માનસ કિન્નર' શ્રીરામ કથામાં 'નામકરણ' પ્રસંગની ઉજવણીઃ છઠ્ઠો દિવસ

Read this article at its source link.



રાજકોટ તા. રર :..    '   શ્રીરામ જન્મ   '    પછી વિજ્ઞાન - વિવેકનો સૂર્યોદય થયો હતો તેમ કહીને પૂ. મોરારીબાપુએ મહારાષ્ટ્રના થાણેમાં આયોજીત    '   માનસ કિન્નર   '    શ્રીરામ કથાના આજે છઠ્ઠા દિવસે રામ   ,    લક્ષ્મણ   ,    ભરત   ,    શત્રુધ્નના નામકરણનો પ્રસંગ વર્ણવતા જણાવ્યું કે ભગવાન શ્રીરામના જન્મ બાદ એક મહિનાનો દિવસ હોય તેવુ વાતાવરણ અયોધ્યામાં અનુભવાયુ હતું. અને ૩૦ દિવસ સુધી લોકોએ ઉત્સવ ઉજવ્યો હતો.
      પૂ. મોરારીબાપુએ  કહયું કે આપણે જયારે શ્રીરામકથાનું ૯ દિવસ સુધી રસપાન કરીએ છીએ. ત્યારે દિવસો કેમ જતા રહે છે તેની ખબર પડતી નથી. તેવી જ રીતે અયોધ્યામાં તો ભગવાન શ્રીરામનો જન્મ થયો હોય ત્યારે વાત જ શું કરવી.
      પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે   ,    અયોધ્યામાં રામજન્મ બાદ શિવજી અને પાર્વતી બન્ને અયોધ્યામાં બાળ સ્વરૂપ શ્રીરામ ભગવાનના દર્શન માટે ગયા હતાં.
      પૂ. મોરારીબાપુએ કહયું કે   ,    આપણી પાસે કોઇપણ વિદ્યા હોય તે શ્રીરામના દર્શન કરાવે છે. અને પરમતત્વ સુધી પહોંચી શકાય છે.
      પૂ. મોરારીબાપુએ ગઇકાલે કથાના પાંચમા દિવસે જણાવ્યુ છે કે   ,    સૂરજ કદી રજા પર ન હોય   ,    અને વેકેશન ન હોય પ્રકાશના અજવાળાના ઉપાસકને રજા ન હોય   ,    પણ એક વખત સૂરજના સારથિને એક દિવસની રજા મળે છે અને એ ઇન્દ્ર દરબારમાં અરૂણી બનીને પ્રવેશે છે. ઇન્દ્ર અરૂણ પર મોહિત થાય છે. અને ઇન્દ્ર - અરૂણીના મિલન થકી વાલી (રામાયણનો)નો જન્મ થાય છે. પછી અરૂણી (જે મુળમા અરૂણ સારથિ છે) સૂર્ય પાસે આવે છે અને સૂર્ય પણ અરૂણી પર મોહિત થાય છે અને એના થકી સુગ્રીવનો જન્મ થાય છે આ બધી પરમાત્માની અતિ વિચિત્ર કૃતિઓ છે. બાપુએ સૌને પોતપોતાની માતૃભાષાના જતન માટે પણ નમ્ર અપીલ કરી હતી. માતૃભાષા એ ધર્મ છે   ,    હિન્દીભાષા અર્થ છે   ,    અંગ્રેજી ભાષા કામ છે અને સંસ્કૃત ભાષા એ મોક્ષ છે. લોકશાહી સરકાર વિષયક સૂત્ર સંદર્ભે પણ આ રામકથા વિશે બાપુએ જાણીતું સુત્ર કહયું હતું કે આ રામકથા ઓફ ધી કિન્નર   ,    બાય ધી કિન્નર અને ફોર ધી કિન્નર છે.
      પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે   ,    કૈલાસ પાંચ છે. જેમાં ત્રણ કૈલાસ ઉત્તરાખંડમાં છે. એક તિબેટમાં અને એક હિમાચલમાં છે. એના નામ આ મુજબ છે. (૧) મણી મહેશ કૈલાસ (ર) શ્રીખંડ કૈલાસ (૩) આદી કૈલાસ (૪) કૈલાસ (માનસરોવર જે તિબેટના કબ્જામાં છે) (પ) કિન્નર કૈલાસ - જે હિમાલયમાં છે. એટલે કિન્નરો શિવ ઉપાસક અને ઉંચાઇ પર રહેનારા છે. તુલસીજીએ રામચરિત માનસના ઉત્તરકાંડના સ્પષ્ટ કહયું કે કિન્નર મને પરમપ્રિય છે. આ જગતમાં પરમાત્મા જ માત્ર ઉત્તમ શ્લોક તો કેવળ પરમાત્મા જ છે. કિન્નરો પણ પુણ્યશ્લોક છે. મૌન રે તે પણ અને સરસ ગાનારાઓ પણ પુણ્ય શ્લોક છે. એ સુકૃત એટલે કે સુકૃતિ છે. પુણ્યમય છે. હવે આ સુકૃતની સ્વીકૃતિ જરૂરી છે. બાપુએ સૂરજ અને સૂરજના સારથિ અરૂણ-અરૂણી બને છે એનું કથાનક વિસ્તારથી સમજાવીને પ્રભુની ભિન્ન - ભિન્ન વિચિત્ર કૃતિઓના દૃષ્ટાંતો આપ્યા હતાં.
      આજે પણ પૂ. મોરારીબાપુએ જુદા જુદા ભજનોનું ગાયન કર્યુ હતું આ સમયે કિન્નરોએ રાસ-ગરબા લીધા હતાં. (પ-ર૧)




  • આગામી કથાઓમાં પૂ. મોરારીબાપુ માનસ ગનિકા ઉપર કથા કરે તેવી સંભાવના

Read the article at its source link.



 જામનગર   ,    તા. રર :  મુંબઇ થાણે ખાતે પ્રથમવાર કોઇ કથાકારે માનસ કિન્નર ઉપર કથા કરી હોય તો તે યશ પૂ. મોરારીબાપુને જાય છે. અને રામચરીત્ર માનસમાં ૧૬ વખતે અનેસમગ્ર તુલસી ગ્રંથમાં કુલ ર૬ વાર કિન્નર શબ્દોનો આદર થી તુલસી એ ઉચ્ચારણ કરે છે.  તેમ રામચરીત્ર માણસના ઉત્તરકાંડમાં ૧ર૯માં દોહા પછીના પહેલા છંદમાં ગનિકા શબ્દનો ઉલ્લેખ છે અને ભગવાન રામને તુલસીદાસ કહે છે કે જો તું અમારા જેવા પતિતનો ઉધ્ધાર કર તો જ તું પતિત પવાન કહેવાય આમ કહી ગનિકા   ,    અન્નમિલ   ,    બ્યાથા ગીધ ગજાદી નો ઉલ્લેખ કરી તેઓને મુકિત આપી સ્વીકારેલ છે.
      જો રામ આ બધાને સ્વીકારતા હોય તો    ''   માનસ ગનિકા   ''    કથા કરે તો જ તૈ યાત્રામાં સુંગધ ફેલાઇ અને    ''   માનસિ કિન્નર   ''    કથા ઉપરથી ફલિત થાય છે કે આગામી દિવસોમાં મોરારીબાપુ ગનિકા પર અને તેના આયોજનથી    ''   માનસ ગનિકા   ''    કથા કરશે જ...(૯.૧૧)

  • કિન્નર સમાજમાં ગુરૂ પરંપરાના અદ્ભૂત દર્શન : પૂ.મોરારીબાપુ

મહારાષ્ટ્રના થાણેમાં આયોજત ''માનસ કિન્નર'' શ્રી રામ કથાનો સાતમો દિવસ


Read the article at its source link.




રાજકોટ   ,    તા.   ,    ર૩ :  કિન્નર સમાજમાં ગુરૂ  પરંપરાના અદ્ભૂત દર્શન થાય છે અને અહંકાર વગરના ગુરૂ-શિષ્ય સાથેના સંબંધો જોવા મળી રહ્યા છે તેમ પૂ. મોરારીબાપુએ  મહારાષ્ટ્રના થાણેમાં આયોજીત    ''   માનસ કિન્નર   ''    શ્રી રામકથાના સાતમાં દિવસે જણાવ્યું હતું.
      પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે જેનો સંગનો    ''   સંગ   ''    પ્રિય લાગે તે ભકિત આવી રીતે શબરીમાં નવા પ્રકારની ભકિતના દર્શન થાય છે.
      પૂ. મોરારી બાપુએ કહ્યું કે   ,    પ્રવાહમાં ઝુકી જવુ તે જ મોટપ છે અને કપટ છોડીને પ્રભુ ભકિતમાં પ્રભુના ગુણગાન ગાવા માટે લાગી જવુ જોઇએ.
      પૂ. મોરારીબાપુએ ગઇકાલે પાંચમા દિવસે કહયું કે   ,    કિન્નરની તાળીઓ એનું ઘરાનું છે એટલે આ કથાથી લોકોમાં એ મેસેજ જઇ રહયો છે કે હવે આ સમાજનો તિરસ્કાર નહી એનો સ્વીકાર જરૂરી છે અને આ લોકો માટે વપરાતો શબ્દ હું બોલતો નથી. પરંતુ લક્ષ્મીએ તો સ્પષ્ટ કહયું અને લખ્યું કે હું આ (હિજડા) છું પરંતુ મારી દ્રષ્ટિએ જે સત્ય સમાજ પરત્વે ધૃણા પેદા કરે એવું સત્ય પણ ન બોલાવુ જોઇએ. સત્ય એ સત્ય છે. સત્ય જય-પરાજયથી પર છે. જે સત્યને જયની જરૂર પડે તે સત્ય બે કોડીનું છે અને જે લોકો જય-જયકાર માટે કામ કરે છે એનું કોઇ મુલ્ય નથી.પૂ. મોરારીબાપુએ કહયું કે   ,    રામ સીતાજીના લગ્ન વખતે પણ કિન્નર લોકોએ આશીર્વાદ આપ્યા છે. કિન્નર ભલે પરમાત્માની અતિ વિચિત્રતા છે પણ એન વિશેષતાઓ પણ છે. જો કે આજે કલિ પ્રભાવને કારણે એ કદાચ દેખાય નહી પરંતુ કિન્નર સમાજના આશીર્વાદથી ત્રણ પ્રકારના સુખ મળે છે. (૧) ચિંતાથી મુકિત (ર) સાધકોને વિકારથી મુકિત અને (૩) રોગથી મુકિત. આ ત્રણેય આશિષ એ કિન્નર સમાજની વિશેષતાઓ છે. (૪.૧૨)
      જો વાદા કિયા વો...
      પૂ. મોરારી બાપુએ આજે કથા દરમિયાન     ''   જો વાદા કિયા વો નિભાના પડેગા...   ''    ફિલ્મ ગીતનું સંગીતના સુરો સાથે ગાયન કર્યુ હતું.  પૂ. મોરારીબાપુ પોતાની કથામાં અનેકવાર જુના ફિલ્મ ગીતોનું ગાયન કરે છે અને નાનપણમાં જોયેલી ફિલ્મો વિશેની વાતો પણ કરે છે.
 





  • આપણાથી શ્રેષ્ઠ હોય તેનો ભય રાખવાથી આપણે અભય બનીએઃ પૂ. મોરારીબાપુ


મહારાષ્ટ્રના થાણેમાં આયોજીત 'માનસ કિન્નર' શ્રીરામકથાનો આઠમો દિવસ-કાલે વિરામઃ ૭ જાન્યુઆરીથી તામીલનાડુના કન્યાકુમારીમાં શ્રીરામકથા

Read the article at its source link.


રાજકોટ   ,    તા. ૨૪ :.    '   આપણાથી શ્રેષ્ઠ હોય તેનો ભય રાખવાથી આપણે અભય બનીએ છીએ   '    તેમ પૂ. મોરારીબાપુએ શિષ્ય અને ગુરૂ સાથેના સંબંધો વિશે વાત કરી હતી.
      મહારાષ્ટ્રના થાણેમા આયોજીત    '   માનસ કિન્નર   '    શ્રીરામ કથાનો આજે આઠમો દિવસ છે. કાલે રવિવારે બપોરે ૧.૩૦ વાગ્યે શ્રીરામ કથા વિરામ લેશે. હવે તા. ૭ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી સુધી તામીલનાડુના કન્યાકુમારીમાં શ્રીરામકથાનું પૂ. મોરારીબાપુ શ્રીરામકથાનું રસપાન કરાવશે.
      પૂ. મોરારીબાપુએ શ્રીરામ ભગવાન અને સીતાના મીથીલામાં મિલનના પ્રસંગનું કથામાં વર્ણન કર્યુ હતું.
      પૂ. મોરારીબાપુએ ગઈકાલે સાતમાં દિવસે કહ્યુ કે   ,    ભોજન સમયે પૂજા-પાઠ   ,    સ્વાધ્યાય વખતે અને સ્નાન વખતે માણસે મૌન રહેવું જોઈએ. જો કે   ,    આ ત્રણ સ્થાનો મૌનના છે પરંતુ એમા જડતા ન રાખવી. મારી દ્રષ્ટિએ ભોજન વખતે મૌન એટલે ઝઘડો કરતા કરતા ન જમવું. આનંદ-પ્રમોદ સાથે પ્રસન્નતાથી જમવું. પૂજા-પાઠ સ્વાધ્યાયમાં મંત્રોચ્ચાર   ,    કિર્તન પમ ગાઈ શકાય છે. સ્નાન વખતે પણ આપણી પરંપરામા તો મંત્રોચ્ચાર સાથે સ્નાનો મહિમા છે. ગુસ્સો અને આક્રોશ કરતા કરતા સ્નાન કરવુ એ અર્થમાં મૌનનો મહિમા છે. બાકી ગાતા-ગાતા ન્હાવાનો પણ આનંદ છે. ગઈકાલે પણ કથા દરમિયાન બાપુએ લક્ષ્મી સહિત કેટલાક કિન્નરોને વ્યાસપીઠ પરથી ગાયન અને નૃત્ય પ્રસ્તુત કરવા માટે નિમંત્રીત કર્યા હતા અને સાથે દંડી સ્વામી   ,    ભાગવત કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડયા   ,    વસંતબાપુ અને અન્ય કેટલાક સંતો-મહંતોને પણ વ્યાસપીઠ ઉપર શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. પૂ. મોરારીબાપુએ કહ્યુ કે   ,    કિન્નર સમાજ આપણા કરતા વિશેષ છે. આપણે પ્રાયશ્ચિત રૂપે હવે એમને સમજવા અને સ્વીકારવા રહ્યા. એ હજી પણ અપમાન અને તિરસ્કાર સહે છે. કોઈ ટ્રાફીક સિગ્નલ પર કે કયાંય તમને કિન્નર મળે ત્યારે ભલે તમે એને રૂપિયા-પૈસા કંઈ ન આપો પણ એને વંદન કરજો   ,    એનો તિરસ્કાર ન કરશો. લિંગપુરાણના આ શ્લોકમાં એક ઋષિમુનિ કિન્નરને પ્રણામ કરતા કહે છે હૈ કિન્નરી   ,    તમે મને પાપમુકત કરો (વ્યયોહન્તુ મલમ મમ).
      કિન્નર અને ગાયક   ,    વાદક   ,    સેવક અને ઉપાસક પણ છે. આ સર્વ ભકિતના જ લક્ષણો છે. ગાયન   ,    વાદન   ,    સેવન   ,    ઉપાસના એ ભકિતમાર્ગી છે. એટલે મારી દ્રષ્ટિએ કિન્નર સમાજ પાસે ભાગવાદી અને રામાયણી ભકિત પરંપરા છે   ,    એ બહ્મ છે. ફરીથી મારૂ વિધાન દોહરાવુ - બ્રહ્મ પુલ્લિંગ નથી   ,    સ્ત્રીલ્લિંગ નથી   ,    નાન્યતર જાતિ છે. એટલે કિન્નરો પણ વિશેષ છે. તુલસીજીના માનસમાં ૧૬ વખત    '   કિન્નર   '    શબ્દ પ્રયોજાયો છે. એ મારી દ્રષ્ટિએ સોળ સંસ્કારો છે   ,    પોષસપૂજા છે.
      કિન્નરો પર્વતવાસી છે. કિન્નર થઈને એ શિવજીના ચરણોમાં કિન્નર બનીને રહે છે. મને ઘણા યુવાન શ્રાવકો જે વ્યાસપીઠને સમર્પિત છે તે યુવાનો કોમ્પ્યુટર અને ગુગલમાંથી માહિતીઓ મને આપતા રહેતા હોય છે. એ સારી વાત છે. એનો સ્વીકાર છે. વિરોધ નથી. પણ ગુગલ તમને માહિતી આપે   ,    જ્ઞાન ન આપે. જ્ઞાન તો ગામડાઓના મંદિરોમાં ધુપિયામાં ગુગળનો ધુપ કર્યો હોય એવા કોઈ ફકીરો   ,    સાધુઓ-સંતો પાસેથી મળે છે. વિનોબાજીનુ એક વિધાન યાદ આવે છે. એ કહેતા કે આપણે વચનાત્મક જ છીએ. રચનાત્મક થવુ જરૂરી છે. માણસ  રચનાત્મક હોવો જોઈએ. કિન્નર સમાજની જુદી જુદી વિશેષતાઓ પછી મને એવુ સમજાયુ છે કે આ લોકો પાસે ભકિત છે તેથી કિન્નર ભકિતરૂપી નારી સમાજ છે.(૨-૧૬)
      પૂ. મોરારીબાપુ ૧૦ શેર સવારે ૧૦ શેર સાંજે દુધ પીવે છે મને ગાયનો વાછરડો સમજયો હશે   ?
      પૂ. મોરારીબાપુએ આજે આઠમાં દિવસે શ્રીરામ કથામાં કહ્યું કે ઘણા વર્ષો પહેલા મારી ભાવનગરમાં કથા હતી. ત્યારે કલાકાર હિંગોળદાન ગઢવી મને મળવા આવ્યા હતા.તેણે મને કહ્યું કે બાપુ... તમે કથા કરો છો ત્યારે હું પાછળ છેલ્લે કથા શ્રવણ કરી રહ્યો હતો. ત્યારે બે મહિલાઓ વાતો કરતી હતી કે મોરારીબાપુ સવારે અને સાંજે ૧૦-૧૦ શેર દુધ પીવે છે તેથી તેમનો અવાજ સારો છે અને શરીર તંદુરસ્ત છે.આ દુધમાં પૂ. મોરારીબાપુ કેશર બદામ   ,    પીસ્તા નાંખે છે. ત્યારે મને થયું કે આ મહિલાએ મને ગાયનો વાછરડો સમજયો હશે   ? (   ૮.૧૬)
      સોમનાથના રક્ષણ માટે પ૦૦ કિન્નરો શહીદ થયા   '   તા
      પૂ. મોરારીબાપુ એ સોમનાથ મહાદેવના રક્ષણ માટે હમીરસિંહજી ગોહિલને પ્રસંગને યાદ કરતા કહ્યું કે   ,    તે વખતે શ્રી સોમનાથના રક્ષણ માટે અનેક લોકોએ જાનની બાજી લગાવીને શહીદ થયા હતા. જેમાં પ૦૦ જેટલા કિન્નરો પણ શહીદ થયા હતા.
      પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે   ,    આજે પણ સોમનાથમાં કિન્નરોની સમાધી છે.
      હું હીરાઘસુ છું...
      પૂ. મોરારીબાપુએ શ્રીરામ કથામાં કહ્યું કે ટ્રેનમાં કે કોઇપણ જગ્યાએ આપણે મુસાફરી કરી રહ્યા હોય ત્યારે મહિલાઓ અજાણી મહિલાઓ સાથે પણ વાતો કરી લે છે જયારે પુરૂષો એકબીજા સાથે વાતો કરતા નથી.પૂ. મોરારીબાપુએ રમુજમાં જણાવ્યું કે હું અહીં થાણે આવતો ત્યારે એક મહિલાએ અનેક સવાલો પૂછયા હતા. તમે કઇ કથા કરો છો    ?    ભાગવત કથા કેમ નથી કરતા   ?    કથા માટે કેટલા રૂપિયા લ્યો છો    ?    આ કથા પૂરી થયા પછી કયાં કથા કરશો    ?   અંતમાં એવું પણ પૂછી લીધું કે   ,    ખાલી કથા જ કરો છો    ?    કે બીજુ કંઇ    ?    એટલે પૂ. મોરારીબાપુએ કહ્યું કે   ,    હું હીરા ઘસુ છું. (૮.૧૬)
 (03:28 pm IST)

_________________________________________________________________________________




Tuesday, December 13, 2016

ગીતા મહાત્મ્ય

ગીતા મહાત્મ્ય



यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।

अभ्युत्थानमधर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहम्।।


परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।


धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥ 


*****

गीता गंगा च गायत्री सीता सत्या सरस्वती।
ब्रह्मविद्या ब्रह्मवल्ली त्रिसंध्या मुक्तगेहिनी।।३०।।
अर्धमात्रा चिदानन्दा भवघ्नी भयनाशिनी।
वेदत्रयी पराऽनन्ता तत्त्वार्थज्ञानमंजरी।।३१।।
इत्येतानि जपेन्नित्यं नरो निश्चलमानसः।
ज्ञानसिद्धिं लभेच्छीघ्रं तथान्ते परमं पदम्।।३२।।

गीता, गंगा, गायत्री, सीता, सत्या, सरस्वती, ब्रह्मविद्या, ब्रह्मवल्ली, त्रिसंध्या, मुक्तगेहिनी, अर्धमात्रा, चिदानन्दा, भवघ्नी, भयनाशिनी, वेदत्रयी, परा, अनन्ता और तत्त्वार्थज्ञानमंजरी (तत्त्वरूपी अर्थ के ज्ञान का भंडार) इस प्रकार (गीता के) अठारह नामों का स्थिर मन से जो मनुष्य नित्य जप करता है वह शीघ्र ज्ञानसिद्धि और अंत में परम पद को प्राप्त होता है। (३०,३१,३२)

ગીતાગ‌‌ઽગા ચ ગાયત્રી સીતા સત્યા સરસ્વતી,
બ્રહ્મવિદ્યા બ્રહ્મવલ્લી ત્રિસંધ્યા મુક્તગેહિની.  ૩૦
અર્ધમાત્રા ચિદાનન્દા ભવઘ્ની ભયનાશિની,
વેદત્રયી પરાઽનન્તા તત્ત્વાર્થજ્ઞાનમંજરી.  ૩૧
ઈત્યેતાનિ જપેન્નિત્યં નરો નિશ્ચલમાનસઃ,
જ્ઞાનસિદ્ધિં લભેચ્છીઘ્રં તથાન્તે પરમં પદમ્‌. ૩૨

ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્તગેહિની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવઘ્ની, ભયનાશિની, વેદત્રયી, પરા, અનંતા અને તત્ત્વાર્થજ્ઞાનમંજરી (તત્ત્વરૂપી અર્થના જ્ઞાનનો બંડાર) એમ આ (ગીતાનાં) અઢાર નામોનો સ્થિર મનથી જે મનુષ્ય નિત્ય જાપ કરે છે, તે જલદી જ્ઞાનસિદ્ધિ તથા છેવટે પરમ પદને પામે છે. ૩૦, ૩૧, ૩૨


श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्।

स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः।।3.35।।

अच्छी तरह आचरणमें लाये हुए दूसरेके धर्मसे गुणोंकी कमीवाला अपना धर्म श्रेष्ठ है। अपने धर्ममें तो मरना भी कल्याणकारक है और दूसरेका धर्म भयको देनेवाला है।


Hindi Translation Of Sri Shankaracharya's Sanskrit Commentary By Sri Harikrishnadas Goenka


।।3.35।।रागद्वेषयुक्त मनुष्य तो शास्त्रके अर्थको भी उलटा मान लेता है और परधर्मको भी धर्म होनेके नाते अनुष्ठान करनेयोग्य मान बैठता है। परंतु उसका ऐसा मानना भूल है अच्छी प्रकार अनुष्ठान किये गये अर्थात् अंगप्रत्यंगोंसहित सम्पादन किये गये भी परधर्मकी अपेक्षा गुणरहित भी अनुष्ठान किया हुआ अपना धर्म कल्याणकर है अर्थात् अधिक प्रशंसनीय है। परधर्ममें स्थित पुरुषके जीवनकी अपेक्षा स्वधर्ममें स्थित पुरुषका मरण भी श्रेष्ठ है क्योंकि दूसरेका धर्म भयदायक है नरक आदि रूप भयका देनेवाला है।



सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत्‌।
सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः॥


  • अतएव हे कुन्तीपुत्र! दोषयुक्त होने पर भी सहज कर्म (प्रकृति के अनुसार शास्त्र विधि से नियत किए हुए वर्णाश्रम के धर्म और सामान्य धर्मरूप स्वाभाविक कर्म हैं उनको ही यहाँ स्वधर्म, सहज कर्म, स्वकर्म, नियत कर्म, स्वभावज कर्म, स्वभावनियत कर्म इत्यादि नामों से कहा है) को नहीं त्यागना चाहिए, क्योंकि धूएँ से अग्नि की भाँति सभी कर्म किसी-न-किसी दोष से युक्त हैं ॥48॥


  • हे कुन्तीनन्दन दोषयुक्त होनेपर भी सहज कर्मका त्याग नहीं करना चाहिये क्योंकि सम्पूर्ण कर्म धुएँसे अग्निकी तरह किसीनकिसी दोषसे युक्त हैं।




  • Hindi Translation Of Sri Shankaracharya's Sanskrit Commentary By Sri Harikrishnadas Goenka





।।18.48।।उपर्युक्त श्लोकमें यह बात कही कि स्वभावनियत कर्मोंको करनेवाला मनुष्य? विषमें जन्मे हुए कीड़ेकी भाँति पापको प्राप्त नहीं होता? तथा ( तीसरे अध्यायमें ) यह भी कहा है कि दूसरेका धर्म भयावह है और कोई भी अज्ञानी बिना कर्म किये क्षणभर भी नहीं रह सकता। इसलिये --, जो जन्मके साथ उत्पन्न हो उसका नाम सहज है। वह क्या है कर्म। हे कौन्तेय त्रिगुणमय होनेके कारण जो दोषयुक्त है? ऐसे दोषयुक्त भी अपने सहजकर्मको नहीं छोड़ना चाहिये। क्योंकि सभी आरम्भजो आरम्भ किये जाते हैं उनका नाम आरम्भ है? अतः यहाँ प्रकरणके अनुसार सर्वारम्भका तात्पर्य समस्त कर्म है। सा स्वधर्म या परधर्मरूप जो कुछ भी कर्म है? वे सभी तीनों गुणोंके कार्य हैं। अतः त्रिगुणात्मक होनेके कारण? साथ जन्मे हुए धुएँसे अग्निकी भाँति दोषसे आवृत हैं। अभिप्राय यह है कि स्वधर्म नामक सहजकर्मका परित्याग करनेसे और परधर्मका ग्रहण करनेसे भी? दोषसे छुटकारा नहीं हो सकता और परधर्म भयावह भी है तथा अज्ञानीद्वारा सम्पूर्ण कर्मोंका पूर्णतया त्याग होना सम्भव भी नहीं है सुतरां सहजकर्मको नहीं छोड़ना चाहिये। ( यहाँ यह विचार करना चाहिये कि ) क्या कर्मोंका अशेषतः त्याग होना असम्भव है? इसलिये उनका त्याग नहीं करना चाहिये? अथवा सहज कर्मका त्याग करनेमें दोष है इसलिये पू0 -- इसमें क्या सिद्ध होगा उ0 -- यदि यह बात हो कि अशेषतः त्याग होना अशक्य है? इसलिये सहजकर्मोंका त्याग नहीं करना चाहिये? तब तो यही सिद्ध होगा कि कर्मोंका अशेषतः त्याग करनेमें गुण ही है। पू0 -- यह ठीक है? परंतु यदि कर्मोंका पूर्णतया त्याग हो ही नहीं सकता ( तो फिर गुणदोषकी बात ही क्या है ) उ0 -- तो क्या सांख्यवादियोंके गुणोंकी भाँति आत्मा सदा चलनस्वभाववाला है अथवा बौद्धमतावलम्बियोंके प्रतिक्षणमें नष्ट होनेवाले ( रूप? वेदना? विज्ञान? संज्ञा और संस्काररूप ) पञ्च स्कन्धोंकी भाँति क्रिया ही कारक है इन दोनों ही प्रकारोंसे कर्मोंका अशेषतः त्याग नहीं हो सकता। हाँ? तीसरा एक पक्ष और भी है कि जब आत्मा कर्म करता है तब तो वह सक्रिय होता है और जब कर्म नहीं करता? तब वही निष्क्रिय होता है? ऐसा मान लेनेसे कर्मोंका अशेषतः त्याग भी हो सकता है। इस तीसरे पक्षमें यह विशेषता है? कि न तो आत्मा नित्य चलनस्वभाववाला माना गया है? और न क्रियाको ही कारक माना गया है? तो फिर क्या है? कि अपने स्वरूपमें स्थित द्रव्यमें ही अविद्यमान क्रिया उत्पन्न हो जाती है और विद्यमान क्रियाका नाश हो जाता है शुद्ध द्रव्य? क्रियाकी शक्तिसे युक्त होकर स्थित रहता है और वही कारक है। इस प्रकार वैशेषिकमतावलम्बी कहते हैं। पू0 -- इस पक्षमें क्या दोष है उ0 -- इसमें प्रधान दोष तो यही है कि यह मत भगवान्को मान्य नहीं है। पू0 -- यह कैसे जाना जाता है। उ0 -- इसीलिये कि भगवान् तो असत् वस्तुका कभी भाव नहीं होता इत्यादि वचन कहते हैं और वैशेषिकमतवादी असत्का भाव और सत्का अभाव मानते हैं। पू0 -- भगवान्का मत न होनेपर भी यदि न्याययुक्त हो तो इसमें क्या दोष है उ0 -- बतलाते हैं ( सुनो ) सब प्रमाणोंसे इस मतका विरोध होनेके कारण भी यह मत दोषयुक्त है। पू0 -- किस प्रकार उ0 -- यदि यह माना जाय कि द्व्यणुक आदि द्रव्य उत्पत्तिसे पहले अत्यन्त असत् हुए ही उत्पन्न हो जाते हैं और किञ्चित् काल स्थित रहकर फिर अत्यन्त ही असत् भावको प्राप्त हो जाते हैं? तब तो यही मानना हुआ कि असत् ही सत् हो जाता है अर्थात् अभाव भाव हो जाता है और भाव अभाव हो जाता है। अर्थात् ( यह मानना हुआ कि ) उत्पन्न होनेवाला अभाव? उत्पत्तिसे पहले शश -- श्रृङ्गकी भाँति सर्वथा असत् होता हुआ ही? समवायि? असमवायि और निमित्त नामक तीन कारणोंकी सहायतासे उत्पन्न होता है। परंतु अभाव इस प्रकार उत्पन्न होता है अथवा कारणकी अपेक्षा रखता है -- यह कहना नहीं बनता क्योंकि खरगोशके सींग आदि असत् वस्तुओंमें ऐसा नहीं देखा जाता। हाँ? यदि यह माना जाय कि उत्पन्न होनेवाले घटादि भावरूप हैं और वे अभिव्यक्तिके किसी कारणकी सहायतासे उत्पन्न होते हैं? तो यह माना जा सकता है। तथा असत्का सत् और सत्का असत् होना मान लेनेपर तो किसीका प्रमाणप्रमेयव्यवहारमें कहीं विश्वास ही नहीं रहेगा क्योंकि ऐसा मान लेनेसे फिर यह निश्चय नहीं होगा कि सत् सत् ही है और असत् असत् ही है। इसके सिवा वे उत्पन्न होता है इस वाक्यसे द्व्यणुक आदि द्रव्यका अपने कारण और सत्तासे सम्बन्ध होना बतलाते हैं अर्थात् उत्पत्तिसे पहले कार्य असत् होता है? फिर अपने कारणके व्यापारकी अपेक्षासे,( सहायतासे ) अपने कारणरूप परमाणुओंसे और सत्तासे समवायरूप सम्बन्धके द्वारा संगठित हो जाता है और संगठित होकर कारणसे मिलकर सत् हो जाता है। इसपर उनको बतलाना चाहिये कि असत्का कारण सत् कैसे हो सकता है और असत्का किसीके साथ सम्बन्ध भी कैसे हो सकता है क्योंकि वन्ध्यापुत्रकी सत्ता? उसका किसी सत् पदार्थके साथ सम्बन्ध अथवा उसका कारण? किसीके भी द्वारा प्रमाणपूर्वक सिद्ध नहीं किया जा सकता। पू0 -- वैशेषिकमतवादी अभावका सम्बन्ध नहीं मानते। वे तो भावरूप द्व्यणुक आदि द्रव्योंका ही अपने कारणके साथ समवायरूप सम्बन्ध बतलाते हैं। उ0 -- यह बात नहीं है क्योंकि ( उनके मतमें ) कार्यकारणका सम्बन्ध होनेसे पहले कार्यकी सत्ता नहीं मानी गयी। अर्थात् वैशेषिकमतावलम्बी कुम्हार और दण्डचक्र आदिकी क्रिया आरम्भ होनेसे पहले घट आदिका अस्तित्व नहीं मानते और यह भी नहीं मानते कि मिट्टीको ही घटादिके आकारकी प्राप्ति हुई है। इसलिये अन्तमें असत्का ही सम्बन्ध मानना सिद्ध होता है। पू0 -- असत्का भी समवायरूप सम्बन्ध होना विरुद्ध नहीं है। उ0 -- यह कहना ठीक नहीं क्योंकि वन्ध्यापुत्र आदिका किसीके साथ सम्बन्ध नहीं देखा जाता। अभावकी समानता होनेपर भी यदि कहो कि घटादिके प्रागभावका ही अपने कारणके साथ सम्बन्ध होता है? वन्ध्यापुत्रादिके अभावका नहीं? तो इनके अभावोंका भेद बतलाना चाहिये। एकका अभाव? दोका अभाव? सबका अभाव? प्रागभाव? प्रध्वंसाभाव? अन्योन्याभाव? अत्यन्ताभाव इन लक्षणोंसे कोई भी अभावकी विशेषता नहीं दिखला सकता। फिर किसी प्रकारकी विशेषता न होते हुए भी यह कहना कि घटका प्रागभाव ही कुम्हार आदिके द्वारा घटभावको प्राप्त होता है तथा उसका कपालनामक अपने कारणरूप भावसे सम्बन्ध होता है और वह सब व्यवहारके योग्य भी होता है। परंतु उसी घटका जो प्रध्वंसाभाव है? वह अभावत्वमें समान होनेपर भी सम्बन्धित नहीं होता। इस तरह प्रध्वंसादि अभावोंको किसी भी अवस्थामें व्यवहारके योग्य न मानना और केवल द्व्यणुक आदि द्रव्यनामक प्रागभावको ही उत्पत्ति आदि व्यवहारके योग्य मानना? असमञ्जसरूप ही है क्योंकि अत्यन्ताभाव और प्रध्वंसाभावके समान ही प्रागभावका भी अभावत्व है? उसमें कोई विशेषता नहीं है। पू0 -- हमने प्रागभावका भावरूप होना नहीं बतलाया है। उ0 -- तब तो तुमने भावका ही भावरूप हो जाना कहा है? जैसे घटका घटरूप हो जाना वस्त्रका वस्त्ररूप हो जाना परंतु यह भी अभावके भावरूप होनेकी भाँति ही प्रमाणविरुद्ध है। सांख्यमतावलम्बियोंका जो परिणामवाद है? उसमें अपूर्व धर्मकी उत्पत्ति और विनाश स्वीकार किया जानेके कारण? वह भी ( इस विषयमें ) वैशेषिकमतसे कुछ विशेषता नहीं रखता। अभिव्यक्ति ( प्रकट होना ) और तिरोभाव ( छिप जाना ) स्वीकार करनेसे भी? अभिव्यक्ति और तिरोभावकी विद्यमानता और अविद्यमानताका निरूपण करनेमें? पहलेकी भाँति ही प्रमाणसे विरोध होगा। इस विवेचनसे कारणका कार्यरूपमें स्थित होना ही उत्पत्ति आदि हैं ऐसा निरूपण करनेवाले मतका भी खण्डन हो जाता है। इन सब मतोंका खण्डन हो जानेपर अन्तमें यही सिद्ध होता है कि एक ही सत्य तत्त्व ( आत्मा ) अविद्याद्वारा नटकी भाँति उत्पत्ति? विनाश आदि धर्मोंसे अनेक रूपमें कल्पित होता है। यही भगवान्का अभिप्राय नासतो विद्यते भावः इस श्लोकमें बतलाया गया है क्योंकि सत्प्रत्ययका व्यभिचार नहीं होता और अन्य ( असत् ) प्रत्ययोंका व्यभिचार होता है ( अतः सत् ही एकमात्र तत्त्व है )। पू0 -- यदि ( भगवान्के मतमें ) आत्मा निर्विकार है तो ( वे ) यह कैसे कहते हैं कि अशेषतः कर्मोंका त्याग नहीं हो सकता उ0 -- शरीरइन्द्रियादिरूप गुण चाहे सत्य वस्तु हों? चाहे अविद्याकल्पित हों? जब कर्म उन्हींका धर्म है? तब आत्मामें तो वह अविद्याध्यारोपित ही है। इस कारण कोई भी अज्ञानी अशेषतः कर्मोंका त्याग क्षणभर भी नहीं कर सकता यह कहा गया है। परंतु विद्याद्वारा अविद्या निवृत्त हो जानेपर ज्ञानी तो कर्मोंका अशेषतः त्याग कर ही सकता है क्योंकि अविद्या नष्ट होनेके उपरान्त? अविद्यासे अध्यारोपित वस्तुका अंश बाकी नहीं रह सकता। ( यह प्रत्यक्ष ही है कि ) तिमिररोगसे विकृत हुई दृष्टिद्वारा अध्यारोपित दो चन्द्रमा आदिका कुछ भी अंश? तिमिररोग नष्ट हो जानेपर? शेष नहीं रहता। सुतरां सब कर्मोंको मनसे छोड़कर इत्यादि कथन ठीक ही हैं। तथा अपनेअपने कर्मोंमें लगे हुए मनुष्य संसिद्धिको प्राप्त होते हैं मनुष्य अपने कर्मोंसे उसकी पूजा करके सिद्धि प्राप्त करता है -- ये कथन भी ठीक हैं।


Monday, December 12, 2016

‘ગીતા’નો આરંભ સંશય.....

‘ગીતા’નો આરંભ સંશય, મધ્ય સમાધાન અને અંત શરણાગતિ છે


  • ‘ગીતા’ એ યોગશાસ્ત્ર છે, પણ ‘રામચરિત માનસ’ પ્રયોગ શાસ્ત્ર છે. ‘ગીતા’માં જે જે યોગોનું વર્ણન છે એના પ્રયોગો ‘રામચરિત માનસ’માં થયા છે
  • કૈલાસ આશ્રમ-ઋષિકેશના પીઠાધીશ વિષ્ણુદેવાનંદ ગિરિજી હતા, જે અમારા દાદા થાય. 
  • એમણે એક પત્ર અમને લખેલો કે બીજું કાંઇ ન થાય તો કાંઇ નહીં, આપણા ઘરમાં ‘રામાયણ’  તો છે જ, પણ એક મંડલેશ્વર તરીકે હું એટલું સૂચન કરું છું કે છોકરાઓ ‘ગીતા’ રોજ વાંચે. અને એ વચનને અમે નિભાવતા રહ્યા. 
  • પંડિત રામકિંકરજી મહારાજે એક બહુ જ સુંદર નિવેદન કરેલું છે કે ‘ગીતા’ એ યોગશાસ્ત્ર છે, પણ ‘રામચરિત માનસ’ પ્રયોગ શાસ્ત્ર છે. ‘ગીતા’માં જે જે યોગોનું વર્ણન છે એના પ્રયોગો ‘રામચરિત માનસ’માં થયા છે. જેમ કે ‘ક્રોધાત ભવતિ સંમોહ...’ એ છે, તો ‘રામાયણ’માં પછી પ્રયોગો થયા છે કે આમાંથી આ જન્મ્યું.
  • ‘મહાભારત’નું ધર્મક્ષેત્ર ‘રામાયણ’માં નથી પણ, ‘રામાયણ’ના યુદ્ધના રણાંગણમાં ધર્મરથ છે. અને એમાં સૌથી પહેલાં વિષાદ વિભીષણને થયો છે. 
  • અને પછી ભગવાન એને ધર્મક્ષેત્રમાં કહેવાયેલી ‘ગીતા’ નહીં, પણ ધર્મરથમાં કહેવાયેલી ‘ગીતા’ કહે છે.
  • આ એક દોહામાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, સંયમ-નિયમ એ બધાંની વાત કરી દીધી છે-


સૌરજ ધીરજ તેહિ રથ ચાકા.
સત્ય સીલ દઢ ધ્વજા પતાકા.


  • એ એક એવો રથ હોય છે કે જેનાં બે ચક્રો શૌર્ય અને ધૈર્ય હોય છે અને રથની ઉપર ધજા અને પતાકા હોય. ધર્મરથની ધજા પતાકા, એ છે સત્ય-શીલ.’ 
  • ભગવાનનું ભજન એ જ સારથિ છે. 
  • ‘ગીતા’નો પ્રારંભ મને હંમેશાં સંશય લાગ્યો છે, મધ્ય મને હંમેશા સમાધાન લાગ્યો છે અને અંત મને હંમેશા શરણાગતિ લાગ્યો છે. 
  • સાંભળવું એ ‘ભાગવત’ની પહેલી ભક્તિ છે, પણ કોને સાંભળવું? એવાને સાંભળો કે તમારું એને કોઇ દિવસ ખોટું ન લાગે અને તમે ગમે તેટલું અપમાન કરો તો એનેય કોઇ દિવસ ખોટું ન લાગે.
  • સમાધાન પણ ત્રણ રીતે થાય. એક તો આપણને કોઇ દેખાડી દે. અર્જુને કર્યું વિશ્વરૂપ દર્શન અને સમાધાન થયું. બીજું, ભગવાન કૃષ્ણની વાણીએ સમાધાન કરી દીધું.
  • અને ત્રીજું, આખરે તો વિભૂતિ એની છે એટલે એ પણ કારણ હશે. અને ‘ગીતા’ના અંતમાં શરણાગતિ. શરણાગતિ તો છ પ્રકારની છે આપણા શાસ્ત્રમાં. પણ મને જે નજીક પડે એ છે ભરોસો. બીજું, કોઇ બુદ્ધપુરુષના વચનના અધિકારી થાવ. શ્રવણ, સાંભળીને શરણાગતિ થાય. વિભીષણ પ્રભુના ગુણગાન સાંભળીને શરણે આવ્યો છે. અને એમાંય આપણો માંહ્યલો ધક્કો દેતો હોય છે કે, તું ત્યાં જા. એટલે ‘ગીતા’ ને હું આ રીતે પણ સમજવાની કોશિશ કરું.

(સંકલન : નીતિન વડગામા)




Wednesday, December 7, 2016

ધર્મ જડ થઇ જાય છે ત્યારે હિંસા કરે છે

ધર્મ જડ થઇ જાય છે ત્યારે હિંસા કરે છે

  • ગોદાવરી આપણને પ્રવાહમય ધર્મની સૂચના આપે છે, જડતાની નહીં. ગોદાવરીની સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે અને એ બધાના કેન્દ્રમાં ગૌતમ છે


  • પરંપરા પ્રવાહી હોવી જોઇએ, કટ્ટર અને જડ નહીં. કોઇ પણ નદીની ધારા પ્રવાહમાન જ હોય છે. ગોદાવરી સનાતન ધર્મની પ્રવાહિત સરલ-તરલ ધારા છે. સભ્યતા અને સંસ્કૃતિ પ્રવાહમાન હોવી જોઇએ. જો એ કટ્ટર થઇ જાય, જડ થઇ જાય તો સંસ્કૃતિનું પોત નબળું પડી જાય છે. અને તથાકથિત અનેક સભ્યતાઓ, તથાકથિત અનેક ધર્મધારાઓ શતાબ્દીઓ વીતી ગઇ છતાં પણ પોતાની જડતા અને કટ્ટરતા છોડી નથી શકી! અને આપણી સભ્યતા વૈશ્વિક ધારા છે. 


કલિમલ ગ્રસે ધર્મ સબ લુપ્ત ભએ સદગ્રંથ.
દંભિન્હ નિજ મતિ કલ્પિ કરિ
પ્રગટ કિએ બહુપંથ.
  • બીજાના ખેતરમાં પૂછ્યા વિના પાડેલી કેડીઓ છે! શું તમે એનાથી જલદી મોક્ષ પ્રાપ્ત કરી લેશો! એ નાનીમોટી કેડીઓ છે અને પરિણામસ્વરૂપ જડતા પકડી લે છે. 
  • આપણી નાની-નાની વિચારધારાઓ, તથાકથિત ધર્મધારાઓ જો સનાતન ધર્મની પ્રવાહધારામાં મેળવી દેવામાં આવે તો ક્ષીરસિંધુવાળા વિષ્ણુ બહુ દૂર નથી. અને એકલા વિષ્ણુ નહીં મળે, પરંતુ લક્ષ્મી સાથે એ વિષ્ણુ મળશે. 
  • તમારા ઘરની દીવાલો હોય છે એ જેલની દીવાલો જેટલી મજબૂત નથી હોતી, પરંતુ ઘરની દીવાલો નબળી હોય તો પણ એમાં ચેન પડે છે. જેલની દીવાલો બહુ મજબૂત છે, પરંતુ જેલ, જેલ છે. 
  • દ્વાર તો ઘરમાં પણ હોય છે અને જેલમાં પણ હોય છે, પરંતુ ઘરના દરવાજા બહારથી પણ બંધ કરી શકાય છે અને અંદરથી પણ બંધ કરી શકાય છે. જેલના દરવાજા બહારથી જ બંધ કરી શકાય છે, એને અંદરથી બંધ કરવાની કોઇ વ્યવસ્થા જ હોતી નથી. એટલે જેલમાંથી જ્યારે ઇચ્છીએ ત્યારે દરવાજો ખોલીને નીકળી નથી શકાતું. 
  • ધર્મ એવો હોવો જોઇએ કે માણસ જ્યારે દ્વાર ખોલે ત્યારે ખૂલે. આપણને બંદી બનાવી દેવાયા છે! 
  • એવું એટલા માટે કહ્યું કે દરેક ક્ષેત્રમાં ગૌતમને બહુ જ આદર મળી રહ્યો હતો. અને કોઇ એકને વધારે આદર મળે તો એના સહધર્મીઓથી એ સહન નથી થઇ શકતું. પછી એ ઋષિમુનિ હોય તો પણ શું? કેમ કે પંચભૂતના શરીરમાં ત્રણેય ગુણ હોય જ છે. ગુણાતીત તો કોઇ બ્રહ્માનંદી જ હોય  છે.
  • હવે મારી સમજમાં એ નથી આવતું કે ઋષિ ધ્યાનમાં હતા તો ગાયમાં એની દૃષ્ટિ કેવી રીતે ગઇ!
  • મેં જગતને ગોદાવરી પ્રદાન કરી છે. જગતને આ પ્રવાહમાન વિચારધારા પ્રદાન કરી છે. નિયતિને કારણે એવી ઘટના ઘટી હશે. 
  • તો ગોદાવરી સનાતન ધર્મની જડતાનું પ્રતીક નથી, પ્રવાહમાન ગતિનું સ્વરૂપ છે. આપણે પણ થોડા પ્રવાહમાન થઇએ. યુવાની પ્રવાહમાન થવા લાગી છે એ એકવીસમી સદીના શુકન છે.

(સંકલન : નીતિન વડગામા)




Monday, December 5, 2016

गीता जयंती

गीता जयंती


  • गीता जयंती एक प्रमुख पर्व है हिंदु पौरांणिक ग्रथों में गीता का स्थान सर्वोपरि रहा है. 10 दिसंबर 2016 के दिन गीता जयंती का महोत्सव मनाया जाएगा. गीता ग्रंथ का प्रादुर्भाव मार्गशीर्ष मास में शुक्लपक्ष की एकादशी को कुरुक्षेत्र में हुआ था. महाभारत समय श्री कृष्ण द्वारा अर्जुन को ज्ञान का मार्ग दिखाते हुए गीता का आगमन होता है. इस ग्रंथ में छोटे-छोटे अठारह अध्यायों में संचित ज्ञान मनुष्यमात्र के लिए बहुमूल्य रहा है.








  • India is an ancient land where many faiths, cultures and languages exist together in harmony. Dedicated to the sacred religious text of Hinduism, Bhagavad Gita, Gita Mahotsav celebrates the divine birth of the immortal text born 5000 years ago.


Read More on "Gita Jayanti Mahotsav"



  • વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગનાં વર્ષનાં દ્વિતીય માસ માગશરની સુદ અગિયારસને મોક્ષદા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે. જેથી દરેકે આ વ્રત કરવુ જોઈએ. આજ દિવસે કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કીધો હતો, માટે આ દિવસને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગીતાનાં બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નીશચીત માંનવામાં આવે છે, માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે.

Monday, November 28, 2016

બુદ્ધપુરુષ આપણો સમકાલીન હોય ત્યારે સમજાતો નથી

બુદ્ધપુરુષ આપણો સમકાલીન હોય ત્યારે સમજાતો નથી



  • જેટલા જેટલા બુદ્ધપુરુષો થયા છે, નાની ઉંમરમાં ગયા છે. પાસ થઇને ગયા છે, તો અમુક સમય થાય ત્યારે સાધુ-ફકીરોની સેવા કરો
  • રામજનમના હેતુઓ છે એ પાંચેય પરમવિચિત્ર છે. 
  • હું એવું માનું કે ઘરમાં દીકરો હોય કે દીકરી, એનાં લગન થઇ જાય અને પછી એનેય ઘરે બાળકનો જનમ થાય પછી મા-બાપે ભવનમાં રહીને વનવૃત્તિમાં જીવવું. ‘ભાગવતજી’માં એમ કહેવામાં આવ્યું કે, ‘ધર્મમ્ ભજસ્વ સતતમ્ ત્યજ લોકધર્માન્.’ એક દીકરો પોતાના બાપને કહે છે કે, ‘પિતાજી, તમે હવે ધર્મને સેવો.’ ધર્મને સેવો એટલે? ધર્મ એટલે સત્ય, પ્રેમ અને કરુણા. અને કયો ધર્મ સત્યનો ઇન્કાર કરી શકે? કયો ધર્મ પ્રેમનો ઇન્કાર કરી શકે? કયો ધર્મ કરુણાનો ઇન્કાર કરી શકે?
  • બીજી વાત કહી, ‘ત્યજ લોકધર્માન્.’ હવે લોકધર્મને છોડી દો. 
  • 'સેવસ્ય સાધુ.’ હવે કોઇ સંતફકીરને સેવો. એક સાધુ ઘરમાં આવે તો ખંડેર હોય એય ભળભળતું બંધ થઇ જાય, સાહેબ! એવો કોઇ બુદ્ધપુરુષને સેવો. આ કરવાનું અમુક ઉંમરે. પાછી ‘ત્યજ કામતૃષ્ણા.’ કામતૃષ્ણા મૂકો. છેલ્લે માણસને જે એષણા સતાવે છે એ લોકેષણા. આ ભયંકર એષણા છે, 
  • તો અમુક સમય થાય ત્યારે સાધુ-ફકીરોની સેવા કરો.
  • અને સેવા ન કરો તો કાંઇ નહીં, કોઇ સંત-ફકીરને જુઓ તો સંદેહ ન કરવો કે આ સમાજનું ખાય છે અને કામ કરતાં નથી! જે છે એની આપણને ખબર નથી! 
  • એક ઉંમર થાય પછી સાધુ સંગ કરો અને લોકેષણા પણ છોડી દેવાની. પછી અંતર્મુખ રહેવાનું એમ ‘ભાગવતજી’ કહે છે. ‘ભાગવત’ કાર કહે, અમુક ઉંમર થાય ત્યારે બીજાના દોષ આપણામાં વેર પ્રગટાવશે. એના ગુણ-દોષ અાપણે નહીં જોવાના, એક ડિસ્ટન્સ રાખવું. તો, પછી કરવું શું ઉંમર થાય ત્યારે? ‘સેવકથા રસમહો નિતવામ્ પિબતવ્યમ્.’ બીજાની જેટલી સેવા થાય એટલી સેવા કરવી, અને એ પણ જ્યારે તનથી ન થઇ શકે ત્યારે વ્યાસજી કહે ‘સેવકથા રસમહો’ ભગવાનની કથામાં રસ લો. કથાનું શ્રવણ કરો, એનાથી બહુ ફાયદો થશે. એ રસ અદ્્ભુત છે. અને એમાંય કોઇ બુદ્ધપુરુષના મુખેથી કથાનો રસ વહેતો હોય ત્યારે તો આપણા ભાગ્ય ઇન્દ્રને ઇર્ષ્યા આવે એવાં હોય છે!
  • જગતનો એક નિયમ છે કે કોઇપણ બુદ્ધપુરુષ જ્યારે આપણો સમકાલીન હોય ત્યારે એ સમજતો જ નથી. 

શરફજીનો એક શેર છે-

ફલે ફૂલે કૈસે યે ગૂંગી મહોબ્બત,
ન વો બોલતે હૈં, ન હમ બોલતે હૈં.


વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા, છોકરાને સમજાવતા,
એક છોકરો રીસાયો, કોઠી આડો ભીંસાયો,
કોઠી પડી આડી, છોકરાએ રાડ પાડી,
‘અરરર માડી!’


  • આ વ્યાસ, વાલ્મીકિ, શંકર આ ભાભાઓ નહીં તો શું છે? આ વયોવૃદ્ધ મહાપુરુષોએ આપણને ચરાવ્યાં છે. અને એ શું કરતા? અમારે શું કરવાનું? શાસ્ત્રમાંથી થોડાંક ચપટી બોર લઇ લેવાનાં જે સ્વાદિષ્ટ અને ચાખેલાં હોય. 
  • ગુરુથી તમે નારાજ થાવ તો ભાગી ન જવું, પણ ગુરુના ઘરમાં જ ક્યાંક કોઠીની આડે સંતાઇ જવું. 
  • આખું શાસ્ત્ર આપી દીધું. એમાં ભીંસાઇ ગયો! સાહેબ, આ શાસ્ત્રને પચાવવાં બહુ કઠિન છે. આપણે આપણી આંગળી કંકુવાળી કરીએ ત્યારે જ બીજાના કપાળમાં ચાંદલા થાય. તો ચણિયા બોર ચૂંટે એની આંગળીનેય થોડાંક થોડાંક ક્યાંક કાંટા વાગે અને આંગળી લાલ થઇ જાય છે. આપણા સાધુ-સંતો, વડીલો,
  • બુદ્ધપુરુષો આપણા માટે શાસ્ત્રોમાં સૂત્રાત્મક બોર લાવે છે. 


(સંકલન : નીિતન વડગામા)


Read full article at Sunday Bhaskar.



Saturday, November 26, 2016

માનસ અરણ્યકાંડ

રામ કથા

માનસ અરણ્યકાંડ

લખનઉ (ઉત્તર પ્રદેશ)

શનિવાર, તારીખ ૨૬-૧૧-૨૦૧૬ થી રવિવાર, તારીખ ૦૪-૧૨-૨૦૧૬

મુખ્ય પંક્તિઓ

पुर नर भरत प्रीति मैं गाई। 

मति अनुरूप अनूप सुहाई॥

अब प्रभु चरित सुनहु अति पावन। 

करत जे बन सुर नर मुनि भावन॥

શનિવાર, ૨૬-૧૧-૨૦૧૬


एक बार चुनि कुसुम सुहाए। 

निज कर भूषन राम बनाए॥

सीतहि पहिराए प्रभु सादर। 

बैठे फटिक सिला पर सुंदर॥



पुनि लछिमन उपदेस अनूपा। 

सूपनखा जिमि कीन्हि कुरूपा।।

खर दूषन बध बहुरि बखाना। 

जिमि सब मरमु दसानन जाना।।



दसकंधर मारीच बतकही। 

जेहि बिधि भई सो सब तेहिं कही।।

पुनि माया सीता कर हरना। 

श्रीरघुबीर बिरह कछु बरना।।3।।



पुनि प्रभु गीध क्रिया जिमि कीन्ही। 

बधि कबंध सबरिहि गति दीन्ही।।

बहुरि बिरह बरनत रघुबीरा। 

जेहि बिधि गए सरोबर तीरा।।




प्रभु नारद संबाद कहि मारुति मिलन प्रसंग।

पुनि सुग्रीव मिताई बालि प्रान कर भंग।।

લક્ષ્મણ જીવાચાર્ય છે.

કથા સાધન નથી, સાધ્ય છે, લક્ષ્ય છે.

 बिनु सतसंग बिबेक न होई। राम कृपा बिनु सुलभ न सोई॥

સતસંગથી - કથા દ્વારા વિવેક પ્રાપ્ત થાય અને વિવેક પ્રાપ્ત થાય એટલે એક બીજા પ્રત્યે સારું વર્તન કરવાની પ્રેરણા મળે. આમ થતાં સારું ચરિત્ર નિર્માણ થાય, જેના કારણે રામ ચરિત્ર જે ઘરમાંથી ઘટમાં સ્થાપિત થાય.

શાસ્ત્રને સમજવા શાણપણની જરૂર નથી પણ ભોળપણની જરૂર છે.


રવિવાર, ૨૭-૧૧-૨૦૧૬

ચરિત્રવાન પાસે બેસવાથી, ચરિત્રવાન સાથે વાર્તાલાપ કરવાથી, ચરિત્રવાનનો સંગ કરવાથી, ચરિત્રવાન પાસે મૌન બેસવાથી આપણાં પાપ નાશ પામે છે, અહીં પાપ એટલે અશાંતિ, આપણી અશાંતિ દૂર થાય છે, અશાંતિની માત્રા ઓછી થાય છે.

જે શુદ્ધ છે તે સિદ્ધ છે પણ જે સિદ્ધ છે તે શુદ્ધ છે કે કેમ તે પ્રશ્નાર્થ છે.

અરણ્યકાંડનો પહેલો પ્રસંગ શ્રીંગારનો છે.


एक बार चुनि कुसुम सुहाए। 

निज कर भूषन राम बनाए॥

सीतहि पहिराए प्रभु सादर।

बैठे फटिक सिला पर सुंदर॥

બીજો પ્રસંગ સીતા હરણનો છે જે વિરહનો પ્રસંગ છે.

ત્રીજો પ્રસંગ વૈરાગ્યનો છે.

પતિ પત્નીને શ્રીંગાર કરે એમાં દેહની પ્રધાનતા છે, કામની પ્રધાનતા છે.

પુરૂષ પ્રકૃતિને શ્રીંગાર કરે એમાં આમ જગતની પ્રધાનતા છે, અને આમ જગતનું પ્રાગટ્ય થાય છે.

ભગવાન ભક્તિને શ્રીગાર કરે એમાં રામનામ પ્રગટ થાય, હરિનામ પ્રગટ થાય, રામ ચરિત્ર પ્રગટ થાય.


સોમવાર, ૨૮-૧૧-૨૦૧૬

પંડિત પૂજ્ય છે જ્યારે મુનિ સેવ્ય છે.

પંડિતની પૂજા કરાય જ્યારે મુનિની સેવા કરાય.

સાધુની પૂજા ન કરો પણ સેવા કરો, સંગ કરો.

પરમ જેને યાદ કરે છે એવા સાધુ સંતનો સંગ આપણને થાય તેવી માગણી ભગવાન પાસે કરો.

સાધુ બધા વર્ણોથી પર છે. સાધુ બહુંજ પવિત્ર શબ્દ છે.

સાધુ ભજનનો પર્યાય છે.

મનુષ્ય દેહ મળે એ બડ ભાગ છે પણ સાધુ સંગ મળે એ પરમ ભાગ છે.

ભગવાન ગૌરાંગ જ્યારે સંસાર ત્યાગ કરવાની આજ્ઞા તેમની માતા પાસેથી મેળવે છે ત્યારે માતા તેમને તેમની પત્નીને મળીને પછી સંસાર ત્યાગ કરવા જણાવે છે અને ગૌરાંગ જ્યારે તેમની પત્ની વુષ્ણુપ્રિયાને મળે છે ત્યારે વિષ્ણુપ્રિયા કંઈજ બોલી નથી શકતાં અને તેથી ગૌરાંગ બોલે છે અને તેનાં ૫ બિંદુ છે.


ગૌરાંગ કહે છે કે, 'મને સ્મૃતિમાં રાખજે".

હરિને યાદ કરો એટલે હરિ આવે જ.

પ્રભુ મૂર્તિના રૂપમાં જાય છે પણ સ્મૃતિના રૂપમાં કાયમ સાથે જ રહે છે.


ગૌરાંગ કહે છે કે, "આંખો બંધ કરી મારું દર્શન કરજે".


ગૌરાંગ કહે છે કે, "દર્શન કર્યા પછી જ્યારે સ્પર્શ કરવાનું મન થાય ત્યારે મનથી મને સ્પર્શ કરજે".



ગૌરાંગ કહે છે કે, "મનથી સ્પર્શ કર્યા પછી આત્મભાવથી મારામાં લીન થજે, વિલીન થજે".


ગૌરાંગ કહે છે કે, " હે વિષ્ણુપ્રિયા આ બધું કર્યા પછી તને પરમ વિશ્રામ પ્રાપ્ત થશે".


અત્રિ સ્તુતિ
नमामि भक्त वत्सलं। 
कृपालु शील कोमलं॥
भजामि ते पदांबुजं। 
अकामिनां स्वधामदं॥1॥

भावार्थ:-हे भक्त वत्सल! हे कृपालु! हे कोमल स्वभाव वाले! मैं आपको नमस्कार करता हूँ। निष्काम पुरुषों को अपना परमधाम देने वाले आपके चरण कमलों को मैं भजता हूँ॥1॥
निकाम श्याम सुंदरं। 
भवांबुनाथ मंदरं॥
प्रफुल्ल कंज लोचनं। 
मदादि दोष मोचनं॥2॥
भावार्थ:-आप नितान्त सुंदर श्याम, संसार (आवागमन) रूपी समुद्र को मथने के लिए मंदराचल रूप, फूले हुए कमल के समान नेत्रों वाले और मद आदि दोषों से छुड़ाने वाले हैं॥2॥
प्रलंब बाहु विक्रमं। 
प्रभोऽप्रमेय वैभवं॥
निषंग चाप सायकं। 
धरं त्रिलोक नायकं॥3॥
भावार्थ:-हे प्रभो! आपकी लंबी भुजाओं का पराक्रम और आपका ऐश्वर्य अप्रमेय (बुद्धि के परे अथवा असीम) है। आप तरकस और धनुष-बाण धारण करने वाले तीनों लोकों के स्वामी,॥3॥
दिनेश वंश मंडनं। 
महेश चाप खंडनं॥
मुनींद्र संत रंजनं। 
सुरारि वृंद भंजनं॥4॥
भावार्थ:-सूर्यवंश के भूषण, महादेवजी के धनुष को तोड़ने वाले, मुनिराजों और संतों को आनंद देने वाले तथा देवताओं के शत्रु असुरों के समूह का नाश करने वाले हैं॥4॥
मनोज वैरि वंदितं। 
अजादि देव सेवितं॥
विशुद्ध बोध विग्रहं। 
समस्त दूषणापहं॥5॥
भावार्थ:-आप कामदेव के शत्रु महादेवजी के द्वारा वंदित, ब्रह्मा आदि देवताओं से सेवित, विशुद्ध ज्ञानमय विग्रह और समस्त दोषों को नष्ट करने वाले हैं॥5॥
नमामि इंदिरा पतिं। 
सुखाकरं सतां गतिं॥
भजे सशक्ति सानुजं। 
शची पति प्रियानुजं॥6॥
भावार्थ:-हे लक्ष्मीपते! हे सुखों की खान और सत्पुरुषों की एकमात्र गति! मैं आपको नमस्कार करता हूँ! हे शचीपति (इन्द्र) के प्रिय छोटे भाई (वामनजी)! स्वरूपा-शक्ति श्री सीताजी और छोटे भाई लक्ष्मणजी सहित आपको मैं भजता हूँ॥6॥
त्वदंघ्रि मूल ये नराः। 
भजंति हीन मत्सराः॥
पतंति नो भवार्णवे। 
वितर्क वीचि संकुले॥7॥
भावार्थ:-जो मनुष्य मत्सर (डाह) रहित होकर आपके चरण कमलों का सेवन करते हैं, वे तर्क-वितर्क (अनेक प्रकार के संदेह) रूपी तरंगों से पूर्ण संसार रूपी समुद्र में नहीं गिरते (आवागमन के चक्कर में नहीं पड़ते)॥7॥
विविक्त वासिनः सदा। 
भजंति मुक्तये मुदा॥
निरस्य इंद्रियादिकं। 
प्रयांतिते गतिं स्वकं॥8॥
भावार्थ:-जो एकान्तवासी पुरुष मुक्ति के लिए, इन्द्रियादि का निग्रह करके (उन्हें विषयों से हटाकर) प्रसन्नतापूर्वक आपको भजते हैं, वे स्वकीय गति को (अपने स्वरूप को) प्राप्त होते हैं॥8॥
तमेकमद्भुतं प्रभुं। 
निरीहमीश्वरं विभुं॥
जगद्गुरुं च शाश्वतं। 
तुरीयमेव केवलं॥9॥
भावार्थ:-उन (आप) को जो एक (अद्वितीय), अद्भुत (मायिक जगत से विलक्षण), प्रभु (सर्वसमर्थ), इच्छारहित, ईश्वर (सबके स्वामी), व्यापक, जगद्गुरु, सनातन (नित्य), तुरीय (तीनों गुणों से सर्वथा परे) और केवल (अपने स्वरूप में स्थित) हैं॥9॥
भजामि भाव वल्लभं। 
कुयोगिनां सुदुर्लभं॥
स्वभक्त कल्प पादपं। 
समं सुसेव्यमन्वहं॥10॥
भावार्थ:-(तथा) जो भावप्रिय, कुयोगियों (विषयी पुरुषों) के लिए अत्यन्त दुर्लभ, अपने भक्तों के लिए कल्पवृक्ष (अर्थात्‌ उनकी समस्त कामनाओं को पूर्ण करने वाले), सम (पक्षपातरहित) और सदा सुखपूर्वक सेवन करने योग्य हैं, मैं निरंतर भजता हूँ॥10॥
अनूप रूप भूपतिं। 
नतोऽहमुर्विजा पतिं॥
प्रसीद मे नमामि ते। 
पदाब्ज भक्ति देहि मे॥11॥
भावार्थ:-हे अनुपम सुंदर! हे पृथ्वीपति! हे जानकीनाथ! मैं आपको प्रणाम करता हूँ। मुझ पर प्रसन्न होइए, मैं आपको नमस्कार करता हूँ। मुझे अपने चरण कमलों की भक्ति दीजिए॥11॥
पठंति ये स्तवं इदं। नरादरेण ते पदं॥
व्रजंति नात्र संशयं। 
त्वदीय भक्ति संयुताः॥12॥
भावार्थ:-जो मनुष्य इस स्तुति को आदरपूर्वक पढ़ते हैं, वे आपकी भक्ति से युक्त होकर आपके परम पद को प्राप्त होते हैं, इसमें संदेह नहीं॥12॥


સતી અનસુયાયે સીતાને કહેલ નારી ધર્મ
दिब्य बसन भूषन पहिराए। 
जे नित नूतन अमल सुहाए॥
कह रिषिबधू सरस मृदु बानी। 
नारिधर्म कछु ब्याज बखानी॥2॥ 
भावार्थ:-और उन्हें ऐसे दिव्य वस्त्र और आभूषण पहनाए, जो नित्य-नए निर्मल और सुहावने बने रहते हैं। फिर ऋषि पत्नी उनके बहाने मधुर और कोमल वाणी से स्त्रियों के कुछ धर्म बखान कर कहने लगीं॥2॥
मातु पिता भ्राता हितकारी। 
मितप्रद सब सुनु राजकुमारी॥
अमित दानि भर्ता बयदेही। 
अधम सो नारि जो सेव न तेही॥3॥
भावार्थ:-हे राजकुमारी! सुनिए- माता, पिता, भाई सभी हित करने वाले हैं, परन्तु ये सब एक सीमा तक ही (सुख) देने वाले हैं, परन्तु हे जानकी! पति तो (मोक्ष रूप) असीम (सुख) देने वाला है। वह स्त्री अधम है, जो ऐसे पति की सेवा नहीं करती॥3॥
 धीरज धर्म मित्र अरु नारी। 
आपद काल परिखिअहिं चारी॥
बृद्ध रोगबस जड़ धनहीना। 
अंध बधिर क्रोधी अति दीना॥4॥
भावार्थ:-धैर्य, धर्म, मित्र और स्त्री- इन चारों की विपत्ति के समय ही परीक्षा होती है। वृद्ध, रोगी, मूर्ख, निर्धन, अंधा, बहरा, क्रोधी और अत्यन्त ही दीन-॥4॥
ऐसेहु पति कर किएँ अपमाना। 
नारि पाव जमपुर दुख नाना॥
एकइ धर्म एक ब्रत नेमा। 
कायँ बचन मन पति पद प्रेमा॥5॥
भावार्थ:-ऐसे भी पति का अपमान करने से स्त्री यमपुर में भाँति-भाँति के दुःख पाती है। शरीर, वचन और मन से पति के चरणों में प्रेम करना स्त्री के लिए, बस यह एक ही धर्म है, एक ही व्रत है और एक ही नियम है॥5॥
जग पतिब्रता चारि बिधि अहहीं। 
बेद पुरान संत सब कहहीं॥
उत्तम के अस बस मन माहीं। 
सपनेहुँ आन पुरुष जग नाहीं॥6॥
भावार्थ:-जगत में चार प्रकार की पतिव्रताएँ हैं। वेद, पुराण और संत सब ऐसा कहते हैं कि उत्तम श्रेणी की पतिव्रता के मन में ऐसा भाव बसा रहता है कि जगत में (मेरे पति को छोड़कर) दूसरा पुरुष स्वप्न में भी नहीं है॥6॥
मध्यम परपति देखइ कैसें। 
भ्राता पिता पुत्र निज जैसें॥
धर्म बिचारि समुझि कुल रहई। 
सो निकिष्ट त्रिय श्रुति अस कहई॥7॥
भावार्थ:-मध्यम श्रेणी की पतिव्रता पराए पति को कैसे देखती है, जैसे वह अपना सगा भाई, पिता या पुत्र हो (अर्थात समान अवस्था वाले को वह भाई के रूप में देखती है, बड़े को पिता के रूप में और छोटे को पुत्र के रूप में देखती है।) जो धर्म को विचारकर और अपने कुल की मर्यादा समझकर बची रहती है, वह निकृष्ट (निम्न श्रेणी की) स्त्री है, ऐसा वेद कहते हैं॥7॥
बिनु अवसर भय तें रह जोई। 
जानेहु अधम नारि जग सोई॥
पति बंचक परपति रति करई। 
रौरव नरक कल्प सत परई॥8॥
भावार्थ:-और जो स्त्री मौका न मिलने से या भयवश पतिव्रता बनी रहती है, जगत में उसे अधम स्त्री जानना। पति को धोखा देने वाली जो स्त्री पराए पति से रति करती है, वह तो सौ कल्प तक रौरव नरक में पड़ी रहती है॥8॥
छन सुख लागि जनम सत कोटी। 
दुख न समुझ तेहि सम को खोटी॥
बिनु श्रम नारि परम गति लहई। 
पतिब्रत धर्म छाड़ि छल गहई॥9॥
भावार्थ:-क्षणभर के सुख के लिए जो सौ करोड़ (असंख्य) जन्मों के दुःख को नहीं समझती, उसके समान दुष्टा कौन होगी। जो स्त्री छल छोड़कर पतिव्रत धर्म को ग्रहण करती है, वह बिना ही परिश्रम परम गति को प्राप्त करती है॥9॥
पति प्रतिकूल जनम जहँ जाई। 
बिधवा होइ पाइ तरुनाई॥10॥
भावार्थ:-किन्तु जो पति के प्रतिकूल चलती है, वह जहाँ भी जाकर जन्म लेती है, वहीं जवानी पाकर (भरी जवानी में) विधवा हो जाती है॥10॥

 सहज अपावनि नारि पति सेवत सुभ गति लहइ।
जसु गावत श्रुति चारि अजहुँ तुलसिका हरिहि प्रिय॥5 क॥
भावार्थ:-स्त्री जन्म से ही अपवित्र है, किन्तु पति की सेवा करके वह अनायास ही शुभ गति प्राप्त कर लेती है। (पतिव्रत धर्म के कारण ही) आज भी 'तुलसीजी' भगवान को प्रिय हैं और चारों वेद उनका यश गाते हैं॥5 (क)॥