Translate

Search This Blog

Saturday, February 27, 2016

માનસ રૂખડ

રામ કથા

માનસ રૂખડ

શ્રી પુનિત આશ્રમ

ગિરનાર તળેટી

જુનાગઢ - ગુજરાત

શનિવાર, ૨૭-૦૨-૨૦૧૬ થી રવિવાર, ૦૬-૦૩-૨૦૧૬

મુખ્ય પંક્તિ


साधु चरित सुभ चरित कपासू।

निरस बिसद गुनमय फल जासू॥

जो सहि दुख परछिद्र दुरावा।

बंदनीय जेहिं जग जस पावा॥

भावार्थ:-संतों का चरित्र कपास के चरित्र (जीवन) के समान शुभ है, जिसका फल नीरस, विशद और गुणमय होता है। (कपास की डोडी नीरस होती है, संत चरित्र में भी विषयासक्ति नहीं है, इससे वह भी नीरस है, कपास उज्ज्वल होता है, संत का हृदय भी अज्ञान और पाप रूपी अन्धकार से रहित होता है, इसलिए वह विशद है और कपास में गुण (तंतु) होते हैं, इसी प्रकार संत का चरित्र भी सद्गुणों का भंडार होता है, इसलिए वह गुणमय है।) (जैसे कपास का धागा सुई के किए हुए छेद को अपना तन देकर ढँक देता है, अथवा कपास जैसे लोढ़े जाने, काते जाने और बुने जाने का कष्ट सहकर भी वस्त्र के रूप में परिणत होकर दूसरों के गोपनीय स्थानों को ढँकता है, उसी प्रकार) संत स्वयं दुःख सहकर दूसरों के छिद्रों (दोषों) को ढँकता है, जिसके कारण उसने जगत में वंदनीय यश प्राप्त किया है॥


શનિવાર, ૨૭-૦૨-૨૦૧૬

માનસ રૂખડનું કથા સ્થળ એવું છે જ્યાં ગુરૂ દત્તનું સત્ય, મા અંબાનો પ્રેમ અને ભવનાથની કરૂણા સતત ખેંચે છે.

રૂખડ એ એક અવસ્થાનું નામ છે, સાધનાની સંપન્નતાની એક સ્થિતિ છે.

રૂખડ એ છે જે અવિનાશી તત્વનો ઉપાસક છે.

રૂખડ એ છે જેનામાં ચાર પ્રકારની મૂઢતા નથી.

રૂખડના રોમે રોમમાં ભજન છે.

રૂખડ એ છે જેણે નિરંતર હરિને ભજ્યો છે.

જે નિરંતર અલખનું રટણ કરે છે તે રૂખડ છે. રૂખડ અલખનો નાદ ગજવનાર છે.

રૂખડ એ છે જે પરમ તત્વને પામવા કાયમ પરિભ્રમણ કરે છે. અને પરમને પામી ગયા પછી પરમના માથા ઉપર ઝબુકે છે.

જે સમજીને છેતરાય તે રૂખડ છે. રૂખડ એ છે જે બધું જાણે છે કે તેને છેતરવાના બધા નેટવર્ક ગોઠવાઈ ગયા છે અને છતાં ય છેતરાય.

ગિરનારની ભૂમિમાં કોઈ કંઈ પણ કર્યા વિના ફક્ત સુઇ રહે તો ય તેની સાધના થઈ જાય.

જે અખંડને પામી ગયો છે તે પાખંડ છે.

જેણે ગલ પામી લીધો છે તે પાગલ.

જે અંદરથી નરવા અને બહારથી ગરવા - વિવેકી હોય તેના ઉપર બધા કૃપા કરે.





સૌજન્ય : વસંત ગઢવી


Read at source link.

ઝાડવાં પોતે પોતાના

ફળ નથી ખાતાં રે

ઉપકારી એમનો આતમો….રે

વનમાં રઝળતી ને ઘાસ મુખે ચરતી રે

ગાવલડી પોતે રે દૂધ નથી પીતી….રે

ઉપકારી એનો આતમો.

રતન રુપાળાં મોંઘા મૂલવાળાં રે

દરિયો પેરે નહિં મોતીડાની માળા….

ઉપકારી એનો આતમો.

કાગે એક બ્રાહ્મણ ભાળ્યો

એના ખભે છે ઉચાળો….

મહારાજ ફરે છે પગપાળો ….રે

ઉપકારી એનો આતમો ….રે.

...............   કવિ કાગ


રવિવાર, ૨૮-૦૨-૨૦૧૬

રૂખડનો એક અર્થ અક્ષય વટ થાય છે જે ધર્મ વટ છે, આધ્યાત્મ વટ છે.

રૂખડનો  એક અર્થ વેલા વટ પણ થાય છે.

રામ ચરિત માનસ, રામાયણ પણ રૂખડ છે.

રૂખડ એટલે રૂખ + અડ જ્યાં રૂખ એટલે મુડ - સારો કે નરસો મુડ અને અડ એટલે રોકાઈ જવું.

કોઈ પણ રૂખનો સ્વીકાર કરી લે તે રૂખડ છે.

કપાસનો છોડ લીલોછમ હોય છે. તે જ પ્રમાણે સાધુ પણ કાયમ આનંદિત હોય, આઠે પહોર આનંદિત હોય.

કપાસના છોડમાં રસ છે પણ તેના ફૂલમાં કોઈ પણ રસ નથી.

સાધુમાં કોઇ પણ વાસનાનો રસ નથી.

રૂ ને બાળો તો ભળભળ બળી જાય પણ જો તેમાં સ્નેહનું ઘી પુરો તો દીવો બની પ્રકાશ આપે.

સાદુ મૂળમાં ગતિ કરે પણ સાધુની ગતિ ન સમજાય.

આપણા પ્રારબ્ધમાં ૫ પ્રકારે બદલાવ આવે, પ્રારબ્ધની ગતિમાં પરિવર્તન થાય.


સારો દીકરો, દીકરી કે દત્તક લીધેલ સંતાન આપણા પ્રારબ્ધમાં પરિવર્તન લાવી શકે. દીકરો, દીકરી કે દત્તક સંતાન આવે એ એક નવી ચેતનાનો પ્રવેશ છે. આવી નવી ચેતનાના પ્રવેશ દ્વારા આપણા પ્રારબ્ધની ગતિમાં પરિવર્તન આવી શકે.


આપણા ઘરમાં સુલક્ષણી નારીનો પ્રવેશ આપણા પ્રારબ્ધની ગતિમાં પરિવર્તન લાવી શકે.


આપણો ગુરૂ આપણું પ્રારબ્ધ બદલી નાખવા સક્ષમ છે.

ગુરૂ એ છે જે પોતે ઝેર પીવે અને આપણને - આશ્રિતને અમૃત પીવડાવે.

રામ ચરિત માનસમાં સદ્‌ગુરૂ શબ્દ ૪ વખત આવે છે. આ ૪ નો સંકેત છે કે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સફળ કરે, ચારેય અવસ્થા સફળ કરે.

શરણાગતિ કોઈ એકની જ થાય અને ફક્ત એક વાર જ થાય જ્યારે પ્રણામ બધાને કરાય.


મંત્ર આપણું પ્રારબ્ધ બદલી નાખવા સક્ષમ છે.


આપણો પોતાનો પુરૂષાર્થ આપણા પ્રારબ્ધની ગતિમાં પરિવર્તન લાવી શકે, પ્રારબ્ધની દિશા બદલી નાખે.

સાર્વભોમ સાધુતાનું નામ રૂખડ છે.

સાધુ ભલે સુતો હોય પણ તેની સાધના કાર્યરત હોય, કાર્ય કરતી હોય.

તર્કથી કામ ન થાય પણ સતર્કતાથી કામ થાય.

સાધુપણું જ એક ચમત્કાર છે.

સાધુ આપણા બધા વચ્ચે, દુનિયા વચ્ચે અસંગ રહે એ જ મોટો ચમત્કાર છે.

રૂખડનો એક અર્થ આવારા થાય છે.

રૂખડમાં  ૪ પ્રકારની મૂઢતા - મૂર્ખતા નથી હોતી.

આ ૪ પ્રકારની મૂર્ખતા નીચે પ્રમાણેની હોય છે.


રૂખડને વાહનનો તેમજ પોતાની સાધનાનો કોઈ બોજ ન હોય. જે કાયમ નિરભાર હોય તે રૂખડ છે.

રૂખડ સરલ તરલ જીવન જીવે.

આપણા ભજનનાના ભોગે સેવા ન કરાય.

મુસ્કહારટ જ મુક્તિ છે -- રવીન્દ્રનાથ ટાગોર


રૂખડને પૃથ્વીની સિમિત અવસ્થા નથી ગમતી પણ ગગનની અસિમિતતા ગમે છે.

રૂખડને પૃથ્વીનાં પ્રલોભનો સ્પર્શી ન શકે પણ ઊર્ધ્વ ચેતના કરે.


રૂખડ કરવા જેવા બધા કામ કરે પણ ન કરવા જેવું એક પણ કામ ન કરે.


રૂખડમાં પોતાની બુદ્ધિ હોવા છતાંય ચારે બાજુથી શુભને ગ્રહણ કરે.


રૂ નો એક અર્થ અજવાળું થાય છે. અને ખડ એટલે ખડ કરવી, ખેતી કરવી.

રૂખડ એ છે જેણે અજવાળામાં ખેડ કરી છે.

જે કોમલ હોય અને કરાલ પણ હોય તે રૂખડ છે.


સોમવાર, ૨૯-૦૨-૨૦૧૬

સત્યનું ફળ, ધર્મનું ફળ પીડા જ હોય છે.  ........  ભોળાભાઈ પટેલ

રૂખડ શબ્દમાં રૂ એટલે ધવલ, ખ એટલે સુગંધ અને ડ એટલે ઓડકાર, ડકાર

શુન્યને રૂખડ કહેવાય તેમજ પૂર્ણને પણ રૂખડ કહેવાય.

પરંપરા પ્રવાહી હોવી જોઇએ.

રૂખડનું ક્ષેત્ર ગિરનાર છે.

વ્યક્તિને તેમજ વ્યક્તિના વક્તવ્યને સમજ્યા વગર ન પકડો.

રૂખડનું, રૂખડી ચેતનાનું ધામ કૈલાશ છે.

अगुन अमान मातु पितु हीना। 

उदासीन सब संसय छीना॥


जोगी जटिल अकाम मन नगन अमंगल बेष।

શંકરનાં જે લક્ષણ છે તેવાં જ લક્ષણ રૂખડી ચેતનાના છે.

રૂખડની ધર્મશાળા સનાતન ધર્મશાળા છે જે નીત નૂતન છે, પુરાતન નથી.

રૂખડનો મંત્ર અલખ છે.

 રૂખનો આહાર આનંદ છે. (પરમાનંદ, બ્રહ્માનંદ, સહજાનંદ, ઉપનિષદીયાનંદ, શિવાનંદ)

ઘણા માણસો વિચારક હોય, ઘણા માણસો ઉદ્ધારક હોય, ઘણા માણસો સ્વીકારક હોય.

ઉદ્દારક રામ 

ઉદ્દારક રામ અહલ્યાનો ઉદ્દાર કરે છે.

एहि भाँति सिधारी गौतम नारी बार बार हरि चरन परी।

जो अति मन भावा सो बरु पावा गै पति लोक अनंद भरी॥

વિચારક રામ

વિચારક રામ મોટાને જ ગાદી મળે તેને અનુચિત ગણે છે.

बिमल  बंस  यहु  अनुचित  एकू।  

बंधु  बिहाइ  बड़ेहि  अभिषेकू॥

भावार्थ:-पर  इस  निर्मल  वंश  में  यही  एक  अनुचित  बात  हो  रही  है  कि  और  सब  भाइयों  को  छोड़कर  राज्याभिषेक  एक  बड़े  का  ही  (मेरा  ही)  होता  है।

સ્વીકારક રામ

સ્વીકારક રામ સુગ્રીવને સ્વીકારે છે, વિભીષણને સ્વીકારે છે.

અહલ્યા પતિલોક્ને પામે છે - પતિલોક એટલે રઘુવીરનો લોક. અહલ્યા રઘુવરને પામે છે.

રૂખડની દેવી અંબાજી મા છે.

રૂખડનો પંથ પંથ મુક્ત પંથ છે, વિહંગાચાર છે. જેને  J. KRISHNAMURTI "PATHLESS PATH" કહે છે.

જે રૂખડ હોય તે જ રૂખડને ઓળખી શકે.

રૂખડ ચેતના છાપ, તિલક મુક્ત છે, વેશ મુક્ત છે, સંપ્રદાય મુક્ત છે.

દુપટો એટલે દ્વૈત. મહાપુરૂષ આપણો દુપટો છીનવી લે છે આપણામાંથી દ્વૈત મટાવી અદ્વૈત તરફ લઈ જાય છે.

રૂખડની ગાયત્રી એવી છે જે જોતાવેંત દૂધ અને પાણીને જાણી જાય એવી પ્રજ્ઞાની શબ્દાતીત ગાયત્રી છે.

રૂખડ જે બોલે તે વેદ થઈ જાય છે. રૂખડ નિર્વેદ છે.

રૂખડનું ગોત્ર અચ્યુત ગોત્ર છે જે ચોવિસે કલાક નિરંતર છે.

રૂખડનો સ્વભાવ ગાવાનો તેમજ નાચવાનો છે.

રૂખડનો શ્રીંગાર આંસુ છે, સજળતા છે.

રૂખડની આંખનો શ્રીંગાર હરિ દર્શન છે.

રૂખડનો પ્રભાવ ત્રિભુવન ઉપર છવાઈ રહેવાનો - છવાઈ જવાનો છે.


મંગળવાર, ૦૧-૦૩-૨૦૧૬

સાધુ ડાકુ છે જે આશ્રિતના મન, બુદ્ધિ, ચિત અને અહંકારને લૂંટી લે છે.

રૂખડ શબ્દમાં "રુ" એટલે રુકસદ જેનો અર્થ વિદાય થાય છે તે શબ્દનો અપભ્રંશ શબ્દ રૂખડ છે.

રૂખડ ના "ખ" એટલે ષટ વિકાર

અને "ડ" એટલે ખબર વગર થતી ખેતરી સાધના.

આમ સતત વિકસતી અને વિશ્રામ તરફ જતી ચેતના એ રૂખડ છે.

રૂખડ એ બહું જ ઊંચી અવસ્થા છે.

હનુમાનજી રૂખડ છે.

સિંહિકા એ ઈર્ષા દ્વૈષ છે જેને મારી જ નાખવા પડે.

જાનકી ધરતી કૂખા છે જ્યારે દ્રૌપદી અગ્નિ કૂખા છે.

રૂખડ બેઠેલો હોય છતાંય રખડતો હોય - પરિભ્રમણ કરતો હોય.

રમણ મહર્ષિ પણ રૂખડ છે.

જે રુક્ષ હોવા છતાંય રસમય હોય તે રૂખડ છે.

હિમાલય વિભૂતિ છે જ્યારે ગિરનાર વિભુ છે.

તેથી કૃષ્ણ હિમાલયને પોતાની વિભૂતિ ગણાવે છે પણ ગિરનારનો ઉલ્લેખ નથી કરતા.

કોઈને માપવો નહી પણ પામવો.




બુધવાર, ૦૨-૦૩-૨૦૧૬

સાધુ એ છે જે પરમાત્માને ઊઘાડો કરી દે અને આશ્રિતનાં છિદ્રો ઢાંકી દે.

રામ ચરિત માનસમાં કપાસ શબ્દ બે વાર આવે છે.

साधु चरित सुभ चरित कपासू। 

निरस बिसद गुनमय फल जासू॥

जो सहि दुख परछिद्र दुरावा। 

बंदनीय जेहिं जग जस पावा॥3॥


तीनि अवस्था तीनि गुन तेहि कपास तें काढ़ि।

तूल तुरीय सँवारि पुनि बाती करै सुगाढ़ि।।

[जाग्रत् स्वप्न और सुषुप्ति] तीनों अवस्थाएँ और [सत्त्व, रज और तम] तीनों गुणरूपी कपाससे तुरीयावस्थारूपी रूईको निकालकर और फिर उसे सँवारकर उसकी सुन्दर कड़ी बत्ती बनावें।।

આશ્રમ અને વેશનો મહિમા છે.

સાધુ એ છે જે હરિને જેવો છે તેવો નાનામાં નાના માણસને ઓળખાવી દે.

સાધુ જ્ઞાન દીપ પ્રગટાવે.

કપાસનું ફૂલ ત્રણ લીલાંછમ પાંદડાં વચ્ચે ખીલે છે.

ભેખધારી સામે આપણે આપણી ચાલાકી કે હોંશિયારી કર્યા સિવાય ડાહ્યા બનીને બેસી જવાનું હોય.



ગુરૂવાર, ૦૩-૦૩-૨૦૧૬

આપણે ત્યાં સાધના પક્ષ અને કૃપા પક્ષ એમ બે પંથ છે.

સાધના પક્ષનો સાધક સ્વતંત્ર હોય છે અને તે તેને ગમે તે સાધનાનો પંથ લઈ શકે છે.

જીવ પરવશ છે જ્યારે પરમાત્મા સ્વતંત્ર છે.

परबस जीव स्वबस भगवंता। 

જીવન માયાને આધીન છે જ્યારે માયા ઈશ્વરને આધીન છે.

કૃપા માર્ગમાં સાધક સ્વતંત્ર નથી.

કૃપા માર્ગને રૂખડ સમજે છે તેમજ કોઈ પહોંચેલો સાધુ સમજે છે.

દત્તના શિખર સુધી પહોંચવા ઝંખતી ચેતના એ રૂખડ છે.

મુક્તિ પદ અત્યંત દુર્લભ છે. અને છતાંય ઘણા મુક્તિ પદને પામવાનાં કોઈ પણ લક્ષણ ન હોવા છતાંય સહેલાઈથી મુક્તિ પદને પામે છે. આ હરિની કૃપા છે. અને હરિ આવી કૃપા કરવા સ્વતંત્ર છે.

કોઈ પણ યુદ્ધ છળ કપટ વિના થઈ જ ન શકે.

કર્ણના અંગ દેશના રાજ્યાભિષેક સમયે કર્ણના પાલક પિતા આવે છે અને કર્ણ તેના રાજ્યાભિષેકના અભિષેકને અટકાવી પોતાના પાલક પિતાના પગમાં પોતાનું શિર નમાવે છે.

આપણું શરીર એ જ અંગદેશ છે અને આપણા કાન - કર્ણ છે, જે અંગદેશનો રાજા છે.

અને તેથી જ કર્ણનાં કવચ કુંડલ છળકપટ કરી છીનવી લેવામાં આવે છે.

મહાભારતને વાંચો અને રામાયણને સાંભળો.

દરેકને પોતાપણાનું ભાન હોવું જોઈએ કે પોતે શું છે, પોતાની લાયકાત શું છે.

બળ સાથે બુદ્ધિ અને વિદ્યા પણ હોવી જોઈએ.

સમયે કામ આવે એવા ભણેલા શાસ્ત્રો જ વિદ્યા છે.

કૃપા પક્ષને સમજવો અઘરો છે. કૃપા પક્ષ અગમ છે.

ઝળબવું એટલે સાક્ષી ભાવે જોવું, સાક્ષી રૂપે જોવું અને ફળ સાથે કોઈ લેવા દેવા ન રાખવી.

ક્રિકેટ મેચ દરમ્યાનની એમ્પાયરની ભૂમિકા એ ઝળબવા સમાન છે કારણ કે તેને મેચની હાર જીત સાથે કોઈ લેવાદેવા નથી.

આવો એમ્પાયર રૂખડ છે.

ન્યાયાધીશ પણ રૂખડ છે.

વ્યાસ પીઠ પણ રૂખડ છે.

રૂખડમાં અનાસક્તિ યોગ ભરપુર હોય છે. રૂખડમાં કોઈ આસક્તિ ન હોય, ફક્ત નિરસતા જ હોય.
રૂખડ એ નિરંતર પ્રવાહમાન, નિરંતર જાગૃત તત્વ છે અને આવું તત્વ એ કૃપા પક્ષનું તત્વ છે.

રામને મર્યાદા છે જ્યારે રામ કથાને કોઈ મર્યાદા નથી. રામ કથાનો પ્રવાહ ગમે તે દિશામાં જાય.

રૂખડ શબ્દમાં રૂખ એટલે સમાજની રૂખ અને ડ એટલે ડરવું નહીં. જે સમાજના સારા કે ખરાબ રૂખથી ડરે નહીં તે રૂખડ છે.

સ્વામી સચ્ચિદાનંદજીએ આઠ પ્રકારની અવધારણા વર્ણવી છે.



શુક્રવાર, ૦૪-૦૩-૨૦૧૬

જેની ઉપર કૃપા થઈ હોય તે આપણો આદર્શ ન બની શકે.

રામ રાવણ ઉપર કૃપા કરે છે. પણ આપણે રાવણને આપણો આદર્શ ન બનાવી શકીએ.

કુબજાને આદર્શ ન બનાવાય.

ગોપીને આદર્શ બનાવી શકાય.

કોઈ સાધુ પુરૂષને આદર્શ બનાવી શકાય.

રૂખડને આપણે આદર્શ - MILESTONE - બનાવી શકીએ.

રૂખડમાં સાધના પક્ષ અને કૃપા પક્ષ બંને છે.

મોત ટોળાય જ્યારે કૃપા ઝળુબે.

રામ ચરિત માનસનાં બે પાત્ર - શ્રી ભરતજી અને હનુમાનજી - નિરસ છે, વિષદ - ધવલ છે અને ગુણમય છે.

આ બંને પાત્રોમાં સાધના પક્ષ અને કૃપા પક્ષ છે.

૨૧ મી સદીમાં સાધુના ભજનની બહું જ જરૂર છે કારણ કે અત્યારે કલી પ્રભાવ ટોળાઈ રહ્યો છે.

શિકાયતી ચિત્ત આધ્યાત્મની યાત્રા ન કરી શકે.

ધૂન બોલવાની સાથે સાથે હાથથી તાળી પાડવી એટલે હાથ હલાવવા, કર્મ કરવું, કર્મઠ બનવું, કર્મ કરવું.

રૂખડમાં રૂ એટલે કપાસનું રૂ જે વસ્ત્ર દ્વારા આપણને ઢાંકે છે, સ્વને ઢાંકે છે અને ખડ એટલે ઘાસ જે ધરતીને ઢાંકે છે, જગતને ઢાંકે છે, સર્વને ઢાંકે છે.

આમ સ્વથી સર્વ સુધી બધાને ઢાંકે તે રૂખડ છે.

જલ જ્યારે વહે ત્યારે તેના રસ્તામાં આવતા ખાડાને જલથી ભરી દે પછી જ આગળ વધે.

આપણે પણ રસ્તામાં આવતા ખાડાઓને પહેલાં ભરી પછી આગળ વધવું જોઈએ.

રૂખડ તેની યાત્રા દરમ્યાન વચ્ચે આવતાને પહેલા પોષે પછી જ આગળ વધે.

જ્યારે જ્યારે ધર્મ સ્પર્ધામાં ઊતરે ત્યારે ત્યારે મૂળ તત્વ ઘવાય છે.

ભરતની યાત્રા ચિત્રકૂટની છે અને હનુમાનની યાત્રા ત્રિકૂટની છે.

ભરતની ચિત્રકૂટની યાત્રા દરમ્યાન ૫ વિઘ્ન આવે છે અને હનુમાનજીને ત્રિકૂટની યાત્રા દરમ્યાન ૪ વિઘ્ન આવે છે.

આમ રૂખડને તેની સાધનાની યાત્રા દરમ્યાન ૯ પ્રકારનાં વિઘ્નો વેઠવાં પડે છે.

ચરિત્રવાનને જ વિઘ્નો સહન કરવા પડે.
भरत  सरिस  को  राम  सनेही।  

जगु  जप  राम  रामु  जप  जेही

सारा  जगत्‌  श्री  राम  को  जपता  है,  वे  श्री  रामजी  जिनको  जपते  हैं,  उन  भरतजी  के  समान  श्री  रामचंद्रजी  का  प्रेमी  कौन  होगा?॥

ભરત નિરસ છે અને તેથી તેને ધર્મ, અર્થ, કામ કે મોક્ષનામ ફળ નથી જોઈતાં પણ તેને રામ રસ પીવો છે, રામ રસ માટે ભરત સરસ બને છે.

ભરતને તેની ચિત્રકૂટની યાત્રા દરમ્યાન સહન કરવાં પડતાં ૫ વિઘ્ન નિચે પ્રમાણે છે.


પોતાના વ્રત ભંગનું વિઘ્ન
વ્રત જાહેર થઈ જાય એટલે વ્રત ભંગ કરવાનો પ્રસંગ આવી શકે. તેથી વ્રત જાહેર કરવાનાં ન હોય.


સમાજ દરમ્યાન ગેરસમજ પેદા થવાનું વિધ્ન


સાધુ સંતો પણ કસોટી કરી વિઘ્ન પેદા કરે. જો કે સાધુ સંતો આવું કરી જો કોઈ કચાસ હોય તો તેને પૂર્ણ કરે અને સાધકની ભૂલ સુધારે.


ઘણી વખત દૈવી તત્વો પણ વિઘ્ન નાખે. દેવતાઓ પણ વિઘ્ન ઊભા કરે છે.

सुनु  सुरेस  रघुनाथ  सुभाऊ।  

निज  अपराध  रिसाहिं  न  काऊ॥

भावार्थ:-उस  समय  (पिछली  बार)  तो  श्री  रामचंद्रजी  का  रुख  जानकर  कुछ  किया  था,  परन्तु  इस  समय  कुचाल  करने  से  हानि  ही  होगी।  हे  देवराज!  श्री  रघुनाथजी  का  स्वभाव  सुनो,  वे  अपने  प्रति  किए  हुए  अपराध  से  कभी  रुष्ट  नहीं  होते॥
  जो  अपराधु  भगत  कर  करई।  

राम  रोष  पावक  सो  जरई॥

लोकहुँ  बेद  बिदित  इतिहासा।  

यह  महिमा  जानहिं  दुरबासा॥

भावार्थ:-पर  जो  कोई  उनके  भक्त  का  अपराध  करता  है,  वह  श्री  राम  की  क्रोधाग्नि  में  जल  जाता  है।  लोक  और  वेद  दोनों  में  इतिहास  (कथा)  प्रसिद्ध  है।  इस  महिमा  को  दुर्वासाजी  जानते  हैं॥


પોતાના કુટુંબીજનો પણ વિઘ્ન નાખે અને આપણને મારી નાખવા સુધીના પણ પ્રયાસ કરે.

सगुनु  खीरु  अवगुन  जलु  ताता।  

मिलइ  रचइ  परपंचु  बिधाता॥


भरतु  हंस  रबिबंस  तड़ागा।  

जनमि  कीन्ह  गुन  दोष  बिभागा॥

भावार्थ:-हे  तात!  गुरु  रूपी  दूध  और  अवगुण  रूपी  जल  को  मिलाकर  विधाता  इस  दृश्य  प्रपंच  (जगत्‌)  को  रचता  है,  परन्तु  भरत  ने  सूर्यवंश  रूपी  तालाब  में  हंस  रूप  जन्म  लेकर  गुण  और  दोष  का  विभाग  कर  दिया  (दोनों  को  अलग-अलग  कर  दिया)॥


लखन  तुम्हार  सपथ  पितु  आना।  

सुचि  सुबंधु  नहिं  भरत  समाना॥

हे  लक्ष्मण!  मैं  तुम्हारी  शपथ  और  पिताजी  की  सौगंध  खाकर  कहता  हूँ,  भरत  के  समान  पवित्र  और  उत्तम  भाई  संसार  में  नहीं  है॥

सगुनु  खीरु  अवगुन  जलु  ताता।  

मिलइ  रचइ  परपंचु  बिधाता॥

भरतु  हंस  रबिबंस  तड़ागा।  

जनमि  कीन्ह  गुन  दोष  बिभागा॥

भावार्थ:-हे  तात!  गुरु  रूपी  दूध  और  अवगुण  रूपी  जल  को  मिलाकर  विधाता  इस  दृश्य  प्रपंच  (जगत्‌)  को  रचता  है,  परन्तु  भरत  ने  सूर्यवंश  रूपी  तालाब  में  हंस  रूप  जन्म  लेकर  गुण  और  दोष  का  विभाग  कर  दिया  (दोनों  को  अलग-अलग  कर  दिया)॥3॥


ભરત આ બધા વિઘ્નો પસાર કરે છે અને પછી જ રામ મિલન થાય છે.


શનિવાર, ૦૫-૦૩-૨૦૧૬

જેને કોઈ જ પ્રશ્ન નથી તે જ રૂખડ.

ભૂખડને પ્રશ્નો હોય, વહેમ હોય.

તુલસીદાસજી રૂખડની વ્યાખ્યાનાં ૭ સૂત્રો વર્ણવે છે.

રૂખડત્વ પ્રાપ્ત કરવું અઘરૂં છે.

ભરત પોતાના હાથે વણેલ વસ્ત્ર સુગ્રીવને ઓઢાડે છે.

કપાસમાં સત્ય, પ્રેમ અને કરૂણા સમાવિષ્ઠ છે, કપાસ શબ્દના "ક" કરૂણા દર્શાવે છે, "પ" પ્રેમ દર્શાવે છે અને "સ" સત્ય દર્શાવે છે.

જે ગૃહસ્થાશ્રમીને ત્યાં ૧૦ વસ્તુ હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય બને.


જે ઘરમાં કાયમ આનંદ હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.

જે ઘરમાં સંપ હોય અને સંતોષ હોય તે ઘરના સભ્યો આનંદમાં રહી શકે.


જે ગૃહસ્થના બાળકો બુદ્ધિમાન હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.


જેની ધર્મ પત્ની પ્રિય બોલતી હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.


જેના ઘરમાં જરૂરિયાત પુરતું ધન હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.


જે ઘરમાં પતિ અને પત્ની એક બીજાથી સંતુષ્ઠ હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.


જે ઘરના સભ્યો આજ્ઞાપાલક હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય. ઘરના સભ્યોમાં ઘરમાં કામ કરનાર વ્યક્તો પણ સમાવિષ્ઠ થઇ જાય છે.

મંદિર બનવાં જોઈએ પણ તેમાં અતિરેક ન થવો જોઈએ.

બધાએ તેમની ક્ષમતા પ્રમાણે પોતાને ત્યાં કામ કરનાર માટે પણ વ્યવસ્થા કરવી જોઈએ.

જીવતા દેવતાઓ માટે મંદિર - રાહેવાનું સ્થળ બનાવવું જોઈએ.


જેના ઘરે દરરોજ કોઈ અતિથિ ભોજન કરતો હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.


જેના ઘરમાં શિવ પૂજા થતી હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય. જેના ઘરમાં કલ્યાણકારી સૂત્રોથી, વિચારોથી ઘર ભરેલું હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.

મહાદેવ આદિ રૂખડ છે.

अगुन अमान मातु पितु हीना। 

उदासीन सब संसय छीना॥4॥


जोगी जटिल अकाम मन नगन अमंगल बेष।


નગ્નતા પણ એક સૌન્દર્ય છે .... ઑશો


જે ઘરમાં દરરોજ એકાદ મિષ્ટાન બનતું હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.

મહેમાન માટે, ઠાકોરજી માટે મિષ્ટાન બનતું હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.

૧૦
જેના ઘરમાં શાસ્ત્રોનો પાઠ થતો હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.

તુલસીદાસજીએ વર્ણવેલ રૂખડની વ્યાખ્યાનાં ૭ સૂત્રો

રૂખડ નિરસ હોય, અનાસ્ક્ત હોય.
રૂખડ રસ સિક્ત હોવા છતાંય વિરક્ત હોય.
तेहिं  पुर  बसत  भरत  बिनु  रागा।  

चंचरीक  जिमि  चंपक  बागा॥

रमा  बिलासु  राम  अनुरागी।  

तजत  बमन  जिमि  जन  बड़भागी॥

भावार्थ:-उसी  अयोध्यापुरी  में  भरतजी  अनासक्त  होकर  इस  प्रकार  निवास  कर  रहे  हैं,  जैसे  चम्पा  के  बाग  में  भौंरा।  श्री  रामचन्द्रजी  के  प्रेमी  बड़भागी  पुरुष  लक्ष्मी  के  विलास  (भोगैश्वर्य)  को  वमन  की  भाँति  त्याग  देते  हैं  (फिर  उसकी  ओर  ताकते  भी  नहीं)॥


ધવલતા - આંતરિક ઉજ્જવળતા


ગુણમય
ગૂણાતીત હોવા છતાંય ગુણમય રહે


દુઃખ સહન કરે
બીજા માટે પોતે દુઃખ સહન કરે જેમ કે પીડ પરાઈ જાણે રે...


બીજાનાં છિદ્રોને ઢાંકે.

હનુમાનજી વિરક્ત સંત છે.

સતયુગમાં નારદ અને સનતકુમારો બ્રહ્મચારી છે.

ત્રેતાયુગમાં પરશુરામ બ્રહ્મચારી છે.

દ્વાપરયુગમાં ભીષ્મ પિતામહ બ્રહ્મચારી છે.

હનુમાનજીને ૪ વિઘ્ન નડે છે, હનુમાનજી વિરક્ત છે એટલે તેમને ૪ વિઘ્ન નડે છે.

સાચા વિરક્તનું શરીર સોનાનું છે.


હનુમાનજીને મૈનાક પર્વતનું વિઘ્ન આવે છે.

આ અમર્યાદ સુવિધાનું, પ્રલોભનનું, સમૃદ્ધિનું વિઘ્ન છે.

जलनिधि रघुपति दूत बिचारी। 

तैं मैनाक होहि श्रम हारी॥5॥

हनूमान तेहि परसा कर पुनि कीन्ह प्रनाम।

राम काजु कीन्हें बिनु मोहि कहाँ बिश्राम॥

સુરસાનું વિઘ્ન

હનુમાનજીને દેવો દ્વારા સુરસાના માધ્યમ વડે વૈભવનું વિઘ્ન નડે છે.

जात पवनसुत देवन्ह देखा। 

जानैं कहुँ बल बुद्धि बिसेषा॥

सुरसा नाम अहिन्ह कै माता। 

पठइन्हि आइ कही तेहिं बाता॥1॥

आजु सुरन्ह मोहि दीन्ह अहारा। 

सुनत बचन कह पवनकुमारा॥

राम काजु करि फिरि मैं आवौं। 

सीता कइ सुधि प्रभुहि सुनावौं॥2॥

तब तव बदन पैठिहउँ आई। 

सत्य कहउँ मोहि जान दे माई॥

कवनेहुँ जतन देइ नहिं जाना। 

ग्रससि न मोहि कहेउ हनुमाना॥3॥

 जोजन भरि तेहिं बदनु पसारा। 

कपि तनु कीन्ह दुगुन बिस्तारा ॥

सोरह जोजन मुख तेहिं ठयऊ। 

तुरत पवनसुत बत्तिस भयऊ॥4॥

जस जस सुरसा बदनु बढ़ावा। 

तासु दून कपि रूप देखावा॥

सत जोजन तेहिं आनन कीन्हा। 

अति लघु रूप पवनसुत लीन्हा॥5॥


સિહિંકાનું વિધ્ન

સિહિંકા એ ઈર્ષા દ્વેષનું વિઘ્ન છે.


લંકીનીનું વિઘ્ન

આ ભેદ બુદ્ધિનું વિઘ્ન છે
.
હનુમાનજી મચ્છર નથી બન્યા પણ નિર્મત્સર બન્યા છે.

સંતનો હાથ પડે એટલે રક્ત નીકળી જાય અને વિરક્ત બની જવાય. આમ ભેદ બુદ્ધિ નાશ પામે.

मसक समान रूप कपि धरी। 

लंकहि चलेउ सुमिरि नरहरी॥

नाम लंकिनी एक निसिचरी। 

सो कह चलेसि मोहि निंदरी॥1॥

जानेहि नहीं मरमु सठ मोरा। 

मोर अहार जहाँ लगि चोरा॥

मुठिका एक महा कपि हनी। 

रुधिर बमत धरनीं ढनमनी॥2॥



દંતાલીના સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે ગૃહસ્થાશ્રમ છોડવાનાં નીચે પ્રમાણેનાં ૪ કારણ વર્ણવ્યાં છે.

ઘર કંકાશ

બધા સાથે વેર

દેવું વધી જવું.

નિવૃત્તીમય વૈરાગ્ય


રવિવાર, ૦૬-૦૩-૨૦૧૬

ફૂલ એ એક સ્થુલ રૂપ છે, રૂપ છે અને તેની સુગંધ એ એક સુક્ષ્મ રૂપ છે, આ સુગંધ એ રૂખડ છે જે ફૂલ ઉપર ઝળુબે છે.

અંશ તેના અંશી તરફ ગતિ કરે એ અંશનો સ્વભાવ છે.

પ્રકાશની જ્યોત ઉપર તરફ ગતિ કરે, સૂર્ય તરફ ગતિ કરે જ્યારે જલ નીચે તરફ ગતિ કરે.

રૂખડ શબ્દમાં "રૂ" એટલે પ્રકાશ, "ખ" એટલે આકાશ અને "ડ" એટલે ડગલું. જે અજવાળું આકાશ તરફ ધીમે ધીમે ડગલાં ભરે તે રૂખડ.

સાર્વભોમ ચૈતનાનો લોક બોલીનો શબ્દ રૂખડ છે.

જેને શંકર વ્હાલો ન હોય તેની ભક્તિ ફળે જ નહીં.

संकर भजन बिना नर भगति न पावइ मोरि।।

शंकरजी के भजन बिना मनुष्य मेरी भक्ति नहीं पाता।।

રૂખડનું મૃત્યુ નથી.

न मे मृत्युशङ्का न मे जातिभेदः

     पिता नैव मे नैव माता न जन्म ।

     न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः

     चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ५॥



           अहं निर्विकल्पो निराकाररूपो

           विभुव्या।र्प्य सर्वत्र सर्वेन्द्रियाणाम् ।

           सदा मे समत्वं न मुक्तिर्न बन्धः

           चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ६॥

 There is no death or fear,

No one to distinguished by class or caste

No father, no mother, no birth at all;

No friend, no kith or kin, guru or shishya -

I am the embodiment of knowledge and bliss -

I am Shiva, I am Shiva .. 5..


I am Changeless, formless, enveloping all,

Untouched by senses, I am omnipresent,

Unfathomable, I am beyond freedom -

I am the embodiment of knowledge and bliss -

I am Shiva, I am Shiva .. 6..


Read More on ॥ आत्मषट्कम् , निर्वाणषट्कम् ॥ 

શબ્દથી બીજાને છેતરી શકાય પણ શબ્દને ન છેતરી શકાય. શબ્દ બ્રહ્મ છે અને બ્રહ્મને છેતરી ન શકાય.

શબ્દ વસ્ત્ર છે, શબ્દ આપણને ઢાંકે છે.

બુદ્ધ પુરુષ છેલ્લે બોલવાનું બંધ કરી દે છે. એનો અર્થ એવો કે બુદ્ધ પુરૂષ પામી ગયા પછી શબ્દ જે વસ્ત્ર છે તેને ફેંકી દઈ દિગંબરી ધારણ કરી લે છે.

અનુભવોનું કથન થાય પણ અનુભૂતિનું કથન ન થાય.

અનુભૂતિ બોલી ન શકાય.

સદ્‌ગુરૂ લોકમંગળ માટે થોડા શબ્દો બોલે છે.

શંકર જે ત્રિભુવનગુરૂ છે તે થોડા નીચે ઊતરી લોકમંગલ માટે બોલે છે, કથા કહે છે.

निज अनुभव अब कहउँ खगेसा। 

बिनु हरि भजन न जाहिं कलेसा।।

પક્ષીઓમાં કાગડો રૂખડ છે.

રૂખડત્વમાં જાતિ ભેદ નથી. રૂખડ કોઈ પણ જાતિમાં હોઈ શકે.

उमा कहउँ मैं अनुभव अपना। 

सत हरि भजनु जगत सब सपना॥

ડૂબેલો માણસ બોલી જ ન શકે, ફક્ત બડબડીયાં જ કરે.

बारि मथें घृत बरु सिकता ते बरु तेल।

बिनु हरि भजन न भव तरिअ यह सिद्धांत अपेल।।

जलको मथने से भले ही घी उत्पन्न हो जाय और बालू [को पेरने] से भले ही तेल निकल आवे; परंतु श्रीहरि के भजन बिना संसाररूपी समुद्र से नहीं तरा जा सकता यह सिद्धान्त अटल है।।

પાણીનું મંથન કરતાં કદાચ ઘી નીકળે પણ હરિ ભજન વિના સંસાર તરી ન શકાય.

અનુભૂતિ થાય ત્યારે બોલી જ ન શકાય અને કદાચ બોલે તો ત્યારે બોલવા કરતાં રડું વધારે આવે.

આપણા ઘરમાં જેટલી બારીની સાઈઝ હોય તેટલું જ આકાશ દેખાય અને બારી ન હોય તો આકાશ દેખાય જ નહીં.

રૂપ જ્યારે દેહમાં હોય ત્યાં સુધી શૄંગાર છે જે મોહીત કરે છે. પણ રૂપ જ્યારે સ્વરુપ બને ત્યારે તે ઝળુંબે છે.

લોક્સભા, રાજ્યસભામાં બાખડવાનું હોય છે જ્યારે રામ સભામાં રમવાનું  હોય છે.

શબ્દને સુરતા પરણે છે, શબ્દ એ ગુરૂનો બોલ છે જે વર છે અને સુરતા એ આશ્રિતની હોય છે જે કન્યા છે.

ગુરૂનો બોલ આશ્રિતની સુરતા સાથે પરણે છે.

મંડપના પ્રકાર

લગ્ન મંડપ

યજ્ઞ મંડપ

મેળા મંડપ

કથા મંડપ

ગગન મંડપ

રૂખડ હળવો હળવો હાલે છે, અહીં હળવો હળવો હાલવું એટલે ધીરે ધીરે ચાલવું તેમજ હળવું રહીને ચાલવું - ભારેખમ ન થઈ જવું.

નર એ પુરૂષ છે અને નારી એ સ્ત્રી છે.

વ્યક્તિગત જીવનમાં પુરૂષ સ્ત્રીને આધિન રહે છે.

नारि बिबस नर सकल गोसाईं। 

नाचहिं नट मर्कट की नाईं।।

हे गोसाईं ! सभी मनुष्य स्त्रियों के विशेष वश में हैं और बाजीगर के बंदर की तरह [उनके नचाये] नाचते हैं।

સમાજના ક્ષેત્ર પ્રમાણે એ નર શ્રેષ્ઠ છે જેના ઘેરથી કદી "ના" શબ્દ ન સંભળાય.
नरबर  धीर  धरम  धुर  धारी।  

निगम  नीति  कहुँ  ते  अधिकारी॥

शास्त्र  और  नीति  के  तो  वे  ही  श्रेष्ठ  पुरुष  अधिकारी  हैं,  जो  धीर  हैं  और  धर्म  की  धुरी  को  धारण  करने  वाले  हैं॥

નરવર - નર શ્રેષ્ઠ ઉપર કિર્તિ અને પ્રસંશા ઝળુંબે.

નરવર જ્યારે નરહરિ માટે વપરાય ત્યારે નરહરિ એ જ્ઞાન સ્વરૂપ છે પરમાત્મા છે, ઈશ્વર છે અને તેની ઉપર ભક્તિ જે નારી સ્વરૂપા છે તે ઝળુંબે છે. એટલે કે જ્ઞાન ઉપર ભક્તિ ઝળુંબે.

જીવ એ નર છે જ્યારે માયા એ નારી છે.

જેમ ઝળુબે ગોપીને માથે કાન જો

એવા ગરવાને માથે રૂખડીયો ઝળુંબે રે

ગોપી એ કૃષ્ણાશ્રિત છે, ગોપી એટલે પ્રેમ ભક્તિ.

પ્રેમ ભક્તિ ઉપર કૃષ્ણ કૃપા ઝળુંબે છે.

ગો નો એક અર્થ વાણી પણ થાય છે.

એટલે ગોપીનો અર્થ સારી વાણી થાય.

અને કાન એટલે આપણા કાન - કર્ણેદ્રીય.

સારી વાણી સાંભળવા આપણા કાન ઝળુંબે છે.

હનુમાનજી લંકા દર્શન દરમ્યાન જ્યારે વિભીષણના ભવને જાય છે ત્યારે વિભીષણ જાગીને હરિનામ ઊચ્ચારે છે.

આપણા જીવનમાં જ્યારે કોઈ બુદ્ધ પુરૂષ આવે ત્યારે જ આપણે જાગતા હોઈએ છીએ અને ત્યારે જ હરિનામનું ઊચ્ચારણ થાય છે.

રામનું નામ લેવા સાથે - રામના નામનો જપ કરવા સાથે રામનું કાર્ય પણ કરવું જોઈએ.

ચાર મિલે ચોસઠ ખીલે , વીસ રહે કર જોડ
હરિજન સે હરિજન મિલે , તો બિહસે સાત કરોડ

ભક્તિ કરનારે પોતાનું મન હરિમાં રાખવાનું હોય અને પોતાની નજર - દ્રષ્ટિ પોતાના પગ ઉપર રાખવાની હોય - પોતાનું આચરણ બરાબર છે કે કેમ તેની ઉપર દ્રષ્ટિ રાખવાની હોય.


ભક્તિની નજીક બેસવાથી પણ ઉધ્દ્દાર થઈ જાય છે. સીતા માતા પાસે બેસનાર રાક્ષસીઓનો પણ ઉદ્ધાર થાય છે.

..............................................................................................  ક્રમશઃ


Thursday, February 25, 2016

રામ કથા - જુનાગઢ

રામ કથા - જુનાગઢ

શનિવાર, તારીખ ૨૭-૦૨-૨૦૧૬ થી રવિવાર, ૦૬-૦૩-૨૦૧૬

શ્રી પુનિત આશ્રમ

ભવનાથ તળેટી

જુનાગઢ - ગુજરાત

Saturday, February 27th, 2016 – From 4pm to 7pm.

Sunday, February 28th to Sunday, March 6th - From 9:30am to 1.30 pm.





Following articles published in the Akila News . com are displayed here with the courtesy of Akila News and their management. 
  • જુનાગઢમાં પૂ.મોરારીબાપુની રામકથા માટે ૩ હંગામી માર્ગો બનાવાશે

સાધુ-સંતો કલેકટર,ડીઆઇજી એસ.પી.અને આગેવાનો દ્વારા સમગ્ર રૂટ અને કથા સ્‍થળનું નિરીક્ષણઃ તડામાર તૈયારી

જુનાગઢ તા.૪: ગિરનારની ગોદમાં સિધ્‍ધભુમિમાં યોજાનારી મોરારીબાપુની રામકથા માટે તડામારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કથા સ્‍થળ સુધી પહોંચવામાં શ્રોતાઓને તેમજ યાત્રીકોને કોઇ મુશ્‍કેલી ન પડે તે માટે ત્રણ હંગામી માર્ગોની વ્‍યવસ્‍થા સમિતિ દ્વારા કરવામાં આવી છે સાધુ-સંતોની આગેવાની હેઠલ કલેકટર, ડીઆઇજી,એસપી સહિતના ઉચ્‍ચ અધિકારીઓ તથા અગ્રણીઓએ સ્‍થળ નિરીક્ષણ કરીને સુવિધાઓ અંગે સમીક્ષા કરી હતી.
   જુનાગઢ ભવનાથ સ્‍થિત ગિરનાર ધામ પુનિત આશ્રમમાં આગામી તારીખઃ ૨૭ ફેબ્રુઆરીથી ૬ માર્ચ દરમિયાન યોજાનારી પ્રખર રામાયણી મોરારીબાપુની રામકથા માટે મંડપ સહિતની વ્‍યવસ્‍થાઓ અંગે યુધ્‍ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે કથા સ્‍થળ સુધી પહોંચવામાં શ્રોતાઓ તથા ભવનાથમાં આવતા યાત્રિકોને કોઇ મુશ્‍કેલી ન પડે તે માટે ત્રણ હંગામી માર્ગોની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવશે. જિલ્લા પંચાયતના ગેસ્‍ટહાઉસ સામેથી પ્રકૃતિધામ પાસેથી એક નવો માગ તેમજ પ્રેરણાધામ થઇને અને પુનિત આશ્રમના હાલના રસ્‍તેથી શ્રોતાઓ કથા સ્‍થળ સુધી આસાનીથી પહોંચી શકશે. ટ્રાફિકની કોઇ સમસ્‍યા ન થાય તે માટે પ્રકૃતિધામ અને પ્રેરણાધામ તથા ‘મીનરાજ' સંસ્‍થાની બાજુમાં હાજાભાઇનું વાડિયુ તેમજ રૂપાયતન ખાતે પાર્કિગની વિશાળ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે.
   મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ, મહંત ઇન્‍દ્રભારતીબાપુ તેમજ કલેકટર આલોકકુમારની આગેવાની હેઠલ તાજેતરમાં જ અધિકારીઓ અને અગ્રણીઓની ટીમે સમગ્ર રૂટ અને કથા સ્‍થળનું નિરીક્ષણ કર્યુ હતું. તથા માર્ગો  ઉપર સાઇન બોર્ડ સહિતની બાબતોની સમીક્ષા તથા ચર્ચાઓ કરી હતી. હંગામી નવા માર્ગ માટે ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ મશરૂ તથા સ્‍થાનિક કોર્પોરેટર દ્વારા ગ્રાન્‍ટ ફાળવવામાં આવી છે. અગાઉ ડીઆઇજી બ્રિજેશ ઝા તથા એસપી નિલેશ જાજડિયાએ પણ સમગ્ર રૂટનું નિરિક્ષણ કરીને ટ્રાફિક અંગેની સમીક્ષા કરી હતી.
   મોરારીબાપુની આ રામકથા ઐતિહાસિક બની રહે તે માટે માજી આરોગ્‍ય મંત્રી હેમાબેન આચાર્ય જેન્‍તિભાઇ ચાન્‍દ્રા, દાદુભાઇ કનારા, મેયર જીતુભાઇ હિરપરા, ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ મશરૂ, પુર્વ ડે. મેયર ગીરીશભાઇ કોટેચા, હેમંતભાઇ નાણાવટી સહિતના સર્વપક્ષીય આગેવાનો તેમજ વહીવટી તંત્ર, પોલીસ વિભાગ મહાનગર પાલિકા,જુનાગઢ કૃષિ યુનિવર્સિટી વગેરે સહયોગ આપી રહ્યા છે જુનાગઢની જનતાના યજમાન પદે યોજાનારી આ રામકથાને વર્ષો સુધી યાદગાર બનાવવા માટે ખંભેખંભા મિલાવીને તૈયારીઓ કરી રહ્યા છે.
   





  • જુનાગઢ ગરવા ગિરનારની સન્‍મુખ સહજ ધ્‍યાન અને કથારૂપી સત્‍સંગનો રચાશે સંયોગ



ગિરનાર સાધના આશ્રમના દિવ્‍ય અને આધ્‍યાત્‍મીક વાતાવરણમાં પૂ. મોરારીબાપુની રામકથાના શ્રવણનો લ્‍હાવો શ્રોતાગણને એક અલગ જ અનુભુતી કરાવશે
જુનાગઢ, તા., ૧૭:  પવિત્ર ભુમી પર ગરવા ગિરનારની સન્‍મુખ તા.ર૭ ફેબ્રુઆરીથી વિશ્વ પ્રસિધ્‍ધ રામાયણી પૂ. મોરારીબાપુની કથા યોજાઇ છે. બાપુની કથાનો અવસર ગિરનારમાં લગભગ ર૦ વર્ષ બાદ ફરી આવ્‍યો છે. આ વખતે પૂ. બાપુની કથા ગિરનાર સાધના આશ્રમના પટાંગણમાં આયોજીત થઇ છે. આ આશ્રમ સહજ ધ્‍યાન યોગ તથા અન્‍ય ધાર્મિક-સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ માટે ખુબ જ જાણીતો છે. આમ આ ભુમી પર સેવા, સહજ ધ્‍યાન અને સત્‍સંગ એટલે કે રામકથાનો અનોખો સંયોગ રચાવા જઇ રહયો છે. આશ્રમનું આધ્‍યાત્‍મીક અને ખુબ જ મનોહર વાતાવરણ રામકથાના શ્રોતાઓને એક અલગ જ અનુભુતી કરાવશે?
   પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં ગિરનાર સાધના આશ્રમ પૂ. મહર્ષિ શ્રી પુનીતાચારીજીના કરકમલો દ્વારા ઇ.સ. ૧૯૭૩માં સ્‍થાપવામાં આવેલ ભવનાથ મંદિરની પાછળ દતાત્રેય માર્ગ પર લગભગ એક કી.મી. દુર ગિરનારની તદન સમીપે લગભગ પપ એકર જમીનમાં વિસ્‍તરેલો આશ્રમ સહજ યોગના સાધકોની સાધના માટે ખુબ જ ઉત્તમ સ્‍થળ છે. અહીના કુદરતી વાતાવરણમાં ધ્‍યાનયોગના માધ્‍યમથી સાધકને ઇશ્વર સાથે આત્‍માનો સાક્ષાત્‍કાર થયાની અનુભુતી સહજ રીતે થાય છે. જીંદગીથી ત્રસ્‍ત થઇ હારેલા-થાકેલા અનેક માનવીઓએ અહી આવી સહજ ધ્‍યાન યોગના માધ્‍યમથી મુશ્‍કેલીઓમાંથી છુટકારો મેળવ્‍યો છે અને સાચા માર્ગે જીવન જીવવાની દિશા પ્રાપ્ત કરી છે. સહજ ધ્‍યાન યોગના માધ્‍યમથી મુશ્‍કેલીઓમાંથી છુટકારો મેળવ્‍યો છે અને સાચા માર્ગે જીવન જીવવાની દિશા પ્રાપ્ત કરી છે. સહજ ધ્‍યાન યોગમાં આ શકિતઓ રહેલી છે. આશ્રમ પરિવાર આ કાર્યને વધુ વિસ્‍તારવામાં માને છે જેનો એક માત્ર હેતુ લોક કલ્‍યાણનો રહેલો છે. અનેક શહેરોમાં ધ્‍યાન કેન્‍દ્રો આવેલા છે. જયાં કોઇ પણ જાતના દેખાડા વગર સહજ ધ્‍યાન યોગ અને સત્‍સંગ ધૂન જેવી પ્રવૃતિઓ સહજ રીતે થઇ રહી છે. આ ઉપરાંત આશ્રમ દ્વારા શિવરાત્રી પર્વ તેમજ વિવિધ સ્‍થાનો પર યોજાતા કુંભમેળાઓમાં સેવાની જયોત જલતી રહી છે. પૂ. સાધુ સંતો અને ભાવિકોની સેવા માટે આવા પ્રસંગોએ આશ્રમ પરિવાર હંમેશા તત્‍પર હોય છે. આગામી ઉજ્જેનના કુંભમેળામાં સેવા જયોત પ્રજ્જવલીત કરવા હાલ તૈયારીઓ થઇ રહી છે.
    ગિરનાર સાધના આશ્રમ પૂ. મહર્ષિ શ્રી પુનીતાચારીજીની ૪૦ વર્ષની સાધનાનો સાક્ષી રહયો છે. અહી વાતાવરણમાં સતત પ. હરી ઓમ તત સત જય ગુરૂદત્ત મંત્રની ધુન ગુંજયા કરે છે. અહી પ્રાતઃકાળે સમુહ પ્રાર્થના, ધુન તથા સાંયકાલે સમુહ ધુન, ધ્‍યાન તેમજ પૂ. બાપુશ્રી તથા પૂ. મૈયાશ્રી સાથે સત્‍સંગ નિયમીત થાય છે. આ સંસ્‍થા તદન બિનસાંપ્રદાયીક છે. સૌ ધર્મ સમભાવ મુજબ આશ્રમમાં આવનાર દરેક સાધક પ્રાર્થના ધૂન અને ભોજન બધુ એક સાથે કરે છે. આ આશ્રમમાં આવનારે પોતાના ગુરૂ કે ગુરૂમંત્ર બદલવાની જરૂર નથી. અલબત પોતાના ગુરૂમંત્રની સાથે આ વરદાની મહામંત્રની ધુન અને ધ્‍યાન કરીને સાધનામાં પ્રગતી કરવાની છે અને લક્ષ્ય પ્રાપ્તીની દિશામાં પ્રગતી કરવા પ્રયાસ કરવાનો છે. આ તપોભુમીમાં સાધના, ઉપાસના અને ભજન કરવા ધ્‍યાન કુટીર, અતિથિગૃહ, સત્‍સંગ મંડપ, ધ્‍યાન-ખંડ, યજ્ઞશાળા, ભોજનશાળા તેમજ ગૌશાળા વિગેરે વ્‍યવસ્‍થાઓ છે. આશ્રમનું વ્‍યવસ્‍થા કાર્ય પૂ. મૈયાજી શૈલજાદેવીજી સંભાળી રહયા છે. તેઓશ્રી સાધનાની સાથે સાથે આ જવાબદારી સહજતાપુર્વક નિભાવી રહયા છે તેઓની અલૌકીક શકિત વંદનીય છે.
   આમ પૂ. મોરારીબાપુની રામકથા સાથે  શ્રોતાઓને ગિરનાર સાધના આશ્રમના દિવ્‍ય અને આધ્‍યાત્‍મીક વાતાવરણનો પણ લ્‍હાવો મળનાર છે. રામકથા સંદર્ભે આશ્રમ પરીવાર  દ્વારા પણ વિવિધ તૈયારીઓ હાથ ધરાઇ છે.


  • મહાશિવરાત્રી પર્વે જુનાગઢમાં શનીવારથી પૂ. મોરારી બાપુની શ્રીરામ કથા


૩૦ હજાર શ્રધ્‍ધાળુઓ કથા શ્રવણ કરી શકે તે માટે વિશાળ સમિયાણો તૈયાર : ર૪ કલાક અન્નક્ષેત્ર ધમધમશેઃ ૧ હજારથી વધુ સ્‍વયંસેવકો ખડેપગે સેવા આપશે. તડામાર તૈયારી
જુનાગઢ, તા. રરઃ આગામી તા. ર૭ ફેબ્રુ. થી ૬ માર્ચ સુધી ગિરનારની તપોભૂમિ અને મોરારીબાપુની ભાવ ભૂમિમાં સાત્‍વિક સંયોગ થશે. ર૦ વર્ષ બાદ પૂ. મોરારીબાપુની રામકથા યોજાનાર છે.
   જેને લઇ તડામાર તૈયારી થઇ રહી છે.
   ગિરનારની તપોભૂમિ અને પ્રખર રામાયણી મોરારીબાપુની ભાવભૂમિના સાત્‍વિક સંયોગ સમી, મહાશિવરાત્રિના મંગલ અવસરે ગિરનારની ગોદમાં રૂડી રામકથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જુનાગઢ, ભવનાથ અને નરસૈયા પ્રત્‍યે  અનેરૂ આધ્‍યાત્‍મિક જોડાણ ધરાવતા મોરારીબાપુએ પોતાની ૭૭૦મી રામકથા માટે ભવનાથનું સ્‍થળ પસંદ કરતા સૌરાષ્‍ટ્રભરના શ્રદ્ધાળુઓમાં ઉત્‍સાહનો માહોલ પ્રસરી ગયો છે.
   છેલ્લા ૫૦ વર્ષથી નિયમીત રીતે શિવરાત્રિના મેળામાં ભાગ લેવા પ્રખર રામાયણી મોરારીબાપુ આ વખતે શિવરાત્રિમાં અહી રામકથા કરી રહ્યા હોય તેના માટે રામકથા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં ૨૦ વર્ષ પછી મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જુનાગઢની સિદ્ધભૂમિ ભવનાથમાં ગિરનારધામ પુનિત આશ્રમ ખાતે યોજાનારી મોરારીબાપુની ત્રીજી રામકથાનો પ્રારંભ આગામી તા.૨૭ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪ વાગ્‍યે થશે.તા.૬ માર્ચ સુધી ચાલનારી આ કથામાં દરરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ વાગ્‍યા સુધી બાપુ કથાનું રસપાન કરાવશે. મહાશિવરાત્રિના આગલા દિવસે કથા પુર્ણ થશે.
   સાધુ-સંતો અને જૂનાગઢની જનતાને મહાશિવરાત્રિના પાવન અવસરે જ કથાનું રસપાન કરાવવાનો મનોરથ પરિપૂર્ણ કરાવવા માટે યોજાનારી આ કથાનું યજમાન પદ જુનાગઢની જનતાને જ આપવામાં આવ્‍યું છે. દર વર્ષે અહી દેશભરના સાધુ-સંતોની હાજરીમાં યોજાનારા આધ્‍યાત્‍મિક મીનીકુંભ સમાન મહાશિવરાત્રિના મેળામાં ભજન-ભોજન-ભક્‍તિનો ત્રિવેણી સંગમ રચાય છે. ત્‍યારે રામકથામાં પણ ત્રણેય સાત્‍વિક તત્‍વોનો ત્રિવેણી સંગમ રચાશે. રામકથામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે સતત ૨૪ કલાક અન્નક્ષેત્ર પણ શરૂ કરવામાં આવશે. જયાં કોઇ પણ જ્ઞાતિ-જાતિ, ધર્મના ભેદભાવ વગર દરેક રામભક્‍તોને પ્રેમપૂર્વક ભોજન પિરસવામાં આવશે.
   કથા અંગેની વિગતો આપતા રામકથા સમિતિના જણાવ્‍યા અનુસાર ભવનાથના પુનિત આશ્રમની આશરે ૭ એકર જમીનમાં વિવિધ વિભાગો  રાખવામાં આવ્‍યા છે. આશરે ૨૫ થી ૩૦ હજાર ભાવિકો બેસીને શાંતિથી કથાનું શ્રવણ કરી શકે એટલો વિશાળ સમિયાણો બાંધવામાં આવશે.૨૦૦ થી વધુ સ્‍વયંસેવકો શ્રદ્ધાળુઓ માટે બેસવાની વ્‍યવસ્‍થા જાળવવાની સેવા આપશે. જ્‍યારે સતત ૨૪ કલાક શરૂ રહેનારા અન્નક્ષેત્રમાં ૫૦૦ થી વધુ  કાર્યકરો ખડે પગે તૈનાત રહીને રામભકતોને પ્રેમપૂર્વક ભોજન પિરસશે. કૂલ મળીને એકાદ હજાર કાર્યકરો આ રામકથાના આયોજનને સફળ બનાવવા માટે સેવા આપશે.
   મોરારીબાપુ
   રામકથા માટે અત્‍યારથી જ તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે. સાધુ-સંતો, આગેવાનો, અધિકારીઓ, સમાજ સેવકો અને જુનાગઢની પ્રજાના સહયોગથી આ રામકથાને સફળ બનાવવામાં આવશે. સમિતિના સભ્‍યો તથા આગેવાનો વચ્‍ચે મીટીંગો યોજાઇ રહી છે. સમગ્ર ગિરનાર ક્ષેત્રના સાધુ સંતોને રામકથા માટેના આમંત્રણ પાઠવવામાં આવશે. રામકથાનો લાભ લેવા માટે જુનાગઢની જનતાને જાહેર નિમંત્રણ આપવામાં આવ્‍યું છે.
   રામકથાની હાઇલાઇટ્‍સ
   રામકથાનો વિષયઃ-  માનસ-રૂખડ, રામકથાની તારીખઃ-૨૭ ફેબ્રુઆરીથી ૬ માર્ચ, ૨૦૧૬, રામકથાનો સમયઃ- સવારે ૯:૩૦ થી ૧:૩૦, રામકથાનું સ્‍થળઃ- ગિરનાર ધામ, પુનિત આશ્રમ, ભવનાથ તળેટી, જુનાગઢ, રામકથાના યજમાનઃ- જુનાગઢના પ્રજાજનો.
   કથાની વિશેષતાઓ
   રામકથા માટે મોરારીબાપુએ જાહેર કરેલી ચોપાઇ સાધુ ચરિત સુભ ચરિત કપાસૂ ા નિરસ બિસદ ગુનમય ફલુ જાસૂ II,જો સહિ દુખ પરછિદ્ર દુરાવા ા બંદનીય જેહિં જગ જસ પાવા II
   કથા પહેલા જ બાપુએ વિષય જાહેર કરી દીધોઃ ‘માનસ-રૂખડ'
   અત્‍યાર સુધીની તમામ રામકથાઓમાં મોરારીબાપુએ વ્‍યાસપીઠ ઉપર બિરાજ્‍યા પછી જ કથાનો વિષય જાહેર કર્યો છે. આ એક પરંપરા રહી છે. પરંતુ સિદ્ધો અને સંતોની ભૂમિમાં ગિરનાર સાનિધ્‍યમાં યોજાનારી આ રામકથા માટે અનેરો લગાવ હોય બાપુએ કથા પહેલા જ તેનો વિષય જાહેર કરી દીધો છે. આ રામકથા ‘માનસ-રૂખડ' વિષય ઉપર યોજાશે.
   નવો રસ્‍તો તૈયાર કરાશે, મેળાના ટ્રાફિકમાં નહી જવું પડે
   રામકથામાં આવનાર શ્રદ્ધાળુઓને મેળાના ટ્રાફિકનો સામનો ન કરવો પડે તે માટે નવા અલગ રસ્‍તાની જ વ્‍યવસ્‍થા સમિતિ દ્વારા કરવામાં આવશે. ભવનાથ તળેટીના જિલ્લા પંચાયતના ગેસ્‍ટહાઉસ પાસેથી રૂપાયતન થઇને પ્રેરણાધામ પાસેથી સીધા જ પુનીત આશ્રમ સુધીનો નવો રસ્‍તો બનાવવામાં આવશે. રસ્‍તા ઉપર કથા સ્‍થળ સુધી પહોંચવા માટેના સુચના બોર્ડ પણ મૂકવામાં આવશે.
   વિવિધ સ્‍થળોએ વિશાળ પાર્કિગની વ્‍યવસ્‍થા ઉભી કરાશે
   રામકથામાં સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી ઉમટી પડનારા શ્રદ્ધાળુઓના વાહનો માટે સમિતિ દ્વારા જુદા જુદા સ્‍થળોએ વિશાળ પાર્કિગની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. પ્રેરણાધામ, રૂપાયતન, પ્રકૃતિધામ ખાતે ટુ વિહલ ફોરવિહલ સહિતના નાના-મોટા વાહનો માટે પાકિઁગ પોઇન્‍ટ ઉભા કરવામાં આવશે.

  • "માનસ-રૂખડ"ને રાષ્‍ટ્રવાદનો રંગઃ ત્રિરંગો લહેરાવી પૂ. મોરારીબાપુ કરશે કથાનો પ્રારંભ



કથાનો પ્રારંભ કરતા પહેલા ધર્મધ્‍વજનું પણ આરોહણ કરાશેઃ યાત્રાધામ જુનાગઢના તિર્થક્ષેત્ર ભવનાથમાં યોજાનારી રામકથા માટે તડામાર તૈયારીઓ : ગિરનારધામ પુનીત આશ્રમમાં તા.ર૭ ફેબ્રુઆરીથી ૬ માર્ચ સુધી રામકથાનું આયોજન : ૩ હંગામી માર્ગો ઉભા કરાયાઃ ર લાખ ચોરસ ફુટમાં મેટલ ડોમ સાથે વિશાળ સમીયાણો ઉભો કરાશેઃ ૪૦ થી ૪પ હજાર લોકો શાંતિથી કથાશ્રવણ કરી શકશેઃ ૧૬ સીસીટીવી કેમેરાનું કથાને સુરક્ષા કવચઃ ૪ સ્‍થળોએ વિશાળ પાર્કિંગની વ્‍યવસ્‍થાઃ કથાના શ્રદ્ધાળુઓ માટે ગિરનાર દરવાજેથી વિનામુલ્‍યે બસ સુવિધાઃ રપ૮ દેશોમાં લાઇવ પ્રસારણઃ૧પ૦૦ એન.આર.આઇ.ભાગ લેશેઃ ગુજરાતભરના સાધુ-સંતો, ધાર્મિક વડાઓ, રાજકિય-સામાજીક આગેવાનો હાજર રહેશે : કથા સાંભળવા આવતા શ્રદ્ધાળુઓને બપોરે અને સાંજે પ્રસાદરૂપી ભોજન પિરસાશેઃ ૧૦૦ તાલિમબધ્‍ધ સિકયુરીટી અને ૪૦૦ સ્‍વયંસેવકો ખડેપગે સેવા આપશેઃ શ્રદ્ધાળુઓની સુવિધા માટે માર્ગોઉપર દિશા સુચના કરતા બોર્ડ-બેનરો મરાશે
જુનાગઢ, તા. ર૩ : નવ નાથ, બાવન વીર, ચોસઠ જોગણીઓ, ચોર્યાસી સિદ્ધો અને તેત્રીસ કરોડ દેવતાઓનો જયાં વાસ હોવાનું મનયા છે, તેવા ગિરિવર   ગિરિનારની સિદ્ધ તપોભૂમિમાં યોજાનારી રામકથા ‘માનસ-રૂખડ'ને રાષ્‍ટ્રવાદનો રંગ આપવાનો નિર્ણય રામકથા સમિતિ દ્વારા લેવામાં આવ્‍યો છે. અત્‍યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત જ પ્રખર રામાયણી પૂજય મોરારીબાપુ રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવીને ધ્‍વજવંદન કરી ૭૭૦મી રામકથાનો પ્રારંભ કરશે. પૂજય બાપુ પોલીસ બેન્‍ડની સુરાવલીઓ અને રાષ્‍ટ્રગીતના ગાન વચ્‍ચે ત્રિરંગા તથા ધર્મધ્‍વજા લહેરાવીને ગિરનારની ગોદમાં ધર્મ, રાષ્‍ટ્રવાદ અને કથાના ત્રિવેણી સંગમની રચના કરશે. અત્‍યારે દેશમાં પ્રવર્તી લહેરાવીને ગિરનારને ધ્‍યાને લેતા રાષ્‍ટ્રવાદ મજબૂત બને તેવા આશયથી ધર્મની સાથે રાષ્‍ટ્રીયતાનો વિશિષ્‍ટ સમન્‍વય કરાયો છે. એ પછી આ દિવસે જ તા. ર૭ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪ વાગ્‍યે કથાનો વિધિવત પ્રારંભ થશે.  તેમ આજે પત્રકાર પરિષદમાં જણાવાયું છે.
   વર્ષ ૧૯૯પ બાદ ર૦ વર્ષ જેટલા સમય પછી જુનાગઢમાં યોજાનારી રામકથા માનસ-રૂખડ યજમાનપદ અગાઉથી જ પૂજય મોરારીબાપુએ જુનાગઢની સર્વે જનતાને આપ્‍યું છે. જૂનાગઢના આગેવાનોની જ બનેલી રામકથા સમિતિ આ કથાનું સંચાલન અને આયોજન સંભાળીરહી છે.  જૂનાગઢની સિદ્ધભૂમિ ભવનાથમાં ગિરનારધામ પુનિત આશ્રમ ખાતે યોજાનારી મોરારીબાપુની ત્રીજી રામકથાનો પ્રારંભ આગામી તા. ર૭ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪ વાગ્‍યે થશે. ત્‍યારબાદ તા. ૬ માર્ચ સુધી ચાલનારી આ કથામાં દરરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ વાગ્‍યા સુધી પૂજય બાપુ કથાનું રસપાન કરાવશે. મહાશિવરાત્રીના આગલા દિવસે કથા પૂર્ણ થશે. ભજન-ભોજન-ભકિતના ત્રિવેણી સંગમ એવી રામકથા સાંભળવા આવતા શ્રદ્ધાળુઓ અને મહાશિવરાત્રીના મેળામાં આવતા યાત્રીકોને કોઇ મુશ્‍કેલી ન પડે તે માટે રામકથા સમિતિએ જુદા જુદા સરકારી વિભાગોના સુચનો, સાધુ-સંતોની લાગણી અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ નીચે પ્રમાણેની વ્‍યવસ્‍થાઓ કરી છે. આ વ્‍યવસ્‍થાઓ દ્વારા સોનામાં સુગંધ ભળશે, તેવી આશા રામકથા સમિતિને છે.
   ર લાખ ચોરસ ફુટનો વિશાળ સમીયાણો
   ગિરનારધામ, પુનીત આશ્રમ, ભવનાથ તળેટી ખાતે ૭ એકર વિશાળ જમીનમાં રામકથાનું આયોજન કરાયું છે. ૩પ ફુટની ઉંચાઇના અદ્યતન મેટલ ડોમ સાથેના આ સમીયાણામાં એકી સાથે ૪૦થી ૪પ હજાર લોકો શાંતિથી બેસીને કથા સાંભળી શકે તેવી વ્‍યવસ્‍થા કરાઇ છે. કથા શ્રવણ કરવાની સાથે સાથે ગિરનારના દર્શન પણ થાય તેવું આયોજન સમીયાણામાં કરાયું છે. ર૬૦ બાય પ૦૦ ફૂટના મેટલ ડોમ પૂરતી ઉંચાઇનો હોવાથી હવાની અવર-જવર, પ્રકાશ, સલામતી વગેરે બાબતોની વ્‍યવસ્‍થાની ધ્‍યાન રખાયું છે. મેટલ ડોમની આસપાસ સમીયાણો ઉભો કરાયો છે. આ ઉપરાંત કથા શ્રવણ કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દરરોજ બપોરે અને સાંજે સ્‍વયંસેવકો પ્રેમપૂર્વક દરેક શ્રદ્ધાળુને પ્રસાદરૂપી ભોજન પિરસશે. આ તમામ વ્‍યવસ્‍થા માટે આશરે ર લાખ ચોરસ ફૂટનો વિશાળ સમીયાણો રહેશે. કથાનો વિશેષ લાભ શ્રદ્ધાળુઓને મળે તે માટે ર મોટી એલઇડી સ્‍ક્રીન મુકવામાં આવશે. તેનાથી ભાવિકો વધુ નજીકથી પૂજયબાપુના દર્શન કરીને કથા સાંભળી શકશે.
   દેશ-વિદેશના શ્રધ્‍ધાળુ  રામકથા શ્રવણ કરશે
   ‘માનસ-રૂખડ' રામકથા ભારત દેશના સીમાડા વટાવી વિદેશો સુધી પહોંચશે. કથામાં ૧૫૦૦થી વધુ એન.આર.આઈ. અમેરિકા, લંડન, આફ્રિકા, કેનેડા સહિતના દેશોમાંથી ભાગ લેશે. આ વિદેશી મહેમાનો માટે રામકથા સમિતિએ રહેવાની વ્‍યવસ્‍થા કરી છે. બહારથી આવતા સ્‍થાનિક શ્રધ્‍ધાળુઓને ભવનાથમાં વિવિધ ધર્મસ્‍થળો, ધર્મશાળાઓ, જ્ઞાતિ સમાજના ઉતારા અને જગ્‍યા તથા ખાનગી જગ્‍યાઓમાં સંચાલકોએ રહેવાની વ્‍યવસ્‍થા પુરી પાડવાની ખાતરી આપી છે. આસ્‍થા ચેનલ ઉપર વિશ્વના ૨૫૮ દેશોમાં કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત www.moraribapu.org  વેબસાઈટ ઉપર કથાનું વેબકાસ્‍ટીંગ કરાશે. જેથી કોઈ પણ સ્‍થળે લોકો સરળતાથી કથાનું શ્રવણ કરી શકશે. આસ્‍થા ચેનલમાં જે તે દેશના નિયત સમય પ્રમાણે સવારે ૯.૩૦ વાગ્‍યાથી કથાનો પ્રારંભ થશે, તેવી વિશેષ વ્‍યવસ્‍થા કરાઈ છે.
   ગુજરાતભરના સાધુ-સંતો  અને આગેવાનો ભાગ લેશે
   રામકથામાં ગિરનાર મંડળ તેમજ ગુજરાતભરના વિવિધ સાધુ-સંતો, જુદા જુદા સંપ્રદાયના ધાર્મિક વડાઓને આમંત્રણ પાઠવવામાં આવ્‍યા છે. તેમજ સામાજીક, રાજકીય, સેવાભાવી આગેવાનો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને પણ કથા શ્રવણ કરવા માટેના આમંત્રણ અપાયા છે. તા. ૨૭ના રોજ બપોરે ૪ કલાકે કથાનો પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે વરિષ્‍ઠ સાધુ-સંતો, પદાધિકારીઓ, આગેવાનો અને અધિકારીઓ વગેરે હાજર રહેશે.
   કથા સ્‍થળ સુધી જવા ત્રણ હંગામી માર્ગોની વ્‍યવસ્‍થા
   રામકથા સાંભળવા આવતા શ્રદ્ધાળુઓ માટે અલગથી ત્રણ નવા હંગામી માર્ગોની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. જેથી કરીને શિવરાત્રીના મેળામાં આવતા યાત્રિકો અને રામકથા સાંભળવા આવતા શ્રદ્ધાળુઓને કોઈ અડચણ થશે નહીં. બન્ને પ્રવાહ અલગ માર્ગો ઉપર શરૂ રહેશે. આ ત્રણ માર્ગ કંઈક આ પ્રમાણે છે (૧) ભવનાથમાં જિલ્લા પંચાયત ગેસ્‍ટહાઉસ સામે પાર્કિંગમા થઈ પરિક્રમા રોડ પર મીનરાજ સંકુલની સામે શિવ નિકેતન આશ્રમ પાસેથી સીધો જ રામકથાના સ્‍થળ સુધીનો માર્ગ, આ માર્ગ કથાના શ્રધ્‍ધાળુઓ માટે સૌથી ટૂંકો માર્ગ રહેશે. જેથી કરીને ભવનાથની બારોબારથી જ કથા શ્રવણ કરવા આવતા શ્રધ્‍ધાળુ કથા સ્‍થળ સુધી પહોંચી જશે અને મેળાના યાત્રિકોને કોઈ ખલેલ પડશે નહીં. (૨) ભવનાથમાં પ્રેરણાધામના પાછળના દરવાજે થઈને કથા સ્‍થળ સુધીનો પહોંચવા માટેનો માર્ગ અને (૩) પુનીત આશ્રમના મુખ્‍ય પ્રવેશદ્વારનો હાલનો માર્ગ.
   શ્રધ્‍ધાળુઓ માટે વિનામૂલ્‍યે બસ સુવિધા
   કથા શ્રવણ કરવા આવતા શ્રધ્‍ધાળુઓને મેળાના ટ્રાફીકથી અલગ રાખવા માટે વિનામૂલ્‍યે બસ સેવાની વિશેષ વ્‍યવસ્‍થા સમિતિએ કરી છે.
   માર્ગો ઉપર દિશાસુચન  કરતા બેનરો લગાવાશે
   ગિરનાર દરવાજાથી કથાના સ્‍થળ સુધી પહોંચવાના માર્ગો ઉપર રસ્‍તાની સુચના આપતા ૩૦ વિશાળ બેનરો લગાવવામાં આવશે. રસ્‍તા ઉપર આ બેનરો જોઇને કથા સાંભળવા આવતા શ્રધ્‍ધાળુઓ શિવરાત્રીના મેળાને ખલેલ પહોંચાડયા વગર સીધા જ કથાસ્‍થળ સુધી પહોંચી જશે. જરૂર પડયે હજુ વધુ આવા બેનરો લગાવવા પણ સમીતીએ તૈયારી રાખી છે. શિવરાત્રીના મેળા અને કથા સાંભળવા આવનાર શ્રધ્‍ધાળુઓના પ્રવાહને જુદા રાખવામાં આવા બેનર મહત્‍વના બની રહેશે.
   જુનાગઢના લોકો દ્વારા જ કથાનું સંચાલન
   રામકથા સમીતીમાં જુનાગઢના સર્વપક્ષીય આગેવાનો દ્વારા જ કથાનું આયોજન અને સંચાલન થઇ રહયું છે. આ ઉપરાંત શ્રધ્‍ધાળુઓને વિશેષ સારી સુવિધાઓ આપી શકાય તેમ માટે જિલ્લા કલેકટર આલોકકુમાર પાંડે, ડીઆઇજી બ્રિજેશ ઝા, એસપી નિલેશ જાજડીયા, ડીવાયએસપી એ.વી. ગખ્‍ખર, પોલીસ વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એ. આર.પાઠક, વન વિભાગ, જુનાગઢ મહાનગર પાલીકા, વીજતંત્ર, ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ મશરૂ સ્‍થાનીક કોર્પોરેટરો એભાભાઇ કટારા, ચંદ્રીકાબેન રાખશીયા, મોહનભાઇ પરમાર વગેરે દ્વારા રચનાત્‍મક સુચનો અને સહયોગ આપવામાં આવ્‍યો છે. ભારત સાધુ સમાજના પ્રમુખ અને વરિષ્‍ઠ સંત મહંત ગોપાલાનંદજી મહારાજ, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી  મહારાજ, મહંત ઇન્‍દ્રભારતી બાપુ, મહંત તનસુખગીરી બાપુ, મહંત શેરનાથ બાપુ, મહંત મહાદેવગીરી બાપુ તેમજ પુનીત આશ્રમના અધ્‍યક્ષા શૈલજાદેવીજી વગેરે સાધુસંતો  અને ગિરનાર મંડળના સંતો દ્વારા પણ રામકથાના આયોજન માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્‍યું છે.
   રામકથાની હાઇલાઇટસ
   રામકથાનો વિષય-:- માનસ રૂખડ, રામકથાની તારીખ ર૭ ફેબ્રુઆરીથી ૬ ર્માર્ચ-ર૦૧૬ કથાનો સમય- સવારે ૯.૩૦ થી ૧.૩૦. રામકથાનું સ્‍થળ ગિરનાર ધામ  પુનીત આશ્રમ ભવનાથ તળેટી જુનાગઢ રામકથાના યજમાનઃ જુનાગઢના પ્રજાજનો.
   મોરારીબાપુના શબ્‍દોમાં  ‘માનસ-રૂખડ'
   રૂખડ એટલે જેનું વ્‍યકિતત્‍વ ત્રણ ધારાથી સંપન્ન થાય. જે અદ્‌્‌ભૂત છે, જે અનુભૂત છે અને જે અવધૂત છે, એ રૂખડ! આમ તો રૂડખનું વૃક્ષ આપણે ત્‍યાં થાયછે. અને રામાયણ કહે છે કે, સંત પર્વત છે, સંત નદી છે એમ સંત વૃક્ષ પણ છે. એટલે સંત રૂખડ છે. કોઇપણ પ્રકારના ફિરકાથી મુકત બુદ્ધ પુરૂષ રૂખડ  છે. ગિરનાર એ ભાવિકો માટે શ્રદ્ધાનું આસ્‍થાનું કેન્‍દ્ર છે. એ અચળ છે અને એટલે જ તેની અચળતા આપણને ખેંચે છે. કાલિદાસે હિમાલયને ભારતનો માનદંડ કહ્યો છે. તો આ ગિરનારતો આયુષ્‍યમાં હિમાલય કરતાં પણ જુનો છે, તો પછી એને તો વિશ્વનું પ્રતિક ગણી શકાય !
   રામકથાન અંગેની વધુ વિગતો માટે દાદુભાઇ કનારા -૯૪ર૭પ ૭૦રપ૭ અથવા હસુભાઇ લોઢિયા-૯૪ર૭૦ ૮૯૯૯૯ નો સંપર્ક કરવા જણાવાયું છે.
   પત્રકાર પરિષદમાં રામકથા સમિતિના જયંતિભાઇ ચાંદ્રા, ગિરીશભાઇ કોટેચા, ભીખુદાનભાઇ ગઢવી દાદુભાઇ કનારા, હેમંતભાઇ નાણાવટી સહિતનાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

Sunday, February 14, 2016

માનસ રઘુવંશ - मानस रघुबंस


રામ કથા

માનસ રઘુવંશ - मानस रघुबंस

ભાણસાહેબનું સમાધિ સ્થાન

કમીજલા, વિરમગામ, ગુજરાત

શનિવાર, તારીખ ૧૩-૦૨-૨૦૧૬ થી રવિવાર, તારીખ ૨૧-૦૨-૨૦૧૬

મુખ્ય વિષયની પંક્તિ

तेहि अवसर भंजन महिभारा। 


हरि रघुबंस लीन्ह अवतारा॥


उन्हीं दिनों पृथ्वी का भार उतारने के लिए श्री हरि ने रघुवंश में अवतार लिया था।

जय रघुबंस बनज बन भानू। 

गहन दनुज कुल दहन कृसानू॥

परशुरामजी कहते है, "हे रघुकुल रूपी कमल वन के सूर्य! हे राक्षसों के कुल रूपी घने जंगल को जलाने वाले अग्नि! आपकी जय हो!"

बड़भागी  बनु  अवध  अभागी।  

जो  रघुबंसतिलक  तुम्ह  त्यागी॥

कौसल्या माता कहती है, " हे  रघुवंश  के  तिलक!  वन  बड़ा  भाग्यवान  है  और  यह  अवध  अभागा  है,  जिसे  तुमने  त्याग  दिया।  "



શનિવાર, તારીખ ૧૩-૦૨-૨૦૧૬

ભાણસાહેબની જીવંત સમાધિ સ્થાન કમીજલામાં રામ કથાનો પ્રારંભ કરતાં પૂજ્ય મોરારિ બાપુએ પ્રસન્ન્તા વ્યક્ત કરતાં કહ્યું કે, મારા માટે આ રામ કથા ગાવા માટે વિશેષ પ્રસન્નતા છે કારણ કે આ પહેલાંની કથા જાગૃત સમાધિ સ્થાન (રાજઘાટ, દિલ્હી) પર થઈ અને પછિ અહીં આ જીવંત સમાધિ સ્થાન પર કથા ગાવાનો અવસર મળ્યો.

જાગૃત સમાધિ સ્થાનથી જીવંત સમાધિ સ્થાન વચ્ચી કોઈ પણ જાતની ઉપાધી વગર આ કથા થઈ રહી છે.

આ સ્થાન એ દેહાણ સ્થાન છે અને આવા દેહાણ સ્થાનમાં કથા ગાન ગાવાનો વિશેષ આનંદ હોય છે. કારણ કે આ કથા ગાન દરમ્યાન અનેક સંતો મહંતો પધારશે અને તેમના પ્રસન્ન ચહેરા જોવાનો લહાવો મળશે.

વળી આ ભજનની ભૂમિ છે અને આવી ભજનની ભૂમિ ઉપર કથા ગાન વિશેષ પ્રસન્નતા આપે.

કથા ગાન એ થાખવાનાં ઠેકાણાં નથી પણ જન્મો જન્મથી થાક્યા પછીના વિશ્રામનાં ઠેકાણાં છે.

આ રામકથા એ ધર્મશાળા નથી પણ પ્રયોગશાળા છે.

ભારતમાં તો ચોવિસે ય કલાક રોજ પ્રેમ દિવસ હોય, ફક્ત એક દિવસ પુરતો પ્રેમ દિવસ ન હોય.

ધર્મ એ છેલ્લા માણસ સુધી જવું જોઈએ.

સત અને સત્તા અને પદ અને પાદૂકાએ છેવાડાના માણસ સુધી જવું જોઈએ.

અર્થ ત્યારે જ સાર્થક થાય જ્યારે એ છેવાડાના માનસ સુધી પહોંચે.

કામ એટલે કે કાર્ય દરેક માણસને છેલ્લા માણસને મળવું જોઈએ.

મોક્ષનો અધિકાર પ્રત્યેક માણસને હોવો જોઈએ.


તુલસીનો સંદેશ સાચા સરનામે પહોંચે તો તેનો વિશેષ આનંદ હોય છે.

પુરૂષાર્થ પગથિયાં છે જ્યારે નસીબ લિફ્ટ છે.

વરિષ્ઠ, વિશિષ્ઠ અને વશિષ્ઠને આદર આપવો એ ગણેશ પૂજન છે.

Read More about "સંત કવિ શ્રી સદ્દગુરુ ભાણસાહેબ જીવંત સમાધિ સ્થાન"




રવિવાર, ૧૪-૦૨-૨૦૧૬




कौल कामबस कृपिन बिमूढ़ा। 

अति दरिद्र अजसी अति बूढ़ा॥1॥

यदि ऐसा करूँ, तो भी इसमें कोई बड़ाई नहीं है। मरे हुए को मारने में कुछ भी पुरुषत्व (बहादुरी) नहीं है। वाममार्गी, कामी, कंजूस, अत्यंत मूढ़, अति दरिद्र, बदनाम, बहुत बूढ़ा,॥1॥

 सदा रोगबस संतत क्रोधी। 

बिष्नु बिमुख श्रुति संत बिरोधी॥

तनु पोषक निंदक अघ खानी 

जीवत सव सम चौदह प्रानी॥2॥

नित्य का रोगी, निरंतर क्रोधयुक्त रहने वाला, भगवान्‌ विष्णु से विमुख, वेद और संतों का विरोधी, अपना ही शरीर पोषण करने वाला, पराई निंदा करने वाला और पाप की खान (महान्‌ पापी)- ये चौदह प्राणी जीते ही मुरदे के समान हैं॥2॥




સોમવાર, ૧૫-૦૨-૨૦૧૬

રામચરિત માનસમાં આવતા રઘુબંસ શબ્દો

1
तेहि अवसर भंजन महिभारा। हरि रघुबंस लीन्ह अवतारा॥
पिता बचन तजि राजु उदासी। दंडक बन बिचरत अबिनासी॥4॥

2
प्रजा सहित रघुबंसमनि किमि गवने निज धाम॥110॥

3

रिषय संग रघुबंस मनि करि भोजनु बिश्रामु।
बैठे प्रभु भ्राता सहित दिवसु रहा भरि जामु॥217॥

4
लखन लखेउ रघुबंसमनि ताकेउ हर कोदंडु।
पुलकि गात बोले बचन चरन चापि ब्रह्मांडु॥259॥

5
गौतम तिय गति सुरति करि नहिं परसति पग पानि।
मन बिहसे रघुबंसमनि प्रीति अलौकिक जानि॥265॥

6
जय रघुबंस बनज बन भानू। गहन दनुज कुल दहन कृसानू॥
जय सुर बिप्र धेनु हितकारी। जय मद मोह कोह भ्रम हारी॥1॥

7
तहाँ राम रघुबंसमनि सुनिअ महा महिपाल।
भंजेउ चाप प्रयास बिनु जिमि गज पंकज नाल॥292॥

8
जाइ  दीख  रघुबंसमनि  नरपति  निपट  कुसाजु।
सहमि  परेउ  लखि  सिंघिनिहि  मनहुँ  बृद्ध  गजराजु॥39॥

9
कुटिल  कठोर  कुबुद्धि  अभागी।  भइ  रघुबंस  बेनु  बन  आगी॥2॥

10
बड़भागी  बनु  अवध  अभागी।  जो  रघुबंसतिलक  तुम्ह  त्यागी॥

11
सिय  सुमंत्र  भ्राता  सहित  कंद  मूल  फल  खाइ।
सयन  कीन्ह  रघुबंसमनि  पाय  पलोटत  भाइ॥89॥

12
सुखस्वरूप  रघुबंसमनि  मंगल  मोद  निधान।
ते  सोवत  कुस  डासि  महि  बिधि  गति  अति  बलवान॥200॥

13
तुलसी  कृपा  रघुबंसमनि  की  लोह  लै  लौका  तिरा॥

14
समय  समाज  धरम  अबिरोधा।  बोले  तब  रघुबंस  पुरोधा॥
जनक  भरत  संबादु  सुनाई।  भरत  कहाउति  कही  सुहाई॥2॥

15
 बिस्वरूप रघुबंस मनि करहु बचन बिस्वासु।
लोक कल्पना बेद कर अंग अंग प्रति जासु॥14॥

16
प्रनतपाल रघुबंसमनि त्राहि त्राहि अब मोहि।

17
 जय जय जय रघुबंस मनि धाए कपि दै हूह।
एकहि बार तासु पर छाड़ेन्हि गिरि तरु जूह॥66॥

18
संधानि धनु रघुबंसमनि हँसि सरन्हि सिर बेधे भले॥

19
रघुबंस बिभूषन दूषन हा। कृत भूप बिभीषन दीन रहा।।4।।

20
निज दास ज्यों रघुबंसभूषन कबहुँ मम सुमिरन कर्यो।

21
सुमिरि राम रघुबंस मनि हरषित चलेउँ उड़ाइ।।112क।।


22
सुनु खगेस नहिं कछु रिषि दूषन। उर प्रेरक रघुबंस बिभूषन।।


23
रघुबंस भूषन चरित यह नर कहहिं सुनहिं जे गावहीं।।


24
अस बिचारि रघुबंस मनि हरहु बिषम भव भीर।।130क।।

25
तेहि अवसर भंजन महिभारा। हरि रघुबंस लीन्ह अवतारा॥

26
प्रजा सहित रघुबंसमनि किमि गवने निज धाम॥110॥


27
रिषय संग रघुबंस मनि करि भोजनु बिश्रामु।




રામચરિત માનસમાં આવતા रघुवंश  શબ્દ


1


पाणौ  महासायकचारुचापं  नमामि  रामं  रघुवंशनाथम्‌॥3॥



મંગળવાર, ૧૬-૦૨-૨૦૧૬

કાલિદાસે વર્ણવેલ રઘુવંશીઓનાં ૧૬ લક્ષણ





सोऽहं आजनमशुद्धानां आफलोदयकर्मणां।

आसमुद्रक्षितीशानां आनाकरथवर्त्मनां॥ १.५॥



यथाविधिहुताग्नीनां यथाकामार्चितार्थिनां।

यथापराधदण्डानां यथाकालप्रभोधिनां॥ १.६॥



त्यागाय संभृतार्थानां सत्याय मितभाषिणां।

यशसे विजिगीषुणां प्रजायै गृहमेन्धिनां॥ १.७॥



शैशवेऽभ्यस्तविद्यानां यौवने विषयैषिणां।

वार्धके मुनिवृत्तीनां योगेनान्ते तनुत्यजां॥ १.८॥



रघूणां अन्वयं वक्ष्ये तनुवाग्विभवोऽपि सन्।

तद्गुणैः कर्णमागत्य चापलाय प्रचोदितः॥ १.९॥ 



ગુરૂવાર, ૧૮-૦૨-૨૦૧૬

પરમ તત્વના અવતરણ સમયે તેમજ પરમ તત્વના અંશ એવા પરમ સંતના અવતરણ સમયે ૪ વસ્તુ આવે છે, અવતરે  છે.

धरहु धीर होइहहिं सुत चारी। 

त्रिभुवन बिदित भगत भय हारी॥2॥


પરમ તત્વની સાથે ધીરજ - ધૈર્ય અવતરે.


પરમ તત્વની સાથે દ્રષ્ટિ અવતરે.


પરમ તત્વની સાથે ઐશ્વર્ય અવતરે.


પરમ તત્વની સાથે શૌર્ય અવતરે. - ભયભીતને ભયથી મુક્ત કરવા શૌર્ય જરુરી છે.

આપણે સાત સમુદ્રની વાત કરીએ છીએ જે આ પ્રમાણે હોઈ શકે. આવા સમુદ્ર આપણે જોયા નથી. - લવણ સમુદ્ર, ઘી સમુદ્ર, દૂધ સમુદ્ર, દહીં સમુદ્ર, મધ સમુદ્ર અને મીઠો સમુદ્ર.

પરમ અવ્યવસ્થાનું નામ જ પરમાત્મા છે.

આ પરમ અવ્યવસ્થા જે કેરે છે તેને તે પરમ તત્વને કાબુમાં રાખનાર ૫ તત્વો છે. આવા 5 તત્વો નીચે પ્રમાણે છે.

નખ શીશ શુદ્ધ પુરૂષે પ્રગટાવેલ જ્યોત.


બુદ્ધ પુરૂષની દ્રષ્ટિ


બુદ્ધ પુરૂષનું - સદ્‌ગુરૂનું વચન



રામ મંત્ર

અહીં રામ મંત્ર એટલે કોઈ પણ મંત્ર.


બુદ્ધ પુરૂષનું ચરણ

અશ્રદ્ધા, અંધશ્રદ્ધા અને અતિ શ્રદ્ધા - સમજ્યા વગરની શ્રદ્ધા એ ત્રણેય ખરાબ છે.  સ્વામી સચ્ચિદાનંદજી - દંતાલી

અતિ આહાર તેમજ અતિ અઆહાર પણ ખરાબ છે.

યંત્ર જો તાપમાન કંટ્રોલ કરી  શકે તો મંત્ર કેમ કંટ્રોલ કરી શકે ?

ગુરૂની ગાદી ઉપર ઈશ્વર નથી બેસી શકતો પણ ઈશ્વરની ગાદી ઉપર ગુરૂ બેસી શકે છે.


શુક્રવાર, ૧૯-૦૨-૨૦૧૬

ગુરૂકૂળ શ્રેષ્ઠ કૂળ છે.

નાદ વંશ ઉત્તમ વંશ છે.

तात जनकतनया यह सोई।

धनुषजग्य जेहि कारन होई॥

पूजन गौरि सखीं लै आईं।

करत प्रकासु फिरइ फुलवाईं॥1

भावार्थ:-हे तात! यह वही जनकजी की कन्या है, जिसके लिए धनुषयज्ञ हो रहा है। सखियाँ इसे गौरी पूजन के लिए ले आई हैं। यह फुलवाड़ी में प्रकाश करती हुई फिर रही है॥1

जासु बिलोकि अलौकिक सोभा।

सहज पुनीत मोर मनु छोभा॥

सो सबु कारन जान बिधाता।

फरकहिं सुभद अंग सुनु भ्राता॥2

भावार्थ:-जिसकी अलौकिक सुंदरता देखकर स्वभाव से ही पवित्र मेरा मन क्षुब्ध हो गया है। वह सब कारण (अथवा उसका सब कारण) तो विधाता जानें, किन्तु हे भाई! सुनो, मेरे मंगलदायक (दाहिने) अंग फड़क रहे हैं॥2

रघुबंसिन्ह कर सहज सुभाऊ।

मनु कुपंथ पगु धरइ न काऊ॥

मोहि अतिसय प्रतीति मन केरी।

जेहिं सपनेहुँ परनारि न हेरी॥3

भावार्थ:-रघुवंशियों का यह सहज (जन्मगत) स्वभाव है कि उनका मन कभी कुमार्ग पर पैर नहीं रखता। मुझे तो अपने मन का अत्यन्त ही विश्वास है कि जिसने (जाग्रत की कौन कहे) स्वप्न में भी पराई स्त्री पर दृष्टि नहीं डाली है॥3

जिन्ह कै लहहिं न रिपु रन पीठी।

नहिं पावहिं परतिय मनु डीठी॥

मंगन लहहिं न जिन्ह कै नाहीं।

ते नरबर थोरे जग माहीं॥4


भावार्थ:-रण में शत्रु जिनकी पीठ नहीं देख पाते (अर्थात्‌ जो लड़ाई के मैदान से भागते नहीं), पराई स्त्रियाँ जिनके मन और दृष्टि को नहीं खींच पातीं और भिखारी जिनके यहाँ से 'नाहीं' नहीं पाते (खाली हाथ नहीं लौटते), ऐसे श्रेष्ठ पुरुष संसार में थोड़े हैं॥4

રઘુવંશીનું મન કુપંથ ઉપર ન જાય.

રઘુવંશી સ્વપ્નમાં પણ પરસ્ત્રીનો વિચાર ન કરે.

આપણને આપણા મન ઉપર, આપણી જાત ઉપર ભરોંસો હોવો જોઈએ.

રઘુવંશી એ છે જેની પીઠ કદી દુશ્મને જોઈ ન હોય.

પીઠમાંથી અધર્મ જન્મે અને વક્ષ સ્થળમાંથી ધર્મ જન્મે.

રઘુવંશી તરફ કોઈ સ્ત્રી આકર્ષિત ન થાય.

રઘુવંશીના આંગણે કોઈ યાચક ના શબ્દ ન સાંભળે.

રઘુવંશી અલૈકિક વસ્તુ જોઈ હસી પડે, આનંદિત થાય, પ્રસન્ન થાય.

જેનામાં ધીરતા, વીરતા અને ઉદારતા હોય તે રઘુવંશી કહેવાય.


હરિ નામ લેવાથી પાપ પણ નષ્ટ થાય.

નાદ વંશનાં - ગુરૂ કૂખનાં લક્ષણો

જે વ્યક્તિને કોઈ પણ પ્રશ્ન નથી રહ્યો, જેના બધા જ પ્રશ્નો ઉકલી ગયા છે તે નાદ વંશી છે.

ગુરૂના વચનોથી જે લોહીલુહાણ થઈ ગયો છે તે લોહાણો કહેવાય. લોહાણાનું ગુરૂ વચનો થકી રક્ત નીકળી ગયું છે અને વિરક્ત થઈ ગયો છે.

જે કબ્ર સુધી સબ્ર રાખે તે ........

૨ 
નાદ વંશી અકસર મૌન રહેવાનું પસંદ કરે. નાદ વંશી આશ્રિતની ભૂલ થાય તો તેને મીઠા શબ્દોમાં - મીઠી બોલીમાં ઠપકો આપે.

૩ 
નાદ વંશી કદી સમદ્રષ્ટિ ન ચૂકે.

નાદ વંશીના ચહેરા ઉપર પરમ સંતોષ હોય.

નાદ વંશી પ્રત્યેક ઘડી ઉજવણી કર્યા કરે, કાયમ આનદીત રહે.

નાદ વંશીનો ડર લાગે અને છતાંય તેની પાસે રહેવા સિવાય ન ગમે. નાદ વંશીની પાસે જવાથી બધી ભ્રાંતિ છૂટી જાય.



શનિવાર, ૨૦-૦૨-૨૦૧૬

આજે કથા દરમ્યાન પૂજ્ય રમેશભાઈ ઓઝાએ અશીર્વચન દરમ્યાન સૂર્ય ભગવાન માટે જણાવ્યું કે સૂર્ય એ છે જેના માટે NO VACATION, NO EXPECTATIONS AND NO DISCRIMINATION.

કથા દરમ્યાન પૂજ્ય મોરારી બાપુની TALK.

સમુદ્ર જેવી વિશાળ અને ઊંડાણવાળી ૪ વિદ્યા રઘુ મહારાજ શીખે છે.


આણવિક્ષિત વિદ્યા


ત્રયી વિદ્યા


વાર્તા વિદ્યા


દંડ વિદ્યા



આણવિક્ષિત વિદ્યાધરની એક આંખમાં તેજ હોય અને બીજી આંખમાં કરૂણા હોય. અને આ તેજ તપાવે તેવું તેજ નહીં પણ અજવાળું આપે, પ્રકાશિત કરે, ઊર્જાને જાગૃત કરે તેવું હોય જેથી બીજાની કરૂણાનો અનુભવ કરી શકાય.

આ વિદ્યાને ઉપનિષદીય વિદ્યા પણ કહે છે.

આ વિદ્યાનો એક અર્થ પ્રયોગ કરેલ વિજ્ઞાન એવો પણ છે.

જે રોટલો ન આપી શકે તે રામ શું આપવાનો?

દ્વૈષ અને ઈર્ષા એ બે મોટાં દૂષણ છે.

જ્યાં દ્વૈષ અને ઈર્ષા આવે એટલે બીજાને પાડવાનાં ષડયંત્ર રચાય.

સત્તા દેશ નીકાલ કરે જ્યારે સત દ્વૈષ નીકાલ કરે.

નીંદા જીભથી થાય જ્યારે દ્વૈષ, ઈર્ષા જીવથી થાય.

ધર્મનો રસ વૈરાગ્ય છે.


ત્રયી વિદ્યા

આ વેદ વિદ્યા છે.

તલગાજરડા પ્રમાણે સત્ય, પ્રેમ અને કરૂણા એ જ ત્રયી વિદ્યા છે.


વાર્તા વિદ્યા

વાર્તા વિદ્યા એટલે સંવાદની વિદ્યા, સંધીની વિદ્યા, વાતચીતની વિદ્યા.


દંડ નીતિ

દંડ નીતિ ગુનેગારને સજા કરવા માટે હોય જેથી આવા ગુના બનતા અટકે. પણ ગુનેગારને સજા કરવા દરમ્યાન દ્વૈષ ભાવ ન હોય.

રઘુવંશી એ છે જે કોઈ ન કરે તેવું કાર્ય કરે અને આવું કાર્ય વગર પ્રયાસે કરે જેમાં ગુરૂનો પ્રયાસ હોય, ગુરૂનો પ્રતાપ હોય, ગુરૂનો પ્રસાદ હોય.

રામનો ધનુષ્ય ભંગ એ એક રઘુવંશી દ્વારા થયેલ કાર્ય છે જેમાં રામ ભગવાન વગર પ્રયાસે, ગુરૂના પ્રતાપ દ્વારા, ગુરૂના પ્રસાદ દ્વારા ધનુષ્ય ભંગ કરે છે.



રવિવાર, ૨૧-૦૨-૨૦૧૬

ઉપાધિની કંઠી ન પહેરવી પણ કો સમાધિની કંઠી પહેરવી.

જે વચન પાળે એ રઘુવંશી કહેવાય.

જે આવેલ કાળને - સમયને સ્વીકારિ લે તે રઘુવંશી કહેવાય.

રઘુવંશી સારો તેમજ નરસો સમય સ્વીકારી લે.

મૃત્યુ તો ધ્રુવ છે, તેને સ્વીકારી લેવાનુમ હોય, તેનાથી ડરવાનું ન હોય.

તુલસીદાસજી ખરાબ સમયે ૭ સાથીનો સહારો લેવાનું વર્ણવે છે.


 ધીરજ


ધર્મ


વિવેક


સાહસ


સાહિત્ય - સારું સાહિત્ય


સત્ય વ્રત - સત્ય પાલન


રામ ભરોંસો

રઘુવંશી કોઈને મારે નહીં પણ તારે - ઉદ્ધાર કરે.

રામ રઘુવંશી નથી.

પણ રામ રઘુવંશ્મણિ છે.

રામ રઘુવંશ ભૂષણ છે.

રામ રઘુવંશ્વિભૂષણ છે.

રામ રઘુવંશ તિલક છે.

રામ રઘુવંશ નાથ છે.

ધર્મગુરૂ અભિપ્રાય આપે, જ્યારે સદ્‌ગુરૂ અનુભવ આપે.

જે નિમિત માત્ર હોય તે નિમિષમાં કાર્ય કરે.

આપણા નાકમાં નાથ ન નાખે તે આપણો નાથ. આપણો નાથ આપણને બંધનમાં ન રાખે.

જે ગુરૂ વાક્યો જો આપણને સત્ય, પ્રેમ, કરૂણાથી વિમુખ લઈ જાય તેવામ હોય તો તેવામ ગુરૂ વાક્યો પણ ન પાડવાં.

અયોધ્યામાં મંથરા હતી તેમજ લંકામાં વિભીષણ હતો.