Translate

Search This Blog

Saturday, May 7, 2016

માનસ જમુના

રામ કથા

માનસ જમુના

શનિવાર, ૦૭-૦૫-૨૦૧૬ થી રવિવાર, ૧૫-૦૫-૨૦૧૬


મુખ્ય પંક્તિ (કેન્દ્રીય વિચાર)

जम गन मुहँ मसि जग जमुना सी। 

जीवन मुकुति हेतु जनु कासी॥

यमदूतों के मुख पर कालिख लगाने के लिए यह जगत में यमुनाजी के समान है और जीवों को मुक्ति देने के लिए मानो काशी ही है। 

बहुरि राम जानकिहि देखाई। 

जमुना कलि मल हरनि सुहाई॥

फिर श्री रामजी ने जानकीजी को कलियुग के पापों का हरण करने वाली सुहावनी यमुनाजी के दर्शन कराए। 


શનિવાર, ૦૭-૦૫-૨૦૧૬
દૈવી સ્થાનોમાં ભગવદ ચર્ચા કરવાનો મોકો મળે એ બહું મોટી ઉપલબ્ધી છે, સૌભાગ્ય છે અને આવી ઘટનાઓ ઐતિહાસિક હોય છે.

યમુનાજી સંસારના ભયને જલાવનાર છે.

ગંગામાં સ્નાન, યમુનાનું પાન અને સરસ્વતીના ઘાટ ઉપર ગાનનો મહિમા છે.

રેવા તટ ઉપર અનુષ્ટાનનો મહિમા છે.

કૃષ્ણાના તટ ઉપર નર્તન - નૃત્ય મહોત્સવનો મહિમા છે.

બ્રહ્મપુત્રાના તટ ઉપર બ્રહ્મવાણીના પારાયણનો મહિમા છે.

ગંડકી નદીના તટ ઉપર નારયણનો મહિમા છે.

આદિ શંકર ભગવાને અને શ્રીમદ વલ્લભાચારજીએ અષ્ટકની રચના કરી છે.

અષ્ટકની રચના વિશેના કારણો

કૃષ્ણને આઠ મુખ્ય રાણી છે અને શ્રી યમુનાજી મુખ્ય છે.

કૃષ્ણના આઠ મુખ્ય સખા છે.

કૃષ્ણ એ આઠમો અવતાર છે.

કૃષ્ણ આષ્ટમીએ પ્રગટ થયા છે.

અષ્ટપદીનો મહિમા છે.

આઠના અંકના ઘડિયામાં ચઢાવ ઉતાર છે.


૮ ૧ ૮                  (૮)
૮ ૨ ૧૬                ( ૧+૬ = ૭)
૮ ૩ ૨૪                ( ૨+૪ = ૬)
૮ ૪ ૩૨                (૩+૨ = ૫)
૮ ૫ ૪૦                (૪+૦=૪)
૮ ૬ ૪૮                (૪+૮ = ૧૨)
૮ ૭ ૫૬                (૫+૬=૧૧)
૮ ૮ ૬૪                (૬+૪+૧૦)
૮ ૯ ૭૨                (૭+૨=૯)
૮ ૧૦ ૮૦             (૮+૦=૮)

૯ ૧ ૯                  (૯)
૯ ૨ ૧૮               (૧+૮=૯)
૯ ૩ ૨૭               (૨+૭=૯)
૯ ૪ ૩૬               (૩+૬=૯)
૯ ૫ ૪૫              (૪+૫=૯)
૯ ૬ ૫૪             (૫+૪=૯)
૯ ૭ ૬૩             (૬+૩ =૯)
૯ ૮ ૭૨             (૭+૨=૯)
૯ ૯ ૮૧              (૮+૧=૯)
૯ ૧૦ ૯૦           (૯+૦=૯)

यमुनाष्टक




नमामि यमुनामहं सकल सिद्धि हेतुं मुदा
मुरारि पद पंकज स्फ़ुरदमन्द रेणुत्कटाम ।

तटस्थ नव कानन प्रकटमोद पुष्पाम्बुना
सुरासुरसुपूजित स्मरपितुः श्रियं बिभ्रतीम ॥१॥

कलिन्द गिरि मस्तके पतदमन्दपूरोज्ज्वला
विलासगमनोल्लसत्प्रकटगण्ड्शैलोन्न्ता ।

सघोषगति दन्तुरा समधिरूढदोलोत्तमा
मुकुन्दरतिवर्द्धिनी जयति पद्मबन्धोः सुता ॥२॥

भुवं भुवनपावनीमधिगतामनेकस्वनैः
प्रियाभिरिव सेवितां शुकमयूरहंसादिभिः ।

तरंगभुजकंकण प्रकटमुक्तिकावाकुका-
नितन्बतटसुन्दरीं नमत कृष्ण्तुर्यप्रियाम ॥३॥

अनन्तगुण भूषिते शिवविरंचिदेवस्तुते
घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे ।

विशुद्ध मथुरातटे सकलगोपगोपीवृते
कृपाजलधिसंश्रिते मम मनः सुखं भावय ॥४॥

यया चरणपद्मजा मुररिपोः प्रियं भावुका
समागमनतो भवत्सकलसिद्धिदा सेवताम ।

तया सह्शतामियात्कमलजा सपत्नीवय-
हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम ॥५॥

नमोस्तु यमुने सदा तव चरित्र मत्यद्भुतं
न जातु यमयातना भवति ते पयः पानतः ।

यमोपि भगिनीसुतान कथमुहन्ति दुष्टानपि
प्रियो भवति सेवनात्तव हरेर्यथा गोपिकाः ॥६॥

ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता
न दुर्लभतमारतिर्मुररिपौ मुकुन्दप्रिये ।

अतोस्तु तव लालना सुरधुनी परं सुंगमा-
त्तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितैः ॥७॥

स्तुति तव करोति कः कमलजासपत्नि प्रिये
हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षतः ।

इयं तव कथाधिका सकल गोपिका संगम-
स्मरश्रमजलाणुभिः सकल गात्रजैः संगमः ॥८॥

तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा
समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रतिः ।

तया सकलसिद्धयो मुररिपुश्च सन्तुष्यति
स्वभावविजयो भवेत वदति वल्लभः श्री हरेः ॥९॥

॥ इति श्री वल्लभाचार्य विरचितं यमुनाष्टकं सम्पूर्णम ॥





॥ यमुनाष्टकम् २ ॥
॥ श्रीः॥




कृपापारावारां तपनतनयां तापशमनीं
मुरारिप्रेयस्यां भवभयदवां भक्तिवरदाम् ।
वियज्ज्वालोन्मुक्तां श्रियमपि सुखाप्तेः परिदिनं
सदा धीरो नूनं भजति यमुनां नित्यफलदाम् ॥ १॥

मधुवनचारिणि भास्करवाहिनि जाह्नविसङ्गिनि सिन्धुसुते
मधुरिपुभूषणि माधवतोषिणि गोकुलभीतिविनाशकृते ।
जगदघमोचिनि मानसदायिनि केशवकेलिनिदानगते
जय यमुने जय भीतिनिवारिणि संकटनाशिनि पावय माम् ॥ २॥

अयि मधुरे मधुमोदविलासिनि शैलविदारिणि वेगपरे
परिजनपालिनि दुष्टनिषूदिनि वाञ्छितकामविलासधरे ।
व्रजपुरवासिजनार्जितपातकहारिणि विश्वजनोद्धरिके
जय यमुने जय भीतिनिवारिणि संकटनाशिनि पावय माम् ॥ ३॥

अतिविपदम्बुधिमग्नजनं भवतापशताकुलमानसकं
गतिमतिहीनमशेषभयाकुलमागतपादसरोजयुगम् ।
ऋणभयभीतिमनिष्कृतिपातककोटिशतायुतपुञ्जतरं
जय यमुने जय भीतिनिवारिणि संकटनाशिनि पावय माम् ॥ ४॥

नवजलदद्युतिकोटिलसत्तनुहेमभयाभररञ्जितके
तडिदवहेलिपदाञ्चलचञ्चलशोभितपीतसुचेलधरे ।
मणिमयभूषणचित्रपटासनरञ्जितगञ्जितभानुकरे
जय यमुने जय भीतिनिवारिणि संकटनाशिनि पावय माम् ॥ ५॥

शुभपुलिने मधुमत्तयदूद्भवरासमहोत्सवकेलिभरे
उच्चकुलाचलराजितमौक्तिकहारमयाभररोदसिके ।
नवमणिकोटिकभास्करकञ्चुकिशोभिततारकहारयुते
जय यमुने जय भीतिनिवारिणि संकटनाशिनि पावय माम् ॥ ६॥

करिवरमौक्तिकनासिकभूषणवातचमत्कृतचञ्चलके
मुखकमलामलसौरभचञ्चलमत्तमधुव्रतलोचनिके ।
मणिगणकुण्डललोलपरिस्फुरदाकुलगण्डयुगामलके
जय यमुने जय भीतिनिवारिणि संकटनाशिनि पावय माम् ॥ ७॥

कलरवनूपुरहेममयाचितपादसरोरुहसारुणिके
धिमिधिमिधिमिधिमितालविनोदितमानसमञ्जुलपादगते ।
तव पदपङ्कजमाश्रितमानवचित्तसदाखिलतापहरे
जय यमुने जय भीतिनिवारिणि संकटनाशिनि पावय माम् ॥ ८॥

भवोत्तापाम्भोधौ निपतितजनो दुर्गतियुतो
यदि स्तौति प्रातः प्रतिदिनमन्याश्रयतया ।
हयाह्रेषैः कामं करकुसुमपुञ्जै रविसुतां
सदा भोक्ता भोगान्मरणसमये याति हरिताम् ॥ ९॥

इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यस्य श्रीगोविन्दभगवत्पूज्यपादशिष्यस्य श्रीमच्छंकरभगवतः कृतौ यमुनाष्टकम् सम्पूर्णम् ॥


યમુનાષ્ટકમ્ ૨ ॥


યમુનાષ્ટકમ્ ૨ ॥
શ્રીઃ॥


કૃપાપારાવારાં તપનતનયાં તાપશમનીં
મુરારિપ્રેયસ્યાં ભવભયદવાં ભક્તિવરદામ્ ।
વિયજ્જ્વાલોન્મુક્તાં શ્રિયમપિ સુખાપ્તેઃ પરિદિનં
સદા ધીરો નૂનં ભજતિ યમુનાં નિત્યફલદામ્ ॥ ૧॥

મધુવનચારિણિ ભાસ્કરવાહિનિ જાહ્નવિસઙ્ગિનિ સિન્ધુસુતે
મધુરિપુભૂષણિ માધવતોષિણિ ગોકુલભીતિવિનાશકૃતે ।
જગદઘમોચિનિ માનસદાયિનિ કેશવકેલિનિદાનગતે
જય યમુને જય ભીતિનિવારિણિ સંકટનાશિનિ પાવય મામ્ ॥ ૨

અયિ મધુરે મધુમોદવિલાસિનિ શૈલવિદારિણિ વેગપરે
પરિજનપાલિનિ દુષ્ટનિષૂદિનિ વાઞ્છિતકામવિલાસધરે ।
વ્રજપુરવાસિજનાર્જિતપાતકહારિણિ વિશ્વજનોદ્ધરિકે
જય યમુને જય ભીતિનિવારિણિ સંકટનાશિનિ પાવય મામ્ ॥ ૩॥

અતિવિપદમ્બુધિમગ્નજનં ભવતાપશતાકુલમાનસકં
ગતિમતિહીનમશેષભયાકુલમાગતપાદસરોજયુગમ્ ।
ઋણભયભીતિમનિષ્કૃતિપાતકકોટિશતાયુતપુઞ્જતરં
જય યમુને જય ભીતિનિવારિણિ સંકટનાશિનિ પાવય મામ્ ॥ ૪॥

નવજલદદ્યુતિકોટિલસત્તનુહેમભયાભરરઞ્જિતકે
તડિદવહેલિપદાઞ્ચલચઞ્ચલશોભિતપીતસુચેલધરે ।
મણિમયભૂષણચિત્રપટાસનરઞ્જિતગઞ્જિતભાનુકરે
જય યમુને જય ભીતિનિવારિણિ સંકટનાશિનિ પાવય મામ્ ॥ ૫॥

શુભપુલિને મધુમત્તયદૂદ્ભવરાસમહોત્સવકેલિભરે
ઉચ્ચકુલાચલરાજિતમૌક્તિકહારમયાભરરોદસિકે ।
નવમણિકોટિકભાસ્કરકઞ્ચુકિશોભિતતારકહારયુતે
જય યમુને જય ભીતિનિવારિણિ સંકટનાશિનિ પાવય મામ્ ॥ ૬॥

કરિવરમૌક્તિકનાસિકભૂષણવાતચમત્કૃતચઞ્ચલકે
મુખકમલામલસૌરભચઞ્ચલમત્તમધુવ્રતલોચનિકે ।
મણિગણકુણ્ડલલોલપરિસ્ફુરદાકુલગણ્ડયુગામલકે
જય યમુને જય ભીતિનિવારિણિ સંકટનાશિનિ પાવય મામ્ ॥ ૭॥

કલરવનૂપુરહેમમયાચિતપાદસરોરુહસારુણિકે
ધિમિધિમિધિમિધિમિતાલવિનોદિતમાનસમઞ્જુલપાદગતે ।
તવ પદપઙ્કજમાશ્રિતમાનવચિત્તસદાખિલતાપહરે
જય યમુને જય ભીતિનિવારિણિ સંકટનાશિનિ પાવય મામ્ ॥ ૮॥

ભવોત્તાપામ્ભોધૌ નિપતિતજનો દુર્ગતિયુતો
યદિ સ્તૌતિ પ્રાતઃ પ્રતિદિનમન્યાશ્રયતયા ।
હયાહ્રેષૈઃ કામં કરકુસુમપુઞ્જૈ રવિસુતાં
સદા ભોક્તા ભોગાન્મરણસમયે યાતિ હરિતામ્ ॥ ૯॥

ઇતિ શ્રીમત્પરમહંસપરિવ્રાજકાચાર્યસ્ય શ્રીગોવિન્દભગવત્પૂજ્યપાદશિષ્યસ્ય શ્રીમચ્છંકરભગવતઃ કૃતૌ યમુનાષ્ટકમ્ સમ્પૂર્ણમ્ ॥


ગંગા ધીર ગંભીર છે જ્યારે યમુના નટખટ રુપ છે, કૃષ્ણ પ્રિયા છે.

પાપ જિસ્મ નથી કરતું પણ વિચાર પાપ કરે છે.

ગંગા જિસ્મને - શરીરને સાફ કરે છે પણ વિચારને સાફ નથી કરતી.

જો કે ગંગા વિચારને પણ સાફ કરી શકે.

યમુના વિચારને પણ સાફ કરે છે.

પાંચ મુખ્ય ગાંઠ - ગ્રંથીઓ છે.

આ પાંચેય ગાંઠનું નિવારણ યમુનાજી કરે છે.

૧ મન એ એક મોટી ગાંઠ - ગ્રંથી છે.

જ્યાં પવિત્રમાં પવિત્ર જળ હોય તેને તીર્થ કહેવાય છે અને જ્યાં પવિત્રમાં પવિત્ર જમીન હોય તેને ક્ષેત્ર કહેવાય છે. યમુના તીર્થક્ષેત્ર છે જ્યાં પવિત્રમાં પવિત્ર જળ અને પવિત્રમાં પવિત્ર ક્ષેત્ર - જમીન છે.

ધાગામાં ગાંઠ મારવાથી ધાગાનું રૂપ બદલાય પણ તેમાં બીજા ફેરફાર ન થાય.

ગાંઠ માટે રસ્સી જરૂરી છે પણ ગાંઠ માટે રસ્સી જરૂરી નથી.

તરંગ માટે સમુદ્ર જરૂરી છે પણ સમુદ્ર માટે તરંગ જરૂરી નથી.

૨ આપણી ઈચ્છાઓ ગાંઠ છે.

૩ પોતાનો પ્રાણ ગાંઠ છે - ગ્રથી છે.

૪ સત્વ પણ ગાંઠ છે.

૫ પૂણ્ય પણ ગાંઠ છે. તત્વતઃ પૂણ્ય ગાંઠ છે.

તેથી જ આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે કે
न पुण्यं न पापं न सौख्यं न दु:खम् 
न मन्त्रो न तीर्थं न वेदा: न यज्ञा:
अहं भोजनं नैव भोज्यं न भोक्ता 
चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥४॥

न मुझमें पुण्य है न पाप है, न मैं सुख-दुख की भावना से युक्त ही हूँ
मन्त्र और तीर्थ भी नहीं, वेद और यज्ञ भी नहीं
मैं त्रिसंयुज (भोजन, भोज्य, भोक्ता) भी नहीं हूँ
वस्तुतः मैं चिर आनन्द हूँ, चिन्मय रूप शिव हूँ, शिव हूँ।

આ પાંચેય ગાંઠને સાધનાની ધારાથી સમાપ્ત જરવી હોય તો તે સાધનાની ધારા યમુનાજી છે.

જીવનો સ્વભાવ અહમ છે.

રામ કથા એ તુલસીની યમુના છે.

વિનય, વિશ્વાસ, શ્રદ્ધા, વિશાળતા અને પ્રકાશ એ પંચ વિચાર છે.

શિવજી સાધુ છે.

વાનર  રૂપ હનુમાન પણ સાધુ છે.

જેનાં ૫ મુખ હોય તે સાધુ છે.

મહાદેવ અને હનુમાનજી પંચ મુખી છે.

પંચ મુખી સાધુ - ગુરૂ મળે તો કોઈપણ ભોગે તેને ન ગુમાવવા.

પાંચ મુખ

સાધુ ગુરૂ મુખી હોય.

સાધુના જીવનમાં તેના ગુરૂએ આપેલ આરપાર સંપદા હોય છે, અપાર સંપદા હોય છે.તેનામાં ગ્રંથોમાં પણ ન હોય તેવી ગુરૂ કૃપા હોય છે. સાધુના જીવનમાં ગુરૂનું બહું મહત્વ હોય છે.


સાધુ વેદ મુખી હોય. વેદ એટલે જાણવું. જેણે પુરેપુરુ જાણી લીધું છે તે સાધુ છે.


સાધુનું ત્રીજું મુખ સન્મુખ છે. સાધુ સદાય સન્મુખ હોય, વિમુખ ન હોય.

સાચા સાધુને કોઈ દુશ્મન ન હોય.


સાધુનું ચોથું મુખ એ મૌન મુખ છે. જેને અંતર મુખ પણ કહેવાય. સાધુ અંતર મુખ હોય, બહિર મુખ ન હોય.


સાધુ હસમુખ હોય. સાધુ સદા પ્રસન્ન રહે.

साधु अवग्या तुरत भवानी। 

कर कल्यान अखिल कै हानी॥1॥

(शिवजी कहते हैं-) हे भवानी! साधु का अपमान तुरंत ही संपूर्ण कल्याण की हानि (नाश) कर देता है॥1॥

સાધુ પાસે અસત્ય બોલવું એ સાધુ અવહેલના છે - અવગ્યા છે. અસત્ય બોલવું એ સાધુ સંતની અવગ્યા છે.
સાધુ બહું ભોળા હોય.

સાધુના વચનની અવહેલના કરવી એ સાધુ અવગ્યા છે.

આપણા જેવા માટે આપણો ગુરૂ તેનું બધું જ લૂટાવી દે અને છતાંય આપણે તેનો અન્યાશ્રય કરીએ તે સાધુ અવગ્યા છે.


સોમવાર, ૦૯-૦૫-૨૦૧૬
કર્ણ, શનિદેવ, યમરાજ સૂર્ય પુત્રો છે અને યમુના સૂર્ય પૂત્રી છે.

एक पिता के बिपुल कुमारा। 

होहिं पृथक गुन सील अचारा।।

एक पिता के बहुत-से पुत्र पृथक्-पृथक् गुण, स्वभाव और आचरण वाले होते हैं।

સત્ય, પ્રેમ, કરૂણા અખંડ, શાસ્વત અને અનંત છે.

આપણે મનનો મેલ યમુનામાં ધોઈએ છીએ અને આમ મનનો મેલ ધોયા પછી પણ યમુના મેલી નથી થતી.

આધ્યાત્મ હારવાનું ક્ષેત્ર છે, જીતવાનું ક્ષેત્ર છે જ નહીં.

ધર્મમાં જ્યારે જીદ આવે ત્યારે તે ધર્મ ફક્ત લેબાશ બની જાય છે, ધર્મનો આત્મા મરી જાય છે.

પ્રત્યેક જીવમાં ૫ પ્રકારના દોષ હોય છે.

૧ સહજ દોષ

સહજ દોષને મટાદવો અઘરો છે.

જેમ ધ્રુવને નારદ જેવા સદગુરૂ સહજ રીતે મળી ગયા હતા તેમ જ્યારે કોઈ સદગુરૂ સહજ જ મળી જાય ત્યારે આ સહજ દોષ સમાપ્ત થાય.

ફૂલ કદી કાંટાની નીંદા ન કરે કારણ કે ફૂલ જાણે છે કે કાંટા તેની સુરક્ષા કરે છે, સુરક્ષા માટે છે.

ફૂલ સુગંધ આપે તે તેનો ગુણ નથી પણ તેનો સ્વભાવ છે, કાંટાનું વાગવું પણ કાંટાનો ગુણ નથી પણ સ્વભાવ છે.

૨ દેશજ દોષ

દેશજ એ જીવનો દોષ છે, જે સ્થાનમાં રહીએ તેની અસરથી આવતા દોષ એ દેશજ દોષ છે.

ગરમીમાં રહેનાર શ્યામ હોય અને ઠંડીમાં રહેનાર શરાબ પીવે તે દેશજ દોષ છે.

૩ કાલજ દોષ

કાલના કારણે આવતા દોષ એ કાલજ દોષ છે. કલિ પ્રભાવના કારણે આવતા દોષ એ કાલજ દોષ છે.

૪ સંયોગ દોષ

સોબત, સંગતીના કારણે આવતા દોષ એ સંયોગ દોષ છે.

૫ સ્પર્શજ દોષ

ગંદા હાથ વાળા સાથે હાથ મેળવવાથી આપણા હાથ પણ ગંદા થાય જ.

વિભીષણમાં આ પાંચેય દોષ છે.

સહજ દોષ
सहज पापप्रिय तामस देहा। 

जथा उलूकहि तम पर नेहा॥

भावार्थ:-हे नाथ! मैं दशमुख रावण का भाई हूँ। हे देवताओं के रक्षक! मेरा जन्म राक्षस कुल में हुआ है। मेरा तामसी शरीर है, स्वभाव से ही मुझे पाप प्रिय हैं, जैसे उल्लू को अंधकार पर सहज स्नेह होता है॥4॥

 દેશજ દોષ
 लंका निसिचर निकर निवासा। 

इहाँ कहाँ सज्जन कर बासा॥

लंका तो राक्षसों के समूह का निवास स्थान है। यहाँ सज्जन (साधु पुरुष) का निवास कहाँ?

કાલજ દોષ

સંયોગ દોષ
खल मंडली बसहु दिनु राती। 

सखा धरम निबहइ केहि भाँती॥
दिन-रात दुष्टों की मंडली में बसते हो। (ऐसी दशा में) हे सखे! तुम्हारा धर्म किस प्रकार निभता है?

સ્પર્શ દોષ

વિભીષણ રાવણને પગે લાગે છે અને પગ સ્પર્શ કરતાં જ તેનામાં દોષ આવે છે.



બુધવાર, ૧૧-૦૫-૨૦૧૬

રામ કથા જમુના છે.

સાધકનું ઊર્ધ્વગમન થાય એટલે તેના વિચાર ઓછા થાય.

જ્યાં સુધી વિશ્વાસમાં પ્રવેશ ન થાય ત્યાં સુધી વિચાર કરવો જોઈએ.

વિશ્વાસ એ ગૌરીશિખર છે, ત્યાં પહોંચ્યા પછી વિચાર જ બંધ થઈ જાય.

ઘણા સાધક કુતુહલના સ્તરેથી સીધા વિશ્વાસના સ્તરની છલાંગ લગાવી શકે.

 बटु बिस्वास अचल निज धरमा। 

तीरथराज समाज सुकरमा॥

(उस संत समाज रूपी प्रयाग में) अपने धर्म में जो अटल विश्वास है, वह अक्षयवट है और शुभ कर्म ही उस तीर्थराज का समाज (परिकर) है।

વિશ્વાસ જ સાધુ સમાજનો અક્ષય વટ છે.

જેનો ક્ષય ન થાય તે વિશ્વાસ.

વિરાટ વસ્તુઓનું આયુષ્ય વધારે હોય છે અને સુક્ષ્મ વસ્તુઓનું આયુષ્ય ઓછું હોય છે.

ઘણાને માતાના ગર્ભમાં હોય ત્યારે U turn આવે. આવો U turn પ્રહલ્લાદ, ધ્રુવ, પરિક્ષિત, મોરારી બાપુને આવેલ છે.

માતાના ગર્ભના U turn દરમ્યાન તેનું મન વિકસિત થાય.

બીજો U turn પાઠ શાળા, શાળા, કૉલેજ વગેરે દરમ્યાન આવે, જ્યાં બુદ્ધિ વિકસિત થાય.

સદ્‍ગુરુ/ બુદ્ધ પુરૂષના જમણા પગમાંથી ગંગા નીકળે, જમણો પગ ગંગા સમાન છે, ડાબા પગમાંથી યમુના વહે, ડાબો પગ યમુના છે અને જ્યારે ગુરૂ કરૂણાવશ બોલે ત્યારે તેના હોઠમાંથી સરસ્વતી વહે છે.

नख निर्गता मुनि बंदिता त्रिलोक पावनि सुरसरी।।

जो चरण शिवजी और ब्रह्मा जी के द्वारा पूज्य हैं, तथा जिन चरणोंकी कल्याणमयी रज का स्पर्श पाकर [शिव बनी हुई] गौतमऋषि की पत्नी अहल्या तर गयी; जिन चरणों के नखसे मुनियों द्वारा वन्दित, त्रैलोक्यको पवित्र करनेवाली देवनदी गंगाजी निकलीं

જ્યારે ગુરૂ કરૂણાવશ બોલે છે ત્યારે તેનાં વચન સરસ્વતી છે.

ત્રીજો U turn એ કાર્ય ક્ષેત્ર છે, કાર્ય ક્ષેત્ર એ કર્મ ખંડ છે જ્યાં કાર્ય થાય, પુરુષાર્થ થાય. અહીં વિવેક વિકસિત થાય.

અહીં વિધિ નિષેધ હોય, શું કરવું અને શું ન કરવું એનો વિધિ નિષેધ હોય.

એક વિધિ એ છે કે જ્યાં જેટલું સત્યમાં રહેવાય તેટલું સત્યની નજીક રહેવું.  સત્યના આશ્રયમાં રહેવું.

સત્યમાં રહેવું એટલે (૧) સત્ય વિચારવું (૨) સત્ય બોલવું અને (૩) સત્ય આચરણ કરવું. આ શિવનું ત્રિપુંડ છે.
સત્ય આપણો સ્વભાવ છે.

બીજી વિધિ એ પ્રેમ કરવો એ છે. આખી દુનિયાને પ્રેમથી ભરી દેવી.

ત્રીજી વિધિ કરૂણા છે. બધાને ક્ષમા આપવી.

સાધુ ક્ષમાશીલ હોય.

સત્ય જબાન ઉપર હોય, પ્રેમ હ્નદયમાં હોય અને કરૂણા આંખોમાં હોય.

ત્રણ નિષેધ પણ છે. (૧) નીંદા ન કરવી (૨) દ્વૈષ ન કરવો અને  (૩) ઈર્ષા ન કરવી.

સ્પર્ધાથી લાભ થાય પણ આ લાભ શુભ હોય કે શુભ ન પણ હોય.

શ્રદ્ધાથી શુભ જ થાય.

જો નીંદા દ્વૈષ મુલક હોય તો તેની ચિંતા ન કરો, તેને અવગણો પણ જો નીંદા સંદેશ મુલક હોય તો તેનો સ્વીકાર કરો અને તમારો માર્ગ સુધારી લો.

રાગ દ્વૈષથી મુક્ત ચિત એ કર્મ ક્ષેત્રનો U turn છે.

ધર્મ ખંડ

ધર્મ ખંડ એ PATHLESS PATH છે જ્યાં સ્પર્ધા સમાપ્ત થઈ જાય છે.

વિશ્વાસના શિખરે પહોંચ્યા પછી વિચાર સમાપ્ત થઈ જાય.

વિજ્ઞાન અને વૈજ્ઞાનિક એ અલગ છે. .... કૃષ્ણમૂર્તિ


............ક્રમશઃ

No comments:

Post a Comment