Translate

Search This Blog

Saturday, June 11, 2016

માનસ બિહારી

રામ કથા

માનસ બિહારી

પટના, બિહાર

શનિવાર, તારીખ ૧૧-૦૬-૨૦૧૬ થી રવિવાર, તારીખ ૧૯-૦૬-૨૦૧૬

મુખ્ય પંક્તિ

मंगल भवन अमंगल हारी। 

द्रवउ सो दसरथ अजिर बिहारी॥

...............................................................................1 - 111/4



मंगल के धाम, अमंगल के हरने वाले और श्री दशरथजी के आँगन में खेलने वाले (बालरूप) श्री रामचन्द्रजी मुझ पर कृपा करें॥




रूप रासि नृप अजिर बिहारी। 

नाचहिं निज प्रति बिंब निहारी।।

...............................................................7 - 76/8

राजा दशरथजी के आँगन में विहार करनेवाली रूप की राशि श्रीरामचन्द्रजी अपनी परछाहीं देखकर नाचते हैं।।



શનિવાર, ૧૧-૦૬-૨૦૧૬
રામ ચરિત માનસ અ‌દ્‌ભૂત ગ્રંથ છે, વૈશ્વિક ગ્રંથ છે, જેમાં ગુરૂ કૃપાથી દરરોજ નવીન અમૃત પ્રાપ્ત થાય છે અને સાધક તેમાં ખોવાઈ જાય છે.
શાસ્ત્રનો સાર છેલ્લા માણસ સુધી પહોંચવો જોઈએ.

पूँछेहु रघुपति कथा प्रसंगा। सकल लोक जग पावनि गंगा॥

વિશ્વાસથી ભક્તિ મળે, પ્રમ મળે અને શ્રદ્ધાથી પરમાત્મા મળે.
આચાર્ય સંઘની સ્થાપના વિનોબા ભાવી કરી હતી અને તેમણે આચાર્યનાં ૩ લક્ષણ વર્ણવ્યાં હતાં.

જે નિર્ભય હોય તે આચાર્ય હોઈ શકે, ગુરૂ હોઈ શકે.

જે નિષ્પક્ષ હોય તે આચાર્ય, ગુરૂ હોય.


જે નિરવેર હોય તે આચાર્ય, ગુરૂ હોય. શત્રુતાથી મુક્ત જીવન જેનું હોય તે આચાર્ય, ગુરૂ હોઈ શકે.
ગુરૂના ચરણની રજથી આંખ પવિત્ર થાય એટલે આખું જગત વંદનીય લાગે, બધા ભેદ મટી જાય.

सीय राममय सब जग जानी। करउँ प्रनाम जोरि जुग पानी॥1॥

No comments:

Post a Comment