કન્યાને વિદાય આપતા પિતાની બધી જ વસ્તુ પરાઈ થઈ જાય છે
(સંકલન : નીિતન વડગામા)
Read full story at Sunday Bhaskar.
- દીકરી જ્યારે પરણીને પતિ ઘેર જતી હોય ત્યારે કુટુંબના બધા માણસોને દુ:ખ થાય છે,પણ વધારેમાં વધારે દુ:ખ દીકરીના બાપને થાય છે. જેટલું દુ:ખ બાપને થાય છે એટલું બીજા કોઇને થતું નથી. દીકરીને સાસરે વળાવે છે ત્યારે એને એમ લાગે છે કે મારા જીવનમાંથી એક એવું પાત્ર ઓછું થાય છે, જે મને દિવસો સુધી યાદ રહેશે.
- બાપ-દીકરીનો સંબંધ બહુ અદ્્ભુત છે. બાપને એમ થાય છે કે કાલે હું ઘરમાં આવીશ તો મને કોણ પૂછશે કે, બાપુજી, શું જોઇએ છે? એટલે જ દીકરીને સાસરે વળાવતી વખતે બાપને બહુ આઘાત લાગે છે. આવું સમર્પણ બીજું કોઇ કરી શકતું નથી. અઢાર-અઢાર વરસ સુધી જે દીકરીને પોતાના ઘરમાં ઉછેરીને મોટી કરી હોય એ દીકરીને તમે પરણાવો એટલે બધું પારકું કરીને જતી રહે છે. કન્યાને વિદાય આપતા પિતાની બધી જ વસ્તુ પરાઇ થઇ જાય છે. ગમે તેવી મુસીબત આવે તો પણ માણસને આંખમાં આંસુ ન આવે, પણ દીકરીને વળાવતી વખતે ન રડ્યો હોય એવો કોઇ બાપ ન હોય!!
- આ છે બાપ-દીકરીનો સંબંધ! બાપ-દીકરાના સંબંધ સ્વાર્થ હોય, પણ દીકરીને કયો સ્વાર્થ હોય? આંસુની ધારા એ જ લાવે. જે નિ:સ્વાર્થ હોય. દિલને હચમચાવી મૂકે એ સંબંધમાં સ્વાર્થ ન હોય. દીકરીને વળાવવી બહુ વસમું લાગે છે. કવિ દાદ લખ્યું છે, ‘કાળજો કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો.’
(સંકલન : નીિતન વડગામા)
Read full story at Sunday Bhaskar.
No comments:
Post a Comment