Translate

Search This Blog

Monday, July 11, 2016

શાસ્ત્રો કે ધર્મગ્રંથોનું વાંચન નહીં, અવલોકન કરવું જોઈએ

શાસ્ત્રો કે ધર્મગ્રંથોનું વાંચન નહીં, અવલોકન કરવું જોઈએ

  • એવી કઈ સાત મર્યાદાઓનું આપણે પાલન કરીએ કે રોજ આપણે નવાં રહી શકીએ, રોજ સ્કૂર્ત રહી શકીએ?


  • માણસ રાેજ નવો હાેવો જોઈએ. ‘દિનદિને નવંનવં.’ ‘પ્રતિક્ષણ વર્ધમાનં.’ ‘રામચરિત માનસ’માં કહ્યું છે, ‘છન છન નવ અનુરાગ.’


  • ત્યારે ફરી એક વખત ભગવાન વેદનું સ્મરણ થાય, ‘સપ્તમર્યાદા: કવયસ્તતક્ષુ: ’ આ ભગવાન વેદનું વૈશ્વિક અમૃત વચન છે. 
  • સાત મર્યાદાઓ. એવી કઈ સાત મર્યાદાઓનું આપણે પાલન કરીએ કે રોજ આપણે નવાં રહી શકીએ, રોજ તાજાં રહી શકીએ, રોજ સ્કૂર્ત રહી શકીએ? 


  • શાસ્ત્રો કે ધર્મગ્રંથોનુ્ં વાંચન નહીં, અવલાેકન કરવું જોઈએ. વાંચવામાં અને અવલોકન કરવામાં બહુ જ અંતર છે. 
  • એક, મદ્યપાન ન કરવું. 
  • મદ્ય ઘણા પ્રકારનાં હોય છે. એનું પાન ન થાય એનું ધ્યાન રાખવું. આખી દુનિયામાં આપણે નથી જોતાં કે પૈસાનો મદ, પ્રતિષ્ઠાનો મદ! ખબર નહીં, કેટલાં કેટલાં મદ્ય આપણે પીને બેઠાં છીએ! પણ મદ્યપાનનો ત્યાગ કરવાે.


  • બીજું, દ્યૂતનો ત્યાગ, જુગારનો ત્યાગ. 
  • પણ મારે તો એટલું જ કહેવું છે બાપ, રોજ નવાં રહેવું હોય તો સામા માણસની સાથે કોઈ દિવસ રમત ન કરવી. કોઈ એવાં પત્તાં ન ફેંકવાં. સામો નંદવાય-ઘવાય એવા દ્યૂતથી મુક્ત રહેવું. પેલા દ્યૂતથી તો રહેવાનું જ, પણ આનાથી પણ મુક્ત રહેવું. 
  • ત્રીજું, શિકાર ન કરવો. 
  • પણ શિકાર ન કરવાે એટલે કોઈનું અપમાન ન કરવું. કોઈનો તેજો‌વધ થાય એવું કરવું નહીં. આપણે છેતરાઈ જવું. 
  • ચોથું, મારામારી ન કરવી, જે હાલતાં ને ચાલતાં આપણે કરતાં હોઈએ છીએ! ભગવાને કેવી ધરા ઉપરની વાત કરી! કોઈની સાથે મારામારી ન કરવી. અને ઘણાં માણસોને એવી ટેવ હોય, કાંઇ કામ ન હોય હવે પછી મારામારી કરવી! અને આવો કદાચ સંજોગ આવે બાપ, તો હસીને વાત કરવી. મુસ્કુરાઇને વાત કરવી.
  • વેદ ભગવાનની આ પાંચમી મર્યાદા છે, કોઈ દિવસ કોઈએ નારીનો અનાદર ન કરવો, એનું અપમાન ન કરવું. માતૃશરીરનું અપમાન ન કરવું. 
  • છઠ્ઠી મર્યાદા, કઠોરતાનો ત્યાગ કરવો. જીભથી, આંખથી, આપણા શરીરની કોઈ પણ ચેષ્ટાથી, એવી માનસિક રીતે પણ કઠોર ન રહેવું. તુલસીની એક ચોપાઈ છે- સરલ સુભાવ ન મન કટુલાઈ.જથા લાભ સંતોષ સદાઈ.
  • સાતમું સૂત્ર, કોઈ દિવસ કોઈની નિંદા ન કરવી, નિંદા સાંભળવી નહીં. બેસવું જ પડે એવી સભા હોય કે એમાં ઊઠીએ તોય અવિવેક જણાય, તો એમાં બહુ જ વિવેકપૂર્વક વિષયાંતર કરાવી નાખવું. કોઈની નિંદા થતી હોય ત્યાં આપણે ભાગ ન લેવો. મને એવું લાગ્યું છે કે, આ સાત મર્યાદાનું જતન જો આપણે કરીએ, તો આપણે રોજ નવાં, રોજ સ્ફૂર્ત, રોજ શ્રમમુક્ત રહી શકીએ.

(સંકલન : નીિતન વડગામા)


Read full article at Sunday Bhaskar.





No comments:

Post a Comment