Translate

Search This Blog

Monday, February 20, 2017

સ્વભાવ અને કોઈકનો પ્રભાવ આપણા ચિત્તમાં દુ:ખ જન્માવે છે

સ્વભાવ અને કોઈકનો પ્રભાવ આપણા ચિત્તમાં દુ:ખ જન્માવે છે



  • સ્વભાવ અને કોઈકનો પ્રભાવ આપણા ચિત્તમાં દુ:ખ જન્માવે છે
  • ભગવાન બુદ્ધે ચાર આર્યસત્યો કહ્યાં છે. દુ:ખ છે. દુ:ખનું કારણ છે. દુ:ખનો ઉપાય છે. દુ:ખથી મુક્તિ છે.
  • આપણાં શાસ્ત્રો એમ કહે છે કે ‘સુખસ્ય દુ:ખસ્ય ન કોડપિદાતા.’ સુખ-દુ:ખના કોઇ દાતા નથી. માણસનું કર્મ જ એને સુખ આપે છે. 
  • તુલસી કહે છે-


સો પરત્ર દુ:ખ પાવઇ સિર ધુનિ ધુનિ પછતાઇ,
કાલહિ કર્મહિ ઇસ્વરહિ મિથ્યા દોસ લગાઇ.


  • પહેલું કારણ દુ:ખનું છે સ્વભાવ. સ્વભાવ તો આપણો ધર્મ છે પરંતુ ઘણી વખત આપણને આપણો સ્વભાવ દુ:ખ આપતો હોય છે. 
  • પણ ઘણી વખત બીજાના સ્વભાવનું પણ દુ:ખ થતું હોય છે. 
  • આ અનુભવો પછી સમજાયું કે સ્વભાવ પોતાનો કે બીજાનો દુ:ખને જન્મ આપે છે.
  • બીજું, બીજાનો પ્રભાવ જે આપણાથી સહન નથી થતો, એમાંથી દુ:ખ જન્મે છે. 
  • ત્રીજું એક બહુ જ ધ્યાન પરનું કારણ દુ:ખનું છે અભાવ. 
  • બુદ્ધનું આર્યસત્ય સમજવા માટેનું કદાચ પહેલું પગથિયું છે, અભાવ દુ:ખ આપે. સમયનો અભાવ દુ:ખ આપે. પૈસાનો કે કોઇ પણ વસ્તુનો અભાવ દુ:ખ આપે. હા, સત્સંગમાંથી વિવેક જાગે તો પછી અભાવનું દુ:ખ નહીં થાય. અભાવને પણ હરિઇચ્છામાં ફેરવી શકાય. 
  • એ દુ:ખનું ચોથું અને છેલ્લું કારણ નિભાવ. 
  • તો આમ, આપણો કે અન્યનો સ્વભાવ, કોઇકનો પ્રભાવ, કશોક અભાવ અને ન થઇ શકતો નિભાવ આપણા ચિત્તમાં દુ:ખ જન્માવે છે. 

(સંકલન : નીતિન વડગામા)


Read full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment