સાધુ એ કોઈ વર્ણ નથી
(સંકલન : નીતિન વડગામા)
- સાધુ એ કોઈ વર્ણ નથી.
- એને અક્ષરમાં લાવી ન શકાય. એ કંઈક જુદું જ તત્ત્વ છે. સાધુ એ કોઈ વર્ણ નથી. સાધુ કોઈ વર્ણ, જાતિ કે જ્ઞાતિ નથી. ‘રામચરિત માનસ’ના આધારે સાધુ, સમાજ છે. ‘સાધુસમાજ પ્રયાગ’ એમ કહેવાયું છે. સાધુતાનું શરીર તો ગુરુના ગર્ભમાં જ પાકે.
- ‘ગુરુ! તારા ત્રણ ગર્ભ કે એટલે કે અમારા છોકરાને તારા નયનમાં, તારા મનમાં અને તારા તનની આજુબાજુ રાખજે.’ નેત્ર એ સદ્દગુરુનો ગર્ભ છે.
- ગુરુ બાળકને એની નજરમાં રાખે છે, એના નેત્રમાં રાખે છે. ગુરુ એ છે જે આશ્રિતને પોતાના મનમાં રાખે અને એ જ્યાં હોય એની આજુબાજુ રહીને કવચ બને છે.
- એટલે સાંસારિક ગર્ભમાંથી તો આપણું એક પાંચ ભૌતિક શરીર બંધાતું હોય છે, પણ ગુરુના ગર્ભમાંથી આપણે સાધુતાનું એક નવું રૂપ લઈએ છીએ. બધા જ મહાપુરુષો એના ગુરુના કોઠામાંથી નીકળ્યા છે. ગુરુનો ગર્ભ મૂળ સ્વભાવને જુદી રીતે દીક્ષિત કરી નાખે છે.
- તેઓ સમાજને સુધારવા નહોતા નીકળ્યા, સમાજને સ્વીકારવા નીકળ્યા હતા અને જેણે સમાજને સ્વીકાર્યો, એણે અડધો સુધારી નાખ્યો. સાધુઓની જગ્યાઓએ સ્વીકારવાની પહેલી પ્રવૃત્તિ કરી. અને સુધારવાનું તો એને પગલે-પગલે પછી થયું.
રજમાં મટાડ્યો એણે કજિયો,
કહો, મારા સદ્દગુરુએ કેવો હરિ ભજિયો...
- કોઈ ગુરુ પૂરી કૃપા કરે તો પચે જ નહીં. આપણા કોઠા એટલા મજબૂત નથી!
(સંકલન : નીતિન વડગામા)
No comments:
Post a Comment