Translate

Search This Blog

Sunday, May 28, 2017

અશ્રુ અને આશ્રય સાચાં હશે તો આ જન્મમાં જ હરિ મળશે

અશ્રુ અને આશ્રય સાચાં હશે તો આ જન્મમાં જ હરિ મળશે
  • તુલસીદાસજીએ સ્પષ્ટ કહ્યું છે કે હું કવિ નથી, હું તો બુદ્ધિ અનુરૂપ રામગુણનો ગાયક છું-

કબિ ન હોઉં નહીં ચતુર કહાવઉં.
મતિ અનુરૂપ રામગુન ગાવઉં.



  • પરંતુ ઇશ્વરની કૃપાથી જેના હૃદયમાં એક લહેર ઉત્પન્ન થાય એને શું ચિંતા? 
  • હું ને તમે જ્યારે કોઇ શાસ્ત્ર અને કોઇ સદ્‍ગુરુને આશ્રિત થઇ જઇએ પછી  આપણને કોઇ ચિંતા નહીં. 
  • મેં ઘણીવાર કહ્યું છે કે જેનાં અશ્રુ અને આશ્રય સાચાં હશે એને આ જન્મમાં જ હરિ મળશે. આ જન્મમાં જ. આંસું જેનાં ખોટા નહીં હોય અને આશ્રય જેનો પ્રપંચી નહીં હોય એને હરિ મળશે.
  • મને મારો ગુરુ મળ્યો છે, મને મારો સદ્‍ગુરુ પ્રાપ્ત થયો છે, મારે હરિ સાથે શું લેવા-દેવા
  • તો ઇશ્વરને શરણે કોઇ જાય તો એ સાધુ થઇ જાય. પણ પ્રભુએ ચાર શરત મૂકી છે. શરણાગતિમાં આ શરત ન ભૂલશો.

તજિ મદ મોહ કપટ છલ નાના.
કરઉં સદ્ય તેહિ સાધુ સમાના.


નથી મફતમાં મળતાં,
એનાં મૂલ ચૂકવવાં પડતાં.

સંતને સંતપણાં મનવા,
નથી મફતમાં મળતાં.
  • તજિ મદ મોહ.પહેલાં તો અહંકાર છોડવો પડે. તો સાધુ બનાય. 
  • મોહ પણ છોડવો પડે. 
  • મદ, મોહ અને પછી કપટ. કપટ પણ છોડવું પડે.
  • એનો મોહ ન છૂટ્યો! બુદ્ધિનો, બૌદ્ધિકતાનો મદ ન ગયો! અને કપટ કર્યું. સીતાનું રૂપ લઇને કપટ કર્યું. અને રામની પાસે નહીં, શિવની પાસે આવીને પાછું છલ કર્યું! કછુ ન પરીછા લીન્હિ ગોસાંઇ.અને ઇલાજ ન થયો. દર્દીનું મૃત્યુ થયું! સતીને બળી જવું પડ્યું! 
  • તો મદ, મોહ, કપટ અને છલ છૂટે તો પ્રભુ કહે કે એને સદ્ય સાધુ સમાન કરી દઉં. પરંતુ આ છૂટે અને એમ જ સાધુ થઇ જવાય એમાં અને છોડ્યા પછી કોઇના આશ્રયમાં જીવવું એ સાધુતામાં ફરક છે. કારણ કે એ છૂટ્યા પછી પાછો ક્યારે અહંકાર સતાવે એ કાંઇ કહેવાય નહીં! પ્રભુતા ભલભલાને મારે છે. એટલે પ્રભુના આશ્રય દ્વારા સાધુપણું પ્રાપ્ત થાય એ જ સાચું. તો પ્રભુપ્રેમનાં અશ્રુ હોય અને જેના આશ્રયમાં પ્રપંચ ન હોય એને આ જન્મમાં જ હરિ મળશે.



{(સંકલન : નીતિન વડગામા)


Sunday, May 21, 2017

ગુરુવચનનિષ્ઠા એ સૌથી મોટી સાધના છે

ગુરુવચનનિષ્ઠા એ સૌથી મોટી સાધના છે

  • ‘ગોદાવરી’ શબ્દના અનેક અર્થ થાય છે. વિવિધ ભાષાઓના શબ્દકોશમાં એના અનેક અર્થ મળે છે.
  • ‘ગો’નો મતલબ છે આપણી ઇન્દ્રિય. જે દસ ઇન્દ્રિયોનો આપણે શાસ્ત્રને આધારે સ્વીકાર કરીએ છીએ. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને અગિયારમું મન. તો ‘ગો’ એટલે ઇન્દ્રિય. ‘ગો’  અને ‘દાવરી’ને જુદા કરીને જો અર્થ કરવામાં આવે તો ઘણાં રહસ્યોનું ઉદ્‍ઘાટન થઇ જાય છે.
  • પરંતુ સર્વસંમત એવો દાવરીનો અર્થ છે પ્રકાશ-કિરણ, એક પ્રકારનું અજવાળું, એક પ્રકારનો આલોક.
  • પરંતુ કાનનો શ્રવણવિવેક, જેને મારી વ્યાસપીઠ શ્રવણવિજ્ઞાન કહે છે, એ ખોવાઇ ન જાય એનું ધ્યાન રાખવું. 
  • એક જ ઇન્દ્રિયને મહત્ત્વ આપવામાં આવ્યું. એક અર્થમાં કર્ણનું શ્રવણવિજ્ઞાન લઇ લેવામાં આવ્યું જેથી એ ‘ગીતા’ સાંભળી ન શકે. એ કૃષ્ણના અવાજમાં ‘ગીતા’ સાંભળી લે તો કદાચ યુદ્ધમાંથી વિરક્ત થઇ જાત. 
  • મુશ્કેલી એ છે કે આપણી ઇન્દ્રિયો તમસમાં ચારો ચરે છે, માયાના ખેતરમાં ચરે છે, બ્રહ્મના ખેતરમાં નથી ચરતી.

ગો ગોચર જહઁ લગિ મન જાઇ.
સો સબ માયા જાનેહુ ભાઇ.


જિન્હકે શ્રવણ સમુદ્ર સમાના.

કથા તુમ્હારિ સુભગ સરિ નાના. 

  • એક અર્થ છે નૂર, પ્રકાશ, કિરણ. બીજો અર્થ છે અનાહત નાદ. કશાં ઘર્ષણ કે કશી આહટ કર્યા વિના થયેલો અવાજ. બીજો અર્થ એ છે કે જે ઇન્દ્રિયોનું ઘર્ષણ ન કરે, ઇન્દ્રિયોનું શોષણ ન કરે અને ડૂબેલો કોઇ અનાહત નાદ પ્રગટ થઇ જાય. જો ગુરુકૃપા થઇ જાય તો આપણી પ્રત્યેક ઇન્દ્રિયોમાં અનાહત નાદ સાંભળી શકાય. અને ગુરુની તમે શું ઉપાસના કરશો?
  • ગુરુ માટે એક વાત છે કે ગુરુવચનમાં નિષ્ઠા એ જ એકમાત્ર ગુરુઉપાસના. નિષ્ઠા હોય તો સદ્દગુરુ જે બોલે એ મંત્ર થઇ જાય છે. એક વચન પર માણસ તરી જાય છે, પરંતુ આપણે વચન માનવું નથી! ગંગાસતી કહે છે-


સદ્દગુરુ વચનનાં થાવ અધિકારી પાનબાઇ. 



  • ગુરુની ગોદ નહીં મળે તો આપણે ભટકી જઇશું. ત્યાં એક ખુશ્બૂ હોય છે, જે આપણને તરબતર કરી દે છે.


(સંકલન : નીતિન વડગામા)

Continue reading at Sunday Bhaskar......


Saturday, May 20, 2017

માનસ શંકર

રામ કથા

માનસ શંકર

કેદારનાથ ધામ

ઉત્તરાખંડ

શનિવાર, તારીખ ૨૦/૦૫/૨૦૧૭ થી રવિવાર, તારીખ ૨૮/૦૫/૨૦૧૭

મુખ્ય પંક્તિઓ

संकरु जगतबंद्य जगदीसा। 

सुर नर मुनि सब नावत सीसा॥

सतीजी ने शंकरजी की वह दशा देखी तो उनके मन में बड़ा संदेह उत्पन्न हो गया। (वे मन ही मन कहने लगीं कि) शंकरजी की सारा जगत्‌ वंदना करता है, वे जगत्‌ के ईश्वर हैं, देवता, मनुष्य, मुनि सब उनके प्रति सिर नवाते हैं॥


संकर सहज सरूपु सम्हारा। 

लागि समाधि अखंड अपारा॥

शिवजी ने अपना स्वाभाविक रूप संभाला। उनकी अखण्ड और अपार समाधि लग गई॥





શનિવાર, તારીખ ૨૦/૦૫/૨૦૧૭


કેદારનાથ ધામમાં ભગવાન આદિ શંકર શિરોહીત થયા છે, નિર્વાણ પદ પામ્યા છે. તેવી આ ભૂમિ દેવ ભૂમિ છે, તપસ્થળી ભૂમિ છે. આ કથામાં કેદારનાથનું સ્મરણ અને આદિ શંકરાચાર્યનું તર્પણ કરવામાં આવશે.
શંકરમ્‌ શંકરાચાર્યમ્‌ કેશવમ્‌ બાદરાયણમ્‌


સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તૌ પુનઃ પુનઃ


તુલસીદાસજી ભગવાન શંકરના અનેક નામો પૈકી શંકર નામ વધારે પસંદ કરે છે.

 भवानीशंकरौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ।


याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तःस्थमीश्वरम्‌॥



श्रद्धा और विश्वास के स्वरूप श्री पार्वतीजी और श्री शंकरजी की मैं वंदना करता हूँजिनके बिना सिद्धजन अपने अन्तःकरण में स्थित ईश्वर को नहीं देख सकते


वन्दे बोधमयं नित्यं गुरुं शंकररूपिणम्‌।


यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते॥


ज्ञानमयनित्यशंकर रूपी गुरु की मैं वन्दना करता हूँजिनके आश्रित होने से ही टेढ़ा चन्द्रमा भी सर्वत्र वन्दित होता है॥3॥


શંકર નામનો ૧૦૦ વખત જાપ કરવાથી આપણે કરેલ ભૂલો - પાપ નષ્ટ પામે છે, તેમાંથી મુક્તિ મળે છે.
કેદારનો અર્થ જાતિ સ્વભાવ એવો થાય છે.

આપણો જાતિ સ્વભાવ બદલી શકાતો નથી, તેવી જ રીતે કેદારને પણ મટાડી ન શકાય. કેદાર અખંડ છે.

નાથ એટલ સ્વામી, પતિ, ધણી, બળદને પહેરાવવામાં આવતી નાથ.

નાગર નંદાજી ના લાલ નાગર નંદાજી ના લાલ
 રાસ રમંતા મારી નથણી ખોવાણી
કાના જડી હોય તો આપ કાના જડી હોય તો આપ         -રાસ

કેદારનો અરેબીયન ભાષામાં “બહું શક્તિશાળી” એવો અર્થ થાય છે.


કેદારનાથ જે ત્રિકોણાકાર છે તેમાંનો એક કોણ સત્ય છે જે રક્ષા કરે છે, બીજો કોણ પ્રેમ છે જે પોષણ કરે છે અને ત્રીજો કોણ કરૂણા છે જે આપણી કઠોરતાની માત્રાને ઓછી કરે છે.

કેદારનાથ ધામ એ એવું સ્થાન છે જ્યાં આપણને બુદ્ધ પુરૂષની ઓળખાણ થાય છે.


परम रम्य गिरिबरु कैलासू। 

सदा जहाँ सिव उमा निवासू॥

कैलास पर्वतों में श्रेष्ठ और बहुत ही रमणीय हैजहाँ शिव-पार्वतीजी सदा निवास करते हैं॥4॥



बड़े भाग मानुष तनु पावासुर दुर्लभ सब ग्रंथहि गावा।।
साधन धाम मोच्छ कर द्वारापाइ जेहिं परलोक सँवारा।।4।।
बड़े भाग्य से यह मनुष्य-शरीर मिला हैसब ग्रन्थों ने यही कहा है कि यह शरीर देवताओं को भी दुर्लभ है (कठिनतासे मिलता है)। यह साधन का धाम और मोक्ष का दरवाजा हैइसे पाकर भी जिसने परलोक बना लिया,।।4।।
संकर भजन बिना नर भगति पावइ मोरि।।
शंकरजी के भजन बिना मनुष्य मेरी भक्ति नहीं पाता।।
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને કહ્યું હતું કે આદિ શક્તિ સિવાય, આદિ શક્તિને છોડીને બીજા સાધનોથી મેળવેલ શક્તિ ક્યારેક અનીતિ કરાવે, અનીતિ પેદા કરે.
પરાઅંબા શક્તિનો આશ્રર્ય કરવાથી આપણી બુદ્ધિ નિર્મલ રહેશે, અનીતિ નહીં કારાવે.
તુલસીદાસજી તેથી જ બુદ્ધિ શુદ્ધિનો મંત્ર આપતાં કહે છે કે
जनकसुता जग जननि जानकीअतिसय प्रिय करुनानिधान की
ताके जुग पद कमल मनावउँजासु कृपाँ निरमल मति पावउँ॥4॥
राजा जनक की पुत्री, जगत की माता और करुणा निधान श्री रामचन्द्रजी की प्रियतमा श्री जानकीजी के दोनों चरण कमलों को मैं मनाता हूँ, जिनकी कृपा से निर्मल बुद्धि पाऊँ॥4॥

_________________________________________________________________________________


With Courtesy : जागरण


केदारनाथ में श्रीराम कथा, मुरारी बापू बोले, राम नाम लेने से दुख हो जाते समाप्त 


Read full story at its source link.

केदारनाथ में शनिवार से केदारनाथ रामकथा समिति द्वारा श्री राम कथा का आयोजन किया गया है। कथा सुनने के लिए चार हजार से अधिक भक्त धाम मे जुट गए हैं।
रुद्रप्रयाग, [जेएनएन]: केदारनाथ में शनिवार से केदारनाथ रामकथा समिति द्वारा श्री राम कथा का आयोजन किया गया है। कथा सुनने के लिए चार हजार से अधिक भक्त धाम मे जुट गए हैं।  मुरारी बापू ने कहा कि भगवान राम का नाम लेने से सभी दुख समाप्त हो जाते हैं। 
शाम लगभग साढे तीन बजे मुरारी बापू ने स्वयं श्री राम कथा का शुभारंभ किया। इस मौके पर विभिन्न राज्यों से बड़ी संख्या में भक्त पहुंचे हुए तथा पूरी केदारपुरी श्रीराम व शिव शंकर के जयकारे से गुंजयमान हो गई। इस मौके पर संत मुरारी बापू ने कहा कि श्री राम को पुरषोत्तम कहा गया है, वह विश्व के सभी पुरुषों में उत्तम थे। हमेशा सच्चाई का साथ दिया। 
कहा कि भगवान राम का नाम लेने से सभी दुख समाप्त हो जाते हैं। कहा कि शिव की नगरी में श्रीराम कथा सुनने के लिए आने वाले सभी भक्तों का आयोजक समिति की ओर से स्वागत है। वहीं, श्री राम कथा को लेकर पंडाल में भक्तों की भारी भीड़ जुटी हुई है। 
समिति की ओर से सभी भक्तों के लिए रहने, खाने आदि की व्यवस्थाएं की गई हैं। केदारनाथ में पंडाल का बनाया गया है। इसमें भक्तों के रहने के लिए भी व्यवस्था है। कथा सुनने के लिए मुरारी बापू के भक्त हवाई सेवा से लेकर पैदल मार्ग से बड़ी संख्या में पहुंच रहे हैं।
_________________________________________________________________________________


સૌજન્ય સહ : ભગવદગોમંડલમાં દર્શાવેલ કેદાર શબ્દના અર્થ પ્રમાણે

ગંગાદ્વારથી માંડીને તમસા નદી સુધીનું એ નામનું એક મોટું તીર્થક્ષેત્ર; કેદારેશ્વર મહાદેવનું જાત્રાનું એક ધામ; હિમાલય પર્વતનું એક શિખર. આ ધામ હિમાલયમાં આવેલું છે. પાંડવોએ કૌરવો સાથે યુદ્ધ કરી કૌરવોનો સંહાર કરી વિજય પ્રાપ્ત કર્યો, પણ તેમ કરતાં તેઓને બ્રહ્મ તથા ગૌહત્યાનું પાતક લાગ્યું. તે પાપમાંથી મુક્ત થવા માટે તેઓએ આ સ્થળ ભગવાન શિવજીની આરાધના કરી. મંદાકિની અને દૂધગંગા નદીઓના સંગમ ઉપર દક્ષિણ તટે તે આવેલ છે. એ મહાદેવનાં બાર જ્યોતિર્લિંગ માંહેનું એક છે. કેદારનાથનું દેવાલય રુદ્રહિમાલય પર્વતમાળામાંથી કાટખૂણે નીકળતા પર્વત ઉપર આવેલ છે. કેદારનાથથી બે દિવસની મુસાફરી જેટલે છેટે પવિત્ર મંદાકિની અથવા કાલી ગંગા નદી નીકળે છે. જે સરોવરમાંથી એ નીકળે છે તેમાં ભૂરાં કમળ થાય છે. એ સરોવર રુદ્રપ્રયાગ આગળ અલકનંદાને જોડાયેલું છે. જોકે સીધી લીટીમાં છેટું બહુ ઓછું છે, છતાં કેદારથી બદ્રિનાથ જતાં આઠ દિવસ લાગે છે. કેદારનાથથી હરિદ્વાર આશરે ૧૪૬ માઈલ જેટલે છેટે આવેલું છે. કેદારનાથની પૂજા પાંડવોએ ચલાવ્યાનું કહેવાય છે. દેવળની પાસે ભૈરવજપ નામની ટેકરી આવેલી છે. તેના શિખર ઉપરથી યાત્રાળુઓ પડતું મૂકીને આત્મહત્યા કરતા. દેવળની પાસે જ્યાં કાર્ત્તિકનો જન્મ થયો હતો તે રેતકુંડ આવેલો છે.



રવિવાર, ૨૧/૦૫/૨૦૧૭

શંકર એ છે જે ક્લ્યાણ કરે.

જે સમાજ કલ્યાણ, ધર્મ કલ્યાણ, આત્મ કલ્યાણ, રાષ્ટ્ર કલ્યાણ, પૃથ્વીનું કલ્યાણ, અસ્તિત્વનું કલ્યાણ કરે તે શંકર છે.

શિવ અષ્ટ મૂર્તિ છે.

વિશ્વાસ

વિશ્વાસ એ શિવની અષ્ટ મૂર્તિ પૈકીની પહેલી મૂર્તિ છે.

આપણા ગુરૂ અને વેદાંત દર્શનના વાક્યોમાં ભરોંસો કરવો એ જ વિશ્વાસ છે.

વિશ્વાસના ૪ પ્રકાર છે.

  • ધ્રુવ વિશ્વાસ - ધ્રુવતા એ અટલતાનું પ્રતીક છે.
  • વટ વિશ્વાસ
  • પાત્ર વિશ્વાસ

દોહાવલી રામાયણમાં અંગદ વિશ્વાસને પાંચમો વિશ્વાસ વર્ણવ્યો છે.

રમણ મહર્ષિની વિશ્વાસની પરિભાષા

રમણ મહર્ષિએ તેમના ફેંંચ સાધકને વિશ્વાસની પરિભાષા વિશેના જવાબમાં કહ્યું હતું કે તું (સાધક) ફાંસથી અરૂણાચલમ આવ્યો તેનું નામ જ વિશ્વાસ છે. જો આ વિશ્વાસ અરૂણાચલમ માફક અટલ થઈ જાય તો શંકર મળી જાય.

રામકૃષ્ણ પરમહંસની વિશ્વાસની પરિભાષા

પરમહંસ કહેતા કે અહીં આપણે મરવાનું જ છે, મૃત્યુ આવશે જ એ જ વિશ્વાસ છે.

વિશ્વાસ જીવન છે, સંશય મૃત્યુ છે -- સ્વામી વિવેકાનંદ

ભગવાન બુદ્ધ વિશ્વાસની પરિભાષા કરતાં કહે છે કે બધાં કર્મો છૂટી જાય અને પછી જે બચે તે વિશ્વાસ છે.

જૈન પરંપરા વિશ્વાસની પરિભાષા કરતાં કહે છે કે નવકાર મંત્ર વિશ્વાસનું પ્રતીક છે.

સુરદાસજી વિશ્વાસની પરિભાષા કરતાં કહે છે કે શ્રીનાથજીના ચરણોમાં દ્રઢ ભરોંસો વિશ્વાસ છે.

તુલસી રામ નામને વિશ્વાસ કહે છે.

રામ ચરિત માનસ અષ્ટમૂર્તિ શિવ છે.


ગુરૂ રુપ શંકર

ગુરૂ રૂપ શંકર એ બીજી મૂર્તિ છે.

જે બોધમય હોય અને નિત્ય હોય - અખંડ બોધમય હોય તે ગુરૂ છે, જે બીજી મુર્તિ છે.

શંકરનું બોધમય રૂપ અખંડ છે.

ગુરૂ મૂર્તિ જે બોધમય છે તેણે બોલવાની જરૂર જ નથી, તે સ્વયં બોધ છે.


બોધ એટલે આ વિશ્વમાં જેને કોઈનીય સાથે વિરોધ નથી તે.


દૂધગંગા અને મંદાકિની ગંગાના સંગમ તીર્થ ઉપર કેદારનાથ આવેલું છે.
संकर भजन बिना नर भगति न पावइ मोरि।।
દેવ સ્વાર્થી છે જ્યારે મહાદેવ પરમાર્થી છે.
ભગવાન શંકર પાસે ૬ શક્તિ છે.
બખાન ક્યા કરું મૈ રાખો કે ઢેર કા
ચપટી ભભૂતમેં હૈ ખજાના કુબેરકા
હૈ ગંગધાર મુક્તિદ્વાર ૐકાર તું
શંકર અષ્ટમૂર્તિ છે.
भवानीशंकरौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ
याभ्यां विना पश्यन्ति सिद्धाः स्वान्तःस्थमीश्वरम्‌॥2॥
श्रद्धा और विश्वास के स्वरूप श्री पार्वतीजी और श्री शंकरजी की मैं वंदना करता हूँ, जिनके बिना सिद्धजन अपने अन्तःकरण में स्थित ईश्वर को नहीं देख सकते2॥
સત્‌ હરિ ભજન જગત સ્વપ્ના
શંકર એ છે જે સમાજનું કલ્યાણ કરે, ધર્મનું કલ્યાણ કરે – જ્યારે જ્યારે ધર્મને ગ્લાની થાય ત્યારે ત્યારે ધર્મનું પુનઃસ્થાપન કરવું એ ધર્મનું કલ્યાણ છે. – જે આત્માનું કલ્યાણ કરે, જે રાષ્ટ્રનું કલ્યાણ કરે, જે આખી પૃથ્વીનું કલ્યાણ કરે, જે સમગ્ર અસ્તિત્વનું કલ્યાણ કરે.
૧ વિશ્વાસમૂર્તિ શિવ
વિશ્વાસ અને શ્રદ્ધા જે જાતિ સ્વભાવ છે તે બંને અલગ અલગ છે.
श्रद्धा कीदृशी? - શ્રદ્ધા કીદૃશી?
गुरूवेदान्त वाक्यादिषु विश्वासः श्रद्धा । - ગુરૂવેદાન્ત વાક્યાદિષુ વિશ્વાસઃ શ્રદ્ધા |
 શ્રદ્ધા કેવી હોય છે?
ગુરૂ અને વેદાન્તના વાક્યોમાં વિશ્વાસ રાખવો એ શ્રદ્ધા છે.
 ઉપનિષદ વેદાન્ત ગ્રંથ છે. એના વચન સ્વતઃ પ્રમાણ છે. તે નિર્ભ્રાંત સત્ય (ભ્રમિત ન કરે એવા સત્ય) નું નિરૂપણ કરે છે. ગુરૂએ સત્યતાનો અનુભવ એમના વ્યાવહારિક જીવનમાં કર્યો છે. તેથી ગુરૂ શીષ્યની સામે એજ સત્યનું પ્રતિપાદન કરે છે. આ બન્ને વચનોને સત્ય સ્વીકાર કરવું એજ શ્રદ્ધા છે. આજ આધારે સાધક સ્વયં પણ એજ સત્યનું સાક્ષાત્કાર કરવા માટે પોતાનું જીવન અર્પિત કરી દે છે.
વિશ્વાસ ગુણાતિત હોય, જે વિશ્વાસ ગુણાતિત હોય તે જ અટલ હોય.
વિશ્વાસના ૪ પ્રકાર છે.
૧ ધ્રુવ વિશ્વાસ
ध्रुव  बिस्वासु  अवधि  राका  सी।  स्वामि  सुरति  सुरबीथि  बिकासी
राम  पेम  बिधु  अचल  अदोषा।  सहित  समाज  सोह  नित  चोखा॥3॥
विश्वास  ही  (उस  आकाश  मेंध्रुव  तारा  हैचौदह  वर्ष  की  अवधि  (का  ध्यानपूर्णिमा  के  समान  है  और  स्वामी  श्री  रामजी  की  सुरति  (स्मृतिआकाशगंगा  सरीखी  प्रकाशित  है।  राम  प्रेम  ही  अचल  (सदा  रहने  वालाऔर  कलंकरहित  चन्द्रमा  है।  वह  अपने  समाज  (नक्षत्रोंसहित  नित्य  सुंदर  सुशोभित  है॥3॥
ધ્રુવતા એ અટલતાનો પર્યાય છે.
૨ વટ વિશ્વાસ
૩ પાત્ર વિસ્વાસ
૪ ગુણાતીત વિશ્વાસ
૫ દોહાવલી રામાયણમાં અંગદપદ વિશ્વાસનો ઉલ્લેખ છે જેને વિશ્વાસનો પાંચામો પ્રકાર ગણી શકાય.
શ્રદ્ધા એ નારી રૂપ છે અને શ્રદ્ધામાં તેના નારી સ્વભાવના ગુણ મુજબ ચાંચલ્યતા હોય છે. આ ચાંચલ્યતા સાહસ કરવા પ્રેરે છે.
વિશ્વાસને રીઝવવા માટે શ્રદ્ધાને સજાવવી જોઇએ, શણગારવી જોઇએ. પાર્વતી શિવેને રાજી કરવા ભીલડીનું રૂપ ધારણ કરે છે.
રમણ મહર્ષિએ કરેલ વિશ્વાસની વ્યાખ્યા – ફ્રાન્સથી અરૂણાચલમ આવવું એ જ વિશ્વાસ છે. એક ફેન્ચ જ્યારે રમણ મહર્ષિને મળવા ફ્રાન્સથી અરૂણાચલમ આવે છે અને વિશ્વાસ કોને કહેવાય તેના જવાબમાં રમણ આવું કહે છે.
જો આવો વિશ્વાસ અરૂણાચલમ માફક અટલ થઇ જાય તો શંકર મળી જાય.
રામ કૃષ્ણ પરમહંસ વિશ્વાસની પરિભાષા કરતાં કહે છે કે “અહીં મરવાનું જ છે” એ જ એક માત્ર વિશ્વાસ છે.
ગીતા કહે છે કે મૃત્યુ ધ્રુવ છે.
તેથી જ ઓશો પણ કહે છે કે મૃત્યુને મહોત્સવ બનાવો.
રામકૃષ્ણ પરમહંસ પૂર્ણ સંતુષ્ઠ મહાપુરૂષ છે.
હું તને કેમ કરીને તૃપ્ત કરું સ્મરીને કે મરીને?
શિવની ૬ શક્તિઓ પૈકીની શક્તિ – નિત્ય અતૃપ્ત શક્તિ, અનંત શક્તિ, પૂર્ણ સ્વતંત્ર્ય શક્તિ છે.
વિવેકાનંદ વિશ્વાસની વ્યાખ્યા કરતાં કહે છે કે વિશ્વાસ જ જીવન છે, સંશય મૃત્યુ છે.
ભગવાન બુદ્ધ વિશ્વાસની પરિભાષા કરતાં કહે છે કે બધામ કર્મ છૂટી જાય અને પછી જે બચે તે વિસ્વાસ છે.
આખો સંસાર નાશ પામે ત્યારે ફક્ત એક શિવ જ બચે છે જે વિશ્વાસ છે.
ભગવાન મહાવીર “નવકાર” ને વિશ્વાસ કહે છે. આ એક જ કેન્દ્ર છે જે નવકાર છે.
સુરદાસ વિશ્વાસની વ્યાખ્યા કરતાં કહે છે કે “શ્રી નાથજીનાં ચરણોમાં દ્રઢ ભરોંસો જ વિશ્વાસ છે.
બિસ્વાસ એક રામનામ કો
પ્રસાદનો કદી તિરસ્કાર ન કરો.
૨ ગુરૂ રૂપ શંકર
શંકરની અષ્ટમૂર્તિ પૈકીની બીજી મૂર્તિ ગુરૂ રૂપ શંકર છે.
वन्दे बोधमयं नित्यं गुरुं शंकररूपिणम्‌।
यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते॥3॥
ज्ञानमय, नित्य, शंकर रूपी गुरु की मैं वन्दना करता हूँ, जिनके आश्रित होने से ही टेढ़ा चन्द्रमा भी सर्वत्र वन्दित होता है॥3॥
માનસ સ્વયં અષ્ટમૂર્તિ શિવ છે.
ગુરૂ રૂપ શિવનાં બે રૂપ છે ૧ બોધમય ગુરૂ અને ૨ આશ્રિતને વિશ્વવંદ્ય બનાવનાર ગુરૂ
ગુરૂ એ છે જે બોધમય હોય, નિત્ય બોધમય હોય, અખંડ હોય બોધમય હોય.
ગુરૂની મૂર્તિ બોધમય હોય જે વગર બોલ્યે બોધ આપે. ગુરૂ પાસે જઈ આશ્રિતે કંઈ જ બોલવાની જરૂર જ નથી.
વિશ્વમાં કોઈની સાથે વિરોધ નહીં એ જ બોધ છે.
સંતરાજ એ છે જે સંતોમાં શ્રેષ્ઠ છે.
શંકર વક્ર ચંન્દ્રને મસ્તક ઉપર ધારણ કરી વિશ્વવંદ્ય બનાવી દે છે. શંકર જેને આશ્રય આપે તે વક્ર હોય તો પણ વિશ્વવંદ્ય બની જાય છે.


_________________________________________________________________________________

The article "मर्यादा पुरुषोत्तम श्रीराम माता-पिता व भ्रातृ प्रेम के हैं आदर्श: मोरारी बापू"  displayed below is with the courtesy of www.jagran.com


Read the article at its source link.



रुद्रप्रयाग, [जेएनएन]: राम कथा मर्मज्ञ संत मोरारी बापू ने कहा कि मर्यादा पुरुषोत्तम श्रीराम माता-पिता व भ्रातृ प्रेम के आदर्श हैं। जहां कलयुग में भाई-भाई की जान का दुश्मन बना हुआ है, वहां त्रेतायुग में श्रीराम ने भाई के लिए राजगद्दी का भी परित्याग कर चौदह बरस के लिए वनवास चले गए।
समुद्रतल से 11500 फीट की ऊंचाई पर केदारपुरी में श्रीराम कथा करते हुए संत मोरारी बापू ने कहा कि इस पावन भूमि में कथा वाचन करते हुए वह स्वयं को गौरवान्वित महसूस कर रहे हैं। आनंद की जैसी अनुभूति यहां हो रही है, वैसी अन्य किसी स्थान पर संभव नहीं। इसी तरह जो भक्त सच्ची श्रद्धा से यहां कथा का श्रवण करता है, उसका जीवन भी सफल हो जाता है। केदारनाथ शिव भूमि है और यहां पर स्वयं भगवान शिव विराजमान हैं।
उन्होंने सभी भक्तों के कल्याण की कामना की। श्रीराम कथा समिति की ओर से आयोजित राम कथा का श्रवण करने बुधवार को भी केदारपुरी में भक्तों का सैलाब उमड़ा। खास बात यह कि कड़ाके की ठंड की परवाह न कर भक्त केदारपुरी में डटे हुए हैं।

_________________________________________________________________________________

The article "प्रभु श्रीराम के हाथों मिला रावण को मोक्ष: मोरारी बापू " published in the Jagran is displayed below with their courtesy.

Read the article at its source link.



राम कथा मर्मज्ञ संत मोरारी बापू ने कहा कि रावण जानता था कि उसे श्रीराम के हाथों ही मरना है, इसलिए उसने माता जानकी का हरण किया और प्रभु श्रीराम के हाथों मरने की इच्छा पूरी की।
रुद्रप्रयाग, [जेएनएन]: राम कथा मर्मज्ञ संत मोरारी बापू ने कहा कि रावण विद्वान व महाज्ञानी था। वह जानता था कि उसे श्रीराम के हाथों ही मरना है, इसलिए उसने माता जानकी का हरण किया और प्रभु श्रीराम के हाथों मरने की इच्छा पूरी की।
केदारनाथ में मंदिर के सम्मुख चल रही श्रीराम कथा के छठवें दिन कथा प्रवचन करते हुए संत मोरारी बापू ने श्रीराम-रावण की लीलाओं का विस्तार से वर्णन किया। कहा कि कैकेयी ने राजा दशरथ से दो वर मांगे थे, जिसमें एक अपने पुत्र भरत को राजगद्दी और दूसरा श्रीराम को चौदह बरस का वनवास। राजा दशरथ क्रोधित उन पर क्रोधित भी हुए, मगर श्रीराम मर्यादा का पालन करते हुए हंसते-हंसते वन को गमन कर गए।
बापू ने कहा कि चौदह वर्ष के वनवास के दौरान श्रीराम ने काफी कष्ट सहे, लेकिन उन्होंने कभी हार नहीं मानी। श्रीराम कथा के बीच-बीच में बापू के साथ भजन गायक राम भजनों की भी मनोहारी प्रस्तुति दे रहे थे। इससे कथा स्थल का राम व शिवमय हो गया।
भक्तगण अपने-अपने स्थान पर खड़े होकर भावविभोर हो झूमने लगे। कथा श्रवण करने हजारों भक्त केदारपुरी में मौजूद थे। इससे पहले, सुबह ब्राह्मणों ने वैदिक मंत्रोच्चार के साथ गणेश पूजा, पंच पूजा, वेदी पूजा व व्यास पूजा समेत कई नित्य पूजा संपन्न कीं।
_________________________________________________________________________________


  • The article "सत्य से बड़ी दुनिया में कोई ताकत नहीं: मोरारी बापू" published in the JAGRAN is displayed below with their courtesy.





केदारनाथ में चल रही श्रीराम कथा में कथावाचक संत मोरारी बापू ने कहा कि पापी कितना ही बलशाली और प्रभावशाली क्यों न हो, जीत हमेशा सत्य की ही होती है।
रुद्रप्रयाग, [जेएनएन]: राम कथा मर्मज्ञ संत मोरारी बापू ने कहा कि पापी कितना ही बलशाली और प्रभावशाली क्यों न हो, जीत हमेशा सत्य की ही होती है। मर्यादा पुरुषोत्तम श्रीराम भी जीवनभर सत्य के मार्ग पर ही चलते रहे। यही वजह है कि हर मुसीबत उनके सामने बौनी पड़ गई।
केदारनाथ में चल रही श्रीराम कथा के सातवें दिन कथा प्रवचन करते हुए संत मोरारी बापू ने कहा कि श्रीराम सत्य के पुजारी थे। पूरा जीवन उन्होंने एक आदर्श के रूप में बिताया। हमेशा बड़ों की आज्ञा का पालन किया और कमजोर से कभी वैर-भाव नहीं रखा। कहा कि प्रभु राम के गुण पूरे विश्व में सभी पुरुषों में उत्तम थे। इसीलिए उन्हें मर्यादा पुरुषोत्तम कहा जाता है।
बापू ने कहा कि इस कलयुग में हम सभी को श्रीराम के आदर्शों पर चलने का प्रयास करना चाहिए। कहा कि राम राज्य में किसी को किसी से वैर नहीं था, चोरी और अकाल मृत्यु का भय नहीं था। प्रजा सुख-शांति से जीवन यापन करती थी, लेकिन कलयुग में ऐसा कोई घर नहीं, जहां अशांति का वास न हो।
इसे दूर करने के लिए एक बार फिर से राम राज्य लाने की आवश्यकता है। बापू ने कहा कि केदारनाथ जैसी पावन भूमि पर हजारों भक्तों ने श्रीराम कथा का हिस्सा बनकर इतिहास रचा है। इन सभी भक्तों के परिवारों पर प्रभु राम की कृपा जरूर बरसेगी।

_________________________________________________________________________________

સોમવાર, ૨૨/૦૫/૨૦૧૭


ભગવદ કથા પ્રત્યે જો આપણને પ્રેમ જાગે તો તેવો પ્રેમ  એ કોઈ નાની ઉપલબ્ધિ નથી.
પરમાત્માને પ્રેમ પ્રાપ્ત કરવો સહેલો છે પણ ભગવદ પ્રેમની પ્રાપ્તિ – ભગવદ કથા પ્રત્યે પ્રેમ કઠિન છે.
કૃષ્ણમૂર્તિ કહે છે કે ભગવદ યાત્રા જ્યાંથી શરૂ કરીએ ત્યાં ભગવદ પ્રાપ્તિ થઈ જ ગઈ હોય છે.
ભગવદ પ્રાપ્તિ જ ભગવદ યાત્રા શરૂ કરાવે છે.
તીર્થ સ્થાનમાં પ્રયત્ન કરો પણ એ યાદ રાખો કે પુરી શક્તિ પરમાત્મા પાસે છે. તેથી તેને પોકારીને પ્રયત્ન કરો.
સદ્‌ગુરૂને મેળવવો સહેલો છે પણ સદ્‌ગુરૂનો પ્રેમ પ્રાપ્ત કરવો અઘરો છે.
ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति
भ्रामयन्सर्वभूतानि यन्त्रारुढानि मायया
हे अर्जुन ! ईश्वर सब प्राणियों के ह्रदय में विराजमान हैशरीररुप यंत्र पर आरुढ हुए सब प्राणियों को, अपनी माया के ज़रीये (हरेक के कर्मों के मुताबिक) वह घूमाता रहता है
मूल श्लोकः
ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति

भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया।।18.61।।

Hindi Translation Of Sri Shankaracharya's Sanskrit Commentary By Sri Harikrishnadas Goenka
।।18.61।।क्योंकि --, हे अर्जुन ईश्वर अर्थात् सबका शासन करनेवाला नारायण समस्त प्राणियोंके हृदयदेशमें स्थित हैजो शुक्ल स्वच्छशुद्ध अन्तरात्मास्वभाववाला हो अर्थात् पवित्र अन्तःकरणयुक्त हो उसका नाम अर्जुन है क्योंकि,अहश्च कृष्णमहरर्जुनं इस कथनमें अर्जुनशब्द शुद्धताका वाचक देखा गया हैवह ( ईश्वर ) कैसे स्थित है सो कहते हैं -- समस्त प्राणियोंको? यन्त्रपर आरूढ़ हुईचढ़ी हुई कठपुतलियोंकी भाँति? भ्रमाता हुआ -- भ्रमण कराता हुआ स्थित हैयहाँ इव ( भाँति ) शब्द अधिक समझना चाहिये? अर्थात् जैसे यन्त्रपर आरूढ़ कठपुतली आदिको ( खिलाड़ी ) मायासे भ्रमाता हुआ स्थित रहता है? उसी तरह ईश्वर सबके हृदयमें स्थित है? इस प्रकार इसका सम्बन्ध है


Sanskrit Commentary By Sri Abhinavgupta
।।18.61 -- 18.62।।ईश्वर इतितमेवेतिएष ईश्वरः परमात्मा अवश्यं शरणत्वेन ग्राह्यःतत्र हि अधिष्ठातरि कर्तरि ( omits कर्तरि ) बोद्धरि स्वात्ममये विमृष्टे ( ?N विस्पष्टे ) ? कर्माणि स्थतिभाञ्जि भवन्ति हि निशिततरनखरकोटिविदारितसमदकरिकरटगलितमुक्ताफलनिकरपरिकरप्रकाशितप्रतापमहसि ( omits -- परिकर -- ) सिंहकिशोरके गुहामधितिष्ठति चपलमनसो विद्रवणमात्रबलशालिनो हरिणपोतकाः ( K हिरण -- ) स्वैरं स्वव्यापारपरिशीलनापटुभावमवलंबन्ते इतितमेव शरणं गच्च्छइत्युपक्रम्य मत्प्रसादात् इति निर्वाहवाक्यमभिदधत् भगवान् परमात्मानम् ईश्वरं वासुदेवं एकतया योजयति इति

Hindi Translation By Swami Ramsukhdas
।।18.61।।हे अर्जुन ईश्वर सम्पूर्ण प्राणियोंके हृदयमें रहता है और अपनी मायासे शरीररूपी यन्त्रपर आरूढ़ हुए सम्पूर्ण प्राणियोंको (उनके स्वभावके अनुसार) भ्रमण कराता रहता है


Hindi Translation By Swami Tejomayananda
।।18.61।। हे अर्जुन (मानों किसी) यन्त्र पर आरूढ़ समस्त भूतों को ईश्वर अपनी माया से घुमाता हुआ (भ्रामयन्) भूतमात्र के हृदय में स्थित रहता है।।

Sanskrit Commentary By Sri Shankaracharya
।।18.61।। -- ईश्वरः ईशनशीलः नारायणः सर्वभूतानां सर्वप्राणिनां हृद्देशे हृदयदेशे अर्जुन शुक्लान्तरात्मस्वभावः विशुद्धान्तःकरणः -- अहश्च कृष्णमहरर्जुनं (. सं. 6।9।1) इति दर्शनात् -- तिष्ठति स्थितिं लभतेतेषु सः कथं तिष्ठतीति? आह -- भ्रामयन् भ्रमणं कारयन् सर्वभूतानि यन्त्रारूढानि यन्त्राणि आरूढानि अधिष्ठितानि इव -- इति इवशब्दः अत्र द्रष्टव्यः -- यथा दारुकृतपुरुषादीनि यन्त्रारूढानिमायया च्छद्मना भ्रामयन् तिष्ठति इति संबन्धः।।



પરમાત્માના પ્રેમને પ્રાપ્ત કરવો અઘરો છે. અને પરામાત્માના પ્રેમને પ્રાપ્ત કર્યા પછી પચાવવો, સંભાળવો, બચાવવો તેનાથી પણ અઘરો છે.
ભગવદ પ્રેમ મળ્યા પછી જો ન પચે તો વિકૃતિ આવે અથવા અહંકાર આવે.
ભરતને પાદૂકાએ બચાવ્યો પણ ભરત પ્રેમની રક્ષા શત્રુઘ્નએ કરી. ભરતનો પ્રેમ એ તીવ્રતમ કક્ષાનો પ્રેમ છે. ભરતનો પ્રાણ પ્રભુ પ્રેમ છે. ભરત એ તો રામ ધન છે જેની રક્ષા શત્રુઘ્ન કરે છે.
राम  प्रेम  मूरति  तनु  आही
मातु  सचिव  गुर  पुर  नर  नारी। 
सकल  सनेहँ  बिकल  भए  भारी
भरतहि  कहहिं  सराहि  सराही। 
राम  प्रेम  मूरति  तनु  आही॥2॥
माता,  मंत्रीगुरुनगर  के  स्त्री-पुरुष  सभी  स्नेह  के  कारण  बहुत  ही  व्याकुल  हो  गए।  सब  भरतजी  को  सराह-सराहकर  कहते  हैं  कि  आपका  शरीर  श्री  रामप्रेम  की  साक्षात  मूर्ति  ही  है॥2॥
વૃંદાવનમાં કૃષ્ણપ્રેમની રક્ષા રાધિકા કરે છે.
भरत  सील  गुर  सचिव  समाजू। 
सकुच  सनेह  बिबस  रघुराजू
प्रभु  करि  कृपा  पाँवरीं  दीन्हीं। 
सादर  भरत  सीस  धरि  लीन्हीं॥2॥
इधर  तो  भरतजी  का  शील  (प्रेमऔर  उधर  गुरुजनोंमंत्रियों  तथा  समाज  की  उपस्थितियह  देखकर  श्री  रघुनाथजी  संकोच  तथा  स्नेह  के  विशेष  वशीभूत  हो  गए  (अर्थात  भरतजी  के  प्रेमवश  उन्हें  पाँवरी  देना  चाहते  हैंकिन्तु  साथ  ही  गुरु  आदि  का  संकोच  भी  होता  है।)  आखिर  (भरतजी  के  प्रेमवशप्रभु  श्री  रामचन्द्रजी  ने  कृपा  कर  खड़ाऊँ  दे  दीं  और  भरतजी  ने  उन्हें  आदरपूर्वक  सिर  पर  धारण  कर  लिया॥2॥
चरनपीठ  करुनानिधान  के। 
जनु  जुग  जामिक  प्रजा  प्रान  के
संपुट  भरत  सनेह  रतन  के। 
आखर  जुग  जनु  जीव  जतन  के॥3॥
करुणानिधान  श्री  रामचंद्रजी  के  दोनों  ख़ड़ाऊँ  प्रजा  के  प्राणों  की  रक्षा  के  लिए  मानो  दो  पहरेदार  हैं।  भरतजी  के  प्रेमरूपी  रत्न  के  लिए  मानो  डिब्बा  है  और  जीव  के  साधन  के  लिए  मानो  राम-नाम  के  दो  अक्षर  हैं॥3॥
વિશ્વાસમાં જીવાય, વિશ્વાસની વ્યાખ્યા ન કરાય. વિશ્વાસની વ્યાખ્યા શું કરાય? કેવી રીતે કરાય?
વિશ્વાસ એ એક વિશેષ પ્રકારના શ્વાસની પ્રક્રિયા છે જેની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. વિશ્વાસમાં નફો નુકશાનની વાત ન કરાય. એક બાજુ આખું વિશ્વ રાખીએ અને બીજી બાજું વિશ્વાસ રાખીએ તો વિશ્વાસનું પલ્લુ ભારે રહે. આખા વિશ્વથી વધારે કિંમતી વિશ્વાસ છે.
૩ શ્રીશંકરમ્‌
અષ્ટમુર્તિ શંકરની ત્રીજી મૂર્તિ શ્રીશંકર છે.
यस्यांके    विभाति  भूधरसुता  देवापगा  मस्तके
भाले  बालविधुर्गले    गरलं  यस्योरसि  व्यालराट्
सोऽयं  भूतिविभूषणः  सुरवरः  सर्वाधिपः  सर्वदा
शर्वः  सर्वगतः  शिवः  शशिनिभः  श्री  शंकरः  पातु  माम्‌॥1॥
जिनकी  गोद  में  हिमाचलसुता  पार्वतीजीमस्तक  पर  गंगाजीललाट  पर  द्वितीया  का  चन्द्रमाकंठ  में  हलाहल  विष  और  वक्षःस्थल  पर  सर्पराज  शेषजी  सुशोभित  हैंवे  भस्म  से  विभूषितदेवताओं  में  श्रेष्ठसर्वेश्वरसंहारकर्ता  (या  भक्तों  के  पापनाशक),  सर्वव्यापककल्याण  रूपचन्द्रमा  के  समान  शुभ्रवर्ण  श्री  शंकरजी  सदा  मेरी  रक्षा  करें॥1॥
શ્રી એટલે ઐશ્વર્ય.
આદિ શક્તિ માટે શ્રીસુક્તમ્‌ છે.
પ્રમાણના ૪ પ્રકાર છે, પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, શાસ્ત્ર – વેદ- મુનિ – નિગમ પ્રમાણ અને અંતઃકરણની પ્રવૃત્તિનું પ્રમાણ – પોતાના આત્માનું પ્રમાણ.
આ સિવાય એક ઉત્તમ પ્રમાણ ભજન પ્રમાણ છે.
OVERTHINKING IS A PROBLEM.
स्वाध्यायप्रवचनाभ्यां प्रमदितव्यम् ।।
 स्वाध्याय तथा प्रवचन कार्य की अवहेलना होवे । Do not neglect Study and Teaching .
बारि मथें घृत बरु सिकता ते बरु तेल
बिनु हरि भजन भव तरिअ यह सिद्धांत अपेल।।
जलको मथने से भले ही घी उत्पन्न हो जाय और बालू [को पेरने] से भले ही तेल निकल आवे; परंतु श्रीहरि के भजन बिना संसाररूपी समुद्र से नहीं तरा जा सकता यह सिद्धान्त अटल है।।
કદાચ જલને વલોવવાથી માખણ/ઘી બને, રેતીને પિસવાથી કદાચ તેલ નીકળે પણ હરિ ભજન વગર સંસાર સાગર – ભવ સાગર પાર ન થઈ શકે.
ગુરૂ કૃપા વિના, આદિ શંકરાચાર્યની કૃપા વિના શાસ્ત્ર ન સમજાય, શંકર દર્શન ન સમજાય.
*************************************************************************************************
अङ्गं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम्
वृद्धो याति गृहीत्वा दण्डं तदपि मुञ्चत्याशापिण्डम्
The limbs (अङ्गं angam) are weakened (गलितम् galitam); the head (मुण्डम् mundam) has turned grey (पलितम् palitam); the mouth (तुण्डम् tundam) has become (जातम् jātam) toothless (दशनविहीनम् dashanavihīnam). The old man (व्रूद्ध: vrddha:) walks (याति yāti) holding (गृहीत्वा gruhītvā) a stick (दण्डम् dandam). Even then (तदपि tadapi) [he] does not give up ( मुञ्चति na munchati) his bundle of hopes and desires (आशापिण्डम् āshāpindam).

The imagery presented of an old, decrypt man unable to carry his own weight but still carrying the burden of his desires and ambition is indeed graphic. If with age, the maturity to let go does not come, then old age becomes an even greater burden after all. Recall the line “वृद्धस्तावच्चिन्तासक्त: vrddhastāvat chintāsakta:” of Verse 7 in Part 2 whereby only worries and despair become the only capacity left to the old who fit the description of that verse “परमे ब्रह्मणि कोपि सक्त: paramē brahmani kōpi na sakta:” (incapable of setting one’s mind on Brahman).Age does not automatically engender maturity. Emotional and spiritual age should indeed accompany physical age, and that is the primary import of this verse.

In the following verse, the āchārya notes that the above plight does not befall just the wealthy, who are endowed with various means for pleasure, but can befall even the homeless destitute, or for that matter even an ascetic. The poverty of desire and inadequacy is the greatest equalizer on this earth sparing none in any segment of the social scale except those who have gained an inner sense of adequacy and dispassion.
****************************************************************************
કૂવામાં ઊતરવા માટે તેમજ કૂવામાં ઊતર્યા પછી બહાર નીકળવા માટે ગાંઠ વાળી રસ્સી જોઈએ.
માળા એ મણકાની ગાંઠો વાળી રસ્સી છે જે આપણને અનુભૂતિની ગહરાઈ સુધી અંદર જવા માટે તેમજ અનુભવનો પ્રસાદ મેળવી બહાર નીકળવા માટે મદદ રૂપ થાય છે.
સદ્‌ગુરૂના વચનો ઉપર વિશ્વાસ કરો, પ્રમાણ ન શોધો.
ગુરૂમાં કોઈ વિકલ્પ ન હોય.
કોઈ વ્યક્તિને જોવાથી, સાંભળવાથી જો આપણી આંખ અશ્રુ ભીની થાય તો તે વ્યક્તિ સાથે આપણો કોઈ જુનો સંબંધ છે. તે એવો સંકેત છે કે કોઈ બુદ્ધ પુરૂષ આપણી નજીક આવે છે.
જેની જોતા તા વાટ તે શેરીએ સામા મળ્યા.
मोक्षस्य आकांक्षा भव-विभव-वांछा अपि मे
विज्ञानापेक्षा शशिमुखि सुखेच्छा अपि पुनः
अत: त्वां  संयाचे जननि जननं यातु मम वै
मृडानी रुद्राणी शिव शिव भवानी इति जपतः।।
हे चन्द्रासमान सुन्दर वदन असणाऱ्या माते! ना मला मोक्षाची इच्छा आहे, ना मला जगातील वैभवाची लालसा आहे. ना मला विज्ञानाची अपेक्षा आहे, ना मला सुखाची आकांक्षा आहे. आई! मी तुझ्याकडे एवढेच मागणे मागतो की मी भक्तिभावाने, प्रेमाने "मृडानी' "रुद्राणी' "शिव शिव भवानी' असा नामजप करतच जीवनकाल सार्थकी लावावा.
नारि  सनेह  बिकल  बस  होहीं। 
चकईं  साँझ  समय  जनु  सोहीं
मृदु  पद  कमल  कठिन  मगु  जानी। 
गहबरि  हृदयँ  कहहिं  बर  बानी॥1॥
स्त्रियाँ  स्नेहवश  विकल  हो  जाती  हैं।  मानो  संध्या  के  समय  चकवी  (भावी  वियोग  की  पीड़ा  सेसोह  रही  हो।  (दुःखी  हो  रही  हो)।  इनके  चरणकमलों  को  कोमल  तथा  मार्ग  को  कठोर  जानकर  वे  व्यथित  हृदय  से  उत्तम  वाणी  कहती  हैं-॥1॥
જો આદિ શંકર ન અવતર્યા હોત તો સનાતન ધર્મ છિન્ન ભિન્ન થઈ ગયો હોત અને આજે આપણે બધા વર્ણશંકર હોત.
મનુ વનમાં ગયા તો પછીના જન્મે દશરથ બન્યા અને પ્રતાપભાનુ વનમાં ગયો તો પછીના જન્મે દશાનન બન્યો.
વનમાં જવાથી બધું પરિણામ સારૂ ન પણ આવે.
શ્રી નો સંકેત માતૃ વૈભવ, વાત્સલ્ય વૈભવ તરફ છે.
ભગવાન શિવની શ્રી – ઐશ્વર્ય નીચે પ્રમાણે છે.
જે શોભા આપે તેને શ્રી કહેવાય.
૧ પાર્વતી – શ્રદ્ધા જે ભગવાનની ગોદમાં શોભાયમાન છે.
૨ મસ્તક ઉપર ગંગા શોભાયમાન છે. ગંગા તો પૃથ્વીનો વૈભવ છે.
૩ ભાલમાં વક્ર ચંદ્ર
૪ ગળામાં સર્પ, વિષમ પરિસ્થિતિ પણ વૈભવ બની શકે.
૫ ભષ્મ
ભષ્મ ત્રણ સ્થાનેથી પ્રાપ્ત થાય છે, ૧ ચૂલામાંથી ભષ્મ મળે. ૨ યજ્ઞ કૂંડમાંથી ભષ્મ મળે અને ૩ ચિતા ભષ્મ સ્મશાનમાંથી મળે.
શરીર સ્વયં એક આભૂષણ છે જે આત્માની શોભા છે. આત્મા જ્યાં નિવાસ કરે છે તે શરીર એક આભૂષણ છે, આત્માનો શણગાર છે.
૬ સુરવર – શંકર દેવોમાં શ્રેષ્ઠ છે, મહાદેવ છે. તેમની પાસે જ્ઞાન અને વૈરાગ્યનો વૈભવ છે.
૭ સર્વ – શંકર સર્વના અધિપતિ છે.
૮ શર્વ – શંકર બધામાં છે.
૯ સર્વગત
તલગાજરડાના મતે શંકર પાસે ૧૧ શ્રી છે, જે નીચે પ્રમાણે છે.
૧ કલાશ્રી – શંકર સકલ કલા ગુણ નિધાન છે, મહાદેવ સકલ કલા ગુણ નિધાન છે અને છતાં કલાતીતપણ છે. શંકર પાસે બધી જ કલા હોવા છતાં કોઈ પણ કલાનો રાજ માત્ર પણ અહંકાર ન હોય તે કલાતીત છે, કલામય હોવા છતાં કલાતીત કહેવાય.
કલાતીત કલ્યાણ કલ્પાન્તકારી | સદા સજ્જનાનન્દદાતા પુરારી ||
૨ વનશ્રી – શિવ પુર, વન અને પર્વત ઉપર નિવાસ કરે છે. વનશ્રી એટલે વનમાં થતો વિહાર, વનમાં થતી સાધના.
૩ તનુશ્રી – શરીરનું સૌદર્ય,
ભગવાનનું શરીર કપુર સમાન છે.  જેમ કપુરને સહેજ સ્પર્શ કરતાં પ્રજ્વલિત થઈ જાય છે તેમ થોડા ભક્તિ ભાવથી શિવને સ્મરો – સ્પર્શ કરો તો તે આપણને ઉજાગર કરી દે તેવું તેમનું શરીર છે.
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्
सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्
सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि
उन परमेश्वर स्वरूपी शिव संग भवानीको मेरा नमन है जिनका वर्ण कर्पूर समान गौर है, जो करुणाके प्रतिमूर्ति हैं, जो सारे जगतके सार हैं, जिन्होने गलेमें सर्पके हार धारण कर रखे हैं और जो हमारे हृदय रूपी कमलमें सदैव विद्यमान रहते हैं |
I salute to that Ishwar along with Bhavani (Shiva and Parvati), who is as white as camphor, an incarnation of compassion, the essence of this world, who wears a serpant around his neck and is ever present in the lotus abode of our hearts.
कर्पूरगौरं = White like Kapoor; करुणावतारं = embodiment of mercy; संसारसारं = the essence of worldly or familly-life; भुजगेन्द्रहारं = one who is having the king of snake as the garland or necklace, Shiva; सदा = always; ever; वसन्तं = the one who is living or dwelling or the spring season; हृदयारविन्दे = in the lotus like heart; भवं = the chain or ocean of births and deaths or the one God who causes it;; भवानीसहितं = one who has BhavAnI alongside; नमामि = I bow; salute; pay my respects.
૪ તેજશ્રી – જેમનાં નેત્ર સૂર્ય, ચંદ્ર અને અગ્નિ હોય ત્યાં તેજની શું ખોટ હોય?
वन्दे देव उमापतिं सुरगुरुं, वन्दे जगत्कारणम् l
वन्दे पन्नगभूषणं मृगधरं, वन्दे पशूनां पतिम् ll
वन्दे सूर्य शशांक वह्नि नयनं, वन्दे मुकुन्दप्रियम् l
वन्दे भक्त जनाश्रयं वरदं, वन्दे शिवंशंकरम् ll
૫ પ્રભાશ્રી – આભા, રૂપ હોય અને તેજ પણ હોય ત્યાં આભા આવે. તપ વિના તેજ ન આવે. ઘણામાં રૂપ હોય પણ તેજ ન હોય.
કથા ૪ પ્રકારે કહેવાય અને ૫ પ્રકારે સંભળાય.
૧ મનના સ્તરેથી કહેવાતી કથા – આવા પ્રકારની કથાના વક્તા વારંવાર શ્રોતાઓના મન પ્રમાણે કથા ગાન કરે, શ્રોતાઓને વારંવાર મનોરંજન કરાવે.
૨ બુદ્ધિના સ્તરની કથા – બુદ્ધિના સ્તરની કથાના વક્તા બૌધિક સ્તર પ્રમાને તર્ક કરે.
૩ અહંકારની ભૂમિકા – અહંકારની ભૂમિકાના સ્તરેથી થતી કથાના વક્તા કાયમ શ્રોતાઓને ડરાવતા રહે, વક્તા શ્રોતાઓને ઠપકો આપ્યા કરે કે તમે નર્કમાં જશો, આવી આપત્તિઓમાંથી પસાર થવું પડશે વગેર.
૪ પ્રેમ પીઠ – પરમ પ્રેમની પીઠ ઉપરથી કહેવાતી કથા.
હરિનામ વિના બધી જ વિદ્યા વિધવા છે, ….. પ્રેમાવતાર ચૈતન્ય મહાપ્રભુજી
કથા શ્રવણ કરનાર શ્રોતાઓ પણ મન, બુદ્ધિ, ચિત અને અહંકારની ભૂમિમાં બેસી શ્રવણ કરે.

પાંચમા પ્રકારના શ્રોતાઓ પ્રેમ પીઠની ભૂમિમાં બેસી શ્રવણ કરે.
મંગળવાર, ૨૩/૦૫/૨૦૧૭
गाईये गणपति जग वंदन , शंकर सुवन भवानी के नंदन
પ્રભાશ્રી – શોભાશ્રી
મહાદેવ ગૌર છે અને ગંભીર પણ છે.
એકલું ગોરાપણું ચંચળતા તરફ ધકેલી દે.
મનોભૂત એટલે કામદેવ
શંકર ભગવાનની પ્રભા આગળ કોટી કામદેવની પ્રભા પણ છાંખી પડે છે.
મહાદેવને લોકાભિરામમ્‌ પણ કહેવાય છે. કારણ કે હરિ અને હર એક જ છે.
શંકર લાવણ્ય રૂપ છે.
રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે ત્રણની સાધના – સત્યમ્‌, શિવમ્‌ અને સુંદરમ્‌ ની સાધના આત્મ સૌંદર્ય સુધી લઈ જાય. જે સત્યમ્‌ ની સાધના કરે તે જ શિવમ્‌ સાધનાને આત્મસાત કરી શકે અને જે સત્યમ્‌ અને શિવમ્‌ ને આત્મસાત કરે તે જ સુંદરમ્‌ ના મહિમાને ઓળખી શકે.
મહાવીર સ્વામી કહે છે કે આત્માને આત્મા માટે આત્મામાં લીન કરી દેવું એનું નામ સુંદરતા છે, સૌંદર્ય છે.
સૌંદર્ય અને ચરિત્ર એક બીજાના પર્યાય છે એવું મહાવીર સ્વામી કહે છે.
આપણે ભારતમાં રહીએ છીએ પણ આપણા વિચારો ભારતીયના નથી, આપણે બહારનું વિચારીએ છીએ, વિચારોની દ્રષ્ટીમાં આપણે  NRI છીએ.
સાહેબ જગને લીધે જાગે.
પહોંચેલો બુદ્ધ પુરૂષ જગદીશ માટે નથી જાગતો પણ જગદીશ તે બુદ્ધ પુરૂષ માટે જાગે છે. જેવી રીતે મા બાળક માટે જાગે છે તેમ જગદીશ બુદ્ધ પુરૂષ માટે જાગે છે.
ધ્યાન કરવું યોગ્ય નથી, ધ્યાન છોડી દો એવું કૃષ્ણમૂર્તિ કહે છે.
ઓશો આના ઉપર ટિપણી કરતાં કહે છે કે કૃષ્ણમૂર્તિનું આવું કહેવું ઠીક છે પણ તે અઠીક લોકો સામે કહ્યું છે. અઠીક એટલે ના સમજ
ઠીક બન્યા પછી – સમજ આવ્યા પછી ધ્યાન છોડી દેવું જોઈએ.
રામ નામ છોડી દો જો છોડી શકો તો. જો તમે રામ નામ છોડી દેશો તો રામ પોતે રામ નામ જપશે. ત્યારે તેનું શું કરશો?
શિવે બધી વસ્તુઓ ત્યાગી પણ રામ નામ ન ત્યાગી શક્યા. શિવ માટે રામ નામ છોડવું શક્ય નથી.
ગંગા માટે કહેવાય છે કે, “અંગમાં મદ ને આભેથી ઊતરી”.
૬ યોગશ્રી
શિવ યોગેશ્વર છે, યોગનું ઉદ્‌ગમ સ્થાન શિવ છે.
શિવ પુરા ભોગી છે અને પુરા યોગી પણ છે. તેથી જ તે પૂર્ણ યોગી છે.
જે લોભી હોય અને ક્ષોભી હોય તે યોગી છે.
संकर उर अति छोभु सती जानहिं मरमु सोइ
तुलसी दरसन लोभु मन डरु लोचन लालची॥48
श्री शंकरजी के हृदय में इस बात को लेकर बड़ी खलबली उत्पन्न हो गई, परन्तु सतीजी इस भेद को नहीं जानती थींतुलसीदासजी कहते हैं कि शिवजी के मन में (भेद खुलने का) डर था, परन्तु दर्शन के लोभ से उनके नेत्र ललचा रहे थे॥48 ()॥
करहिं बिबिध बिधि भोग बिलासागनन्ह समेत बसहिं कैलासा
हर गिरिजा बिहार नित नयऊएहि बिधि बिपुल काल चलि गयऊ॥3॥
शिव-पार्वती विविध प्रकार के भोग-विलास करते हुए अपने गणों सहित कैलास पर रहने लगेवे नित्य नए विहार करते थेइस प्रकार बहुत समय बीत गया॥3॥
જે યોગી હોય તેમજ ભોગી હોય તેને જાણવો અઘરો છે. સતી પણ શિવને જાણી નથી શકી.
રામને આંબો પ્રિય છે તેમજ કામદેવને પણ આંબો પ્રિય છે.
ચિત્રકૂટમાં આમ વૃક્ષ છે. ચિત્રકૂટમાં રામ છે અને કામ પણ છે. તેથી ચિત્રકૂટ પૂર્ણ છે.
રામમાં કામ છે તેથી રામ પૂર્ણ છે.
કૈલાશમાં વટ વૃક્ષ છે અને આમ વૃક્ષ પણ છે.
૭ વૈરાગ્યશ્રી
૮ નામશ્રી
૯ ધ્યાનશ્રી
૧૦ કૃપાશ્રી
जरत सकल सुर बृंद बिषम गरल जेहिं पान किय
तेहि भजसि मन मंद को कृपाल संकर सरिस
जिस भीषण हलाहल विष से सब देवतागण जल रहे थे उसको जिन्होंने स्वयं पान कर लिया, रे मन्द मन! तू उन शंकरजी को क्यों नहीं भजता? उनके समान कृपालु (और) कौन है?
૧૧ કથાશ્રી
૪ સ્વયંભૂ શંકર
અષ્ટમૂર્તિ શંકરની ચોથી મૂર્તિ સ્વસંભવ – સ્વયંભૂ શંકર છે.
मूलं धर्मतरोर्विवेकजलधेः पूर्णेन्दुमानन्ददं
वैराग्याम्बुजभास्करं ह्यघघनध्वान्तापहं तापहम्‌।
मोहाम्भोधरपूगपाटनविधौ स्वःसम्भवं शंकरं
वंदे ब्रह्मकुलं कलंकशमनं श्री रामभूपप्रियम्‌॥1॥
धर्म रूपी वृक्ष के मूल, विवेक रूपी समुद्र को आनंद देने वाले पूर्णचन्द्र, वैराग्य रूपी कमल के (विकसित करने वाले) सूर्य, पाप रूपी घोर अंधकार को निश्चय ही मिटाने वाले, तीनों तापों को हरने वाले, मोह रूपी बादलों के समूह को छिन्न-भिन्न करने की विधि (क्रिया) में आकाश से उत्पन्न पवन स्वरूप, ब्रह्माजी के वंशज (आत्मज) तथा कलंकनाशक, महाराज श्री रामचन्द्रजी के प्रिय श्री शंकरजी की मैं वंदना करता हूँ॥1॥
સ્વયંભૂ શંકર એ છે જે પૂર્ણ સ્વાધીન છે, પૂર્ણ સ્વતંત્ર છે, પૂર્ણ સર્વજ્ઞ છે, બધી શક્તિ ધરાવે.
સ્વયંભૂ શિવ આત્માત્વં બની માણસના પીંડમાં પ્રગટ થાય.
પૂર્ણ સત્યનો ફેલાવો બહું થાય.
सुख संपति सुत सेन सहाईजय प्रताप बल बुद्धि बड़ाई
नित नूतन सब बाढ़त जाईजिमि प्रतिलाभ लोभ अधिकाई॥1॥
सुख, सम्पत्ति, पुत्र, सेना, सहायक, जय, प्रताप, बल, बुद्धि और बड़ाई- ये सब उसके नित्य नए (वैसे ही) बढ़ते जाते थे, जैसे प्रत्येक लाभ पर लोभ बढ़ता है॥1॥
દેવ બડો દાતા બડો …
કઠીનતાથી સરલ વસ્તુ ન સમજાય, સાધ્ય ન થાય પણ સરલતાથી – સહજતાથી કઠીનમાં કથીન વસ્તુ સાધ્ય થાય, હસ્તામલક થાય.
સરલમાં સરલ હરિનામ છે.
વિશ્વાસ ગુરૂ વચન ઉપર કરો, શ્રદ્ધા દેવ ઉપર કરો અને ભરોંસો માનવ ઉપર કરો.


બુધવાર, ૨૪/૦૫/૨૦૧૭
સરિતા અને કવિતા એ બે આભૂષણ છે. ધરતી રૂપી સ્ત્રીનાં આભૂષણ સરિતા અને કવિતા છે. કવિતા કંઠમાં હોય. સરિતા એ નૂપુર છે જેને મહિલાઓ પગમાં પહેરે છે. સરિતા નર્તન કરે છે, સરિતાનો ખળખળ અવાજ એ નૂપુરનો ઝણકાર છે.
સારું શ્રવણ થાય, સારું શ્રવણ કરવાનો મોકો મળે એ બહું સુક્રિત ફળનું ભાગ્ય છે.
અલંકાર ધારણ કરવાથી ચિત શુદ્ધિ થાય, આરોગ્ય સારું રહે અને પ્રજ્ઞા ઉદય થાય. આમ અલંકાર ચિત શુદ્ધિ, આરોગ્ય અને પ્રજ્ઞા ઉદયનાં સાધન છે.
શાસ્ત્રોમાં આભૂષણોનો ફલાદેશ વર્ણવ્યો છે.
ગોરખનાથ પરંપરામાં કાન ફાડવામાં આવે છે.
કર્ણવેધ શ્વાસના રીધમને નિયંત્રિત કરે છે.
ષષ્ટમ પીઠાધીશ્વર વિષ્ણુદેવાનંદગિરિએ સ્વયંભૂ મહાદેવની પૂજા/અભિષેક કરવાની ૫ વિધિ/સૂત્ર આપ્યાં છે.
૧       સ્વયંભૂ મહાદેવનો પૂજા કાળ મધ્યરાત્રી છે. સાધના સંબંધી સમય મધ્યરાત્રી છે. એક વિષેશ જાગૃતિ માટેનો આ સમય છે. જો કે બીજા સમયે પૂજા/અભિષેક કરી શકાય. મધ્ય રાત્રી નો સમય રાતના ૧૨ વાગ્યાથી વહેલી સવારના ૩ વાગ્યા સુધિનો છે. આ સમય શિવ ભજન માટે, શિવ સાધના માટે ઘણો યોગ્ય સમય છે.
શંભુ શરણે પડી   માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. 
તમે ભક્તો ના ભય હરનારા, શુભ સહુના સદા કરનારા,
હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. 
અંગે ભસ્મ સ્મશાન ની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી,
ભાલે તિલક કર્યું, કંઠે વિષ ભર્યું. અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો. 
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે,
સારા જગમાં છે તુ, વસુ પ્રભુ તારા માં હું, એવી શક્તિ આપો. દયા કરી દર્શન શિવ આપો. 
હું તો એકલ પંથ પ્રવાસી, છતાં મારા આતમ કેમ ઉદાસી 
થાક્યો મથી રે મથી, એનું કારણ મળતું નથી, સમઝણ આપો. દયા કરી દર્શન શિવ આપો.  
આપો દૃષ્ટિ માં તેજ અનોખું, સારી સૃષ્ટિ માં શિવરૂપ દેખું,
મારા મન માં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો.. દયા કરી દર્શન શિવ આપો.  
ભોળા શંકર ભવ-દુઃખ કાપો, નિત્ય સેવા નું શુભ ફળ આપો,
ટાળો માન-મદ (મદા) , ગાળો ગર્વ સદા, થોડી ભક્તિ આપો.. દયા કરી દર્શન શિવ આપો.
૨       શિવની સાધના/પૂજા કરતી વખતે પોતાના દોષોનું વર્ણન કરવાની મનાઈ છે.
આત્મ લીંગ સમક્ષ પોતાના દોષોનું કથન કરો. … વિનોબાજી
૩       શિવ સાધનામાં કોઈ પણ પૂજાની સામગ્રીની જરૂર નથી. અભિષેક માટે જલ કે પોતાના અશ્રુ પર્યાપ્ત છે.
૪       શિવની પૂજા કર્યા પછી શિવ સમક્ષ કોઈ પણ માગણી ન કરો.
૫       આપણે શિવ સમક્ષ કોઈ માગણી નહીં કરીએ તો પણ શિવ જે અવધણ દાની છે તે આપ્યા વિના નહીં રહે. તેથી શિવે આપેલી વસ્તુ પોતે એકલા ન વાપરતાં બધા વચ્ચે વહેંચી દો. મળેલું વરદાન બધા વચ્ચે વહેંચી દો.
મોક્ષ સંન્યાસ એટલે મોક્ષનો પણ ત્યાગ કરવો.


ગુરૂવાર, ૨૫/૦૫/૨૦૧૭

શંકર નામનો એક રાગ છે.

ભગવાન શંકરે નારદને ૬ રાગ આપ્યા છે.

૧ ભૈરવ રાગ

૨ માલકૌશિક રાગ



૪ દીપક રાગ

૫ શ્રીરાગ

૬ મેઘમલ્હાર રાગ


જાંબુ એ ગણેશનું ફળ છે.

વિશ્વાસ અને પ્રેમ એ એક બીજાના પર્યાય છે.

કંદર્પ શંકર

કામહંતા શંકર

શંકર કામ દંતા છે તેમજ કામ હંતા પણ છે.

શંકરનો એક અર્થ યજ્ઞ થાય છે.
શિવ પરબ્રહ્ન છે.
કલા અને વિદ્યામાં ફરક છે, કલા પરવશ કરે જ્યારે વિદ્યા મુક્ત કરે. તેથી જ “सा विद्या या विमुक्तये ।“ કહેવાયું છે.
પ્રેમ ઊંચાઈએ પહોંચે તો પણ વિવેક ન ચૂકે.
વિશ્વાસ અને પ્રેમ પર્યાય છે, સગોત્રી છે.
જ્યાં વિશ્વાસ હોય ત્યામ પ્રેમ હોય અને જ્યાં પ્રેમ હોય ત્યાં વિશ્વાસ હોય.
૧૬ શણગાર
૧       સ્નાન
૨       સ્વચ્છ અને પવિત્ર વસ્ત્ર ધારણ કરવું
૩       ભાલમાં ચાંલ્લો/તિલક કરવું
૪       આખમાં કાજલ લગાવવું, નેત્ર રંજન
૫       માથાના વાળમાં ગજરો નાખવો
૬       કાનમાં કુંડલ
૭       નથણી
૮       કેશ મર્દન/કેશ કલાપ
૯       કંગન
૧૦     શરીર ઉપર ચંદન લેપ
૧૧     કટિભાગે કરધની
૧૨     નૂપુર
૧૩     પાન ખાવું
૧૪     ચાતુર્ય
૧૫
૧૬
સ્ત્રીઓના ૧૬ શણગાર :
સ્ત્રીઓના શણગારમાં અદભુત આરોગ્ય વિષયક ફાયદા સમાયા હોવાનું મનાય છે નારીઓમાં સૌંદર્ય શ્રુંગારનુ આગવું મહત્વ છે આદિઅનાદિ કાળથી થતા ભારતીય નારીઓના શણગારનું માહાત્મય હજુ પણ અકબંધ રહ્યું છે ભારતીય પરંપરા મુજબ મહિલાઓએ ૧૬ શૃંગાળ કરવા જરૂરી મનાય છે આ ૧૬ શણગાર મહિલાઓની ખુબસુરતીમાં વધારો કરવા ઉપરાંત તેમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલા રહસ્ય પણ છુપાયા છે વાસ્તવમાં શણગાર મારફત શરીરના એવા ભાગોમાં દબાવ પડે છે જે એકયુપ્રેશરનું કામ કરે છે અને સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થઇ શકે છે.
૧       ચાંદલો : લગ્નસંબંધે જોડાયેલ  મહિલાઓને ચાંદલો લગાડવો જરૂરી મનાય છે ચાંદલો લગાડવાથી એકાગ્રતા શકિત પ્રાપ્ત થઇ શકે છે અને દિમાગ શાંત રહેતું હોવાનું મનાય છે
૨       સિંદૂર : મહિલાઓ જે ભાગમાં સિંદૂર લગાવે છે તેમાં મસ્તિષ્કની મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ગ્રથી હોય છે તે જગ્યાએ સિંદૂર લગાડવાથી માનસિક શકિત મળતી હોવાનું મનાય છે
૩       મંગળસૂત્ર : મંગળસૂત્રના કાળા મોતી મહિલાઓને ખરાબ નજરથી બચાવતું હોવાની વાત સાથે જોડાયેલ હોવાનું મનાય છે
૪       બાજુબંધ : બાજુબંધને હાથના બાવડામાં પહેરવાથી સ્થિત કેન્દ્ર પર દબાણ પડે છે જે મહિલાઓને લાંબા સમય સુધી સુંદર રાખવામાં મદદરૂપ થઇ શકે છે તેવી એક માન્યતા છે
૫       લટકણ -બુટી : કાનના બહારના ભાગમાં એકયુપ્રેશર પોઇન્ટ હોય છે જે લટકણ -બુટી પહેરવાથી તે પોઇન્ટ ઉપર દબાણ સર્જાતા જેનાથી કિડની સ્વસ્થ રહી શકે છે તેમ પણ મનાય છે
૬       પાયલ : પાયલ હંમેશા પગ સાથે રગડાઈ છે જેના કારણે પાયલની ધાતુ તત્વ ચામડી સાથે અથડાઈને શરીરની અંદર પ્રવેશ કરે છે અને હાડકાને મજબૂત બનાવવામાં ઉપયોગી નીવડતું હોવાનું મનાય છે
૭      નથણી : જે જગ્યાએ નથણી પહેરાય છે તે જગ્યાએ એક તરફ એકયુપ્રેશર પોઇન્ટ હોય છે જે બાળકોની ડિલિવરી સમયના દર્દને ઘટાડવામાં સહાયક બનતું હોવાનું મનાય છે
૮      મહેંદી : મહેંદી હાથને સુંદર બનાવવાની સાથે શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે ઉપરાંત ચામડીના રોગને પણ ભગાડવામાં મદદરૂપ બનતું હોવાનું મનાય છે
૯      બંગડી : સોના-ચાંદીની બંગડી પહેરવાથી તે ધાતુઓની શારીરિક તત્વ પ્રાપ્ત થાય છે જેનાથી શકિત મળતી હોવાનું મનાય છે
 ૧૦    વેણી : ગજરો-વેણી વાળને તંદુરસ્ત અને ખુશ્બુદાર બનાવે છે
 ૧૧    કંદોરો : કંદોરો પહેરવાથી મહિલાઓને હર્નિયાની સમસ્યા નહિ થતી હોવાનું કહેવાય છે
  ૧૨   આંજણ : આંજણ લગાડવાથી આંખોમાં ઠંડક મળવા ઉપરાન્ત આંખની સાથે સંકળાયેલ સમસ્યા દૂર કરવામાં મદદરૂપ બની શકે છે તેમ મનાય છે
૧૩   વિછિયા : પગની આંગળીમાં વિછિયા પહેરવાથી નસોમાં લોહીનો પ્રવાહ વધારવામાં મદદરૂપ બને છે અને ગર્ભાશય સુધી યોગ્ય માત્રામાં લોહી પહોંચી શકે છે તેમ પણ મનાય છે
૧૫    દામડી : માથામાં દામડી પહેરવાથી કોઈ પ્રકારની બેચેની દૂર ભાગે છે અને મનને શાંતિ મળતી હોવાનું કથન છે
૧૬     વીંટી : આંગળીમાં વીંટી પહેરવાથી આળસ હટે છે અને સ્ફૂર્તિ આવતી હોવાનું મનાય છે
લાલ કપડાં : સુતરાવ અને રેશમના બનેલા હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં ઉપયોગી બનતા હોવાનું કહેવાય છે.
શંકરને સુર જે સ્વાર્થી છે, મુનિ જે પરમાર્થી છે અને મનુષ્ય જે સ્વાર્થી છે તેમજ પરમાર્થી છે તે બધા શિર નમાવે છે.
તુલસીદાસજી શિર માટે સીસા શબ્દ વાપરે છે. સીસાનો એક અર્થ દર્પણ, કાચ પણ થાય છે. એટલે શિવ સમક્ષ આરપારતા સહિત શિર નમાવવું. પ્રદ્યુમ્ન, પુષ્પદંત અને ભવાની આરપારતા સહિત, વિક્ષેપ મુક્ત ચિત સાથે શંકરને મસ્તક નમાવે છે.
૬       કન્દર્પહં
શિવની અષ્ટમૂર્તિની છઠ્ઠી મૂર્તિ કંદર્પહં છે.
शंखेन्द्वाभमतीवसुन्दरतनुं शार्दूलचर्माम्बरं
कालव्यालकरालभूषणधरं गंगाशशांकप्रियम्‌।
काशीशं कलिकल्मषौघशमनं कल्याणकल्पद्रुमं
नौमीड्यं गिरिजापतिं गुणनिधिं कन्दर्पहं शंकरम्‌॥2॥
शंख और चंद्रमा की सी कांति के अत्यंत सुंदर शरीर वाले, व्याघ्रचर्म के वस्त्र वाले, काल के समान (अथवा काले रंग के) भयानक सर्पों का भूषण धारण करने वाले, गंगा और चंद्रमा के प्रेमी, काशीपति, कलियुग के पाप समूह का नाश करने वाले, कल्याण के कल्पवृक्ष, गुणों के निधान और कामदेव को भस्म करने वाले, पार्वती पति वन्दनीय श्री शंकरजी को मैं नमस्कार करता हूँ॥2॥
કંદર્પ એટલે કામદેવ
કંદર્પહં એટલે કામદેવ હંતા – કામને નાશ કરનાર.
શંકર રામદંતા – રામને રામના ભજનને આપનાર તેમજ કામહંતા છે.
હનુમાન ચાલીસા પ્રમાણે “તુમ્હરે ભજન રામકો પાવે” ગવાયું છે અને હનુમાનજી શંકરાવતાર છે.
શંકર રામમય બનાવે છે અને તેથી રામ ભજનમાં વિઘ્ન બનનાર કામને – કામનાઓને નષ્ટ કરે છે. સંપૂર્ણ કામને નષ્ટ નથી કરતા.
અમર્યાદિત કામને શંકર રોકે છે.
વાત, પિત અને કફ સમ્યક માત્રામાં જરૂરી છે તેમ સમ્યક કામ પણ જરૂરી છે.
जब जदुबंस कृष्न अवताराहोइहि हरन महा महिभारा
कृष्न तनय होइहि पति तोराबचनु अन्यथा होइ मोरा॥1॥
जब पृथ्वी के बड़े भारी भार को उतारने के लिए यदुवंश में श्री कृष्ण का अवतार होगा, तब तेरा पति उनके पुत्र (प्रद्युम्न) के रूप में उत्पन्न होगामेरा यह वचन अन्यथा नहीं होगा॥1॥
પાંચ વસ્તુ સમજાઈ જાય તો શિવ સૂત્ર જીવ સૂત્રમાં પરિવર્તિત થઇ જાય, શંકરને ઓળખી શકાય, કંદર્મહં સાધનાને ઓળખી શકે.
શિવ સ્વયં પવિત્ર છે.
૧       શેર સમાન ગૈરવ - સિંહ – સિંહ એકલો જ રહે, સિંહનાં ટોળાં ન હોય. શેરનું ગૌરવ હોય છે. શેરનો વિહાર સાર્વજનિક નથી.
૨       હાથી સમાન સ્વાભિમાન
૩       સર્પ સમાન અનિશ્ચિત આશ્રય સ્થાન – સાપનું નિવાસ સ્થાન નક્કી નથી હોતું.
૪       વાયુ જેવી અસંગતી
૫       મૃગ નયન જેવી નિર્દોષતા




શુક્રવાર, ૨૬/૦૫/૨૦૧૭

શંકર ભગવાન પાસે રામ મહા મત્રનો જાપ કરીએ તો તે રુદ્રાષ્ટકમ્ ના ગાન કરતાં વધારે સારું છે. રામ મહા મંત્ર ના બદલે ૐ અથવા મા મંત્રનો જાપ પણ કરી શકાય.

રામ એ પ્રણવ જ છે, નાદ છે BIG-BANG છે.

પૂર્ણિમાના દિવસ ઉત્સવ મનાવો અને અમાસના દિવસે સાધના કરો.

પ્રકાશ સાધનામાં ખલેલ પહોંચાડે છે તેથી અંધકારમાં સાધના કરવી જોઈએ.

સાધના એ શૂન્ય તરફ જવાની, શૂન્ય બનવાની, સંકોચાવાની યાત્રા છે, વિસ્તરવાની યાત્રા નથી.

અજવાળામાં થયેલ ભૂલ દંડનીય છે, અંધકારમાં થયેલ ભૂલ ક્ષમ્ય છે.

તીર્થ એ કંઇ માગવાનું સ્થાન નથી પણ આપણે કરેલ પૂણ્યને અર્પણ કરવાનું સ્થાન છે. આપને તીર્થ સ્થાનમાં આપણાં પૂણ્ય આપી દેવાનાં હોય છે. અને જેવા આપણે આપણામ પૂણ્ય આપી દઈએ તેની સાથે જ આપણાં પાપ પણ નષ્ટ થઈ જાય છે. કારણ કે પૂણ્ય અને પાપ એક સિક્કાની બે બાજુ જેવાં છે. પૂણ્ય આપીએ તેની સાથે જ પાપ પણ નષ્ટ થઈ જાય, પાપ એ પૂણ્યની બીજી બાજુ છે.

પ્રેમ કરનાર કશું જ ન માગે અને માગે તો પ્રેમ સિવાય કંઈજ ન માગે....ખલિલ જિબ્રાન

સત્યની સાથે ચાલો, પ્રેમની પાછળ ચાલો અને કરૂણાની આગળ ચાલો.

જો હિંમત હોય તો જ સત્યની સાથે ચાલો.

જો સમર્પણ હોય તો જ પ્રેમની પાછળ ચાલો.

અને કરૂણાની આગળ ચાલો જો સમજો કે મારી પાછળ કોઇની કરૂણાનો હાથ છે.

દંડ આપનાર શંકર એ ૬ થી મૂર્તિ છે.

શંકર ખલને દંડ આપે છે અને તે પણ કરૂણાવશ, કરુણા કરીને દંડ આપે છે.

જે ઈર્ષા, દ્વૈષ વૃત્તિના કારણે બીજાની મજાક કરે છે તે ખલ છે.

*****
સ્વયંભૂ શંકરની સાધના રાત્રીના ૧૨ વાગ્યાથી વહેલી સવારના ૩ વાગ્યા દરમ્યાન કરવી જોઈએ અને આ સાધના દરમ્યાન રુદ્રાષ્ટકનો પાઠ એકદમ ધીમા સ્વરે – ફક્ત સાધક જ સાંભળી શકે એટલા અવાજે કરવો જોઈએ. આનાથી વધારે સારૂ તો એ છે કે આ દરમ્યાન રામ મહામંત્રનો જપ કરવામાં આવે. રામ મહામંત્ર શિવજી ઉચ્ચારે છે અને તેમને રામ મહામંત્ર અત્યંત પ્રિય છે. આમ શિવજીને પ્રિય રામ મહામંત્રનો જપ આપણે આ સાધના દરમ્યાન કરીએ તો તે ભગવાન શિવજીને ગમે. ફક્ત રામ નો જ જાપ કરવો, શ્રી રામ નો જાપ નહીં. (શ્રી ઉચ્ચાર્યા સિવાય). ૐ નમઃ શિવાયનો જાપ પણ કરી શકાય. આમ તો રામ એ પણ ૐ જ છે, પ્રણવ જ છે.
તુલસીદાસજી પણ કહે છે કે, …
बिधि हरि हरमय बेद प्रान सो। अगुन अनूपम गुन निधान सो॥1॥
वह 'राम' नाम ब्रह्मा, विष्णु और शिवरूप है। वह वेदों का प्राण है, निर्गुण, उपमारहित और गुणों का भंडार है॥1॥
રામ મંત્ર એ નાદ છે, BIGBAND છે.
સાધનામાં સંકોચાવાની જે રીવર્સ પદ્ધતિ છે તેમાં જવાનું છે.
માતાના ગર્ભમાં જે સ્થિતિ હતી તેવી સ્થિતિએ સાધના દ્વારા પહોંચીએ તો ગત જન્મનું જ્ઞાન થાય.
અજવાળામાં થયેલ ભૂલ અક્ષમ્ય છે પણ અંધકારમાં થયેલ ભૂલ ક્ષમ્ય છે. પણ એનો અર્થ એવો નથી થતો કે અંધકારમાં ભૂલો કરવી.
અજવાળામાં ઓવરટેક કરવાની આપણને ટેવ પડી ગઈ છે.
અંધકારમાં તો કેડી કેડીએ ચાલતાં લક્ષ્ય સુધી પહોંચી જવાય.
મંથનની ગોળીના તળિયે ઝેર હશે કે અમૃત….
રાફડામાંથી કાંતો મણિધર નીકળે કે વાલ્મીકિ નીકળે. મણિધર એ ઝેર છે અને વાલ્મીકિ એ અમૃત છે. એટલે કે રાફડામાંથી તો ઝેર નીકળે કે અમૃત નીકળે.
સાધનાનો આરંભ વિષ હોય છે જ્યારે અંત કે પરિણામ અમૃત હોય છે.
સંસારનો પ્રારંભ અમૃત છે જ્યારે પરિણામ – અંત વિષ છે.
ભરત તીર્થરાજ પ્રયાગ પાસે પોતાનો ધર્મ છોડી ભીખ માગે છે.
मागउँ  भीख  त्यागि  निज  धरमू।  आरत  काह  न  करइ  कुकरमू॥
अस  जियँ  जानि  सुजान  सुदानी।  सफल  करहिं  जग  जाचक  बानी॥4॥
मैं  अपना  धर्म  (न  माँगने  का  क्षत्रिय  धर्म)  त्यागकर  आप  से  भीख  माँगता  हूँ।  आर्त्त  मनुष्य  कौन  सा  कुकर्म  नहीं  करता?  ऐसा  हृदय  में  जानकर  सुजान  उत्तम  दानी  जगत्‌  में  माँगने  वाले  की  वाणी  को  सफल  किया  करते  हैं  (अर्थात्‌  वह  जो  माँगता  है,  सो  दे  देते  हैं)॥4॥
****
अरथ  न  धरम  न  काम  रुचि  गति  न  चहउँ  निरबान।
जनम-जनम  रति  राम  पद  यह  बरदानु  न  आन॥204॥
मुझे  न  अर्थ  की  रुचि  (इच्छा)  है,  न  धर्म  की,  न  काम  की  और  न  मैं  मोक्ष  ही  चाहता  हूँ।  जन्म-जन्म  में  मेरा  श्री  रामजी  के  चरणों  में  प्रेम  हो,  बस,  यही  वरदान  माँगता  हूँ,  दूसरा  कुछ  नहीं॥204॥
*****
કોઈ પણ સાધુની – ભગવા વસ્ત્રધારીની ક્યારેય નીંદા ન કરવી.
બધા સાધુ બધાને ન પણ ગમે. એક ધર્મના સાધુ બીજા ધર્મના લોકોને ન પણ ગમે.
ત્રણ પ્રસંગોએ સાધુ થઈ જવાય, લાતથી, બાતથી અને આઘાતથી સાધુ બનવાનો યોગ આવે.
સાધુના ત્રણ પ્રકાર છે, સામાન્ય સાધુમ સુઠિ સાધુ – ગમતા સાધુ અને સબ બિધિ સાધુ, વિભિષણ એ સામાન્ય સાધુ છે, રામ સુઠિ સાધુ છે અને ભરત સબ બિધિ સાધુ છે.
રાવણ વિભિષણને લાત મારે છે અને તે ઘરબાર છોડી રામના શરણે આવે છે, સાધુ બની જાય છે. આમ વિભિષણ લાતથી સાધુ બને છે.
રામ માતા કૈકેયીના વચનનું પાલન કરવા લક્ષ્મણ અને જાનકી સાથે ઘર છોડે છે. આમ રામ બાત દ્વારા – વાત દ્વારા સાધુ બને છે. રામ સુઠિ સાધુ છે, ગમે તેવા સાધુ છે.
ભરતને જે કંઈ બન્યું તેનો બહું જ આધાત લાગે છે અને તે આધાત દ્વારા સાધુ બને છે.
तात  भरत  तुम्ह  सब  बिधि  साधू।  राम  चरन  अनुराग  अगाधू॥
बादि  गलानि  करहु  मन  माहीं।  तुम्ह  सम  रामहि  कोउ  प्रिय  नाहीं॥4॥
हे  तात  भरत!  तुम  सब  प्रकार  से  साधु  हो।  श्री  रामचंद्रजी  के  चरणों  में  तुम्हारा  अथाह  प्रेम  है।  तुम  व्यर्थ  ही  मन  में  ग्लानि  कर  रहे  हो।  श्री  रामचंद्रजी  को  तुम्हारे  समान  प्रिय  कोई  नहीं  है॥4॥
है नीको मेरो देवता कोसलपति राम।
सुभग सरोरुह लोचन, सुठि सुंदर स्याम।।
સુઠિ એટલે ગમે તેવી સુંદરતા.
ફળી ગઈ આજ મારી મોંઘી આરાધના …
તીર્થ ક્ષેત્રમાં જઈ પોતાના પૂણ્ય અર્પણ કરી દો. સામાન્ય રીતે આપણે તીર્થ ક્ષેત્રમાં જઈ આપણાં પાપ અર્પણ કરીએ છીએ જે ખોટી પ્રથા છે. આપણે આપણાં પૂણ્ય અર્પણ કરવાં જોઈએ અને પૂણ્ય અને પાપ સાપેક્ષ હોવાના કારણે પૂણ્ય સાથે પાપ પણ જતાં રહે. તીર્થમાં અર્જીત પૂણ્ય પણ અર્પણ કરી દો.
તીર્થમાં જઈ કંઈ પણ માગણી ન કરવી.
જે પ્રેમ કરે તે કંઈ જ ન માગે, ફક્ત પ્રેમ જ માગે. ભરત પ્રેમી છે જે ફક્ત પ્રેમ જ માગે છે.
अरथ  न  धरम  न  काम  रुचि  गति  न  चहउँ  निरबान।
जनम-जनम  रति  राम  पद  यह  बरदानु  न  आन॥204॥
मुझे  न  अर्थ  की  रुचि  (इच्छा)  है,  न  धर्म  की,  न  काम  की  और  न  मैं  मोक्ष  ही  चाहता  हूँ।  जन्म-जन्म  में  मेरा  श्री  रामजी  के  चरणों  में  प्रेम  हो,  बस,  यही  वरदान  माँगता  हूँ,  दूसरा  कुछ  नहीं॥204॥
ગુરૂજીના નામની માળા છે ડોકમાં ….
સત્યની સાથે અાલો, પ્રેમની પાછળ ચાલો અને કરૂણાની આગળ ચાલો.
જો હિંમત હોય તો સત્યની સાથે સાથે ચાલો.
જો સમર્પણ હોય તો જ પ્રેમની પાછળ ચાલો.
વિશ્વાસ અને પ્રેમ પર્યાય છે.
ગુરૂ જે કરૂણામૂર્તિ છે તેને પાછળ રાખો જેથી તેનો ટેકો કાયમ મળી રહે.
પૂજ્ય મોરારી બાપુ નો અર્થ કરતાં કહે છે કે, ઓશો એટલે પોતાની મૌલિક શાંતિ અને પોતાનું સુખ, જેનામાં ઉધાર શાંતિ ન હોય અને ઉધાર પ્રસન્નતા ન હોય તે ઓશો છે.
OSHO represents four letters, O S H and O wherein O represents ORIGINAL, S represents SILENECE, H represents HAPPYNESS – HOLYNESS and O represents ORIGINAL.
O – ORIGINAL - મૌલિક
S – SILENCE - શાંતિ
H – HAPPYNESS – HOLYNESS - પ્રસન્નતા
O – ORIGINAL
અષ્ટમુર્તિ શંકરની છઠ્ઠી મૂર્તિ દંડક મૂર્તિ શિવ છે. મહાદેવ દંડદાતા છે.
यो ददाति सतां शम्भुः कैवल्यमपि दुर्लभम्‌।
खलानां दण्डकृद्योऽसौ शंकरः शं तनोतु मे॥3॥
जो सत्‌ पुरुषों को अत्यंत दुर्लभ कैवल्यमुक्ति तक दे डालते हैं और जो दुष्टों को दण्ड देने वाले हैं, वे कल्याणकारी श्री शम्भु मेरे कल्याण का विस्तार करें॥3॥
કરૂણાવાન શંકર થોડા કઠોર પણ છે જે ખલ હોય તેને દંડ આપી શંકર ભગવાન તેના ઉપર કરૂણા કરે છે.
ઈર્ષા તેમજ દ્વેષના કારણે જે બીજાની મજાક ઉડાવે છે તે ખલ છે. આવા ખલ ઉપર ભગવાન શંકર કરૂણા કરી દંડ આપે છે જેથી તેની ઈર્ષા અને દ્વેષ નાશ પામી ખલતા મટે.
ખલ કોને કહેવાય?
તુલસીદાસજી ખલ કોને કહેવાય તેનું વર્ણન કરે છે.
खल परिहास होइ हित मोरा। काक कहहिं कलकंठ कठोरा॥
हंसहि बक दादुर चातकही। हँसहिं मलिन खल बिमल बतकही॥1॥
किन्तु दुष्टों के हँसने से मेरा हित ही होगा। मधुर कण्ठ वाली कोयल को कौए तो कठोर ही कहा करते हैं। जैसे बगुले हंस को और मेंढक पपीहे को हँसते हैं, वैसे ही मलिन मन वाले दुष्ट निर्मल वाणी को हँसते हैं॥1॥
કાગડો તેની દુષ્ટતાના કારણે કહે છે કે કોકિલ કંઠી કોયલનો કંઠ કઠોર છે. હકિકતમાં તો કોયલનો કંઠ મધુર જ છે.
જે ખલ હોય તે ભલાની નીંદા જ કરે.
જે પોતાના પ્રારબ્ધમાં હશે તે મળશે જ અને તેને કોઈ છિનવી નહીં શકે તેમજ પ્રારબ્ધમાં નહીં હોય તો કોઈ પણ આપી નહીં શકે.
मैं क्षिप्रा सा सरल तरल बहता हूं, मैं कालिदास की शेष कथा कहता हूं, मुझे मौत भी न भय दिखला सकती है, मैं महाकाल की नगरी में रहता हूं। ….. डॉ. शिवमंगल सिंह सुमन
कदा कान्तागारे परिमलमिलत्पुष्पशयने
शयानः श्यामायाः कुचयुगमहं वक्षसि वहन ।
अये स्त्रिग्धे मुग्धे चपलनयने चन्द्रवदने
प्रसीदेत्याक्रोशन्निमिषमिव नेष्यामि दिवसान ।।
‘ક્યારે મારી પ્રિયાના નિવાસસ્થાનમાં અત્તરથી યુક્ત ફૂલની પથારીમાં સૂતેલો, શ્યામા-યુવાન સુંદરીના વક્ષઃસ્થળને મારી છાતી પર ધારણ કરતો ‘હે પ્રિયે ! હે મુગ્ધા ! હે ચંચળ નેત્રોવાળી ! હે ચંદ્રમુખી ! તું મારી પર પ્રસન્ન થા એમ મોટેથી બોલતો હું (મારા જીવનના બાકીના) દિવસો એક ક્ષણની માફક પસાર કરી શકીશ ?’ આ શ્લોકની ભાવના સાંભળતા જ આશ્રમના અધિપતિના મનમાં ક્રોધનો અગ્નિ ભભૂકી ઊઠ્યો. તેણે તો ડંડો ઉપાડ્યો, બે-ચાર ચોપડાવી દીધી અને કાલિદાસને આશ્રમમાંથી બહાર ધકેલી દીધો. કાલિદાસને તો જોઈતું હતું તે વૈદ્યે કર્યું જેવી દશા થઈ. એ તો હસતા હસતા રાજાના દરબારમાં પાછા પહોંચ્યા. પેલા વૃદ્ધ દરબારીઓના પુત્રોને પોતાના વડીલોની યુક્તિ નિષ્ફળ ગયાનો વસવસો રહી ગયો.

Read More at મહાકવિ કાલિદાસનું જીવન – ગૌતમ પટેલ

તુલસીદાસજી ખલની બીજી પરિભાષા કરતાં કહે છે કે,
मैं खल मल संकुल मति नीच जाति बस मोह।
हरि जन द्विज देखें जरउँ करउँ बिष्नु कर द्रोह।।105क।।
मैं दुष्ट, नीच जाति और पापमयी मलिन बुद्धिवाला मोहवश श्रीहरिके भक्तों और द्विजों को देखते ही जल उठता और विष्णुभगवान् से द्रोह करता था।।105(क)।।
કેટલાક એવા માણસો હોય છે જેને સતસંગ મળે ત્યારે દુષ્ટતા દૂર થાય અને ભલાપણું આવે. પણ જેવો સતસંગ દૂર થાય એટલે ભલાપણું જતું રહે અને દુષ્ટતા પાછી આવી જાય. જેની મતિ હલકા વિચારમાં રહે તે ખલ છે.
જે ખલ હોય તેની સાથે કલહ ન કરવો તેમજ પ્રીતિ પણ ન કરવી. આવા માણસોથી દૂર રહેવું સારું.
कबि कोबिद गावहिं असि नीति। खल सन कलह न भल नहिं प्रीती।।7।।
कवि और पण्डित ऐसी नीति कहते हैं कि दुष्ट से न कलह ही अच्छा है, न प्रेम ही।।7।।
ક્યારેય ગુરૂ અપરાધ ન કરવો.
જો આપણે શિવ પૂજા કરતા હોઈએ અને થોડી પૂજા પુરી થયા પછી જો આપણા ગુરૂ ત્યાં આવી જાય તો બાકીની પૂજાની સામગ્રી શિવને અર્પણ ન કરતાં આપણા ગુરૂને અર્પણ કરવી. કારણ કે ગુરૂ અપરાધ્મ ગુરૂની અવગણના ત્રિભુવન ગુરૂ શંકર સહન નથી કરી શકતા.
एक बार हर मंदिर जपत रहेउँ सिव नाम।
गुर आयउ अभिमान तें उठि नहिं कीन्ह प्रनाम।।106क।।
एक दिन मैं शिव जी के मन्दिर में शिवनाम जप कर रहा था। उसी समय गुरुजी वहाँ आये, पर अभिमानके मारे मैंने उठकर उनको प्रणाम नहीं किया।।106(क)।।
सो दयाल नहिं कहेउ कछु उर न रोष लवलेस।।
अति अघ गुर अपमानता सहि नहिं सके महेस।।106ख।।

गुरुजी दयालु थे, [मेरा दोष देखकर भी] उन्होंने कुछ नहीं कहा; उनके हृदय में लेश मात्र भी क्रोध नहीं हुआ। पर गुरु का अपमान बहुत बड़ा पाप है; अतः महादेवजी उसे नहीं सह सके ।।106(ख)।।

जौं नहिं दंड करौं खल तोरा। भ्रष्ट होइ श्रुतिमारग मोरा।।2।।
જો આપણામાં ખલતા હોય તો તે ખલતાઅ ગુરૂ દ્રોહ કરાવે.
खलन्ह हृदयँ अति ताप बिसेषी। जरहिं सदा पर संपति देखी।।
जहँ कहुँ निंदा सुनहिं पराई। हरषहिं मनहुँ परी निधि पाई।।2।।
दुष्टों के हृदय में बहुत अधिक संताप रहता है। वे पराई सम्पत्ति (सुख) देखकर सदा जलते रहते हैं। वे जहाँ कहीं दूसरे की निन्दा सुन पाते हैं, वहाँ ऐसे हर्षित होते हैं मानो रास्तेमें पड़ी निधि (खजाना) पा ली हो।।2।।
सन इव खल पर बंधन करई। खाल कढ़ाइ बिपति सहि मरई।।
खल बिनु स्वारथ पर अपकारी। अहि मूषक इव सुनु उरगारी।।9।।
किंतु दुष्ट लोग सनकी भाँति दूसरों को बाँधते हैं और [उन्हें बाँधनेके लिये] अपनी खाल खिंचवाकर विपत्ति सहकर मर जाते हैं। हे सर्पोंके शत्रु गरुड़जी ! सुनिये; दुष्ट बिना किसी स्वार्थके साँप और चूहे के समान अकारण ही दूसरों का अपकार करते हैं।।9।।
ઉંદર કોઈ પણ કારણ વગર આપણાં કપડાં કરડી ખાય છે, તેમાં ઉંદરને કોઈ લાભ પણ નથી તેમજ સાપ પણ વગર કારણે ડંશ મારે છે અને આમ ડંશ મારવાથી સાપને કોઈ લાભ પણ નથી થતો. આમ જે વગર કારણે ઉંદર, સાપ જેવું વર્તન કરે છે તે ખલ છે.
શંકર ભગવાન ખલ દંડક છે.
દંડ ત્રણ રીતે અપાય.
૧ દંડ – લાઠીના પ્રહારથી
૨ ઉદંડ સ્વભાવ
૩ કોદંડ – જ્ઞાન, વિવેક
દંડી સંન્યાસી તેમની પાસે જે દંડ રાખે છે તે બીજાને મારવા માટે નથી રાખતા પણ ખલ જેવા માણસોની શાન ઠેકાણે લાવવા માટે રાખે છે. દંડનો પ્રહાર ફક્ત મસ્તક ઉપર જ કરાય તેવો નિયમ છે. મસ્તક ઉપર પ્રહાર કરી તેની બુદ્ધિને ઠીક કરવા માટે આવા પ્રકારનો પ્રહાર કરાય છે.








શનિવાર, ૨૭/૦૫/૨૦૧૭
વિશ્વાસ એ શંકરની અષ્ટ મૂર્તિ પૈકીની પહેલી મુર્તિ છે અને પ્રિયમ્ એ આઠમી મૂર્તિ છે.
વિશ્વાસ અને પ્રિય એ એક બીજાના પર્યાય છે. અને આ બે મૂર્તિ વચ્ચે ૬ મૂર્તિઓ છે.
કારૂણિક શંકર


कुन्दइन्दुरगौरसुन्दरं अम्बिकापतिमभीष्टसिद्धिदम्।

कारुणीककलकंजलोचनं नौमि शंकरमनंगमोचनम्।।

कुन्द के फूल, चन्द्रमा और शंख के समान सुन्दर गौरवर्ण, जगज्जननी श्रीपार्वतीजी के पति, वांछित फलके देनेवाले, [दुखियोंपर सदा] दया करनेवाले, सुन्दर कमलके समान नेत्रवाले, कामदेव से छुड़ानेवाले, [कल्याणकारी] श्रीशंकरजीको मैं नमस्कार करता हूँ।।

દયા મનમાં હોય, પ્રેમ દિલમાં હોય, સત્ય જબાનમાં હોય, શબ્દ કાનમાં હોય, કરુણા આંખમાં હોય.

બુદ્ધ પુરૂષની આંખમાં કરૂણા હોય.

અસંગ આંખમાં કરૂણા રહે.

શંકર શબ્દના ત્રણ અક્ષર પૈકીના શં અક્ષરનો અર્થ શુભ કરનાર, ક અક્ષરનો અર્થ કલ્યાણ કરનાર અને ર અક્ષરનો અર્થ રહેમત કરનાર થાય છે.

મોહ જે રાવણ છે તે એવું ઈચ્છે છે કે તેનો ભાઈ કુંભકર્ણ જે અહંકાર છે તે કાયમ સૂઈ રહે.

******
શંકરની અષ્ટમુર્તિ પૈકીની સાતમી મૂર્તિ કારૂણિક શંકર છે.
कुन्दइन्दुरगौरसुन्दरं अम्बिकापतिमभीष्टसिद्धिदम्।
कारुणीककलकंजलोचनं नौमि शंकरमनंगमोचनम्।।3।।
कुन्द के फूल, चन्द्रमा और शंख के समान सुन्दर गौरवर्ण, जगज्जननी श्रीपार्वतीजी के पति, वांछित फलके देनेवाले, [दुखियोंपर सदा] दया करनेवाले, सुन्दर कमलके समान नेत्रवाले, कामदेव से छुड़ानेवाले, [कल्याणकारी] श्रीशंकरजीको मैं नमस्कार करता हूँ।।3।।
ભગવાન શંકર શ્વેત વર્ણ છે.
વિશ્વાસ અને પ્રેમ પર્યાય છે.
कुन्देन्दीवरसुन्दरावतिबलौ विज्ञानधामावुभौ
शोभाढ्यौ वरधन्विनौ श्रुतिनुतौ गोविप्रवृन्दप्रियौ।
मायामानुषरूपिणौ रघुवरौ सद्धर्मवर्मौ हितौ
सीतान्वेषणतत्परौ पथिगतौ भक्तिप्रदौ तौ हि नः ॥1॥
कुन्दपुष्प और नीलकमल के समान सुंदर गौर एवं श्यामवर्ण, अत्यंत बलवान्‌, विज्ञान के धाम, शोभा संपन्न, श्रेष्ठ धनुर्धर, वेदों के द्वारा वन्दित, गौ एवं ब्राह्मणों के समूह के प्रिय (अथवा प्रेमी), माया से मनुष्य रूप धारण किए हुए, श्रेष्ठ धर्म के लिए कवचस्वरूप, सबके हितकारी, श्री सीताजी की खोज में लगे हुए, पथिक रूप रघुकुल के श्रेष्ठ श्री रामजी और श्री लक्ष्मणजी दोनों भाई निश्चय ही हमें भक्तिप्रद हों ॥1॥
રામ ચરિત માનસનો આ એક પ્રસંગ છે જ્યાં સીતા અપહરણ પછી રામ માનવીય લીલા કરે છે અને લક્ષ્મણ રામની આગળ ચાલે છે. બીજા બધા પ્રસંગોમાં રામ આગળ ચાલે છે, વચ્ચે સીતા અને પાછળ લક્ષ્મણ ચાલે છે.
आगें चले बहुरि रघुराया। रिष्यमूक पर्बत निअराया॥
तहँ रह सचिव सहित सुग्रीवा। आवत देखि अतुल बल सींवा॥1॥
श्री रघुनाथजी फिर आगे चले। ऋष्यमूक पर्वत निकट आ गया। वहाँ (ऋष्यमूक पर्वत पर) मंत्रियों सहित सुग्रीव रहते थे। अतुलनीय बल की सीमा श्री रामचंद्रजी और लक्ष्मणजी को आते देखकर-॥1॥
आगें  रामु  लखनु  बने  पाछें।  तापस  बेष  बिराजत  काछें॥
उभय  बीच  सिय  सोहति  कैसें।  ब्रह्म  जीव  बिच  माया  जैसें॥1॥
आगे  श्री  रामजी  हैं,  पीछे  लक्ष्मणजी  सुशोभित  हैं।  तपस्वियों  के  वेष  बनाए  दोनों  बड़ी  ही  शोभा  पा  रहे  हैं।  दोनों  के  बीच  में  सीताजी  कैसी  सुशोभित  हो  रही  हैं,  जैसे  ब्रह्म  और  जीव  के  बीच  में  माया!॥1॥
પંચવટીમાં લક્ષ્મણ રામને પાંચ પ્રશ્ન પૂછે છે અને રામ તેના જવાબ આપે છે.
અપહરણના પ્રસંગ પછી રામ રૂદન કરે છે અને લક્ષ્મણ રામને સમજાવે છે.
જ્યારે રામ – બ્રહ્ન – ઈશ્વર માયા પાછળ દોડે, માયાના વિયોગમાં રૂદન કરે ત્યારે લક્ષ્મણ જે જાગૃત જીવ છે, તે અગ્રેસર બની ઈશ્વરને સમજાવે છે. લક્ષ્મણ જીવાચાર્ય છે, ગુરૂ છે, બુદ્ધ પુરૂષ છે તે રામને સમજાવે છે.
निगम नेति सिव ध्यान न पावा। मायामृग पाछें सो धावा॥
कबहुँ निकट पुनि दूरि पराई। कबहुँक प्रगटइ कबहुँ छपाई॥6॥
वेद जिनके विषय में 'नेति-नेति' कहकर रह जाते हैं और शिवजी भी जिन्हें ध्यान में नहीं पाते (अर्थात जो मन और वाणी से नितान्त परे हैं), वे ही श्री रामजी माया से बने हुए मृग के पीछे दौड़ रहे हैं। वह कभी निकट आ जाता है और फिर दूर भाग जाता है। कभी तो प्रकट हो जाता है और कभी छिप जाता है॥6॥
ભગવાન જીવ ધર્મમાં આવે છે ત્યારે લક્ષ્મણ આગળ આવી, અગ્રેસર બની રામને સમજાવે છે. રામ માયા પાછળ દોડે છે ત્યારે બુદ્ધ પુરૂષ – લક્ષ્મણ રામને સમજાવે છે.
બ્રહ્ન આગળ ચાલે અને જીવ માયા પાછળ ચાલે.
રામ બ્રહ્ન છે, જ્ઞાન છે, જાનકી ભક્તિ છે અને લક્ષ્મણ વૈરાગ્ય છે.
उभय बीच श्री सोहइ कैसी। 
******
उभय बीच श्री सोहइ कैसी। ब्रह्म जीव बिच माया जैसी॥
सरिता बन गिरि अवघट घाटा। पति पहिचानि देहिं बर बाटा॥2॥
दोनों के बीच में श्री जानकीजी कैसी सुशोभित हैं, जैसे ब्रह्म और जीव के बीच माया हो। नदी, वन, पर्वत और दुर्गम घाटियाँ, सभी अपने स्वामी को पहचानकर सुंदर रास्ता दे देते हैं॥2॥
શ્રી એટલે ભક્તિ, ભક્તિ બ્રહ્નની પાછળ ચાલે છે અને લક્ષ્મણ ભક્તિની પાછળ ચાલે છે.
માનસ એ રહસ્યમય શાસ્ત્ર છે, સાંકેતિક ભાષાનું શાસ્ત્ર છે.
રામ જ્યારે શબરીને મળે છે ત્યારે શબરી રામને પંપા સરોવર જવાનું કહે છે, અહી શબરી રામને આદેશ કરે છે કે પંપા સરોવર જાવ અને સુગ્રીવ સાથે મૈત્રી કરો.
ક્યારેક નાનો માણસ પણ મોટા માણસને સાચો માર્ગ બતાવે છે, યોગ્ય માર્ગ બતાવે છે.
શબરીના માર્ગ દર્શન પછી રામ આગળ ચાલે છે.
तहँ पुनि सकल देव मुनि आए। अस्तुति करि निज धाम सिधाए॥
बैठे परम प्रसन्न कृपाला। कहत अनुज सन कथा रसाला॥2॥
फिर वहाँ सब देवता और मुनि आए और स्तुति करके अपने-अपने धाम को चले गए। कृपालु श्री रामजी परम प्रसन्न बैठे हुए छोटे भाई लक्ष्मणजी से रसीली कथाएँ कह रहे हैं॥2॥
बिरहवंत भगवंतहि देखी। नारद मन भा सोच बिसेषी॥
मोर साप करि अंगीकारा। सहत राम नाना दुख भारा॥3॥
भगवान्‌ को विरहयुक्त देखकर नारदजी के मन में विशेष रूप से सोच हुआ। (उन्होंने विचार किया कि) मेरे ही शाप को स्वीकार करके श्री रामजी नाना प्रकार के दुःखों का भार सह रहे हैं (दुःख उठा रहे हैं)॥3॥
શબરી ભક્તિ છે, શબરી સાથેની થોડી મુલકાત પણ રામને પ્રસન્ન કરી દે છે, રામને પણ વિષાદ મુક્ત કરી દે છે.
मम दरसन फल परम अनूपा। जीव पाव निज सहज सरूपा॥
जनकसुता कइ सुधि भामिनी। जानहि कहु करिबरगामिनी॥5॥
मेरे दर्शन का परम अनुपम फल यह है कि जीव अपने सहज स्वरूप को प्राप्त हो जाता है। हे भामिनि! अब यदि तू गजगामिनी जानकी की कुछ खबर जानती हो तो बता॥5॥
જીવને પોતાના સ્વરૂપનો બોધ થઈ જાય, બોધ સમજાઈ જાય એટલે બધી ઝંઝટ ખત્મ થઈ જાય છે.
धर्म तें बिरति जोग तें ग्याना। ग्यान मोच्छप्रद बेद बखाना॥
जातें बेगि द्रवउँ मैं भाई। सो मम भगति भगत सुखदाई॥1॥
धर्म (के आचरण) से वैराग्य और योग से ज्ञान होता है तथा ज्ञान मोक्ष का देने वाला है- ऐसा वेदों ने वर्णन किया है। और हे भाई! जिससे मैं शीघ्र ही प्रसन्न होता हूँ, वह मेरी भक्ति है जो भक्तों को सुख देने वाली है॥1॥
ધર્મ એક રસ્તો છે.
બેસવું હોત તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે.
જીવનની સાધનાની રીત ગુપ્ત રાખશો તો તેમાં અવરોધ નહીં આવે.
ગુરૂ એવાને બનાવો જે તમને તેના જેવા – ગુરુ જેવા, ગુરુ સમકક્ષ બનાવે, ભલે પછી આવા ગુરુ શોધવામાં આખું એક જીવન સમાપ્ત કેમ ન થઈ જાય.
દયા મનમાં નિવાસ કરે.
પ્રેમ દિલમાં નિવાસ કરે.
સત્ય જબાનમાં રહે, વાણીમાં રહે.
વિચારનું સત્ય, ઉચ્ચારનું સત્ય અને આચરણનું સત્ય એ શિવનું ત્રિપુંડ છે.
सत्यम् वद, प्रियम् वद
OSHO letters can also be represented as O – OWN, S – SILENCE, H – HAPPINESS and O – OWN, i.e. own silence and own happiness.
કરૂણા ફક્ત બુદ્ધ પુરૂષનૉ આંખમાં રહે. જે આંખ અસંગ હોય તેવી આંખમાં કરૂણા રહે.
કમળ એ અસંગતાનું પ્રતીક છે.
શંકર શબ્દનો અર્થ – શં એટલે શુંભ કરનાર, ક એટલે કલ્યાણ કરનાર અને ર એટલે રહેમત – કરૂણા વરસાવનાર
શંકર બોલવાથી શુભ કલ્યાણ અને રહેમત વરસે.
ભજનનો આનંદ લેવા હોશિયારી છોડવી પડે.
मन क्रम बचन छाड़ि चतुराई। भजत कृपा करिहहिं रघुराई॥3॥
मन, वचन और कर्म से चतुराई छोड़कर भजते ही श्री रघुनाथजी कृपा करेंगे॥3॥
રાવણ એ મોહ છે અને કુંભકર્ણ એ અહંકાર છે, રાવણ – મોહ હંમેશાં એવું ઈચ્છે કે મારો કુંભકર્ણ – અહંકાર કાય્મ સુતો જ રહે. …. પંડિત રામકિકંરદાસજી
चतुराई चूल्हे पड़ी, पूर पड़यो आचार।
तुलसी हरि के भजन बिन चारों वर्ण चमार।।3।।
ભજન વિના બધા જ વર્ણ નિમ્ન વર્ણના છે.
श्री राम चंद्र कृपालु भजमन हरण भव भय दारुणम् |
नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम् ||
कंदर्प अगणित अमित छवि नव नील नीरज सुन्दरम् |
पट पीत मानहु तड़ित रूचि शुचि नौमि जनक सुतावरम् ||
भज दीन बन्धु दिनेश दानव दैत्य वंश निकंदनम् |
रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नन्दनम् ||
सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम् |
आजानु भुज शर चाप धर संग्राम जित खर - दूषणम् ||
इति वदति तुलसीदास शंकर शेष मुनि मन रंजनम् |
मम हृदय कंज निवास कुरु कामादि खल दल गंजनम्
जानी गौरी अनुकूल सिय हिय हरषु न जाए कहीं |
मंजुल मंगल मूल बाम अंग फर्कन लगे ||
રામ કરૂણાવતાર છે.
જો ફક્ત એક જ વિકાર છોડવો હોય તો તે વિકાર કપટ છે. કપટ સૌથી ખરાબ વિકાર છે.
हरत भगत मन कटुलाई
गई बहोर गरीब नेवाजू। सरल सबल साहिब रघुराजू॥

बुध बरनहिं हरि जस अस जानी। करहिं पुनीत सुफल निज बानी॥4॥

वे प्रभु श्री रघुनाथजी गई हुई वस्तु को फिर प्राप्त कराने वाले, गरीब नवाज (दीनबन्धु), सरल स्वभाव, 

सर्वशक्तिमान और सबके स्वामी हैं। यही समझकर बुद्धिमान लोग उन श्री हरि का यश वर्णन करके अपनी 

वाणी को पवित्र और उत्तम फल (मोक्ष और दुर्लभ भगवत्प्रेम) देने वाली बनाते हैं॥4॥

नाम गरीब अनेक नेवाजे। लोक बेद बर बिरिद बिराजे॥1॥

नाम का यह सुंदर विरद लोक और वेद में विशेष रूप से प्रकाशित है॥1॥

सब सोच-बिमोचन चित्रकूट। कलिहरन, करन कल्यान बूट।1।
*****
चित्रकूट स्तुति


सुचि अवनि सुहावनि आलबाल। कानन बिचित्र, बारी बिसाल।2।

मंदाकिनि-मालिनि सदा सींच। बर बारि, बिषम नर-नारि नीच।3।

साखा सुसृंग, भूरूह -सुपात। निरझर मधुबरद्व मृदु मलय बात।4।

सुक,पिक, मधुकर, मुनिबर बिहारू। साधन प्रसून फल चारि चारू।5।

भव-घोरघाम-हर सुखद छाँह। थप्यो थिर प्रभाव जानकी-नाह।6।

साधक-सुपथिक बड़े भाग पाइ। पावत अनेक अभिमत अघाइ।7।

रस एक, रहित-गुन-करम-काल। सिय राम लखन पालक कृपाल।8।

तुलसी जो राम पद चाहिय प्रेम। सेइय गिरि करि निरूपाधि नेम।9।

*****
કારૂણિક શંકર કામને નષ્ટ કરે છે પણ તે કામને આખા જગતના લાભાર્થે પુનઃ સ્થાપે છે.


કારૂણિક શંકર એ છે જે નષ્ટ કરે અને તેને પુનઃ સ્થાપી જગમશહુર પણ બનાવે.

******




રવિવાર, ૨૮/૦૫/૨૦૧૭

માનસ શંકરની અષ્ટ મૂર્તિ પૈકીની આઠમી મૂર્તિ પ્રિયમ્ શંકર છે.

લક્ષ્મણ ધર્મ છે.

ધર્મ એ છે જેનામાં નિરંતર જાગૃતિ હોય, જે લક્ષ્મણમાં છે.

ધર્મ પરમ જાગૃતિનું નામ છે.

ધર્મ રેખા દોરે જેને લક્ષ્મણ રેખા કહી શકાય જેથી નીતિનું પાલન થઈ શકે.

ધર્મનું એક લક્ષ્ય હોય, જે લક્ષ્મણમાં છે.

લક્ષ્મણ પરમ ધર્મ છે.

શત્રુઘ્ન અર્થ છે.

જેની પાસે બહું અર્થ હોય તે બોલ બોલ ન કરે પણ મૌન રહે. શત્રુઘ્ન એ મૌન પાત્ર છે.

આધ્યાત્મિક અર્થની પ્રાપ્તિ કરનારને કોઈ શત્રુ ન હોય.

મૌન એ સાધનાનું અર્થ છે.

મંથરા અતિ મુખર છે. જે અતિ મુખર હોય તેને મૌની તેના મૌન દ્વારા વગર બોલ્યે સાચું સંભળાવી દે.

ભરત કામ છે.

ભરત એ અણઘડ - ઘડ્યા વગરનો - કામ છે.

ભરતમાં અણઘડ કામ છુટી જાય છે અને તેમાંથી ભરતની પ્રેમ મૂર્તિ પ્રગટ થાય છે.

રામ મોક્ષ છે, પરમ મુક્તિ છે.

આત્માના કારણે પ્રિયતા પેદા થાય. આત્માના કારને એક્બીજા પ્રત્યે પ્રિયતા પેદા થાય.

આસક્તિ પણ પ્રિયતા પેદા કરે.

ભક્તિ પણ પ્રિયતા પેદા કરે.

મસ્તીથી પણ પ્રિયતા પેદા થાય.

સાચી પ્રિયતા પ્રીતિથી પેદા થાય.આવી પ્રીતિ શાસ્વત હોય છે અને તેમાં કોઈ ચતુરાઈ હોતી નથી.

*****
તુલસીદાસજીએ શંકર ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે,
'मोह-तम-तरणि, हर, रुद्र, शंकर, शरण, हरण, मम शोक लोकाभिरामं ।
बाल-शशि-भाल, सुविशाल लोचन-कमल, काम-सतकोटि-लावण्य-धामं ॥१॥
હે શંકર તું મોહ રૂપી અંધકાર માટે સૂર્ય છે (તરણિ એટલે સૂર્ય) તેથી મારા શોકને હરી લે.
આ આખી સ્તુતિ નીચે પ્રમાણે છે.
बाल-शशि-भाल, सुविशाल लोचन-कमल, काम-सतकोटि-लावण्य-धामं ॥१॥
कंबु-कुंदेंदु-क र्पूर-विग्रह रुचिर, तरुण-रवि-कोटि तनु तेज भ्राजै ।
भस्म सर्वांग अर्धांग शैलात्मजा, व्याल-नृकपाल-मा ला विराजै ॥२॥
मौलिसंकुल जटा-मुकुट विद्युच्छटा, तटिनि-वर-वारि हरि-चरण-पूतं ।
श्रवण कुंडल, गरल कंठ, करुणाकंद, सच्चिदानंद वंदेऽवधूतं ॥३॥
शूल-शायक पिनाकासि-कर, शत्रु-वन-दहन इव धूमध्वज, वृषभ-यानं ।
व्याघ्र-गज-चर्म -परिधान, विज्ञान-घन, सिद्ध-सुर-मुनि- मनुज-सेव्यमानं ॥४॥
तांडवित-नृत्यपर , डमरु डिंडिम प्रवर, अशुभ इव भाति कल्याणाराशी ।
महाकल्पांत ब्रह्मांड-मंडल- दवन, भवन कैलास आसीन काशी ॥५॥
तज्ञ, सर्वज्ञ, यज्ञेश, अच्युत विभो विश्व भवदंशसंभव पुरारी ।
ब्रह्मेंद्र, चंद्रार्क, वरुणाग्नि, वसु, मरुत, यम, अर्चि भवदंघ्रि सर्वाधिकारी ॥६॥
अकल, निरुपाधि, निर्गुण, निरंजन, ब्रह्म कर्म-पथमेकमज निर्विकारं ।
अखिलविग्रह, उग्ररूप, शिव, भूपसुर, सर्वगत, शर्व सर्वोपकारं ॥७॥
ज्ञान-वैराग्य, धन-धर्म, कैवल्य-सुख, सुभग सौभाग्य शिव! सानुकूलं ।
तदपि नर मूढ आरूढ संसार-पथ, भ्रमत भव, विमुख तव पादमूलं ॥८॥
नष्टमति, दुष्ट अति, कष्ट-रत, खेद-गत, दास तुलसी शंभु-शरण आया ।
देहि कामारि! श्रीराम-पद-पंकजे
તુલસીદાસજીની અન્ય એક રચના નીચે પ્રમાણે છે.
सदा शंकरं, शंप्रदं, सज्जनानंददं, शैल-कन्या-वरं, परमरम्यं।
काम-मदमोचनं, तामरस-लोचनं, वामदेवं भजे भावगम्यं ॥ १ ॥

कंबु-कुंदेंदु-कर्पूर-गौरं शिवं, सुंदरं, सच्चिदानंदकंदं।
सिद्ध-सनकादि-योगींद्र-वृंदारका, विष्णु-विधि-वन्द्य चरणारविंदं ॥ २ ॥

ब्रह्म-कुल-वल्लभं, सुलभ मति दुर्लभं, विकट-वेषं, विभुं, वेदपारं।
नौमि करुणाकरं, गरल-गंगाधरं, निर्मलं, निर्गुणं, निर्विकारं ॥ ३ ॥

लोकनाथं, शोक-शूल-निर्मूलिनं, शूलिनं मोह-तम-भूरि-भानुं।
कालकालं, कलातीतमजरं हरं, कठिन-कलिकाल-कानन-कृशानुं ॥ ४ ॥

तज्ञमज्ञान-पाथोधि-घटसंभवं, सर्वगं, सर्वसौभाग्यमूलं।
प्रचुर-भव-भंजनं, प्रणत-जन-रंजनं, दास तुलसी शरण सानुकूलं ॥ ५ ॥
****
॥ श्रीरुद्राष्टकम् ॥
नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् ।
निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम् ॥ १॥
निराकारमोंकारमूलं तुरीयं गिरा ज्ञान गोतीतमीशं गिरीशम् ।
करालं महाकाल कालं कृपालं गुणागार संसारपारं नतोऽहम् ॥ २॥
तुषाराद्रि संकाश गौरं गभीरं मनोभूत कोटिप्रभा श्री शरीरम् ।
स्फुरन्मौलि कल्लोलिनी चारु गङ्गा लसद्भालबालेन्दु कण्ठे भुजङ्गा ॥ ३॥
चलत्कुण्डलं भ्रू सुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालम् ।
मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शंकरं सर्वनाथं भजामि ॥ ४॥
प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डं अजं भानुकोटिप्रकाशम् ।
त्रयः शूल निर्मूलनं शूलपाणिं भजेऽहं भवानीपतिं भावगम्यम् ॥ ५॥
कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी ।
चिदानन्द संदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी ॥ ६॥
न यावत् उमानाथ पादारविन्दं भजन्तीह लोके परे वा नराणाम् ।
न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासम् ॥ ७॥
न जानामि योगं जपं नैव पूजां नतोऽहं सदा सर्वदा शम्भु तुभ्यम् ।
जरा जन्म दुःखौघ तातप्यमानं प्रभो पाहि आपन्नमामीश शम्भो ॥ ८॥
रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये ।
ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति ॥
      ॥  इति श्रीगोस्वामितुलसीदासकृतं श्रीरुद्राष्टकं सम्पूर्णम् ॥
******
ભગવાન શંકરની અષ્ટમૂર્તિ પૈકીની આઠમી મૂર્તિ “પ્રિયમ્‍ શંકરમ્‌” છે.
શંકરની આ અષ્ટમૂર્તિની યાત્રા વિશ્વાસથી શરૂ થઈ પ્રિયમ્‍ માં વિરામ લે છે.
આત્માના કારણે પ્રિયતા પ્રિય છે.
સાંસારિક સંબંધો જેવા કે પતિ પત્ની, માતા પિતા, ભાઈ બહેન, ભાઈ ભાઈ, બહેન બહેન, પિતા પુત્ર, પિતા પુત્રી, માતા પુત્રી, ગુરૂ શિષ્ય વગેરેમાં આત્માના કારણે પ્રિયતા આવે છે.
શિવ પણ આત્માના કારણે પ્રિય છે. કારણ કે જગત આત્મા મહેશ છે.
આત્માના કારણે જ સંબંધ શાસ્વત રહે છે.
પ્રિયતાના કારણો નીચે પ્રમાણે છે.
૧ શરીરના આકર્ષણના કારણે પ્રિયતા આવે.
૨ મનને ગમતું હોય તેના કારણે પ્રિયતા આવે.
૩ બુદ્ધિના કારણે પ્રિયતા આવે.
૪ આત્માના કારણે પ્રિયતા આવે.
આસક્તિના કારણે વ્યક્તિ પ્રિય લાગે. આ આસક્તિ જે વિકાર છે, દેહાસક્તિ છે. આ આસક્તિ કાયમી નથી. આમ તો આસક્તિથી પ્રિયતાનો આરંભ થઈ આગળ જતાં પ્રિયતા સુધી જાય. આમ આશક્તિથી આરંભ થતી પ્રિયતા ખરાબ નથી.
દશરથ મહારાજા પોતાના પુત્રો અને પુત્ર વધૂઓને જોઈ ખુશ થાય છે અને કહે છે કે,
जनु पाए महिपाल मनि क्रियन्ह सहित फल चारि॥325॥
सब पुत्रों को बहुओं सहित देखकर अवध नरेश दशरथजी ऐसे आनंदित हैं, मानो वे राजाओं के शिरोमणि क्रियाओं (यज्ञक्रिया, श्रद्धाक्रिया, योगक्रिया और ज्ञानक्रिया) सहित चारों फल (अर्थ, धर्म, काम और मोक्ष) पा गए हों॥325॥
જાનકી, ઉર્મિલા, માંડવી, શ્રુતકીર્તિ, એ ચાર કન્યા એ ક્રિયા છે જ્યારે રામ, લક્ષ્મણ, ભરત્મ શત્રુઘ્ન એ ચાર ફળ – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) છે.
રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એ ચાર ફળ છે. જેમાં લક્ષ્મણ એ ધર્મ છે. પરમ જાગૃતિ જ્યાં હોય ત્યાં ધર્મ હોય. જેનામાં નિરંતર જાગૃતિ છે એવા લક્ષ્મણ ધર્મ છે. ધર્મમાં લક્ષ્મણ રેખા હોય, નિયંત્રણ હોય, આમ લક્ષ્મણ જાનકી માટે લક્ષ્મણ રેખા દોરે છે. ધર્મનું એક લક્ષ્ય હોય જે લક્ષ્મણમાં હોય. લક્ષ્મણ ફક્ત રામને જ સર્વસ્વ માને છે અને કહે છે કે હું ગુરૂ, માતા, પિતા કોઈને નથી જાણતો.
मैं  सिसु  प्रभु  सनेहँ  प्रतिपाला।  मंदरु  मेरु  कि  लेहिं  मराला॥
गुर  पितु  मातु  न  जानउँ  काहू।  कहउँ  सुभाउ  नाथ  पतिआहू॥2॥
मैं  तो  प्रभु  (आप)  के  स्नेह  में  पला  हुआ  छोटा  बच्चा  हूँ!  कहीं  हंस  भी  मंदराचल  या  सुमेरु  पर्वत  को  उठा  सकते  हैं!  हे  नाथ!  स्वभाव  से  ही  कहता  हूँ,  आप  विश्वास  करें,  मैं  आपको  छोड़कर  गुरु,  पिता,  माता  किसी  को  भी  नहीं  जानता॥2॥
શત્રુઘ્ન એ અર્થ છે. જેની પાસે સ્થુલ અર્થમાં પણ બહું અર્થ – ધન હોય તે બહું બોલ બોલ ન કરે પણ મૌન રહે. શત્રુઘ્ન કાયમ મૌન રહે છે. જેને સાસ્ત્રોનો અર્થ સમજાઈ જાય તે બહું બોલે નહીં, મૌન રહે. જેનેઆધ્યાત્મિક અર્થની પ્રાપ્તિ થઈ જાય તેને કોઈ શત્રુ ન રહે, તેને કોઈ શત્રુ દેખાય જ નહીં, લાગે જ નહીં.
કબીર પણ કહે છે કે मन लागो मेरो यार फकीरी में.
जो सुख पावो राम भजन में,
सो सुख नाही अमीरी में ॥
भला बुरा सब का सुन लीजै,
कर गुजरान गरीबी में ॥
प्रेम नगर में रहिनी हमारी,
भली बन आई सबुरी में ॥
हाथ में खूंडी, बगल में सोटा,
चारो दिशा जागीरी में ॥
आखिर यह तन ख़ाक मिलेगा,
कहाँ फिरत मगरूरी में ॥
कहत कबीर सुनो भाई साधो,
साहिब मिले सबुरी में ॥
આમ શત્રુઘ્નને કોઈ શત્રુ નથી અને છતાંય મંથરાને મારે છે. આવું કેમ?
મૌન સદૈવ મુખર ઉપર પ્રહાર કરે. શત્રુઘ્ન મૌન છે જ્યારે મંથરા એ મુખર છે, બોલ બોલ કરે છે. શત્રુઘ્ન મંથરાને નથી માથા સુધી દુષ્ટ કહે છે.
सुनि  रिपुहन  लखि  नख  सिख  खोटी।  लगे  घसीटन  धरि  धरि  झोंटी॥
भरत  दयानिधि  दीन्हि  छुड़ाई।  कौसल्या  पहिं  गे  दोउ  भाई॥4॥
उसकी  यह  बात  सुनकर  और  उसे  नख  से  शिखा  तक  दुष्ट  जानकर  शत्रुघ्नजी  झोंटा  पकड़-पकड़कर  उसे  घसीटने  लगे।  तब  दयानिधि  भरतजी  ने  उसको  छुड़ा  दिया  और  दोनों  भाई  (तुरंत)  कौसल्याजी  के  पास  गए॥4॥
ભરત એ કામ છે.  જેવી રીતે એક અણઘટ પથ્થરને ઘડવાથી તેમાંથી સુંદર મૂર્તિ નિર્માણ પામે છે તેમ ભરતમાંથી પ્રેમાવતાર મૂર્તિ નીકળે છે. અહીં કામ એ ઉપાદાન કારણ છે.
રામ એ મોક્ષ છે, પરમ મુક્તિ છે.
કથામાં આસક્તિ જાગે એટલે કથા પ્રિય લાગવા લાગે. પ્રિયતા ભક્તિ પેદા કરે.
પહેલાં ભક્તિના કારણે શીતળા માતા પ્રિય લાગતાં હતાં. જો કે તે અંદ્ધ શ્રદ્ધા હતી.
રાષ્ટ્ર ભક્તિના કારણે રાષ્ટ્ર પ્રિય લાગે.
તેવી જ રીતે માતા પિતા માતૃ ભક્તિ, પિતૃ ભક્તિના કારણે પ્રિય લાગે.
કોઈની મસ્તી જોઈએ તો તેની મસ્તીના કારણે પણ તે પ્રિય લાગે.
મસ્ત ફકિર કે મસ્ત સાધુ પણ તેની મસ્તીના કારણે પ્રિય લાગે.
સાચો પ્રેમ પ્રીતિથી થાય જે શાસ્વત હોય તેમજ તેમાં કોઈ ચતુરાઈ ન હોય.
मैं कृतकृत्य भइउँ अब तव प्रसाद बिस्वेस।
उपजी राम भगति दृढ़ बीते सकल कलेस।।129।।
हे विश्वनाथ ! आपकी कृपासे अब मैं कृतार्थ हो गयी। मुझमें दृढ़ रामभक्ति उत्पन्न हो गयी और मेरे सम्पूर्ण क्लेश बीत गये (नष्ट हो गये)।।129।।
ભક્તિ પ્રેમમાં પ્યાસ જ તૃપ્તિ છે.




_________________________________________________________________________________

The article "भक्त बनो तो राम भक्त हनुमान जैसा: मोरारी बापू" displayed below with the courtesy of JAGRAN



Read the article at its source link.




श्रीराम कथा में संत मोरारी बापू ने कहा कि भक्त बनो तो हनुमान जैसा, जिन्होंने हर दुख-सुख में प्रभु श्रीराम का साथ दिया और अंतिम क्षणों तक प्रभु की सेवा में लगे रहे।
रुद्रप्रयाग, [जेएनएन]: भक्त बनो तो हनुमान जैसा, जिन्होंने हर दुख-सुख में प्रभु श्रीराम का साथ दिया और अंतिम क्षणों तक प्रभु की सेवा में लगे रहे। यह उद्गार केदारपुरी में चल रही श्रीराम कथा के आठवें दिन कथा प्रवचन करते हुए राम कथा मर्मज्ञ संत मोरारी बापू ने व्यक्त किए। रविवार को पूर्णाहुति और विशाल भंडारे के साथ राम कथा विराम लेगी।
श्री राम कथा समिति के तत्वाधान में चल रही श्रीराम कथा में शनिवार को संत मोरारी बापू ने कहा कि केदारपुरी में राम कथा करना उनका स्वप्न था, जो आज पूरा हुआ। कहा कि हमें संसार में रहकर प्रभु श्रीराम का नाम जपना है तो राम भक्त हनुमान की तरह जपें। हनुमान जीवन पर्यंत श्रीराम का नाम जपते रहे। चौदह बरस के वनवास के दौरान हनुमान की श्रीराम से भेंट हुई और वे धन्य हो गए। फिर हनुमान ने कभी प्रभु श्रीराम का साथ नहीं छोड़ा और उनके दुख-सुख के सारथी बने रहे।
बापू ने कहा कि आज ऐसे भक्त की कल्पना करना भी मुश्किल है, जिसने राम को अपने हृदय में बसा लिया। कहा कि कलयुग में यदि भगवान का नाम जपना है तो हनुमान की तरह जपें। फिर देखिए प्रभु हनुमान की तरह तुम्हारा भी बेड़ा पार लगा देंगे। कथा के बीच-बीच में भजन मंडली ने भजनों की प्रस्तुतियों से माहौल को राममय बना दिया।
इससे पूर्व, ब्राह्मणों ने वैदिक मंत्रोच्चार के साथ गणेश, पंच पूजा, वेदी पूजा एवं व्यास पूजा समेत नित्य पूजाएं संपन्न की। कथा श्रवण के लिए रोजाना हजारों भक्त केदारपुरी पहुंच रहे हैं। कथा पांडाल के बाहर विभिन्न स्थानों पर भक्तों की सुविधा के लिए एलईडी लगाए गए हैं।
_________________________________________________________________________________

The article "भक्त के बिना भगवान का अस्तित्व नहीं : संत मोरारी बापू " displayed below with the courtesy of its publishers JAGRAN.

Read the article at its source link.





केदारपुरी चल रही श्रीराम कथा के अंतिम दिन कथा प्रवचन करते हुए मोरारी बापू ने कहा कि पौराणिक कथाओं के श्रवण मात्र से मन की शुद्धि तो होती ही है।
रुद्रप्रयाग, [जेएनएन]: केदारपुरी चल रही नौ दिवसीय श्रीराम कथा ने रविवार को पूर्णाहुति के साथ विराम ले लिया। इस मौके पर हजारों भक्तों ने प्रसाद स्वरूप भंडारे का भोग भी लगाया। अंतिम दिन कथा प्रवचन करते हुए राम कथा मर्मज्ञ संत मोरारी बापू ने कहा कि पौराणिक कथाओं के श्रवण मात्र से मन की शुद्धि तो होती ही है, जीवन के सभी कष्टों का निवारण भी हो जाता है।
संत मोरारी बापू ने भक्त एवं भगवान के बीच संबंधों पर विस्तार से प्रकाश डाला। कहा कि जब भक्त हैं, तभी भगवान भी है। भक्ति से ही भगवान प्रसन्न होते हैं। इसलिए कलयुग में भगवान की भक्ति अवश्य करनी चाहिए। कहा कि मनुष्य का कब जन्म हो जाए और कब अंत, यह किसी को पता नहीं। वर्ष 2013 में आई आपदा में हजारों लोग मौत की नींद सो गए। इस आपदा के बारे में किसी ने कभी सोचा भी नहीं था। इसलिए सभी लोगों को साथ लेकर आगे बढ़ो। किसी के प्रति ईष्र्या की भावना मत रखो। जितने क्रोध पर जीत हासिल कर दी, वह कहीं मार नहीं खा सकता।
इस दौरान भजन मंडली ने भजनों की सुमधुर प्रस्तुति से माहौल को राममय बना दिया। अंत में ब्राह्मणों ने जौ-तिल से हवन कर पूर्णाहुति की। आरती के बाद भक्तजनों ने प्रसाद का भोग लगाया। इससे पूर्व, सुबह ब्राह्मणों ने वैदिक मंत्रोच्चार के साथ गणेश पूजा, पंच पूजा, वेदी पूजा एवं व्यास पूजा समेत नित्य पूजाएं संपन्न कराईं।
कथा पांडाल प्रशासन के सुपुर्द
केदारनाथ में मोरारी बापू ने जिस पांडाल में कथा प्रवचन किए, वह अब प्रशासन के सुपुर्द कर दिया गया है। इसमें प्रशासन के और से यात्रियों के ठहरने की व्यवस्था की जाएगी। ऐसे में अब केदारपुरी में तीन हजार से अधिक श्रद्धालु और ठहर सकेंगे। पांडाल के साथ ही रजाई, कंबल आदि सामाग्री भी आयोजन समिति ने प्रशासन को सौंप दी। डीएम मंगेश घिल्डियाल ने बताया कि पांडाल में यात्रियों के ठहरने के लिए व्यवस्था की जा रही है।
_________________________________________________________________________________