Translate

Search This Blog

Sunday, June 18, 2017

પિતા-પુત્રીનો સંબંધ અદ્દભૂત અને નિ:સ્વાર્થ હોય છે

પિતા-પુત્રીનો સંબંધ અદ્દભૂત અને નિ:સ્વાર્થ હોય છે




  • બાપનું હૃદય પીગળે છે કે મારી દીકરી આજથી પારકી થઇ જશે! મેના પણ ઉદાસ થઇ જાય છે.


ગહિ ગિરીસ કુસ કન્યા પાની.
ભવહિ સમરપીં જાનિ ભવાની.



દાઇજ દિયો બહુ ભાંતિ પુનિ કર જોરિ હિમભૂધર કહ્યો.
કા દેઉ પૂરનકામ સંકર ચરન પંકજ ત્રહિ રહ્યો.


  • એક જ પ્રાર્થના કરું છું કે આ મારી દીકરી ઉમા મારો પ્રાણ છે. 
  • આજથી અમે એ આપને આપીએ છીએ અને આપને ત્યાં મોકલીએ છીએ. એને આપના ઘરની દાસી ન માનજો, એને સાચવજો અને એનું સર્વ રીતે રક્ષણ કરજો. આ હું આપને એક પિતા તરીકે ભલામણ કરું છું.’ તો આ બાજુ માતા પોતાની પુત્રી પાર્વતીને શિખામણ આપે છે-


કરેહુ સદા સંકર પદ પૂજા.
નારિધરમુ પતિ દેઉ ન દૂજા. 


  • ‘હે પાર્વતી, તું શિવનાં ચરણની સદા પૂજા કરજે. નારીઓનો એ જ ધર્મ છે.’ 
  • એવું વર્તન કરજે કે તારા પતિનું વહાલ તારા પર હંમેશ માટે વરસતું રહે. તારું સૌભાગ્ય અખંડ રહો, એવા આશીર્વાદ મેનાએ ઉમાને આપ્યા. 
  • ‘રામચરિત માનસે’ જગતને જણાવ્યું છે કે પુત્રીને સાસરે વળાવતી વખતે ભારતીય માતાએ પુત્રીને કેવી વાતો કહેવી જોઇએ. પુત્રીને વળાવતી વખતે એમ પણ કહેવાય છે કે બેટા, જીવનમાં મુસીબત આવી પડે તો તે પણ હસતાં હસતાં સહન કરી લેજે, કોઇને ખબર ન પડે એ રીતે મોં ઢાંકીને બે આંસુ પાડી લેજે પણ તારા કુળને કલંક લાગે એમ કરીશ નહીં. 
  • દીકરી જ્યારે પરણીને પતિને ઘેર જતી હોય ત્યારે કુટુંબના બધા માણસોને દુ:ખ થાય એ સ્વાભાવિક છે, પરંતુ વધારેમાં વધારે દુ:ખ દીકરીના બાપને થાય છે. જેટલું દુ:ખ બાપને થાય છે એટલું બીજા કોઇને થતું નથી. 
  • પિતા-પુત્રીનો સંબંધ અદ્‌ભૂત અને નિ:સ્વાર્થ હોય છે. ઘરનો મોટો માણસ, વડીલ પુરુષ આખા ઘરને લાડ લડાવે છે પરંતુ પુત્રીને પિતા લાડ લડાવે છે અને પિતાને પુત્રી લાડ લડાવે છે. એટલે જ પુત્રીને સાસરે વળાવતી વખતે પિતાને બહુ આઘાત લાગે છે. 
  • પરંતુ પુત્રીને કયો સ્વાર્થ? અને આંસુની ધારા એ જ લાવે જે નિ:સ્વાર્થ હોય. 


{(સંકલન : નીતિન વડગામા)


Continue Reading ....... 

No comments:

Post a Comment