Translate

Search This Blog

Sunday, June 4, 2017

ગંગા એ વિશ્વભરમાં ભારતની આધ્યાત્મિક ઓળખ છે

ગંગા એ વિશ્વભરમાં ભારતની આધ્યાત્મિક ઓળખ છે

  • દીપકની જ્યોતિ થતાં જ સદીઓનું અંધારું દૂર થાય છે, પરંતુ દીપક બુઝાવીને વારંવાર અંધારું ન કરો. 
  • ‘મંગલ કરનિ કલિમલ હરનિ.’ પરમાત્માની કથા કોઈ સાંભળે તો એનાં બધાં જ પાપ સમાપ્ત થઈ જાય છે. 

ગૌતમ નારિ શ્રાપ બસ ઉપલ દેહ ધરિ ધીર.
ચરન કમલ રજ ચાહતિ કૃપા કરહુ રઘુબીર.


મૈં નારિ અપાવન પ્રભુ જગપાવન
રાવન રિપુ જન સુખદાઈ.

રાજીવ બિલોચન ભવ ભયમોચન
પાહિ પાહિ સરનહિં આઈ.



  • ગંગા એ વિશ્વમાં ભારતની ઓળખ છે. નગાધિરાજ હિમાલય એ વિશ્વમાં ભારતની ઓળખ છે. આ પ્રકૃતિનાં પરમતત્ત્વો વિશ્વમાં આપણી ઓળખ આપતા રહે છે. ગંગા, ગંગા છે! તુલસીદાસજી ‘વિનયપત્રિકા’માં ગંગાનો મહિમા કરતા કહે છે-


જય જય ભગીરથનન્દિનિ,
મુનિ-ચય ચકોર-ચન્દિનિ,
નર-નાગ-બિબુધ-બન્દિનિ
જય જહનુ બાલિકા.

બિસ્નુ-પદ-સરોજજાસિ,
ઇસ-સીસપર બિભાસિ,
ત્રિપથગાસિ, પુન્યરાસિ, પાપ-છાલિકા.



  • સ્વયં ભગવાન પણ ભોજન કરે છે તો પછી ભગવાનને માટે તમે ભૂખ્યા શું કામ રહો છો! જરૂર, વ્રત અને ઉપાવસ એ તમારી વ્યક્તિગત શ્રદ્ધાનો મામલો છે. એને મારા પ્રણામ છે, પરંતુ ભગવાન પણ ખાય છે તો આપણે ભૂખ્યાં શું કામ રહીએ?

ભૂખે ભજન ન હોય ગોપાલ,
યહ લો અપની કંઠી-માલા. 
(સંકલન : નીતિન વડગામા)


Continue reading at Sunday Bhaskar.



No comments:

Post a Comment