Translate

Search This Blog

Monday, June 12, 2017

ધન એ મનની નહીં, પરંતુ ખરેખર તો તનની જરૂરિયાત છે

ધન એ મનની નહીં, પરંતુ ખરેખર તો તનની જરૂરિયાત છે




  • શરીર માટે અર્થની વ્યવસ્થા કરી. મન માટે કામની વ્યવસ્થા કરી. બુદ્ધિ માટે ધર્મની વ્યવસ્થા કરી અને મુક્તિ માટે આત્માની વ્યવસ્થા કરી. 
  • ધન એ મનની નહીં, તનની જરૂરિયાત છે. 
  • ધન જ્યારે મન માટે કેન્દ્રિત બને છે ત્યારે ભલભલાનાં મન બગડ્યાં છે અને એ મન મુક્તિમાં બાધક બન્યું છે. એ મને ભજનમાં વિઘ્નો ઊભાં કર્યાં છે. પૈસા શરીર માટે છે, મન માટે નથી. 
  • પ્રભુએ મન માટે કામની વ્યવસ્થા કરી છે. મન વાસનાગ્રસ્ત છે. મનને કંઇક વિષયનાં સુખો જોઇએ છે. થોડોક રસ જોઇએ છે, એટલા માટે પ્રભુએ કામની વ્યવસ્થા કરી છે. 
  • સમ્યક કામ ખરાબ નથી. કામ એ શરીર માટે નથી, કામ એ મન માટે છે. 
  • બુદ્ધિ માટે ધર્મ. ધર્મ શરીર માટે નથી. 
  • પણ મુશ્કેલી એ છે કે અેવું બધું તમે કરો તો બિનસાંપ્રદાયિક અને રામનું નામ લો એટલે તમે સાંપ્રદાયિક! 
  • ઘણા લોકો કહે, ‘કપાળ રંગે, કાળજાં તો રંગાતાં નથી!’ પણ હું આપને એમ કહેવા માગું છું કે કપાળ રંગાય, કાળજાં ન રંગાય! કાળજું તો ઇશ્વરે આપ્યું હોય ને એવું જ હોય. કબીરસાહેબે કીધું છે તેમ, જેવી તેં આપી હતી એવી ચાદર તને પાછી આપી દેવી છે. એને રંગ ન હોય. અંત:કરણને ન રંગાય. સ્વભાવને તો કેમ બદલી શકાય? 
  • ભગવાને કાલિનાગનું મુખ પકડ્યું હતું એ મૂકી દીધું ને કીધું કે સ્વભાવને બદલવાનું મારું કામ નથી, એ તો સાધુ બદલી શકે. ધર્મ બુદ્ધિપૂર્વક સ્વીકારાય. ‘વિચાર’ એ શાસ્ત્રનો કેટલો મહાન શબ્દ છે! 
  • ‘સરસઇ બ્રહ્મ બિચાર રચાઇ.’ આમ ‘રામાયણ’માં વિચાર પ્રદેશનું ઉદ્દઘાટન છે. ‘રામાયણ’ તમને અંધશ્રદ્ધા ન આપે. ‘રામાયણ’ તમને વિચાર આપે, દૃષ્ટિ આપે. આ વિચારનો ગ્રંથ છે, વિવેકનો ગ્રંથ છે, વૈરાગનો ગ્રંથ છે. 
(સંકલન : નીતિન વડગામા)

Continue reading at Sunday Bhaskar.



No comments:

Post a Comment