Translate

Search This Blog

Showing posts with label પરંતુ ખરેખર તો તનની જરૂરિયાત છે. Show all posts
Showing posts with label પરંતુ ખરેખર તો તનની જરૂરિયાત છે. Show all posts

Monday, June 12, 2017

ધન એ મનની નહીં, પરંતુ ખરેખર તો તનની જરૂરિયાત છે

ધન એ મનની નહીં, પરંતુ ખરેખર તો તનની જરૂરિયાત છે




  • શરીર માટે અર્થની વ્યવસ્થા કરી. મન માટે કામની વ્યવસ્થા કરી. બુદ્ધિ માટે ધર્મની વ્યવસ્થા કરી અને મુક્તિ માટે આત્માની વ્યવસ્થા કરી. 
  • ધન એ મનની નહીં, તનની જરૂરિયાત છે. 
  • ધન જ્યારે મન માટે કેન્દ્રિત બને છે ત્યારે ભલભલાનાં મન બગડ્યાં છે અને એ મન મુક્તિમાં બાધક બન્યું છે. એ મને ભજનમાં વિઘ્નો ઊભાં કર્યાં છે. પૈસા શરીર માટે છે, મન માટે નથી. 
  • પ્રભુએ મન માટે કામની વ્યવસ્થા કરી છે. મન વાસનાગ્રસ્ત છે. મનને કંઇક વિષયનાં સુખો જોઇએ છે. થોડોક રસ જોઇએ છે, એટલા માટે પ્રભુએ કામની વ્યવસ્થા કરી છે. 
  • સમ્યક કામ ખરાબ નથી. કામ એ શરીર માટે નથી, કામ એ મન માટે છે. 
  • બુદ્ધિ માટે ધર્મ. ધર્મ શરીર માટે નથી. 
  • પણ મુશ્કેલી એ છે કે અેવું બધું તમે કરો તો બિનસાંપ્રદાયિક અને રામનું નામ લો એટલે તમે સાંપ્રદાયિક! 
  • ઘણા લોકો કહે, ‘કપાળ રંગે, કાળજાં તો રંગાતાં નથી!’ પણ હું આપને એમ કહેવા માગું છું કે કપાળ રંગાય, કાળજાં ન રંગાય! કાળજું તો ઇશ્વરે આપ્યું હોય ને એવું જ હોય. કબીરસાહેબે કીધું છે તેમ, જેવી તેં આપી હતી એવી ચાદર તને પાછી આપી દેવી છે. એને રંગ ન હોય. અંત:કરણને ન રંગાય. સ્વભાવને તો કેમ બદલી શકાય? 
  • ભગવાને કાલિનાગનું મુખ પકડ્યું હતું એ મૂકી દીધું ને કીધું કે સ્વભાવને બદલવાનું મારું કામ નથી, એ તો સાધુ બદલી શકે. ધર્મ બુદ્ધિપૂર્વક સ્વીકારાય. ‘વિચાર’ એ શાસ્ત્રનો કેટલો મહાન શબ્દ છે! 
  • ‘સરસઇ બ્રહ્મ બિચાર રચાઇ.’ આમ ‘રામાયણ’માં વિચાર પ્રદેશનું ઉદ્દઘાટન છે. ‘રામાયણ’ તમને અંધશ્રદ્ધા ન આપે. ‘રામાયણ’ તમને વિચાર આપે, દૃષ્ટિ આપે. આ વિચારનો ગ્રંથ છે, વિવેકનો ગ્રંથ છે, વૈરાગનો ગ્રંથ છે. 
(સંકલન : નીતિન વડગામા)

Continue reading at Sunday Bhaskar.