Translate

Search This Blog

Showing posts with label શિવ સ્વયં વેદ સ્વરૂપ છે. Show all posts
Showing posts with label શિવ સ્વયં વેદ સ્વરૂપ છે. Show all posts

Wednesday, August 28, 2013

શિવ સ્વયં વેદ સ્વરૂપ છે, માનસદર્શન, મોરારિબાપુ

શિવ સ્વયં વેદ સ્વરૂપ છે

માનસદર્શન, મોરારિબાપુ



  • ભગવાન શિવ લીલાઓમાં કેટલીક વિશષ્ટિ ઘટનાઓમાં ભલે ક્રોધિત દેખાતા હોય પરંતુ ભગવાન નિર્વાણ રૂપ છે. જો ક્રોધ હોય તો ક્યારેય નિર્વાણ રૂપ થઇ શકે જ નહીં


  • ભગવાન શિવ નિર્વાણરૂપ છે, સર્વ શક્તિમાન દેવ છે. જગતના અસ્તિત્વનું કારણ શિવ છે. તુલસીદાસજી રામચરિતમાનસમાં શિવની અષ્ટમૂર્તિ‌નું દર્શન કરાવે છે. જેમાં આકાશ, વાયુ, જલ, પૃથ્વી, અગ્નિ, સૂર્ય-ચંદ્ર તેમજ જગતના પ્રત્યેક જીવાત્મા એ શિવની અષ્ટમૂર્તિ‌ છે. 


  • તુલસીદાસજી રામચરિતમાનસમાં ભગવાન શિવનું દર્શન કરતા આગળ લખે છે.


નિજં નિર્ગુણં નિર્વિ‌કલ્પં નિરીહં
ચિદાકાશમાકાશવાસં ભજેડહમ્



કપૂર્‍રગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારં
સદા વસન્તં હૃદર્યાવિંદે ભવં ભવાની સહિ‌તં નમામિ

શિવ કરુણાની મૂર્તિ‌ છે. કરુણાનો અવતાર છે. ક્યારેક વિચાર કરો કે શિવમાં ક્રોધ પણ નથી, કામ પણ નથી. હા ભગવાનના વિહાર વિશે સંસ્કૃત વાઙમયમાં લખ્યું છે કે શિવ જેટલો કોઇએ વૈભવ ભોગવ્યો નથી. વિહાર પણ કર્યો નથી રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે.

'કરહિ‌ બિબિધ બિધિ ભોગ બિલાસા ગનન્હ સમેત બસહિ‌ કૈલાસા



(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)