Translate

Search This Blog

Showing posts with label વ્યક્તિને વિવેક જાગૃત રાખે. Show all posts
Showing posts with label વ્યક્તિને વિવેક જાગૃત રાખે. Show all posts

Monday, September 22, 2014

વ્યક્તિને વિવેક જાગૃત રાખે, મોરારિબાપુ, માનસદર્શન

વ્યક્તિને વિવેક જાગૃત રાખે


  • બુદ્ધજન કે જાગૃત મહાપુરુષનું માનવું છે કે વ્યક્તિની પ્રત્યેક ક્રિયામાં ક્યારેય વિવેક ન છૂટવો જોઇએ. હું પ્રબુદ્ધ શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું ત્યારે મારી નજર સમક્ષ પરમ જાગૃત અવતાર ભગવાન બુદ્ધ છે. 




  • પ્રસેનજિતની વાત સાંભળીને ભગવાન બુદ્ધ બહુ ટૂંકમાં જવાબ આપે છે કે મને એવું લાગે છે કે તારી બધી આંતર-બાહ્ય પ્રવૃત્તિમાં ક્યારેક-ક્યારેક વિવેકનો અભાવ જણાય છે. 



  • જે વ્યક્તિ પોતે પોતાની ગણતરી કરશે એની મુઠ્ઠીમાં વિશ્રામ આવી જશે. હા વિવેકપૂર્ણ પુરુષાર્થ ભૂલવાનો નથી. 



  • ભગવાન પતંજલિ કહે છે કે સંસારના મૂળમાં ચાર વસ્તુ છે, જેમાં સુખ, દુ:ખ, પુણ્ય, પાપ. 



  • રામચરિતમાનસમાં તુલસીદાસજી પણ કહે છે કે, 

દુ:ખ સુખ પાપ પુન્ય દિન રાતી! 
સાધુ અસાધુ સુજાતિ કુજાતિ!! 



  • સત્સંગ કરતા-કરતા વિવેકનું પ્રગટીકરણ થઈ જાય તો કોઈ ત્રિકાલજ્ઞ મળી જાય. એને આપણો હાથ બતાવીને પૂછવું કે હવે હરિની મુલાકાત ક્યારે થશે? 


  • જેમાં કરુણા, મૈત્રી, મુદિતા અને ઉપેક્ષા. જીવનમાં યોગ થાય તો સારી વાત છે. 


  • વિવેક એટલે જાગૃતિ, પ્રતિ પળ સાવધાનીમાં જીવવું જોઈએ. વિવેક તો વ્યક્તિને જીવન જીવવાનો પૂર્ણ આનંદ આપે છે. 

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

rameshwardashariyani@gmail.com


મોરારિબાપુ, માનસદર્શન

Read Full article at Sunday Bhaskar, Page 8 & 6.