Translate

Search This Blog

Monday, May 16, 2011

ગાંધીજીના અગિયાર વ્રતો

આપણા રાષ્ટ્રપિતા અને વિશ્વના મહામાનવ મહાત્મા ગાંધીજી અગિયાર વ્રતોનું ચૂસ્ત પાલન કરતા હતા. આ ૧૧ વ્રત આપણા જીવનમાં પણ અપનાવવા જેવા છે.
આ અગિયાર વ્રત નીચે પ્રમાણે છે.

સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.

અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું.

ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું.

અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં.

બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.

સ્વાવલંબન : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.

અસ્પૃશ્યતા : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.

અભય : નીડર રહેવું, નીડર બનવું.

સ્વદેશી : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.
૧૦
સ્વાર્થ ત્યાગ : કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.
૧૧
સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.

*****

સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું  નવ સંઘરવું,
બ્રહ્મચર્ય  અને જાતે મહેનત,  કોઈ  અડે  ના અભડાવું.
અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવાં
એ અગિયાર મહાવ્રત  સમજી  નમ્રપણે  દૃઢ  આચરવાં.

સૌજન્ય લિંક


*****
ઈશ્વર ક્યારેક તે જેના ઉપર તે આશીર્વાદની ઝડી વરસાવવા ઈચ્છતો હોય તેની સૌથી વધું કસોટી કરતો હોય છે. ……ગાંધીજી
  


*****

No comments:

Post a Comment