Translate

Search This Blog

Saturday, May 14, 2011

ભગવાન જગન્નનાથજીની રથ યાત્રા

એક સમયે દ્વારકામાં સુભદ્રાને નગરદર્શન કરવાની ઇચ્છા થતાં કૃષ્ણ અને બલરામ પોતપોતાના રથમાં બેસે છે અને સુભદ્રાને પણ તેના રથમાં બેસાડે છે તેમજ તેના રથને વચ્ચે રાખી નગર દર્શન, નગર યાત્રા કરાવે છે. આમ આ પ્રસંગની યાદમાં આપણે દર વર્ષે અષાઢી સુદ બીજના દિવસે રથયાત્રા કાઢી ઉત્સવ મનાવીએ છીએ.

જગન્નાથપુરીમાં ભગવાન વિષ્ણુ જગન્નનાથજીના રુપે બિરાજે છે. તેમજ મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ બિરાજે છે.

અષાઢી સુદ બીજના દિવસે પરંપરાગત પ્રણાલી પ્રમાણે ભગવાન જગન્નનાથજીની રથ યાત્રાનો ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે.

ભારતમાં ભગવાન જગનનાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા પરંમપરાગત પ્રણાલી પ્રમાણે વિક્રમ સંવત ૨૦૬૪ ના અષાઢ સુદ બીજ, શુક્રવાર, તારીખ ૦૪, જુલાઈ ૨૦૦૮ કાઢવામાં આવી.

અમદવાદમાં ૧૩૧ મી , જગનનાથપુરીમાં —મી, વડોદરામાં ૨૭ મી રથયાત્રા ઉપર દર્શાવેલ દિવસે કાઢવામાં આવી હતી.

ડાકોરમાં પણ રથયાત્રા નીકળે છે પણ પરંપરાગત પ્રણાલી પ્રમાણે અમદાવાદમાં નીકળેલી રથયાત્રાના બીજા દિવસે ડાકોરમાં રથયાત્રા નીકળે છે. ૫ જુલાઈના રોજ ડાકોરમાં ૨૪૦ મી રથયાત્રા નીકળી હતી.

આ રથયાત્રામાં ભગવાનનો રથ જે ખેંચે છે તેના જીવનના રથને ભગવાન સ્વંય ખેંચી ધન્ય બનાવી દે છે એવી ધાર્મિક માન્યતાના કારણે ભગવાનના રથના દોરડાને ભક્તો ખેંચવા તલપાપાડ થતા હોય છે.

ભગવાનના રથની યાત્રા શરુ થતા પહેલા માર્ગને સોનાના સાવરણાથી સાફ કરવામાં આવે છે.

આ વખતે અમદાવાદમાં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, વડોદરામાં મેયર બાલકૃષ્ણ શુક્લએ અને પુરીમાં રાજા દિવ્યસિંહ દેવ એ સોનાના સાવરણાથી માર્ગને સાફ કરવામાં આવ્યો હતો.

No comments:

Post a Comment