Translate

Search This Blog

Monday, May 16, 2011

ગુરૂ અને ગુરૂ પૂર્ણિમાના પાવન અવસર ઉપર ગુરૂજનોનો સંદેશ

સૌજન્ય ઃ દિવ્ય ભાસ્કર – ધર્મ દર્શન પૂર્તિ, Dr.Pranav Dave , Monday, July 06, 2009

# # # # #
ભારતીય પરંપરામાં ‘ગુરુ પૂજન’નું એક આગવું સ્થાન છે. તા.૭મી જુલાઇના રોજ ગુરુપૂર્ણિમા છે. આ પ્રસંગે ‘ધર્મદર્શન’ને સાધુ-સંતો કહી રહ્યા છે જીવનમાં ગુરુનું મહત્ત્વ કેમ છે?
# # # # #
જગદગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ
મુક્તિ અપાવે તે ગુરુ
મનુષ્ય પ્રાણી કરતાં કંઇક વિશેષ છે. આહાર-નિદ્રા-ભય-મૈથુનમાં પશુ અને મનુષ્ય સમાન છે, પરંતુ મનુષ્યમાં એક વિશેષ તત્ત્વ છે જે મનુષ્યને બીજાથી જુદો પાડે છે તે છે વિવેક.
વિવેક એટલે સારા-નરસાનું જ્ઞાન. આ જ્ઞાન કોણ આપે? માત્ર ને માત્ર ગુરુથી જ જ્ઞાન પ્રાપ્ત થઇ શકે અને જ્ઞાન વગર મુક્તિ નથી. તેથી મુક્તિ માટે ગુરુની જરૂર છે.
# # # # #
મહામંડલેશ્વર ભારતી બાપુ - અઘ્યક્ષ-જૂના અખાડા
શિષ્યની શંકાનું સમાધાન કરે છે ગુરુ
ઇશ્વર નિરંજન છે, નિરાકાર છે તેના સ્વરૂપનું દર્શન ગુરુ વડે જ થતું હોય છે તેવી વૈદિક પરંપરા આપણે ત્યાં સદીઓથી ચાલી આવે છે, કારણ કે શિષ્યના મનમાંથી શંકાઓનું સમાધાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ જ કરાવી શકે છે. જેનું સંપૂર્ણ આચરણ આદર્શ હોય એવા ગુરુનાં દર્શન માત્રથી શંકાઓનું સમાધાન થઇ જાય છે.
# # # # #
પૂજય પ્રમુખસ્વામી મહારાજ
જીવ અને પરમાત્મા વચ્ચેનો સેતુ ગુરુ
આપણાં શાસ્ત્રોમાં ગુરુને સાક્ષાત્ પરબ્રહ્મનું સ્વરૂપ કહીને અપાર આદર આપવામાં આવ્યો છે. સાચા ગુરુ આપણા જીવનને શુદ્ધ કરીને આપણને પરમાત્માનો યોગ કરાવે છે. ગુરુ વડે મનુષ્ય આત્માનો સાક્ષાત્કાર કરીને પરમાત્માની સાચી ભકિત કરી શકે છે. ગુરુ જ જીવને શિવ બનાવે છે. ગુરુ જ જીવ અને પરમાત્મા વચ્ચેનો સેતુ છે. ગુરુ સિવાય કયારેય યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થતું નથી.
# # # # #
કથાકાર રમેશભાઇ ઓઝા (પૂજય ‘ભાઇશ્રી’)
શિષ્યના દુર્ગુણોનો સંહાર કરે તે ગુરુ
સંસારસાગરમાં આપણી નૌકાને સહી-સલામત કિનારે પહોંચાડવાનું કાર્ય સદગુરુ કરે છે. જેવી રીતે બ્રહ્મા સર્જન કરે છે. એવી જ રીતે ગુરુ સાચા શિષ્યનું સર્જન કરે છે. વિષ્ણુ ભગવાનની જેમ શિષ્યનું લાલન-પાલન કરે છે. શિષ્યને સાચા સદગુણો આપે છે અને શિવની જેમ શિષ્યની અંદર રહેલા દુર્ગુણોનો સંહાર કરે છે. આમ ગુરુ બ્રહ્મા-વિષ્ણુ-શિવ સ્વરૂપ છે.
# # # # #
વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજી મહારાજ
માનવીને પ્રભુચિંતન તરફ વાળે છે ગુરુ
ગુરુ ચિંતામાં અટવાયેલા જીવોને પ્રભુના ચિંતન તરફ વાળે છે. ગુરુ કુશળ શિલ્પકાર છે, જે ભકતના હૃદયને ઘડી ભગવદાકાર સુંદર મૂર્તિ બનાવે છે. તે કુશળ નાવિક પણ છે, જે ભગવદ્ નામની નૌકામાં બેસાડી ભવસાગર પાર ઉતારે છે. ભક્તને ખોટા માર્ગેથી વાળવા ગુરુ કઠોરમાં કઠોર અને પોતાના ભકતોને પ્રેમ આપવા કોમળમાં કોમળ બને છે.
# # # # #
આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ
શિષ્યને આઘ્યાત્મિક ઊચાઈ બક્ષે ગુરુ
જીવનમાં ગુરુ વ્યકિતને હિત-અહિત, સાચા-ખોટાનું જ્ઞાન કરાવીને પરમાર્થના માર્ગે આગળ લઇ જાય છે. સદગુરુ વ્યકિતના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનના પ્રકાશ તરફ લઇ જાય છે. સદગુરુ સદાચરણ દ્વારા શિષ્યને પ્રગતિના માર્ગે આગળ લઇ જાય છે. માત્ર ભૌતિક જ નહીં આઘ્યાત્મિક સ્તરે શિષ્યને અગ્રેસર કરે છે.
# # # # #
આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજ
સ્વાર્થ ત્યજાવી પરમાર્થના પંથે લઇ જાય ગુરુ
સ્વાર્થના સંકુચિત માર્ગનો ત્યાગ કરાવે અને પરમાર્થના પંથે આગળ લઇ જાય તે માટે જીવનમાં ગુરુની આવશ્યકતા છે. સનાતન ધર્મમાં ગુરુનું સ્થાન મોખરે છે અને તે રહેશે જ. ભારતીય પરંપરામાં તો ગુરુને ભગવાનની ઉપમા અપાઇ છે. ગુરુ માત્ર લૌકિક જ નહીં પારલૌકિક માર્ગે આગળ વધવામાં મદદરૂપ થાય છે.
# # # # #
જશોમતીનંદનપ્રભુજી – અઘ્યક્ષ-ઇસ્કોન-ગુજરાત
તત્ત્વદર્શન કરાવે તે ગુરુ
ગુરુએ પોતાની સાધના દ્વારા આઘ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે માટે તેમને તત્ત્વદર્શી કહેવામાં આવે છે. ભગવાન શ્રીકòષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે કે – આ જ્ઞાન જાણવા માટે તું તત્ત્વદર્શી ગુરુનું શરણ લઇ તેમને પ્રણામ કરી તેમની સેવા કરી, નમ્રતાપૂર્વક પૂછ કેમ કે તેમણે તત્ત્વનાં દર્શન કર્યા છે માટે તે તને પણ તત્ત્વદર્શન કરાવશે.
# # # # #
ડો.પ્રણવ પંડયા - અઘ્યક્ષ-ગાયત્રી પરિવાર
સન્માર્ગે લઈ જાય તે ગુરુ
મનુષ્યત્વની ઓળખ આપીને સન્માર્ગે લઇ જવા માટેની માર્ગદર્શક સત્તા એટલે ગુરુ. સદગુરુ શિષ્યને સંસારના ભવબંધનમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવે છે. ભૌતિક મોહ-બંધનમાંથી મુક્તિ અપાવે અને આત્મિક માર્ગે આગળ વધવા માટે સદગુરુનું સાંનિઘ્ય પ્રાપ્ત કરવું આવશ્યક છે. સદગુરુની સહાયથી જ પરબ્રહ્મ સાથેનું જોડાણ શકય બને છે.
# # # # #
મહામંડલેશ્વર રામેશ્વરદાસજી – મહંત જગન્નાથજી મંદિર
સર્વાંગીણ પ્રગતિ કરાવે ગુરુ
ગુરુ જીવનમાં એક માર્ગદર્શક બનીને આવે છે. પ્રાચીનકાળથી ભારતીય પરંપરામાં ગુરુને સર્વોચ્ચ પદ અપાયું છે તેનું કારણ છે કે જો શિષ્ય સાચો પથ ભૂલી જાય તો તેને સત્પંથ તરફ આગળ લઈ જાય છે અને જો શિષ્ય સન્માર્ગગામી હોય તો તેને ગતિ પ્રદાન કરે છે. તેનાથી વ્યકિત સર્વાંગીણ પ્રગતિ કરે છે માટે જીવનમાં ગુરુનું આગવું મહત્ત્વ છે.
# # # # #
‘ગુ’ શબ્દનો અર્થ થાય છે અંધકાર (અજ્ઞાન) અને ‘રુ’ શબ્દનો અર્થ થાય છે પ્રકાશ (જ્ઞાન). અજ્ઞાનને નષ્ટ કરવાવાળો જે બ્રહ્મરૂપ પ્રકાશ છે તે ગુરુ છે એમાં કોઇ સંશય નથી. – શ્રી ગુરુગીતા
# # # # #
ગુરૂ પૂર્ણિમાના પર્વ નિમિત્તે પૂજ્ય મોરારી બાપુએ કહ્યું કે, ” ગુરૂ એ છે જેની આંખમાં અમૃત હોય, વાણીમાં સત્ય હોય, જેનું જીવન સદાચારી હોય, જેના મનમાં સમગ્ર વિશ્વની શુભ ભાવના હોય. તેમજ તે વ્યક્તિગત રીતે ગુરૂ બ્રહ્મનિષ્ઠ હોય.
# # # # #
ગુરૂ આપણને અપ્રાપ્યની પ્રાપ્તિ કરાવે અને આ પ્રાપ્ત કર્યા પછી કશું જ પ્રાપ્ત કરવાનું રહેતું નથી.
# # # # #
સૌજન્ય ઃ દિવ્ય ભાસ્કર, ધર્મ દર્શન પૂર્તિ, Anil Gadhvi,Tuesday, July 07, 2009
રમણ મહર્ષિને કોઇકે પૂછ્યું કે ગુરુની પરખ શી રીતે કરી શકાય? ઉત્તરમાં તેઓએ જણાવ્યું કે જેમના પ્રત્યે તમને સન્માનની લાગણી થાય, જેની હાજરીમાં તમારા સંકલ્પ-વિકલ્પ વિલીન થઇ જાય અને જેમની પાસે તમને પરમ શાંતિનો અનુભવ થાય તેવી વ્યકિતને તમે ચેતનનિષ્ઠ કે ગુરુ તરીકે ઓળખાવી શકો.
વિમલા ઠાકર કહે છે કે, જેમની ચેતનામાંથી અહંકાર સમૂળગો નષ્ટ થઇ ગયો છે અને જેમની ચેતના સમગ્રતામાં પ્રતિષ્ઠિત થઇ ગઇ છે, જેમની વાણી અને વ્યવહારમાં તટસ્થતાની સૌરભ છે અને જેમનું જીવન પ્રભુમય બની ગયું છે એવી વ્યકિતને તમે ગુરુપદમાં પ્રતિષ્ઠિત છે એમ કહી શકો.
પૂજય મોટા ગુરુનાં લક્ષણોનું વર્ણન કરતાં કહે છે કે, આવી વ્યકિતઓ નિવૃત્તિમાં પ્રવૃત્ત અને પ્રવૃત્તિમાં નિવૃત્ત થઇ હોય છે. દેખીતી રીતે બીજાઓ માટે અનુપયોગી દેખાતી આવી વ્યકિતઓ સમસ્ત વિશ્વના ઉત્ક્રાંતિ માર્ગમાં ભાગ ભજવતી હોય છે. સંત જ્ઞાનેશ્વર કહેતા, ગુરુ વ્યકિત રૂપે આવિર્ભૂત ચેતનાની એક અવસ્થા છે.
ગુરુપૂર્ણિમા આઘ્યાત્મિક જગતનું મહાન પર્વ છે. સંસ્કૃતિના ઇતિહાસમાં અષાઢી પૂર્ણિમા અર્થાત્ ‘વ્યાસપૂર્ણિમા’ના આ દિવસે ભારતમાં ગુરુપૂજન કરવાનો મોટો મહિમા છે. પૌરાણિક ઇતિહાસ મુજબ સૌપ્રથમ ભગવાન વેદવ્યાસનું પૂજન નૈમિષારણ્યમાં વસતા સૌનક ઋષિએ કર્યુ.
વર્ષોની સાધના અને ઉપાસના કરવા છતાં સૌનક ઋષિને ઈશ્વરની અનુભૂતિ થતી નહોતી એટલે ભગવાન વેદવ્યાસની દિવ્ય દ્રષ્ટિએ એમનામાં આત્મજ્ઞાનની જયોત પ્રગટાવી. ઋષિએ તેમને આચાર્યપદે નિયુકત કરી તેમનું ભાવભર્યું આતિથ્ય અર્ચન-પૂજન કર્યું. ત્યારથી અર્થાત્ ઋષિકાલીન યુગથી ભારતમાં ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુપૂજનનો મહિમા છે. અનેક સ્થળે ગુરુપૂર્ણિમા ઊજવવાની પ્રથા પણ પ્રચલિત છે.
# # # # #
Article with courtesy of the “The Times of India”
Why We Connect Easily To A Living Master
Bhanumathi Narasimhan
The guru is an embodiment of wisdom, and love. In Sanskrit, the word for gravity is gurutvakarshan. The earth holds on to us with the force of gravity. Without this attraction or love, we would not have a base. Similarly, gurutva is the basis of our life. The guru is the guiding light who removes the darkness of ignorance and shows the path to wonderment.
One day, while Lord Shiva was performing a puja, his consort Parvati sees him bowing his head in reverence. Seeing this, she asks: “You are the Supreme Consciousness, the substratum of entire Creation. Who is it that you bow down to?”
Shiva replied: “Dear Parvati, for the benefit of all humanity, I will answer your question. It is to the allpervading guru tatva that I bow down to.” In the many beautiful verses that followed called the Guru Gita, Shiva explains the guru principle, and says how fortunate one is to have a living master in his life.
The guru in the physical form is called pratyaksh. In the presence of the master, our enthusiasm and spirit are in an elevated state. Our sorrows diminish, joy wells up, there is contentment, knowledge is nourished and protected, and talent blossoms.
When a drop feels connected to the ocean, it feels the strength of the ocean. When we are connected to this tradition, we feel the strength and protection of all the masters. All these masters are an expression of the same Infinite, Undivided, Supreme and Pure Consciousness.
The guru is a tatva – an omnipresent, omniscient, omnipotent principle. Establishing connection with this tatva is a source of great strength. We know we have forefathers, great-grandparents and so on. Yet we feel most attached and connected to our parents or grandparents because they are with us. Similarly, we have many gurus in our tradition, but when we come in the presence of a living master, the connection is established immediately. The entire knowledge from time immemorial is made available to us.
Guru Purnima is a time to feel grateful. The more grateful we are, the more grace flows into our lives. On Guru Purnima, we remember all the masters who were, who are and who will be in the future. We feel gratitude towards the master who moves us from a limited understanding and pride of ‘‘i know everything” to “i am everything”.
A disciple seeks knowledge. A devotee seeks nothing. A devotee is soaked in love and devotion. Guru Purnima is a special day of the devotee as well. When a river meets the ocean, the river no longer remains a river. It becomes the ocean. It is the same when the devotee meets the Divine. Only Divinity remains. The individual ‘i’ dissolves in the One Divinity.
When we look at the world through the eyes of the master, the world will look so much more beautiful – a place filled with love, joy, compassion and virtues. The master’s presence is one that is unlimited, vast, infinite and all-inclusive. The presence of the master in one’s life brings fulfilment in all other relationships.
To that one, eternal, pure, unbounded embodiment of knowledge and absolute bliss, to the lotus feet of my master, i bow down with respect and gratitude.
The writer is director, women and child welfare programmes, the Art of Living Foundation.
Today (સંવત ૨૦૬૫, અષાઢ સુદ ૧૫, મંગળવાર, તારીખ જુલાઈ ૦૭, ૨૦૦૯) is Guru Purnima.

No comments:

Post a Comment