Translate

Search This Blog

Sunday, June 26, 2016

21મી સદીનું રામરાજ્ય સત્ય, પ્રેમ, કરુણાના ત્રિકોણ પર રચવું જોઈએ

21મી સદીનું રામરાજ્ય સત્ય, પ્રેમ, કરુણાના ત્રિકોણ પર રચવું જોઈએ



  • રામરાજ્ય માત્ર સત્તા પર બેઠેલા નથી લાવી શકતા, એનો પાયો તો શૃંગબેરપુરમાં નખાવો જોઈએ. છેવાડાનો માણસ એનો પાયો નાખે.


  • પરંતુ વિશ્વ સમક્ષ કાયમ મારો એ વિચાર રહ્યો કે પરંપરા હંમેશાં પ્રવાહી રહેવી જોઇએ, જડ નહીં થવી જોઇએ. જડ પરંપરા માણસને સંકીર્ણ બનાવી દે છે, આગળ વધવા નથી દેવી.


  • પરંતુ બધા સંતોએ, બધા મનીષીઓએ, બધા વિદ્વાનોએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે રામરાજ્યનો આરંભ અયોધ્યામાં ન થઇ શકે, પહેલાં કોઇ બીજી જગ્યાએ એના શ્રીગણેશ થવા જોઇતા હતા. અને રામરાજ્યના શ્રીગણેશ થયા હતા શૃંગબેરપુરમાં.


  • મનીષીઓએ એમ પણ કહ્યું કે રામરાજ્યનો અર્થ છે પ્રેમરાજ્ય. ગાંધીબાપુ જેને આદર્શરૂપે માનતા હતા, સુરાજ્ય કહેતા હતા, 


  • ગાંધીબાપુ આવ્યા તો એમણે તો વર્ણનો નિષેધ કરી દીધો. એ સંશોધન છે. 
  • એક એવો સમાજ નિર્મિત થઇ રહ્યો હતો કે ભેદ ખતમ થઇ ગયા હતા. રામરાજ્યની વાતમાં ભેદતત્ત્વ નીકળી જવું જોઇએ. આજના સંદર્ભમાં કેવું રામરાજ્ય પ્રાસંગિક હોઇ શકે? એ સમયે તો લખ્યું છે-


બયરુ ન કર કાહૂ સન કોઇ.
રામ પ્રતાપ બિષમતા ખોઇ.


  • એક એવો સમાજ સ્થપાયો હતો, જેમાં કોઇ કોઇની સાથે વેર કરતું ન હતું અને રામકૃપાથી વિષમતા નષ્ટ થઇ ચૂકી હતી. હું સમજું છું કે કોઇ કોઇની સાથે વેર ન કરે, એ બહુ મુશ્કેલ કામ છે! 
  • ભરત છેલ્લા માણસને હૃદયે લગાવે છે. ભરતના આ પગલાં પછી ચિત્રકૂટ સુધી પહોંચતાં પહોંચતાં વશિષ્ઠજીને પણ એ છેવાડાની વ્યક્તિને ગળે લગાવવી પડી. 
  • હું કથાઓમાં કહું છું કે આપણી પાસે વચનાત્મક ઘણું છે, રચનાત્મક કંઇ પણ નથી! 


  • દસ ટકા કદમનો મતલબ કમ સે કમ આપણા પરિવારમાં રામરાજ્ય આવે. એક્શન આપણા પારિવારિક જીવનમાં હોવું જોઇએ.


  • એકવીસમી સદીનું રામરાજ્ય એવું નહીં હોવું જોઇએ. અહીં તપસ્યાનો સૌને અધિકાર હોવો જોઇએ. અહીં સૌને વિદ્યાનો અધિકાર હોવો જોઇએ. એ કાળમાં એ બધું રહ્યું હશે, ઠીક છે.


  • આધ્યાત્મિક જીવનનાં ત્રણ સૂત્રો છે. વિનોબાજીએ પણ એના પર ઘણો પ્રકાશ પાડ્યો છે. પરંતુ ‘રામચરિત માનસ’માંથી મને જે પ્રાપ્ત થયાં છે, એ ત્રણ છે-સત્ય, પ્રેમ અને કરુણા. એકવીસમી સદીનું રામરાજ્ય સત્ય, પ્રેમ અને કરુણાના ત્રિકોણ પર રચવું જોઇએ. 
  • રામરાજ્ય માત્ર સત્તા પર બેઠેલા નથી લાવી શકતા, એનો પાયો તો શૃંગબેરપુરમાં નખાવો જોઇએ. છેવાડાનો માણસ એનો પાયો નાખે. એના માટે સત્યની નજીક જીવવું પડશે. એ રામરાજ્યને આજે એકવીસમી સદીમાં પ્રાસંગિક કરવા માટે પ્રેમ જોઇએ. સૌની વચ્ચે પ્રેમ હોવો જોઇએ, કરુણા હોવી જોઇએ. કંઇ ન કરી શકીએ તો કમ સે કમ આ ત્રિકોણ પર આપણા વિચારો કેન્દ્રિત થવા જોઇએ. એ માત્ર વચનાત્મક જ નહીં, રચનાત્મક હોય એ બહુ જ આવશ્યક છે.

(સંકલન : નીિતન વડગામા)

Read full story at Sunday Bhaskar.



No comments:

Post a Comment