Translate

Search This Blog

Monday, February 27, 2017

શિવ પુષ્પની સુગંધ, શંખનો નાદ અને ચંદ્રનો પ્રકાશ આપે છે

શિવ પુષ્પની સુગંધ, શંખનો નાદ અને ચંદ્રનો પ્રકાશ આપે છે



  • રામચરિત માનસ’ના ઉત્તરકાંડના મંગલાચરણમાં શિવદર્શન થાય છે - 
કુન્દઇન્દુદરગૌરસુન્દરં

અમ્બિકાપતિમભીષ્ટસિદ્ધિદમ્.
કારુણીકકલકંજલોચનં
નૌમિ શંકરમનંમોચનમ્.


  • શિવજી ખૂબ જ ગૌર અને સુંદર છે. શિવદર્શનની વિશિષ્ટતા એ છે કે ગૌરવર્ણને માટે અહીં ત્રણ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. હે ભોલેબાબા, આપ કુંદ પુષ્પ જેવા ગૌરવર્ણ છો. બીજું, ઇન્દુ એટલે કે ચંદ્ર. ચંદ્ર સમાન આપ ગૌરવર્ણ છો અને દર એટલે કે શંખ.
  • ત્રણ તત્ત્વોની શ્વેતતા સાથે ગોસ્વામીજી શિવનું દર્શન કરાવે છે. 
  • પુષ્પ સુગંધ આપે છે, શંખ નાદ આપે છે અને ચંદ્ર સૌમ્ય પ્રકાશ આપે છે. શિવ એ ત્રણેય આપે છે. શિવ પુષ્પની સુગંધ, શંખનો નાદ અને ચંદ્રનો પ્રકાશ આપે છે. શિવ સુગંધ આપે છે, શિવ જેવા કોઇ પણ બુદ્ધપુરુષ સુગંધ આપે છે. આશ્રિતોને એવી અનુભૂતિ હોય છે. સદ્‌ગુરુઓની પોતાની સુગંધ હોય છે. સદ્્ગુરુ ક્યાંય પણ હોય, જો આપણે ચિત્ત લગાડીએ છીએ તો પીરની ખૂશ્બુ આવવા લાગે છે.
  • ક્યારેક ગુરુ આકાશમાં બેઠા હોય તો ધરતી પર સુગંધ આવે છે. એની સમાધિઓ મહેકતી હોય છે. તો પુષ્પ સુગંધ આપે છે એટલા માટે કુંદ. 
  • સદ્‌ગુરુનો દેહ ભલે ક્યાંય પણ બેઠો હોય, એમાંથી પણ એક નાદ નીકળે છે અને એ અવાજ આપણા સુધી પહોંચી જાય તો સમજવું કે ગુરુ બોલાવી રહ્યા છે. એ નાદ છે, એ નિમંત્રણ છે. એ ગુરુની પુકાર છે.
  • શિવનો દેહ ચંદ્રમાની માફક ગૌર છે, સુંદર છે. એનો મતલબ એ કે સદ્દગુરુનો દેહ, એમની સ્થૂળ કાયા પણ આપણને સૌમ્ય પ્રકાશ આપે છે. ત્રિભુવનમાં ગુરુ ક્યાંય પણ હોય એ ચાંદની વરસાવે છે. ગુરુનો દેહ સ્વયં પ્રકાશ છે.  
  • ગુરુ કોમળ પણ છે, કઠોર પણ છે અને બંનેનું સંમિશ્રિત રૂપ છે.
  • સદ્‌ગુરુ રોજ ખીલે છે. ‘દિને દિને નવં નવં.’ રોજ નવો નઝારો. રોજ નવી ખુશ્બૂ. 
  • એક અન્ય અર્થ. પુષ્પ પૃથ્વીનું, શંખ જળનું અને ચંદ્ર આકાશનું પ્રતિનિધિત્વ કરે છે, એનો મતલબ એ કે સદ્‌ગુરુ જળમાં હોય અને સ્થળ તથા નભમાં પણ હોય છે. 
  • સદ્‌ગુરુ દરેક સ્થળે હોયે છે. શિવતત્ત્વ દરેક સ્થળે હોય છે.
  • ‘અંબિકાપતિમ્ અભીષ્ટસિદ્ધિદમ્.’ અંબિકા એટલે કે જગદંબા. અંબિકા આખી દુનિયાની મા છે અને આપ અંબિકાના પતિ છો. આ દુનિયામાં અભીષ્ટ સિદ્ધિ આપનારા, વરદાન આપનારા તમારા આપ બીજું કોઇ નથી. શિવ જે માંગો એ આપે છે એ એમનો સ્વભાવ છે. 
  • એ કારુણિક છે. કારુણિક એટલે કૃપા વરસાવનારા. એ દયાળુ છે, બહુ જ કૃપાળુ છે. કરુણા એમનો સ્વભાવ છે, એટલે તો આપણે એમને કરુણામૂર્તિ કહીએ છીએ. ‘કલકંજલોચન.’
  • ભગવાન શિવની દૃષ્ટિ અસંગ છે. પક્ષપાતી દૃષ્ટિ નથી, અસંગ છે. 
  • હું કામનાના હાથમાં ન રહું એવું કરજો. હરિનામ માણસને પતનમાંથી બચાવી લે છે. કળિયુગમાં કેવળ હરિનામથી જ કામ થઇ જાય છે.

(સંકલન : નીતિન વડગામા)

Read full article at Sunday Bhaskar.




2 comments: