રામ કથા - 959
માનસ માર્ગી
Little Rock, Arkansas -
USA
શનિવાર, તારીખ 28/06/2025
થી રવિવાર, તારીખ 06/07/2025
કેંદ્રીય વિચાર પંક્તિ
अति हरि कृपा जाहि पर होई।
पाउँ देइ एहिं मारग सोई।।
मिलेहु गरुड़ मारग महँ मोही।
कवन भाँति समुझावौं तोही॥
Day
1
Saturday,
28/06/2025
एहि महँ रुचिर सप्त सोपाना।
रघुपति भगति केर पंथाना।।
अति हरि कृपा जाहि पर होई। पाउँ देइ एहिं मारग सोई।।2।।
इसमें सात सुन्दर सीढ़ियाँ हैं, जो श्रीरघुनाथजीकी
भक्ति को प्राप्त करनेके मार्ग हैं। जिसपर श्रीहरि की अत्यन्त कृपा होती है, वही इस
मार्ग पर पैर रखता है।।2।।
मिलेहु गरुड़ मारग महँ मोही। कवन भाँति समुझावौं तोही॥
तबहिं होइ सब संसय भंगा। जब
बहु काल करिअ सतसंगा॥2॥
हे गरुड़! तुम मुझे रास्ते में मिले हो। राह चलते
मैं तुम्हे किस प्रकार समझाऊँ? सब संदेहों का तो तभी नाश हो जब दीर्घ काल तक सत्संग
किया जाए॥2॥
માર્ગી એટલે નિરંતર માર્ગ ઉપર ચાલનાર પથિક.
માનસના દરેક સોપાનમાં માર્ગીનો ઉલ્લેખ છે.
બાલકાંડમાં ૪ માર્ગી
છે.
ભગવાન વશિષ્ટ
માર્ગી છે, તેઓ પ્રારબ્ધ માર્ગના માર્ગી છે, નસીબવાદી છે.
મહર્ષિ વિશ્વામિત્ર
માર્ગી છે, તેઓ પુરુષાર્થ માર્ગના માર્ગી છે, કર્મ માર્ગના માર્ગી છે, કર્મ માર્ગી
છે.
ભગવાન શિવ
માર્ગી છે, સતીના વિયોગમાં વિચરણ કરે છે, વૈરાગી બનીને ફરે છે.
દેવર્ષિ નારદ
માર્ગી છે, તેમની ગતિ સર્વત્ર છે.
અયોધ્યાકાંડમાં રામ, લક્ષ્મણ, જાનકી જે ત્રણેય બ્રહ્મ છે અને
બ્રહ્મ બનીને ફરે છે.
ભરતજી પ્રેમ
માર્ગના માર્ગી છે.
सिय राम प्रेम पियूष पूरन
होत जनमु न भरत को।
मुनि मन अगम जम नियम सम दम
बिषम ब्रत आचरत को॥
दुख दाह दारिद दंभ दूषन सुजस
मिस अपहरत को।
कलिकाल तुलसी से सठन्हि हठि
राम सनमुख करत को॥
श्री सीतारामजी के प्रेमरूपी अमृत से परिपूर्ण भरतजी
का जन्म यदि न होता, तो मुनियों के मन को भी अगम यम, नियम, शम, दम आदि कठिन व्रतों
का आचरण कौन करता? दुःख, संताप, दरिद्रता, दम्भ आदि दोषों को अपने सुयश के बहाने कौन
हरण करता? तथा कलिकाल में तुलसीदास जैसे शठों को हठपूर्वक कौन श्री रामजी के सम्मुख
करता?
અરણ્યકાંડમાં શબરી માર્ગી છે જે બુદ્ધ માર્ગની માર્ગી
છે, તે અહિંસક છે તેથી તે બુદ્ધ માર્ગી છે તેમજ યોગ માર્ગી પણ છે.
કિષ્કિંધાકાંડમાં સુગ્રીવ ભોગ માર્ગી છે, વિષયી
જીવ છે, વિષય માર્ગી, ભોગ માર્ગી છે.
આસક્તિ અનંત હોય પણ જીવન અનંત ન હોય.
સુંદરકાંડમાં હનુમાનજી જ્ઞાન માર્ગના માર્ગી છે,
આકાશ માર્ગી છે.
લંકાકાંડમાં રાવણ, કુંભકર્ણ, ઈંદ્રજીત વગેરે ભોગ
માર્ગી છે, યુદ્ધ માર્ગી છે.
ઉત્તરકાંડમાં કાકભુષુંડી કથા માર્ગના માર્ગી છે.
આદિ શંકર, શુકદેવ વગેરે પણ માર્ગી છે.
આપણે બધા પણ માર્ગી જ છીએ. ભગવાન કૃપાથી મનુષ્ય
થયા છીએ. જ્યારે ભગવાનની અતિ કૃપા થાય ત્યારે જ આ માર્ગના પથિક બની શકાય.
રામાયણ કયા માર્ગે ચાલવું એ કહે છે જ્યારે મહાભારત
કયા માર્ગે ન ચાલવું તે કહે છે.
જીવન જીવવા માટે વાણી અને વિનય જરુરી છે.
કપિ અને કવિ પણ માર્ગી છે.
Day 2
Sunday, 29/06/2025
માનસના સાત સોપાન આંતરિક યાત્રાના ૭ માર્ગ છે.
આપણું હ્મદય એ આપણું ઘર છે.
૧ પ્રથમ સોપાન બાલકાંડનો આંતરિક યાત્રા માર્ગ
એવું દર્શાવે છે કે બાળકની માફક નિર્દોષ રહેવાની ચેષ્ટા કરવી.
૨ માનસના બીજા સોપાન અયોધ્યાકાંડ એવું દર્શાવે
છે કે યુવાનીમાં થોડો સંયમ રાખવો. કોઈ પણ વસ્તુમાં અતિશયથી બચવું.
૩ માનસના ત્રીજા સોપાન અરણ્યકાંડ એ દર્શાવે
છે કે આપણે થોડું મૌન રાખવું. મૌન એ એક સફળ પ્રયોગ છે.
મૌન ગુરુ છે, ગુરુ મૌન છે.
૪ માનસના ચોથા સોપાન કિષ્કિંધાકાંડનો સંદેશ
એ છે કે બધા સાથે મૈત્રી કરવી.
૫ માનસના પાંચમા સોપાન સુંદરકાંડ એ દર્શાવે
છે કે જીવનમાં કોઈ પણ સમસ્યા આવે તેના પહેલાં તેનું સમાધાન આવી જ ગયું હોય છે.
૬ માનસના છઠ્ઠા સોપાન લંકાકાંડ એ કહે છે કે
કોઈની સાથે સ્પર્ધા કે સંઘર્ષમાં ન ઊતરવું.
૭ માનસના સાતમા સોપાન ઉત્તરકાંડ મુજબ પાયો
પરમ વિશ્રામ એવું અનુભવવું, હવે કશું વધારે નથી જોઈતું એવો સંતોષભાવ રાખવો.
ભજનાનંદી મહાપુરુષનું અનુમાન પ્રમાણ બની જાય છે.
દ્વૈત બુદ્ધિથી જ ક્રોધ પેદા થાય છે.
कबहुँ कि दुःख सब कर हित ताकें।
तेहि कि दरिद्र परस मनि जाकें॥
परद्रोही की होहिं निसंका।
कामी पुनि कि रहहिं अकलंका॥1॥
सबका हित चाहने से क्या कभी दुःख हो सकता है? जिसके
पास पारसमणि है, उसके पास क्या दरिद्रता रह सकती है? दूसरे से द्रोह करने वाले क्या
निर्भय हो सकते हैं और कामी क्या कलंकरहित (बेदाग) रह सकते हैं?॥1॥
बंस कि रह द्विज अनहित कीन्हें।
कर्म की होहिं स्वरूपहि चीन्हें॥
काहू सुमति कि खल सँग जामी।
सुभ गति पाव कि परत्रिय गामी॥2॥
ब्राह्मण का बुरा करने से क्या वंश रह सकता है?
स्वरूप की पहिचान (आत्मज्ञान) होने पर क्या (आसक्तिपूर्वक) कर्म हो सकते हैं? दुष्टों
के संग से क्या किसी के सुबुद्धि उत्पन्न हुई है? परस्त्रीगामी क्या उत्तम गति पा सकता
है?॥2॥
धूत कहौ, अवधूत कहौ, रजपूतु
कहौ, जोलहा कहौ कोऊ।
काहू की बेटी सों, बेटा न
ब्याहब, काहू की जाति बिगार न सोऊ।
तुलसी सरनाम गुलामु है राम
को, जाको, रुचै सो कहै कछु ओऊ।
माँगि कै खैबो, मसीत को सोईबो,
लैबो को, एकु न दैबे को दोऊ॥
चाहे कोई मुझे धूर्त कहे अथवा परमहंस कहे, राजपूत
कहे या जुलाहा कहे, मुझे किसी की बेटी से तो बेटे का ब्याह करना नहीं है, न मैं किसी
से संपर्क रखकर उसकी जाति ही बिगाड़ूँगा। तुलसीदास तो श्रीराम का प्रसिद्ध ग़ुलाम है,
जिसको जो रुचे सो कहो। मुझको तो माँग के खाना और मसजिद (देवालय) में सोना है, न किसी
से एक लेना है, न दो देना है।
मेरे जाति पाँति, न चहौं काहू
की जाति पाँति,
मेरे कोऊ काम को न हौं काहू के काम को।
लोक परलोक रघुनाथ ही के हाथ
सब,
भारी है भरोसो तुलसी के एक नाम को॥
अति ही अयाने उपखानो नहिं
बूझैं लोग,
साहही को गोत गोत होत है गुलाम को।
भव कि परहिं परमात्मा बिंदक।
सुखी कि होहिं कबहुँ हरिनिंदक।।
राजु कि रहइ नीति बिनु जानें।
अघ कि रहहिं हरिचरित बखानें।।3।।
परमात्मा को जानने वाले कहीं जन्म-मरण [के चक्कर]
में पड़ सकते हैं ? भगवान् की निन्दा करनेवाले कभी सुखी हो सकते हैं ? नीति बिना जाने
क्या राज्य रह सकता है ? श्रीहरिके चरित्र वर्णन करनेपर क्या पाप रह सकते हैं ?।।3।।
पावन जस कि पुन्य होई। बिनु
अघ अजस कि पावइ कोई।।
लाभु कि किछु हरि भगति समाना।
जेहि गावहिं श्रुति संत पुराना।।4।।
बिना पुण्य के क्या पवित्र यश [प्राप्त] हो सकता
है ? बिना पापके भी क्या कोई अपयश पा सकता है ? जिसकी महिमा वंद संत और पुराण गाते
हैं उस हरि-भक्ति के समान क्या कोई दूसरा भी है ?।।4।।
हानि कि जग एहि सम किछु भाई।
भजिअ न रामहि नर तनु पाई।।
अघ कि पिसुनता सम कछु आना।
धर्म कि दया सरिस हरिजाना।।5।।
हे भाई ! जगत् में क्या इसके समान दूसरी भी कोई
हानि है कि मनुष्य का शरीर पाकर भी श्रीरामजीका भजन न किया जाय ? चुगलखोरी के समान
क्या कोई दूसरा पाप है ? और हे गरुड़जी ! दया के समान क्या कोई दूसरा धर्म है ?।।5।।
एहि बिधि अमिति जुगुति मन
गुनऊँ। मुनि उपदेस न सादर सुनऊँ।।
पुनि पुनि सगुन पच्छ मैं रोपा।
तब मुनि बोलेउ बचन सकोपा।।6।।
इस प्रकार मैं अनगिनत युक्तियाँ मन में विचारता
था और आदर के साथ मुनिका उपदेश नहीं सुनता था। जब मैंने बार-बार सगुण का पक्ष स्थापित
किया, तब मुनि क्रोधयुक्त वचन बोले-।।6।।
માનસનું યુદ્ધ બુદ્ધત્વ માટે થયું છે.
ગુરુ, કૂળદેવી અને ઈષ્ટ દેવમાંથી અંતકાળે કોને યાદ
કરવા?
અંતકાળમાં જે સહજ યાદ આવે તેને યાદ કરવા.
માનસમાં મારગ શબ્દ ૧૫ વખત, મારગુ શબ્દ ૨ વખત નએ
કુમાર્ગ શબ્દ ૪ વખત આવ્યો છે.
માનસમાં કુમારગ શબ્દ વપરાયો હોય તેવી પંક્તિઓ ……….
૧
बिरति बिबेक बिनय बिग्याना।
बोध जथारथ बेद पुराना॥
दंभ मान मद करहिं न काऊ। भूलि न देहिं कुमारग पाऊ॥3॥
तथा वैराग्य,
विवेक, विनय, विज्ञान (परमात्मा के तत्व का ज्ञान) और वेद-पुराण का यथार्थ ज्ञान रहता
है। वे दम्भ, अभिमान और मद कभी नहीं करते और भूलकर भी कुमार्ग पर पैर नहीं रखते॥3॥
૨
खायउँ फल प्रभु लागी भूँखा।
कपि सुभाव तें तोरेउँ रूखा॥
सब कें देह परम प्रिय स्वामी।
मारहिं मोहि कुमारग गामी॥2॥
हे (राक्षसों के) स्वामी मुझे भूख लगी थी, (इसलिए)
मैंने फल खाए और वानर स्वभाव के कारण वृक्ष तोड़े। हे (निशाचरों के) मालिक! देह सबको
परम प्रिय है। कुमार्ग पर चलने वाले (दुष्ट) राक्षस जब मुझे मारने लगे॥2
૩
रे त्रिय चोर कुमारग गामी। खल मल रासि मंदमति
कामी॥
सन्यपात जल्पसि दुर्बादा।
भएसि कालबस खल मनुजादा॥3॥
अरे स्त्री
के चोर! अरे कुमार्ग पर चलने वाले! अरे दुष्ट, पाप की राशि, मन्द बुद्धि और कामी! तू
सन्निपात में क्या दुर्वचन बक रहा है? अरे दुष्ट राक्षस! तू काल के वश हो गया है!॥3॥
૪
दीन बंधु दयाल रघुराया। देव
कीन्हि देवन्ह पर दाया॥
बिस्व द्रोह रत यह खल कामी।
निज अघ गयउ कुमारगगामी॥2॥
हे दीनबन्धु! हे दयालु रघुराज! हे परमदेव! आपने
देवताओं पर बड़ी दया की। विश्व के द्रोह में तत्पर यह दुष्ट, कामी और कुमार्ग पर चलने
वाला रावण अपने ही पाप से नष्ट हो गया॥2॥
માર્ગી અને પંથીમાં શું ફેર છે?
સામાન્ય અર્થમાં માર્ગી અને પંથી એક જ છે. પણ પંથ
સંકિર્ણ હોય જ્યારે માર્ગ આકાશ સમાન વિશાળ હોય. સનાતન માર્ગ આકાશ જેવો વિશાળ છે જ્યારે
અનેક પંથો સંકિર્ણ છે.
સંસારમાં રહીને પણ વૈરાગી બની શકાય.
ભરદ્વાજમુનિના આશ્રમમાં ભગવાન રામને આગળનો માર્ગ
બતાવવા ૫૦ શિષ્ય આવે છે. આ પચાસ શિષ્ય એ નીચે મુજબ છે.
ચાર વેદ, છ શાસ્ત્ર, અઢાર પુરાણ, દશ પ્રધાન સ્મૃતિ
ગ્રંથ અને બાર ઉપનિષદ (૪+૬+૧૮+૧૦+૧૨ = ૫૦).
આમાંથી મુનિ ફક્ત ચાર શિષ્યને પસંદ કરે છે જે ચાર
વૈદિક સનાતન માર્ગના છે.
રામનામ્ને વારંવાર સ્મરવુ એ વિધી છે જ્યારે રામને
વિસારવા એ નિષેધ છે.
तेहि अवसर एक तापसु आवा। तेजपुंज
लघुबयस सुहावा॥
कबि अलखित गति बेषु बिरागी।
मन क्रम बचन राम अनुरागी॥4॥
उसी अवसर पर वहाँ एक तपस्वी आया, जो तेज का पुंज,
छोटी अवस्था का और सुंदर था। उसकी गति कवि नहीं जानते (अथवा वह कवि था जो अपना परिचय
नहीं देना चाहता)। वह वैरागी के वेष में था और मन, वचन तथा कर्म से श्री रामचन्द्रजी
का प्रेमी था॥4॥
અહી જે તાપસની વાત છે એને ઘણા મહાપુરુષો હનુમાનજી
ગણે છે.
ગુરુ મુખ પ્રમાણે આ તાપસ એ પ્રેમ છે.
પ્રેમ એ એક તપ છે.
બે એક થઈ જાય એ પ્રેમ છે.
I LOVE YOU માંથી I અને YOU કાઢી નાખો અને જે બચે
તે પ્રેમ છે, પ્રેમ જ બાકી રહે, પ્રેમ મુક્ત થઈ જાય.
પ્રેમ તેજસ્વી હોય, તેની એક તેજસ્વીતા હોય.
પ્રેમ કદી વૃદ્ધ ન થાય.
પ્રેમનું વર્ણન કોઈ કવિ ન કરી શકે.
પ્રેમ વૈરાગી હોય, પ્રેમ મન, વચન અને કર્મનો અનુરાગી
હોય.
Day 3
Monday, 30/06/2025
આપણે
સાચા માર્ગ ઉપર હોઈએ અને માર્ગદર્શક પણ હોય છતાંય જો પ્રગતિ ન થાય તો તેની ત્રણ બાધા
છે જેને THREE LITTLE ROCKS કહી શકાય.
આ
ત્રણ બાધા નિંદા, ઈર્ષા અને દ્વેષ છે.
પગમાં
નાનો કાંટો વાગે તો ૫ ફુટના માણસને યાત્રા કરવામાં તકલિફ પડે.
યાત્રામાં
આવતી બધી બાધા બહું નાની હોય છે.
નિંદા માનસની જીભ ઉપર હોય, ઈર્ષા મનમાં હોય અને દ્વેષ
રોમ રોમમાં હોય.
જે
નિંદા કરે તે શરીર પ્રાપ્ત કરી શકે પણ બુદ્ધત્વ પ્રાપ્ત ન કરી શકે.
કથા
વારંવાર સાંભળવી જોઈએ, કારણ કે જ્યારે કોઈ સમયે જીવનમાં વિષમ પરિસ્થિતિ આવશે ત્યારે
આ કથા સાચો માર્ગ બતાવશે.
ઘડિયાળમાં
એલાર્મ વગાડવા માટે ચાવી ભરવી પડે પણ એલાર્મ તો તેના સમયે જ વાગશે. કથા શ્રવણ એ ચાવી
ભરે છે જેથી તેના યોગ્ય સમયે એલાર્મ અવશ્ય વાગે.
उत्तिष्ठत जाग्रत प्राप्य
वरान्निबोधत । क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ।।
(कठोपनिषद्,
अध्याय १, वल्ली ३, मंत्र १४)
હે
મનુષ્ય, ઊઠ, જાગ, સાવધાન થા અને શ્રેષ્ઠને પામ.
લાંબી
યાત્રા હોય અને જો તેના માટે યોગ્ય બુદ્ધ પુરુષ મળી જાય તો તે યાત્રામાં બહું જલ્દીથી
પહોચી જવાય.
જે
નિરંતર આનંદમાં રહે તે જીવન મુક્ત છે. ………. વિવેક ચૂડામણિ
ભગવાન
રામ જે બ્રહ્મ છે તે સત્ય માર્ગના માર્ગી છે. રામ સત્ય છે.
ભરત
પ્રેમ માર્ગના માર્ગી છે.
જાનકી
કરુણા માર્ગના માર્ગી છે.
દશરથ
ધર્મ માર્ગના માર્ગી છે જેના માટે તુલસીદાસજી કહે છે કે ………….
अवधपुरीं रघुकुलमनि राऊ। बेद
बिदित तेहि दसरथ नाऊँ॥
धरम धुरंधर गुननिधि ग्यानी। हृदयँ भगति भति सारँगपानी॥4॥
अवधपुरी में रघुकुल शिरोमणि दशरथ नाम के राजा हुए,
जिनका नाम वेदों में विख्यात है। वे धर्मधुरंधर, गुणों के भंडार और ज्ञानी थे। उनके
हृदय में शांर्गधनुष धारण करने वाले भगवान की भक्ति थी और उनकी बुद्धि भी उन्हीं में
लगी रहती थी॥4॥
કૌશલ્યા વિવેક માર્ગી છે.
સુમિત્રા ત્યાગ અને સમર્પણ માર્ગની માર્ગી છે.
સુમિત્રા લક્ષ્મણને રામ અને જાનકી સાથે વનમાં જવાનો
આદેશ આપે છે જે ત્યાગ છે.
સુમિત્રા લક્ષ્મણ પત્ની ઊર્મિલાને તેમજ શત્રુઘ્ન
પત્ની સુતકિર્તિને પોતાના મહેલમાં આવવાની મનાઈ ફરમાવે છે અને તે બંનેને કૌશલ્યાના ભવનમાં
કૌશલ્યાની સેવા કરવા માટે કહે છે આ પણ ત્યાગ છે.
કૈકેયી બે માર્ગની માર્ગી છે. ભરતની માતાના રુપમાં
તે વંદનીય છે, વંદનીય માર્ગી છે જ્યારે કૈકેયી નરેશ – રાજાની પુત્રીના રુપમાં તે નિંદનીય
છે, નિંદનીય માર્ગી છે. તે ૧૪ વર્ષ મૌન રહે છે.
લક્ષ્મણ સાવધાની અને જાગૃતિ માર્ગનો માર્ગી છે.
શત્રુઘ્નને બધી માતાઓની સેવાનું કાર્ય ભરત સોંપે
છે, તેથી તે મૌન રહીને સેવા કરવાનોમાર્ગી છે.
કૃષ્ણ ભગવાન મધ્યમ માર્ગી છે.
સેવાનું એલાર્મ તેના યોગ્ય સમયે જરુર વાગશે.
મોરારી બાપુનો માર્ગ માનસ છે. શ્રોતાઓએ પણ માનસ
માર્ગી બની જવા જોઈએ.
હનુમાનજી વૈરાગ્ય માર્ગના માર્ગી છે, તેમને કોઈ
ઘર નથી તેથી ભગવાન રામ તેમના રાજ્યાભિષેક અમુક સમય પછી બધાને તેમના ઘરે મોકલી દે છે
પણ હનુમાનજીને નથી મોકલતા.
ભગવાન શંકર વિશ્વાસ માર્ગના માર્ગી છે.
પાર્વતી શ્રદ્ધા માર્ગની માર્ગી છે.
કાકભુષુંડી ઉપાસના માર્ગના માર્ગી છે.
ગરુડ કૃતકૃત્ય ભાવના માર્ગી છે.
તુલસી શરણા ગતિ, પ્રપન્નતા માર્ગના માર્ગી છે.
વૈરાગ્ય ભીતરી હોય છે તેથી વૈરાગ્ય માર્ગી સમજવામાં
નથી આવતા.
તુમ્હરો મંત્ર વિભીષણ માના
।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ
|
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ
॥
અહીં જે મંત્રની વાત છે તે મંત્ર નીચેની ચોપાઈમાં
કહ્યો છે.
राम चरन पंकज उर धरहू। लंका अचल राजु तुम्ह करहू॥
रिषि पुलस्ति जसु बिमल मयंका।
तेहि ससि महुँ जनि होहु कलंका॥1॥
तुम श्री रामजी के चरण कमलों को हृदय में धारण करो
और लंका का अचल राज्य करो। ऋषि पुलस्त्यजी का यश निर्मल चंद्रमा के समान है। उस चंद्रमा
में तुम कलंक न बनो॥1॥
દરવાજો ખટખટાવો, દરવાજો જરુર ખુલશે.
નિષ્ઠાથી પ્રતિષ્ઠા મળે.
દુનિયામાં જે છે તે બધું જ મહાભારતમાં છે. જે મહાભારતમાં
નથી તે દુનિયામાં ક્યાંય નથી.
મોહે ઘણાને અંધ બનાવી દીધા છે.
सुनहु पवनसुत रहनि हमारी। जिमि दसनन्हि महुँ जीभ बिचारी॥
तात कबहुँ मोहि जानि अनाथा।
करिहहिं कृपा भानुकुल नाथा॥1॥
(विभीषण जी ने कहा-) हे पवनपुत्र! मेरी रहनी सुनो।
मैं यहाँ वैसे ही रहता हूँ जैसे दाँतों के बीच में बेचारी जीभ। हे तात! मुझे अनाथ जानकर
सूर्यकुल के नाथ श्री रामचंद्रजी क्या कभी मुझ पर कृपा करेंगे?॥1॥
દાંત અસાધુ છે જ્યારે જીભ સાધુ છે.
અસાધુ ૩૨ હોય જ્યારે સાધુ એક જ હોય.
જીભની માફક સાધુ શાસ્વત હોય જ્યારે અસાધુ દાંતની
માફક આવે, જાય, ન પણ આવે તેવા હોય.
દંત કથા નાશવંત હોય જ્યારે સંત કથા શાસ્વત હોય.
જીવનનો સ્વાદ જીભ માણે છે જ્યારે દાંતને કોઈ સ્વાદ
નથી મળતો.
જીભ બોલે છે તેમ સાધુ પણ બોલે અને જ્યારે તે બોલે
ત્યારે દાંતની કોઈ હેશિયત નથી રહેતી.
સંદેહ અને વિકલ્પ મુક્ત ચિતથી જે કથા શ્રવણ કરશે
તેને ૬ પ્રકારાના રામ રસાયન પ્રાપ્ત થશે.
ક્યારેય બિચારા ન બનવું પણ વિચારી બનવું.
રહીમદાસે જે રામ ચરિત માનસ માતે કહ્યું છે તે અદભુત
છે.
रामचरितमानस बिमल, संतन जीवन
प्रान।
हिन्दुवान को बेद सम, जवनहिं
प्रगट कुरान॥
रहीमदास ने रामचरितमानस के बारे मे कहा है -
"पवित्र रामचरितमानस संतों के जीवन की सांस है। यह हिंदुओं के लिए वेदों के समान
है, और यह मुसलमानों के लिए कुरान का ऐलाननामा है।"
હનુમાન ચાલિસામાં રામ રસાયનની
વાત આવે છે.
રામ રસાયન તુમ્હરે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||
આ ૬ રસાયન નીચે મુજબ છે.
1. સંયમ
2. શીલ
– સારો અને સરલ સ્વભાવ
3. ધૈર્ય
4. શાંત
અન્વેષણ -શાંતિથી ખોજ – શોધ કરવી
5. વિવેક
6. સેતુબંધ
હનુમાન ચાલિસાનો પાઠ કરવાથી આ રસાયણ આપણામાં પણ
આવે.
કબીરના વિચાર વૈશ્વિક વિચાર છે.
સનાતન ધર્મ આદિ અનાદિ માર્ગનો ધર્મ છે.
कतहुँ रहउ जौं जीवति होई।
तात जतन करि आनउँ सोई॥
सुग्रीवहुँ सुधि मोरि बिसारी।
पावा राज कोस पुर नारी॥2॥
कहीं भी रहे, यदि जीती होगी तो हे तात! यत्न करके
मैं उसे अवश्य लाऊँगा। राज्य, खजाना, नगर और स्त्री पा गया, इसलिए सुग्रीव ने भी मेरी
सुध भुला दी॥2॥
Day 4
Tuesday, 01/07/2025
રાવણ યુદ્ધ માર્ગી છે.
કુંભકર્ણ અહંકાર માર્ગી છે.
મેઘનાથ કામ માર્ગી છે.
પ્રેમ માર્ગીની યાત્રા ક્યાંથી શરુ થાય?
ભરત પ્રેમ માર્ગી છે.
પ્રેમ માર્ગીની યાત્રા શૂન્યથી થાય, TOTALLY EMPTY
થઈને થાય.
રુમી પણ કહે છે કે પ્રેમ માર્ગની યાત્રા શૂન્યથી
થાય.
ખાલી થવું એટલે અહંકારથી મુક્ત થવું.
આપણને પ્રારબ્ધ, પુરુષાર્થ કે કૃપાથી જે સ્થિતિ
મળી છે તેનો જરાય અહંકાર ન આવે તેને શૂન્યતા કહેવાય.
પ્રેમ માર્ગની પ્રસ્થાનત્રયી આદિ, મધ્ય અને અંતમાં
પ્રેમ છે.
सिय राम प्रेम पियूष पूरन
होत जनमु न भरत को।
मुनि मन अगम जम नियम सम दम
बिषम ब्रत आचरत को॥
दुख दाह दारिद दंभ दूषन सुजस
मिस अपहरत को।
कलिकाल तुलसी से सठन्हि हठि
राम सनमुख करत को॥
श्री सीतारामजी के प्रेमरूपी अमृत से परिपूर्ण भरतजी
का जन्म यदि न होता, तो मुनियों के मन को भी अगम यम, नियम, शम, दम आदि कठिन व्रतों
का आचरण कौन करता? दुःख, संताप, दरिद्रता, दम्भ आदि दोषों को अपने सुयश के बहाने कौन
हरण करता? तथा कलिकाल में तुलसीदास जैसे शठों को हठपूर्वक कौन श्री रामजी के सम्मुख
करता?
कुंद इंदु सम देह उमा रमन
करुना अयन।
जाहि दीन पर नेह करउ कृपा
मर्दन मयन॥4॥
जिनका कुंद के पुष्प और चन्द्रमा के समान (गौर)
शरीर है, जो पार्वतीजी के प्रियतम और दया के धाम हैं और जिनका दीनों पर स्नेह है, वे
कामदेव का मर्दन करने वाले (शंकरजी) मुझ पर कृपा करें॥4॥
પ્રેમ માર્ગીનું ભાથું સાત્વિક, ગુણાતિર, મૌલિક
શ્રદ્ધા છે. શ્રદ્ધાને કોઈ અલંકારની જરુર નથી.
તામસી, રાજશ્રી શ્રદ્ધા યોગ્ય નથી.
भवानीशंकरौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ।
याभ्यां विना न पश्यन्ति सिद्धाः
स्वान्तःस्थमीश्वरम्॥
श्रद्धा और विश्वास के स्वरूप श्री पार्वतीजी और
श्री शंकरजी की मैं वंदना करता हूँ, जिनके बिना सिद्धजन अपने अन्तःकरण में स्थित ईश्वर
को नहीं देख सकते॥
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની
શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની
સહી નથી.
– જલન માતરી
પ્રેમ માર્ગીએ સાધુનો સંગ લેવો જોઈએ. જો સાધુ ન
મળે તો સાધુના વિચારનો, સાધુના સ્વભાવનો સાથ લેવો જોઇએ.
जे श्रद्धा संबल रहित नहिं
संतन्ह कर साथ।
तिन्ह कहुँ मानस अगम अति जिन्हहि
न प्रिय रघुनाथ॥ 38॥
जिनके पास श्रद्धारूपी राह खर्च नहीं है और संतों
का साथ नहीं है और जिनको रघुनाथ प्रिय नहीं हैं, उनके लिए यह मानस अत्यंत ही अगम है।
38॥
પ્રેમ માર્ગિ માટે કોઈ વિશ્રામ નથી હોતો.
લક્ષ્ય સુધી ન પહોંચાય ત્યાં સુધી વિશ્રામ ન લેવાય.
આરામ હરામ નથી પણ આરામ જ હે રામ છે.
પ્રેમ માર્ગીનો માર્ગ આરામનો માર્ગ નથી.
વ્યાસપીઠ મોસમી ન હોય, વ્યાસપીઠને ગરમી, શરદી જેવી
મોસમ ન નડે, ગરમી, શરદી કોઈ અસર ન કરે.
મૃત્યુ ઘ્રુવ છે.
પ્રેમ માર્ગી માટે કોઈ વિશ્રામ નથી, પ્રેમ માર્ગીને
પૂર્ણ વિશ્રામ ન મળે પણ પરમ વિશ્રામ જરુર મળે.
વક્તાએ શ્રોતા સુધી પહોંચવાનું હોય છે.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં
ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું, ફક્ત
એકમેકના મન સુધી…
– ગની
દહીંવાળા
श्रोता बकता ग्याननिधि कथा
राम कै गूढ़।
किमि समुझौं मैं जीव जड़ कलि
मल ग्रसित बिमूढ़॥ 30(ख)॥
श्री राम की गूढ़ कथा के वक्ता और श्रोता ज्ञान
के खजाने होते हैं। मैं कलियुग के पापों से ग्रसा हुआ महामूढ़ जड़ जीव भला उसको कैसे
समझ सकता था?॥ 30(ख)॥
પોથીનો બહું ભાર નથી હોતો પણ જ્યારે પોથીને માથે
ધરવામાં આવે છે ત્યારે તેનો ભાર સહન કરવો અઘરો છે.
सुंदर सुजान कृपा निधान अनाथ
पर कर प्रीति जो।
सो एक राम अकाम हित निर्बानप्रद
सम आन को॥
जाकी कृपा लवलेस ते मतिमंद
तुलसीदासहूँ।
पायो परम बिश्रामु राम समान
प्रभु नाहीं कहूँ॥3॥
(परम) सुंदर, सुजान और कृपानिधान तथा जो अनाथों
पर प्रेम करते हैं, ऐसे एक श्री रामचंद्र जी ही हैं। इनके समान निष्काम (निःस्वार्थ)
हित करने वाला (सुहृद्) और मोक्ष देने वाला दूसरा कौन है? जिनकी लेशमात्र कृपा से मंदबुद्धि
तुलसीदास ने भी परम शांति प्राप्त कर ली, उन श्री रामजी के समान प्रभु कहीं भी नहीं
हैं॥3॥
પ્રેમ માર્ગીનું લક્ષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરવાનું
નથી પણ શુદ્ધ થવાનું છે.
પ્રેમ માર્ગીને રસ્તામાં કાંટા કંકણથી બચવા માટે
ફાનસની જરુર નથી પણ માનસની – કોઈ ગ્રંથની જરુર છે.
પ્રેમ માર્ગીની છત્રી દ્રઢ ભરોંસો છે.
સત્યના માર્ગીની મંઝિલ અભય છે.
રાવણ બળવાન છે પણ અભય નથી.
પ્રેમ માર્ગીની મંઝિલ ત્યાગ છે.
કરુણામાર્ગીની મમ્ઝિલ અહિંસા છે.
ગુજરાતી ભાષા ધર્મ છે.
હિંદી ભાષા અર્થ છે.
અંગ્રેજી ભાષા કામ છે – કામની ભાષા છે.
સંસ્કૃત ભાષા મોક્ષ છે.
મનુષ્ય શરીર મળવું એ પરમાત્માની કૃપા છે.
દુર્લભં ત્રયમેવૈતદ્દેવાનુગ્રહહેતુકમ્
।
મનુષ્યત્વં મુમુક્ષુત્વં મહાપુરુષસંશ્રયઃ
॥ 3॥
दुर्लभं त्रयमेवैतद्देवानुग्रहहेतुकम्
।
मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः
॥ 3॥
મનુષ્ય
જીવન, મુમુક્ષા અને મહાપુરુષનો સંગ દુર્લભ છે.
આદિ શંકર
આપણે
ઘણી વખત કહીએ છીએ કે જીવન બે દિવસનું છે. આમ ખરેખર જીવન બે જ દિવસનું છે જેમાં એક દિવસ
જન્મ દિવસ છે અને બીજો દિવસ મૃત્યુ દિવસ છે. આ બે દિવસ વચ્ચેના દિવસો એ જીંદગીનો પ્રવાહ
છે.
અતિ
કૃપાના લૌકિક ઊદાહરણ …………
૧ પથારીમાં
પડીએ અને તરત જ ઊંઘ આવી જાય એ પરમાત્માની કૃપા છે.
જો ઊંઘ ન આવે તો બેરખો ફેરવવો.
૨ કકડતી
ભૂખ ખૂખ લાગવી એ હરિ કૃપા છે.
૩ ગમે
તે કપડામ પહેરીએ તોય સુંદર લાગીએ એ હરિ કૃપા છે.
૪ જ્યાં
જઈએ ત્યાં આદર/આસન મળે એ હરિ કૃપા છે.
અનિદ્રાના
ચાર કારણ છે.
1.
બળવાન
શત્રુઓની યાદ આવવાથી નિંદ્રા ન આવે.
2.
કરજદારને
નિંદ્રા ન આવે.
3.
ચોર
વૃત્તિ વાળાને ઊંઘ ન આવે.
4.
લૌકિક
રીતે પ્રેમ કરનારને ઊંઘ ન આવે.
યુદ્ધ
જીતવું એ વિજય નથી પણ યુદ્ધ રોકવું એ વિજય છે.
સનાતનના
ત્રણ માર્ગ છે, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ.
જ્ઞાન
માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગમાં અનેક વિઘ્ન આવે.
કર્મ
માર્ગમાં કર્તાપણાના આવવાનો અહંકાર બાધા છે.
જ્ઞાન
માર્ગમાં જ્ઞાનીપણાનો અહંકાર બાધા છે, જ્ઞાન માર્ગમાં જો બ્રહ્મ ભાવ ન આવે તો તે પણ
બાધા છે.
અધુરું
જ્ઞાન બંદી બનાવી દે. YES, WE ARE THEREE AND DON’T WORRY.
માનસમાં
વ થી શરુ થતાં નામ મહિમાવંત છે જેમ કે વશિષ્ટ, વિશ્વામિત્ર, વાલ્મીકિ વગેરે
ભક્તિ
માર્ગની પાંચ બાધાઓ છે. આ પાંચ બાધા ભરતને તેના ભક્તિ માર્ગમાં નડે છે.
1.
વ્રત
ભંગ
2.
સમાજ
ગેરસમજ કરે
3.
દેવતા
વિઘ્ન કરે
4.
મુનિ
ઋષિ કસોટી કરે
5.
પોતાના
પરિવાર જનો વિરોધ કરે અને મારવા સુધી તૈયાર થાય.
કર્મ
માર્ગની બાધા કર્તાપણાનો અહંકાર છે.
સારા
માર્ગના વ્યક્તિના ૫ કાળ છે.
1.
વ્યવહાર
કાળ – સમાજના વ્યવહાર નિભાવવા માટે જવું પડે.
2.
હર્ષ
કાળ જેમાં અતિશય હર્ષમાં આવી જઈ ઘરનું કામકાજ નકરવું, કર્તવ્ય કર્મ છોડી દેવું.
3.
શોક
કાળ
4.
વિપત્તિ
કાળ – કોઈ વિપત્તિ આવે.
5.
વિદાય
કાળ
ઉપરોક્ત
વિચાર સ્વામી સચિદાનંદના છે.
Day 5
Wednesday, 02/07/2025
પ્રેમમાં
લેણ દેણ, ભાવ, પ્રતિભાવ ન હોય પણ ભાવ અને મહાભાવ હોય.
નૃત્ય
ત્રણ રીતે થાય – શરીરથી નૃત્ય થાય, મનની અવસ્થામાં નૃત્ય થાય જેને દેહાતિત નૃત્ય કહેવાય
અને આત્માથી થતું નૃત્ય.
અન્ન
બ્રહ્મ છે, અન્નથી મન નિર્મિત થાય.
મદ્યપાન
અને જુગાર જેવી લતોએ બહું નુકશાન કર્યું છે.
ગમે
તેટલા મોટા વ્યક્તિમાં પણ નાની કમજોરી હોય.
નાનું
સરખું કાણુ પણ નૌકાને ડૂબાડી દે.
પ્રેમમાં
પીડા, તિવ્ર વિયોગ પણ સુખદ હોય છે.
ભગવાન
કૃષ્ણ પણ નિયતિને નથી રોકી શકતા.
જગત
મિથ્યા છે એવું શંકરાચાર્ય જ બોલી શકે.
જગત
સ્ફૂર્તિ છે એવું વિનોબાએ કહ્યું છે.
ધૈર્ય
રાખવાથી ક્રોધ ઓછો થાય.
ભૂતકાળને
ભૂલી જાવ, ભવિષ્યકાળની ચિંતા ન કરો પણ વર્તમાનમાં જીવો.
જ્યાંથી
શુભ મળે તેનો સ્વીકાર કરો.
आ नो भद्राः क्रतवो यन्तु
विश्वतोऽदब्धासो अपरितासउद्भिदः।
देवा नो यथा सदमिद् वृधे असन्नप्रायुवो
रक्षितारो दिवे दिवे॥
"Let noble thoughts come to us from every side.”
राशिद" किसे सुनाते गली
में हम तेरी ग़ज़ल,
उनके दर का कोई दरीचा खुला
न था.
પરમાત્મા
જ દુનિયા છે.
सर्वं
खल्विदं ब्रह्म - all this is surely brahma (supreme divinity
દરેક
કલાને તેની મર્યાદા, સીમા હોય છે.
કોઈને
બાધક બને એ સાધક છે જ નહીં.
માર્ગ
અને મારગમાં શું ફેર છે?
માર્ગ
શિષ્ટ શબ્દ છે, શ્લોક ભાષાનો શબ્દ છે, વિદ્વાનની ભાષાનો શબ્દ છે.
મારગ
અશિષ્ટ ભાષાનો શબ્દ છે, લોકભાષાનો શબ્દ છે, કબીર/નાનક/ગંગાસતીની ભાષાનો શબ્દ છે, સાધુની
ભાષાનો શબ્દ છે.
તેવી
જ રીતે શબ્દ અને શબદ પણ છે.
માર્ગ
ચાલવાની પ્રેરણા આપે જ્યારે મારગ આમંત્રિત કરે.
ત્રણ
માર્ગ છે – રાજકીય માર્ગ, શુદ્ધ આધ્યાત્મિક માર્ગ અને પારિવારિક માર્ગ.
પારિવારિક
માર્ગમાં ત્રણ માર્ગ છે.
૧ પુત્ર
પિતાના માર્ગે ચાલે.
પિતા જો પ્રેમી હોય તો પુત્રએ તેના માર્ગે
ચાલવું જોઈએ. રામ તેના પિતા દશરથના માર્ગે ચાલે છે.
૨ પત્ની
પતિના માર્ગે ચાલે.
પતિ પ્રેમી હોય, સત્ય હોય
તો પત્નીએ તેના માર્ગે ચાલવું જોઈએ.
નારી રત્નોની ખાણ છે.
૩ પુત્રી
માતાના માર્ગે ચાલે.
માતા કરુણામૂર્તિ હોય તો પુત્રીએ
માતાના માર્ગે ચાલવું જોઈએ.
कोई
तितली नहीं बताती है तेरी ख़ुश्बू कहाँ से आती है. ……….. FAHMI BADAYUNI
જે
રાજા નિતિ પ્રતિ પાલક હોય, પ્રજા પાલક હોય તો તેના માર્ગે ચાલવું જોઈએ.
બુદ્ધ
પુરુષના માર્ગે કેવી રીતે ચાલવું?
ગ્રંથ
સદગુરુ છે તેથી તેના માર્ગે ચાલવું જોઈએ.
सदगुर ग्यान बिराग जोग के।
बिबुध बैद भव भीम रोग के॥
जननि जनक सिय राम प्रेम के।
बीज सकल ब्रत धरम नेम के॥
ज्ञान,
वैराग्य और योग के लिए सद्गुरु हैं और संसाररूपी भयंकर रोग का नाश करने के लिए देवताओं
के वैद्य (अश्विनीकुमार) के समान हैं। ये सीताराम के प्रेम के उत्पन्न करने के लिए
माता-पिता हैं और संपूर्ण व्रत, धर्म और नियमों के बीज हैं।
આધ્યાત્મિક
માર્ગે ચાલવાની રીત ……
જાણવા
જેવું કંઈ હોય તો તે રામ નામ – હરિ નામ છે.
बिस्वास एक राम - नामको ।
નામ લેતા લેતા નામીની ઓળખાણ થઈ જાય.
આપણો માર્ગ હરિ નામથી શરુ થાય છે.
નામની આગળ વાણી છે જે બીજો માર્ગ છે.
વાણીની આગળ મન છે – મન લગાવીને વાણી બોલવી, કિર્તન
કરવું.
મનથી આગળ ધ્યાન છે. રામ નામ મનથી લઈએ તો ધ્યાન લાગી
જાય અને આંખમાં આંસુ આવી જાય.
ધ્યાનથી આગળ ચિત છે.
ચિતથી આગળ જ્ઞાન છે.
જ્ઞાનથી આગળ વિજ્ઞાન છે.
વિજ્ઞાનથી આગળ બળ છે જે આત્મ બળ છે, પ્રાણ બળ છે.
આત્મ બળથી આગળ અન્ન છે.
અન્નથી આગળ જલ છે.
જલથી આગળ તેજ છે.
તેજથી આગળ આકાશ છે.
આકાશથી આગળ સુમિરન છે.
સત્યના માર્ગીને કોઈ સાથીની જરુર નથી.