Translate

Search This Blog

Saturday, January 17, 2026

માનસ સનાતન ધર્મ - 971

 

રામ કથા – 971

માનસ સનાતન ધર્મ - 971

New Delhi

શનિવાર, તારીખ 17/01/2026 થી રવિવાર, તારીખ 25/01/2026

મુખ્ય ચોપાઈ

 

परम धर्म श्रुति बिदित अहिंसा।

पर निंदा सम अघ न गरीसा॥

धरमु न दूसर सत्य समाना।

आगम निगम पुरान बखाना॥

जेहि बिधि प्रभु प्रसन्न मन होई।

करुना सागर कीजिअ सोई॥

1

Saturday, 17/01/2026

 

संत उदय संतत सुखकारी। बिस्व सुखद जिमि इंदु तमारी॥

परम धर्म श्रुति बिदित अहिंसा। पर निंदा सम अघ न गरीसा॥11॥

 

 

और संतों का अभ्युदय सदा ही सुखकर होता है, जैसे चंद्रमा और सूर्य का उदय विश्व भर के लिए सुखदायक है। वेदों में अहिंसा को परम धर्म माना है और परनिन्दा के समान भारी पाप नहीं है॥11॥

 

धरमु न दूसर सत्य समाना। आगम निगम पुरान बखाना॥

मैं सोइ धरमु सुलभ करि पावा। तजें तिहूँ पुर अपजसु छावा॥3॥

 

वेद, शास्त्र और पुराणों में कहा गया है कि सत्य के समान दूसरा धर्म नहीं है। मैंने उस धर्म को सहज ही पा लिया है। इस (सत्य रूपी धर्म) का त्याग करने से तीनों लोकों में अपयश छा जाएगा॥3॥

 

नतरु जाहिं बन तीनिउ भाई। बहुरिअ सीय सहित रघुराई॥

जेहि बिधि प्रभु प्रसन्न मन होई। करुना सागर कीजिअ सोई॥1॥

 

अथवा हम तीनों भाई वन चले जाएँ और हे श्री रघुनाथजी! आप श्री सीताजी सहित (अयोध्या को) लौट जाइए। हे दयासागर! जिस प्रकार से प्रभु का मन प्रसन्न हो, वही कीजिए॥1॥

સત્ય, પ્રેમ, કરુણા અને અહિંસા જ સનાતન ધર્મ છે.

વૈદિક શબ્દ બ્રહ્મમાં વૈ નો સંકેત વૈશ્વિક છે અને દ નો સંકેત દશા છે જેથી જે વૈશ્વિક માર્ગદર્શન કરે છે તે વૈદિક છે.

સત્ય, પ્રેમ, કરુણા પ્રસ્થાનત્રયી છે.

સનાતન ધર્મ શાસ્વત ધર્મનો પર્યાય છે, સનાતન ધર્મનો આદિ અંત નથી.

સનાતન ધર્મનું મૂળ ઊર્ધ્વ મૂળ છે જેને ત્યાં સુધી પહોંચી કોઈ છેદન કરી શકવા સમર્થ નથી.

રામ, કૃષ્ણ, ભગવાન શિવ, પરમ અંબા, મહાવીર, બુદ્ધ, વિશ્વ મંગલધારાના બધાજ મહાપુરુષ સનાતન છે.

જે મહાવીર છે તે ભીતરના શત્રુને મારે છે. કોઈને માર્યા વિના તારે એ પરમવીર છે.

સોમનાથની મૂરત તુટી છે પણ તેની સુરત નથી તુટી.

રામ ચરિત માનસ વૈશ્વિક ગ્રંથ છે, સંકીર્ણ ગ્રંથ નથી.

 વિશ્વાસ ત્રિલોચન છે.

2

Sunday, 18/01/2026

સત્ય ભગવાન રામનો પ્રભાવ છે.

રામ સત્ય સ્વરુપ છે.

પ્રેમ પ્રભુનો સ્વભાવ છે.

કરુણા પ્રભુની ધારા – પ્રવાહ છે.

સત્ય, પ્રેમ અને કરુણા સનાતન ધર્મની પ્રસ્થાનત્રયી છે.

અહિંસા વેદ વિદિત પરમ ધર્મ છે.

વેદ પ્રણિત સનાતન ધર્મનાં ૮ લક્ષણ છે, કેંદ્ર બિંદુ છે, લક્ષણ એટલે સ્વભાવ.

બાર ગાઉએ બોલી બદલે,

તરુવર બદલે શાખા,

ઘડપણમાં કેશ બદલે,

પણ લખણ ન બદલે લાખા

સનાતન ધર્મ એટલો વિશાળ છે કે તેને આકાશ પણ નાનું પડે.

આકાશ અસીમ છે.

1       ગગન સિદ્ધાંત એ સનાતન ધર્મનું લક્ષણ છે. સનાતન ધર્મ અસીમ છે.

સનાતન ધર્મ ગગન સદ્રશમ છે.

ધર્મ એટલે શુદ્ધ આધ્યાતમ.

હિંદુ હોવાનો મને ગર્વ છે. …… ગાંધીજી

દિલ્હીનું દિલ ગાંધી સમાધિ છે.

સત્ય સનાતન ધર્મનો સ્વભાવ છે.

2       રુત સનાતન ધર્મનો સ્વભાવ છે.

આભના થાંભલા રોજ ઉભા રહે

વાયુનો વીંઝણો રોજ હાલે,

ઉદય અને અસ્તના દોરડા ઉપરે

નટ બની રોજ રવિરાજ મ્હાલે,

ભાગતી ભાગતી, પડી જતી પડી જતી,

રાત નવ સૂર્યને હાથ આવે,

કર્મવાદી  બધા  કર્મ  કરતા  રહે

એમને  ઉાંઘવું  કેમ  ફાવે ?

घन घमंड नभ गरजत घोरा। प्रिया हीन डरपत मन मोरा॥

दामिनि दमक रह नघन माहीं। खल कै प्रीति जथा थिर नाहीं॥1॥

 

आकाश में बादल घुमड़-घुमड़कर घोर गर्जना कर रहे हैं, प्रिया (सीता जी) के बिना मेरा मन डर रहा है। बिजली की चमक बादलों में ठहरती नहीं, जैसे दुष्ट की प्रीति स्थिर नहीं रहती॥1॥

3       યજ્ઞ એ સનાતન ધર્મનો સ્વભાવ છે.

યજ્ઞ એટલે આહુતિ આપવી.

બધાનું નિર્વહન કરતાં કરતાં પોતે પણ આહુત થઈ જવું.

યજ્ઞ બીજા માટે કરવાનો હોય.

4       ધર્મને કર્મમાં પરિવર્તિત કરવો એ સનાતન ધર્મનો સ્વભાવ છે.

અર્થોપાર્જન માટે ધર્મનો ઉપયોગ ન કરવો.

ધર્મ ક્રિયાવિંત કરે, સક્રિય કરે.

ક્રિયાવિંત ધરમ જ રક્ષા કરી શકે.

5       પૂર્વ જન્મ અને પુનઃજન્મ સનાતન ધર્મનો સ્વભાવ છે., વૈદિક સનાતન ધર્મનો સ્વભાવ છે.

કૃષ્ણ પણ ગીતામાં કહે છે કે ……….

बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन।

तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप।।4.5।।

 

श्रीभगवान् बोले -- हे परन्तप अर्जुन ! मेरे और तेरे बहुत-से जन्म हो चुके हैं। उन सबको मैं जानता हूँ, पर तू नहीं जानता।

श्रीभगवान् ने कहा -- हे अर्जुन ! मेरे और तुम्हारे बहुत से जन्म हो चुके हैं, (परन्तु) हे परन्तप ! उन सबको मैं जानता हूँ और तुम नहीं जानते।।

6       ધ્યાન સનાતન ધર્મનો સ્વભાવ છે..

સાચું ધ્યાન એ છે જે કર્મ અને કર્મનું ફળ વિસ્મૃત કરી દે.

ધ્યાન કરતાં કરતાં આંસુ આવે એ રસ છે.

7       આશ્રમ વ્યવસ્થા

બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસશ્રમ એ સ્નાતન ધર્મની આશ્રમ વ્યવસ્થા છે.

મોહનો ક્ષય એ જ મોક્ષ છે.

8       વર્ણાશ્રમ એ સનાતન ધર્મની કર્મ આધારીત વ્યવસ્થા છે જ્યાં ઊંચ નીચની ભાવના નથી.

સમાજને દિક્ષીત કરે તે બ્રાહ્મણ છે.

સમાજની રક્ષા કરે તે ક્ષત્રિય છે.

ભરણ પોષણ કરે તે વૈશ્ય છે.

સેવા કરે તે શુદ્ર છે પણ નિમ્ન નથી.