Translate

Search This Blog

Saturday, January 8, 2011

માનસ ઔષધ

રામ કથા - ૬૯૩

વ્યાસાસન - પૂજ્ય મોરારી બાપુ

માનસ ઔષધ

શ્રી ભારતીય વિદ્યા ભવન

અંધેરી (W)

મુંબઈ

તારીખ ૦૮ જાન્યુઆરી, ૨૦૧૧ થી તારીખ ૧૬ જાન્યુઆરી, ૨૦૧૧

મુખ્ય ચોપાઈ

દેખા સૈલ ન ઔષધ ચીન્હા l

સહસા કપિ ઉપારિ ગિરિ લીન્હા ll

તુરત બૈદ તબ કીન્હિ ઉપાઈ l

ઉઠિ બૈઠે લછિમન હરષાઈ ll

લંકાકાંડ ૫૮, ૬૧

જે પર્વત સુષેણે કહ્યો હતો એ જોઈ વળ્યા પણ ઔષધી ઓળખાઈ નહીં આથી હનુમાનજીએ તરત આખો પર્વત ઉપાડી લીધો. પછી વૈદ્યે ઉપાય કર્યો એટલે લક્ષ્મણજી હસતા હસતા બેઠા થયા.

શનિવાર, તારીખ ૦૮ જાન્યુઆરી, ૨૦૧૧

રામ ચરિત માનસ સ્વયં વૈદ્ય છે.

કામ, ક્રોધ, લોભ મહા રોગ છે.

કામ બાત કફ લોભ અપારા l

ક્રોધ પિત નિત છાતી જારા ll

................ ઉત્તરકાંડ ૧૨૦/૩૦

( કામ એ વાત છે, લોભ એ અપાર કફ છે, અને ક્રોધ એ રોજ છાતીમાં દાહ પેદા કરનાર પિત છે.)

કામ વાયુ છે.

લોભ કફ છે.

ક્રોધ પિત છે.

વાત, પિત અને કફનું સંતુલન બગડે એટલે રોગ થાય.

બુરો પ્રિત કો પંથ,
બુરો જંગલ કો બાંસો,
નાર કો નેહ બુરો,
બુરો મુરખ કો હાંસો

બુરી સમુકી સેવા,
બુરો ભગીની ઘર ભાઈ,
બુરી નાર કુલક્ષ,
બુરો સાસ ઘર જમાઈ

બુરો પેટ પંપાળ હે,
બુરો સરન મેં ભાદનો,
કવિ ગંગ કહે સુન હે શાહ અકબર,
સબસે બુરો હે માંગનો

..................... કવિ ગંગ

પ્રેમનો માર્ગ કઠિન છે.

બાલકાંડનો રોગ સંદેહ છે. સતી વિ. ઘણા બધાને સંદેહ થાય છે.

અયોધ્યાકાંડમાં કામના રોગથી વિપરીત ઘટના બને છે.

દશરથ રાજાનો કૈકેયી પ્રત્યેનો કામ વિપરીત ઘટનાને આકાર આપે છે.

જેને કામ રૂપી સર્પ ડંશ મારે તેને વાસના રૂપી વસ્તુ પણ મીઠી લાગે. જેને સાપ કરડે તેને લીમડાના પાન મીઠા લાગે.

અરણ્યકાંડનો રોગ ચોરી - અપહરણ છે.

કિષ્કિન્ધાકાંડનો રોગ અહંકાર છે.

વાલી બળવાન છે પણ અહંકાર બહું કરે છે, અભિમાન બહું કરે છે.

સુંદરકાંડનો રોગ વિચારોની, સિધ્ધાંતોની કુરૂપતા છે.

લંકાકાંડનો રોગ તમસ છે - તમો ગુણનું આધિપત્ય છે.

ઉત્તરકાંડનો રોગ ક્રોધ છે.

વાણીના ૩ પ્રકાર છે.

શ્લોક વાણી જે સંસ્કૄત વાણી છે, આશીર્વાદની વાણી છે, ભવિષ્યની વાણી છે.

લોક વાણી વર્તમાન કાળ સાથે સંબંધિત છે.

શોક વાણીનો સંબંધ ભૂત કાળ સાથે છે.

જ્યાંથી સત્ય પ્રાપ્ત થાય તેને સદ્‍ગુરૂ કહેવાય.


રવિવાર, તારીખ ૦૯ જાન્યુઆરી, ૨૦૧૧

કોઈ પણ રોગની સારવાર માટે યોગ્ય વૈદ્ય - યોગ્ય ડૉક્ટર, યોગ્ય ઔષધી - યોગ્ય ઉપકરણ અને યોગ્ય સમય - સમયસરની સારવાર આવશ્યક છે.

રાવણ તેના રાજ્યના વૈદ્ય સુષેણનો વિરોધ કરતો ન હતો, કારણ કે તે જાણતો હતો કે વૈદ્યનો વિરોધ ન કરાય.

તુલાસીદાસજી ૯ નો વિરોધ ન કરવો તેવું કહે છે.

તબ મારીચ હ્નદય અનુમાના l

નવહિ બિરોધેં નહિં કલ્યાના ll

સસ્ત્રી મર્મી પ્રભુ સઠ ધની l

બૈદ બંદિ કબિ ભાનસ ગુની ll

................... અરણ્યકાંડ ૨૫/૪

અહીં પ્રભુ એટલે સમર્થ, શક્તિમાન


કાલનૈમી એટલે કાલચક્ર, નૈમી નો અર્થ ચક્ર થાય છે.

કોઈપણ માનસિક રોગની નિવૄત્ત્તિ માટે પુરુષાર્થ, પ્રારબ્ધ અને કોઈની કરૂણાની જરૂર છે.

સદ્‍ગુરૂ વૈદ્ય છે.

રામ કૄપા નાસહિં સબ રોગા l

જોં એહિ ભાતિ બનૈ સંજોગા ll

..................... ઉત્તરકાંડ ૧૨૧/૫

માનસિક રોગી જ્યારે પ્રસન્ન રહે ત્યારે સમજવું કે તેનો માનસિક રોગ મટી ગયો છે.

જે પ્રસન્ન રહે તે નિરોગી રહે.

ફૂલના છોડનું મૂળ તો એક જ હોય છે, ફૂલ દરરોજ નવા ખીલે છે.

અપ્રસન્નતા રોગ છે.

રામ, કૄષ્ણ, શંકર સદા પ્રસન્ન રહે છે તેથી તે બધા સદા નિરોગી રહે છે.

તુલસીની દ્રષ્ટિ ઉપદેશની નથી પણ આત્મખોજની છે.

સોમવાર, તારીખ ૧૦ જાન્યુઆરી, ૨૦૧૧

શુભ કાર્યોની સામગ્રીમાં કંકુ, ચોખા, શ્રીફળ સાથે ઔષધી પણ રાખવામાં આવે છે.

માનસ સ્વયં ઔષધી છે.

મન માટે કામ, ક્રોધ અને લોભ સમ્યક માત્રામાં આવશ્યક છે.

કામ ન હોય તો કોઈ કાર્ય જ ન કરે અને કર્મ યોગ જ સ્માપ્ત થઈ જાય.

શંકરે કામને નષ્ટ કર્યા પછી ફરીથી જીવીત કર્યો છે.

ઈન્દ્રજીત કામ છે.

માણસ જાગૄત હોય તો પણ કામ ક્યારેક તો તેને મૂછિત કરી શકે છે, પણ જો રામનું શરણ હોય તો કામ મારી ન શકે. દા. ત. લક્ષ્મણને ઈન્દ્રજીત મૂર્છિત કરે છે પણ મારી નથી શકતો. લક્ષ્મણ જાગૃત છે અને રામના સાનિધ્યમાં રહે છે.

રામનામથી પરેશાની થવા છતાં તે પતનથી જરુર બચાવે.

કામ કૄષ્ણની વિભૂતિ છે, જે સમ્યક કામ છે.

ગુરૂ પદ રજ ચૂર્ણ છે.

ગુરૂ પદ રજનું જેણે સેવન કર્યું હોય તે જ તેને સમજી શકે, જાણી શકે.

સમર્પણ એ છે જે આપણે કંઈક બીજાને આપીએ છીએ અને છતાંય આપણી હયાતી રહે છે. જ્યારે શરણાગતી એ છે જેમાં પોતે પણ ખતમ થઈ જાય છે. શરણાગતી એ અદ્વૈત છે જ્યારે સમર્પણ એ દ્વૈત છે.

હું અને હરિ એક સાથે ન રહી શકે.


મંગળવાર, તારીખ ૧૧ જાન્યુઆરી, ૨૦૧૧

બુધવાર, તારીખ ૧૨ જાન્યુઆરી, ૨૦૧૧

ગુરુવાર, તારીખ ૧૩ જાન્યુઆરી, ૨૦૧૧

શુક્રવાર, તારીખ ૧૪ જાન્યુઆરી, ૨૦૧૧

શનિવાર, તારીખ ૧૫ જાન્યુઆરી, ૨૦૧૧

રવિવાર, તારીખ ૧૬ જાન્યુઆરી, ૨૦૧૧

No comments:

Post a Comment