‘ભાગવતજી’ અને ‘માનસ’ પ્રત્યેક ઇન્દ્રિયને દીક્ષિત કરે છે
‘ભાગવતજી’ અને ‘માનસ’ પ્રત્યેક ઇન્દ્રિયને દીક્ષિત કરે છે
(સંકલન : નીતિન વડગામા)
‘ભાગવતજી’ અને ‘માનસ’ પ્રત્યેક ઇન્દ્રિયને દીક્ષિત કરે છે
- તાત્ત્વિક દૃષ્ટિએ જોઇએ તો એ પણ સારું છે કે વટની નીચે જ કથા થાય. કેમ કે વટ વિશ્વાસનું પ્રતીક છે, ધ્રુવતાનું પ્રતીક છે. એટલા માટે કથા તો વિશ્વાસની છાયામાં જ થવી જોઇએ. સંશય અને સંદેહની છાયામાં તો કથા કથા નથી રહેતી, વ્યથા નિર્મિત કરે છે.
- અક્ષયવટનો સીધોસાદો અર્થ છે કે એનો ક્ષય નથી થતો, એનો નાશ નથી થતો.
- તો વટનું વૃક્ષ ક્યારેક આપણી પાત્રતા સિદ્ધ કરે છે. સાધકની અચલતા તરફ ઇંગિત કરે છે વટનું વૃક્ષ. આ ભજન આપણે કરીશું તો આપણો ક્ષય નહીં થાય. આ વટનું વૃક્ષ પરમાત્માએ આપણને જે દિશા અને દશા આપી હોય એમાં આપણી સ્થિરતા આપણે નહીં ચૂકીએ, એવો સંકેત કરે છે. એ પણ વટવૃક્ષનો કોઇ ને કોઇ રૂપમાં તાત્ત્વિક સંકેત છે.
- ગોદાવરીના એક-એક અક્ષરનો અર્થ કરીએ તો ‘ગો’ એટલે ઇન્દ્રિય. અંત:કરણ ચતુષ્ટય મેળવી દો તો ચૌદ ઇન્દ્રિયો થાય. દશ બહિર અને ચાર આંતરિક.
- ‘દા’નો અર્થ છે દાતારી. દાતારીનો અર્થ છે ઉદારતા. કોની સામે દાતાર થવું છે? મારી રીતે એની વ્યાખ્યા કરું તો મારાં યુવાન ભાઇ- બહેનો, આ દાતારી સાધકને પોતાની ઇન્દ્રિયો પર કરવાની છે. આપણી ઇન્દ્રિયો પર ઉદાર થવાનું છે. આપણી ઇન્દ્રિયો સાથે દગો કરવાનો નથી. આપણને શીખવવામાં આવ્યું છે કે ઇન્દ્રિયોને દબાવો! એ ઇન્દ્રિયો પર ઉદારતા નથી. તો ઇન્દ્રિયોનું શોષણ ન કરવું. ઇન્દ્રિયોને કાપીએ નહીં, કષ્ટ આપીએ નહીં. ‘ભાગવતજી’ અને ‘રામચરિત માનસ’ પ્રત્યેક ઇન્દ્રિયને દીક્ષિત કરે છે.
- કાન છે તો આનંદ આવે એવું સાંભળ. જીભથી સારું બોલ. ઇન્દ્રિયોને કષ્ટ ન આપો.
- શરીર પરમાત્માના ભજનનું સર્વશ્રેષ્ઠ સાધન છે, દેવદુર્લભ સાધન છે.
- ગોદાવરીનો ત્રીજો અક્ષર ‘વ’. ‘વ’નો અર્થ છે કે ગોદાવરી વર્ગભેદ, વર્ણભેદ નથી કરતી. ગોદાવરી એમ નહીં કહે કે દલિત.
- પંચભૂતનું બનેલું શરીર તાત્ત્વિક રૂપમાં ઓલરેડી પંચવટી છે જ.
- ‘રી’નો અર્થ છે કે એ બીજાને રાજી રાખવાનો, પ્રસન્ન કરવાનો જ સંદેશ આપે છે.
(સંકલન : નીતિન વડગામા)
No comments:
Post a Comment