Translate

Search This Blog

Friday, December 25, 2020

ભગવ‌દ્‌ ગીતા

 

શ્રી મ‌દ્‌ ભગવદ્‌ ગીતા વિશે મહાપુરુષોના ઉદ્‌ગારો

 

1.    

  1. ગીતાજીમાં તમામ સમસ્યાઓનું સમાધાન છે. જ્યારે હું મુંઝાઈ જતો ત્યારે ગીતા માતા પાસેથી મને સમાધાન મળતું.   ……………….. મહાત્મા ગાંધી
  2. મારું શરીર માતાના દુધથી પોષાયેલું છે પણ તેથીય વિશેષ મારું હ્મદય અને બુદ્ધિ એ બંનેનું પોષણ ગીતા માતાના દૂધથી વધારે થયું છે. ………………… વિનોબા ભાવે
  3. ગીતા એટલે અતિ પ્રેમને લીધે જગદંબાના સ્તનમાંથી જે ધાવણ આવવા લાગ્યું એ સ્તન્ય.  ………………. પ. પૂ. પાંડુરંગ દાદાજી
  4. ભગવાન દેવકીનંદન શ્રીકૃષ્ણે જેનું ગાન કરેલું છે તે ભગવદ્‌ ગીતાજી એ સર્વોપરી શાસ્ત્ર છે. વેદમાં જે સંદેહ રહેતા ત્યાં તે સર્વે સંદેહોનું નિવારણ ભગવદ્‍ ગીતામાં થાય છે. ………… શ્રીવલ્લભાચાર્યજી
  5. શ્રી મદ્‌ ભગવદ્‌ ગીતા એ ઉપનિષદ રૂપી બગીચાઓમાંથી વીણી કાઢેલા આધ્યાત્મિક સત્યોરૂપી પુષ્પોથી ગુંથેલી સુંદર કલગી છે.    ………………. સ્વામી વિવેકાનંદજી

No comments:

Post a Comment