Translate

Search This Blog

Saturday, April 22, 2023

માનસ અક્ષય તૃતીયા - 916


રામ કથા - ૯૧૬

માનસ અક્ષય તૃતીયા

નખત્રાણા, કચ્છ, ગુજરાત

શનિવાર, તારીખ થી રવિવાર તારીખ

કેન્દ્રીય સંવાદની પક્તિ

तेहिं अवसर सुनि सिवधनु भंगा।

आयउ भृगुकुल कमल पतंगा॥

गौरि सरीर भूति भल भ्राजा।

भाल बिसाल त्रिपुंड बिराजा॥2॥

 

 

1

Saturday, 22/04/2023

 

खरभरु देखि बिकल पुर नारीं। सब मिलि देहिं महीपन्ह गारीं॥

तेहिं अवसर सुनि सिवधनु भंगा। आयउ भृगुकुल कमल पतंगा॥1

खलबली देखकर जनकपुरी की स्त्रियाँ व्याकुल हो गईं और सब मिलकर राजाओं को गालियाँ देने लगीं। उसी मौके पर शिवजी के धनुष का टूटना सुनकर भृगुकुल रूपी कमल के सूर्य परशुरामजी आए॥1

देखि महीप सकल सकुचाने। बाज झपट जनु लवा लुकाने॥

गौरि सरीर भूति भल भ्राजा। भाल बिसाल त्रिपुंड बिराजा॥2॥

इन्हें देखकर सब राजा सकुचा गए, मानो बाज के झपटने पर बटेर लुक (छिप) गए हों। गोरे शरीर पर विभूति (भस्म) बड़ी फब रही है और विशाल ललाट पर त्रिपुण्ड्र विशेष शोभा दे रहा है॥2॥

રામ કથા એ of the people, by he people and for the people છે.

રામ કથાના બે પક્ષી પાત્ર છે જે પક્ષપાતી નથી, એક છે જટાયુ – ગીધ અને બીજા છે કાક ભુષુંડી.

 

कोमल चित अति दीनदयाला। कारन बिनु रघुनाथ कृपाला॥

गीध अधम खग आमिष भोगी। गति दीन्ही जो जाचत जोगी॥1॥

 

श्री रघुनाथजी अत्यंत कोमल चित्त वाले, दीनदयालु और बिना ही करण कृपालु हैं। गीध (पक्षियों में भी) अधम पक्षी और मांसाहारी था, उसको भी वह दुर्लभ गति दी, जिसे योगीजन माँगते रहते हैं॥1॥

કાકભુષુંડી પરમ બુદ્ધ પુરુષ છે, પરમ હંસ છે.

 

जड़ चेतन गुन दोषमय बिस्व कीन्ह करतार।

संत हंस गुन गहहिं पय परिहरि बारि बिकार॥6

विधाता ने इस जड़-चेतन विश्व को गुण-दोषमय रचा है, किन्तु संत रूपी हंस दोष रूपी जल को छोड़कर गुण रूपी दूध को ही ग्रहण करते हैं॥6

સાધુ – યોગી રમતો – ફરતો હોવો જોઈએ.

કચ્છ ભજન ભૂમિ છે, ભોજન ભૂમિ છે, ભાજન ભૂમિ છે (કથાની પાત્રતા ધરાવે છે.

બાપુની અક્ષય તૃતીયા

a.    ધૂણો, ખૂણો અને સુણો

b.    સત્ય, પ્રેમ કરુણા

c.    રામાયણની ત્રણ પોથી

અક્ષય વટ

અક્ષય પાત્ર

અક્ષય તૃતીયા

૯ અક્ષય છે

       અક્ષય તૃતીયા

       અક્ષય વટ

       અક્ષય પાત્ર

       અક્ષય જ્ઞાન

       અક્ષય આનંદ – અખંડ આનંદ

       અક્ષય સુહાગ – અખંડ સુહાગ

       અક્ષય ભંડાર

       અક્ષય પ્રીત

       અક્ષય કુમાર – રાવણ પુત્ર

 2

Sunday. 23/04/2023

આપણા પૂજ્યની સેવા અને આપણા પ્રિય વ્યક્તિનું સ્મરણ કરવાથી નિંદ્રા ઉપર વિજય મેળવી શકાય.

જેનામાં પરિપૂર્ણ સત્ય હોય તેની ભય ન લાગે.

સાચા પ્રેમીને ભય ન લાગે, ગોપીજનને કોઈ ભય નથી લાગતો.

કરુણાવાનને ભય ન લાગે.

ક્રોધનો જન્મ અજ્ઞાનમાંથી થાય.

जय रघुबंस बनज बन भानू। गहन दनुज कुल दहन कृसानू॥

जय सुर बिप्र धेनु हितकारी। जय मद मोह कोह भ्रम हारी॥1

हे रघुकुल रूपी कमल वन के सूर्य! हे राक्षसों के कुल रूपी घने जंगल को जलाने वाले अग्नि! आपकी जय हो! हे देवता, ब्राह्मण और गो का हित करने वाले! आपकी जय हो। हे मद, मोह, क्रोध और भ्रम के हरने वाले! आपकी जय हो॥1

અહંકાર, ક્રોધ, મોહ અને ભ્રમ એ ચાર પડદા છે જે બુદ્ધિને આવૃત કરી દે છે જેનાથી વિવેક રહેતો નથી.

અક્ષય પ્રીતિ  એ છે જેનામાં અક્ષય વટ – પૂર્ણ ભરોંસો હોય, જેનામાં અક્ષય તૃતીયા જે કાલગ્રસ્ત છે તે હોય, તેનું સ્મરણ હોય તેમજ જેનામાં અક્ષય પાત્રતા હોય.

અક્ષય પ્રીતિમાં ભૂત, ભવિષ્ય કે વર્તમાન કાળ ન હોય, ફક્ત પ્રીતિ જ હોય. પ્રીતિ કાલાતિત છે જ્યાં પ્રેમી ન હોય, પ્રેમિકા પણ ન હોય પણ ફક્ત પ્રેમ જ હોય.

बिनु बिस्वास भगति नहिं तेहि बिनु द्रवहिं रामु

राम कृपा बिनु सपनेहुँ जीव लह बिश्रामु।।90।।

बिना विश्वास के भक्ति नहीं होती, भक्तिके बिना श्रीरामजी पिघलते (ढरते) नहीं और श्रीरामजी की कृपा के बिना जीव स्वप्न में भी शान्ति नहीं पाता।।90()।।

3

Monday, 24/03/2023

આપણું પાત્ર અક્ષય પાત્ર કેવી રીતે બને?

સતસંગ ન થાય ઓ વાંધો નથી પણ કુસંગ ન થવો જોઈએ.

તમામ સંબંધો બંધનકારી છે.

એક બીજાને જાણવાની બહું કોશીશ ન કરવી, પણ પોતાની જાતને ઓળખવી.

બધાની સાથે એક પ્રમાણિક દૂરી રાખવી.

સદાય ઉદાસિન રહેવું. એકલા રહેવું, આનંદમાં રહેવું અને કોઈને કંઈજ ન કહેવું.

छत्रिय तनु धरि समर सकाना। कुल कलंकु तेहिं पावँर आना॥

कहउँ सुभाउ न कुलहि प्रसंसी। कालहु डरहिं न रन रघुबंसी॥2॥

क्षत्रिय का शरीर धरकर जो युद्ध में डर गया, उस नीच ने अपने कुल पर कलंक लगा दिया। मैं स्वभाव से ही कहता हूँ, कुल की प्रशंसा करके नहीं, कि रघुवंशी रण में काल से भी नहीं डरते॥2॥

बिप्रबंस कै असि प्रभुताई। अभय होइ जो तुम्हहि डेराई॥

सुनि मृदु गूढ़ बचन रघुपत के। उघरे पटल परसुधर मति के॥3॥

ब्राह्मणवंश की ऐसी ही प्रभुता (महिमा) है कि जो आपसे डरता है, वह सबसे निर्भय हो जाता है (अथवा जो भयरहित होता है, वह भी आपसे डरता है) श्री रघुनाथजी के कोमल और रहस्यपूर्ण वचन सुनकर परशुरामजी की बुद्धि के परदे खुल गए॥3॥

जाना राम प्रभाउ तब पुलक प्रफुल्लित गात।

जोरि पानि बोले बचन हृदयँ न प्रेमु अमात॥284॥

तब उन्होंने श्री रामजी का प्रभाव जाना, (जिसके कारण) उनका शरीर पुलकित और प्रफुल्लित हो गया। वे हाथ जोड़कर वचन बोले- प्रेम उनके हृदय में समाता न था-॥284॥

 

जय रघुबंस बनज बन भानू। गहन दनुज कुल दहन कृसानु।।

जय सुर बिप्र धेनु हितकारी। जय मद मोह कोह भ्रम हारी।।

बिनय सील करुना गुन सागर। जयति बचन रचना अति नागर।।

सेवक सुखद सुभग सब अंगा। जय सरीर छबि कोटि अनंगा।।

करौं काह मुख एक प्रसंसा। जय महेस मन मानस हंसा।।

अनुचित बहुत कहेउँ अग्याता। छमहु छमामंदिर दोउ भ्राता।।

कहि जय जय जय रघुकुलकेतू। भृगुपति गए बनहि तप हेतू।।

अपभयँ कुटिल महीप डेराने। जहँ तहँ कायर गवँहिं पराने।।

बिनय सील करुना गुन सागर। जयति बचन रचना अति नागर॥

सेवक सुखद सुभग सब अंगा। जय सरीर छबि कोटि अनंगा॥2॥

हे विनय, शील, कृपा आदि गुणों के समुद्र और वचनों की रचना में अत्यन्त चतुर! आपकी जय हो। हे सेवकों को सुख देने वाले, सब अंगों से सुंदर और शरीर में करोड़ों कामदेवों की छबि धारण करने वाले! आपकी जय हो॥2॥

करौं काह मुख एक प्रसंसा। जय महेस मन मानस हंसा॥

अनुचित बहुत कहेउँ अग्याता। छमहु छमा मंदिर दोउ भ्राता॥3॥

मैं एक मुख से आपकी क्या प्रशंसा करूँ? हे महादेवजी के मन रूपी मानसरोवर के हंस! आपकी जय हो। मैंने अनजाने में आपको बहुत से अनुचित वचन कहे। हे क्षमा के मंदिर दोनों भाई! मुझे क्षमा कीजिए॥3॥

4

Tuesday, 25/04/2023

દહીં મંથન, ઉદધી મંથન અને રુધી મંથન – હ્મદય મંથન થતું હોય છે.

અક્ષય પાત્ર સંદેગને કારણે ક્ષય પામે છે.

ગુરુજીના ત્રણ દેશ છે ૧ – ગુરુજીના આદેશમાં રહેવું એ ગુરુજીનો દેશ છે, ૨ ગુરુનો સંદેશ એ ગુરુજીનો દેશ છે, ૩ ગુરુ જ્યાં ઉપદેસ્શ આપે તે ગુરુજીનો દેશ છે. આ ત્રણેય ભુવન એ જ ત્રિભુવન છે.

દીવાને જ્યાં મુકો ત્યામ તે પ્રકાશ ફેલાવે જ.

માણસ આપણને તેની ફ્રેમમાં મઢવા માગે છે. આનાથી સાવધ રહેવું.

સમૂહમાં પ્રાર્થના થાય, આત્મોદ્ધાર તો એકલામાં જ થાય.

વ્યક્તિએ દાન, તપસ્યા ન છોડવા જોઈએ.

 5

Wednesday, 26/04/2023

પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન ………… દાણીભાઈ

રામ નામ વગર જીવની બળતરા ઓછી ન થાય.

સાધુ કાયમ સગર્ભા હોય, તેનામાંથી ગમે ત્યારે કંઈક ફૂટે.

સાધુમાં વિવિધતા બહું હોય.

સાધુમાં વિશિષ્ટતા બહું હોય.

સાધુમાં વિચિત્રતા બહું હોય.

ચિત્રકૂટ અતિ વિચિત્ર………

સાધુ સહનશીલ હોય અને તેની સહનશીલતા ગુણાતિત હોય છે.

દંભ, લોભ અને લાલચ આપણી ઉપાસનાને ખંડિત કરે છે.

સાધુ ભજન કરે છે એ ભજન તેની સેવા છી.

સાધુ સ્વાશ્રયી હોય છે.

સાધુ સાદગીમાં રહે, તેનો આહાર, વેશ સાદગીપૂર્ણ હોય.

સાધુ નિરંતર સ્મરણશીલ હોય.

જો તમે વિચારોમાં અટવાઈ જશો તો વિરાટને ચૂકી જશો. ………… સુભાષભાઈ

માણસને ક્યારેક મજબુરીમાં,મગરુરીમાં, બીજાના કલ્યાણ માટે, તેમજ પરમ સત્યને બચાવવા માટે સત્ય છોડવું પડે છે. વાસુદેવ પરમ સત્યને બચાવવા સત્યને છોડે છે.

જેની પાસે સ્મરણ હશે તેનું માધુર્ય અક્ષય રહે છે.

કાગડાના ગુણ – કાગડો વહેલો ઊઠે, કાગડો સંયમી હોય, કાગડો બહું જ સાવધાન રહે. કાગડાને પોતાના આશ્રય સ્થાન ઉપર બહું ભરોંસો હોય. તેથી જ કાગડો કોયલના બચ્ચાને સાચવે છે, આશ્રય આપે છે અને કોયલના ભરોંસાને બરકરાર રાખે છે. આ બધા ગુણ કાગૠષિમાં છે.

 8

Saturday, 29/04/2023

આજે સીતા નવમી છે, જાનકીની જન્મ તિથિ.

जनकसुता जग जननि जानकी। अतिसय प्रिय करुनानिधान की॥

ताके जुग पद कमल मनावउँ। जासु कृपाँ निरमल मति पावउँ॥4॥

राजा जनक की पुत्री, जगत की माता और करुणा निधान श्री रामचन्द्रजी की प्रियतमा श्री जानकीजी के दोनों चरण कमलों को मैं मनाता हूँ, जिनकी कृपा से निर्मल बुद्धि पाऊँ॥4॥

વાલ્મીકિ તો સીતા ચરિત્રને જ મહદ ગણે છે.

રામ ચરિત માનસના સાતેય કાંડમાં સીતાનું વિગ્રહ – વિશેષ શરીર – રુપ પ્રગટ થાય છે.

બાલકાંડમાં જાનકીના સૌદર્ય વિગ્રહનું પ્રાગટ્ય થયું છે.

સુંદર વિગ્રહ તમસ ગ્રસ્ત પણ હોય, કૈકેયી તમસ ગ્રસ્ત સુંદર વિગ્રહ છે.

સુર્પંખા સુંદર વિગ્રહના રજોગુણ ગ્રસ્ત છે.

સત્વગુણ ગ્રસ્ત વિગ્રહ શબરી છે, તેથી તેને ભગવાન રામ ભામિની કહે છે.

જાનકીનું સૌદર્ય ગુણાતિત હોય છે.

જાનકીના સૌદર્ય વિગ્રહના પતિપરાયણ નારી વિગ્રહનું પ્રાગટ્ય અયોધ્યાકાંડમાં થાય છે.

ધર્મ સંકટ, રાષ્ટ્ર સંકટ, પ્રાણ સંકટ વગેરે સંકટ છે.

जिय  बिनु  देह  नदी  बिनु  बारी।  तैसिअ  नाथ  पुरुष  बिनु  नारी॥

नाथ  सकल  सुख  साथ  तुम्हारें।  सरद  बिमल  बिधु  बदनु  निहारें॥4॥

जैसे  बिना  जीव  के  देह  और  बिना  जल  के  नदी,  वैसे  ही  हे  नाथ!  बिना  पुरुष  के  स्त्री  है।  हे  नाथ!  आपके  साथ  रहकर  आपका  शरद्-(पूर्णिमा)  के  निर्मल  चन्द्रमा  के  समान  मुख  देखने  से  मुझे  समस्त  सुख  प्राप्त  होंगे॥4॥

અરણ્યકાંડમાં જાનકીનું માયા વિગ્રહ રુપ પ્રગટ થાય છે.

કિષ્કિન્ધાકાંડમાં જાનકીનું અપહરણ સમયે આર્ત વિગ્રહનું પ્રાગટ્ય થાય છે.

સુંદરકાંડમાં જાનકીનું વિરહિની રુપનું પ્રાગટ્ય થાય છે.

સીતા સંકટ સમયે રામના સ્વભાવને યાદ કરીને ટકે છે તેમજ બળ પ્રાપ્ત કરે છે.

લંકાકાંડમાં જાનકીનો અગ્નિમાંથી પસાર થતો વિગ્રહ પ્રગટે છે.

પોતાના પ્રિયજનના કટુ વેણ જ અગ્નિ છે. રામ સીતા માટે આવાં વેણ કહે છે.

ઉત્તરકાંડમાં જાનકીના મહારાણી વિગ્રહનું પ્રાગટ્ય છે.

સીતાજી રામના પહેલાં જ રાવણ ને હરાવે છે.

तव अनुचरीं करउँ पन मोरा। एक बार बिलोकु मम ओरा॥

तृन धरि ओट कहति बैदेही। सुमिरि अवधपति परम सनेही॥3॥

मैं तुम्हारी दासी बना दूँगा, यह मेरा प्रण है। तुम एक बार मेरी ओर देखो तो सही! अपने परम स्नेही कोसलाधीश श्री रामचंद्रजी का स्मरण करके जानकीजी तिनके की आड़ (परदा) करके कहने लगीं-॥3॥

सुनु दसमुख खद्योत प्रकासा। कबहुँ कि नलिनी करइ बिकासा॥

अस मन समुझु कहति जानकी। खल सुधि नहिं रघुबीर बान की॥4॥

 

हे दशमुख! सुन, जुगनू के प्रकाश से कभी कमलिनी खिल सकती है? जानकीजी फिर कहती हैं- तू (अपने लिए भी) ऐसा ही मन में समझ ले। रे दुष्ट! तुझे श्री रघुवीर के बाण की खबर नहीं है॥4॥

ગુરુના શબ્દોના બાણ – ગુરુની વાણી તારવા માટે હોય છે, મારવા માટે નથી હોતાં.

ગુરુ પારધિ નહીં પણ પારખી છે.

રામના ચાર પિતા છે – સૂર્ય, દશરથ, જટાયુ અને સુમંત એ રામના ચાર પિતા છે.

9

Sunday, 30/04/2023

ભરોંસો દ્રઢ હોવો જોઈએ તેમજ તેમાં કોઈ ડર પણ ન હોવો જોઈએ.

શંકા પડે તેમાંથી ભય પેદા થાય. દા.ત. દોરડામાં સાપનો આભાસ થવો.

જેના ઉપર ભરોંસો કરો તેની પરિક્રમા કરી, પુરેપુરી જાણકારી મેળવવી. જાણકારી કોની પાસેથી લેવી તે પણ વિચારણા યોગ્ય છે. સાચી જાણકારી મેળવવી જોઈએ.

ભરોંસો જ ભજન છે.

ઘણી વખત કંઈ પણ જાણ્યા વિના પણ ભરોંસો કરી શકાય. એક ભરોંસો રાખીને કોઈ ઉપર ભરોંસો કરી શકાય.

જેનામાં નખ શીશ સાધુતા હોત તેના ઉપર ભરોંસો કરવો. આવી વ્યક્તિની સેવા કરવી. સેવા અને પૂજામાં ફરક છે. સેવા ફક્ત એકની જ કરાય જ્યારે પૂજા અનેકની કરી શકાય.

મોર નિષ્કામ છે, મોર પીંછ નિષ્કામતાનું પ્રતીક છે.

જેણે ઈશ્વરને ભોગવ્યો છે તેને જગત ખારું ન લાગે. જગતનું ખારું લાગવું એ અમુક અવસ્થા સુધી જ છે.

જગત ઈશ્વરની કૃતિ છે.

પરશુરામમાં ગૌરી શરીર – ગૌરી દત્ત શરીર – પાર્વતીનું તેજ છે.

પરશુરામમાં તેમના બાપનું બળ છે.

પરશુરામ ઘણામાં સમન્વય દેખાય છે. તે સમન્વયી અવતાર છે.

રામ રાજ્ય એ છે જ્યાં કોઈ દરીદ્ર કે દુઃખી ન હોય, જ્યાં દ્રષ્ટિની દરીદ્રતા, વચનની દરીદ્રતા, માન્સિક દરીદ્રતા ન હોય. રામ રાજ્યમાં બધા નિરોગી હોય, સુંદર હોય.

આશ્રમ અને વર્ણ એક વ્યવસ્થાના ભાગ રુપે છે, ભેદ માટે નથી.

ભજ લે રામ, ગા લે રામ અને સુન લે રામ જે સત્ય, પ્રેમ અને કરુણા છે તે તલગાજરડાની અક્ષય તૃતીયા છે.

No comments:

Post a Comment