Translate

Search This Blog

Monday, June 30, 2025

માનસ માર્ગી - 959

 

રામ કથા - 959

માનસ માર્ગી

Little Rock, Arkansas - USA

શનિવાર, તારીખ 28/06/2025 થી રવિવાર, તારીખ 06/07/2025

કેંદ્રીય વિચાર પંક્તિ

अति हरि कृपा जाहि पर होई।

पाउँ देइ एहिं मारग सोई।।

मिलेहु गरुड़ मारग महँ मोही।

कवन भाँति समुझावौं तोही॥

 

Day 1

Saturday, 28/06/2025

 

एहि महँ रुचिर सप्त सोपाना। रघुपति भगति केर पंथाना।।

अति हरि कृपा जाहि पर होई। पाउँ देइ एहिं मारग सोई।।2।।

 

इसमें सात सुन्दर सीढ़ियाँ हैं, जो श्रीरघुनाथजीकी भक्ति को प्राप्त करनेके मार्ग हैं। जिसपर श्रीहरि की अत्यन्त कृपा होती है, वही इस मार्ग पर पैर रखता है।।2।।

 

मिलेहु गरुड़ मारग महँ मोही। कवन भाँति समुझावौं तोही॥

तबहिं होइ सब संसय भंगा। जब बहु काल करिअ सतसंगा॥2॥

 

हे गरुड़! तुम मुझे रास्ते में मिले हो। राह चलते मैं तुम्हे किस प्रकार समझाऊँ? सब संदेहों का तो तभी नाश हो जब दीर्घ काल तक सत्संग किया जाए॥2॥

માર્ગી એટલે નિરંતર માર્ગ ઉપર ચાલનાર પથિક.

માનસના દરેક સોપાનમાં માર્ગીનો ઉલ્લેખ છે.

બાલકાંડમાં ૪ માર્ગી  છે.

            ભગવાન વશિષ્ટ માર્ગી છે, તેઓ પ્રારબ્ધ માર્ગના માર્ગી છે, નસીબવાદી છે.

            મહર્ષિ વિશ્વામિત્ર માર્ગી છે, તેઓ પુરુષાર્થ માર્ગના માર્ગી છે, કર્મ માર્ગના માર્ગી છે, કર્મ માર્ગી છે.

            ભગવાન શિવ માર્ગી છે, સતીના વિયોગમાં વિચરણ કરે છે, વૈરાગી બનીને ફરે છે.

            દેવર્ષિ નારદ માર્ગી છે, તેમની ગતિ સર્વત્ર છે.

અયોધ્યાકાંડમાં રામ, લક્ષ્મણ, જાનકી જે ત્રણેય બ્રહ્મ છે અને બ્રહ્મ બનીને ફરે છે.

            ભરતજી પ્રેમ માર્ગના માર્ગી છે.

 

सिय राम प्रेम पियूष पूरन होत जनमु न भरत को।

मुनि मन अगम जम नियम सम दम बिषम ब्रत आचरत को॥

दुख दाह दारिद दंभ दूषन सुजस मिस अपहरत को।

कलिकाल तुलसी से सठन्हि हठि राम सनमुख करत को॥

 

श्री सीतारामजी के प्रेमरूपी अमृत से परिपूर्ण भरतजी का जन्म यदि न होता, तो मुनियों के मन को भी अगम यम, नियम, शम, दम आदि कठिन व्रतों का आचरण कौन करता? दुःख, संताप, दरिद्रता, दम्भ आदि दोषों को अपने सुयश के बहाने कौन हरण करता? तथा कलिकाल में तुलसीदास जैसे शठों को हठपूर्वक कौन श्री रामजी के सम्मुख करता?

અરણ્યકાંડમાં શબરી માર્ગી છે જે બુદ્ધ માર્ગની માર્ગી છે, તે અહિંસક છે તેથી તે બુદ્ધ માર્ગી છે તેમજ યોગ માર્ગી પણ છે.

કિષ્કિંધાકાંડમાં સુગ્રીવ ભોગ માર્ગી છે, વિષયી જીવ છે, વિષય માર્ગી, ભોગ માર્ગી છે.

આસક્તિ અનંત હોય પણ જીવન અનંત ન હોય.

સુંદરકાંડમાં હનુમાનજી જ્ઞાન માર્ગના માર્ગી છે, આકાશ માર્ગી છે.

લંકાકાંડમાં રાવણ, કુંભકર્ણ, ઈંદ્રજીત વગેરે ભોગ માર્ગી છે, યુદ્ધ માર્ગી છે.

ઉત્તરકાંડમાં કાકભુષુંડી કથા માર્ગના માર્ગી છે.

આદિ શંકર, શુકદેવ વગેરે પણ માર્ગી છે.

આપણે બધા પણ માર્ગી જ છીએ. ભગવાન કૃપાથી મનુષ્ય થયા છીએ. જ્યારે ભગવાનની અતિ કૃપા થાય ત્યારે જ આ માર્ગના પથિક બની શકાય.

રામાયણ કયા માર્ગે ચાલવું એ કહે છે જ્યારે મહાભારત કયા માર્ગે ન ચાલવું તે કહે છે.

જીવન જીવવા માટે વાણી અને વિનય જરુરી છે.

કપિ અને કવિ પણ માર્ગી છે.

Day 2

Sunday, 29/06/2025

માનસના સાત સોપાન આંતરિક યાત્રાના ૭ માર્ગ  છે.

આપણું હ્મદય એ આપણું ઘર છે.

                      પ્રથમ સોપાન બાલકાંડનો આંતરિક યાત્રા માર્ગ એવું દર્શાવે છે કે બાળકની માફક નિર્દોષ રહેવાની ચેષ્ટા કરવી.

                      માનસના બીજા સોપાન અયોધ્યાકાંડ એવું દર્શાવે છે કે યુવાનીમાં થોડો સંયમ રાખવો. કોઈ પણ વસ્તુમાં અતિશયથી બચવું.

                      માનસના ત્રીજા સોપાન અરણ્યકાંડ એ દર્શાવે છે કે આપણે થોડું મૌન રાખવું. મૌન એ એક સફળ પ્રયોગ છે.

મૌન ગુરુ છે, ગુરુ મૌન છે.

                      માનસના ચોથા સોપાન કિષ્કિંધાકાંડનો સંદેશ એ છે કે બધા સાથે મૈત્રી કરવી.

                      માનસના પાંચમા સોપાન સુંદરકાંડ એ દર્શાવે છે કે જીવનમાં કોઈ પણ સમસ્યા આવે તેના પહેલાં તેનું સમાધાન આવી જ ગયું હોય છે.

                      માનસના છઠ્ઠા સોપાન લંકાકાંડ એ કહે છે કે કોઈની સાથે સ્પર્ધા કે સંઘર્ષમાં ન ઊતરવું.

                      માનસના સાતમા સોપાન ઉત્તરકાંડ મુજબ પાયો પરમ વિશ્રામ એવું અનુભવવું, હવે કશું વધારે નથી જોઈતું એવો સંતોષભાવ રાખવો.

ભજનાનંદી મહાપુરુષનું અનુમાન પ્રમાણ બની જાય છે.

દ્વૈત બુદ્ધિથી જ ક્રોધ પેદા થાય છે.

कबहुँ कि दुःख सब कर हित ताकें। तेहि कि दरिद्र परस मनि जाकें॥

परद्रोही की होहिं निसंका। कामी पुनि कि रहहिं अकलंका॥1॥

 

सबका हित चाहने से क्या कभी दुःख हो सकता है? जिसके पास पारसमणि है, उसके पास क्या दरिद्रता रह सकती है? दूसरे से द्रोह करने वाले क्या निर्भय हो सकते हैं और कामी क्या कलंकरहित (बेदाग) रह सकते हैं?॥1॥

बंस कि रह द्विज अनहित कीन्हें। कर्म की होहिं स्वरूपहि चीन्हें॥

काहू सुमति कि खल सँग जामी। सुभ गति पाव कि परत्रिय गामी॥2॥

 

ब्राह्मण का बुरा करने से क्या वंश रह सकता है? स्वरूप की पहिचान (आत्मज्ञान) होने पर क्या (आसक्तिपूर्वक) कर्म हो सकते हैं? दुष्टों के संग से क्या किसी के सुबुद्धि उत्पन्न हुई है? परस्त्रीगामी क्या उत्तम गति पा सकता है?॥2॥

धूत कहौ, अवधूत कहौ, रजपूतु कहौ, जोलहा कहौ कोऊ।

काहू की बेटी सों, बेटा न ब्याहब, काहू की जाति बिगार न सोऊ।

तुलसी सरनाम गुलामु है राम को, जाको, रुचै सो कहै कछु ओऊ।

माँगि कै खैबो, मसीत को सोईबो, लैबो को, एकु न दैबे को दोऊ॥

 

चाहे कोई मुझे धूर्त कहे अथवा परमहंस कहे, राजपूत कहे या जुलाहा कहे, मुझे किसी की बेटी से तो बेटे का ब्याह करना नहीं है, न मैं किसी से संपर्क रखकर उसकी जाति ही बिगाड़ूँगा। तुलसीदास तो श्रीराम का प्रसिद्ध ग़ुलाम है, जिसको जो रुचे सो कहो। मुझको तो माँग के खाना और मसजिद (देवालय) में सोना है, न किसी से एक लेना है, न दो देना है।

मेरे जाति पाँति, न चहौं काहू की जाति पाँति,

मेरे कोऊ काम को न हौं काहू के काम को।

लोक परलोक रघुनाथ ही के हाथ सब,

भारी है भरोसो तुलसी के एक नाम को॥

अति ही अयाने उपखानो नहिं बूझैं लोग,

साहही को गोत गोत होत है गुलाम को।

 

भव कि परहिं परमात्मा बिंदक। सुखी कि होहिं कबहुँ हरिनिंदक।।

राजु कि रहइ नीति बिनु जानें। अघ कि रहहिं हरिचरित बखानें।।3।।

 

परमात्मा को जानने वाले कहीं जन्म-मरण [के चक्कर] में पड़ सकते हैं ? भगवान् की निन्दा करनेवाले कभी सुखी हो सकते हैं ? नीति बिना जाने क्या राज्य रह सकता है ? श्रीहरिके चरित्र वर्णन करनेपर क्या पाप रह सकते हैं ?।।3।।

पावन जस कि पुन्य होई। बिनु अघ अजस कि पावइ कोई।।

लाभु कि किछु हरि भगति समाना। जेहि गावहिं श्रुति संत पुराना।।4।।

 

बिना पुण्य के क्या पवित्र यश [प्राप्त] हो सकता है ? बिना पापके भी क्या कोई अपयश पा सकता है ? जिसकी महिमा वंद संत और पुराण गाते हैं उस हरि-भक्ति के समान क्या कोई दूसरा भी है ?।।4।।

 

हानि कि जग एहि सम किछु भाई। भजिअ न रामहि नर तनु पाई।।

अघ कि पिसुनता सम कछु आना। धर्म कि दया सरिस हरिजाना।।5।।

 

हे भाई ! जगत् में क्या इसके समान दूसरी भी कोई हानि है कि मनुष्य का शरीर पाकर भी श्रीरामजीका भजन न किया जाय ? चुगलखोरी के समान क्या कोई दूसरा पाप है ? और हे गरुड़जी ! दया के समान क्या कोई दूसरा धर्म है ?।।5।।

 

एहि बिधि अमिति जुगुति मन गुनऊँ। मुनि उपदेस न सादर सुनऊँ।।

पुनि पुनि सगुन पच्छ मैं रोपा। तब मुनि बोलेउ बचन सकोपा।।6।।

 

इस प्रकार मैं अनगिनत युक्तियाँ मन में विचारता था और आदर के साथ मुनिका उपदेश नहीं सुनता था। जब मैंने बार-बार सगुण का पक्ष स्थापित किया, तब मुनि क्रोधयुक्त वचन बोले-।।6।।

માનસનું યુદ્ધ બુદ્ધત્વ માટે થયું છે.

ગુરુ, કૂળદેવી અને ઈષ્ટ દેવમાંથી અંતકાળે કોને યાદ કરવા?

અંતકાળમાં જે સહજ યાદ આવે તેને યાદ કરવા.

માનસમાં મારગ શબ્દ ૧૫ વખત, મારગુ શબ્દ ૨ વખત નએ કુમાર્ગ શબ્દ ૪ વખત આવ્યો છે.

માનસમાં કુમારગ શબ્દ વપરાયો હોય તેવી પંક્તિઓ ……….

बिरति बिबेक बिनय बिग्याना। बोध जथारथ बेद पुराना॥

दंभ मान मद करहिं न काऊ। भूलि न देहिं कुमारग पाऊ॥3॥

 

 तथा वैराग्य, विवेक, विनय, विज्ञान (परमात्मा के तत्व का ज्ञान) और वेद-पुराण का यथार्थ ज्ञान रहता है। वे दम्भ, अभिमान और मद कभी नहीं करते और भूलकर भी कुमार्ग पर पैर नहीं रखते॥3॥

खायउँ फल प्रभु लागी भूँखा। कपि सुभाव तें तोरेउँ रूखा॥

सब कें देह परम प्रिय स्वामी। मारहिं मोहि कुमारग गामी॥2॥

 

हे (राक्षसों के) स्वामी मुझे भूख लगी थी, (इसलिए) मैंने फल खाए और वानर स्वभाव के कारण वृक्ष तोड़े। हे (निशाचरों के) मालिक! देह सबको परम प्रिय है। कुमार्ग पर चलने वाले (दुष्ट) राक्षस जब मुझे मारने लगे॥2

रे त्रिय चोर कुमारग गामी। खल मल रासि मंदमति कामी॥

सन्यपात जल्पसि दुर्बादा। भएसि कालबस खल मनुजादा॥3॥

 

 अरे स्त्री के चोर! अरे कुमार्ग पर चलने वाले! अरे दुष्ट, पाप की राशि, मन्द बुद्धि और कामी! तू सन्निपात में क्या दुर्वचन बक रहा है? अरे दुष्ट राक्षस! तू काल के वश हो गया है!॥3॥

दीन बंधु दयाल रघुराया। देव कीन्हि देवन्ह पर दाया॥

बिस्व द्रोह रत यह खल कामी। निज अघ गयउ कुमारगगामी॥2॥

 

हे दीनबन्धु! हे दयालु रघुराज! हे परमदेव! आपने देवताओं पर बड़ी दया की। विश्व के द्रोह में तत्पर यह दुष्ट, कामी और कुमार्ग पर चलने वाला रावण अपने ही पाप से नष्ट हो गया॥2॥

માર્ગી અને પંથીમાં શું ફેર છે?

સામાન્ય અર્થમાં માર્ગી અને પંથી એક જ છે. પણ પંથ સંકિર્ણ હોય જ્યારે માર્ગ આકાશ સમાન વિશાળ હોય. સનાતન માર્ગ આકાશ જેવો વિશાળ છે જ્યારે અનેક પંથો સંકિર્ણ છે.

સંસારમાં રહીને પણ વૈરાગી બની શકાય.

ભરદ્વાજમુનિના આશ્રમમાં ભગવાન રામને આગળનો માર્ગ બતાવવા ૫૦ શિષ્ય આવે છે. આ પચાસ શિષ્ય એ નીચે મુજબ છે.

ચાર વેદ, છ શાસ્ત્ર, અઢાર પુરાણ, દશ પ્રધાન સ્મૃતિ ગ્રંથ અને બાર ઉપનિષદ (૪+૬+૧૮+૧૦+૧૨ = ૫૦).

આમાંથી મુનિ ફક્ત ચાર શિષ્યને પસંદ કરે છે જે ચાર વૈદિક સનાતન માર્ગના છે.

રામનામ્ને વારંવાર સ્મરવુ એ વિધી છે જ્યારે રામને વિસારવા એ નિષેધ છે.

 

तेहि अवसर एक तापसु आवा। तेजपुंज लघुबयस सुहावा॥

कबि अलखित गति बेषु बिरागी। मन क्रम बचन राम अनुरागी॥4॥

 

उसी अवसर पर वहाँ एक तपस्वी आया, जो तेज का पुंज, छोटी अवस्था का और सुंदर था। उसकी गति कवि नहीं जानते (अथवा वह कवि था जो अपना परिचय नहीं देना चाहता)। वह वैरागी के वेष में था और मन, वचन तथा कर्म से श्री रामचन्द्रजी का प्रेमी था॥4॥

અહી જે તાપસની વાત છે એને ઘણા મહાપુરુષો હનુમાનજી ગણે છે.

ગુરુ મુખ પ્રમાણે આ તાપસ એ પ્રેમ છે.

પ્રેમ એ એક તપ છે.

બે એક થઈ જાય એ પ્રેમ છે.

I LOVE YOU માંથી I અને YOU કાઢી નાખો અને જે બચે તે પ્રેમ છે, પ્રેમ જ બાકી રહે, પ્રેમ મુક્ત થઈ જાય.

પ્રેમ તેજસ્વી હોય, તેની એક તેજસ્વીતા હોય.

પ્રેમ કદી વૃદ્ધ ન થાય.

પ્રેમનું વર્ણન કોઈ કવિ ન કરી શકે.

પ્રેમ વૈરાગી હોય, પ્રેમ મન, વચન અને કર્મનો અનુરાગી હોય.

Day 3

Monday, 30/06/2025

આપણે સાચા માર્ગ ઉપર હોઈએ અને માર્ગદર્શક પણ હોય છતાંય જો પ્રગતિ ન થાય તો તેની ત્રણ બાધા છે જેને THREE LITTLE ROCKS કહી શકાય.

આ ત્રણ બાધા નિંદા, ઈર્ષા અને દ્વેષ છે.

પગમાં નાનો કાંટો વાગે તો ૫ ફુટના માણસને યાત્રા કરવામાં તકલિફ પડે.

યાત્રામાં આવતી બધી બાધા બહું નાની હોય છે.

 નિંદા માનસની જીભ ઉપર હોય, ઈર્ષા મનમાં હોય અને દ્વેષ રોમ રોમમાં હોય.

જે નિંદા કરે તે શરીર પ્રાપ્ત કરી શકે પણ બુદ્ધત્વ પ્રાપ્ત ન કરી શકે.

કથા વારંવાર સાંભળવી જોઈએ, કારણ કે જ્યારે કોઈ સમયે જીવનમાં વિષમ પરિસ્થિતિ આવશે ત્યારે આ કથા સાચો માર્ગ બતાવશે.

ઘડિયાળમાં એલાર્મ વગાડવા માટે ચાવી ભરવી પડે પણ એલાર્મ તો તેના સમયે જ વાગશે. કથા શ્રવણ એ ચાવી ભરે છે જેથી તેના યોગ્ય સમયે એલાર્મ અવશ્ય વાગે.

उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत । क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ।।

(कठोपनिषद्, अध्याय १, वल्ली ३, मंत्र १४)

હે મનુષ્ય, ઊઠ, જાગ, સાવધાન થા અને શ્રેષ્ઠને પામ.

લાંબી યાત્રા હોય અને જો તેના માટે યોગ્ય બુદ્ધ પુરુષ મળી જાય તો તે યાત્રામાં બહું જલ્દીથી પહોચી જવાય.

જે નિરંતર આનંદમાં રહે તે જીવન મુક્ત છે. ………. વિવેક ચૂડામણિ

ભગવાન રામ જે બ્રહ્મ છે તે સત્ય માર્ગના માર્ગી છે. રામ સત્ય છે.

ભરત પ્રેમ માર્ગના માર્ગી છે.

જાનકી કરુણા માર્ગના માર્ગી છે.

દશરથ ધર્મ માર્ગના માર્ગી છે જેના માટે તુલસીદાસજી કહે છે કે ………….

 

अवधपुरीं रघुकुलमनि राऊ। बेद बिदित तेहि दसरथ नाऊँ॥

धरम धुरंधर गुननिधि ग्यानी। हृदयँ भगति भति सारँगपानी॥4॥

 

अवधपुरी में रघुकुल शिरोमणि दशरथ नाम के राजा हुए, जिनका नाम वेदों में विख्यात है। वे धर्मधुरंधर, गुणों के भंडार और ज्ञानी थे। उनके हृदय में शांर्गधनुष धारण करने वाले भगवान की भक्ति थी और उनकी बुद्धि भी उन्हीं में लगी रहती थी॥4॥

કૌશલ્યા વિવેક માર્ગી છે.

સુમિત્રા ત્યાગ અને સમર્પણ માર્ગની માર્ગી છે.

સુમિત્રા લક્ષ્મણને રામ અને જાનકી સાથે વનમાં જવાનો આદેશ આપે છે જે ત્યાગ છે.

સુમિત્રા લક્ષ્મણ પત્ની ઊર્મિલાને તેમજ શત્રુઘ્ન પત્ની સુતકિર્તિને પોતાના મહેલમાં આવવાની મનાઈ ફરમાવે છે અને તે બંનેને કૌશલ્યાના ભવનમાં કૌશલ્યાની સેવા કરવા માટે કહે છે આ પણ ત્યાગ છે.

કૈકેયી બે માર્ગની માર્ગી છે. ભરતની માતાના રુપમાં તે વંદનીય છે, વંદનીય માર્ગી છે જ્યારે કૈકેયી નરેશ – રાજાની પુત્રીના રુપમાં તે નિંદનીય છે, નિંદનીય માર્ગી છે. તે ૧૪ વર્ષ મૌન રહે છે.

લક્ષ્મણ સાવધાની અને જાગૃતિ માર્ગનો માર્ગી છે.

શત્રુઘ્નને બધી માતાઓની સેવાનું કાર્ય ભરત સોંપે છે, તેથી તે મૌન રહીને સેવા કરવાનોમાર્ગી છે.

કૃષ્ણ ભગવાન મધ્યમ માર્ગી છે.

સેવાનું એલાર્મ તેના યોગ્ય સમયે જરુર વાગશે.

મોરારી બાપુનો માર્ગ માનસ છે. શ્રોતાઓએ પણ માનસ માર્ગી બની જવા જોઈએ.

હનુમાનજી વૈરાગ્ય માર્ગના માર્ગી છે, તેમને કોઈ ઘર નથી તેથી ભગવાન રામ તેમના રાજ્યાભિષેક અમુક સમય પછી બધાને તેમના ઘરે મોકલી દે છે પણ હનુમાનજીને નથી મોકલતા.

ભગવાન શંકર વિશ્વાસ માર્ગના માર્ગી છે.

પાર્વતી શ્રદ્ધા માર્ગની માર્ગી છે.

કાકભુષુંડી ઉપાસના માર્ગના માર્ગી છે.

ગરુડ કૃતકૃત્ય ભાવના માર્ગી છે.

તુલસી શરણા ગતિ, પ્રપન્નતા માર્ગના માર્ગી છે.

વૈરાગ્ય ભીતરી હોય છે તેથી વૈરાગ્ય માર્ગી સમજવામાં નથી આવતા.

તુમ્હરો મંત્ર વિભીષણ માના ।

લંકેશ્વર ભયે સબ જગ જાના ॥

જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ |

લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ॥

અહીં જે મંત્રની વાત છે તે મંત્ર નીચેની ચોપાઈમાં કહ્યો છે.

 

राम चरन पंकज उर धरहू। लंका अचल राजु तुम्ह करहू॥

रिषि पुलस्ति जसु बिमल मयंका। तेहि ससि महुँ जनि होहु कलंका॥1॥

 

तुम श्री रामजी के चरण कमलों को हृदय में धारण करो और लंका का अचल राज्य करो। ऋषि पुलस्त्यजी का यश निर्मल चंद्रमा के समान है। उस चंद्रमा में तुम कलंक न बनो॥1॥

દરવાજો ખટખટાવો, દરવાજો જરુર ખુલશે.

નિષ્ઠાથી પ્રતિષ્ઠા મળે.

દુનિયામાં જે છે તે બધું જ મહાભારતમાં છે. જે મહાભારતમાં નથી તે દુનિયામાં ક્યાંય નથી.

મોહે ઘણાને અંધ બનાવી દીધા છે.

सुनहु पवनसुत रहनि हमारी। जिमि दसनन्हि महुँ जीभ बिचारी॥

तात कबहुँ मोहि जानि अनाथा। करिहहिं कृपा भानुकुल नाथा॥1॥

 

(विभीषण जी ने कहा-) हे पवनपुत्र! मेरी रहनी सुनो। मैं यहाँ वैसे ही रहता हूँ जैसे दाँतों के बीच में बेचारी जीभ। हे तात! मुझे अनाथ जानकर सूर्यकुल के नाथ श्री रामचंद्रजी क्या कभी मुझ पर कृपा करेंगे?॥1॥

દાંત અસાધુ છે જ્યારે જીભ સાધુ છે.

અસાધુ ૩૨ હોય જ્યારે સાધુ એક જ હોય.

જીભની માફક સાધુ શાસ્વત હોય જ્યારે અસાધુ દાંતની માફક આવે, જાય, ન પણ આવે તેવા હોય.

દંત કથા નાશવંત હોય જ્યારે સંત કથા શાસ્વત હોય.

જીવનનો સ્વાદ જીભ માણે છે જ્યારે દાંતને કોઈ સ્વાદ નથી મળતો.

જીભ બોલે છે તેમ સાધુ પણ બોલે અને જ્યારે તે બોલે ત્યારે દાંતની કોઈ હેશિયત નથી રહેતી.

સંદેહ અને વિકલ્પ મુક્ત ચિતથી જે કથા શ્રવણ કરશે તેને ૬ પ્રકારાના રામ રસાયન પ્રાપ્ત થશે.

ક્યારેય બિચારા ન બનવું પણ વિચારી બનવું.

રહીમદાસે જે રામ ચરિત માનસ માતે કહ્યું છે તે અદભુત છે.

रामचरितमानस बिमल, संतन जीवन प्रान।

हिन्दुवान को बेद सम, जवनहिं प्रगट कुरान॥

 

रहीमदास ने रामचरितमानस के बारे मे कहा है - "पवित्र रामचरितमानस संतों के जीवन की सांस है। यह हिंदुओं के लिए वेदों के समान है, और यह मुसलमानों के लिए कुरान का ऐलाननामा है।"

 

હનુમાન ચાલિસામાં રામ રસાયનની વાત આવે છે.

રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા ||

આ ૬ રસાયન નીચે મુજબ છે.

1.     સંયમ

2.     શીલ – સારો અને સરલ સ્વભાવ

3.     ધૈર્ય

4.     શાંત અન્વેષણ -શાંતિથી ખોજ – શોધ કરવી

5.     વિવેક

6.     સેતુબંધ

હનુમાન ચાલિસાનો પાઠ કરવાથી આ રસાયણ આપણામાં પણ આવે.

કબીરના વિચાર વૈશ્વિક વિચાર છે.

સનાતન ધર્મ આદિ અનાદિ માર્ગનો ધર્મ છે.

 

कतहुँ रहउ जौं जीवति होई। तात जतन करि आनउँ सोई॥

सुग्रीवहुँ सुधि मोरि बिसारी। पावा राज कोस पुर नारी॥2॥

 

कहीं भी रहे, यदि जीती होगी तो हे तात! यत्न करके मैं उसे अवश्य लाऊँगा। राज्य, खजाना, नगर और स्त्री पा गया, इसलिए सुग्रीव ने भी मेरी सुध भुला दी॥2॥


Day 4

Tuesday, 01/07/2025

રાવણ યુદ્ધ માર્ગી છે.

કુંભકર્ણ અહંકાર માર્ગી છે.

મેઘનાથ કામ માર્ગી છે.

પ્રેમ માર્ગીની યાત્રા ક્યાંથી શરુ થાય?

ભરત પ્રેમ માર્ગી છે.

પ્રેમ માર્ગીની યાત્રા શૂન્યથી થાય, TOTALLY EMPTY થઈને થાય.

રુમી પણ કહે છે કે પ્રેમ માર્ગની યાત્રા શૂન્યથી થાય.

ખાલી થવું એટલે અહંકારથી મુક્ત થવું.

આપણને પ્રારબ્ધ, પુરુષાર્થ કે કૃપાથી જે સ્થિતિ મળી છે તેનો જરાય અહંકાર ન આવે તેને શૂન્યતા કહેવાય.

પ્રેમ માર્ગની પ્રસ્થાનત્રયી આદિ, મધ્ય અને અંતમાં પ્રેમ છે.

 

सिय राम प्रेम पियूष पूरन होत जनमु न भरत को।

मुनि मन अगम जम नियम सम दम बिषम ब्रत आचरत को॥

दुख दाह दारिद दंभ दूषन सुजस मिस अपहरत को।

कलिकाल तुलसी से सठन्हि हठि राम सनमुख करत को॥

 

श्री सीतारामजी के प्रेमरूपी अमृत से परिपूर्ण भरतजी का जन्म यदि न होता, तो मुनियों के मन को भी अगम यम, नियम, शम, दम आदि कठिन व्रतों का आचरण कौन करता? दुःख, संताप, दरिद्रता, दम्भ आदि दोषों को अपने सुयश के बहाने कौन हरण करता? तथा कलिकाल में तुलसीदास जैसे शठों को हठपूर्वक कौन श्री रामजी के सम्मुख करता?

 

कुंद इंदु सम देह उमा रमन करुना अयन।

जाहि दीन पर नेह करउ कृपा मर्दन मयन॥4॥

 

जिनका कुंद के पुष्प और चन्द्रमा के समान (गौर) शरीर है, जो पार्वतीजी के प्रियतम और दया के धाम हैं और जिनका दीनों पर स्नेह है, वे कामदेव का मर्दन करने वाले (शंकरजी) मुझ पर कृपा करें॥4॥

પ્રેમ માર્ગીનું ભાથું સાત્વિક, ગુણાતિર, મૌલિક શ્રદ્ધા છે. શ્રદ્ધાને કોઈ અલંકારની જરુર નથી.

તામસી, રાજશ્રી શ્રદ્ધા યોગ્ય નથી.

 

भवानीशंकरौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ।

याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तःस्थमीश्वरम्‌॥

 

श्रद्धा और विश्वास के स्वरूप श्री पार्वतीजी और श्री शंकरजी की मैं वंदना करता हूँ, जिनके बिना सिद्धजन अपने अन्तःकरण में स्थित ईश्वर को नहीं देख सकते॥

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?

કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

                                                                                    જલન માતરી

પ્રેમ માર્ગીએ સાધુનો સંગ લેવો જોઈએ. જો સાધુ ન મળે તો સાધુના વિચારનો, સાધુના સ્વભાવનો સાથ લેવો જોઇએ.

 

जे श्रद्धा संबल रहित नहिं संतन्ह कर साथ।

तिन्ह कहुँ मानस अगम अति जिन्हहि न प्रिय रघुनाथ॥ 38॥

 

जिनके पास श्रद्धारूपी राह खर्च नहीं है और संतों का साथ नहीं है और जिनको रघुनाथ प्रिय नहीं हैं, उनके लिए यह मानस अत्यंत ही अगम है। 38॥

પ્રેમ માર્ગિ માટે કોઈ વિશ્રામ નથી હોતો.

લક્ષ્ય સુધી ન પહોંચાય ત્યાં સુધી વિશ્રામ ન લેવાય.

આરામ હરામ નથી પણ આરામ જ હે રામ છે.

પ્રેમ માર્ગીનો માર્ગ આરામનો માર્ગ નથી.

વ્યાસપીઠ મોસમી ન હોય, વ્યાસપીઠને ગરમી, શરદી જેવી મોસમ ન નડે, ગરમી, શરદી કોઈ અસર ન કરે.

મૃત્યુ ઘ્રુવ છે.

પ્રેમ માર્ગી માટે કોઈ વિશ્રામ નથી, પ્રેમ માર્ગીને પૂર્ણ વિશ્રામ ન મળે પણ પરમ વિશ્રામ જરુર મળે.

વક્તાએ શ્રોતા સુધી પહોંચવાનું હોય છે.

 

ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,

અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી

                                                                                   ગની દહીંવાળા

 

श्रोता बकता ग्याननिधि कथा राम कै गूढ़।

किमि समुझौं मैं जीव जड़ कलि मल ग्रसित बिमूढ़॥ 30(ख)॥

 

 

श्री राम की गूढ़ कथा के वक्ता और श्रोता ज्ञान के खजाने होते हैं। मैं कलियुग के पापों से ग्रसा हुआ महामूढ़ जड़ जीव भला उसको कैसे समझ सकता था?॥ 30(ख)॥

પોથીનો બહું ભાર નથી હોતો પણ જ્યારે પોથીને માથે ધરવામાં આવે છે ત્યારે તેનો ભાર સહન કરવો અઘરો છે.

 

सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो।

सो एक राम अकाम हित निर्बानप्रद सम आन को॥

जाकी कृपा लवलेस ते मतिमंद तुलसीदासहूँ।

पायो परम बिश्रामु राम समान प्रभु नाहीं कहूँ॥3॥

 

(परम) सुंदर, सुजान और कृपानिधान तथा जो अनाथों पर प्रेम करते हैं, ऐसे एक श्री रामचंद्र जी ही हैं। इनके समान निष्काम (निःस्वार्थ) हित करने वाला (सुहृद्) और मोक्ष देने वाला दूसरा कौन है? जिनकी लेशमात्र कृपा से मंदबुद्धि तुलसीदास ने भी परम शांति प्राप्त कर ली, उन श्री रामजी के समान प्रभु कहीं भी नहीं हैं॥3॥

પ્રેમ માર્ગીનું લક્ષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરવાનું નથી પણ શુદ્ધ થવાનું છે.

પ્રેમ માર્ગીને રસ્તામાં કાંટા કંકણથી બચવા માટે ફાનસની જરુર નથી પણ માનસની – કોઈ ગ્રંથની જરુર છે.

પ્રેમ માર્ગીની છત્રી દ્રઢ ભરોંસો છે.

સત્યના માર્ગીની મંઝિલ અભય છે.

રાવણ બળવાન છે પણ અભય નથી.

પ્રેમ માર્ગીની મંઝિલ ત્યાગ છે.

કરુણામાર્ગીની મમ્ઝિલ અહિંસા છે.

ગુજરાતી ભાષા ધર્મ છે.

હિંદી ભાષા અર્થ છે.

અંગ્રેજી ભાષા કામ છે – કામની ભાષા છે.

સંસ્કૃત ભાષા મોક્ષ છે.

મનુષ્ય શરીર મળવું એ પરમાત્માની કૃપા છે.

 

દુર્લભં ત્રયમેવૈતદ્દેવાનુગ્રહહેતુકમ્ ।

મનુષ્યત્વં મુમુક્ષુત્વં મહાપુરુષસંશ્રયઃ ॥ 3॥

दुर्लभं त्रयमेवैतद्देवानुग्रहहेतुकम् ।

मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः ॥ 3॥

મનુષ્ય જીવન, મુમુક્ષા અને મહાપુરુષનો સંગ દુર્લભ છે.  આદિ શંકર

આપણે ઘણી વખત કહીએ છીએ કે જીવન બે દિવસનું છે. આમ ખરેખર જીવન બે જ દિવસનું છે જેમાં એક દિવસ જન્મ દિવસ છે અને બીજો દિવસ મૃત્યુ દિવસ છે. આ બે દિવસ વચ્ચેના દિવસો એ જીંદગીનો પ્રવાહ છે.

અતિ કૃપાના લૌકિક ઊદાહરણ …………

૧          પથારીમાં પડીએ અને તરત જ ઊંઘ આવી જાય એ પરમાત્માની કૃપા છે.

જો ઊંઘ ન આવે તો બેરખો ફેરવવો.

૨          કકડતી ભૂખ ખૂખ લાગવી એ હરિ કૃપા છે.

૩          ગમે તે કપડામ પહેરીએ તોય સુંદર લાગીએ એ હરિ કૃપા છે.

૪          જ્યાં જઈએ ત્યાં આદર/આસન મળે એ હરિ કૃપા છે.

અનિદ્રાના ચાર કારણ છે.

1.     બળવાન શત્રુઓની યાદ આવવાથી નિંદ્રા ન આવે.

2.     કરજદારને નિંદ્રા ન આવે.

3.     ચોર વૃત્તિ વાળાને ઊંઘ ન આવે.

4.     લૌકિક રીતે પ્રેમ કરનારને ઊંઘ ન આવે.

યુદ્ધ જીતવું એ વિજય નથી પણ યુદ્ધ રોકવું એ વિજય છે.

સનાતનના ત્રણ માર્ગ છે, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ.

જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગમાં અનેક વિઘ્ન આવે.

કર્મ માર્ગમાં કર્તાપણાના આવવાનો અહંકાર બાધા છે.

જ્ઞાન માર્ગમાં જ્ઞાનીપણાનો અહંકાર બાધા છે, જ્ઞાન માર્ગમાં જો બ્રહ્મ ભાવ ન આવે તો તે પણ બાધા છે.

અધુરું જ્ઞાન બંદી બનાવી દે. YES, WE ARE THEREE AND DON’T WORRY.

માનસમાં વ થી શરુ થતાં નામ મહિમાવંત છે જેમ કે વશિષ્ટ, વિશ્વામિત્ર, વાલ્મીકિ વગેરે

ભક્તિ માર્ગની પાંચ બાધાઓ છે. આ પાંચ બાધા ભરતને તેના ભક્તિ માર્ગમાં નડે છે.

1.     વ્રત ભંગ

2.     સમાજ ગેરસમજ કરે

3.     દેવતા વિઘ્ન કરે

4.     મુનિ ઋષિ કસોટી કરે

5.     પોતાના પરિવાર જનો વિરોધ કરે અને મારવા સુધી તૈયાર થાય.

કર્મ માર્ગની બાધા કર્તાપણાનો અહંકાર છે.

સારા માર્ગના વ્યક્તિના ૫ કાળ છે.

1.     વ્યવહાર કાળ – સમાજના વ્યવહાર નિભાવવા માટે જવું પડે.

2.     હર્ષ કાળ જેમાં અતિશય હર્ષમાં આવી જઈ ઘરનું કામકાજ નકરવું, કર્તવ્ય કર્મ છોડી દેવું.

3.     શોક કાળ

4.     વિપત્તિ કાળ – કોઈ વિપત્તિ આવે.

5.     વિદાય કાળ  

ઉપરોક્ત વિચાર સ્વામી સચિદાનંદના છે.

Day 5

Wednesday, 02/07/2025

પ્રેમમાં લેણ દેણ, ભાવ, પ્રતિભાવ ન હોય પણ ભાવ અને મહાભાવ હોય.

નૃત્ય ત્રણ રીતે થાય – શરીરથી નૃત્ય થાય, મનની અવસ્થામાં નૃત્ય થાય જેને દેહાતિત નૃત્ય કહેવાય અને આત્માથી થતું નૃત્ય.

અન્ન બ્રહ્મ છે, અન્નથી મન નિર્મિત થાય.

મદ્યપાન અને જુગાર જેવી લતોએ બહું નુકશાન કર્યું છે.

ગમે તેટલા મોટા વ્યક્તિમાં પણ નાની કમજોરી હોય.

નાનું સરખું કાણુ પણ નૌકાને ડૂબાડી દે.

પ્રેમમાં પીડા, તિવ્ર વિયોગ પણ સુખદ હોય છે.

ભગવાન કૃષ્ણ પણ નિયતિને નથી રોકી શકતા.

જગત મિથ્યા છે એવું શંકરાચાર્ય જ બોલી શકે.

જગત સ્ફૂર્તિ છે એવું વિનોબાએ કહ્યું છે.

ધૈર્ય રાખવાથી ક્રોધ ઓછો થાય.

ભૂતકાળને ભૂલી જાવ, ભવિષ્યકાળની ચિંતા ન કરો પણ વર્તમાનમાં જીવો.

જ્યાંથી શુભ મળે તેનો સ્વીકાર કરો.

 

आ नो भद्राः क्रतवो यन्तु विश्वतोऽदब्धासो अपरितासउद्भिदः।

देवा नो यथा सदमिद् वृधे असन्नप्रायुवो रक्षितारो दिवे दिवे॥

"Let noble thoughts come to us from every side.”

 

राशिद" किसे सुनाते गली में हम तेरी ग़ज़ल,

उनके दर का कोई दरीचा खुला न था.

 

 

પરમાત્મા જ દુનિયા છે.

सर्वं खल्विदं ब्रह्म - all this is surely brahma (supreme divinity

દરેક કલાને તેની મર્યાદા, સીમા હોય છે.

કોઈને બાધક બને એ સાધક છે જ નહીં.

માર્ગ અને મારગમાં શું ફેર છે?

માર્ગ શિષ્ટ શબ્દ છે, શ્લોક ભાષાનો શબ્દ છે, વિદ્વાનની ભાષાનો શબ્દ છે.

મારગ અશિષ્ટ ભાષાનો શબ્દ છે, લોકભાષાનો શબ્દ છે, કબીર/નાનક/ગંગાસતીની ભાષાનો શબ્દ છે, સાધુની ભાષાનો શબ્દ છે.

તેવી જ રીતે શબ્દ અને શબદ પણ છે.

માર્ગ ચાલવાની પ્રેરણા આપે જ્યારે મારગ આમંત્રિત કરે.

ત્રણ માર્ગ છે – રાજકીય માર્ગ, શુદ્ધ આધ્યાત્મિક માર્ગ અને પારિવારિક માર્ગ.

પારિવારિક માર્ગમાં ત્રણ માર્ગ છે.

            ૧          પુત્ર પિતાના માર્ગે ચાલે.

પિતા જો પ્રેમી હોય તો પુત્રએ તેના માર્ગે ચાલવું જોઈએ. રામ તેના પિતા દશરથના માર્ગે ચાલે છે.

            ૨          પત્ની પતિના માર્ગે ચાલે.

                        પતિ પ્રેમી હોય, સત્ય હોય તો પત્નીએ તેના માર્ગે ચાલવું જોઈએ.

                        નારી રત્નોની ખાણ છે.

            ૩          પુત્રી માતાના માર્ગે ચાલે.

                        માતા કરુણામૂર્તિ હોય તો પુત્રીએ માતાના માર્ગે ચાલવું જોઈએ.

 

कोई तितली नहीं बताती है तेरी ख़ुश्बू कहाँ से आती है. ……….. FAHMI BADAYUNI

જે રાજા નિતિ પ્રતિ પાલક હોય, પ્રજા પાલક હોય તો તેના માર્ગે ચાલવું જોઈએ.

બુદ્ધ પુરુષના માર્ગે કેવી રીતે ચાલવું?

ગ્રંથ સદગુરુ છે તેથી તેના માર્ગે ચાલવું જોઈએ.

 

सदगुर ग्यान बिराग जोग के। बिबुध बैद भव भीम रोग के॥

जननि जनक सिय राम प्रेम के। बीज सकल ब्रत धरम नेम के॥

 

ज्ञान, वैराग्य और योग के लिए सद्गुरु हैं और संसाररूपी भयंकर रोग का नाश करने के लिए देवताओं के वैद्य (अश्विनीकुमार) के समान हैं। ये सीताराम के प्रेम के उत्पन्न करने के लिए माता-पिता हैं और संपूर्ण व्रत, धर्म और नियमों के बीज हैं।

આધ્યાત્મિક માર્ગે ચાલવાની રીત ……

જાણવા જેવું કંઈ હોય તો તે રામ નામ – હરિ નામ છે.

बिस्वास एक राम - नामको ।

નામ લેતા લેતા નામીની ઓળખાણ થઈ જાય.

આપણો માર્ગ હરિ નામથી શરુ થાય છે.

નામની આગળ વાણી છે જે બીજો માર્ગ છે.

વાણીની આગળ મન છે – મન લગાવીને વાણી બોલવી, કિર્તન કરવું.

મનથી આગળ ધ્યાન છે. રામ નામ મનથી લઈએ તો ધ્યાન લાગી જાય અને આંખમાં આંસુ આવી જાય.

ધ્યાનથી આગળ ચિત છે.

ચિતથી આગળ જ્ઞાન છે.

જ્ઞાનથી આગળ વિજ્ઞાન છે.

વિજ્ઞાનથી આગળ બળ છે જે આત્મ બળ છે, પ્રાણ બળ છે.

આત્મ બળથી આગળ અન્ન છે.

અન્નથી આગળ જલ છે.

જલથી આગળ તેજ છે.

તેજથી આગળ આકાશ છે.

આકાશથી આગળ સુમિરન છે.

સત્યના માર્ગીને કોઈ સાથીની જરુર નથી.

 Day 6

Thursday, 03/07/2025

 

રામ ચરિત માનસ માર્ગી ગ્રંથ છે.

માનસમાં અનેક માર્ગી છે.

कुपथ कुतरक कुचालि कलि कपट दंभ पाषंड।

दहन राम गुन ग्राम जिमि इंधन अनल प्रचंड॥32 क॥

 

श्री रामजी के गुणों के समूह कुमार्ग, कुतर्क, कुचाल और कलियुग के कपट, दम्भ और पाखण्ड को जलाने के लिए वैसे ही हैं, जैसे ईंधन के लिए प्रचण्ड अग्नि॥32 (क)॥

 

ભગવાન રામ અને તેમની સેના સેતુબંધ બનાવ્યા પછી લંકા જાય છે ત્યારે ત્યાં બહું ભીડ થઈ જાય છે. ત્યારે સમુદ્રમાંથી અસંખ્ય માહાકાય જલચર સમુદ્રમાંથી ઉપર આવે છે અને તે રામના દર્શન કરે છે તેમજ લંકા જવા માટેનો માર્ગ પણ બને છે. બધા મહાકાય જલચર હરિ રુપ જોવા મગ્ન થઈ ગયા છે.

            મગન ભયે હરિ રુપ નિહારી…….

લંકા જવા માટે ત્રણ માર્ગથી બધા જાય છે.

            ૧          અમુક વાનર રીંછ સેતુબંધના માર્ગે જાય છે, આ માર્ગ કર્મનો માર્ગ છે.

૨          અમુક સેના આકાશ માર્ગે ઊડાન ભરે છે અને થોડા સમય માટે સેતુબંધ ઉપર વિશ્રામ કરી ફરી પાછા આકાશ માર્ગે આગળ વધે છે. આ માર્ગ જ્ઞાનીનો માર્ગ છે.

            આકાશ માર્ગ ઉપર જવા માટે પાંખ જોઈએ. રામાયણ અને ગીતા એ આકાશ માર્ગે ઊડવા માટેની પાંખો છે.

રામાયણ ગીતા મારી અંતર પાંખો

હરિએ દીધી છે મારી ઊડવાની પાંખો

જ્ઞાન માર્ગી પાસે રામાયણ, ગીતા હોવી જોઈએ.

૩          અમુક સેના સમુદ્રના વિશાળકાય જલચર ઉપર થઈને જાય છે. આ માર્ગ પ્રભુની કૃપાનો માર્ગ છે.

सेतु बंध भइ भीर अति कपि नभ पंथ उड़ाहिं।

अपर जलचरन्हि ऊपर चढ़ि चढ़ि पारहि जाहिं॥ 4॥

 

सेतुबंध पर बड़ी भीड़ हो गई, इससे कुछ वानर आकाश मार्ग से उड़ने लगे और दूसरे (कितने ही) जलचर जीवों पर चढ़-चढ़कर पार जा रहे हैं॥ 4॥

જેણે ભસવાનાં કામ કર્યા હોય, કરડવાના કામ કર્યા હોય તેનું મોત વાહનની નીચે પીલાઈને થાય છે. રખડતાં કૂતરાં મોટા ભાગે વાહન નીચે કચડાઈને જ મરે છે.

મહાકાય પ્રાણી પોતાના ભારથી જ મરે.

આપણને આપણી ચિંતા જ મારી દે છે.

કોઈ નીંદા કરે તો તેને સાંભળો જ નહીં, બીજાનો કચરો શું કામ પોતાના કાનમાં નાખવો.

બેરખો આપણી બેરુખી બદલી દે.

આકાશમાં ઊડવા માટે પાંખ અને પૂછડી જોઈએ.

જીવનમાં પ્રમાત્મા પ્રત્યેની નિષ્ઠા – પ્રતિષ્ઠા એ પૂંછ છે અને ગીતા રામાયણ પાંખો છે.

ગરુડ, કાકભુષુંડી આકાશ માર્ગી છે, જ્ઞાની છે તેમજ મહાન છે.

વિશ્વામિત્રને કોયલ કહ્યા છે તે પણ જ્ઞાની છે તેમજ મહાન પણ છે. આવી જ રીતે શુકદેવ જેને શુક – પોપટ કહે છે તે પણ આકાશ માર્ગી છે, જ્ઞાની છે, મહાન છે.

હનુમાનજી પણ આકાશ માર્ગી છે, જ્ઞાની છે, મહાન પણ છે.

પાસપોર્ટને વારંવાર જોવાની જરુર નથી યોગ્ય સમયે જ તેનો ઉપયોગ થાય.

અવકાશમાં સાત આકાશ આવી જાય. આકાશ અને અવકાશ અલગ છે.

સેતુબંધ કર્મનો માર્ગ છે.

વ્યાસપીઠ કોઈનું શોષણ ન કરે  પણ ઘણાએ વ્યાસપીઠનું શોષણ કર્યું છે.

પોતાના લાભ માટે બીજાને નુકશાન ન થવું જોઈએ.

હરિનામ વિનાનો પુરુષાર્થ અહંકારી બની જાય છે.

જલચર માર્ગ એ કૃપાનો માર્ગ છે.

આપણે ચાર કામ કરવાં જોઈએ.

૧          એવું જીવન જીવો કે જેથી બધાને સમાનતાથી જોઈ શકાય. બધાને સમાન જોવા માટે મોટી ઉડાન ભરવી પડે. જ્યારે આપને ઘણે ઊંચેથી નીચે જોઈએ તો નીચેની બધી વસ્તુ એક સરખી દેખાવા લાગે. જો આપણો દ્રષ્ટિકોણ ઊંચો હોય તો જ સમાનતા આવે.

            ૨          બધું જાણવાની કોશીશ ન કરવી પણ માણવાની કોશીશ કરવી.

            ૩          થોડા સમય માટે એકાંતમાં બેસવું જોઈએ.

૪          યથાયોગ્યમ …………. આ બધું જાણ્યા પછી આપણે જે કરવું હોત તે કરવું. ભગવાન કૃષ્ણ અર્જુનને બધું સમજાવી દીધા પછી કહે છે કે હે અર્જુન હવે તારે જે કરવું હોય તે કર.

સુગ્રીવ વિષય માર્ગી છે.

ગુહરાજ સાધક માર્ગી છે.

વિભીષણ શુદ્ધ માર્ગી છે

ગ્રંથનો સાચો અર્થ, મૂળ અર્થ ગુરુ કૃપાથી જ સમજાય.

ભગવત કૃપાનું ગાયન શ્રવણ અતિ હરિ કૃપાનું પરિણામ છે.

સનાતન ધર્મ આદિ અનાદિ ધર્મ છે, સનાતન ધર્મ આદિ અંત મુક્ત ધર્મ છે.

જેને ગુરુમાં નિષ્ઠા હોય તેના માટે ગુરુ ચરણ રજ પરાગ છે.

Day 7

Friday, 04/07/2025

જે સાત કુમાર્ગથી બચે છે તે માર્ગી છે, સાચા માર્ગનો પથિક છે.

સાત કુમાર્ગ નીચે પ્રમાણે છે જેનાથી બચવું જોઈએ.

            ૧          જુગાર – CASINO

                        ખટપટ કરવી, બીજાને શીશામાં ઊતારવાની પ્રવૃત્તિ પણ જુગાર જ છે.

            ૨          શરાબ – નશીલા પદાર્થોનું સેવન

કથા રસ પીતાં પીતાં વ્યસન રસ, અન્ય રસ આપોઆપ ઓછા થઈ જશે.

અમૃતનો ઓડકાર ન હોય, કથાનો ઓડકાર ન હોય, તેમાં તો ફક્ત પ્યાસ જ હોય.

॥ गोपीगीतम् ॥

गोप्य ऊचुः ।

जयति तेऽधिकं जन्मना व्रज श्रयत इन्दिरा शश्वदत्र हि ।

दयित दृश्यतां दिक्षु तावका- स्त्वयि धृतासवस्त्वां विचिन्वते ॥ १॥

शरदुदाशये साधुजातस- त्सरसिजोदरश्रीमुषा दृशा ।

सुरतनाथ तेऽशुल्कदासिका वरद निघ्नतो नेह किं वधः ॥ २॥

विषजलाप्ययाद्व्यालराक्षसा- द्वर्षमारुताद्वैद्युतानलात् ।

वृषमयात्मजाद्विश्वतोभया- दृषभ ते वयं रक्षिता मुहुः ॥ ३॥

न खलु गोपिकानन्दनो भवा- नखिलदेहिनामन्तरात्मदृक् ।

विखनसार्थितो विश्वगुप्तये सख उदेयिवान्सात्वतां कुले ॥ ४॥

विरचिताभयं वृष्णिधुर्य ते चरणमीयुषां संसृतेर्भयात् ।

करसरोरुहं कान्त कामदं शिरसि धेहि नः श्रीकरग्रहम् ॥ ५॥

व्रजजनार्तिहन्वीर योषितांनिजजनस्मयध्वंसनस्मित ।

भज सखे भवत्किंकरीः स्म नो जलरुहाननं चारु दर्शय ॥ ६॥

प्रणतदेहिनां पापकर्शनं तृणचरानुगं श्रीनिकेतनम् ।

फणिफणार्पितं ते पदांबुजं कृणु कुचेषु नः कृन्धि हृच्छयम् ॥७॥

मधुरया गिरा वल्गुवाक्यया बुधमनोज्ञया पुष्करेक्षण ।

विधिकरीरिमा वीर मुह्यती-रधरसीधुनाऽऽप्याययस्व नः ॥ ८॥

तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम् ।

श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृणन्ति ते भूरिदा जनाः ॥ ९॥

प्रहसितं प्रिय प्रेमवीक्षणं विहरणं च ते ध्यानमङ्गलम् ।

रहसि संविदो या हृदिस्पृशः कुहक नो मनः क्षोभयन्ति हि ॥ १०॥

चलसि यद्व्रजाच्चारयन्पशून् नलिनसुन्दरं नाथ ते पदम् ।

शिलतृणाङ्कुरैः सीदतीति नः कलिलतां मनः कान्त गच्छति ॥ ११॥

दिनपरिक्षये नीलकुन्तलै-र्वनरुहाननं बिभ्रदावृतम् ।

घनरजस्वलं दर्शयन्मुहु-र्मनसि नः स्मरं वीर यच्छसि ॥ १२॥

प्रणतकामदं पद्मजार्चितं धरणिमण्डनं ध्येयमापदि ।

चरणपङ्कजं शंतमं च ते रमण नः स्तनेष्वर्पयाधिहन् ॥ १३॥

सुरतवर्धनं शोकनाशनं स्वरितवेणुना सुष्ठु चुम्बितम् ।

इतररागविस्मारणं नृणां वितर वीर नस्तेऽधरामृतम् ॥ १४॥

अटति यद्भवानह्नि काननं त्रुटिर्युगायते त्वामपश्यताम् ।

कुटिलकुन्तलं श्रीमुखं च ते जड उदीक्षतां पक्ष्मकृद्दृशाम् ॥ १५॥

पतिसुतान्वयभ्रातृबान्धवा-नतिविलङ्घ्य तेऽन्त्यच्युतागताः ।

गतिविदस्तवोद्गीतमोहिताःकितव योषितः कस्त्यजेन्निशि ॥ १६॥

रहसि संविदं हृच्छयोदयं प्रहसिताननं प्रेमवीक्षणम् ।

बृहदुरः श्रियो वीक्ष्य धाम ते मुहुरतिस्पृहा मुह्यते मनः ॥ १७॥

व्रजवनौकसां व्यक्तिरङ्ग ते वृजिनहन्त्र्यलं विश्वमङ्गलम् ।

त्यज मनाक् च नस्त्वत्स्पृहात्मनां स्वजनहृद्रुजां यन्निषूदनम् ॥ १८॥

यत्ते सुजातचरणाम्बुरुहं स्तनेष भीताः शनैः प्रिय दधीमहि कर्कशेषु ।

तेनाटवीमटसि तद्व्यथते न किंस्वित् कूर्पादिभिर्भ्रमति धीर्भवदायुषां नः ॥ १९॥

 

પોથી કલ્પતરુ છે, કામધેનુ ગાય છે.

સદગ્રંથ પાલક છે જે શાક માર્કેટમાં ન વેચાય પણ હિરા માણેકની જેમ વેચાય.

સદગ્રંથ શોષણ ન કરે પણ પોષણ કરે.

વ્યાસપીઠ સમાજનું શોષણ ન કરે પણ પાલક બની પોષણ કરે.

કપટ એને કહેવાય જેને આપણે બતાવતા નથી પણ સંતાડીયે છીએ.

દંભ એને કહેવાય જેને આપણે આપની પાસે જે નથી તેને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

માયા એને કહેવાય જે ઉપર દર્શાવેલ બંને ખેલ કરાવે.

काम कोह मद मान न मोहा। लोभ न छोभ न राग न द्रोहा॥

जिन्ह कें कपट दंभ नहिं माया। तिन्ह कें हृदय बसहु रघुराया॥1॥

जिनके न तो काम, क्रोध, मद, अभिमान और मोह हैं, न लोभ है, न क्षोभ है, न राग है, न द्वेष है और न कपट, दम्भ और माया ही है- हे रघुराज! आप उनके हृदय में निवास कीजिए॥1॥

            ૩          શિકાર – હત્યા

શિકાર – હત્યા વાણીથી, શાસ્ત્રોથી, માનસિક મલિનતાથી પણ થાય. સૌંદર્ય, પ્રતિષ્ઠા, પ્રગતિનો પણ શિકાર થાય. કોઈની મશ્કરી કરવી, કોઈને જોઈને સિટી વગાડવી પણ શિકાર છે.

૪          અકારણ એક બીજા સાથે સંઘર્ષ – ચંદનનું કાષ્ટ શીતલ છે પણ તેને ઘસવાથી જ્વાલા પેદા થાય.

૫          કોઈ પણ નારીનું અપમાન

૬          અપ્રિય સત્ય ન બોલવું જોઈએ. પણ પ્રિય સત્ય બોલવું જોઈએ. મિતભાષી રહેવું જોઈએ.

सत्यं ब्रूयात् प्रियं ब्रूयात् , न ब्रूयात् सत्यम् अप्रियम् ।

प्रियं च नानृतम् ब्रूयात् , एष धर्मः सनातन: ॥

सत्य बोलना चाहिये, प्रिय बोलना चाहिये, सत्य किन्तु अप्रिय नहीं बोलना चाहिये । प्रिय किन्तु असत्य नही बोलना चाहिये ; यही सनातन धर्म है ॥

देखा मियां सत बोलनेका, जहां तुं हैं वहां कोई नहीं हैं।

૭          કુસંગ

            કુસંગ ન કરવો જોઈએ.

તર્કજ્ઞ તર્કથી વાત કરે.

મર્મજ્ઞ ભજનાનણ્દિ હોય, તે હરિ નામ જપતો હોય.

સર્વજ્ઞ એ છે જે પરમ તત્વને પામી ગયો છે.

માળા ત્રણ પ્રકારની હોય. રુદ્રાક્ષની જે શિવ પંથી પહેરે, તુલસીની જે વૈષ્ણવ પહેરે અને સ્ફટિકની માળા જે યંત્ર તંત્ર વિદ્યા માટે વપરાય. આ બધી માળા સ્થુલ માળા છે.

આ ઊપરાંત મનની માળા, શ્વાસોની માળા પણ છે જે સુક્ષ્મ માળા કહેવાય.

મોટા વ્યક્તિથી ડરવાથી અભય આવે. રામ લક્ષ્મણને વિશ્વામિત્ર ગુરુનો ડર લાગે છે.

 

बिप्रबंस कै असि प्रभुताई। अभय होइ जो तुम्हहि डेराई॥

सुनि मृदु गूढ़ बचन रघुपति के। उघरे पटल परसुधर मति के॥

 

ब्राह्मणवंश की ऐसी ही प्रभुता (महिमा) है कि जो आपसे डरता है, वह सबसे निर्भय हो जाता है (अथवा जो भयरहित होता है, वह भी आपसे डरता है) रघुनाथ के कोमल और रहस्यपूर्ण वचन सुनकर परशुराम की बुद्धि के परदे खुल गए।

 

 માનસમાં બે વાટિકા છે, જનક વાટિકા અને અશોક વાટિકા.

જનક વાટિકા જનક રાજાના વિદેહનગરમાં છે જ્યારે અશોક વાટિકા રાવણના દેહનગરમાં છે.

જનક વિદ્યાવાનની વાટિકા છે જ્યારે અશોકવાટિકા વિદ્વાન રાવણની વાટિકા છે. રાવણ વિદ્વાન છે પણ વિદ્યાવાન નથી.

જનક વાટિકામાં ફૂલ છે પણ ફળ નથી જ્યારે અશોક વાટીકામાં ફળ છે પણ ફૂલ નથી. રાવણ ભોગવાદી છે અને ભોગવાદીને ફળની ઈચ્છા હોય.

કથા મન, બુદ્ધિ, ચિત થી સંભળાય, અહંકાર સહિત ન સંભળાય.

કથા દરમ્યાન વક્તાની વાણી પવિત્ર થાય છે.

Day 8

Saturday, 08/07/2025

ઘણીવાર એવું બને છે કે આપણે જેની વાટ જોતા હોઈએ એ જ શેરીમાં મળી જાય.

ગરુડને ત્રિભુવન ગુરુ શંકર રસ્તામાં મળે છે.

ગરુડમાં અહંકાર છે.

ભગવાન શંકર મધ્યમ માર્ગ કાઢી ગરુડને કાકભુષુંડી પાસે મોકલે છે.

માનસમાં ત્રણ પ્રધાન મણિ છે, ભક્તમણિ, જે સ્વયં પ્રકાશિત છે, તેને કોઈ વાટ કે તેલની જરુર નથી.

ચિંતામણિ એ છે જે ચિંતા દૂર કરે.

ચૂડામણિ જે જાનકી પાસે છે.

આ ત્રણ મણિના સાનિધ્યમાં બીજા મણિ પણ છે જેવા કે રઘુવંશ મણિ, સતી શિરોમણિ, ભક્ત શિરોમણી, ચતુ શિરોમણી વગેરે.

હોલી એટલે ઘૃણા, તિરસ્કારને દૂર કરો અને પ્રેમેને અંદર લાવો.

HOLI WHERE H REPRESENTS HATE, O REPRESENTS OUT, L REPRESEMTS LOVE AND I REPRESENTS IN. THAT IS TO SAY THAT OUT THE HATE AND TAKE LODE IN.

બીજાનું મુલ્યાંકન કરવાનું બંધ કરી પોતાનું મુલ્યાંકન કરો. કારણ કે બીજાનું મુલ્યાંકન કરવામાં પરેશાન થશો.

ક્ષમતા હોવા છતાં ક્ષમા કરો.

જૈન મુનિના પુસ્તકમાં લખ્યા મુજબ તેમણે ષડરસની વાત કરી છે. જે નીચે મુજબ છે.

            ૧          રવિવારે નમક નખાવું. નમક ઓછું ખાવાથી બી. પી નિયંત્રિત થાય છે.

            ૨          સોમવારે લીલા શાકભાજી ન ખાવાં. આવું કરવાથી પેટ સ્વસ્થ રહે.

            ૩          મંગળવારે મિઠાઈ ન ખાવી. મિઠાઈ ન ખાવાથી સુગર નિયંત્રિત થાય.

            ૪          બુધવારે ઘી ન ખાવું.

            ૫          ગુરુવારે દૂધ ન લેવું. દૂધ લેવાથી ગેસની સમસ્યા પેદા થાય છે.

            ૬          શુક્રવારે દહીં ન ખાવું. દહીં ખાવાથી વાયુનો પ્રકોપ થાય જે સાંધામાં દુખાવો પેદા કરે.

            ૭          શનિવારે તેલ ન ખાવું. તેલ ન ખવાથી કોલેસ્ત્રોલ નિયંત્રિત થાય.

ધર્મ સાધના માટે સ્વસ્થ શરીર જરુરી છે.

ભોજન ઘી લગાવીને કરવું અને ભજન જીવ લગાવીને કરવું.

હરિનો માર્ગ છે શિરાનો નહીં કાયરનું કામ જો ને ……..

આ જૈન મુનિએ બીજી પણ સાત વાતો જણાવી છે.

            ૧          સોમવારે મોબાઈલ બંધ રાખવો.

            ૨          મંગળવારે બંધ FACEBOOK રાખવું.

            ૩          બુધવારે વિજળી બંધ રાખવી.

            ૪          ગુરુવારે INTERNET બંધ રાખવું.

            ૫          શુક્રવારે વાહન બંધ રાખવું.

૬          શનિવારે WHATSAPP બંધ રાખવું.

            ૭          રવિવારે TV બંધ રાખવું.

આ નકારાત્મક સંદેશ છે.

મોરારી બાપુ નીચે મુજબના સાત હકારાત્મક સંદેશ આપે છે.

            ૧          સોમવારે શિવ પારાયણ કરવું, રુદ્રાષ્ટકનું ગાયન કરવું.

            ૨          મંગળવારે ભયે પ્રગટ કૃપાલાનો પાઠ કરવો, ગાયન કરવું.

            ૩          બુધવારે અત્રિ સ્તુતિ ગાવી.

            ૪          ગુરુવારે આદિ શંકર રચિત તતઃ કિમ નો પાઠ કરવો.

            ૫          શુક્રવારે ભાગવતના ચતુશ્લોકીનો પાઠ અથવા દશમ સ્કંધ કે ૧૧ મા સ્કંધનો પાઠ કરવો.

            ૬          શનિવારે હનુમાન ચાલીસા કે રુદ્રાષ્ટકનો પાઠ કરવો.

            ૭          રવિવારે પોતાના પરિવાર જનો સાથે આનંદ મનોરંજન કરવું.

સ્તુતિ એને કહેવાય જેમાં જે તે દેવતાની દિવ્યતાના ગુણગાન કરવામાં આવે છે.

પ્રાર્થનામાં માગણી હોય છે.

પ્રસંશા સ્વાર્થી લોકો કરે, ભય કે પ્રલોભનના લીધે યોગ્યતા ન હોવા છતાં યોગ્ય કરવા માટે પ્રસંશા કરે.

પ્રસંશા હંમેશાં કુવારી છે કારણ કે સાધુ પ્રસંશા ન સ્વીકારે અને અસાધુને પ્રસંશા ન સ્વીકારે.

કથાનું ગાયન કરવું એ કથા સેવા છે.

 

આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું,

ધન્ય મારું જીવન કૃપા એની લેખું.

રામ કૃષ્ણ રામ કૃષ્ણ રસના ઉચ્ચારે,

હરીનો આનંદ મારે અંતર આવે. આંખ મારી

પ્રભુ ના વિચારો મારે અઢળક નાણું,

ગાવું મારે રાત દિન રામ નું ગાણું. આંખ મારી

રામાયણ ગીતા મારી અંતર આંખો,

હારી-એ દીધી છે  મને ઉડવાની પાંખો. આંખ મારી

પ્રભુના ભક્તો મારા સગા ને સંબંધી

છૂટી મારી ગ્રંથિ તૂટી મારી માયા ની બંધી. આંખ મારી

શુદ્ધ ભક્તિ વધે ઈ પૂર્ણિમા જેવી

સહુ ભક્તો આશિષ સદા દેજો એવી. આંખ મારી

જેને રે શ્રી રામ  રસ ચાખ્યો

એને રે સંસરીનો મિથ્યા કરી નાખીયો. આંખ મારી …

જે રસ ધ્રુવ, પ્રહલાદે રે ચાખ્યો

એ રસ અંબરીશે હૃદિયા માં રાખિયો. આંખ મારી …

એ રસને જાણે છે સુખદેવ જોગી

કૈક જાણે છે પેલો નરસૈંયો ભોગી. આંખ મારી …

 

सप्त मर्यादा कवय: ततक्षुस्तासामेकामिदभ्यंहुरो गात् ।

आयोर्ह स्कम्भ उपमस्य नीळे पथां विसर्गे धरुणेषु तस्थौ ।।ऋ10.5.6

સત્ય માર્ગી માટે કેટલીક બાધાઓ છે.

૧          અમારાથી આ માર્ગ ઉપર નહીં ચાલી શકાય એવો નિર્ણય પહેલાંથી કરી લીધો હોય.  આ એક બાધા છે, રાવણ આવો માણસ હતો, તે ધર્મ જાણતો હતો પણ કહેતો હતો કે મારાથી ધર્મના માર્ગ ઉપર નહીં ચલાય.

૨          આપણો મુડ ન હોવાના લીધે આપણે સત્યના માર્ગે નથી ચાલી શકતા.

૩          આપણે એવું માની લીધું છે કે સત્યના માર્ગ ઉપર ચાલી શકવાનું આપણા નસીબમાં નથી.

૪          જો આપને સત્યના માર્ગે ચાલીશું તો લોકો શું કહેશે એના ભયના કારણે આપણે સત્યના માર્ગે નથી ચાલી શકતા.

શંકરાચાર્ય ભગવાન કહે છે કે અનુંસંધાન, આળસ, ભોગ લાલસા, લય તાલ તૂટવાનો ભય, તમસ – અંધકાર, પારિવારિક ઘટના, અન્ય રસની ઈચ્છા, શુન્યતા વગેરે આધ્યાત્મિક માર્ગના અવરોધો છે.

હરિ કૃપા કરતાં ગુરુ કૃપાનું મહત્વ વધારે છે. ગુરુ જ હરિ છે.

જ્યાં આપણું શોષણ ન થાય, જ્યાં ગુણાતિત શ્રદ્ધા બેસી જાય, જે રુચિકર હોય, જ્યાં અકારણ પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ થઈ જાય તે આપણો આરાધ્ય છે.

માનવતાની શરુઆત કરુણાથી જ થઈ છે.

પરમને પામવા માટે સંતની સોબત મળે છે.

Day 9

Sunday, 09/07/2025

સાધનાનો નિયમ જ્યારે દ્રઢ થઈ જાય ત્યારે તે નિયમ વ્રત બની જાય છે.

ધ્યાન સ્વામી બાપા ધ્યાન માર્ગી હતા.

તેમના શિષ્ય જીવણદાસ મહેતા જીવન માર્ગી હતા. ધ્યાન સ્વામી બાપાના કહેવાથી જીવણદાસ મહેતા ગૃહસ્થ બને છે.

તેમના પુત્ર નારાયણદાસ બાપુ નામ માર્ગી હતા.

તેમના પુત્ર પ્રેમદાસ બાપુ પ્રેમ માર્ગી હતા.

તેમના પુત્ર રઘુરામ બાપુ રઘુ માર્ગી – વિશાળ વિચાર માર્ગી હતા, લઘુ માર્ગી ન હતા.

તેમના પુત્ર ત્રિભુવન બાપુ ત્રુભુવન માર્ગી હતા, ઉપાસના, જ્ઞાન અને કર્મના માર્ગી હતા. સત્ય, પ્રેમ અને કરુણાના માર્ગી હતા. જે ત્રિભુવનીય માર્ગ છે.

તેમના મુત્ર પ્રભુદાસ બાપુ સમર્થ માર્ગી હતા.

તેમના પુત્ર મોરારી બાપુ માર્ગી છે, માનસ માર્ગી છે.

કોઈના કહેવાથી કંઈ થતું નથી, જે કંઈ થાય છે તે ભજનથી થાય છે.

માર્ગીની પંથસ્થ વ્યાખ્યા, આ વ્યાખ્યા કોઈ ગ્રંથમાં હાલમાં નથી પણ ભવિષ્યમાં તેનો ઉલ્લેખ જરુર થશે.

જીવનનો અર્થ વહેતા રહેવાનો છે.

માર્ગી સાધુના પંથસ્થ લક્ષણ, પંથસ્થ વ્યાખ્યા નીચે મુજબ છે.

          માર્ગી સાધુ એ છે જે ભોગી નથી પણ યોગી છે. તે નદીના પ્રવાહ મુજબ નિરંતર વહેતો રહે – ચાલતો રહે.

                      માર્ગી હરિનામનો વિયોગી હોય.

ભક્તિ માર્ગ વિયોગ પસંદ કરે કારણ કે આવા વિયોગમાં નિરંતર મિલન હોય છે. સંયોગમાં અડચણ હોય, દિવાલો હોય.

                      માર્ગી વૈરાગી હોય.

 

तेहिं पुर बसत भरत बिनु रागा। चंचरीक जिमि चंपक बागा॥

रमा बिलासु राम अनुरागी। तजत बमन जिमि जन बड़भागी॥4॥

 

उसी अयोध्यापुरी में भरतजी अनासक्त होकर इस प्रकार निवास कर रहे हैं, जैसे चम्पा के बाग में भौंरा। श्री रामचन्द्रजी के प्रेमी बड़भागी पुरुष लक्ष्मी के विलास (भोगैश्वर्य) को वमन की भाँति त्याग देते हैं (फिर उसकी ओर ताकते भी नहीं)॥4॥

                        આપણે ઘણી ઊંચાઈએ જવું હોય તો વજન ઓછું કરવું પડે.

                      માર્ગી હરિ ચરણમાં, શાસ્ત્રમાં, પોતાના બુદ્ધ પુરુષમાં અનુરાગી હોય.

          માર્ગી સાધુ સદા સુહાગી હોય, તેનું સિંદૂર કોઈ ભૂંસી ન શકે. તે અનાથ ન હોય, તેનો કોઈ નાથ હોય.

                      માર્ગી સાધુ પ્રયોગી હોય, તે પ્રયોગ કરે, નવા ફૂલ ખિલાવે. પ્રયોગ બેઠા બેઠા ન થાય, તેના મા             માટે ગતિ કરવી પડે.

          માર્ગી સાધુ નિરોગી હોય. આંતરિક રોગોથી મુક્ત હોય. માર્ગી સાધુની ઊંમર વધે તેમ તેની ઊર્જા ઓછી થાય પણ ઉત્સાહ ઓછો ન થાય.

માર્ગી સાધુને પ્રેમનો રોગ હોય.

मोर मुकुट माथे तिलक बिराजे।

कुण्डल अलका कारीको म्हारो प्रणाम

अधर मधुर कर बंसी बजावै।

रीझ रीझौ राधाप्यारीको म्हारो प्रणाम

यह छबि देख मगन भई मीरा।

मोहन गिरवरधारीको म्हारो प्रणाम

          માર્ગી સાધુ બધા સમાજ માટે સહયોગી બને. તે પોતાની કલાનો સમાજ હિત માટે ઉપયોગ કરે. તે શરીરથી, મનથી, વચનથી તેમજ વચન, મન અને કર્મથી બધાને સહયોગ કરે.

          માર્ગી સાધુ અસંગી હોય, બધાથી પ્રમાણિક અંતર રાખે.

૧૦        માર્ગી સાધુ પરાગી હોય. પાદૂકા પારસમણિ છે.

બંદઉ ગુરુ પદ પદુમ પરાગા। સુરુચિ સુબાસ સરસ અનુરાગા।।

અમિય મૂરિમય ચૂરન ચારૂ। સમન સકલ ભવ રુજ પરિવારૂ।।

સુકૃતિ સંભુ તન બિમલ બિભૂતી। મંજુલ મંગલ મોદ પ્રસૂતી।।

જન મન મંજુ મુકુર મલ હરની। કિએતિલક ગુન ગન બસ કરની।।

શ્રીગુર પદ નખ મનિ ગન જોતી। સુમિરત દિબ્ય દ્રૃષ્ટિ હિયહોતી।।

દલન મોહ તમ સો સપ્રકાસૂ। બડ઼ે ભાગ ઉર આવઇ જાસૂ।।

ઉઘરહિં બિમલ બિલોચન હી કે। મિટહિં દોષ દુખ ભવ રજની કે।।

સૂઝહિં રામ ચરિત મનિ માનિક। ગુપુત પ્રગટ જહજો જેહિ ખાનિક।।

 

કુઅુ કુઅિ કલ ભાવિ દેહીં।।નયન લાભુ સબ સાદર લેહીં।।

જાઇ ન બરનિ મનોહર જોરી। જો ઉપમા કછુ કહૌં સો થોરી।।

રામ સીય સુંદર પ્રતિછાહીં। જગમગાત મનિ ખંભન માહીં ।

મનહુમદન રતિ ધરિ બહુ રૂપા। દેખત રામ બિઆહુ અનૂપા।।

દરસ લાલસા સકુચ ન થોરી। પ્રગટત દુરત બહોરિ બહોરી।।

ભએ મગન સબ દેખનિહારે। જનક સમાન અપાન બિસારે।।

પ્રમુદિત મુનિન્હ ભાવી ફેરી। નેગસહિત સબ રીતિ નિબેરીં।।

રામ સીય સિર સેંદુર દેહીં। સોભા કહિ ન જાતિ બિધિ કેહીં।।

અરુન પરાગ જલજુ ભરિ નીકેં। સસિહિ ભૂષ અહિ લોભ અમી કેં।।

બહુરિ બસિષ્ઠ દીન્હ અનુસાસન। બરુ દુલહિનિ બૈઠે એક આસન।।

 

૧૧         માર્ગી સાધુ રાગી હોય, ગાવાવાળો હોય.

૧૨        માર્ગી સાધુ પ્રયાગી હોય. તે બધાનો સમન્વય કરે તેવો હોય.

ભગવાન રામ સીતા – ભક્તિની શોધ માટે ૫ નિમ્ન વ્યક્તિઓને પૂછે છે, આ વ્યક્તિઓ જટાયુ, શબરી, નારદ, સુગ્રીવ, હનુમાનજી, સંપાતિ વગેરે છે. નારદ નિમ્ન છે કારણ કે તેનો જન્મ નિમ્ન રીતે થયેલો છે, હનુમાનજી વાનર રુપ છે તેથી નિમ્ન છે.    

ગુરુ જે ગૃહસ્થ હોય તે કેવા હોવા જોઈએ તેનાં ગ્રંથસ્થ લક્ષણ નીચે મુજબ છે.

ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.

1.      વ્યાસ વિશ્વ ગુરુ છે.

2.      વ્યાસ એટલે વિશાળતા, આકાશ પણ ગુરુને નાનું પડે. ગુરુ બહું વિશાળ હોય. તે પોતાની બાહોમાં આખા વિશ્વને પણ સમાવી લે.

3.      વ્યાસ ભગવાને વેદોનો વિસ્તાર કર્યો. ગુરુ વેદ શાસ્ત્ર વિસ્તારક હોય. તે કદી સંકિર્ણ ન બનાવે પણ વિશાળ બનાવે.

4.      વ્યાસને વ્યાસ મુનિ પણ કહેવામાં આવે છે. મુનિ ઋષિ હોય અને કવિ પણ હોય, તે રચયિતા હોય. ગુરુ જ્યારે ચૂપ રહે ત્યારે તે મુનિ છે અને જ્યારે બોલે ત્યારે તે ઋષિ છે.

5.      વ્યાસ જેવા સર્જક બીજા કોઈ નથી. ગુરુ સર્જક હોય, અદ્વિતીય હોય. ગુરુ દૈવિક ગુણોનું સર્જન કરે. ગુરુ પોતાના આશ્રિતમાં દૈવી ગુણોનું સર્જન કરે.

6.      વ્યાસ પાસે થિયરી છે તેમજ પ્રેક્ટીઅલ પણ છે. જેની પાસે આ બંને હોય તે ગુરુ છે.

7.      ગુરુ પાસે શસ્ત્ર હોય તેમજ શાસ્ત્ર પણ હોય. ગુરુ શસ્ત્રનો ઉપયોગ આત્મ રક્ષણ માટે કરે, રક્ષણ કરવા માટે કરે. ગુરુ શાસ્ત્રનો ઉપયોગ શિક્ષણ માટે કરે. ગુરુમાં આ બંને હોય.

8.      પરમ તત્વના ૨૪ અવતારમાં એક અવતાર ભગવાન વ્યાસનો છે. ગુર એ એક અવતાર છે. ઑશોએ કહ્યું છે કે બધા શાસ્ત્રોનો પુનઃ અવતાર ગુરુ છે.

9.      વ્યાસ મહાભારતના રચનાકાર છે તેમજ મહાભારતના એક પાત્ર પણ છે. ગુર એવા હોય જે આશ્રિતના જીવનના મહાભારતમાં જ્યારે સમસ્યા પ્રગટ થાય ત્યારે પ્રગટ થઈ તે સમસ્યાનું સમાધાન આપે. જ્યારે આશ્રિતના જીવનમાં દ્વંદ્પેદા થાય ત્યારે વ્યાસ ભગવાન માફક મોકા ઉપર પ્રગટ થઈ સમાધાનનો માર્ગ બતાવે.

10.  ગુરુ ભવિષ્ય દ્રષ્ટા છે, ભવિષ્ય વેતા છે.

11.  વ્યાસ શૂન્ય અને પૂર્ણ વચ્ચેનો સેતુ છે. ગુરુ પણ શૂન્ય અને પૂર્ણ વચ્ચેનો સેતુ છે.

12.  વ્યાસ વંશ વિસ્તારક છે. ગુરુ સંસ્કાર, સભ્યતા, સંસ્કૃતિનો વિસ્તાર કરે.

13.  વ્યાસ સદગુરુ છે.

14.  અષ્ટાદશપુરાણેષુવ્યાસસ્ય વચનદ્વયમ્।

પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ્॥ ૪॥

15.  ગુર એ છે જે સૂત્ર આપે. જે રીતે માળામાં અનેક મણકા હોય પણ તેનું સૂત્ર એક જ હોત તેવી રીતે ગુરુ પાસે વિચાર અનેક હોય પણ સૂત્ર એક જ હોય.

16.  ગુરુ ગુણાતિત હોય.