Translate

Search This Blog

Wednesday, March 12, 2014

હનુમાન ચાલીસા મનોરોગનું સમાધાન કરે છે, માનસદર્શન, મોરારિબાપુ

હનુમાન ચાલીસા મનોરોગનું સમાધાન કરે છે



  • તુલસીદાસજીએ માનસરોગ વિશે આખું પ્રકરણ લખ્યું છે. હનુમાનજી જેવા માનસશાસ્ત્રી આપણને કોઇ મળશે નહીં. હનુમાનજી તો આપણા મનની પરખ છે.


  • ભજનાનંદી વ્યક્તિ ભજન કરતાં-કરતાં પોતાની આંતરચેતનામાં ડૂબવા લાગે છે ત્યારે એનો દેહ સ્વયં ભજન થઇ જાય છે.



  • સ્વામી રામર્તીથને જ્યારે પૂરણસિંહ સ્પર્શ છે ત્યારે એમના રોમેરોમમાંથી 'રામ રામ’ શબ્દ નીકળ્યો હતો. 



  • જે વ્યક્તિ વ્યવહારુ હશે એની અંદર રોગ હશે નહીં. હનુમાન ચાલીસામાં તો બહુ સ્પષ્ટ કહ્યું છે કે,

'નાસૈ રોગ હરે સબ પીરા Ð
જપત નિરંતર હનુમંત બીરા’



  • હનુમંતતત્ત્વ બતાવવાથી જ રોગ જાય છે. 



  • પરંતુ હનુમાનજીના સ્મરણથી માનસિક રોગોનો ઇલાજ થઇ જાય છે.



  • જો હૃદયથી શ્રદ્ધા રાખીને હનુમાન ચાલીસા કરવામાં આવે તો હનુમાનજી શું આપતા નથી? માણસ બધી જ રીતે માલામાલ થઇ જાય છે. બીજું કે હનુમાનજીનો આશ્રય કરવાથી માનવીની કામનાઓ ઓછી થઇ જાય છે. જીવનમાં ક્રોધ, લોભ, દ્વેષ, ઇષ્ર્યા ઓછી થઇ જાય છે. આજે આપણી દશા કેવી છે કે આપણે ઉપરથી ખૂબ સારા લાગીએ છીએ પણ અંદરથી એની ગડમથલ હોય છે. મને જાવેદ અખ્તર સાહેબનો એક શેર યાદ આવે છે.

'પુર સૂકુન લગતી હૈ કિતની જીલ કે પાની પે બત
પૈરો કી બેતાબિયાં પાની કી અંદર દેખિયે.’


(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


મોરારિબાપુ

Continue reading at Sunday Bhaskar.



No comments:

Post a Comment