Translate

Search This Blog

Wednesday, March 5, 2014

બીજાના પ્રભાવમાં નહીં પોતાના સ્વભાવમાં જીવો, માનસદર્શન, મોરારિબાપુ

બીજાના પ્રભાવમાં નહીં પોતાના સ્વભાવમાં જીવો



  • તમે કોઇ પણ કાર્ય કરો એ કાર્ય સરળ સ્વભાવથી કરો. પછી એ ધંધાકીય હોય, સામાજિક હોય કે સેવાકીય હોય. સરળ સ્વભાવથી કરેલું કાર્ય આનંદ આપશે.



  • 'સરલ સુભાવ ન મન કુટિલાઇ
  • જથા લાભ સંતોષ સદાઇ ’



  • મનમાં જરાય કુટિલતા ન હોય. બિલકુલ મન પવિત્ર હોય, જે પણ પરિસ્થિતિમાં આપણે હોઇએ એમાં આપણને સંતોષ હોવો જોઇએ. આવી રીતે ત્રણ ભાગમાં વાત કરી છે પણ મને આ ચોપાઇમાં મુખ્યભાવે તો સરળ સ્વભાવની વાત ગમે છે કારણ કે જે પણ વ્યક્તિમાં સ્વભાવ સરળ હશે એના મનમાં કુટિલતા ક્યારેય રહેતી નથી. વ્યક્તિના મનમાં કુટિલતા હોવી એ સ્વભાવ સરળ નથી એનું પ્રમાણ છે અને જ્યાં સ્વભાવ સરળ છે ત્યાં જે પણ લાભ મળશે એમાં જ સંતોષ થઇ જશે. વ્યક્તિ કોઇપણ પરિસ્થિતિમાં હશે એમાં ગમે તે રીતે સંતુષ્ટભાવનો અનુભવ કરી શકશે. મારું તો દરેકને નિવેદન છે કે તમે કોઇપણ કાર્ય કરો એ કાર્ય સરળ સ્વભાવથી કરો. પછી એ ધંધાકીય હોય સામાજિક હોય કે સેવાકીય હોય.



  • સરળ સ્વભાવથી કરેલ કાર્ય આનંદ આપશે. 



  • એ પુસ્તિકામાં પ્રસાદનો અર્થ એટલો જ હતો કે 'પ્ર’ એટલે પ્રભુ જ્યારે 'સા’નો અર્થ કર્યો હતો સાક્ષાત્ અને છેલ્લે 'દ’નો અર્થ લખ્યો હતો દર્શન. પ્રભુનાં સાક્ષાત્ દર્શન એટલે પ્રસાદ. 





  • જે વ્યક્તિ પોતાના સ્વભાવમાં જીવે છે એને ક્યારે કોઇ મુશ્કેલી ઊભી થશે નહીં. તો સ્વભાવ સરળ હશે તો વ્યવહાર પણ સરળ બનશે અને વ્યવહાર સરળ બની જશે પછી તો મનની કુટિલતા એની મેળે છૂટી જશે. જેની કુટિલતા છૂટી જશે એ જ મોટો જીવનમાં લાભ છે અને એ લાભ પણ કેવો? સદાય સંતુષ્ટ કરનારો લાભ હશે જેના કારણે વ્યક્તિ સંતુષ્ટ બની જશે. લોકો બીજાના સ્વભાવને સુધારવા માટે અસંખ્ય પ્રયોગો કરતા હોય છે. એના કરતાં પોતે પોતાનો સ્વભાવ સરળ બનાવીને બીજાનો સ્વભાવ સમજવાની કોશિશ કરે એવી શક્તિ આપજે. જયસીયારામ'

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)



મોરારિબાપુ

Continue reading at Sunday Bhaskar.



No comments:

Post a Comment