Translate

Search This Blog

Sunday, February 23, 2014

શિવના દોષમાંથી ગુરુએ મુક્તિ અપાવી, માનસદર્શન, મોરારિબાપુ

શિવના દોષમાંથી ગુરુએ મુક્તિ અપાવી



  • કોઇ પણ ઇષ્ટદેવની સામે જ્યારે ગદગદ્ ભાવમાં પુકાર કરવામાં આવે છે ત્યારે એ પુકાર રુદ્રાષ્ટક બની જાય છે. વગર સર્જન કરેલું પદ્ય કે ગદ્ય રુદ્રાષ્ટકનું સ્વરૂપ લઇ લે છે.




  • રામચરિતમાનસના ઉત્તરકાંડમાં તુલસીદાસજી રુદ્રાષ્ટકમાં ભગવાન શિવની અષ્ટમૂર્તિ‌નું દર્શન કરાવે છે. 



  • 'મહાકાલના મંદિરમાં હું બેઠો હતો. શિવજીના જાપ જપતો હતો. એ સમયે મારા ગુરુ મંદિરમાં આવે છે. મેં અભિમાનમાં ને અભિમાનમાં ગુરુને આવતા જોઇને મારી આંખો બંધ કરી દીધી. મેં મારા ગુરુજીને નમન પણ ન કર્યાં. 



  • શિવજીના શ્રાપને સાંભળીને હાહાકાર મચી ગયો.ગુરુ બધી જ વાત સમજી ગયા. શિવજીનો શ્રાપ સાંભળીને મહાકાળ મંદિરમાં બધા જ કાંપી રહ્યા હતા. 



  • કોઇ પણ ઇષ્ટદેવની સામે જ્યારે ગદગદ્ ભાવમાં પુકાર કરવામાં આવે છે ત્યારે એ પુકાર રુદ્રાષ્ટક બની જાય છે. વગર સર્જન કરેલું પદ્ય કે ગદ્ય રુદ્રાષ્ટકનું સ્વરૂપ લઇ લે છે. એક અષ્ટમૂર્તિ‌ શિવની ઉપાસના બની જાય છે. કાગભુશુંડિજી કહે છે કે મારા ગુરુજીએ મારી સામે ગદગદ્ભાવે મહાકાળના મંદિરમાં ભગવાન શિવની સામે આંખમાં અશ્રુની ધારા સાથે જે ગાયું એ સાંભળીને હું કાંપી ઊઠયો.



  • ગુરુના મુખથી મહાકાળના મંદિરમાં જે શબ્દો હતા એ રુદ્રાષ્ટક છે. રુદ્રાષ્ટકનો જન્મ એક શિષ્ય દ્વારા થયેલા ગુરુ અપરાધને કારણે થયો છે. છેલ્લે એટલું કહીશ કે શિવના અપરાધમાંથી ફક્ત ગુરુ જ આપણને બચાવી શકે છે. 

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


મોરારિબાપુ

continue reading at Sunday Bhaskar.

No comments:

Post a Comment