Translate

Search This Blog

Saturday, September 20, 2025

માનસ માતુ પિતુ પક્ષ - 963

 

રામ કથા – 963

માનસ માતુ પિતુ પક્ષ - 963

યવતમાલ, મહારાષ્ટ્ર

શનિવાર, તારીખ 06/09/2025  થી રવિવાર, તારીખ 14/09/2025

મુખ્ય ચોપાઈ

सुनु जननी सोइ सुतु बड़भागी।

जो पितु मातु बचन अनुरागी॥

तनय मातु पितु तोषनिहारा।

दुर्लभ जननि सकल संसारा॥

 

Day 1

Saturday, 06/09/2025

 

सुनु जननी सोइ सुतु बड़भागी। जो पितु मातु बचन अनुरागी॥

तनय मातु पितु तोषनिहारा। दुर्लभ जननि सकल संसारा॥4॥

 

हे माता! सुनो, वही पुत्र बड़भागी है, जो पिता-माता के वचनों का अनुरागी (पालन करने वाला) है। (आज्ञा पालन द्वारा) माता-पिता को संतुष्ट करने वाला पुत्र, हे जननी! सारे संसार में दुर्लभ है॥4॥

ગુરુના પંચશીલ છે.

1.     ગુરુ ધર્મશીલ હોય – ગુરુમાં સત્ય, પ્રેમ અને કરુણા હોવા જોઈએ.

2.     ગુરુ ક્ષમાશીલ હોય.

3.     ગુરુ સત્યશીલ હોય.

4.     ગુરુ કર્મશીલ હોય.

5.     ગુરુ બલ શીલ હોય, તેનામાં આત્માનું બળ હોય.

 

Day 2

Sunday, 07/09/2025

વિશ્વાસના પ રુપ – મુખ છે.

1.     વચન વિશ્વાસ – કોઈ શ્રેષ્ઠના વચન ઉપર, શાસ્ત્ર વચન ઉપર વિશ્વાસ કરવો.

2.     ધ્રુવ વિશ્વાસ જે અચલ છે, અનુપમ છે.

3.     મંત્ર વિશ્વાસ

मंत्र जाप मम दृढ़ बिस्वासा। पंचम भजन सो बेद प्रकासा॥

छठ दम सील बिरति बहु करमा। निरत निरंतर सज्जन धरमा॥1॥

 

मेरे (राम) मंत्र का जाप और मुझमें दृढ़ विश्वास- यह पाँचवीं भक्ति है, जो वेदों में प्रसिद्ध है। छठी भक्ति है इंद्रियों का निग्रह, शील (अच्छा स्वभाव या चरित्र), बहुत कार्यों से वैराग्य और निरंतर संत पुरुषों के धर्म (आचरण) में लगे रहना॥1॥

 

મંત્ર, માળા અને મુર્તિ કદી ન બદલવી. …….. ડૉંગરે બાપા

4.     પાત્ર વિશ્વાસ

5.     વટ વિશ્વાસ

            વટ ફળ ન આપે પણ વિશ્રામ જરુર આપે.

ગાંધીજીના ૧૧ વ્રત …………

વધારે સંગ્રહ કરવો એ પાપ છે.

સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું;

બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવું.

અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવા;

એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં.

भवानीशंकरौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ।

याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तःस्थमीश्वरम्‌॥

 

श्रद्धा और विश्वास के स्वरूप श्री पार्वतीजी और श्री शंकरजी की मैं वंदना करता हूँ, जिनके बिना सिद्धजन अपने अन्तःकरण में स्थित ईश्वर को नहीं देख सकते॥

શ્રદ્ધા રુપી માતાના ત્રણ રુપ છે.

त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा।

सात्त्विकी राजसी चैव तामसी चेति तां श्रृणु।।17.2।।`

।।17.2।।श्रीभगवान् बोले -- मनुष्योंकी वह स्वभावसे उत्पन्न हुई श्रद्धा सात्त्विकी तथा राजसी और तामसी -- ऐसे तीन तरहकी ही होती है, उसको तुम मेरेसे सुनो।

।।17.2।। श्री भगवान् ने कहा -- देहधारियों (मनुष्यों) की वह स्वाभाविक (ज्ञानरहित) श्रद्धा तीन प्रकार की - सात्त्विक, राजसिक और तामसिक - होती हैं, उसे तुम मुझसे सुनो।।

ધનની ત્રણ ગતિ છે – ભોગ, દાન અને નાશ.

સાત્વિકી શ્રદ્ધાવાળો દેવોની ઉપાસના કરે.

રાજસી શ્રદ્ધાવાળો રાક્ષસોની ઉપાસના કરે.

તામસી શ્રદ્ધાવાળો ભૂત પ્રેતની ઉપાસના કરે.

ગાયના ત્રણ પ્રકાર હોય છે.

સાત્વિક ગાય

રાજસી ગાય જે બિમાર હોય.

તામસી ગાય શીંગડા મારતી હોય.

Day 3

Monday, 08/09/2025

ગ્રંથની, ગ્રંથના રચનાકારની અને ગ્રંથના ગાયકની નિંદા ન કરવી.

પાંચ ગ્રંથી મન, પ્રાણ, ઈચ્ચા, ગુણ, પૂણ્ય પાપ વગેરે અગ્નિની ઉપાસનાથી દૂર થાય.

પરમાત્મા આપણી આવશ્યકતા પુરી કરે પણ ઈચ્છા પુરી ન કરે.

Day 4

માનસમાં ૯ માતૃ પક્ષ છે.

1.     ભવાની પાર્વતી જગદંબા

2.     મા જાનકી

3.     શતરુપા

4.     કૌશલ્યા જેમાં કૈકેયી, સુમિત્રા સમાવિષ્ઠ છે.

5.     અહલ્યા

6.     શબરી

7.     તારા

8.     મંદોદરી

9.     ત્રિજટા

આવી જ રીતે ૯ પિતા પક્ષ છે.

1.     ભગવાન શિવજી

2.     સ્વયંભુ મનુ

3.     દશરથ રાજા

4.     જનક રાજા

5.     જટાયુ

6.     વાલી જે રજો ગુણી છે.

7.     રાવણ જે તમો ગુણી છે.

8.     સત્યકેતુ

9.     ભગવાન રામ

ભજન પંચક

1.     માતૃ પિતૃ ભક્તિ

2.     ગુરુ/આચાર્ય ભક્તિ

3.     ઈશ્વર ભક્તિ

4.     રાષ્ટ્ર ભક્તિ

5.     વિશ્વ ભક્તિ

No comments:

Post a Comment