Translate

Search This Blog

Tuesday, August 13, 2013

ગાય ગંગા અને યમુના મૈયાનું પ્રતીક,મોરારિબાપુ, માનસદર્શન

ગાય ગંગા અને યમુના મૈયાનું પ્રતીક





  • મારી વ્યાસપીઠ ગાયના 'ગ’ કારને ગંગામૈયાનું પ્રતીક માને છે. જ્યારે 'ય’ કારને યમુનામૈયાનું પ્રતીક માને છે. જો આંગણમાં ગાય હશે તો મને એમ લાગે છે કે ગંગા, યમુના આપણા આંગણમાં છે



  • 'યૂયં ગાવો મેદયથા કૃશં ચિદશ્રીરં
  • ચિત્કૃણુથા - સુપ્રતીકમ્,
  • ભદ્રં ગૃહં કુણુથ ભદ્રવાચો વૃહદ્યો-વય ઉચ્ચતે સમાસુ.



  • બહુ જ સરળ-સીધોસાદો સાર છે. આપણે બહુ કઠિનમાં જવું નથી. આપણા જેવા લોકોને વેદની વાતો સમજવી કઠિન છે. એટલે આપણે વેદને નેતિ કહેવું પડે છે. હવે ભગવાન વેદ પહેલી વાત એ કરે છે કે, જેનું શરીર કૃશ થઈ ગયું હોય એના શરીરને ગૌમાતા મેદયુક્ત બનાવે છે. હૃષ્ટપુષ્ટ કરી દે છે. ભગવાન વેદ સ્વયં કહે છે કે ગાયના દ્રવ્યનું સેવન કરવાથી દૂબળા-પાતળા માણસ સપ્રમાણ બને છે. ટૂંકમાં જેનું શરીર શોભાયમાન નથી એવા વ્યક્તિઓ જો ગાયના દ્રવ્યનું સેવન કરે તો શરીર શોભાયમાન બને છે.




  • ગાયમાતા આપણી મા છે. એનું રક્ષણ કરવું, જતન કરવું એ આપણી ફરજ છે. ભગવાનને પ્રાર્થના કરું કે સમગ્ર વસુંધરા ઉપર ગાયનું રક્ષણ થાય. ગાયમાતાનું સન્માન થાય અને બધા જ વ્યક્તિઓ ગાયમાતાના દ્રવ્યનો ઉપયોગ કરતા થાય તેવી શ્રી હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરું. '

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
rameshwardashariyani@gmail.com

મોરારિબાપુ

માનસદર્શન

Continue reading at Sunday Bhaskar.




No comments:

Post a Comment