Translate

Search This Blog

Tuesday, August 20, 2013

નીલકંઠ બનો એ જ શિવદર્શન છે, માનસદર્શન, મોરારિબાપુ

નીલકંઠ બનો એ જ શિવદર્શન છે



- મંદિરમાં જઈને શિવદર્શન કરી શકાય છે, પણ મારું તો માનવું છે કે નિત્ય હૃદયમાં શિવને રાખીને ચાલીએ એટલે આપણા માટે નિત્ય દ્વાદશ જ્યોર્તિ‌લિંગનાં દર્શન છે

યસ્યાંઙ્કે ચ વિભતિ ભૂધરસુતા દેવાપગા મસ્તકે
ભાલે બાલબિધુ ર્ગભે ચ ગરભં યસ્યોરસિ વ્યાલરાટ્,
સોડયં ભૂતિવિભૂષણ: સુરવર: સર્વાધિપ: સર્વદા,
શર્વ સર્વગત: શિવ: શશિનિભ: શ્રી શડ્કર: પાતુ મામ્.





'સર્વાધિપ:’

'શશિનભ:’


હવે વાત એવી છે કે કથા દરમિયાન ચિત્તવૃત્તિ બરાબર રહે છે, પાછળથી ચિત્તવૃત્તિ બગડી જાય છે. આના માટે હું એટલું જ કહીશ કે ચિત્તવૃત્તિને શુદ્ધ કરવા માટે શિવને પ્રસન્ન કરો. શિવ વિશ્વની ઔષધિ છે. ભગવાન શિવ વૈદોના નાથ છે. આપણે કોઇ વૈદ પાસે જઇએ ત્યારે વૈદ આપણને નાની એવી પડીકી આપે એમાં બે - ત્રણ દિવસની દવા હોય છે. પછી કહે કે ત્રણ દિવસ પછી બતાવી જજો. કથા પણ નાની પડીકી છે જે ત્રણ - ચાર કલાક આપણી ઉપર અસર કરે છે પછી દવાની અસર હટી જાય પછી બુદ્ધિ બગડી જાય છે. કારણ આપણે કુપથ્ય ચોવીસ કલાક ખાઇએ છીએ. આપણે મનોરોગી છીએ. જીવનમાં મનના રોગને દૂર કરવા સદ્ગુરુના રૂપમાં કોઇ વૈદ હોવા જોઇએ. શિવ પણ વૈદ છે. વૈદોના નાથ છે. અસ્તુ.'
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
rameshwardashariyani@gmail.com

Read full article at Sunday Bhaskar.

No comments:

Post a Comment