Translate

Search This Blog

Wednesday, September 18, 2013

માનસિક રોગ સદગુરુ દૂર કરી શકે છે, માનસદર્શન, મોરારિબાપુ

માનસિક રોગ સદગુરુ દૂર કરી શકે છે




સુનહુ તાત અબ માનસ રોગા
જિન્હ તે દુખ પાવહિ‌ સબ લોગા
અહંકાર અતિ દુખદ ડમરુઆ
દંભ કપટ મદ માન નેહરુઆ


તો આપણે માનસ રોગની ચર્ચા કરી રહ્યા છીએ. સૌ પ્રથમ આપણે બધા એ સમજી લઈએ કે રોગમાં આપણે ત્યાં ત્રણ શબ્દ છે. જેમાં એક સાધ્ય રોગ, બીજો કષ્ટ સાધ્ય રોગ અને ત્રીજો અસાધ્ય રોગ છે. હવે સાધ્ય રોગ એને કહેવામાં આવે છે કે જે રોગ ઉપચાર કરવાથી માણસમાં રહેલો રોગ મટી જાય છે. રોગી-નીરોગી બની જાય છે. આપણે ત્યાં મોટા ભાગના રોગ સાધ્ય હોય છે. બીજા પ્રકારના રોગમાં કષ્ટ વધારે હોય છે. અમુક રોગ બહુ જ કષ્ટ આપે છે. બે-ત્રણ વર્ષ સુધી રોગ દૂર થતો નથી. આ કષ્ટ-સાધ્ય રોગ છે. જ્યારે અસાધ્ય રોગમાં ક્યારેય રોગ દૂર થતો નથી. માણસના અંતિમ શ્વાસ સુધી માણસની સાથે રહે છે. અહંકારનો રોગ અસાધ્ય રોગ છે.

ભવ ભેષજ રઘુનાથ જસુ સુનહિ‌ જે નર અરુ નારી
તિન્હ કર સકલ મનોરથ સિદ્ધ કરહિ‌ ત્રિસિરારિ

આ અસાધ્ય રોગને કેવળ સદ્ગુરુ જ દૂર કરી શકે છે. જીવનમાં દરેક વ્યક્તિને સદ્ગુરુરૂપી વૈદ્યની ખૂબ જ જરૂર હોય છે. જે વૈદ્ય આપણા રોગના આધારે આપણને દવા આપે છે. સદ્ગુરુરૂપી વૈદ્ય માણસમાં રહેલા માનસિક રોગને જડમૂળથી દૂર કરી જગતમાં આપણને ચાલતા શીખવે છે, જીવન જીવતા શીખવે છે. ભગવાનને પ્રાર્થના કરું છું આપણા સૌના માનસિક રોગ સદ્ગુરુ ભગવાન દૂર કરે અને ભગવાન આપણને શક્તિ આપે કે આપણી અંદર રહેલા અહંકારને દૂર કરે અને આપણને પરમાત્માની ભક્તિ અપર્ણ કરે.

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Continue reading at Sunday Bhaskar.

No comments:

Post a Comment