Translate

Search This Blog

Tuesday, December 10, 2013

જીવનમાં સંદેહ વ્યક્તિને પતન તરફ દોરી જાય છે, માનસદર્શન, મોરારિબાપુ


જીવનમાં સંદેહ વ્યક્તિને પતન તરફ દોરી જાય છે, માનસદર્શન, મોરારિબાપુ


  • શણગાર કરે છે. એવા સમયે દેવરાજ ઇન્દ્રનો દીકરો અચાનક જ ચિત્રકૂટમાં આવે છે. એણે ભગવાન રામ અને સીતાજીને જોયા છે. ભગવાન રામને પુષ્પની માળા સીતાજીને પહેરાવતા જોઇને મનમાં સંદેહ થયો કે આને થોડા વનવાસી કહેવાય? આ તો વિષયી છે. ઉદાસીન વ્રત લઇને ચૌદ વર્ષ સુધી વનમાં રહેવાનો આદેશ છે અને આ તો રસિક બનીને વનવાસ ભોગવે છે. હવે વિચાર કરો ઇન્દ્રના દીકરાને પણ મનમાં સંદેહ થયો છે. જીવનમાં તમે બીજી કોઇ બાબતથી સાવધાન રહો કે ન રહો એ તમારી પોતાની મરજી છે પણ કોઇ વ્યક્તિ, કોઇ પ્રસંગ, કોઇ દેશ કે ઘટના વિશે મનમાં સંદેહનો કીડો પ્રવેશ ન કરે એની સાવધાની ખૂબ જ રાખજો.



  • આજે આપણને બધાને બીજાના અંગત જીવનમાં રસ લેવામાં ખૂબ જ આનંદ આવે છે. બને ત્યાં સુધી કોઇના અંગત જીવનમાં ન પ્રવેશ કરો. દાંપત્યજીવનમાં ક્યારેય સંદેહ ન થવો જોઇએ. જ્યારે સંદેહ, શંકા શરૂ થશે ત્યારે વ્યક્તિનું પતન પણ શરૂ થઇ જાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તો સ્પષ્ટ લખ્યું છે કે 'સંશયાત્મા વિનશ્યતિ’ જે વ્યક્તિના મનમાં એકવાર સંદેહ પેદા થાય છે એનું પરિણામ વિનાશ જ હોય છે. ભગવાન મહાવીરસ્વામીનો એક પ્રસંગ છે એણે પોતાના શિષ્ય મેઘકુમારની જિજ્ઞાસાના સંદર્ભમાં ચાર વાતો કરી છે. આજના યુવાન ભાઇઓ-બહેનોએ જરા ધ્યાનથી સાંભળવી જોઇએ. જે વાતો જીવનની યાત્રામાં ખૂબ ઉપયોગી બને તેવી છે.





  • ઇન્દ્રના દીકરા જયંતને અકારણ સંદેહ પેદા થયો. કાગડાનું રૂપ લઇને સીતાજીનાં ચરણોમાં ચાંચ મારે છે. હવે વિચારો કે ઇન્દ્રપુત્ર હોવા છતાં કાગડાનું રૂપ લેવું પડયું. તુલસીદાસજી કહે છે કે બીજાના જીવનમાં, ગૃહસ્થાશ્રમમાં જે ખોટી ચાચું મારે છે એ ક્યારેય હંસ બની શકતો નથી. એ કાગડો જ બને છે. આજે સમાજમાં ઘણા જયંતો બેઠા છે. જે ચંચુપાત કરવાનું જ કામ કર્યા કરે છે. છેલ્લે એટલું જ કહીશ કે કોઇની ખુશી જોઇને દ્વેષ ન કરો, એ એના પ્રારબ્ધનો આનંદ લઇ રહ્યા હોય છે. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે દ્વેષમુક્ત જીવન જીવીને બીજાને ઉપયોગી બનીએ.


(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
માનસદર્શન
મોરારિબાપુ

Continue reading at Sunday Bhaskar.......

No comments:

Post a Comment