Translate

Search This Blog

Sunday, June 14, 2015

માનસ પરમારથ


રામ કથા

માનસ પરમારથ

ૠષિકેશ, ઉત્તરાખંડ

શનિવાર, તારીખ ૧૩-૦૬-૨૦૧૫ થી રવિવાર, ૨૧-૦૬-૨૦૧૫

મુખ્ય પંક્તિ

રામ બ્રહ્મ પરમારથ રૂપા     |

અબિગત અલખ અનાદિ અનૂપા     ||

                                                                                             અયોધ્યાકાંડ               ૨/૯૨/૭
राम ब्रह्म परमारथ रुपा     |  

अबिगत अलख अनादि अनूपा      ||


નીતિ પ્રીતિ પરમારથ સ્વારથુ     |

કોઉ ન રામ સમ જાન જથારથુ     ||

                                                                                         અયોધ્યાકાંડ    ૨/૨૩૫/૫

नीति प्रीति परमारथ स्वारथु      | 

कोउ न राम सम जान जथारथु      || 




શનિવાર, ૧૩-૦૬-૨૦૧૫


રવિવાર, ૧૪-૦૬-૨૦૧૫


સાધુ હસતો રહે તેમાં જ તેનો મહિમા છે.

મરણ વિધાતાના હાથમાં છે પણ સ્મરણ આપણા હાથમાં છે.

કોઈ પણ સતકર્મ ધન વિના ન થાય અને ધન શોષણ કર્યા વિના પ્રાપ્ત ન થાય તેમજ શોષણ સંવેદન હિન હ્નદય વિના ન થાય.

શાસ્ત્ર, રાજા અને યુવતિ કોઈના વશમાં ન થાય.

હું શાસ્ત્ર જાણું છું એવા ભાવથી શાસ્ત્રનો અભ્યાસ ન થાય.

પરમાર્થ માટે મુખ્ય ૭ માર્ગ - પંથ છે.


વેદ પથ


વૈરાગ્ય પથ


ભક્તિ પથ - પ્રેમ પથ


ધર્મ પથ


સત્ય પથ


જ્ઞાન પથ


સનાતન પથ

સોમવાર, ૧૫-૦૬-૨૦૧૫

કથા રુપી ગંગાનું ગોમુખ કરુણા છે.

પાની સે પાની મે પાની લખવું જેટ્લું જ મુશ્કેલ મહોબતની કહાની લખવું  છે.

શબ્દ બ્રહ્મ છે તેમજ ભ્રમ પણ છે.

ભરદ્વાજ મુનિ પરમાર્થાના જ્ઞાતા છે.

પરમાર્થનું મૂળ પ્રેમ છે.

શિવ રામ મંદિરનુ દ્વાર છે.

સાત વ્યક્તિ પરમાર્થ વાદી છે.


મંગળવાર, ૧૬-૦૬-૨૦૧૫

વાદ ભૂતિ છે જ્યારે સંવાદ વિભૂતિ છે.

સંવાદથી લાભ ન થાય પણ શુભ જરુર થાય.

લાભ બાહ્ય થાય જ્યારે શુભ આંતરિક થાય. શુભ આંતર યાત્રા છે.

પરમાર્થ વાદી, પરમાર્થી અને પરમાર્થ એમ ત્રણ છે.

ઘણા સ્વાર્થી હોય પણ તેઓ બોલે પરમાર્થી.

ઘણા પરમાર્થીની વાતો અણસમજ લોકોને સ્વાર્થી લાગે.

आए देव सदा स्वारथी     |
बचन कहहिं जनु परमारथी     ||

ભક્ત બરફ છે જેનો સ્વભાવ પીગળવાનો છે.

ભક્તિ નર્તન છે, પ્રવાહ છે અને ભગવંત વરાળ છે જે સર્વત્ર વ્યાપી જાય છે.

સ્વભાવગત સ્વાર્થીને સમજવો અઘરો છે અને સ્વભાવગત પરમાર્થીને સમજવો અતિ અઘરો છે.

જીવનું કલ્યાણ મા જ કરી શકે. જાનકી મંગલ અને પાર્વતી મંગલ નો સંદર્ભ.

જાનકી મંગલ અને પાર્વતી મંગલનો અભ્યાસ રામાયણના છાત્રોએ કરવો જ જોઈએ.

નારદ દેવ નથી પણ દેવર્ષિ છે, પરમ પરમાર્થી છે.

જ્ઞાનમાં પહેલાં જાણવાનું હોય ચે અને પછી માનવાનું હોય છે જ્યારે ભક્તિમાં પહેલાં માનવાનું હોય છે અને પછી જાણવાનું હોય છે.

સત્યનો વિસ્તાર પરમાર્થ છે.

પ્રેમનો વિસ્તાર પરમાર્થ છે

કરૂણાનો વિસ્તાર પરમાર્થ છે.

સત્ય, પ્રેમ અને કરૂણા બીજ છે જેનું વટવૃક્ષ પરમાર્થ છે.

ઘણાને ધજાના ધ ની, ધર્મના ધ ની ખબર નથી અને છતાંય તે ધજાગરા કરે છે.

ચેતનાની બહિરગામી યાત્રા બુદ્ધિ છે અને ચેતનાની આંતરગામી યાત્રા શ્રદ્ધા છે.





No comments:

Post a Comment