રામ કથા
માનસ પૂન્ય પૂંજ
Patriot Center (GMU), 4400 University Drive,
Fairfax, VA 22030 (Suburb of Washington DC)
શનિવાર, તારીખ ૨૭-૦૬-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૦૫-૦૭-૨૦૧૫
મુખ્ય કેન્દ્ર બિન્દુની પંક્તિ
पुन्य पुंज तुम्ह पबनकुमारा |
सेवहु जाइ कृपा आगारा ||
.........................................................................७/१८/१
पुन्य पुंज बिनु मिलहिं न संता |
सत अंगति संसृति कर अंता ||
..................................................................७/४४/६
૧
શનિવાર, ૨૭-૦૬-૨૦૧૫
પૂણ્ય એટલે શુભ કર્મ, શુભ વિચાર, શુભ ચિંતન.
જ્યારે આપણામાં પ્રમાણિકતા આવે તો પવુત્રતા આવે અને પવિત્રતા આવે એટલે પ્રસન્નતા આવે.
પ્રસન્નતા એ પરમાત્માનો પર્યાય છે.
પ્રસન્નતા એટલે પરમાત્મા.
બહું પૂણ્ય એકત્રિત થાય ત્યારે સંત મિલન થાય તેમજ હરિ સેવા કરવાનો અવસર પણ ત્યારે જ મળે.
કોઈ સંતની, બુદ્ધ પુરૂષનો ભેટો થાય એ તેવું પૂણ્ય એ પૂણ્ય પૂંજ કહેવાય.
જનકના સુક્રિતનું પરિણામ સીતા છે.
દશરથ રાજાને બ્રહ્મ પુત્ર રૂપે પ્રાપ્ય થાય છે તે પૂણ્ય પૂંજ છે.
વનવાસીઓને રામનો ભેટો પૂણ્ય પૂંજ છે.
Nice Blog.. I Love This...<a href="http://www.ajayrathod.in> Author Ajay Rathod </a>
ReplyDelete