Translate

Search This Blog

Monday, September 28, 2015

માનસ કરૂણાનિધાન

રામ કથા

માનસ કરૂણાનિધાન - मानस करूनानिधान

શિલોંગ

મેઘાલય

શનિવાર, તારીખ ૨૬-૦૯-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૦૪-૧૦-૨૦૧૫

મુખ્ય પંક્તિ

एक बानि करुनानिधान की। 

सो प्रिय जाकें गति न आन की॥




चरनपीठ  करुनानिधान  के।  

जनु  जुग  जामिक  प्रजा  प्रान  के॥

૧ શનિવાર, ૨૬-૦૯-૨૦૧૫
રામ ચરિત માનસમાં કરૂણાનિધાન શબ્દ ૫ વાર આવે છે.

1
एक बानि करुनानिधान की। 

सो प्रिय जाकें गति न आन की॥

2

चरनपीठ  करुनानिधान  के।  

जनु  जुग  जामिक  प्रजा  प्रान  के॥


3
जनकसुता जग जननि जानकी

अतिसय प्रिय करूना निधान की

4
राम दूत मैं मातु जानकी। सत्य सपथ करुनानिधान की॥

यह मुद्रिका मातु मैं आनी। दीन्हि राम तुम्ह कहँ सहिदानी॥


5

मनु जाहिं राचेउ मिलिहि सो बरू सहज सुंदर साँवरो  

करूना निधान सुजान सीलु सनेहु जानत रावरो


આપણા હ્નદયમાં જો કરૂનાનિધાન સ્થાપિત થઈ જાય તો આપણો બોજ, સમગ્ર જગતનો બોજ, અરે સમગ્ર અસ્તિત્વનો બોજ, ચિંતા નષ્ટ થઈ જાય.


કરૂણાનિધાનની પાંચ વાત છે.


કરૂણાનિધાનની ચરણ્પીઠ - પાદુકા


કરૂણાનિધાનની અતિસય પ્રિયા જાનકી


કરૂણાનિધાનની એક માત્ર વાણી


કરૂણાનિધાનનું સત્ય શપથ - કસમ


કરૂણાનિધાનનું શીલ


માનસ સ્વયં કરૂણાનિધાન ગ્રંથ છે.

રસ પણ ગુણ અવગુણ સાપેક્ષ છે.

પ્રિતિ એ રસનો અવગુણ છે. આ અવગુણ સમજાઇ જાય તો રસૌવૈસઃ ને પુર્ણ રીતે માણી શકાય.

અદ્‌ભૂત રસનો અવગુણ ભય પેદા કરવાનો છે.

તત્વને જાણવાનું હોય પણ રસને માણવાનો હોય.

જેને રામ ચરિત માનસ મળી ગયું હોય તેણે રામને મેળવવાની ચિંતા કરવાની જરૂર નથી.

રામ ચરિત માનસના સાત સોપાન એ જીવનની સપ્ત પદી છે.

સપ્ત પદીમાં બે વ્યક્તિ એક થઈ જાય છે.

રામ ચરિત માનસ એ આધ્યાત્મ જગતની સપ્ત પદી છે. આ સપ્ત પદી દ્વારા જીવ અને શિવ એક થઈ જાય છે. જીવને પોતાનામાં શિવનો અનુભવ થઈ જાય છે.


પ્રથમ સપ્ત પદી
નિર્દોષ ચિત એ બાલકાંડની આધ્યાત્મ જગત માટેની પ્રથમ સપ્ત પદી છે.
અત્યંત જાણકારી - વધારે પડતી જાણકારી બાલ માનસની સહજ ચિત્ત વૃત્તિને નુકશાન કરે છે.


બીજી સપ્ત પદી
અયોધ્યાકાંડ પ્રમાણે સત્યનું નિરવહન કરવું એ આધ્યાત્મ જગતની બીજી સપ્ત પદી છે.


ત્રીજી સપ્ત પદી
અરણ્યકાંડ પ્રમાણે જીવનમાં કોઈ સંતની કૃપાથી થોડી પણ ભક્તિ આવે તે આધ્યાત્મ જગતની ત્રીજી સપ્ત પદી છે.


ચોથી સપ્ત પદી
કિષકિન્ધાકાંડ પ્રમાણે જીવનમાં મિત્રતા બની રહે એ આધ્યાત્મ જગતની ચોથી સપ્ત પદી છે.

સાધુ કદી કોઈથી હારતો નથી એવું લાઓત્સુનું કથન છે.

સાધુ એવો નિર્ણય કરીને બેઠો છે કે તે હારેલો જ છે.

સાધુ સાધન નથી પણ સાધ્ય છે.

સાધુ પુરૂષને, બુદ્ધ પુરૂષને, સદગુરૂને કદી સાધન ન બનાવાય. તેનો ઉપયોગ આપણા કોઈ કારણ માટે ન કરાય. તેના નામ દ્વારા કોઈ કામ ન કરી લેવાય.


પાંચમી સપ્ત પદી
સુંદરકાંડ પ્રમાણે આંતરિક સૌન્દર્ય - પવિત્ર સંદરતા, પાવન સુંદરતા, જીવનમાં આંતર બાહ્ય સુંદરતા - એ આધ્યાત્મ જગતની પાંચમી સપ્ત પદી છે.


છઠ્ઠી સપ્ત પદી
લંકાકાંડ પ્રમાણે વિકારોથી મુક્ત રહેવું એ આધ્યાત્મ જગતની છઠ્ઠી સપ્ત પદી છે.


સાતમી સપ્ત પદી
ઉત્તરકાંડ પ્રમાણે એકત્વને પકડવું એ આધ્યાત્મ જગતની સાતમી સપ્ત પદી છે.





૨ રવિવાર, ૨૭-૦૯-૨૦૧૫
સાધુને કોઈ જાતિ - બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર નથી, કોઈ નાતિ નથી.

સાધુ એટલે જાગૃત પુરુષ, બુદ્ધ પુરુષ, સદ્‌ગુરૂ.

પહોંચેલા સાધુને સાધન બનાવી જ ન શકાય.

સાધન સિમિત હોય, સાધનને સીમા હોય.

બુદ્ધ પુરૂષને આપણે સાધન ન બનાવી શકીએ પણ બુદ્ધ પુરૂષ આપણા ઉપર કામ જરૂર કરે.

આ શાસ્વતીય નિયમ છે એવું તથાગત બુદ્ધનુમ નિવેદન છે.

સાધન સદાય સાપ્રદાયયિક હોય, સાધ્ય સદાય બિનસાપ્રદાયિક હોય.

સાધુ એ પવિત્ર શબ્દો પૈકીને એક શબ્દ છે.

પર્યાયના બદલે સગોત્રીય શબ્દ વધારે યોગ્ય છે.

સાધુનો સગોત્રી શબ્દ ભજન છે.

ભજન અભાખ્ય છે, ભજનનું ભાખ્ય ન થઈ શકે.

પરમાત્મા આપણને સ્મૃતિ આપે છે, યાદ આપે છે. આવી સ્મૃતિનો કામના યુક્ત ઉપયોગ ન કરવો.
સતસંગ મામુલી વસ્તુ નથી.

न मे मृत्युशंका न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म ।

न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानंदरूपः शिवोऽहं शिवोऽहम् ॥

मुझे न तो मृत्यु का भय है, न ही मुझ में जाति का कोई भेद है, मेरा न तो कोई पिता है और न कोई माता ही है। 

न तो मेरा जन्म हुआ है, न ही मेरा कोई भाई है, न ही कोई मित्र, न कोई गुरु और न कोई शिष्य ही है। मैं चैतन्य

रूप हूँ, मैं आनंद स्वरूप हूँ, मैं शिव हूँ, मैं शिव हूँ।

અહીં જાતિ ભેદ નથી એટલે નર નારીનો જાતિ ભેદ નથી.

આધ્યાત્મમાં નર નારીનો - સ્ત્રી પુરુષનો જાતિ ભેદ નથી.

સુછંદ બનવું પણ સ્વછંદ ન બનવું.

કોઈ દ્રશ્ય કે કોઈ પરિસ્થિતિનું વર્ણન ન થઈ શકે તો તેવી સ્થિતિ તેટલા સમય માટે પરમાત્મા છે. અનુભૂતિ વર્ણવી ન શકાય તેવી સ્થિતિ એ પરમાત્મા છે. આવી સ્થિતિ સતસંગ છે.

સતસંગ ક્ષણિક સમય માટે જ હોય. જેમાં વિજળીના ચમકારે મોતી પરોવી લેવાનાં હોય.

વક્તા એ વિવેકથી બોલવાનું હોય અને આવું વિવેક પૂર્ણ વકતવ્ય શ્રોતા એ વિશ્વાસથી શ્રવણ કરવાનું હોય.

અહીં કરૂણાનિધાનની પાદુકા બધું કરવા સમર્થ છે. પાદુકા લાકડાની હોય કે અન્ય કોઈ ધાતુની પણ હોય. પણ કરૂણાનિધાનની જે પાદુકાની વાત છે તે લાકડાની કે કોઈ ધાતુની નથી પણ સ્વયં કરૂણાનિધાન જ પાદુકા રૂપે છે. કરૂણાનિધાન જ પાદુકા છે, કરૂણાનિધાન જ પાદુકા બનિ ગયા છે.

પ્રેમી પ્રેમ ન આપે પણ ખુદને જ આપી દે. ...ખલિલ જિબ્રાન

ઈશ્વર મુગુટ બની શકે, કટીમેખલા પણ બની શકે તેમજ પાદુકા પણ બની શકે.

પાદુકા જીવનનો આધાર બની શકે.

પાદુકા જડ નથી.

વ્યક્તિગત રીતે કોઈ બુદ્ધ પુરૂષ સાથે ચાલવું એ ખતરો છે, મુશ્કેલ છે.

કરૂણા શું પદાર્થ છે?

પાદુકા પવિત્ર પ્રવાહી પરંપરાનું નામ છે, ધારા છે.

જો પાકો ભરોંસો હોય તો આપણો ગુરુ કદી મરે જ નહીં.

સત્ય લેવાય, પ્રેમ અપાય અને કરૂણામાં જીવાય.

કરૂણા આવ્યા પછી પાછી ન જાય. કરૂણા અમરણા છે.

ગરીબ ઉપર દયા આવે અને સંપન્ન ઉપર દયા ન આવે.

જ્યારે કરૂણા ગરીબ ઉપર આવે, સંપન્ન ઉપર પણ આવે, કરૂણા ભેદ ન કરે. કરૂણા પાપી ઉપર પણ થાય અને પૂણ્યશાળી ઉપર પણ થાય.

કરૂણાનું અવતાર કાર્ય ભેદ દૂર કરવાનું છે.

રાજ્ય સભાએ, ધર્મ સભાએ અને ધન સભાએ કોઈની કલાને વશ ન કરવી જોઈએ.

વાત્સલ્ય ભેદ કરે.

મમતા પણ ભેદ કરે.

કરૂણાવતાર શંકરને દેવ ભજે છે અને દાનવ પણ ભજે છે.

કરૂણા મફતમાં ન આવે, તેની કિંમત ચૂકવવી પડે, ખરીદી ન શકાય, મહેનતથી ન આવે.

કરૂણા સ્વભાવ બની આવે.


૩ સોમવાર, ૨૮-૦૯-૨૦૧૫

સત્ય હિમાલય છે પણ એ પૂર્ણ સત્ય નથી. હિમાલય એક સમયે સમાપ્ત થઈ જશે. સૂર્ય જેવું સત્ય એ પણ પૂર્ણ સત્ય નથી. કારણ કે સૂર્ય પણ એક સમયે સમાપ્ત થઈ જશે.

પ્રેમ એ હિમાલયમાંથી નીકળી વહેતી ગંગા છે.

પ્રેમનિ ભૂમિકામાં સત્ય ન હોય તો તે ગંગા નથિ પણ ગંદકી છે.

કરૂણા એ સાગર છે.

કરૂણાના સાગરમાંથી ૧૪ રત્નો નીકળે જેની ચર્ચા જાપનની માનસ કરૂણા કથામામ થયેલ છે.

કરૂણા બુદ્ધ પુરૂષની કૃપાથી સમજાય.

કરૂણા યોગીના હ્નદયની ઉપજ છે. ભોગીના હ્નદયની ઉપજ નથી. અહીં કથાકથીત યોગીની વાત નથી.

યોગીના હ્નદયમાં જે તત્વ રમે છે તે રામ છે. આવા યોગીના હ્નદયની ઉપજ કરૂણા છે.

શંકર યોગેશ્વર છે તેથી તે કરૂણાવતાર છે.

જ્યારે આપણા હ્નદયમાં કરૂણા ઉપજે ત્યારે તેટલા સમય માટે આપણે યોગી છીએ. આવી પરિસ્થિતિનો અહોભાવ વ્યક્ત કરવો, અહંકાર ન કરવો.

કોઈપણ પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી ક્ર્મશઃ શ્રેષ્ઠતા આવશે.

સ્વીકાર જીંદગિ છે, અસ્વીકાર મૃત્યુ છે.

ભયંકર રોગનો સ્વીકાર કરવાથિ કષ્ટ ઓછું થશે.

ક્રોધ નર્ક છે, કરૂણા સ્વર્ગ છે.

કથામાં કરૂણાનિધાનની કૃપા વરસે છે.

કરુણા ઘન પદાર્થ નથી પણ પ્રવાહી છે, દ્રવ પદાર્થ છે અને તે વહે છે.

બુદ્ધ પુરૂષની પાદુકા જે કરૂણા છે તે આપણા શિર ઉપર રહે છે.

શબ્દ, સ્પર્શ, રૂપ,, રસ અને ગંધ આ પાંચેય વિષયોની પાદુકા મહેસુસ કરાવે.

પાદુકા શબ્દ, સ્પર્શ, રૂપ,, રસ અને ગંધ આ પાંચેય વિષયોથી આવૃત્ત છે.

પાદુકા સુરીલા સ્વરમાં ગાય છે.

આધ્યાત્મિક શરીર આપણા ભૌતિક શરીરની અંદર જ રહે છે.

ભૌતિક શરીર પાંચ તત્વો - આકાશ, પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ - નું બનેલું છે તેવી જ રીતે આધ્યાત્મિક શરીરના પણ પાંચ તત્વો છે.


અસંગતા

અસંગતા એ આધ્યાત્મિક શરીરનું આકાશ તત્વ છે.


પવન - વાયુ

જે પવિત્ર કરે તે પવન, પવન આવવાથી આપણા શરીર ઉપરથી ધૂળની રજકણો દૂર થઈ જઈ આપણને સ્વચ્છ કરે, પવિત્ર કરે.

જેનામાં પવિત્રતા હોય તો તે પવિત્રતા એ બુદ્ધ પુરૂષનું પવન તત્વ છે.


અગ્નિ

પ્રેમ અગ્નિ છે.

શંકરનું ત્રીજું નેત્ર અગ્નિ છે.

વિહરાગ્નિ


પૃથ્વી

ક્ષમા એ પૃથ્વી તત્વ છે.

જેનામાં ક્ષમા બહું હોય તો તે વ્યક્તિમાં આધ્યાત્મિક શરીર જન્મી ચૂક્યું છે.


જલ

આધ્યાત્મિક શરીરનું જળ તત્વ કરૂણા છે.

પ્રેમની ૧૦ દશા છે.


અભિલાષા

પરમને પામવાની અભિલાષા એ પ્રેમની એક દશા છે.


ચિંતા

જેને પામવાની અભિલાષા છે તે કેમ મળતા નથી તેની ચિંતા એ પ્રેમની એક દશા છે.

રામન સીતાને પામવાની અભિલષા છે અને સીતાજી મળતા નથી તેની ચિંતા છે.


સ્મૃતિ - યાદ
પ્રેમીની સ્મૃતિ, યાદ એ પ્રેમની એક દશા છે.


ગુણ કથન

જેનિ સ્મૃતિ આવે તેના ગુણકથન કરવા એ પ્રેમની એક દશા છે.


ઉદ્‌વેગ

જેની સ્મૃતિ આવે છે, યાદ આવે છે તે બરાબર છે કે કેમ તેનો ઉચાટ - ઉદ્‌વેગ એ પ્રેમની એક દશા છે.


ઉન્માદ - પાગલપણ

પ્રેમમાં પાગલપણ એ પણ પ્રેમની એક દશા છે.


રોગ - વ્યાધિ

પ્રેમનો રોગ એ એક વ્યાધિ છે.

ક્યા રોગ લગા બૈઠો હો?


જડતા

પ્રેમમાં માણસ જડ બની જાય, અવાક્‌ બની જાય, સ્થંભિત બની જાય.


સમપ્રલાપ

પ્રેમમાં માણસ પોતે એકલો એકલો બોલ્યા કરે, ખુદ બોલે.

૧૦
મૃત્યુ

પ્રેમની આખરી દશા મૃત્યુ છે.

નવકાર એ પાદુકાનું આંતરિક રૂપ છે.

પાદુકા દ્વારા ધ્યાન રસ, પ્રેમ રસ અને મહારસ પ્રાપ્ત કરી શકાય.

કૃષ્ણે દ્રૌપદીના ચિર પુરવા મોકલેલ સાડી એ સાડી જ નથી પણ કૃષ્ણનો વસ્ત્રાવતાર છે.

પાદુકા એ રામનો પાદુકા અવતાર છે.


૪ મંગળવાર, ૨૯-૦૯-૨૦૧૫


કરૂણાનિધાનની પાંચ અદ્‌ભૂત વ્યાખ્યા છે.

પ્રભુનો દેહ - વિગ્રહ કરૂણાથી ભરેલો છે.

પ્રભુ દેહમાં હોવા છતાં દેહાતિત છે.

પ્રભુની મૂર્તિ કરૂણામય છે.

કરૂણા જ પરમાત્માનું રૂપ અને સ્વરુપ છે.

કરૂણાના બે રંગ છે - શ્યામ અને ગૌર.

શાસ્ત્ર માર્ગદર્શક બને તે બરાબર છે પણ શાસ્ત્ર માર્ગ બાધક ન બનવા જોઈએ.

શાસ્ત્ર સંતોષ ન આપે, સંતોષ તો બુદ્ધ પુરૂષ જ આપી શકે.

શાસ્ત્ર સમતા આપે, સિદ્ધાંત આપે.

મૌન સંગ્રહીત કરે મૌન વિખેરી નાખે.

વિજ્ઞાન સમતા આપે જ્યારે આધ્યાત્મ સમતા અને સંતોષ બંને આપે.

વિજ્ઞાન કર્મ યોગ છે, સતત યોગ સંતોષ છે.

સાવરો રમ્ગ આકર્ષનો ગુણ ધરાવે છે.

બધા રસોનો સમૂહ રાસ છે.

શિવલિંગ શૂન્યનું પ્રતીક છે અને શૂન્ય પૂર્ણનું પ્રતીક છે
.
પરમાત્મા સત્યનું પ્રતીક છે.

પરમાત્મા પ્રેમનું પ્રતીક છે.

પરમાત્મા કરૂણાનું પ્રતીક છે.

શિવલિંગ સમગ્રતાનું પ્રતીક છે.

કરૂણાનિધાનની પરિભાષા


આપને તેનું સ્મરણ ન કરીએ તો પણ તે આપણું સ્મરણ કરે તે કરૂણાનિધાન છે.
જપ એ સાધન છે જ્યારે સ્મરણ તે સાધ્ય છે.

સ્મરણ એટલે ભજન.

જે બુદ્ધ પુરૂષ આપણું સ્મરણ કરે તે બુદ્ધ પુરૂષ આપણા કરૂણાનિધાન છે.

ભાગવતમાં શુકદેવજીએ નિષ્કામ કામની ચર્ચા કરી છે.

ગીતામાં ભગવાન કૃષ્ણએ નિષ્કામ કર્મની ચર્ચા કરી છે.

જનકનિ પુષ્પ્વાટિકામાં પણ નિષ્કામ કામનું વર્ણન છે.

કૃષ્ણ વ્રજને ભૂલી નથી શકતા.


આપણે પ્રતિક્ષા ન કરીએ તો પણ જે આપણી પ્રતિક્ષા કરે તે કરૂણાનિધાન છે. આ કરૂણાનિધાનની અનુભૂતિ વ્યાખ્યા છે, લક્ષણ છે.

ભગવાન રામ લક્ષ્મણના મૂર્છાના પ્રસંગમામ હનુમાનજીની પ્રતિક્ષા કરે છે.

રામ સીતાની પ્રતિક્ષા કરે છે.


એ બુદ્ધ પુરૂષ કરૂણાનિધાન છે જે ફક્ત આપવાનું જ જાણે છે, લેવાનું જાણતો જ નથી.

દાતાએ આપણને આપવામાં કોઈ કસર રાખી નથી.

કરૂણાનિધાન પરમ દાની છે.


તત્વતઃ તે પૂર્ણ હોવા છતાં કહે છે કે તારા વિના હું અપૂર્ણ છું. આ પણ કરૂણાનિધાનનું એક લક્ષણ છે.

આપણે જો કોઈ બુદ્ધ પુરૂષનો અપરાધ કરીએ તો તે અપરાધ તે બુદ્ધ પુરૂષ તો માફ કરી દેશે પણ આવો અપરાધ અસ્તિત્ત્વ માફ નહીં કરે.

ભક્તિ સદાય યુવાન હોય, જ્યારે જ્ઞાન, કર્મ વ્રુદ્ધ થાય.

શબરી ભક્તિ સ્વરૂપા છે.


કરૂણાનિધાનને તેના પોતાનામાં કેટલી કરૂણા છે તેની ખબર જ નથી. આ પણ એક અનુભૂતિ વ્યાખ્યા છે.

તિજોરીમાં એક લાખ રૂપિયા હોય તો તેની તિજોરીને ક્યાં ખબર હોય છે?

સ્પર્ધાથી સમુદ્ર મંથન કર્યું તેથી  તેમાંથી ૧૪ જ રત્ન મળ્યાં. જો શ્રદ્ધાથી સમુદ્ર મંથન કરીએ તો અઘણિત રત્નો મળે.

બંદો રધુપતિ કરૂણાનિધાન....

સુર, સંગીત બિનસામ્પ્રદાયિક છે.

કામ વિરોધ પક્ષથી ન થાય પણ બોધ પક્ષથી થાય.

બુદ્ધ પુરૂષ પાસે બેસીને જો ઝેર પીએ તો તે ઝેર પણ અમૃત બની જાય છે. અને બુદ્ધુ પાસે બેસીને જો અમૃત પીએ તો તે અમૃત પણ ઝેર બની જાય છે.

લીલા કૃષ્ણની, ચરિત્ર રામનું અને સમાધિ શિવની.



૫ બુધવાર, ૩૦-૦૯-૨૦૧૫


સાધુ જવાબ ન આપે પણ જાગૃત કરે.

કરૂણાનિધાન જવાબ ન આપે પણ જાગૃત કરે.

કરૂણાનિધાન ચિરાગને પ્રજ્વલીત કરી અંધકારને દૂર કરે, અંધકાર કેમ છે વિ. નું વર્ણન ન કરે.

સમસ્યા આવે ત્યારે આત્મહત્યા કરિ લેવી એ સમસ્યાનું સમાધાન નથી.

સમસ્યાઓથી ભાગી જવું એ પણ સમસ્યાનું સમાધાન નથી.

જે દિલથી માની લે કે હું કંઈ જ જાણતો નથી તેને ગુરુ ગૃહમાં પ્રવેશ મળે છે.

કરૂણાનિધાન કદી કઠોર ન બને.

આસુતોષ એ છે જે સબળને તપ કરાવી તેના ઉપર કરૂણા કરે અને અબળા ઉપર તરત જ કરૂણા કરે.

પાર્વતી સબળા હોવાથી તેને તપ કરાવી પછી કરૂણા કરે છે.

ન ધરા સુધી ; ન ગગન સુધી ;

ન તો ઉન્નતિ કે પતન સુધી;

આપણે તો જવું હતું ………

બસ એક મેક ના મન સુધી……..

………..ગની દહીંવાલા

પોતે પોતાના સુધી પહોંચવું એ જ નિર્વાણ છે.

ઈશ્વરને પ્રગટ કરવા કોઈની કૃપા થવી જોઈએ.

સત્ય ક્યાં ખોવાયું છે કે જેથી તેને શોધવાની જરૂર પડે.

કરૂણા વિશ્વ ખ્યાતિ અપાવે.

ધર્મને લેબલની નહીં પણ લેવલની જરૂર છે.

પાપ રૂપીને અગ્નિ બની કરૂણાનિધાન બાળી નાખે.

કરૂણાનિધાન પ્રગાઢ તૃષ્ણાને મિટાવનાર છે.

કરૂણાનિધાન ધરણીધર છે, વિશ્વ પાલક છે.

કરૂણાનિધાન શરણાગતનો ભય હરનાર છે.

કરૂનાનિધાન વિશ્વ વિખ્યાત છે.

શ્રોતા સુમતિ, સુશીલ, સુચિત, કથા રસિક અને હરિદાસ હોવો જોઈએ.

રાજશી શ્રોતાને મનોરંજનવાળી કથા ગમે.

૬ ગુરૂવાર, ૦૧-૧૦-૨૦૧૫

સાધુ ઉત્તર ન આપે પણ જાગૃત કરે.

પ્રશ્ન અને જિજ્ઞાસામાં ફેર છે.

પ્રશ્નથી ઘણું ઊંચુ સ્થાન જિજ્ઞાસાનું છે.

જિજ્ઞાસાથી ઉત્તરની અપેક્ષા ન રાખવી.

જિજ્ઞાસાઅથી જાગૃતિ આવે.

પ્રશ્ન ઘણીવાર છૂટી જાય, પ્રશ્નમાં પરીક્ષા વૃત્તિ હોય.

જ્યારે જિજ્ઞાસામાં પરીક્ષા વૃત્તિ ન હોય.

જિજ્ઞાસામાં તિવ્રતમ પામવાની વ્રુત્તિ હોય.

પરમ પૂજ્ય વિશેષણ પરમાત્મા માટે નથી વપરાતા.

વિશેષણ મુક્ત શબ્દ બ્રહ્ન છે.

પ્યારમાં વિશેષણ ખત્મ થઈ જાય છે, તેમજ પ્યારમાં નામ પણ ખત્મ થઈ જાય.

પ્યાર આવતાં જ વિશેષણ નીકળી જાય.

ગુરૂને તેના નામથી સંબોધન ન થાય.

પ્રશ્નમાં સંબોધન હોય જ્યારે જિજ્ઞાસામાં સંબોધન ન હોય.

જિજ્ઞાસા એ પ્રેમથી ફૂટેલ તિવ્રતમ તમન્ના છે.

કરૂણાનિધાન સર્જનકર્તા, પાલનકર્તા અને સંહારકર્તા છે.

કરૂણાનિધાન શું ખાય છે? શું પીવે છે?

કરૂણાનિધાન ગમ ખાય છે.

કરૂણાનિધાન ઝેર પીવે છે.

ભારતને આઝાદી મળી ત્યારે ચર્ચિલે કહ્યું હતું કે, 'હવે ભારત દેશ લુ્ચ્ચા લફંગાઓના હાથમાં જશે.'

બીજા પાસેથી આચકી લિધેલું અમૃત પીવાથી અમર થવાશે પણ ભયમુક્ત નહીં થવાય.

કરૂનાનિધાન ક્યાં બેસે? કેવી રીતે બેસે?

કરૂણાનિધાન એકાન્તમાં સહજ રીતે બેસે.

કરૂનાનિધાન, બુદ્ધ પુરૂષ ધીરેથી બેસે પણ તિવ્ર ગતિથી ઊઠે.

કોઈની પોકાર સાંભળી કરૂનાનિધાન - બુદ્ધ પુરૂષ તિવ્ર ગતિથી ઊઠે અને સહાય કરવા ગરુડ ગતિએ, તિવ્ર ગતિએ દોડે.

કરૂણાનિધાન કેવી રીતે સુવે?

કરૂણાનિધાન જાગૃતિમાં સુવે.

સમાધિ જેવી જાગૃતુ બીજી કોઈ નથી.

કરૂણાનિધાન કેવી રીતે જુએ?

જે બીજાના સુખથી સુખી થાય અને બીજાના દુઃખથી દુઃખી થાય તે કરૂણાનિધાન કહેવાય.

આભાર સહ પ્રસ્તુતિ : http://mybhajans.com/index.php


Source Link: http://mybhajans.com/index.php?mod_option=lyrics&lan=gujarati&q=111

હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી

મે પાપ કર્યા છે એવા, હું તો ભુલ્યો તારી સેવા (૨)
મારી ભુલોના ભુલનારા, તારી કરુણા નો કોઈ પાર નથી
હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી

હે પરમ કૃપાળુ વહાલા, મે પીધા વીષના પ્યાલા (૨)
વીષને અમૃત કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી,
હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી

હું અંતરમા થઈ રાજી, ખેલ્યો છુ અવડી બાજી (૨)
અવડી સવડી કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી,
હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી

મને જડતો નથી કીનારો, મારો ક્યાથી આવે આરો (૨)
મારા સાચા ખેવનહારા, તારી કરુણા નો કોઈ પાર નથી,
હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી

ભલે છોરુ કછુરુ થાયે, તુ તો માવતર કેહેવાયે (૨)
મીઠી છાયા દેનારા, તારી કરુણા નો કોઈ પાર નથી,
હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી

રહે ભક્ત નુ દીલ ઉદાસી, તારા ચરણે લે અવિનાશી (૨)
રાધાના દીલ હરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી,
હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી

હે કરૂણાના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનાર, તારી કરુણા નો કોઈ પાર નથી


૭ શુક્રવાર, ૦૨-૧૦-૨૦૧૫

कुंद इंदु सम देह उमा रमन करुना अयन।

जाहि दीन पर नेह करउ कृपा मर्दन मयन॥

जिनका कुंद के पुष्प और चन्द्रमा के समान (गौर) शरीर है, जो पार्वतीजी के प्रियतम और दया के धाम हैं और जिनका दीनों पर स्नेह है, वे कामदेव का मर्दन करने वाले (शंकरजी) मुझ पर कृपा करें.

કરૂણાનિધાન એ વૈશ્વિક શબ્દ છે, ત્રૈલોકિક શબ્દ છે.

તુલસી ભરતને ચંદ્ર કહે છે.

ઉજ્જવલતાને ઉજાગર કરવા, પ્રકાશિત કરવા તેની પાછળ કાળો (background) રંગ જરૂરી છે.

ભરતને કારણે રામને વનવાસ થયો છે એવું કલંક ભરત ઉપર છે.

મનોરોગનો નાશ પ્રેમ રસ, રામ રસ જ કરી શકે.

કરૂણાનિધાનને બીજાનિ પીડા જલ્દી સમજાય છે અને તે તેને પોતાની પીડા સમજે છે.

કરૂણાવાન ક્રોધ ન કરે.

કરૂણાસાગર દુઃખી ન થાય.

ગંગામાં સ્નાન કરવા જઈએ ત્યારે ગંગા એવું ન કહે કે પહેલાં તારા શરીર ઉપરની ગંદકી સાફ કરીને આવ.
સાધુ પણ કહે છે કે જેવો છું તેવો મારી પાસે આવ, હું તને જેવો છું તેવો સ્વીકારવા તૈયાર છું.

રામ દુર્ગુણ છોડીને આવવાનું કહે છે.



૮ શનિવાર, ૦૩-૧૦-૨૦૧૫
જીવનના કેટલા પ્રકાર છે?

૫ પ્રકારના જીવન પ્રસિદ્ધ છે.


Personal Life

દરેકને પોતાનું અંગત જીવન હોય.
ભગવાન રામ સીતાને શૃગાર કરે છે. આ વખતે ઈન્દ્ર કાગડો બનીને વિક્ષેપ કરે છે.

બીજાના વ્યક્તિગત જીવનમાં ચંચુપાત કરનાર કાગડો જ બને, હંસ બની જ ન શકે.


Family Life

દરેકને પોતાનું પારિવારિક જીવન હોય.

પારિવારિક જીવનમાં પરિવારના સભ્યોએ ભજન અને ભોજન સાથે કરવું જોઈએ.

૨૧ મી સદીમાં સામુહિક સાધાના જરૂરી છે એવું વિનોબાજીનું નિવેદન છે.

કથા એ સામૂહિક સાધના છે.


Social Life

મનુષ્ય એ સામાજિક પ્રાણી છે.

ઉપરથી ઉદાસિન પણ અંદરથી રસિક રહેવું જોઈએ.

સાધુ નિરસ હોવો જોઈએ પણ અંદરથી રસિક હોવો જોઈએ.

ચિત્રકૂટ અતિ વિચિત્ર સુંદર બન મહિ પવિત્ર ।

પાવનિ પય સરિત સકલ મલ નિકંદિનિ  ॥

રામ સત્ય છે તો કૃષ્ણ પરમ સત્ય છે.


Political Life



Religious Life

ધાર્મિક જીવન


આધ્યાત્મિક જીવન


સત્ય, પ્રેમ અને કરૂણાનું જીવન.

સત્ય, પ્રેમ અને કરૂણા એક સાથે રહેવા જોઈએ. સત્ય, પ્રેમ અને કરૂણાનો ત્રિકોણ અખંડ હોવો જોઈએ, વિભાજીત નહીં.

કૃપા અને કરૂણા સગોત્ર છે.

સુગ્રિવ કૃપા પક્ષને જાણે છે જ્યારે વાલી કરૂણા પક્ષી છે.

કૃપા આંખ છે, કરૂણા આંસુ છે.

આંસુ વહે છે, જે વહે ત્યારે જ કરૂણા કહેવાય.

મનુષ્ય જીવન મળ્યું એ કૃપા છે, હવે પરસ્પર કરૂણા વહેવડાવવાની જરૂર છે.

ગોપી સાધુ છે.

ગોપી પ્રેમની ધજા છે.

કરૂણા સાધુ અસાધુ વચ્ચે ભેદ ન જુએ.

કરૂણા પાત્ર કુપાત્ર વચ્ચે ભેદ ન જુએ.

કરૂણાનિધાન અસમર્થને અપનાવે જ્યારે સમર્થને આશીર્વાદ આપે.

૪ વસ્તુનો અનુભવ થાય તો સમજવું કે કરૂણાનિધાનની કરૂણા થઈ રહી છે.


કૃપા તો કાયમ વરસતી જ હોય છે.
કૃપા ફૂલ છે તો ફૂલની મહેક એ કરૂણા છે.

કૃપા ગોમુખ છે તો હરિદ્વારની ગંગા કરૂણા છે.



જ્યારે આપણને મ્રુત્યુનો ભય મટી જાય એવું  લાગે ત્યારે એ સ્થિતિ એ કરૂણા થઈ રહી છે તેનું પ્રમાણ છે.

જીંદગીનું ફળ જીંદગી જ છે, મૃત્યુ નથી જ.

આંબાનું ફળ કેરી જ હોય.

મરણ વિધાતાના હાથમાં છે પણ પ્રભુનું સ્મરણ આપણા હાથમાં છે.

મૃત્યુ પછી બીજું જીવન મળે એ જ જીવનનું ફળ છે. જીવનનું ફળ જીવન જ છે.

ગુરૂ મહા મૃત્ય છે.


જ્યારે આંતર બાહ્ય સમૃદ્ધિ ભરપુર પ્રાપ્ત થાય એ સ્થિતિ કરૂણા આત્મસાત થયાનું પ્રમાણ છે.


જ્યારે બધા જ સંદેહ સમાપ્ત થઈ જાય તેમજ કોઈ અન્ય વ્યક્તિ આપણામાં સંદેહ પેદા ન કરી શકે એવી સ્થિતિ કરૂણા આત્મસાત થયાનું પ્રમાણ છે.

વિશ્વાસ જીવન છે, સંશય મોત ....... વિવેકાનંદ


જ્યારે કોઈ પણ ઘટનાથી આપણે અપ્રસન્ન ન થઈએ તો તે સ્થિતિ કરૂણા આત્મસાત થયાનું પ્રમાણ છે.



૯ રવિવાર, ૦૪-૧૦-૨૦૧૫
બલિદાન, ક્ષમા, ધૈર્ય, સહનશીલતા વગેરે ગુણ પુરૂષ અને માતૃ શરીર એ બધાએ આત્મસાત કરવા જોઇએ.

આ બધા માનવીય ગુણો છે અને માતૃ શરીરમાં આ ગુણો સ્વાભાવિક આવે છે, સહજ આવે છે.

મા તેના સંતાનને દૂધ આપે.

બેટી પરિવાર માટે પસીનો વહેવડાવે, પરિવાર માટે ઘણું કામ કરે.

બહેન પરિવારને આંસુ આપે.

ઋષિ, સાધુ નિરદ્વંદ હોય, નર કે નારી ન હોય.

માનસિકતા સદ્‌વિચારોથી બદલાય, જેની પ્રયોગશાળા સતસંગ છે.

આપણે ક્યારે કરૂણા અનુભવી શકીએ? કરૂણા આવી છે તેવું ક્યારે કહેવાય?



જ્યારે આપણામાંથી દ્વૈષ ક્રમશઃ ઓછો થાય તો સમજવું આપણામાં કરૂણા આવી છે.

જ્યારે આપણામાંથી પૂર્ણ તહ દ્વૈષ નીકળી જાય તો સમજવું આપણે કરૂણાનિધાનની નજીક છીએ.

જેમ શરદી થઈ હોય તે ખુશ્બુનો અનુભવ ન કરી શકે તેમ આપણી માનસિક બાધાઓને લીધે આપણે કરૂણાનિધાનની કરૂણા અનુભવી શકતા નથી.

દ્વૈષ આપણી આવશ્યકતા નથી, આપણને દ્વૈષની કોઈ જરૂર જ નથી.



શિકાયત મુક્ત ચિત

આપણા ચિતમાં કોઈના પ્રત્યે કોઈ શિકાયત ન રહે તો કરૂણા અનુભવી શકાય.

રાસનું અંતિમ લક્ષ્ય એક સન્નાટો છે, જ્યારે રાસ પૂર્ણતમ, ઉચ્ચતમ શિખરે પહોંચે છે ત્યારે એક સન્નાટો વ્યાપી જાય છે.



કરૂણા ત્યારે અનુભવી શકાય જ્યારે આપણે કરૂણાને લાયક છીએ એવો આપણો દાવો છુટી જાય. અમુક કાર્ય અમુક વ્યક્તિ કે અમુક ગ્રુપ જ કરી શકે તેવો દાવો કરૂણા આત્મસાત કરવામાં બાધક છે.

કૃષ્ણ જ્ઞાનની ધારાથી ન મળે, વૈરાગ્યની ધારાથી પણ ન મળે, પણ કૃષ્ણ આંસુની ધારાથી મળે.

કૃષ્ણ જેટલા નંદ યશોદાને મળ્યા છે એટલા વાસુદેવ દેવકીને નથી મળ્યા.

પ્રેમ નર જાતિ છે, કરૂણા નારી જાતિ છે જ્યારે સત્ય નાન્યતર જાતિ છે. એટલે જ્યારે પ્રેમ અને કરૂણા મળે એટલે સત્ય આવે જ.

અધિકાર મુક્ત ચિત

જ્યારે રાવ - ફરિયાદ કરો એટલે ભક્તિનું આસન નીચું ઊતરે.



જ્યારે ચિત અકારણ ઉગ્ર ન બને ત્યારે કરૂણા અનુભવી શકાય, કરૂણા મહેસુસ થાય.

ચિતની ઉગ્રતા, વ્યગ્રતા કરૂણા મહેસુસ કરવામાં બાધક છે.

આ બધી ચૈતસિક બાધાઓ કરૂણા મહેસુસ કરવામાં ભાગ ભજવે છે.

કરૂણાનિધાનની એક બાની એટલે કરૂણાનિધાનનુમ એક બાનુ.

પરમાત્માનું બુદ્ધ પુરુષનું એક બાનુ છે કે તું મને પ્રિય છે એવું કહે.આને બાનાની લાજ કહેવાય.

પરિત્રાણાય સાધુનામ એ કૃષ્ણનું એક બાનુ છે.

એક વાર શરણમાં આવેલાને દૂર ન કરવો એ તેનું બાનુ છે.




No comments:

Post a Comment