The article is displayed here with the courtesy of Divya Bhaskar.
આજથી કાઢવાંઢના સફેદ રણમાં મોરારીબાપુની કથાનો થશે આરંભ
Bhaskar News, Bhuj
Read the article at its source link.
- ભુજમાં યોજાયેલા કાર્યક્રમમાં કથાકારે શિક્ષકોની મહત્ત્વતા સમજાવી
ભુજ: પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની 749મી કથા કચ્છના રણમાં તા.10 જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે, જે 18 જાન્યુઆરીએ વિરામ લેશે. રણમાં વિશ્વમાં સૌપ્રથમ વખત બાપુની કથા યોજાઇ રહી છે. ભુજથી 95 કિમી તથા ખાવડાથી 24 કિમી દૂર ખડા કરાયેલા કથા મંડપમાં અંદાજે 50 હજાર જેટલા શ્રાવક કથા શ્રવણ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઇ છે, તે ઉપરાંત જે શ્રવણાર્થીઓ કથા સ્થળે રાત્રિ રોકાણ કરવા ઇચ્છતા હશે તેના માટે 300 ટેન્ટ અને 4 ડોરમેટરીનું નિર્માણ કરાયું છે. 5000 જેટલા લોકો રાતવાસો કરી શકશે. શુક્રવારે ભુજ પહોંચેલા મોરારીબાપુ ઓલ્ફ્રેડ હાઇસ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષકોની ભૂમીકા વિશે મનનીય વ્યાખ્યાન આપ્યું હતું.
દરમિયાન કાઢવાંઢ ખાતે શનિવારે સાંજે 4 વાગ્યે કથાનો આરંભ થશે ત્યારબાદ દરરોજ સવારે 9:30થી બપોરે 1:30 સુધી કથાપાન થશે. આ ઉપરાંત આરોગ્યની સુવિધા માટે વાઇબલ હોસ્પિટલ તરફથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાથે હોસ્પિટલની વ્યવસ્થા અને આઇ.સી.યુ. ઓન વ્હીલ્સની સુવિધા રખાઇ છે. બાપુના ભકત અને ગુજરાતના અગ્રણી કોન્ટ્રાકટર અમરેલીના વજુભાઇ તમામ જવાબદારી નિભાવશે.
No comments:
Post a Comment