Translate

Search This Blog

Saturday, January 10, 2015

‘હું છું જ્યોતિર્ધ’ રણમાં રામકથા પહેલા ભુજમાં મોરારી બાપૂએ કરાવ્યું ચિંતન

The article is displayed here with the courtesy of Divya Bhaskar.

‘હું છું જ્યોતિર્ધ’ રણમાં રામકથા પહેલા ભુજમાં મોરારી બાપૂએ કરાવ્યું ચિંતન

Read the article at its source link.


- શુક્રવારે રામકથા કરનાર પ્રસિધ્ધ કથાકારે સમજાવી શિક્ષકની મહત્તા
- આજથી શરૂ થશે રામનામમાં ખોવાઈ જવાની કથાની શરૂઆત

ભુજ: રામકથા શરૂ થાય એ પહેલા મોરારી બાપૂએ ભુજમાં આવેલી જાણિતી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં એક ચિંતન શિબિર યોજી હતી. બાપૂની આ ચિંતન શિબિરનું નામ રાખવામાં આવ્યું હતું ‘હું છું જ્યોતિર્ધ’. આ અંતર્ગત બાપૂએ શિક્ષકની જીવનમાં શુ ભૂમિકા હોય છે તે સમજાવી હતી.

આ ચિંતન શિબિરમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતાં. બાપૂએ અહીં શિક્ષક, ગુરુની શુ મહત્તા હોય છે તે સમજાવી હતી અને વ્યક્તિ ઘડતરમાં શિક્ષકની શુ ભૂમિકા હોય છે એ સમજાવ્યું હતું.

આજથી રણમાં બાપૂની 749મી કથા શરૂ થઈ રહી છે, રામકથા શરૂ થાય એ પહેલા કચ્છ બહારની શ્રવણાર્થીઓએ પોતાના માટે બે દિવસ પહેલા જ રહેવાની ત્યા કરવામાં આવેલી વ્યવસ્થા અંતર્ગત સ્થાન ગ્રહણ કરી લીધા છે. રામકથા અંતર્ગત ખાવડા પાસે આવેલા કાઢવાંઢના રણમાં પહેલીવાર બાપૂની રામકથા યોજવામાં આવી રહી છે. જેનું આયોજન વાયેબલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. રામકથા 10મી જાન્યુઆરીથી 18મી જાન્યુઆરી સુધી ચાલશે.


No comments:

Post a Comment