Translate

Search This Blog

Saturday, April 11, 2015

માનસ હનુમાન ચાલિસા - ભાગ - ૧૦

રામ કથા

માનસ હનુમાન ચાલિસા - ભાગ - ૧૦

ગોવા

શનિવાર, તારીખ ૧૧-૦૪-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૧૯-૦૪-૨૦૧૫

મુખ્ય પંક્તિ

જો યહ પઢૈ હનુમાન ચાલીસા,
હોય સિધ્ધિ સાખી ગૌરીસા. ૩૯

તુલસીદાસ સદા હરિ ચેરા,
કીજે નાથ હ્રદય મહં ડેરા. ૪૦

શનિવાર, તારીખ ૧૧-૦૪-૨૦૧૫


હનુમાન ચાલિસામાં ભગવાન શિવજીના ૪૦ નો સંદર્ભ છે.

ભગવાન શિવજીનાં પાંચ મુખ છે ..................................૫
ભગવાન શિવજી ત્રિનેત્ર છે .........................................૧૫
બાર જ્યોતિર્લિંગનો મહિમા છે......................................૧૨
ભગવાન શિવજી અષ્ટમૂર્તિ છે........................................૮
                                                                     ________

કુલ .........................................................................૪૦




સોમવાર, તારીખ ૧૩-૦૪-૨૦૧૫

હનુમાન ચાલિસામાં ૪૦ નું મહત્વ છે.

૪૦ ના અંકમાં ૪ અને ૦ છે.

શૂન્ય એટલે પૂર્ણ અથવા રિક્ત.

આ ૪૦ નો સંકેત ચાર ને શૂન્ય કરવા તરફ છે.

કોઈ પણ અંકે કે આકૃતિમાં ખૂણો આવતો હોય તો તે ખૂણામાં કંઈક સંતાડી શકાય, છુપાવી શકાય.
પણ શૂન્યના અંકમાં એક પણ ખૂણો ન હોવાથી ત્યાં કંઈ જ છુપાવી શકાય તેમ નથી.

આધ્યાત્મમાં તેમજ પ્રેમમાં પહેલાં છલાંગ લગાવાની છે અને પછી વિચાર કરવાનો છે, જો કે અહીં વિચાર કરવાની આવશ્યકતા જ રહેતી નથી.

જ્યારે વ્યવહારિક ક્ષેત્રમાં પહેલામ વિચાર કરી પછી છલાંગ લગાવવાનિ હોય છે.

મંદિરમાં બે પ્રકારની મૂર્તિ હોય છે, એક સ્થાપિત મૂર્તિ અને બીજી ઉત્સવ મૂર્તિ. ઉત્સવ મૂર્તિને પ્રસંગોપાત બહાર લઈ જઈ શકાય.

ઉદ્ધવ શ્રી કૃષ્ણની ઉત્સવ મૂર્તિ છે.

કોહિનુર હિરાને સમજીને વાપરી શકાય. કોહિનુર હિરાથી બટાટા ખરીદવા એ વગર વિચારેલો ઉપયોગ છે.
હનુમાન ચાલિસા અદ્‌ભૂત છે, તેનો ઉપયોગ સમજીને કરવો જોઈએ.

જીવનની સૌથી મોટી દૂર્બળતા જીવનમાં આવતી મહત્વકાંક્ષા છે. જો કે અહીં મહત્વકાંક્ષાની આલોચના નથી. જીવનમાં મહત્વકાંક્ષા હોવી જોઈએ.

હરિહર એટલે આપણાં દુઃખ હરનાર તેમન સુખ હરનાર. હરિ આપણાં સુખને હરી લે છે અને હર આપણાં દુઃખને હરી લે છે.

હરિ આપણા સુખને લઈ તેની પાસે રાખે છે અને આપણને જેટલી અને જ્યારે કરુરીયાત ઊભી થાય તે વખતે તેટલા પ્રમાણમાં આપે છે.

નાના બાળકને ૧૦ લાખ રૂપિયા વાપારવા ન અપાય.

ચુત્રકૂટ્માંથી રામ ક્યાંય ગયા નથી અને વ્રંદાવનમાંથી કૃષ્ણ ક્યાંય ગયા નથી.

હરિ ભજન સત્ય છે, જગત સ્વપ્ન છે.

ચાર વસ્તુને શૂન્ય કરવી એ ચાલિસા છે.

મન, બુદ્ધિ, ચિત અને અહંકારને હનુમાન ચાલિસાથી શૂન્ય કરવા એ હનુમાન ચાલિસા આત્મસાત કરવા કહેવાય.

હનુમાન ચાલિસાને આત્મસાત કરવાથી મનના સંકલ્પ વિક્લ્પ મટી જાય, બુદ્ધિના વિચારો સમાપ્ત થઈ જાય, ચિતમાં સંગ્રહિત જન્મો જન્મના સંસ્કાર વિસ્મૃત થઈ જાય, ભૂલાઇ જાય અને અહંકાર નષ્ટ થઇ જાય. આને હનુમાન ચાલિસા આત્મસાત કર્યા કહેવાય.

બુઝર્ગ તેમજ અનુભવી સાથે ચર્ચા - વિવાદ ન કરવો.

ત્રણ પ્રકારના માણસો હોય છે.

૧  Artist - કલાકાર, વિદ્યાધર

૨ Heartist - સંવેદના યુક્ત, સંવેદનાથી ભરેલ

૩ Courtist - તર્ક કરનાર, એક તર્કથી બીજા તર્કને હરાવનાર

ઉર્દુમાં આદમી એટલે માટીનો બનેલ માણસ

Human એટલે માટીનું પુતળુ

મનુષ્ય એટલે મનન કરનાર આદમી.

દિલ ઔર અક્લ જબ અપની અપની કહે ખુમાર

તબ અક્લકી સુનીયે ઔર દિલ કહે સો કીજીએ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,…………… ખુમાર બારાબંકી


મન, બુદ્ધિ, ચિત અને અહંકાર શૂન્ય થઈ જાય એ હનુમાન ચાલિસાનો આત્મસાત છે. તેવી જ રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પણ શૂન્ય થઈ જાય.

ધર્મમાં બહુ ભીડ થઈ ગઈ છે.

કૄષ્ણ ધર્મને છોડવાનું કહે છે.

ઔર દેવતા ચિત ન ધરઇ એ મામેકમ્ શરણમ્‌ વ્રજ જ છે.

અર્થ પ્રાપ્તિ એ લક્ષ્ય ન બની જવું જોઈએ.

કામ એટલે મહત્વકાંક્ષા.

જે હનુમાન ચાલિસા આત્મસાત કરે તેને સતયુગ સતયુગ ન રહે, દ્વાપર યુગ દ્વાપરયુગ ન રહે, ત્રેતાયુગ ત્રેતાયુગ ન રહે અને કલિયુગ કલિયુગ ન રહે પણ ફક્ત કથા યુગ જ રહે, તે કથા યુગી બની જાય. હનુમાન ચાલિસા યુગ બંધનથી મુક્ત કરે.

ચાર ફળ, ચાર પુરૂષાર્થ થી બહાર નીકળવું એ હનુમાન ચાલિસાને આત્મસાત કરવા કહેવાય.

ચાર અવસ્થા - સુષુપ્ત, સ્વપ્ન, જાગૃત અને તુરીયા થી પર થવું.

રસાયણ પાંચ છે.

૧ ધર્મ રસાયણ

૨ નામ રસાયણ

૩ ભક્તિ રસાયણ

૪ કામ રસાયણ

૫ રામ રસાયણ

રસાયણ એટલે રસનું અયન - ગતિ. અયનનો મુખ્ય અર્થ ગતિ છે, અયનનો એક અર્થ ભવન પણ છે. 

રસાયણથી - રસાયણના સેવનથી પાંચ વસ્તુની વૃદ્ધિ થાય.

૧ રસાયણના સેવનથી શક્તિ વધે.

૨ રસાયણના સેવનથી શક્તિની સાથે સાથે સ્ફૂર્તિ વધે, માણસ સચેત થાય.

૩ રસાયણના સેવનથી સ્મૃતિ વધે

૪ રસાયણના સેવનથી તેજ વધે - વર્ણમાં વધારો થાય.

૫ રસાયણના સેવનથી ક્રમશઃ ચિતની પ્રસાન્નતા વધે.


મંગળવાર, ૧૪-૦૪-૨૦૧૫

ધર્મ જ્યાં સુધી સિધ્ધાંત રહે ત્યાં સુધી સંઘર્ષ પેદા થાય, ધર્મને સ્વભાવ બનાવઓ જોઈએ. જો ધર્મ સ્વભાવ બનશે તો સંઘર્ષ પેદા નહીં થાય.

તુલસી ભક્તિને ચિંતામણિ કહે છે.

ધર્મ એટલે સત્ય, પ્રેમ અને કરૂણા.

ધર્મ રસાયણ એટલે સત્ય, પ્રેમ અને કરૂણા.

સત્ય જ્યાં સુધી સિધ્ધાંત રહે ત્યાં સુધી રસાયણ ન બને.

સિધ્ધાંત પરવશ કરે.

સત્ય સ્વભાવ બને તો જ રસાયણ બને.

સત્ય એટલે સ્વભાવ એવું લાઓત્સુ કહે છે.

પરસ્પર પ્રેમ કરવો એ સિધ્ધાંત ન રહેતા સ્વભાવ બનવો જોઈએ.

પ્રેમ, કરૂણા સિધ્ધાંત ન રહેતાં સ્વભાવ બને તો જ રસાયણ બને.

બીજાનું સત્ય સ્વીકારવું એ મારો સ્વભાવ છે એવું કરશો તો બોજ નહીં લાગે.

સત્ય બોલવું એ મારો સ્વભાવ છે એવું કરવું જોઈએ.

બધા ધર્મનું સન્માન થવું જોઈએ. ધર્મ એક જ છે.

બધા ધર્મમાં સત્ય, પ્રેમ, કરૂણા સ્વભાવના રુપમાં હોય તો જ બધા ધર્મમાં સમાનતા આવે.

બધા ધર્મ સમાન ન હોઈ શકે. શરીરના બધા અંગોના ધર્મ - કાર્યો એક સરખા નથી હોતા, અલગ અલગ હોય છે. તેવી જ રીતે બધા ધર્મ સમાન ન હોઈ શકે.

રામ ધર્મ છે.

વડલા અને ભીંડાને સન્માન અપાય, સમાન ન ગણાય.

કવરેજ્ની બહાર રહીએ તો વાસના, દુરગુણોની રીંગ આવતી બંધ થઈ જાય.

ધર્મને રસાયણ બનાવીએ તો જ રસ બને. ધર્મ જો રસાયણ ન બને તો તે ધર્મ ઘન અને કઠોર રહે.

ધર્મ પદાર્થ નથી, રસાયણ છે, રસ છે.

ધર્મ રસમય હોય તો જ પ્રવાહીત રહે.

મહાભારત પાંચમો વેદ છે.

રામ ચરિત માનસ પણ પાંચમો વેદ છે.

 જ્યારે આપણા રુમમાં પ્રકાશ ન હોય ત્યારે બહારનું દ્રશ્ય દેખાય છે. પણ જો રુમમાં પ્રકાશ હોય તો બહારનું દ્રશ્ય દેખાતું નથી. તેવિ રીતે સાધકમાં જ્યારે આંતર જ્યોતિ પ્રગટે ત્યારે બહિર દ્રશ્ય દેખાતા બંધ થઈ જાય.
ચાર વસ્તુ સમજાઈ જાય તો સંસાર સુખમય થઈ જાય.

૧ સમતા -નીંદા, સ્તુતિ, સુખ દુઃખ ને સમ ગણીએ તો સંસાર સુખમય બને.

૨ સંતોષ - પ્રમાણિક પ્રયત્ન કરવાથી જે કંઇ પરિણામ આવે તેમાં સંતોષ રાખીએ તો સંસાર સુખ્મય બને.
૩ દયા - કરૂણા રાખવાથી સંસાર સુખમય બને.

શિવ મંદિરમાં પોઠિયાના ત્રણ પગ પાછા ભાગે વળેલ છે અને એક જ પગ ઊભો છે. આ પગ દાનનો પગ છે. કલિયુગમાં ત્રણ પગ - સત્ય, તપ, દયા - વળી ગયેલ છે.

ભક્તિ રસાયણ

કામ રસાયણ

કામ રસાયણના સેવનથી શક્તિ ઓછી થાય, સ્ફૂર્તિ ન રહે - ઓછી થાય, સ્મ્રુતિ ઓછી થાય, તેજ ઓછું થાય અને પવિત્રતા પણ ઓછી થાય.

નામ રસાયણ

જીવે શિવ બનવાની જરૂર નથી પણ ફક્ત જીવ જ રહીને જીવવાની કળા શીખવાની જરુર છે.

નામ કિંમતી હિરો છે, સદ્‌ગુરૂ આ હિરાને રૂપાતરીત કરે છે.

રામને કોઈ વિશેષણની જરૂર નથી.

નામ રસાયણ શરૂઆતમાં સ્વકેન્દ્રી બનાવે, પછી ક્રમશઃ હરિ નામ વધતાં સ્વજન કેન્દ્રી બનાવે, પછી સમાજ કેન્દ્રી બનાવે અને પછી વિશ્વ કેન્દ્રી બનાવે.

નામ વૈશ્વિક બનાવ્યા વિના રહે જ નહીં.




બુધવાર, ૧૫-૦૪-૨૦૧૫

ગુરૂનાં નેણ અને વેણ સમજી જાય તેનો બેડો પાર થઈ જાય.

અભાવ, પ્રભાવ, દુર્ભાવ અને સ્વભાવથી પીડા થાય.

કાનને સાઈલન્ટ મોડ પર રાખો.

ગુરૂ કદી મરતા નથી, તેની ચૈતસિક હાજરિ શાસ્વત હોય છે અને તેના આશ્રિતને સહાય કરે છે.

જીવન પ્રશ્નાર્થ છે, તેમામ પૂર્ણ વિરામ ક્યાં છે?, હા, મ્રુત્યુ અલ્પવિરામ જરૂર છે.

શાસ્ત્ર ગુરૂ મુખી હોય તો જ તેનાં રહસ્ય સમજાય.

શાસ્ત્ર સિધ્ધાંત છે, ગુરૂ  સમાધાન છે.

જ્યાં રામ રસાયણ હોય ત્યામ બાકીના રસાયણ - ધર્મ રસાયણ, ભક્તિ રસાયણ, કામ રસાયણ, નામ રસાયણ - હોય જ.

રામ ચરિત માનસ રામ રસાયણ છે.

રામ ચરિત માનસમાં ધર્મ રસાયણની, કામ રસાયણની, ભક્તિરસાયણની , નામ રસાયણની ભરપુર ચર્ચા છે.

રામાયણ સ્વયં રામ મહામંત્ર છે.

રામ રસાયણ રસ છે જે કાનથી પીવાય છે.

 પરમની રૂપ, લીલા, ધામ અને નામ રસાયણ છે.

રામ રસાયણની ફલશ્રુતિ પરમ વિશ્રામ છે.

રામ રસાયણ મુનિઓના મનને ભાવે છે.

જે મૌન રહે, મનન કરે અને મંત્ર દ્રષ્ટા હોય તે મુનિ છે.

કથા સુહાવન છે.

કથા રૂપી રામ રસાયણ જે પીવે - કથા સાંભળે તેનાં દુઃખ દૂર થાય.



ગુરૂવાર, ૧૬-૦૪-૨૦૧૫

હનુમાનજી પાસે રામ ચરિત માનસ રામ રસાયણ છે.

રામ ચરિત માનસ ચરિત્રોનું પંચામૃત છે.

૧ શિવ ચરિત્ર જેમાં ઉમા ચરિત્ર સમાવિશ્ઠ છે.

૨ રામ ચરિત્ર જેમાં સીતા ચરિત્ર સમાવિશ્ઠ છે.

૩ ભરત ચરિત્ર

૪ હનુમંત ચરિત્ર

૫ ભૂષંડી ચરિત્ર

રામ ચરિત માનસ રામ કથા છે.

રામ ચરિત માનસ રામ લીલા છે

રામ ચરિત માનસ રામ ગુણ ગાથા છે.

જે કહેવાય કે કહી શકાય તે કથા કહેવાય.

હત્યાથી ધર્મ શરમીંદો બને, અહિંસાથી ધર્મ મુગુટમણિ બને.

શ્રેષ્ઠ રસાયણ નામ રસાયણ છે. જો કે બીજાં રસાયણ નિમ્ન નથી.

સ્વાદ તો તે વાનગી જીભ ઉપર આવે ત્યારે જ થાય.

રસ પીવા માટે જીભ અને હોઠ બંને જોઈએ.

આંખ શિકારી ન બને અને જો પુજારી બને તો માતૃ શરીર ઉપર અત્યાચાર બંધ થઈ જાય, અત્યાચાર ન થાય.

તાજી તરોજી યુવાની હરિને અર્પણ કરાય, વૃદ્ધ શરીર અ અપાય. મહેમાનને આપણે તાજાં ફળ આપીએ છીએ, વાસી કે નકામા ફળ આપતા નથી.



શિવાજીનું હાલરડું

Source Link : wikisource


આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (૨)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,ઝવેરચંદ મેઘાણી

શુક્રવાર, ૧૭-૦૪-૨૦૧૫

મહાભારતમાં ભીષ્મને ઇચ્છા મરણનું વરદાન છે. પણ ઇચ્છા કરવાનિ અધિકાર ગોવિંદ પાસે છે અને તેથી ગોવિંદ મુસ્કરાય છે.

હરિ અમરને મારી શકે અને નાશવંતને અમર કરી શકે.

સવારમાં ઊઠીને પહેલું કૄષ્ણનું નામ લેવું જોઈએ એવું ભીષ્મ પાંડવોને તેના પ્રશ્નના જવાબમામ કહે છે.

ઋગ્વેદ કહે છે હું નામ છું.

યજુર્વેદ કહે છે હું નામ છું.

સામવેદકહે છે હું નામ છું.

અથર્વવેદ કહે છે હું નામ છું.

"ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ" એ મંત્રનો જાપ કરવાનું ભીષ્મ કહે છે.

તપ સ્વરુપમાં કૄષ્ણ સાક્ષાત મહાદેવ છે.

તપઃ સ્વરુપો મહાદેવઃ ક્રિષ્ણોદેવકી નંદનઃ ............

રામ રસાયણ કૄષ્ણ નામ છે, રામ નામ છે, હરિ નામ છે.

બાલકાંડમાં સૌથી વધું રામ રસાયણ અહલ્યાએ પીધું છે.

અહલ્યા બહું જ સુંદર છે, અહલ્યા બ્રહ્માનું સુંદર સર્જન છે.

ભોગ વૃતિ વાળી બુદ્ધિ જડ છે.

જેનું અંતઃકરણ વિશુદ્ધ હોય તે આશીર્વાદ આપી શકે.

જેણે દ્વૈતને તદ્દ્ન મિટાવ્યો હોય તે આશીર્વાદ આપી શકે.

જે અધિક માત્રામાં ભજન કરતો હોય તે આશીર્વાદ આપી શકે.

પોતાના આપેલ આશીર્વાદને સફળ કરવા માટે જે પોતાના પ્રાણ આપવા તૈયાર હોય તે આશીર્વાદ આપી શકે.

અત્યારના સમયમાં શ્રાપ આપવાની જરૂર નથી પણ સાવધાન કરવાની જરૂર છે.

ઋષિ શ્રાપ આપે પણ સાધુ કદી શ્રાપ ન આપે.

અત્યારના સમયમાં આશીર્વાદ આપવાની જગાએ સમાધાન આપવાની જરુર છે.

હરિના અપ્રિય થવાનિ શ્રાપ સૌથી મહાન શ્રાપ છે.

પ્રથમ ભક્તિ સંતન કર સંગા

પાદુકા રામ નામનું રસાયણ છે.

અહલ્યાનો ઉદ્ધાર રામના ચરણની રજથી થાય છે.

અયોધ્યાકાંડમાં ભક્ત શિરોમણી ભરત રામ નામનું રસાયણ પીવે છે.

કિષ્કિન્ધાકાંડમાં હનુમાનજી રામ નામનું રસાયણ પીવે છે.

અરણ્યકાંડમાં શબરી રામ નામનું રસાયણ પીવે છે.

સુંદરકાંડમાં મા જાનકી રામ નામનું રસાયણ પીવે છે.

લંકાકાંડમાં રાવણ પાસે તેનીનાભીમાં રામ નામનું રસાયણ છે.

ઉત્તરકાંડમાં બાબા ભૂષુડી રામ નામનું રસાયણ પીવે છે.

રસાયણ ના ચાર અક્ષર ર, સા, ય અને ણ (ન) ના વિશેષ અર્થ - સંકેત છે.

ર એટલે રસ રુપ

સા એટલે સાત્વિક

ય એટલે યત્ન પૂર્વક - યત્ન પૂર્વક મેળવેલ સાત્વિક રસ, ચિંતન, મનન, સ્મરણ દ્વારા મેળવેલ સાત્વિક રસ
ન (ણ) એટલે નમ્રતા પૂર્વક, અહંકાર સિવાય 

કિર્તન ભક્તિ છે જ્યારે માયા નર્તકી છે.

નર્તકી મુજરા કરે જ્યારે કીર્તનમામ મંજીરા વાગે.

કિર્તન કોઠામાં હોય જ્યારે નર્તન કોઠા ઉપર હોય.

કિર્તનમાં એક જ તાલ કરતાલ હોય જ્યારે નર્તનમાં અનેક તાલ હોય, અનેક  વાદ્ય હોય.

નર્તકી પાન ચાવે છે જ્યારે કિર્તનમાં હરિ નામનું પાન હોય.

નર્તનમાં વાહ વાહ થાય જ્યારે કિર્તનમાં સ્વાહા સ્વાહા થાય.

શનિવાર, ૧૮-૦૪-૨૦૧૫

મહાભારતમાં ભગવાન વ્યાસ ૬ વસ્તુને રસાયણ કહે છે જે નીચે પ્રમાણે છે.

૧ સંયમ

૨ શીલ

૩ ધૈર્ય

૪ વાતચીત કરવામાં વિવેક

૫ અંદરની શક્તિની - સત્તાનું અન્વેષણ

૬ પરસ્પર જોડવાની પ્રક્રિયા

આ ૬ રસાયણ હનુમાનજી પાસે છે.

હનુમાનજીનું અખંડ બ્રહ્મચર્ય સંયમ રસાયણ છે.

સતસંગ દ્વારા પ્રાપ્ત વિવેકથી સંયમનું પાલન કરવું.

સંયમનું પાલન કરવાનો આધાર નામ છે, હરિ નામ છે.

જો ભજન વધે તો વિષયની આશા આપોઆપ ઓછી થાય.

જ્યાં આશા છે તે વ્યક્તિ પોતાની રૂચી પ્રમાણે માગણી કરે છે.

જ્યાં વિશ્વાસ હોય ત્યાં તે સાધક હરિને જે યોગ્ય લાગે તે આપવા કહે છે, પોતે કંઇ માગતો નથી.

રામ કથાનું શ્રવણ આપણને સમાધાન આપશે તેમજ સાવધાન પણ કરશે.

સુખમાં રામ રસાયણ પીશો તો દુઃખમાં દુઃખ સહન કરવાની હિંમત મળશે, દુઃખ સહન કરવામાં મદદ મળશે.
ભરોંસાનો મંત્ર જપવાથી વિપત્તિથી બચી શકાશે.

મોટા વ્યક્તિમાં વિવેક હોવો જોઈએ અને નાના વ્યક્તિમાં વિશ્વાસ હોવો જોઈએ.

યુદ્ધ અનિવાર્ય બને તો પણ યુદ્ધ નિવારવાના વિવેક પૂર્ણ પ્રયત્ન કરવા જોઈએ અને આવા પ્રયત્ન કર્યા પછી પણ જો યુદ્ધ થાય તો સત્યના પક્ષમામ રહેવું જોઇએ.

વિશ્વાસ વધારવાથી આશા ઓછી થઈ જાય છે.

માગવાથી સિમિત માત્રામાં મળશે અને નહીં માગવાથી ગણી ન શકાય તેટલું મળશે.

આશા ઓછી થવી એ સંયમ છે.

બુઝર્ગ વ્યક્તિઓની કોઈ પણ ઈચ્છા કે આશા રાખ્યા સિવાય સેવા કરવાથી શીલ પ્રાપ્ત થાય.

નિષ્કામ ભાવથી ખેતી કરવાથી જાનકી - ભક્તિ પાપ્ત થાય.

વિવેકના ૪ પ્રકાર છે.

૧ તન વિવેક

૨ નેત્ર વિવેક

૩ મન વિવેક

૪ વેશ - પહેરવેશ વિવેક


૧૯-૦૪-૨૦૧૫

હનુમાનજી જ્ઞાનાગ્નિ છે તેમજ જ્ઞાનનિ વર્ષા પણ છે.

જ્ઞાનાગ્નિ ભષ્મ કરી દે છે.

વૈધી ભક્તિ એટલે ક્રમશઃ ભક્તિ.

સ્નાન કરવું, પૂજા કરવી, અમુક પ્રકારના આસન ઉપર બેસવું, મૂર્તિને સ્નાન કરાવવું. વિવિધ પ્રકારે પૂજન અર્ચન કરવું વિ. વૈધી ભક્તિ છે. વૈધી ભક્તિ સદા દાસ ન બનાવે. રાગાનુરાગ ભક્તિ સદા દાસ બનાવે.

રાગાનુરાગ ભક્તિથી રામ રસાયણ પ્રાપ્ત થાય.

જીવન અને સાધનાને અલગ ન કરાય. જીવન જ સાધના છે.

ફક્ત પૂજા જ કરવી હોય તો ઘરનું મંદિર પર્યાપ્ત છે. પણ સાક્ષાત્કાર તો અસ્તિત્વમાં જ થાય.

જ્યારે તમારિ નીંદા થાય તો તેને પ્રભુની કૃપા સમજજો. નીંદા થાય એ મોટા થવાની નિશાની છે.

બુદ્ધ પુરૂષ સંસાર ન છોડાવે પણ બુદ્ધ પુરુષ સંસારને સંન્યાસ બનાવી દે છે.

પરમાત્મા વ્યાપક છે પણ રાગાનુરાગ ભક્તિ વ્યાપક પરમાત્માને પોતાનો બનાવી દે છે.

દિવ્ય સિંહાસન ઉપર સત્ય બિરાજે જ્યારે ભવ્ય સિંહાસન ઉપર સત્તા બિરાજે.

રામ ચરિત માનસનો નિચોડ નીચે મુજબ છે.

એહિ કલિકાલ ન સાધન દૂજા       |

જોગ જગ્ય જપ તપ બ્રત પૂજા          ||

રામહિ સુમિરિઅ ગાઇઅ રામહિ         |

સંતત સુનિઅ રામ ગુન ગ્રામહિ         ||

.........................................................................................................ઉત્તરકાંડ ૧૨૯/૫



No comments:

Post a Comment