Translate

Search This Blog

Sunday, June 9, 2013

સત્સંગ દ્વારા મન ઉપર કાબૂ મેળવી શકાય છે

સત્સંગ દ્વારા મન ઉપર કાબૂ મેળવી શકાય છે

મોરારિબાપુ

માનસદર્શન





  • આજના સમયમાં સંસારભરની સમસ્યાઓનું મૂળ શું છે? આના જવાબમાં એટલું જ કહીશ કે સમગ્ર સંસારની સમસ્યાનું મૂળ માનવીનું મન છે. આજે માનવીનું મન વધારે બીમાર છે. મોટાભાગના લોકોના મન રુગ્ણ છે. મન જે રીતે પ્રસન્ન હોવું જોઇએ એવું હોતું નથી. મનુષ્ય તો ઇશ્વરની એક ઉત્તમ કતિ છે. તેમ છતાં માનવ દુ:ખી થાય છે. એનું એક જ કારણ છે કે માનવ મનથી દુ:ખી છે. આપણે ત્યાં અન્ય ઘણા જીવો છે. કૂતરો સદૈવ પૂર્ણ કૂતરો જ રહે છે. એ કયારેય અધૂરો બનતો નથી. ગાયમાતા પૂરેપૂરી ગાય રહે છે. પણ આજના સમયમાં માણસને પૂરેપૂરો માણસ કહેવો એ સાહસ કરવા જેવું છે. એનું મુખ્ય કારણ માનવીનું મન છે. માનવીનું મન મોટાભાગે સમ્યક નથી. મનના વિષયમાં ભગવાન શંકરાચાર્યને કોઇએ પૂછ્યું કે તમે કપા કરી મનના રોગની કોઇ ઇલાજના રૂપમાં અૌષધિ બતાવો. શંકરાચાર્યએ ચાર પ્રકારના ઉપાય બતાવ્યા છે જેનું આપણે આજે ચિંતન કરીએ. ઉપાયનું દર્શન કરીશું જે આ પ્રમાણે છે. 

No comments:

Post a Comment