Translate

Search This Blog

Thursday, February 26, 2015

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો

નાઝીર દેખૈયા રચિત ગઝલ

સાભાર ટહુકો.કોમ - સૂર અને શબ્દનો સુભગ સમન્વય


Source Link : http://tahuko.com/?p=3300


ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.










સ્વર – મનહર ઉધાસ

નાઝીર દેખૈયા રચિત આ ગઝલને સુપ્રસિદ્ધ ગાયક શ્રી મનહરભાઈ ઉધાસે સ્વર આપ્યો છે.



No comments:

Post a Comment