Translate

Search This Blog

Friday, February 20, 2015

મજાદર કાગધામમાં 21મીથી મોરારિબાપુની રામકથા

Courtesy : Divya Bhaskar

મજાદર કાગધામમાં 21મીથી મોરારિબાપુની રામકથા

Read the article at its source link.

- કવિનાં વતનમાં કથાકાર: કાગ એવોર્ડ, લોકડાયરો, ચારણ સભા, મેડીકલ કેમ્પ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે

રાજુલા: રાજુલા તાબાના મજાદર કાગધામ ખાતે પુ. મોરારીબાપુની રામકથા યોજાનાર હોય તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામા આવ્યો છે. કથા સ્થળે ત્રણ કાર્યાલયો પણ ખોલવામા આવ્યા છે. શહેરમાં હોટેલો અને ગેસ્ટ હાઉસો ફુલ થઇ ગયા છે. કથા સ્થળે વિવિધ સ્ટોલ પણ ઉભા કરાયા છે. કથા દરમિયાન અહી મેડીકલ કેમ્પ, આરોગ્ય અને પર્યાવરણની જાગૃતિ માટેના સ્ટોલ પણ ઉભા કરવામા આવ્યા છે. વહિવટી તંત્ર દ્વારા પણ વ્યવસ્થા જાળવવા તૈયારી કરવામાં આવી રહી છે.

મજાદર કાગધામ ખાતે તા. 21મીથી પુ. મોરારીબાપુની રામકથાનો આરંભ થનાર હોય તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. અહી આયોજકો દ્વારા પાંચ પ્રવેશદ્રારો પણ ઉભા કરવામા આવ્યા છે. આ ઉપરાંત અહી પીપાવાવ પોર્ટ અને હનુમંત હોસ્પિટલના ઉપક્રમે મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામા આવ્યું છે. અહી આરોગ્ય અને પર્યાવરણની જાગૃતિ માટે સ્ટોલ પણ ઉભા કરાયા છે. અહી કથા શ્રવણ માટે દેશ વિદેશથી અનેક ભાવિકો ઉમટી પડવાના હોય હોટેલ અને ગેસ્ટ હાઉસ ફુલ થઇ ગયા છે.

કથા દરમિયાન અહી કાગ એવોર્ડ, લોકડાયરો, ચારણ સભા સહિતના કાર્યક્રમો પણ યોજાશે. કથા દરમિયાન એસટી તંત્ર, વિજતંત્ર, પોલીસ, પાણી પુરવઠા સહિતના વહિવટી વિભાગો દ્વારા પણ પુરતો સહયોગ આપવામા આવી રહ્યો છે. મોરારિબાપુની રામકથાને લઇ ગ્રામજનોમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે . અને ગામનાં સ્વયં સેવકો દ્વારા રામકથાની તૈયારીને લઇ કોઇ ઉણપ ન રહે તે માટે જહેમત
ઉઠાવાઇ રહી છે.

હોટલ અને ગેસ્ટહાઉસ હાઉસફૂલ

રાજુલા તાબાના મજાદર કાગધામ ખાતે પુ. મોરારીબાપુની રામકથા યોજાનાર હોય તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામા આવ્યો છે. કથા સ્થળે ત્રણ કાર્યાલયો પણ ખોલવામા આવ્યા છે. શહેરમાં હોટેલો અને ગેસ્ટ હાઉસો ફુલ થઇ ગયા છે.

વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

કથા દરમિયાન અહી મેડીકલ કેમ્પ, આરોગ્ય અને પર્યાવરણની જાગૃતિ માટેના સ્ટોલ પણ ઉભા કરવામા આવ્યા છે. વહિવટી તંત્ર દ્વારા પણ વ્યવસ્થા જાળવવા તૈયારી કરવામા આવી રહી છે.

પાંચ પ્રવેશ દ્વારો અને ત્રણ કાર્યાલય

મજાદર કાગધામમાં મોટી સંખ્યામાં ભાવિકો મોરારિબાપુની રામકથા સાંભળવા આવનાર હોય કથા સ્થળે ત્રણ કાર્યાલયો અને આયોજકો દ્વારા પાંચ પ્રવેશ દ્વારો પણ ઉભા કરવામાં આવ્યા છે. સાથે મેડીકલ કેમ્પ, આરોગ્ય અને પર્યાવરણની જાગૃતિ માટે પણ સ્ટોલ બનાવાયા છે.

No comments:

Post a Comment