Translate

Search This Blog

Wednesday, April 27, 2011

ભાગવત કથા - પૂજ્ય ભાઈશ્રી

These articles is displayed here with the courtesy of "Divya Bhaskar".

"ભૌતિક્તા પાછળની આંધળી દોટ ભ્રષ્ટાચારનું મૂળ"

Source: Bhaskar News, Surat | Last Updated 1:06 AM [IST](25/04/2011)


Source Link: http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-ramesh-ojha-said-on-corruption-2049144.html




‘ભાઈશ્રી’ રમેશભાઈ ઓઝાએ કહ્યું કે આજની પેઢી સાક્ષર થાય છે પણ સમજદાર બનતી નથી, જેના કારણે આપઘાત, છુટાછેડાનું પ્રમાણ વધ્યું છે

‘ભૌતિકતા પાછળની આંધળી દોટ અને તે માટેની સ્પર્ધામાં આગળ રહેવા દોડી રહેલો માનવી આખરે સદાચાર સાથે સમાધાન કરે છે અને તેમાંથી જન્મે છે ભ્રષ્ટાચાર. માણસની લાલસા-વાસના ભ્રષ્ટાચારના ભૂતને જન્મ આપે છે. પછી તે ભૂત આપણને જ ખાઈ જાય છે. ભ્રષ્ટાચાર મારફતે મેળવેલી સફળતા માનવીને દુખી કરે છે. દુખી કરનારી આવી સફળતા કરતાં સુખી કરનારી નિષ્ફળતા વધુ સારી. સિસ્ટમને કરપ્ટ કરવામાં આપણા સૌનો હિસ્સો છે.

કોમનમેનનો હિસ્સો છે. જેમાં રાજનેતા હોય કે બ્યૂરોક્રેટ્સ હોય તેમને ભ્રષ્ટ કરનારું કોણ છે? જો પ્રત્યેક માણસ શપથ ગ્રહણ કરે કે હું ભ્રષ્ટાચાર કરીશ નહીં અને ભ્રષ્ટાચારીને પ્રોત્સાહન મળે તેવા કોઈ પણ કાર્યમાં સહકાર આપીશ નહીં, તો આ ભ્રષ્ટાચારનું ભૂત દૂર થઈ શકે. વ્યાસપીઠ લગાતાર સદાચાર માટે લોકોને અપીલ કરતી જ રહી છે. આમ છતાં ભૌતિકતા તરફની આંધળી દોટના કારણે માણસ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે.’

પરિવાર તૂટવા અંગે

આજે શિક્ષણમાં સમજદારીની ખોટ છે. સમજદારીથી સહનશીલતા વધે. જો સહનશીલતા હોય તો આ સમસ્યાનો આપોઆપ અંત આવવો જોઇએ. જે રીતે કન્યા કેળવણીની ઝુંબેશ ચલાવવામાં આવે છે તે આવકાર્ય છે.’

યુવાઓ અંગે...

સૌથી વધુ યુવાનો ધરાવતા આ દેશના યુવાન પ્રારંભિક જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે ચિંતન અને ચિંતા કરતો થાય તો દેશનું ચિત્ર બદલાઈ જાય. આજના યુવાનોએ રાજનીતિમાં પણ આવવું જોઇએ.






જેલવાસ પશ્વાતાપ કરવાનું સ્થળ છે

Source: Bhaskar News, Surat | Last Updated 1:16 AM [IST](26/04/2011)

http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-ramesh-ojha-katha-police-2051764.html

‘જેલવાસ એ પશ્વાતાપ કરવાનું સ્થળ છે’ તેમ કહી ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ ૬૦૦થી વધુ કેદીઓને ધર્મનો મર્મ સમજાવ્યો હતો. સોમવારે સવારે ૧૦થી૧૧ વાગ્યા સુધીના એક કલાકમાં ભાઇશ્રીએ કેદીઓને જેલમુક્ત થઈ સારા માણસ બનીને રહેવા માટે ઉદાહરણો સાથે સમજ આપી હતી.

દિવ્યપથ સંસ્થા દ્વારા સુરત જેલમાં ભગવદીય વાર્તાલાપ- જ્ઞાનગોષ્ઠિના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભાઈશ્રીએ કહ્યું હતું કે સૌને પોતપોતાનો ધર્મ પાપ કરતા અટકાવે છે. દુનિયા ધર્મથી જ ચાલે છે અને લોકો ધર્મથી ડરે પણ છે, જેના કારણે જ માણસ મંદિર, મિસ્જદ, દેવળમાં જાય છે. તમે પણ સારા માણસ બનો. પાપનો રસ્તો છોડૉ. જેલમુક્ત થયા બાદ ફરી પાપ કરશો નહીં. આ પ્રસંગે દિવ્યપથના આગેવાનો ડી. એચ. ગોધાણી, ઘનશ્યામભાઈ પટેલ, મહેશભાઈ પટેલ વગેર હાજર રહ્યાં હતા.

૧૦ કમ્પ્યૂટરનું દાન કરશે

ભાઈશ્રીએ જેલ સુપરિન્ટેન્ડન્ટ એન. એ. દેસાઈ સાથે વાત કરી જેલમાં કઈ વસ્તુની જરૂરિયાત છે? એવું પૂછતાં દેસાઈએ કમ્પ્યૂટરની જરૂર હોવાનું કહ્યું હતું. એ સાથે જ ભાઈશ્રીએ ૧૦ કમ્પ્યૂટર આપવાનું જાહેર કર્યું હતું.


પૈસા માટે પુરુષાર્થ કરો, પાપ નહીં

Source: Bhaskar News, Surat | Last Updated 1:07 AM [IST](26/04/2011)

ભાઈશ્રીએ કહ્યું સત્ય-પ્રમાણિકતા ઘટ્યાં છે, ભ્રષ્ટ સિસ્ટમથી માણસ દુ:ખી છે જેથી, જ અણ્ણાનું આંદોલન સફળ થયું છે- જીવનના આનંદ માટે રૂપિયા જરૂરી છે, અનિવાર્ય નથી

આ યુગમાં સત્ય અને પ્રમાણિકતા ઘટયા છે, જેના કારણે કરપ્ટ થયેલી સિસ્ટમથી માણસ દુખી છે અને એટલે જ અણ્ણા હજારેનું આંદોલન સફળ બન્યું. જીવનના આનંદ માટે રૂપિયા જરૂરી છે પણ અનિવાર્ય નથી. પૈસા મેળવવા માટે પુરુષાર્થ કરજો પણ ક્યારેય પાપ ન કરતા, ઇમાનદારી અને નીતિથી નાણાં મેળવવાના પ્રયાસ કરજો તેમ સ્વર્ણિમ ભાગવત સપ્તાહના બીજા દિવસે રમેશભાઈ ઓઝાએ કહ્યું હતું.

માનવજીવન સ્વર્ણિમ કળશ હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે ધાતુઓમાં સુવર્ણ શ્રેષ્ઠ છે તેમ દેહધારી પ્રાણીઓમાં મનુષ્ય દેહ શ્રેષ્ઠ છે. ભગવાનને આપણું ચિત્તપત્ર અર્પણ કરો, મન પ્રસન્ન હોવું જોઇએ. ભગવાન પ્રેમ જ જુએ છે ગરીબ કે અમીરનો ભેદ જોતા નથી. દેવ પણ માનવ થવા ઇચ્છે છે એટલે કે માનવજીવન ખૂબ જ મહત્વનું છે. વૈષ્ણવનું મન ચિંતા નહીં પણ ચિંતન કરે છે.

સત્-ચિત્ત-આનંદ સ્વરૂપ ભગવાનને ભજવાથી આનંદ જ આવે જો આનંદ ન આવે તો તેમાં ભગવાનની નહીં પણ આપણી ખામી કહેવાય તેમ કહી તેમણે શ્રીમદ ભાગવત સપ્તાહનું માહાત્મ્ય સમજાવ્યું હતું.

મૃત્યુ એ જીવનનું અનિવાર્ય સત્ય છે પણ મૃત્યુને મંગલમય બનાવવું હોય તો શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું જરૂરી છે. ભાગવત એ મૃત્યુને મહોત્સવ બનાવે છે.

સુરત શ્રેષ્ઠીઓની ભૂમિ છે

સુરત અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે સુરતમાં લોકો પૈસો કમાઈ જાણે છે તેમ અર્પણ પણ કરી જાણે છે. વિદ્યા સંકુલ પ્રત્યે તમારી ભાવના જરૂર વ્યક્ત કરજો પણ તે માટે કોઈને દબાણ કરશો નહીં. વિદ્યા સંકુલ તરફ ભાવ સમર્પણ કરો તો આ સંકુલ તમારા સૌનું અને સૌના માટે બની રહેશે.

કાંદા લસણનો છોછ, લાંચનો વાંધો નથી
Source: Bhaskar News, Surat | Last Updated 1:38 AM [IST](27/04/2011)

Source Link : http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-we-dont-want-to-take-onion-but-we-take-the-bribe-2054903.html?C-SUR=



- ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ ભ્રષ્ટાચાર સામે સ્વર્ણિમ ભાગવત કથાના ત્રીજા દિવસે કરેલો કટાક્ષ

સ્વર્ણિમ ભાગવત કથાના ત્રીજા દિવસે રમેશભાઇ ઓઝાએ સત્ય આચરણ અને ભાગવત કથાના રસામૃત પાનની વાત સાથે કથા આગળ ધપાવી હતી. અણ્ણા હજારે દ્વારા ચલાવવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને મુક સંમતિ આપવા સાથે તેમણે વ્યાસ પીઠ પરથી એવો કટાક્ષ પણ કર્યો હતો કે, આપણે કાંદા-લસણ નથી ખાતા પરંતુ લાંચ જરુરથી ખાઇએ છે.

તેમણે જણાવ્યું હતું કે, કથા કાનથી સંભળાય છે અને મનથી સંભળાય છે. મન હંમેશા રસની શોધમાં હોય છે અને ભાગવત કથાના માધ્યમથી મનને શ્રી કૃષ્ણ રસ મળતા મન ત્યાં સ્થિર થઇ જાય છે. સ્નેહને કારણે થાય તે સેવા અને તેનાથી સેવ્યને સુખ પ્રાપ્ત થાય છે. સેવા કરનારને સેવ્યની રુચીનું જ્ઞાન હોવું જોઇએ. સેવા ધર્મ ખૂબ મુશ્કેલ છે.

ભાગવતના મુળ ત્રણ સૂત્રો છે પ્રથમ હવે અમે બ્રહ્નને જાણવાની ઇચ્છા કરીએ છે. બીજુ સૂત્ર આજે દેખાય છે તેવુ આ જગત જેના થકી થાય છે તે બ્રહ્નને જાણવાની ઇચ્છા કરીએ છે અને ત્રીજુ સૂત્ર આ જગત ભગવાનમાંથી બનાવ્યું. બીજા સૂત્રથી ભાગવતનો આરંભ થાય છે મનુષ્યએ પોતાની જાતનું ઘડતર જાતે કરવાનું. હું કંઇ જાણતો નથી એ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે. ઇશ્વર એ શ્રધ્ધાનો વિષય છે આપણે ભગવાનનું ભજન કરીએ કે ન કરીએ પરંતુ ભગવાન આપણું ભજન ૨૪ કલાક કરે છે.

‘છે ખુદાને માનવીમાં ફેર બહું ઓછો,
બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે’

આ શેર ટાંકીને રમેશભાઇ ઓઝાએ ગ્લોબલ વોર્મિંગનો જે પ્રશ્ન ઉભો થયો છે તે અંગે નુકતેચીની કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણે પર્યાવરણને બગાડી રહ્યા છીએ અને તેના પરિણામો પણ ભોગવી રહ્યા છીએ.

શ્રીમદ ભાગવત કથાની રત્નકણિકાઓ

- સત્યને ક્યારે ય ન છોડવું તેનું નામ તપ. પવિત્રતાની પણ એટલી જ આવશ્યકતા છે
- બીજાને જોઇને જે દ્રવે તે સંત-શ્રીમંતની શ્રીમંતાઇ સમાજ માટે દ્રવવી જોઇએ
- સત્યનો સહારો લેનાર સફળ થાય છે અને આ વાત સમાજ સમજે તો ક્રાંતિ થઇ જાય
- શ્રીમદ ભાગવત એ આપણા આત્માનો ખોરાક છે અને તે એન્ટી વાયરસનું કામ કરે છે
- ભાગવતના માઘ્યમથી કાન મારફત ભગવાન હદયમાં પ્રવેશ કરી તમારા હદયને સાફ કરી નાંખે છે

આજનો માણસ ઘરથી ડિસ્કનેક્ટ: ભાઈશ્રી

Source: Bhaskar News, Surat | Last Updated 1:22 AM [IST](28/04/2011)

http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-today-man-disconnect-with-home-ramesh-ojha-2058161.html

કથાના ત્રીજા દિવસે ભાઈશ્રીએ આંબાનું સુંદર ગાન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

શોક, મોહ અને ભયને હરાવવાની શક્તિ ભક્તિમાં છે અને એ ભક્તિ શ્રીમદ્ ભાગવતજીના શ્રવણ થકી પ્રાપ્ત થાય છે તેમ સ્વર્ણિમ ૧૦૦૮ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે વનિતા વિશ્રામ ખાતે રમેશભાઈ ઓઝા (ભાઇશ્રી)એ કહ્યું હતું. તેમણે માનવીની મનોસ્થિતિની વાત કરતાં કહ્યું હતું કે આજનો માણસ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો સાથે કનેક્ટ થતો જાય છે એ સાથે ઘરથી ડસ્કિનેકટ થતો જાય છે જે ચિંતાનો વિષય છે.

સારાં પુસ્તકોનું વાચન કરવું જોઇએ તેમ કહી તેમણે ઉમેર્યું હતું કે જે રીતે ઘી વગરનું ભોજન વાંઝિયું ગણાય તે રીતે સત્સંગ અને સારાં પુસ્તકોના વાચન વગરનો દિવસ વાંઝિયો ગણાય. નકારાત્મકતાને ૧૦ મિનિટનું પોઝિટિવ થિંકિંગ બદલી શકે છે. ભાઇશ્રીએ કથાના ત્રીજા દિવસે ભાગવતજીના આંબાનું સુંદર ગાન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

'પ્રજાતંત્રના જાગૃત પ્રહરીનો ધર્મ ‘દિવ્ય ભાસ્કર’ બજાવી રહ્યું છે'
Source: Bhaskar News, Surat | Last Updated 9:18 PM [IST](27/04/2011)


http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-rameshbhai-ojha-guest-of-divyabhaskar-in-surat-2056766.html

- ધર્મ સાથે કટ્ટરતાનું મિશ્રણ ભયાવહ છે: ભાઇશ્રી- પ્રજાતંત્રના જાગૃત પ્રહરીનો ધર્મ ‘દિવ્ય ભાસ્કર’ બજાવી રહ્યું છે- દિવ્ય ભાસ્કરના વિશેષ અતિથિ બન્યા ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, અખબાર દિવ્ય પ્રકાશ ફેલાવે તેવી પ્રાર્થના કરી

‘ધર્મનો સંબંધ કરુણા સાથે છે, કટ્ટરતા સાથે નહીં. કટ્ટરતા અને ધર્મનું મિશ્રણ થાય એ સ્થિતિ ભયાવહ છે’ તેમ મંગળવારે રાત્રે ‘દિવ્ય ભાસ્કર’ કચેરી ખાતે વિશેષ અતિથિ તરીકે પધારેલા જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)એ કહ્યું હતું.

જીવનમાં અનેક રસ્તે ભટકતા માનવીને સાચી સમજ મેળવવા માટે શું કરવું જોઇએ? એ અંગે તેમણે કહ્યું હતું કે પોતાનું અને સૌનું હિત જેમાં સમાયું હોય તેવું જ વિચારવાથી માનવીને સાચો રાહ મળી રહે છે.આતંકવાદના સંદર્ભમાં ભાઇશ્રીએ કહ્યું હતું કે આતંકવાદને શસ્ત્ર દ્વારા દબાવી જરૂર શકાય પણ પૂરો ન કરી શકાય. આતંકવાદ પર પૂર્ણ વિરામ મૂકવાનું કામ તો અધ્યાત્મજગત જ કરી શકે. ધર્મનો સંબંધ સત્ય સાથે છે, સંખ્યા સાથે નહીં તેમ કહી તેમણે ઉમેયઁુ હતું કે ધર્મ સ્વીકારવાની વસ્તુ છે લાદવાની નહીં. ધર્મથી માણસ ફૂલની જેમ મહેકવો જોઇએ, બહેકવો ન જોઇએ. આ જિંદગીમાં અભ્યુદય પમાડે અને બીજો જન્મ પણ સુધારે તે ધર્મ છે. જિંદગીમાં માણસે શું સંચિત કરવું જોઇએ? સંદર્ભે પ્રકાશ પાડતાં ભાઈશ્રીએ કહ્યું હતું કે પ્રસન્નતા જ પ્રસાદ છે. પ્રસન્નતાની હાનિ ન થવી જોઇએ. પ્રસન્નતાના ભોગે કાંઈ પણ ન કરવું જોઇએ. અત્યારે વાતાવરણ એવું છે કે માણસને પ્રસન્નતા ક્યાંથી મેળવવી તેનો જ ખ્યાલ નથી.

પૂ. ભાઈશ્રીની શુભેચ્છા

॥ : શ્રીહરિ : ॥
ભગવાન ભુવન ભાસ્કર દિવ્ય છે. ‘દિવ્ય ભાસ્કર’ સત્યના પ્રકાશમાં તથ્યને દેખાડવા, કામે લગાડવા અને જગાડવા સવારના પહોરમાં આવે છે. જનતાને જાગૃત રાખવાનું અને શાસન-પ્રશાસનને ચુસ્ત દુરસ્ત રાખવાનું કાર્ય કરીને, પ્રજાતંત્રના જાગૃત પ્રહરીનો ધર્મ ‘દિવ્ય ભાસ્કર’ બજાવી રહ્યું છે. ટૂંકા સમયમાં ગુજરાતમાં કરેલો વિકાસ ગૌરવ જન્માવે તેવો છે. ઉત્તરોત્તર પ્રગતિ અને વિકાસ માટે પ્રભુપ્રાર્થના.- ભાઈ

દાન ન કરો તો ચાલશે પરંતુ ચોરી તો ન જ કરોમાનવ જીવનની ફિલોસોફી સમજાવતા તેમણે કહ્યું હતું કે માણસે દાન કરવું જોઇએ. પણ કોઈ કારણોસર જો માણસ દાન ન કરી શકે તો તે ભયંકર તો છે જ પણ એટલું ભયંકર નથી કે માણસ ચોરી કરે! ચોરી કરે તો ધરપકડ થાય, દાન ન આપવાથી ધરપકડ ન થાય. દાન ન આપવું તે કારમાં લિવર ફેઇલ થઈ જવા બરાબર છે જ્યારે ચોરી કરવી તે બ્રેક ફેઇલ થવા બરાબર છે. જો બ્રેક ફેઇલ થાય તો મુસાફરી જોખમમાં મૂકાઈ જાય છે.

સમાજને જગાડવા ક્યારેક તમાચા મારવા પડે

અખબારી ધર્મ સમજાવતા તેમણે કહ્યું હતું કે અખબાર માત્ર સત્યને સાચવવાનું જ નહીં પણ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. સમાજને જગાડવા માટે ક્યારેક તમાચા મારવા પડે તો તે તમાચા પણ મારવા પડે એ અખબારી કાર્ય છે. આજની સમાજ વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે માણસને પ્રમાણિક ન રહેવા દે તેવી વ્યવસ્થા હાલમાં છે. માણસને કોઈ ને કોઈ બહાને એટલો વ્યસ્ત રાખવામાં આવે છે કે ભ્રષ્ટાચાર સામે લડવાનો સમય જ નથી. તો સિસ્ટમ એટલી ભ્રષ્ટ બની ગઈ છે કે કોઈ ને કોઈ જગ્યાએ તમારે એક વખત ભ્રષ્ટાચારનો સહારો લેવા માટે તમને મજબૂર કરે છે. એને એક વખત ભ્રષ્ટાચાર કર્યો એટલે જિંદગીભર તમે તેનો પ્રતિકાર કરી શકો જ નહીં!

No comments:

Post a Comment