Translate

Search This Blog

Wednesday, April 27, 2011

મૃત્યુ જીવાડી પણ શકે અને મારી પણ નાખે!

મૃત્યુ જીવાડી પણ શકે અને મારી પણ નાખે!

This article is displayed here with the courtesy of "Divya Bhasker".

Source: Small Satya, Mukesh Modi | Last Updated 4:14 AM [IST](27/04/2011)

Source Link: http://www.divyabhaskar.co.in/article/MAG-small-satya-mukesh-modi-death-2053864.html




લિયોનાર્ડો દ વિન્ચી કહેતા, ‘જ્યારે મને લાગતું હતું કે હું કેવી રીતે જીવવું એ શીખી રહ્યો છું ત્યારે હકીકતે હું કેવી રીતે મરવું એ શીખી રહ્યો હતો.’ જીવન એ જ મૃત્યુ અને મૃત્યુ એ જ જીવન! ડેથની સાથે સાથે જ જીવવાનું છે, પણ એનો અર્થ એ નહીં કે મરતાં મરતાં જીવવાનું છે!

જે. કૃષ્ણમૂર્તિ કહે છે એમ, ‘મૃત્યુ અગાઉ જીવવું એટલે મૃત્યુની સાથે જીવવું!’ અને જીવન જીવવાનું છે, ફેમસ થઇ જવાય તો વાંધો નથી. કારણ કે ફેમસ થવું એ અલગ ઘટના છે અને ફેમસ થવા માટે હવાતિયાં મારવા એ અલગ છે.

ધર્મ અને મૃત્યુ ફિલોસોફરો માટેનું લાઇફ ટાઇમ અફીણ રહ્યું છે. અને સેક્સ અંગે લખવું આસાન છે કારણ કે એમાં શીઘ્ર-સ્ખલનથી માંડી જીવનમાં થતાં નાના મોટા સ્ખલનનો વિશાળ વ્યાપ આવી જાય છે. બટ ટુ રાઇટ અબાઉટ ડેથ, માત્ર જીવતા હોવું નહીં, જીવંત હોવું એટલું પણ જરૂરી છે! બેન્જામિન ફ્રેન્કલિન કહેતા એમ, જે જણ પચીસની વયે મરી જાય છે પણ જેમને પંચોતેરની વયે દફનાવવામાં આવે છે તેઓ મૃત્યુ અંગે લખે તોય શું અને ન લખે તોય શું! જીવંત વ્યક્તિને જ અધિકાર છે મૃત્યુ જેવા મર્દાના વિષય ઉપર લખવાનો.

આઇન્સ્ટાઇનની પરિભાષા પ્રમાણે તો વિશ્વના નિત્ય નવીન વન્ડર પ્રત્યે જેની આંખમાં ચમક જ નથી એ મરેલા બરાબર જ છે! અને ધર્મ? વેલ, ધર્મ મૃત્યુને જીવાડે છે કે મૃત્યુ ધર્મને જીવાડે છે એ આઇટમ સોંગ ફિલ્મને ઊંચકે છે કે ફિલ્મ આઇટમ સોંગ પર ઠૂમકા મારનારને ઊંચકવા માટે છે એવો પેચીદો છે.

આપણી ભાષામાં દેહાંત શબ્દ છે, પણ બક્ષીસાહેબ કહેતા એમ ‘દેહારંભ’ શબ્દ નથી. એ આપણી જન્મ માટેની પ્રીતિ અને મૃત્યુ માટેનો અણગમો દર્શાવે છે? મૃત્યુ એટલા માટે હશે કે આપણે જીવનને બરાબર સમજી શકીએ? મારા બાપુજી કૃશકાય થતા જતા હતા અને હું ગીતાનો સ્થિતપ્રજ્ઞ જેવો થતો હતો એવા થોડા ગુમાનમાં ઘૂમવા લાગ્યો હતો એવામાં અડધી રાતે ઊંઘ ઉડાડી મૂકે એવો ખ્યાલ આવ્યો.

બાપુજીની જગ્યાએ બિછાના ઉપર મારો અગિયાર વર્ષનો દીકરો હોત તો? એક અંગ્રેજ લેખકનો જુવાનજોધ દીકરો મરી ગયો અને એ લેખક કહે છે, ‘મને ખબર હતી કે એ મરવાનો જ છે, માત્ર સમયની જાણ નહોતી!’ અને કેટલાક તો મરવાથી એટલા બધા ડરતા હોય છે કે જીવવાનું જ રહી જાય છે! આસ્ક: આર યુ ડેથ ફોકસ્ડ ઓર લાઇફ ફોકસ્ડ? જેની ઉપર ધ્યાન હોય એ મળે! વાત તો ‘ફ્લેશ’ અને ‘મીટ’ની જ છે ને? અંગ્રેજ કહેવતની જેમ, મૃત્યુ પહેલા આપણે ‘ફ્લેશ’ હોઇએ છીએ અને મૃત્યુ પછી આપણે ‘મીટ’ બની જઇએ છીએ!

લિયોનાર્ડો દ વિન્ચી કહેતા, ‘જ્યારે મને લાગતું હતું કે હું કેવી રીતે જીવવું એ શીખી રહ્યો છું ત્યારે હકીકતે હું કેવી રીતે મરવું એ શીખી રહ્યો હતો.’ જીવન એ જ મૃત્યુ અને મૃત્યુ એ જ જીવન! ડેથની સાથે સાથે જ જીવવાનું છે, પણ એનો અર્થ એ નહીં કે મરતાં મરતાં જીવવાનું છે! જે. કૃષ્ણમૂર્તિ કહે છે એમ, ‘મૃત્યુ અગાઉ જીવવું એટલે મૃત્યુની સાથે જીવવું!’ અને જીવન જીવવાનું છે, ફેમસ થઇ જવાય તો વાંધો નથી. કારણ કે ફેમસ થવું એ અલગ ઘટના છે અને ફેમસ થવા માટે હવાતિયાં મારવા એ અલગ છે.

ફેમસ થઇ જવું, તમારા કાર્ય થકી જનસમૂહમાં સ્પ્રેડ થઇ જવું, વિસ્તરવું એમાં જીવનનું સન્માન છે અને મૃત્યુનો મલાજો છે, જ્યારે ફેમસ થવા સિદ્ધાંતોથી અને ઇન્ટેગ્રિટીથી ટસના મસ થઇ જવું એ મોતથી ડરી ડરીને ભાગવા જેવું કૃત્ય છે. જે હવાતિયાં મારે છે એ મરે છે. જે બિન્દાસ્ત જીવે છે, ડટ કે જીવે છે, લાર્જર ધેન લાઇફ જીવે છે એની પાસે મરવાનો ટાઇમ જ ક્યાં છે?

અને છતાંય મૃત્યુથી સંપૂર્ણપણે નિશ્વિંત રહી શકાય? સવાર સવારમાં યમરાજ એસએમએસ કરીને કહે કે કાલે છેલ્લો દિવસ, તો એક હસીન કલ્પના કરવા જેવી છે. તમારી પાસે એક જ દિવસ છે, ઓન્લી ટ્વેન્ટી ફોર અવર્સ! વોટ વિલ યુ ડૂ? જેમ સેલિબ્રિટી થવાતું હશે એમ મૃત્યુ વધારે બિહામણું થતું હશે? વતન પાલનપુરના એક શાયરે લખ્યું છે જે મૃત્યુ અને મૃત્યુ પછીના ખાલીપાની વાસ્તવિકતા અંગે ગુજરાતી કવિતામાં અલ્ટિમેટ લાગે છે. ઇર્શાદ ‘ઓજસ’ પાલનપુરી સા’બ: ‘મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઇ ગઇ, આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પુરાઇ ગઇ.’ એકવાર ‘હસ્તી’ બની જાય તેમ તેમ મૃત્યુ વધુ ખોફનાક બનતું હશે? ક્યાંક વાંચ્યું હતું કે ઈતિહાસ એટલે બીજું કંઇ નહીં પણ મૃત્યુ સામેનો સંઘર્ષ છે!

ફૂટી નીકળેલા ફિલોસોફરો ‘આજની ઘડી રળિયામણી’ અને લિવ ઇન ધીસ મોમેન્ટની રાડારાડ કરે છે, પણ મે મહિનાની ગરમીમાં ફાટક બંધ હોય ત્યારે રાહ જોઇ ઊભા હોઇએ ત્યારની મિનિટોનું શું? ક્ષણ તો પળેપળ બદલાયા કરે છે અને એ ક્યારેક સંગીત લઇને આવે છે તો ક્યારેક કર્કશતા! ક્યારેક ચુંબન તો ક્યારેક બદનને તાવમાં ધખધખાવે છે! અને મૃત્યુ રિયલ સેન્સમાં દાર્શનિક બનાવવાની તાકાત ધરાવે છે.

પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી આર્થર એશને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને જ એઇડ્સ શા માટે? એના જવાબમાં એમણે કહેલા શબ્દો ધ્યાનથી સાંભળવા જેવા છે, ‘આજે મને પૂછવામાં આવે છે કે ‘હું જ કેમ?...’ પણ હું ટેનિસનો પ્રસિદ્ધ ખેલાડી હતો અને એક પછી એક ટ્રોફી જીતતો હતો, પ્રશંસકોથી ઘેરાયેલો હતો ત્યારે મેં કોઇને પૂછ્યું હતું કે ‘હું જ કેમ?’ તો પછી હવે જ્યારે મારી સાથે જુદું બન્યું છે ત્યારે આ પ્રશ્ન શા માટે?’ અને જો તમને ‘જીવડા ઓફ ધીસ મોમેન્ટ’ તરીકે ગણાવવાની ખેવના હોય તો જીવન જે પણ બ્લેક એન્ડ વ્હાઇટ અથવા તો કલરફુલ પળો આપે એ માણવી જ રહી. અને મૃત્યુ ન હોત તો જીવન હોત? ક્યાંક વાંચ્યું હતું કે જીવનનું લક્ષ્ય એ હોવું જોઇએ એ કે શક્ય એટલા મોડા પણ શક્ય એટલા યુવાન મરવું! મૃત્યુ કેટલું લચકદાર છે! એ જીવવા માગે એને જીવાડે છે અને મરવા માગે એને જીવાડી જીવાડી મારે છે!‘

ચલતે ચલતે: આ રીતે અહીં ક્યાં કશું મારું રચેલું હોય છે,જ્યાં જગત આખુંય પાણી ઉપર લખેલું હોય છે.- ધ્રુવ ભટ્ટ

mukeshmodifoundation@yahoo.in

Small સત્ય, મુકેશ મોદી

No comments:

Post a Comment