Translate

Search This Blog

Wednesday, November 12, 2014

માણસ વચ્ચે સંવાદ જરૂરી છે, માનસદર્શન, મોરારિબાપુ

માણસ વચ્ચે સંવાદ જરૂરી છે



  • સમાજમાં આપણે બધાએ સુખ-શાંતિ અને શુભનો અનુભવ કરવાની જરૂર છે. સુખ માટે સ્વર્ગમાં જવાની જરૂર નથી. આપણે જ્યાં છીએ ત્યાં ઇશ્વરની કૃપાથી શુભને પામી શકાય છે. 

  • રામકથા સંવાદનું શાસ્ત્ર છે. વિવાદનું શાસ્ત્ર નથી. સર્વને જોડવાનું કામ રામકથા કરે છે. રામકથા દ્વારા સમાજમાં સંવાદનો સેતુ રચાય છે. 



  • જેમાં ઉમા અને શિવનો સંવાદ છે. યાજ્ઞવલ્ક્ય અને ભારદ્વાજજીનો સંવાદ છે. લક્ષ્મણ અને ભગવાન રામનો સંવાદ છે. ભરત અને જનક મહારાજનો સંવાદ છે. કાકભુશુંડી અને ગરુડનો સંવાદ છે. 

  • આજે આખા વિશ્વમાં સૌની વચ્ચે સંવાદ બહુ આવશ્યક છે. માણસ-માણસ વચ્ચે સંવાદ થશે તો પ્રેમનો સેતુ અવશ્ય રચાશે. 




  • દરેક લાભ શુભ હોતા નથી, પરંતુ દરેક શુભ લાભદાયક હોય છે. કોઇપણ શુભ વચન, શુભ કરમ, શુભ વાત, શુભ આચરણ, શુભ દર્શન એ દરેક શુભમાં લાભ હોય છે. પણ દરેક લાભમાં શુભ હોય એવું કહેવું મુશ્કેલ છે. 



  • આપણે પરમાત્માના બાહુબળને યાદ રાખવાની જરૂર છે. બાહુબળ એટલે ઇશ્વરના બાહુની કરુણાની વાત છે. એવી એક કરુણાની વાત છે કે આપણો હાથ પકડ્યા પછી એ ક્યારેય છોડે નહીં. 

  • સમાજમાં બહુ સન્માનની ઇચ્છા પણ ન રાખો. સન્માન ક્યારેક આલોચના ઊભી કરશે. 

  • . ઉદ્ધવ આ જ્ઞાનીઓનો વિષય નથી. પ્રેમીઓનો પ્રદેશ છે. 

  •  બસ વ્યક્તિ પોતે સંવાદીય દાયિત્વ વધારે. સમાજમાં જેને સંવાદથી સેતુ બનાવવો છે એમણે પોતાના કદમ આગળ વધારવા જ પડશે. મારું તો માનવું છે કે આપણે સંવાદ કરતા રહીએ, સામેવાળા કરે કે ન કરે એની ચિંતા ન કરીએ, બસ ઇશ્વર ઉપર ભરોસો હશે તો એક દિવસ સામેથી વ્યક્તિ આવીને સંવાદ કરવા લાગશે. 


(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ માનસદર્શન

Read full article at Sunday Bhaskar, epaper, page 8.

No comments:

Post a Comment